Author: garvigujrat

શું પીએમ માટે જવાબ માટે સમય હશે? : કોંગ્રેસ ભારતને ‘નર્ક’ ગણાવી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ગયા, બાદમાં મહાન દેશ કહી પ્રશંસા કરી US માં સંતાનનો જન્મ થતાં જ નાગરિકતા મળી જતી હોવાથી ચીન-ભારતના લોકો અહીં આવે છે ભારત સાથે ટ્રેડ ડીલ માટે વાટાઘાટો શરૂ થઈ છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત દ્વેષ બહાર આવ્યો છે. ટ્રમ્પે એક જ દિવસમાં પોતાના નિવેદનાં યુ ટર્ન લઈને વિવાદ ટાળવા પ્રયાસ કર્યાે છે. ટ્રમ્પે ભારત અને ચીનને નર્કના દ્વાર ગણાવ્યા હતા. બાદમાં વિવાદ થતો જાેઈને ટ્રમ્પે ભારતને મહાન દેશ અને ખાસ મિત્ર તરીકે ઓળખાવી પ્રશંસા કરી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ…

Read More

મુઈજ્જુ સરકારને ૩૦ અબજ રૂપિયાની કરી મદદ સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું વર્ષ ૨૦૧૨માં આ ળેમવર્ક શરૂ થયા બાદ ભારત અત્યાર સુધીમાં માલદીવ્સને ૧.૧ અબજ ડૉલરથી વધુની આર્થિક સહાય પૂરી પાડી ચૂક્યું છે ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર મજબૂતી જાેવા મળી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવ્સની મદદે ભારત ફરી એકવાર આગળ આવ્યું છે. ભારતે માલદીવ્સને મોટી રાહત આપતા ૩૦ અબજ રૂપિયા(અંદાજે ૪૦૦ મિલિયન ડૉલર)ના કરન્સી સ્વાપ સપોર્ટના પ્રથમ હપ્તાને મંજૂરી આપી દીધી છે. માલદીવ્સમાં આવેલી ભારત સરકારની એમ્બસીએ આ અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, માલદીવ્સની નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે આ પગલું અત્યંત મહત્ત્વનું…

Read More

ટ્રમ્પની મધ્યસ્થતામાં લેવાયો ર્નિણય ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે સીઝફાયર ૩ અઠવાડિયા લંબાયું ટૂંક સમયમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને લેબેનોનના રાષ્ટ્રપતિ જાેસેફ આઉન વ્હાઇટ હાઉસમાં રૂબરૂ મુલાકાત કરશે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા સંઘર્ષને અટકાવવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી સફળતા મેળવી છે. વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેના સીઝફાયરને વધુ ૩ અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. આ શાંતિ મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય મિડલ ઈસ્ટમાં સ્થિરતા લાવવાનો અને લેબેનોનને હિઝબુલ્લાહના ખતરાથી સુરક્ષિત રાખવાનો છે.ઓવલ ઓફિસમાં યોજાયેલી આ બેઠકમાં અમેરિકા વતી ટ્રમ્પ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, સેક્રેટરી…

Read More

હજુ ઘણુ શૂટિંગ બાકી હોવાની કબૂલાત કાર્તિક-શ્રીલીલાની ફિલ્મનું હજુ ૪૫ દિવસનું જ શૂટિંગ પત્યું તાજેતરમાં આ ફિલ્મનાં શૂટિંગની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. બાદમાં એવા અહેવાલો આવ્યા હતા કે ફિલ્મનું મોટાભાગનુ શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે કાર્તિક આર્યન અને શ્રીલીલાની ફિલ્મ ‘તુ મેરી ઝિંદગી હૈ’નું શૂટિંગ હજુ અડધે જ પહોંચ્યું છે. આથી, આ ફિલ્મની રીલિઝમાં વિલંબ થાય તેવી સંભાવના છે. અનુરાગ બાસુએ કબુલ્યું હતું કે, આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પુરુ થઇ ગયું હોવાની વાત માત્ર અફવા છે. હજુ તો આ ફિલ્મનું શૂટિંગ પ્રારંભિક ચરણમાં જ છે. હજુ ફક્ત ૪૫ દિવસનું જ શૂટિંગ થયું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ ફિલ્મનાં…

Read More

આવતાં વર્ષ સુધીમાં રીલિઝ કરવાનો પ્લાન રોકેટ બોયઝનો ડાયરેક્ટર અભય પન્નુ હવે હોરર ફિલ્મ બનાવશે અભયે ફિલ્મની સ્ટોરી ફાઈનલ કરી દીધું છે. આગામી મહિનાઓમાં શૂટિંગ શરુ કરી આવતાં વર્ષે રીલિઝ કરવાનું તેનું પ્લાનિંગ છે ‘રોકેટ બોયઝ’ સીરિઝથી પ્રશંસા મેળવનારા ડાયરેક્ટર અભય પન્નુને હવે એક હોરર ફિલ્મ મળી છે. તે યશરાજ ફિલ્મ્સના બેનર માટે આ હોરર ફિલ્મ બનાવશે. યશરાજ બેનર મોટાભાગે રોમાન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણીતું છે. પરંતુ, હાલ બોલિવુડમાં કેટલીક હોરર ફિલ્મો સફળ થયા પછી અનેક નિર્માતાઓ હોરર ફિલ્મો તરફ વળ્યા છે અને હવે તેમાં આદિત્ય ચોપરાનો પણ ઉમેરો થઈ ગયો છે. તેણે અભય પન્નુને તેનું દિગ્દર્શન સોંપ્યું છે. અભયે…

Read More

ગ્લોબલ ટોપ ૧૦માં એન્ટ્રી વિજય વર્માની ‘મટકા કિંગ’ ભારત અને યુએઈમાં નંબર ૧ નાગરાજ પોપટરાવ મંજુલે દ્વારા લખાયેલી અને ડિરેક્ટ થયેલી આ સિરીઝનું પ્રોડક્શન સિદ્ધાર્થ રોય કપૂરે કર્યું રોય કપૂર ફિલ્મ્સની સિરીઝ ‘મટકા કિંગ’માં વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં છે, તે ઓટીટી પ્લેટફોર્મ પર સફળ રહી છે. આ સિરીઝ ૧૭ એપ્રિલે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયા પછી માત્ર ચાર દિવસમાં જ ભારત અને યુએઈમાં નંબર ૧ સ્થાન મેળવી લીધું છે. આઠ એપિસોડની આ ક્રાઇમ ડ્રામાએ પ્રાઇમ વીડિયોમાં ગ્લોબલ ટોપ ૧૦માં ૮મું સ્થાન પણ મેળવ્યું છે અને હાલમાં વિશ્વભરમાં ટ્રેન્ડ થતી એકમાત્ર ભારતીય સિરીઝ બની છે. નાગરાજ પોપટરાવ મંજુલે દ્વારા લખાયેલી અને…

Read More

અભય પન્નુ રોકેટ બોય્ઝ સહિતની સિરીઝ માટે જાણીતા ડિરેક્ટર છે અભય પન્નુ યશ રાજ ફિલ્મ્સની ઐતિહાસિક પહેલી હોરર ફિલ્મ ડિરેક્ટ કરશે યશ રાજ ફિલ્મ્સના છેલ્લા ૫૦ વર્ષના ઇતિહાસમાં બનાવવામાં આવતી પહેલી હોરર ફિલ્મ હશે, જેનું નામ હજુ નક્કી થયું નથી બોલિવૂડમાં એક તરફ હોરર અને બીજી તરફ હોરર કોમેડીનો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે હવે યશ રાજ ફિલ્મ્સે ફિલ્મમેકર અભય પન્નુને તેમની હોરર ફિલ્મ માટે સાઇન કર્યા છે. રોકેટ બોયઝ જેવી વખાણેલી સિરીઝ માટે જાણીતા અભય પન્નુએ આ પ્રોજેક્ટની સ્ક્રિપ્ટ પણ તૈયાર કરી છે અને ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬ના અંતમાં શરૂ થવાનું છે. આ યશ રાજ ફિલ્મ્સના છેલ્લા ૫૦ વર્ષના ઇતિહાસમાં…

Read More

દીપિકા પ્રેગનન્સી દરમિયાન એક્શન સીન પણ શૂટ કરશે દીપિકાએ પ્રેગનન્સી જાહેર કરતાં ‘રાકા’માંથી સ્ક્રીન ટાઇમ કપાયો? દીપિકા છેલ્લે સિંઘમ અગેઇનમાં જાેવા મળી હતી. પાછળથી એ વખતે પણ તેના એક્શન સીનના શૂટ વખતે દીપિકા પ્રેગનન્ટ હોવાના અહેવાલો આવ્યા હતા અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની અટલી સાથેની સાઇફાઇ ફિલ્મ રાકા શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. તાજેતરમાં ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર થયો, જેને લઈને ઉત્સાહ વધી ગયો હતો. બીજી તરફ તાજેતરમાં જ દીપિકાએ બીજી પ્રેગનન્સની જાહેરાત કરી છે. જાેકે, હવે એવી ચર્ચા છે કે ફિલ્મમાંથી દીપિકા પાદુકોણનો સ્ક્રીન ટાઇમ ઓછો કરવામાં આવ્યો છે.આ દાવાઓને નકારી કાઢતા, રાકાની ટીમે સ્પષ્ટતા કરી છે કે બધું…

Read More

મનીષ સિસોદિયાએ પોલિટિકલ ફંડિંગ મુદ્દે ભાજપને ઘેર્યું.ગુજરાતમાં ૩૦ વર્ષથી આંગડિયા નેટવર્ક કોના ઈશારે ચાલે છે?.સુરતની મુલાકાતે આવેલા મનીષ સિસોદિયાને જ્યારે આંગડિયા મારફતે આવેલા ૧.૨૫ કરોડના ફંડ અંગે પૂછવામાં આવ્યું.સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર જંગમાં આંગડિયા મારફતે આવેલા કરોડોના ફંડિંગને લઈને રાજકારણ ગરમાયું છે. સુરત ક્રાઈમ બ્રાંચે ઘટસ્ફોટ કરેલા ૧.૨૫ કરોડ રૂપિયાના પોલિટિકલ ફંડિંગ મુદ્દે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ‘આપ’ નેતા મનીષ સિસોદિયાએ ભાજપ સરકારને આડેહાથ લીધી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, ‘ગુજરાતમાં દાયકાઓથી ચાલતા આંગડિયા નેટવર્ક પાછળ કોનો હાથ છે?‘ સુરતની મુલાકાતે આવેલા મનીષ સિસોદિયાને જ્યારે આંગડિયા મારફતે આવેલા ૧.૨૫ કરોડના ફંડ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સીધો ખુલાસો…

Read More

સાયબર ક્રાઈમમાં તપાસની માંગ.વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજાેને ધમકી.ઈ-મેઈલમાં બીજા જજને નિશાન બનાવતા લખાયું હતું કે તેઓ પોતે જ ચુકાદા લખે અને કોઈ સ્ટેનો કે અન્યના સહારે ઘોસ્ટ રાઇટિંગ ન કરાવે.વડોદરાની અદાલતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ વકીલ ભાવિન પી.વ્યાસના નામે ફેક ઈમેઈલ આઈડી બનાવી બે જજને ધમકીભર્યા ઈમેઈલ મોકલ્યા હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, ૨૦મી તારીખે કોર્ટના સત્તાવાર ઈમેઈલ પર અદાલતના એક જજ સુધરી જાય જેવા ઉશ્કેરણીજનક સબ્જેક્ટ સાથે ઈમેઈલ મોકલાયો હતો. તેમાં જજને ચેતવણી આપવામાં આવી હતી કે જાે વકીલોનો અપમાન કે ન્યાયિક શિષ્ટાચારનો ભંગ થશે તો ગંભીર પરિણામ ભોગવવા…

Read More