- કોમર્શિયલ LPG સિલિન્ડર ₹993 મોંઘો, ખાણીપીણીના ભાવ વધવાની શક્યતા
- અમેરિકા દ્વારા ભારતને ₹117 કરોડની 657 પ્રાચીન કળાકૃતિઓ પરત, તસ્કરી પર મોટો પ્રહાર
- મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસનો હુંકાર, EVM મુદ્દે ચૂંટણી પંચ-ભાજપ સામે વિરોધ
- અક્ષય કુમારના પુત્ર આરવનો ફિલ્મોથી ઈનકાર, ફેશનમાં કારકિર્દી અને ₹4500થી શરૂઆત
- રાહુલ રોયની અપીલ: ટ્રોલિંગ નહીં, કામ આપો; રીલ બનાવી જરૂરિયાત પૂરી કરવાની વાત
- રણવીર સિંહની ‘પ્રલય’ ઑગસ્ટ 2026માં શૂટિંગ પર, 300 કરોડના બજેટ સાથે ઝોમ્બી થ્રિલર તૈયાર
- ‘રાજા શિવાજી’ને મજબૂત ઓપનિંગની આશા, પુણેમાં ભારે એડવાન્સ બુકિંગથી મુંબઈને ટક્કર
- સુરતમાં 66મા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, સફાઈ કર્મચારીઓની હાજરીએ વધાર્યું ગૌરવ
Author: Garvi Gujarat
સોનાનો વાયદો ઘટીને રૂ.1.51 લાખ અને ચાંદીનો વાયદો ઘટીને રૂ.2.29 લાખના સ્તર સુધી ગબડ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.2નો મામૂલી સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.27646.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.228553.48 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20618.94 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37388 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.256200.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.27646.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.228553.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 37388 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2688.37 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20618.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું…
ગાંધીનગરમાં વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ વિધાનસભા ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ તથા ખેતીની જમીન સુધારા સંબંધિત વિધેયક-3 લાવવામાં આવ્યું. આ મુદ્દે વિધાનસભામાં ચર્ચા દરમિયાન તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલી કલેક્ટરની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સૂચવ્યું હતું કે નવા સુધારામાં કલેક્ટરની સત્તા પર નિયંત્રણ મૂકવામાં આવવું જોઈએ. જોકે, સત્તાપક્ષના સભ્યો દ્વારા આ મુદ્દે ચર્ચા કરવાની તક આપવામાં આવી નહોતી. ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું કે સરકાર કલમ 75 હેઠળ સુધારો લાવી રહી છે, ત્યારે કલમ 54 અંગે ચર્ચા કરવી અત્યંત જરૂરી છે.…
વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિધાનસભા સત્રના બીજા દિવસે સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત અધિનિયમમાં સુધારો કરતું બિલ લાવવામાં આવ્યું. આ બિલ ગૃહમાં પસાર થયું અને આ બિલ ખૂબ જ મહત્વનું હતું. મારા વિસાવદર વિસ્તારમાં 90% લોકો ખેતી સાથે જોડાયેલા છે અને ખેતી કરતા લોકો સાથે અન્યાય ન થાય એ માટે આ બિલમાં મેં એક સુધારો સૂચવ્યો હતો. પહેલા કાયદા વિશે કહું તો આ કાયદો કહે છે કે 1948થી નક્કી થયું છે કે બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતો નથી. પણ ગુજરાતમાં કેટલાક લોકોએ પોતાની બે…
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ધ્રાફડ નદી પર સરસઈ ગામે બની રહેલા મેજર બ્રિજ મામલે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિધાનસભામાં પૂછાયેલા તેમના સવાલના જવાબમાં સરકારે ડિઝાઇન રિવાઇઝ થવાને કારણે કોઈ નુકસાન ન થયું હોવાનો દાવો કર્યો હતો. પરંતુ AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના અનુસાર આ જવાબ તથ્યવિહિન અને ભ્રામક છે. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે જૂનાગઢના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર બ્રિજ માટે અગાઉ રૂ. 5.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સુધારેલા અંદાજ મુજબ રૂ. 7.23 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે કુલ ખર્ચમાં રૂ. 1.73 કરોડનો વધારો…
આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભામાં ઉપસ્થિત રહી વિવિધ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. પોતાના મતવિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા બાબતે મિડિયા સાથે વાત કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં તેમના તારાંકિત પ્રશ્ન નંબર 23ના જવાબમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે એક તરફ “ગુજરાત મોડલ” અને વિકાસની વાતો થાય છે, જ્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં હજારો બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા…
આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ કરવાની માંગણી કરી હતી. મિડિયા સમક્ષ વાત કરતાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે દેશની લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી લાઇવ પ્રસારિત થાય છે. દેશની સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી પણ યુટ્યુબ પર લાઇવ ઉપલબ્ધ છે. અનેક રાજ્યોની વિધાનસભાઓની કામગીરી પણ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા લાઇવ પ્રસારિત થાય છે. તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓની કાર્યવાહી પારદર્શક રીતે જનતા સમક્ષ…
આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી “વિધાનસભા લાઇવ કરો” લખેલા પોસ્ટર સાથે વિધાનસભામાં પહોંચ્યા હતા. તેમણે “લોકશાહીની હત્યા બંધ કરો, વિધાનસભા લાઇવ કરો” જેવા સુત્રોચ્ચાર સાથે વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ કરવાની માંગણી કરી. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રિમ કોર્ટની કાર્યવાહી લાઇવ પ્રસારિત થાય છે, જેમાં ન્યાયાધીશો અને વકીલો શું દલીલો કરે છે તે સામાન્ય નાગરિક…
ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે નવા સમયપત્રકની જાહેરાત અંબાજી મંદિરે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન-આરતીના સમયમાં ફેરફાર આ દિવસે સવારે વહેલા ૬:૦૦ થી ૬:૩૦ કલાકે આરતી અને ૬:૩૦ થી ૭:૩૦ સુધી દર્શનનો લાભ મળશે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી હોળી અને ફાગણી પૂનમના તહેવારો નિમિત્તે દર્શનના સમયમાં કરવામાં આવેલા ફેરફાર કરાયો છે. આગામી તા. ૨ માર્ચ ૨૦૨૬ સોમવાર (ફાગણ સુદ ૧૪)ના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરાયું છે. આ દિવસે સવારે ૭:૩૦થી ૮:૦૦ કલાકે આરતી થશે અને ત્યારબાદ ૮:૦૦ થી ૧૧:૩૦ સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે ૧૨:૦૦ કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. જ્યારે સાંજે ૧૮:૩૦…
સાયબર ક્રાઈમમાં સતત ચિંતાજનક વધારો નોંધાયો સરકાર લોકોને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરે, પીડિતોને વળતર આપે: સુપ્રીમ લોકોમાં જાગૃતિ લાવવા ટીવી અને રેડિયો પર આ ગુનેગારોની કાર્યપદ્ધતિના રેકોર્ડિંગ્સ પ્રસારિત કરો દેશમાં ઈન્ટરનેટ અને મોબાઈલના વધતાં વ્યાપની સાથે સાથે જ સાયબર ક્રાઈમમાં સતત ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. આ બાબતની ગંભીર નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે સરકારને નીત-નવી પદ્ધતિથી લોકોને સકંજામાં લેતાં સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવા તથા તેનો ભોગ બની પોતાની પરસેવાની કમાણી ગુમાવી ચૂકેલાં લોકોને વળતર આપવા તથા તેમનું રક્ષણ કરવાના ઉપાયો હાથ ધરવા જણાવ્યું હતું. મ્યૂલ બેન્ક એકાઉન્ટ્સ ખોલી તેને સાયબર અપરાધીઓને વેચી દેતાં પરમજીત ખર્બ નામના એક…
માસ્ટર માઈન્ડ હજુ ફરારરોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કરનારા શૂટરની રાજસ્થાનથી ધરપકડ કરાઈ રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે શૂટર સહિત ૬ આરોપીની ધરપકડ કરી છે. ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જૂહુ સ્થિત ઘર પર ફાયરિંગ કરનારા શૂટરની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં મુંબઈ પોલીસે હરિયાણા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શૂટર સહિત ૬ સાથીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે શૂટર સહિત ૬ આરોપીની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે ઉત્તર પ્રદેશમાંથી પણ કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં ૧૧ લોકોની ધરપકડ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



