- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
સિક્વલમાં ૨૦ વર્ષ પછીની સ્ટોરી જાેવા મળશે.‘૩ ઈડિયટ્સ ૨’માં રેન્ચો, ફરહાન અને રાજુ લગ્ન પછી પિતા બની ગયા હશે.૨૦૦૯માં રિલીઝ થયેલી ૩ ઇડિયટ્સ લેખક ચેતન ભગતની નવલકથા ફાઇવ પોઇન્ટ સમવન પરથી પ્રેરિત હતી.હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક ૩ ઇડિયટ્સની સિક્વલને લઈને ચાહકોમાં લાંબા સમયથી ઉત્સુકતા હતી. હવે ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ સિક્વલ અંગે મહત્વની માહિતી આપતાં ખુલાસો કર્યાે છે કે વાર્તા ૨૦ વર્ષના ટાઈમ જમ્પ સાથે આગળ વધશે અને મૂળ ત્રણેય પાત્રો હવે લગ્નજીવન અને સંતાનો સાથે નવી જિંદગી જીવતાં જાેવા મળશે.એક ઇન્ટરવ્યુમાં રાજકુમાર હિરાનીએ જણાવ્યું કે ફિલ્મ હાલ લેખનના પ્રારંભિક તબક્કામાં છે. તેમણે કહ્યું, “હાલ હું સ્ક્રિપ્ટના શરૂઆતના…
પોસ્ટર સાથે ફિલ્મ મિર્ઝાપુર અંગે ઉત્સુકતા વધી.અલી ફઝલના ખુંખાર અવતાર સાથે મિર્ઝાપુરનું નવું પોસ્ટર રિલીઝ.હિન્દી અને તેલુગુ ભાષામાં તૈયાર થઈ રહેલી ફિલ્મ દુનિયાભરમાં ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.જ્યારથી લોકપ્રિય વૅબ સિરીઝ મિર્ઝાપુર પરથી ફિલ્મ બનવાની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ વિશે ઘણી ઉત્સુકતા છે. હવે આ ફિલ્મનું ટીઝર લોંચ થાય એ પહેલાં અલી ફઝલને દર્શાવતું એક પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે. ૨૫ જૂને ફિલ્મનું ટીઝર લોંચ થાય એ પહેલાં ફિલ્મ વિશે ચર્ચાઓ અને ઉત્સુકતા વધે તે હેતુથી અલી ફઝલનું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે.આ પોસ્ટરમાં અલી ફઝલ તેનાં એ જ જુના અવતારમાં જાેવા મળે છે, ઉગ્ર, ઘાતક અને મજબુત.…
ગીર સોમનાથ ખાતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામની આગેવાનીમાં આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોએ લઘુતમ વેતન સહિત પોતાની વિવિધ માંગણીઓને લઈને લડતના મંડાણ શરૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત આશા યુનિયનના આગેવાન પિન્કીબેન પરમારે પણ ઉપસ્થિત રહી સમર્થન જાહેર કર્યું હતું. આશા બહેનો અને ફેસિલિટેટર બહેનોએ રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયન તેમજ ગુજરાત આશાવર્કર યુનિયનના લેટરપેડ પર પોતાની માંગણીઓ અંગે આવેદનપત્ર રજૂ કર્યું હતું. આ તકે જાહેર કરવામાં આવ્યું હતું કે આવતીકાલથી ગીર સોમનાથ જિલ્લાની આશા અને ફેસિલિટેટર બહેનો હડતાળ પર ઉતરશે તેમજ પોલિયો અભિયાનનો પણ બહિષ્કાર કરશે. કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં આશા બહેનો ઉપસ્થિત રહી હતી. આશા…
મોરબીના જેતપરમાં ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, જે મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી. મીડિયાને સંબોધન કરતા ‘આપ’ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે ભાજપ સરકાર ખૂબ જ અત્યાચાર કરી રહી છે. ભાજપ સરકાર એવી રીતે વર્તી રહી છે જાણે કંપનીઓની માલિક બની ગઈ હોય! કંપનીઓ પ્રાઇવેટ રીતે કમાવવા આવી છે અને તેમને કરોડો રૂપિયાનો નફો મેળવવો છે, પરંતુ અત્યારે કંપનીઓ ખેડૂતોના ભોગે નફો રળવા માટે તૈયાર થઈ છે. ભાજપ સરકાર આ કંપનીઓ સાથે મળીને, ભગત ભોગે (અથવા સાથ-સહકાર આપીને) પોલીસ પ્રોટેક્શન પૂરું પાડી ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારી રહી…
રમતગમતના મંચ પર ટ્રમ્પનો અનુભવ મિશ્ર રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતાને આપશે ટ્રોફી, કરવામાં આવી મોટી જાહેરાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૬ની ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં વિજેતા ટીમને ટ્રોફી આપશે ફૂટબોલ વર્લ્ડ કપ ૨૦૨૬ ની ફાઇનલ મેચ પછી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા ટીમને ટ્રોફી રજૂ કરશે. ફૂટબોલ વર્લ્ડ કપ ૨૦૨૬ના પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનોએ મંગળવારે આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ ૧૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ ન્યૂયોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ (મેટલાઇફ સ્ટેડિયમ) ખાતે યોજાનારી ફૂટબોલ વર્લ્ડ કપ ફાઇનલમાં ટ્રોફી રજૂ કરવા માટે હાજર રહેશે. ટ્રમ્પ અગાઉ યુએસમાં ક્લબ વર્લ્ડ કપ ફાઇનલમાં પણ હાજર હતા, જ્યાં તેમને બૂઇંગનો સામનો કરવો પડ્યો…
ગેસોલિનના ભાવ પણ ઘટી રહ્યા છે ક્રૂડ ઓઈલના ભાવ ફરી ઘટીને ૭૬ ડોલર પ્રતિ બેરલ થયા ઈરાન અને યુએસ વચ્ચેના તાજેતરના શાંતિ કરાર બાદ, હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યું છે, અને ભાવ સતત ઘટી રહ્યા છે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરાર અને ત્યારબાદ અમેરિકા દ્વારા પ્રતિબંધોમાં કામચલાઉ છૂટછાટની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં જાેવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવ નીચે આવી રહ્યા છે, જે પ્રતિ બેરલ ૮૦ ડોલરની નીચે છે. બુધવારે સવારે ક્રૂડ ઓઈલના ભાવ ફરી ઘટીને ૭૬ ડોલર પ્રતિ બેરલ થયા છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ ૦.૭૬ ડોલર ઘટીને ૭૬.૩૨ ડોલર પ્રતિ બેરલ થયું છે, અને WTI…
વૈભવ સૂર્યવંશીની ઉંમર અંગે ઉઠ્યા સવાલ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે દાવો કર્યો છે કે વૈભવ કદાચ ૨૧ કે ૨૨ વર્ષનો છે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર તનવીર અહેમદે દાવો કર્યો છે કે બિહારનો આ ખેલાડી ખરેખર ૨૧ કે ૨૨ વર્ષનો છે માત્ર ૧૫ વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી તેની વિસ્ફોટક બેટિંગને કારણે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેણે ભારતીય T20 ટીમમાં સ્થાન મેળવ્યું છે અને હાલમાં તે ટીમ સાથે આયર્લેન્ડના પ્રવાસે છે. સૂર્યવંશીએ તાજેતરમાં ત્રિકોણીય શ્રેણીમાં શ્રીલંકા A સામે માત્ર ૧૧ બોલમાં અડધી સદી ફટકારી હતી. તેની ઉંમર અંગે વારંવાર પ્રશ્નો ઉભા થયા છે અને હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર તનવીર અહેમદે દાવો કર્યો છે…
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી રેશન સિસ્ટમમાં પરિવાર દીઠ ૩૫ કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રેશનિંગ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા વિધેયક-૨૦૨૬નો મુસદ્દો જાહેર કર્યો દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રેશનિંગ વ્યવસ્થામાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સંશોધન) વિધેયક-૨૦૨૬નો મુસદ્દો જાહેર કર્યો છે. આ નવા ખરડામાં અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અનાજ વિતરણની પદ્ધતિ બદલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાનો મુખ્ય હેતુ ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત અને ન્યાયસંગત બનાવવાનો છે. નવા મુસદ્દા પ્રમાણે, અત્યાર સુધી અંત્યોદય અન્ન યોજના…
આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં ઈડી પાર્ટીના દમનનો અંત લાવવાનો નિશ્ચય કર્યો છે. આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી હોવાના વિરોધમાં પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 26 જૂનથી શરૂ થનારા આંદોલનની માહિતી આપતાં ‘‘આપ’’ ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું કે 26 જૂને તમામ જિલ્લાઓમાં, 28 જૂને તમામ વિધાનસભાઓમાં અને 30 જૂને તમામ વોર્ડ-જિલ્લા પંચાયતોમાં ચૈતર વસાવાના સમર્થનમાં માર્ચ કાઢવામાં આવશે. ગોપાલ રાયે કહ્યું કે મંગળવારે બે નિર્ણયો આવ્યા. એકમાં ઈડી પાર્ટીએ પોતાના ધારાસભ્ય હાર્દિક પટેલ પર લાગેલો કેસ પાછો ખેંચી લીધો અને બીજામાં મારપીટના કેસમાં…
ચૈતર વસાવાને 7 વર્ષની સજા સામે AAPનો વિરોધ: મનોજ સોરઠીયાએ રાજકીય પૂર્વગ્રહ અને અન્યાયના આક્ષેપ કર્યા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજા મુદ્દે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ ડેડીયાપાડામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ તકે મીડિયાને સંબોધન કરતા ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડામાં તમામ કાર્યકર્તાઓની એક સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ચૈતરભાઈ વસાવા અને તેમના નવ જેટલા સાથીદારોને એક કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. સામાન્ય રીતે કોર્ટમાં કેસો દસ-દસ વર્ષ સુધી ચાલતા હોય છે, પરંતુ આ કેસમાં રાજકીય પૂર્વગ્રહ રાખીને કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાય છે. જ્યારે આ કેસની સુનાવણી થઈ ત્યારે અનેક બાબતો એવી સામે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


