Author: garvigujrat

અમદાવાદના ચાંદખેડામાં બેકાબૂ મ્ઇ્જી બસ બિલ્ડિંગમાં ઘૂસી ગઇબેકાબૂ બસ બિલ્ડિંગના પિલર અને નીચેના ભાગે જાેરદાર રીતે અથડાતા મોટો અવાજ થયો હતો. ચાંદખેડા વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેકાબૂ બનેલી BRTS બસ દીવાલ તોડીને સીધી સોસાયટીના બિલ્ડિંગમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં આવેલી પ્રહલાદ પાર્ક સોસાયટી પાસે BRTS નું સર્વિસ સ્ટેશન આવેલું છે. આજે કોઈ અગમ્ય કારણોસર સર્વિસ સ્ટેશન પર લાવવામાં આવેલી એક BRTS બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ એટલી ઝડપે હતી કે તે સર્વિસ સ્ટેશનની દીવાલ અને પેરાફીટ ઓળંગીને સીધી…

Read More

કેન્દ્ર સરકારે આપી મંજૂરી.હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ.આ ર્નિણયથી હવાઈ મુસાફરીને વધુ સ્વચ્છ બનાવવામાં મદદ મળશે, સાથે જ દેશની વિદેશી ઇંધણ પરની ર્નિભરતા પણ ઘટશે.સરકારે એવિએશન સેક્ટરમાં મોંઘા કાચા ઇંધણની આયાત પર ર્નિભરતા ઓછી કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) માં ઇથેનોલ બ્લેન્ડિંગની મંજૂરી આપી દીધી છે. આ સંબંધમાં મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને ATF માર્કેટિંગ નિયમોમાં સુધારો કર્યો છે. આ ર્નિણયથી હવાઈ મુસાફરીને વધુ સ્વચ્છ બનાવવામાં મદદ મળશે. સાથે જ દેશની વિદેશી ઇંધણ પરની ર્નિભરતા પણ ઘટશે. જેથી આગામી સમયમાં હવાઈ મુસાફરી સસ્તી પણ થઈ શકે.…

Read More

દિયોદરના પાલડીમાં ભાજપ નેતાનું નિવેદન.પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને.જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું .રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે હવે ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઇ છે. દિયોદરના પાલડીમાં ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને છે. વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો યુવાનો રસ્તો ન ભટકે તેની ચિંતા કરજાે. આ મુદ્દે વિવાદ થતાં બનાસકાંઠાના જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું…

Read More

૫.૬૮ લાખ લોેકોએ નવા કનેકશન માટે અરજી કરી.માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા.પશ્ચિમ એશિયામાં યુદ્ધ પછી સરકાર ઉદ્યોગો અને ઘરોને પીએનજી માટે પ્રોત્સાહિત કરી રહી છે.ભારતમાં પાઇપવાળું કુદરતી ગેસ (પીએનજી)નાં ગ્રાહકો સતત વધી રહ્યાં છે. માર્ચથી અત્યાર સુધીમાં ૫.૦૧ લાખથી વધારે નવા પીએનજી કનેકશન ચાલુ કરવામાં આવ્યા છે અને ૫.૬૮ લાખ લોકોએ નવા કનેક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પીએનજીની માંગ એવા સમયે વધી રહી છે જ્યારે અધિકારીઓ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલીની વચ્ચે એલપીજીના પુરવઠામાં અવરોધ ઉભો ન થાય તે સુનિશ્ચિત કરી રહ્યાં છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે એલપીજીનાં પુરવઠામાં અવરોધ ઉભો થતા સરકાર ઉદ્યોગો અને ઘરો…

Read More

તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો.વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી.ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો અસલી નીકળી.ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો અસલી નીકળી.હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટા પાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર ૫-૬% જ શુદ્ધ ચાંદી છે. આ ખુલાસાએ માત્ર ભક્તોની આસ્થાને જ ઠેસ નથી…

Read More

હોર્મુઝમાં હાઈ ટેન્શન.ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવતા જહાજ પર ઈરાનનો હુમલો.હુમલા છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ નથી.હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની જળસીમા પાસે ત્રણ અલગ-અલગ વેપારી જહાજાે પર ગોળીબારની ઘટના સામે આવી છે. રોયટર્સના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ હુમલા છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ હોવાના સમાચાર નથી અને તમામ સુરક્ષિત છે. રાહતની વાત એ છે કે જહાજાેમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારના પર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી. એવું કહેવાય છે કે, આ પૈકી અમુક જહાજ ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવી રહ્યા હતા. એક જહાજે રિપોર્ટ આપ્યો છે કે ફાયરિંગ પહેલા એક IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ગનબોટ તેની…

Read More

૨ દેશોએ વર્ષોથી બંધ પડેલો જૂનો રસ્તો ખોલ્યો.પેટ્રોલ-ડીઝલની ચિંતા ખતમ, હવે હોર્મુઝ નહીં અન્ય રસ્તાથી આવશે તેલ.ઈરાક અને સીરિયાએ રાબિયા-યરૂબિયા બોર્ડર ક્રોસિંગને ફરીથી ખોલીને તેલ સપ્લાય માટે જમીન માર્ગ રજૂ કર્યો.ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટનો જળ માર્ગ આખી દુનિયા માટે ચિંતાનો વિષય બની ગયો છે. આવી સ્થિતિમાં ઈરાક અને સીરિયાએ એક મોટું પગલું ભર્યું છે, જે વૈશ્વિક ઓઈલ રાજકારણની દિશા બદલી શકે છે. વર્ષો સુધી બંધ રહેલી રાબિયા-યરૂબિયા બોર્ડર ક્રોસિંગને ફરીથી ખોલીને આ બંને દેશોએ દુનિયા સામે તેલ સપ્લાય માટે એક સુરક્ષિત જમીન માર્ગ રજૂ કર્યો છે. એક તરફ ઈરાને હોર્મુઝમાં કડક નિયંત્રણ લગાવીને તેલ…

Read More

અભિષેક શર્માએ બનાવ્યો વધુ એક વર્લ્ડ રેકોર્ડ .અભિષેક શર્માએ ક્રિસ ગેલ અને એરોન ફિન્ચનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ.IPL 2026માં અભિષેક શર્મા એક પછી એક શાનદાર પ્રદર્શન દ્વારા સતત પોતાની ક્ષમતા સાબિત કરી રહ્યો છે, જે દર્શાવે છે કે ICC T20 રેન્કિંગમાં તે વિશ્વના નંબર વન બેટ્સમેનનું બિરુદ શા માટે ધરાવે છે.T20 ક્રિકેટમાં અભિષેક શર્માએ હવે કયો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. IPL 2026ની ૩૧મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદના યુવા ઓપનર અભિષેક શર્માએ તેની કારકિર્દીની બીજી સદી ફટકારતા ઘણા મોટા રેકોર્ડ તોડ્યા. અભિષેકે ફક્ત…

Read More

રોડ સેફ્ટી નિયમોમાં આવશે બદલાવ.સુપ્રીમ કોર્ટનો મોટો ર્નિણય, હાઈવે પર ટ્રક પાર્કિંગ પર કડક પ્રતિબંધ.હવે વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ ઝોન જગ્યાઓ પર જ ઉભા રહી શકશે : ર્નિણય રોડ અકસ્માતોમાં ઘટાડો માટે લેવાયો.ભારતમાં રોડ સુરક્ષા મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું લીધું છે. કોર્ટે નોંધ્યું છે કે દેશના કુલ રોડ નેટવર્કમાં હાઈવેનો ભાગ માત્ર લગભગ ૨% છે, પરંતુ અહીં થતા અકસ્માતોનો હિસ્સો લગભગ ૩૦% જેટલો છે. આ આંકડો અત્યંત ચિંતાજનક છે અને આ જ કારણથી આ કડક ર્નિણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટેના ર્નિણય પ્રમાણે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રક અને કમર્શિયલ વાહનોનું પાર્કિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. વાહનો…

Read More

એમસીએક્સ પર કોટનના વાયદામાં રૂ.1040નો ઉછાળોઃ સોનાનો વાયદો રૂ.1479, ચાંદીનો વાયદો રૂ.3885 વધ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.31નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.20902.72 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.133818.51 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13369.77 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36894 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.154721.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20902.72 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.133818.51 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36894 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2104.8 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13369.77 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન…

Read More