
- છોટા ઉદેપુરમાં ડામર ભાવવધારા કારણે રૂ. ૨૦૦ કરોડના રોડ કામો અટકાવવાના ખતરા
- અમદાવાદમાં સાઇબર ક્રાઇમ: વોટ્સઅપ પરથી જાેખમી APK ફાઈલ ડાઉનલોડ, ૧૦.૭૦ લાખ રૂપિયાની છેતરપિંડી
- અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી ૫૫૩ ગ્રામ સોનું જપ્ત, કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ
- બંગાળ ચૂંટણીમાં ફોર્મ-૬ વિવાદ: ટીએમસી-ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી, પોલીસ કસ્ટડીમાં લઇ ગઈ
- એર ઇન્ડિયા ફ્લાઇટમાં ધુમાડો, કટોકટી જાહેર, લખનૌમાં સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ
- ભારતમાં ચીનની હિકવિઝન, ડેહુઆ, ટીપી લિંક સીસીટીવીના વેચાણ પર સર્ટિફિકેટ અભાવે ૧લી એપ્રિલથી પ્રતિબંધ
- અમેરિકાએ ઈસ્ફહાન પર ૨૦૦૦ પાઉન્ડ બંકર-બસ્ટર બોમ્બથી હુમલો, ઈરાનની પરમાણુ સુવિધાઓ નષ્ટ
- ઈઝરાયલી દૂતે પાકિસ્તાનને નિષ્ફળ મધ્યસ્થ ઠેરવી ભારતને વધુ યોગ્ય ગણાવ્યો, યુદ્ધમાં સમર્થન અપાયું
Author: Garvi Gujarat
દાહોદમાં ખાખીની આડમાં દારૂનો ધંધો.ચાકલીયા પોલીસ મથકના ત્રણ પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા.પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અને હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડ સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા.ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ મથકના ત્રણ પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતા ઝડપાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા પોતાના જ સાથી કર્મચારીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ચાકલીયા, ઝાલોદ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)નો સ્ટાફ જ્યારે સંયુક્ત પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે પોલીસકર્મીઓ જ દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરી…
અમદાવાદ એરપોર્ટ પર હાઈવોલ્ટેજ ડ્રામા.અક્સા એરની ફ્લાઈટનું ૨ વાર લેન્ડિંગ ફેલ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા.અમદાવાદમાં સતત બે નિષ્ફળ લેન્ડિંગ બાદ એર ટ્રાફિક કંટ્રોલ અને પાયલોટે જાેખમ ન લેવાનું નક્કી કર્યું હતું.મુંબઈથી અમદાવાદ આવી રહેલી અક્સા એરની ફ્લાઈટમાં આજે મુસાફરોએ મોતનો સાક્ષાત્કાર કર્યો હોય તેવી દહેશતભરી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ રનવે પર બે વાર લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસ બાદ વિમાનને આખરે જયપુર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આજે ૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મુંબઈથી અમદાવાદની સફરે નીકળેલા મુસાફરો માટે આ પ્રવાસનો અનુભવ ભયાનક રહ્યો હતો. અક્સા એરની ફ્લાઈટ નંબર ઊઁ ૧૭૮૧(મ્ર્ીૈહખ્ત ૭૩૭ સ્ટ્ઠટ ૮), જે સવારે ૮:૪૦ વાગ્યે મુંબઈથી રવાના થઈ હતી, તેમાં અધવચ્ચે…
પતંગરસિકોને મોંધવારીનો તીખો સ્વાદ.ઉતરાયણની ઉજવણીમાં ખવાતું ઊંધિયું ૬૦૦ રૂપિયા કિલોને પાર થઈ ગયું.આ વર્ષે ઉંધીયાના રો-મટીરીયલ્સમાં ભારે વધારો થયો છે તેથી ઉંધીયાના ભાવમાં વધારો કરવો પડવાની ફરજ પડી છે.ઉત્સવની ઉજવણીમાં અગ્રેસર સુરતીઓ અન્ય તહેવારની જેમ ઉતરાયણની ઉજવણી પણ ભવ્ય રીતે કરે છે. સુરતીઓ પતંગ ચગાવવા સાથે સાથે ખાણીપીણીને પણ વધુ મહત્વ આપે છે. ઉતરાયણના દિવસે સુરતમાં હજારો કિલો ઉંધીયાનું વેચાણ થાય છે પરંતુ આ વર્ષે પતંગ ઉંચે ઉડે કે નહીં ઉડે પણ ઉંધીયાના ભાવ આસમાન પર પહોંચી ગયા છે. ગત વર્ષે પાપડીના ભાવ ઉતરાયણના દિવસે ૭૦૦ રૂપિયા કિલો પર પહોંચી ગયા હોય આ વર્ષે વેપારીઓએ પહેલેથી જ ઉંધીયાના ભાવ ૬૦૦…
લોકોમાં અફરાતફરીનો માહોલ.પ્રયાગરાજમાં માઘ મેળા વિસ્તારના સેક્ટર ૫માં ભીષણ આગ લાગી.આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શક્યતા છે કોઈ શ્રદ્ધાળુઓને ઈજા થઈ નથી. બધા સુરક્ષિત છે.પ્રયાગરાજમાં માઘ મેળા વિસ્તારના સેક્ટર ૫માં ભીષણ આગ લાગી છે. નારાયણ શુક્લ ધામ કેમ્પમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમો આગ ઓલવવાનું કામ કરી રહી છે. ટેન્ટ અને અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. ઘટના સમયે કેમ્પમાં ૫૦થી વધુ લોકો હાજર હોવાનું જાણવા મળી રહ્યું છે. બધા તાત્કાલિક ગેટની બહાર દોડી ગયા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં રોકાયેલી છે. કેમ્પમાં ૧૫ ટેન્ટ હતા, જે બળીને ખાખ…
ભાદર નદીમાં ઠાલવ્યું ઝેરી કેમિકલ.રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા.ભાદર નદીમાં ઝેરી કેમિકલ ઠાલવતા સફેદ ફીણની ચાદર પથરાઈ, ખેતી અને પીવાના પાણી પર જાેખમ.રાજકોટ જિલ્લાની જીવાદોરી સમાન ભાદર નદી અત્યારે Pollution માફિયાઓના પાપે અંતિમ શ્વાસ લઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેતપુરના કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડાતા નદી પર સફેદ ફીણની ચાદર પથરાઈ ગઈ છે. દ્રશ્યો જાેતા એવું લાગે જાણે ભરશિયાળે બરફ વર્ષા થઈ હોય, પરંતુ આ કુદરતી સુંદરતા નથી, પણ ઉદ્યોગો દ્વારા ઠાલવવામાં આવેલું ઝેર છે. નવાઈની વાત તો એ છે કે જેતપુરમાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની કચેરી…
વિકાસના નામે ગુજરાત કનેક્શન વધાર્યાનો ઉદ્ધવ ઠાકરેનો આક્ષેપ.મુંબઈની ઓળખ ભૂંસવાનો પ્રયાસ થઈ રહ્યો છે: રાજ ઠાકરે.જમીન અને ભાષા એ જ તમારી ઓળખ છે, જાે એ જશે તો મરાઠી માણસનું અસ્તિત્વ ખતમ થઈ જશે.બૃહદ મુંબઈ મહા નગરપાલિકા (BMC)ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઠાકરે બંધુઓએ મરાઠી અસ્મિતાના નામે ફરી એકવાર રાજકીય મોરચો ખોલ્યો છે. લગભગ બે દાયકા પછી યોજાયેલી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની પ્રથમ સંયુક્ત રેલીમાં એ જ સૂર સાંભળવા મળ્યો કે, ‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરીને ગુજરાતને સોંપવાનું કાવતરું થઈ રહ્યું છે.’ મુંબઈમાં રવિવારે રાત્રે યોજાયેલી રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આક્રમક અંદામાં કહ્યું કે, ‘મુંબઈને મહારાષ્ટ્ર…
વૃદ્ધ માતા-પિતાના પક્ષમાં એક મહત્ત્વનો કાયદો.વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો ૧૦ ટકા સેલેરી કપાશે.પગારના ૧૦ ટકા સીધા તેમના માતા-પિતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે.તેલંગાણા સરકાર વૃદ્ધ માતા-પિતાના પક્ષમાં એક મહત્ત્વનો કાયદો લાવવા જઈ રહી છે. આ કાયદા હેઠળ વૃદ્ધ માતા-પિતાને તરછોડતા સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મુકવામાં આવશે. તેલંગાણા સરકાર એક એવો કાયદો બનાવવા જઈ રહી છે જે હેઠળ એવા સરકારી કર્મચારીઓના પગારમાંથી ૧૦ ટકા કાપ મૂકવામાં આવશે જેઓ પોતાના વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નથી રાખતા. આ પૈસા માતા-પિતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ સોમવારે કહ્યું કે, વૃદ્ધ માતા-પિતા દ્વારા તેમના પુત્રો સામે કરવામાં આવેલી ફરિયાદોને ગંભીરતાથી…
ઇમિગ્રેશન નીતિ હેઠળ રદ કરાયા વિઝા.અમેરિકાએ ૧૦૦૦૦૦ વિઝા કર્યા રદ, ૮,૦૦૦ વિદ્યાર્થીઓને ઝટકો.ટ્રમ્પ વહીવટીતંત્રે કાયદેસર અને ગેરકાયદેસર ઇમિગ્રેશન બંનેની તપાસ વધુ તીવ્ર બનાવી છે.અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે ૨૦૨૫ માં વિઝાને લઈને ભારત સહિત વિશ્વના ઘણા દેશોને મોટો ફટકો આપ્યો છે. અમેરિકન સરકારે ૨૦૨૫માં ૧૦૦૦૦૦ થી વધુ વિઝા રદ કર્યા હતા, જેમાં ૮,૦૦૦ વિદ્યાર્થી વિઝાનો સમાવેશ થાય છે. ૨૦૨૪ ની તુલનામાં અમેરિકન સરકારે ૨૦૨૫ માં ૪૦,૦૦૦થી બમણા વિઝા રદ કર્યા છે, જ્યારે અમેરિકન સરકારે ઇમિગ્રેશન નીતિની તપાસ બાદ આ ર્નિણય લીધો હતો, ત્યારે આ ર્નિણયની સૌથી વધુ અસર ભારતીયો પર પડી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્દેશ મુજબ ઇમિગ્રેશન નીતિ હેઠળ જાહેર કરાયેલા વિઝાનું…
સરકારનો મોટો ર્નિણય.હિમાચલ પ્રદેશમાં ગેરેજમાંથી રસ્તા પર આવશે વિન્ટેજ કાર.આ પગલાંથી માત્ર કારના શોખીન લોકોને જ નહીં, પરંતુ પ્રવાસન અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે.હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે, જેના કારણે વિન્ટેજ અને ક્લાસિક કારના શોખીન લોકોમાં ખુશી જાેવા મળી રહી છે. ૫૦ વર્ષથી વધુ જૂની કાર અને મોટરસાયકલો, જેમની ઇ.ઝ્ર. (રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ) સમાપ્ત થઈ ગઈ હતી, હવે ફરીથી નોંધણી કરાવીને રસ્તા પર ચલાવી શકાશે. નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. ઘણા લોકો પાસે એવી કાર છે જે વર્ષો પહેલાં તેમના પૂર્વજાે દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. સમય જતાં આ વાહનો…
તંત્રની કડક કાર્યવાહીની ચેતવણી.મહારાષ્ટ્રમાં ચૂંટણીને પગલે બાર અને વાઇન શોપ્સના શટર પડ્યા.આ આદેશનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના લાયસન્સ પણ રદ થઈ શકે છે.મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ વાઇન શોપ્સ, બાર, પરમિટ રૂમ અને રેસ્ટોરન્ટ્સ જ્યાં દારૂ પીરસવામાં આવે છે, તે તમામ ચાર દિવસ સુધી બંધ રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના લાયસન્સ પણ રદ થઈ શકે છે. પોલીસ અને એક્સાઈઝ વિભાગની ટીમો સતત પેટ્રોલિંગ કરશે જેથી ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવી શકાય. ચૂંટણી દરમિયાન મતદારોને લલચાવવા માટે ઘણીવાર દારૂનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. આ ઉપરાંત, દારૂના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



