Author: Garvi Gujarat

વંદે ભારત‘નું ભવ્ય આગમન.રાજસ્થાન અને ગુજરાત વચ્ચે રેલવે કનેક્ટિવિટીનો નવો અધ્યાય.ભારતની અત્યાધુનિક એવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સાબરકાંઠાની ધરતી પર આગમન થતા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે આજે ભારે ઉત્સાહ અને ઉમંગ જાેવા મળ્યો હતો. ભારતની અત્યાધુનિક એવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સાબરકાંઠાની ધરતી પર આગમન થતા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નહીં, પરંતુ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે વિકાસના સેતુ સમાન સાબિત થશે. હિંમતનગર ખાતે વંદે ભારત ટ્રેનના સ્વાગત માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાબરકાંઠા લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ વિશેષ રૂપે હાજર રહ્યા હતા અને ટ્રેનને…

Read More

દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવાહી.પ્લાસ્ટિકના વપરાશ અને ઉત્પાદન વિરુદ્ધ કડક ઝુંબેશની જાહેરાત.હવે માત્ર ફેરિયાઓ જ નહીં પરંતુ ઉત્પાદકો અને મોટા વેપારીઓ સામે પણ આકરી કાર્યવાહી થશે.અમદાવાદમાં પર્યાવરણની જાળવણી અને ગુજરાત હાઈકોર્ટના આદેશોનું પાલન કરવા માટે છસ્ઝ્રની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને ઉત્પાદન વિરુદ્ધ કડક ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. હવે માત્ર ફેરિયાઓ જ નહીં પરંતુ ઉત્પાદકો અને મોટા વેપારીઓ સામે પણ આકરી કાર્યવાહી થશે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુ ઠાકોરના જણાવ્યા મુજબ, ‘ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે જે સૂચનો આપવામાં આવ્યા છે, તેને ધ્યાનમાં રાખીને અમે ફેરિયાઓ…

Read More

ક્રિએટ ઇન ઇન્ડિયા મિશન ટૂંકમાં શરૂ થશે : અશ્વિની વૈષ્ણવ.પ્રધાનમંત્રી મોદીએ કર્યું એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો ૨૦૨૬નું ઉદ્ઘાટન.આ એક્સ્પો એઆઈ ટેકનોલોજી, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને ડિજિટલ સોલ્યુશન્સના વ્યવહારુ ઉપયોગો દર્શાવવા માટેનું એક મુખ્ય પ્લેટફોર્મ છે.પ્રધાનમંત્રી મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો ૨૦૨૬નું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક્સ્પો એઆઈ ટેકનોલોજી, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને ડિજિટલ સોલ્યુશન્સના વ્યવહારુ ઉપયોગો દર્શાવવા માટેનું એક મુખ્ય પ્લેટફોર્મ છે. ભારત અને વિદેશની કંપનીઓ અને નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. એઆઈ-આધારિત સોલ્યુશન્સને લોકો માટે સુલભ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. AI એક્સ્પોના ઉદ્ઘાટન સમયે તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને AI-સંબંધિત વિવિધ પ્રદર્શનોની પ્રશંસા કરી.…

Read More

ધ્વનિ મતથી થયેલા મતદાનમાં સૌથી વધુ મત મળ્યાં.વિપક્ષના હોબાળા વચ્ચે પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા.કોંગ્રેસના સભ્યોએ ખેડૂતોના દેવા માફી, સરકારી વિભાગોમાં આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવા જેવી માંગણીઓ ઉઠાવી હતી.ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે કાર્યવાહી શરૂ થઈ હતી. જાેકે ગૃહમાં ભારે હોબાળા વચ્ચે રાજ્યપાલને પોતાનું ઉદ્બોધન માત્ર ૨૦ મિનિટમાં પૂર્ણ કરવાની ફરજ પડી. રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ગૃહ ગજવી દીધું હતું. જાેકે, આ હોબાળા વચ્ચે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. ધ્વનિ મતથી ઉપાધ્યક્ષ માટેનું…

Read More

વડોદરામાં ભાજપે બે નેતાને હાંકી કાઢ્યા.ભાજપમાં રાજીનામાની મોસમ શરૂ થઈ, રિસામણાનું રાજકારણ રાજીનામા પર પહોંચ્યું.નવસારી બાદ સુરત ભાજપમાં પણ ભડકો થયો છે, સુરતમાં આદિવાસી મોરચાના મંત્રી ગણપત રાઠોડે રાજીનામું ધરી દીધું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો છે. આ ભડકો એક દિશાએથી નહિ, પંરતુ ચારે દિશાઓથી થઈ રહ્યો છે. ભાજપમાં આંતરિક જુથવાદને કારણે નારાજગી અને રાજીનામાની મોસમ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા રિસામણાનું રાજકારણ જાેવા મળ્યું છે. એક તરફ જલાલપોરમાં ભાજપના નેતાઓ જંગે ચઢ્યા છે, અને ધડાધડ રાજીનામા આપી રહ્યાં છે. તો બીજી તરફ, સુરતમાં પણ રાજીનામાનો ચેપ લાગ્યો છે. આવામાં વડોદરા ભાજપે બે નેતાઓને હાંકી કાંઢ્યા છે.…

Read More

હેલ્પલાઇન નંબરો પણ જાહેર.‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજનામાં હવે ઘરે બેઠા સહાયની રકમ મળશે.‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી IPPB ખાતામાં જમા કરવામાં આવશે.વિધવા મહિલાઓને આર્ત્મનિભર બનાવવા અમલમાં આવેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે. પોસ્ટ માસ્ટર જનરલે વિગતો આપતા કહ્યું કે, ‘ઉત્તર ગુજરાતમાં…

Read More

ભારત સામે હાર બાદ પાકિસ્તાની કોચનો ખુલાસો.પ્રતિષ્ઠાના જંગમાં પાકિસ્તાની ખેલાડીઓ માનસિક રીતે તૂટ્યા.હેડ કોચ માઈક હેસને જણાવ્યું હતું કે મોટા અંતરથી હાર મળ્યા બાદ ખેલાડીઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે.શ્રીલંકાના કોલંબો સ્થિત આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ના હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારત સામે ૬૧ રનથી શરમજનક હાર મળ્યા બાદ પાકિસ્તાન છાવણીમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસને હારનું મુખ્ય કારણ આપતા મોટો ખુલાસો કર્યો છે કે આટલી મોટી મેચમાં તેમના ખેલાડીઓ દબાણનો સામનો કરી શક્યા ન હતા. ભારતે ૧૭૫ રનનો મજબૂત પડકાર આપ્યા બાદ પાકિસ્તાન માત્ર ૧૧૪ રનમાં સમેટાઈ ગયું હતું, જેના…

Read More

૧૫ દિવસમાં ૧૨ લોકોના મોત.હરિયાણાના છયાંસા ગામમાં ફેલાઈ રહી છે એક રહસ્યમય બિમારી.અચાનક થયેલા મૃત્યુથી સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ.હરિયાણાના પલવલ જિલ્લાના છયાંસા ગામના લોકો માટે એક રહસ્યમય બીમારી ચિંતાનું કારણ બની ગઈ છે. છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ લોકોના મોત થયા છે. તેમાં બાળકો, યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. અચાનક થયેલા મૃત્યુથી સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, શરૂઆતમાં કેટલાક લોકોએ ખૂબ તાવ, ઉધરસ, ઉલટી, શરીરમાં દુખાવો અને નબળાઈની ફરિયાદ કરી હતી. કેટલાક દર્દીઓની હાલત એટલી બગડી ગઈ કે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમના જીવ બચાવી શકાયા નહીં. આશ્ચર્યજનક રીતે, થોડા દિવસોમાં ઘણા લોકો ગંભીર…

Read More

રાજપાલ યાદવને મોટી રાહત મળી.અભિનેતા રાજપાલ યાદવનાં જામીન મંજૂર થઈ ગયા.હાઈકોર્ટે ૧૮ માર્ચ સુધી વચગાળાના જામીન કર્યા મંજૂર.રાજપાલ યાદવ વર્ષ ૨૦૧૨ માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ સાથે જાેડાયેલ ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં બંધ હતો. ચેક બાઉન્સ કેસમાં ૧૨ ફેબ્રુઆરીનાં રોજ સુનવણી થઇ હતી, જેમાં માત્ર એક પક્ષની દલીલ સાંભળવામાં આવી હતી અને નવી તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે એટલે કે ૧૬ ફેબ્રુઆરીએ ફરીથી જામીન અરજી પર સુનવણી થઇ અને જામીન મંજૂર કર્યાં. આ દરમિયાન અદાલતે રાજપાલ યાદવને નિર્દેશ કર્યો કે એ ફરિયાદીનાં ખાતામાં ૧.૫ કરોડ રૂપિયા જમા કરાવે. આ સાથે અભિનેતાએ આદેશ માન્યો અને ૩ વાગ્યા…

Read More

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા.આ લોકો રામ મંદિર અને કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા.ઉત્તર પ્રદેશ હવે ફિયર ઝોનમાંથી ફેથ ઝોનમાં બદલાઈ ગયું છે. હવે કર્ફ્યુ કલ્ચરનો નહીં, પણ ઝીરો ટોલરન્સનું કલ્ચર છે : યોગી આદિત્યનાથ.ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં સોમવારે રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, પાછલી સરકારોએ ઉત્તર પ્રદેશને અરાજકતા અને અવ્યવસ્થાનો ગઢ બનાવી દીધો હતો, પરંતુ આજે ડબલ એન્જિન સરકારની સ્પષ્ટ નીતિ અને સુશાસનના કારણે રાજ્ય બીમારુ રાજ્યની શ્રેણીમાંથી બહાર આવીને બ્રેકથ્રૂ સ્ટેટ બન્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘૨૦૧૭ પહેલા રાજ્યમાં ગુંડાઓ…

Read More