Author: Garvi Gujarat

આસપાસના લોકોએ સંભાળી.પૂજા દરમિયાન ફેમસ એક્ટ્રેસ અચાનક ધૂણવા લાગી!.અભિનેત્રીએ માલામાલ વીકલી, શોલા ઔર શબનમ, ઈમ્તેહાન પ્યાર કી, સિફર અને મિલન જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.ટીવી અને ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ સુધા ચંદ્રનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે તે મા દુર્ગાની પૂજા દરમિયાન વિચિત્ર વર્તન કરતી જાેવા મળે છે, જેને જાેઈને સૌ ચોંકી ગયા છે. જાેકે, તેની આસપાસના લોકો તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુધાને દેવીમાં અપાર શ્રદ્ધા છે. આ વર્ષના કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં સુધા સફેદ પ્રિન્ટેડ સાડી પહેરેલી…

Read More

શ્યામલ ચાર રસ્તા પાસે આગની દુર્ઘટના.શ્યામલ વિસ્તારના શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી.ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પાર્ક કરેલા અનેક વાહનો લપેટમાં આવી ગયા હતા.શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ શ્યામલ ચાર રસ્તા પાસે આગની એક દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલા શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પાર્ક કરેલા અનેક વાહનો લપેટમાં આવી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લેટના બેઝમેન્ટમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે…

Read More

લોકોના જીવ સાથે રમત રમનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી.રાજપરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો.મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો આ શખ્સ આસપાસના અનેક ગામડાઓમાં દવાઓ આપતો હોવાનું સામે આવ્યું.પોરબંદર જિલ્લામાં લોકોના જીવ સાથે રમત રમનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી. જેના આધારે રાજપર (નવાગામ) વિસ્તારમાં રેડ કરીને એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો આ શખ્સ આસપાસના અનેક ગામડાઓમાં દવાઓ આપતો હોવાનું સામે આવ્યું છે. પોરબંદર SOG ટીમને બાતમી મળી હતી કે, રાજપર ગામના બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિ ડિગ્રી વગર ક્લિનિક…

Read More

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ.૫% લાંચ લીધાની કબૂલાત બાદ કલેક્ટરના PA અને ક્લાર્કની બદલી.કલેક્ટર કચેરીમાં જમીનની ફાઈલો મંજૂર કરાવવા માટે લાંચનું ચોક્કસ માળખું ગોઠવાયેલું હતુ.કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. ઈડી (ED) દ્વારા કરવામાં આવેલી તપાસ અને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે પહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરાઈ હતી, ત્યારે હાલ કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની પણ હાલ તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ મામલે ED ની તપાસમાં સૌથી ગંભીર બાબત એ…

Read More

૬.૭૯ લાખની માંડવાળ ફી વસૂલાઈ.ગુજરાતમાં તોલમાપ તંત્રની મોટી કાર્યવાહી કરવામાં આવી.૨૫ જિલ્લાઓમાં ૩૭૦ સોના-ચાંદીની દુકાનો અને જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસ કરાઈ.તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની ૩૭૦ જેટલી સોના- ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી જેમાં રાજ્યના ૨૫ જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર ૨૫૩ જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને રૂ.૬.૭૯ લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈ હતી.ગત વર્ષ દરમિયાન વિવિધ વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા કુલ રૂ.૧૮.૭૭ લાખથી વધુની માંડવાળ ફી વસૂલ કરાઈ હતી.ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં…

Read More

સરહદ પર હથિયારો સાથે સેના તહેનાત કરી.ટ્રમ્પની ધમકી બાદ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ટેન્શનમા આવ્યા.દેશમાં હિંસા વધશે તો અનેક શર્ણાર્થીઓ મોટાપ્રમાણમાં પલાયન થવા મજબૂર થશે, જેના કારણે કોલંબિયા પર દબાણ આવશે.અમેરિકાએ વેનેઝુએલામાં ઘૂસીને સૈન્ય કાર્યવાહી કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા બાદ કોલંબિયા સરકારની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ટ્રમ્પે માદુરોને કસ્ટડીમાં લીધા બાદ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખને જીવ બચાવવાની ધમકી આપી હતી. કોલિબંયન સરકાર અને સુરક્ષા નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, માદુરોની ધરપકડના કારણે દેશના અસ્થિરતા સર્જાઈ શકે છે, સરહદ પર તસ્કરી વધી શકે છે, દેશમાં હિંસા વધશે તો અનેક શર્ણાર્થીઓ મોટાપ્રમાણમાં પલાયન થવા મજબૂર થશે, જેના કારણે કોલંબિયા પર દબાણ આવશે.…

Read More

ફરી ખાખીને લાંછન લગાડતી શરમજનક ઘટના.પોલીસકર્મીઓએ એક યુવક સાથે અમાનવીય વર્તન કર્યું.નંબર પ્લેટ વગરની ગાડી બાબતે થયેલી બોલાચાલીમાં પોલીસકર્મીઓએ એક યુવક સાથે અમાનવીય વર્તન કર્યું હોવાના આક્ષેપો થયા છે.રક્ષક જ ભક્ષક‘ બને ત્યારે જનતાનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે. સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ખાખીને લાંછન લગાડતી શરમજનક ઘટના સામે આવી છે. સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ પર એક નિર્દોષ યુવકને ઢોર માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ, વિવાદની શરૂઆત માત્ર નંબર પ્લેટ વગરની ગાડી બાબતે થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ પોલીસકર્મીઓએ માનવતા નેવે મૂકીને યુવક સાથે હિંસક વર્તન શરૂ કર્યું હતું.…

Read More

અરવલ્લીનો ૩૧% હિસ્સો જાેખમમા.ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે, કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી.રાજસ્થાનમાં રણ પ્રદેશમાં વધારો થશે, જયપુર, દિલ્હી, ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં પાણીની અછત સર્જાશે.કેન્દ્ર સરકારનો દાવો છે કે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા એટલે કે ૧૦૦ મીટરની લિમિટને કારણે માત્ર ૦.૧૯ ટકા હિસ્સો જ ખનન માટે લાયક છે. જાેકે કેન્દ્રના આ દાવાને ફગાવતી એક સ્ટડી સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અરવલ્લીનો ત્રીજાે હિસ્સો એટલે કે લગભગ ૩૩ ટકા ભાગ અત્યંત જાેખમભરી સ્થિતિમાં છે. સેટેલાઇટના ડેટાના ઉપયોગથી તૈયાર કરાયેલા આ સ્વતંત્ર સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે અરવલ્લીનો ૩૧.૮ ટકા હિસ્સો એવો છે કે જે ૧૦૦ મીટરની કેન્દ્રની વ્યાખ્યા…

Read More

ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું.દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત.લખનૌ, વારાણસી અને પ્રયાગરાજ સહિત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ધુમ્મસના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોનું જાેખમ સર્જાયું છે.નવા વર્ષના પહેલા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી ના મોજાએ સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઉપરના ભાગોમાં તાજી હિમવર્ષા એ પ્રવાસીઓને આકર્ષ્યા છે. સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે, જેના કારણે દૃશ્યતામાં ઘટાડો થાય છે. લઘુત્તમ તાપમાન ૮-૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે, મહત્તમ તાપમાન ૧૬-૧૮ ડિગ્રી…

Read More

૪૦ દિવસના પેરોલ મંજૂર.બળાત્કાર-હત્યા કેસમાં સજા કાપી રહેલા રામ રહીમને ફરીથી જેલમાંથી મુક્તપેરોલ દરમિયાન તે હરિયાણાના સિરસામાં આવેલા ડેરા સચ્ચા સૌદા આશ્રમમાં રહેશે.બળાત્કાર અને હત્યાના ગંભીર ગુનાઓમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ફરી એકવાર જેલમાંથી પેરોલ આપવામાં આવી છે. આ ર્નિણય બાદ રાજકીય અને સામાજિક સ્તરે ફરી ચર્ચા શરૂ થઈ છે. બે સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં દોષિત ઠેરવાયેલા ગુરમીત રામ રહીમને હરિયાણા સરકાર દ્વારા ફરીથી ૪૦ દિવસનો પેરોલ મંજૂર કરવામાં આવ્યો છે. રોહતકની સુનારિયા જેલમાં સજા ભોગવી રહેલા રામ રહીમને બુધવાર સાંજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પેરોલ દરમિયાન તે…

Read More