Author: Garvi Gujarat

ફિલ્મ પર સ્ટે લાવવા માટે દિલ્હી હાઇ કોર્ટમાં પિટિશન કરાઈ મનોજ બાજપેયીની ‘ઘૂસખોર પંડત’ને રોકવા માટે પિટિશન દાખલ કરાઈ ‘ઘૂસખોર પંડત’ એક વન-નાઈટ થ્રિલર છે, જે ભ્રષ્ટ અને નૈતિક રીતે ખોખલા પોલીસ અધિકારી અજય દિક્ષિતની વાર્તા રજૂ કરે છે મનોજ બાજપેયી અને નીરજ પાંડેની આવનારી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ રિલીઝ પહેલાં કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારનો દાવો છે કે ફિલ્મનું નામ એક ચોક્કસ ધાર્મિક સમુદાય અને તેની પરંપરાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.મનોજ બાજપેયી અને નીરજ પાંડે ફરી એકવાર ક્રાઇમ થ્રિલર સાથે પાછા આવ્યા છે. ‘ઘૂસખોર પંડત’ નામની…

Read More

નેટફ્લિક્સની સિરીઝ ‘કર્તવ્ય’માં સૈફ અલી ખાન સાથે જાેવા મળશે લલ્લનટોપના જાણીતા પત્રકાર સૌરભ દ્વિવેદીનું એક્ટિંગમાં ડેબ્યુ ‘કર્તવ્ય’ એક એવા પોલીસ અધિકારીની કહાની છે, જે પોતાના પરિવારની સુરક્ષા જાેખમમાં મુકાય ત્યારે ગંભીર નૈતિક અસમંજસનો સામનો કરે છે જાણીતા પત્રકાર સૌરભ દ્વિવેદીએ લલ્લનટોપ છોડ્યાની વાત ખુબ વાયરલ થઈ ગઈ હતી. સૌરભ દ્વિવેદી હવે અભિનય ક્ષેત્રમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. નેટફ્લિક્સની ૨૦૨૬ની કન્ટેન્ટ સ્લેટ અનુસાર, દ્વિવેદી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત આવનારી નેટફ્લિક્સ સિરીઝ ‘કર્તવ્ય’થી કરશે. આ સિરીઝમાં તે સૈફ અલી ખાન અને રસિકા દુગલ સાથે મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. નેટફ્લિક્સે ઇન્સ્ટાગ્રામ પર સિરીઝના કેરેક્ટર્સનું પોસ્ટર્સ શેર કરતા લખ્યું, “ધર્મ અને કર્મના યુદ્ધમાં,…

Read More

જેક્લિને કાશીને કલ્પનાથી પણ સુંદર અને શાંત ગણાવ્યું જૅક્લિન ફનાર્ન્ડિસે વારાણસી પ્રવાસ દરમિયાન ચાટ ખાવાની ઈચ્છા પૂરી કરી સોશિયલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક ઝલક શેર કરતા જૅક્લિન કારમાં બેઠેલી સેલ્ફી લેતી જાેવા મળી હતી અભિનેત્રી જૅક્લિન ફનાર્ન્ડિસે તાજેતરમાં કામમાંથી થોડો સમય કાઢીને પવિત્ર શહેર વારાણસીની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન જૅક્લિને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો.સોશિયલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક ઝલક શેર કરતા જૅક્લિન કારમાં બેઠેલી સેલ્ફી લેતી જાેવા મળી હતી. બ્લશ-પિંક રંગના સલવાર-સૂટ સાથે હળવા મેકઅપમાં જૅક્લિન ફોટોમાં પાઉટ કરતી જાેવા મળે છે. આ તસવીરને તેણે “વારાણસી” લખી અને તેની સાથે સફેદ દિલનું ઇમોજી મૂક્યું હતું.તેનાં કપાળ પર…

Read More

ટોળકીએ ગુજરાતમાં ૨૬૪ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી દેશભરમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવીને સાયબર ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ ટોળકીએ દેશભરના ૨૮ રાજ્યોમાં અંદાજે ૮૦ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ.૯૩૦ કરોડથી વધુની સાયબર ઠગાઈની રકમ જમા કરાવી સાયબર માફિયાઓ દ્વારા જુદી-જુદી મોડસ ઓપરેન્ડી અપનાવી સાયબર ઠગાઈ આચરવામાં આવે છે. ઠગાઈથી મેળવેલા નાણાંને રોકડમાં રૂપાંતરિત કરવા માટે નજીવા કમિશનની લાલચ આપી મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવે છે. આવી જ એક ટોળકી ઝડપાઈ છે, જેણે દેશભરના ૨૮ રાજ્યોમાં અંદાજે ૮૦ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ.૯૩૦ કરોડથી વધુની સાયબર ઠગાઈની રકમ જમા કરાવી હતી. આ રકમને બાદમાં દુબઈ મારફતે રોકડમાં ફેરવી લેવાઈ હોવાનું…

Read More

સપ્ટેમ્બર ૨૦૨૨માં મહિલા પર આરોપીએ પ્રથમ વખત બળાત્કાર ગુજાર્યાે હતો સંમતિથી બંધાયેલા સંબંધોમાં બળાત્કારની ફરિયાદ રદ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ લગ્નની લાલચ આપી જાતીય સંબંધો બાંધવાના મામલે દરેક કેસમાં બળાત્કારનો ગુનો ગણી શકાય નહીં: સુપ્રીમનું અવલોકન લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારવાના કેસમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરવાના ર્નિદેશ આપતાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, પ્રસ્તુત કેસમાં સંમતિથી બંધાયેલા સંબંધોમાં આવેલી કટુતા સ્પષ્ટ રીતે જાેઈ શકાય છે. સર્વાેચ્ચ અદાલતે અગાઉ આપેલા ચુકાદાનો સંદર્ભ આપ્યા હતા, જેમાં નિષ્ફળ અથવા ભગ્ન સંબંધોમાં અપરાધનો રંગ ઉમેરવામાં આવ્યો હતો. છત્તીસગઢ હાઈકોર્ટે ગત વર્ષે માર્ચ મહિનામાં આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેની સુનાવણી જસ્ટિસ…

Read More

IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે આ સેન્ટર આઈઆઈટી ગાંધીનગરના કલાઈમેટ ચેન્જ વિભાગના અધ્યાપકોની ટીમ તૈયાર કરાયેલા રિસર્ચ અને મળેલ પેન્ટના આધારે ઊભુ કરવામા આવ્યુ IIT ગાંધીનગર દ્વારા કેમ્પસમાં આવેલા રિસર્ચ પાર્કમાં એઆઈ અને ફીઝિક્સ રીઅલ ટાઈમ ડેટા આધારિત કલાઈમેન્ટ સેન્ટર શરૂ કરાયું છે. જે હવે શહેરોમાં વરસાદની આગાહી-હવામાના વિભાગના ડેટા પરથી જ પૂરની આગોતરી માહિતી આપી દેશે. આ એઆઈ બેઝ કમાન્ડ સેન્ટર પૂરની રીયલ ટાઈમ જાણકારી શહેરોને આપશે અને જેનાથી આગોતરા પગલા પણ તંત્ર દ્વારા લઈ શકાશે.આજે ભારતના અનેક શહેરોમાં વધતા શહેરીકરણ સાથે પૂરનું જાેખમ ખૂબ જ…

Read More

મધ્યપૂર્વના દેશો સાથે વેપાર કરાર અંગે ચર્ચા ફરી શરૂ પાકિસ્તાનની ગેમ બગાડવા માટે ભારત એક્ટિવ થયું એપ્રિલ ૨૦૨૫ માં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યાે હતો કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (ય્ઝ્રઝ્ર) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (હ્લ્છ) માટેની વાતચીત ફરી શરૂ થવા જઈ રહી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે ભારતે તાજેતરમાં યુરોપિયન યુનિયન (ઈેં) અને સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) સાથે મહત્વપૂર્ણ વ્યાપારિક કરારો કર્યા છે.ય્ઝ્રઝ્ર એ છ ખાડી દેશોનું સંગઠન છે, જેમાં સઉદી અરેબિયા, યુએઈ, કતાર,…

Read More

ભાઈચારાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પાણીની કટોકટી વચ્ચે દરિયાપુરની કુટી મસ્જિદ સ્થાનિકોની વહારે આવી મસ્જિદના વહીવટકર્તાઓએ કોઈ પણ ભેદભાવ વગર તમામ ધર્મના લોકો માટે પાણીની વ્યવસ્થા કરી આપી હત અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કોમી એકતા અને ભાઈચારાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જાેવા મળ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાઇપલાઇન નાખવાની કામગીરીને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) દ્વારા પાણી પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે. આ કાળઝાળ ગરમી અને પાણીની કટોકટી વચ્ચે દરિયાપુરની ‘કુટી મસ્જિદ‘ સ્થાનિકોની વહારે આવી છે. વિસ્તારમાં પાણી ન હોવાથી હિન્દુ સમાજના લોકો માટે મસ્જિદના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા, જ્યાંથી લોકોએ પોતાની જરૂરિયાત મુજબનું પાણી ભરીને રાહત અનુભવી હતી. આ ઘટનાએ ફરી…

Read More

રાજકોટમાં લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય ગુજરાતની પ્રથમ હાઈટેક વોલ્વો બસનું થયું ભવ્ય લોન્ચિંગ આ ત્રણ બસો જામનગર, રાજકોટ, બરોડા, અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મુખ્ય રૂટ પર દોડશે રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સ દ્વારા પરિવહન ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું ભરતા ત્રણ નવી અત્યાધુનિક વોલ્વો બસનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ બસો માત્ર મુસાફરીનું સાધન નહીં, પરંતુ ટેકનોલોજી અને આરામનો સુભગ સમન્વય છે. ગુજરાતમાં પ્રથમ વખત આવી હાઈટેક સુવિધાઓ રજૂ કરવામાં આવી છે, જે અત્યાર સુધી રાજ્યની કોઈ પણ ખાનગી કે સરકારી બસમાં ઉપલબ્ધ નહોતી. આ બસ ખાસ કરીને લાંબા અંતરના મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેમાં સુરક્ષા અને સુવિધા બંનેને…

Read More

યોગી સરકારનો મોટો ર્નિણય ચાઈનીઝ દોરીથી મોત થશે હત્યાનો ગુનો નોંધાશે રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સ્ટોક વિરુદ્ધ તાત્કાલિક દરોડા પાડવાના આદેશ આપ્યા છે ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે સતત વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવેથી ચાઈનીઝ દોરીના કારણે થતા મોતને માત્ર અકસ્માત નહીં, પરંતુ હત્યા ગણવામાં આવશે. આ સાથે જ તેમણે સમગ્ર રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સ્ટોક વિરુદ્ધ તાત્કાલિક દરોડા પાડવાના આદેશ આપ્યા છે. યોગી આદિત્યનાથે પોલીસ તંત્રને સવાલ કર્યો છે કે જ્યારે રાજ્યમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે, તો પછી…

Read More