Author: Garvi Gujarat

સવારે ૧૧ વાગ્યે બારામતી ખાતે અંતિમ સંસ્કાર કરાશેઅજિત પવાર પ્લેન ક્રેશ, આવતીકાલે અંતિમ સંસ્કારવડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અજીત પવારના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બારામતી જાય તેવી પ્રબળ શક્યતા મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારનું બુધવારે (૨૮ જાન્યુઆરી) સવારે એક પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે ૧૧ વાગ્યે બારામતી ખાતે કરવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પહેલેથી જ બારામતી પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થવા બારામતી જાય તેવી પ્રબળ શક્યતા છે. અજિત પવાર…

Read More

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો ર્નિણય૨૦૨૬-૨૭ના ટેકાના ભાવો નક્કી કરવા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈઆગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ રવિ અને ખરીફ પાકોના ટેકાના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને ભલામણ મોકલવાનો મુખ્ય એજન્ડા રહ્યો હતોગુજરાતના ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનોના વાજબી અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ન્યૂનતમ ટેકાના ભાવ કમિટીની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ રવિ અને ખરીફ પાકોના ટેકાના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને ભલામણ મોકલવાનો મુખ્ય એજન્ડા રહ્યો હતો. આ બેઠક દરમિયાન પાકોના…

Read More

RCC રોડ અત્યારથી જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો સુરતમાં ૬ મહિનામાં જ કરોડોનો RCC રોડ બેસી ગયોરોડની વચ્ચે મોટી તિરાડો અને ઊંડા ગાબડાં પડવાને કારણે આ માર્ગ હવે વાહનચાલકો માટે જાેખમી સાબિત થઈ રહ્યો છેસુરત મહાનગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલતો કિસ્સો પાલનપુર કેનાલ રોડ પર સામે આવ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે માત્ર ૬ થી ૭ મહિના પહેલાં જ તૈયાર કરવામાં આવેલો નવો નકોર RCC રોડ અત્યારથી જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રોડની વચ્ચે મોટી તિરાડો અને ઊંડા ગાબડાં પડવાને કારણે આ માર્ગ હવે વાહનચાલકો માટે જાેખમી સાબિત થઈ રહ્યો છે. આ નબળી કામગીરીને કારણે રોડ એક તરફ નમી ગયો…

Read More

ટેકનિકલ મશીનોનો સદંતર અભાવસફેદ LED લાઇટ માપવાના મશીનો જ નથી, પરિપત્ર માત્ર શોભાના ગાંઠિયા સમાનજ્યાં નિયમો તો છે પણ તેનો અમલ કરાવવા માટેની પાયાની સુવિધાઓ જ ઉપલબ્ધ નથીરાજ્યમાં વાહનોમાં વપરાતી સફેદ LED લાઈટોના વધતા વ્યાપને રોકવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર હાલ માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ આરટીઓ અધિકારીએ કરેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, આરટીઓ તંત્ર પાસે સફેદ LED લાઈટની તીવ્રતા માપી શકે તેવા જરૂરી લક્સ મીટર કે અન્ય ટેકનિકલ મશીનોનો સદંતર અભાવ છે. આ પરિસ્થિતિને કારણે ‘દીવા તળે અંધારું‘ જેવો ઘાટ સર્જાયો છે, જ્યાં નિયમો તો છે પણ તેનો અમલ કરાવવા માટેની પાયાની…

Read More

આંગણવાડી બહેનોના હિતમાં સરકારનો ર્નિણયદરેક આંગણવાડી કેન્દ્રને અનાજ વહન માટે રૂ.૨૪૦૦ આપવાનો ર્નિણયભારતીય મજદૂર સંઘની રજૂઆતથી આર્થિક મુશ્કેલી દૂર થવાની આશાગુજરાત રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડી રેશનિંગ દુકાન અથવા સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થા વહન માટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને રૂ.૨૪૦૦ની મર્યાદામાં રકમ ચૂકવવાનો ર્નિણય લેવાયો છે. આ ર્નિણયથી વર્ષોથી આંગણવાડી બહેનોને ભોગવવી પડતી આર્થિક મુશ્કેલી દૂર થવાની આશા ઊભી થઈ છે. અત્યાર સુધી રાજ્યભરની આંગણવાડી બહેનોને બાળકોના પોષણ માટે જરૂરી અનાજ, દાળ, તેલ સહિતનો જથ્થો ગોડાઉનમાંથી પોતાના ખર્ચે લાવવો પડતો…

Read More

૯૫ કરોડ લોકોને સામાજિક સુરક્ષાનો લાભ મળ્યો : રાષ્ટ્રપતિ AIના દુરુપયોગના મામલે ગંભીરતાની જરૂર : રાષ્ટ્રપતિકેન્દ્ર સરકાર સાચા સામાજિક ન્યાય માટે સમર્પિત છે અને તેના પરિણામે એક દાયકામાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી શક્યા છેઆજથી સંસદમાં બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સત્રના પહેલા જ દિવસે બંને ગૃહની સંયુક્ત બેઠકોમાં સાંસદોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે તમામ સાંસદોએ ગૃહ યોગ્ય રીતે ચાલવા દેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર યોગ્ય સામાજિક ન્યાય માટે સમર્પિત છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ કરવાનો સરકારનો દ્રષ્ટિકોણ તમામ નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. ભારતે છેલ્લા ૧૦-૧૧…

Read More

પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માનજીનું અમદાવાદ ખાતે આગમન ગુજરાતમાં AAPનું સંગઠન મજબૂત, ગામે ગામ અને શહેરોમાં મોટી મોટી સભાઓ યોજાઈ રહી છે: ભગવંત માન વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલીયાની જીત એક મોટો સંકેત: ભગવંત માન અરવિંદ કેજરીવાલજીનું શિક્ષા અને સ્વાસ્થ્યનું મોડલ જે પંજાબમાં પણ લાગુ કર્યું છે, તેને ગુજરાતમાં પણ લાગુ કરીશું: ભગવંત માન SIRની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે તો ઇલેક્શન કમિશને સામે આવીને સંતોષકારક પગલાં લેવા જોઈએ: ભગવંત માન SIR દ્વારા જો નકલી જનતા બનતી રહી તો પછી જનતંત્ર કેવી રીતે રહેશે?: ભગવંત માન UGC મુદ્દે જો કોઈ સવાલ ઉઠી રહ્યા છે તો તેમાં સંતોષકારક ઇન્સ્પેક્શન…

Read More

મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી સરકારનો નિર્ણયબાંગ્લાદેશે ભારતનો ૯૬૦ કરોડનો પ્રોજેક્ટ રદ કરી નાખ્યોઆ પ્રોજેક્ટ માટે ભારતે કરોડો રૂપિયાની ક્રેડિટ લાઇન મંજૂર કરી હતી, જે હવે અભરાઈએ ચડી ગઈ છેબાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં સતત ખટરાસ જાેવા મળી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારે ભારતનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રદ કરીને ભારતને મોટો આર્થિક અને વ્યૂહાત્મક ફટકો માર્યાે છે.બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓની જાહેરાત સાથે જ મોહમ્મદ યુનુસની વિદાય નક્કી થઈ ગઈ છે, પરંતુ સત્તા છોડતા પહેલા તેમણે ભારત સામે દુશ્મનાવટ કાઢવાનું કામ કર્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ચટગાંવના મીરસરાઈમાં પ્રસ્તાવિત ‘ઈન્ડિયન ઇકોનોમિક ઝોન’ ને સંપૂર્ણપણે રદ કરી દીધો છે. આ પ્રોજેક્ટ…

Read More

‘ધાર્મિક બાબતોના આંતરિક વહીવટમાં દખલગીરી નહીં’મહાકાલ મંદિરમાં VIP દર્શન પર રોકની માંગ કરતી અરજી ફગાવાઈહાઇકોર્ટે પણ તે સમયે કહ્યું હતું કે ઉજ્જૈન જિલ્લા કલેક્ટર અને મંદિર પ્રશાસન જ આ અંગે અંતિમ ર્નિણય લઈ શકે છેમધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં સામાન્ય લોકોના પ્રવેશને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે VIP દર્શન અને ગર્ભગૃહમાં પ્રવેશની વ્યવસ્થાને પડકારતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ‘મહાકાલના દરબારમાં બધા સમાન છે, ત્યાં કોઈ VIP હોતું નથી.’જાે કે, આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે…

Read More

૧લી ફેબ્રુ.એ ભારત બંધનું એલાન.UGCની નવી ગાઈડલાઈન સામે દેશભરમાં વિરોધતાજેતરમાં સૂચિત કરાયેલી માર્ગદર્શિકાને જનરલ કેટેગરીના યુવાનોએ ભેદભાવપૂર્ણ ગણાવી, પાછી ખેંચવા માગ કરીયુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ તાજેતરમાં જાહેર કરેલી નવી ગાઈડલાઈન સામે દેશવ્યાપી વિરોધ વધુ પ્રબળ બન્યો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને યુવાનોએ સુધારેલી માર્ગદર્શિકાને ભેદભાવપૂર્ણ ગણાવતા ૧લી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. દેશના સંખ્યાબંધ રાજ્યોમાં લોકોએ રસ્તા પર વિરોધ પણ કરી રહ્યા છે. સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓએ તેમને અન્યાય થવાની આશંકાએ આ સુધારેલી ગાઈડલાઈન્સ તાત્કાલિક પરત ખેંચવા માંગ કરી છે. જાન્યુઆરીમાં સૂચિત કરાયેલી યુજીસીની નવી માર્ગદર્શિકાથી વર્ગ વિગ્રહ વધુ વકરી શકે છે. બિન અનામત ખાસ કરીને ઉચ્ચ જાતિના વર્ગમાં યુજીસીની…

Read More