Author: Garvi Gujarat

સિવિલમાં દરરોજ મોંઢાના કેન્સરના ૫ાંચ દર્દીની એન્ટ્રી! પુરુષોમાં મોંઢાના કેન્સરના કેસ એક વર્ષમાં ૧૦% વધ્યાં સિવિલની કેન્સર હોસ્પિટલમાં પેટ-સિટી સ્કેનની સંખ્યા ૨૦૨૧માં ૧૮૧૩ હતી, તે ૨૦૨૫માં વધીને ૬૩૩૩ થઈ છે સિગારેટ, પાન-મસાલાનું સેવન સ્વાસ્થ્ય માટે ઝેર સમાન હોવા છતાં તેનું સેવન કરનારાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં એક વર્ષમાં મોંઢાના કેન્સરના ૨૩૫૨ દર્દી નોંધાયા છે. જેમાં ૧૯૩૧ પુરુષ અને ૪૨૧ મહિલા દર્દીનો સમાવેશ થાય છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર વર્ષે નોંધાતા દર્દીમાંથી ૧૯ ટકા માત્ર મોંઢાના કેન્સરને લગતા હોય છે. દર વર્ષે ચોથી ફેબ્રુરઆરીની ઉજવણી ‘કેન્સર દિવસ તરીકે કરવામાં આવે છે. વર્ષ…

Read More

અદિતિએ ઇન્ટરવ્યુમાં ઇમ્તિઆઝ અલી સાથે કામ કરવાની લાલચ વિશે વાત કરી અદિતિએ ઇમ્તિઆઝ અલીની ‘ઓ સાથી રે’ને ઘણી ચેલેન્જિંગ ગણાવી ‘ઓ સાથી રે’ ફિલ્મને એક મેટ્રોપોલિટન સિટીમાં વિન્ટેજ સ્ટાઇલમાં આકાર લેતી એક લાગણીસભર લવ સ્ટોરી ગણાવાઈ અદિતિ રાવ હૈદ્રી ફરી એક વખત ઇમ્તિઆઝ અલીની ફિલ્મમાં ચમકવા જઈ રહી છે. તેણે આ પહેલાં તેમની સાથે રોકસ્ટારમાં કામ કર્યું હતું, જાેકે, તેમાં તેનો રોલ ખાસ લાંબો નહોતો. ત્યારે એક વર્ષ પહેલાં જ્યારે આ ફિલ્મની જાહેરાત થઈ તો દર્શકો ઉત્સાહમાં આવી ગયા હતા. અદિતિ ઇમ્તિઆઝ અલી સાથે ‘ઓ સાથી રે’ ફિલ્મમાં કામ કરી રહી છે. નેટફ્લિક્સ પ્રોડક્શન્સ દ્વારા આ ફિલ્મને એક મેટ્રોપોલિટન સિટીમાં…

Read More

ધનુષ સાથે લગ્ન બાબતે મૃણાલે મૌન તોડ્યું આ દુનિયામાં દરેકને પ્રેમ મળવો જાેઈએ : મૃણાલ સ્ત્રી છે કે પુરુષ, તેનાથી કોઈ ફરક પડતો નથી, તમે પ્રેમમાં હોય એ વ્યક્તિ માટે તમે બધું જ કરો છો : મૃણાલ મૃણાલ હાલ તેના નવા સિંગલ ‘ભીગી ભીગી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સાથે જ છેલ્લા કેટલાંક વખતથી તેનાં ધનુષ સાથે લગ્ન થવાની ચર્ચા પણ વારંવાર વાયરલ થઈ રહી છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મૃણાલ ઠાકુરે આ અંગે ખુલાસો કર્યાે છે અને પ્રેમ માટેના તેના વિચારો વ્યક્ત કર્યાં હતાં. મૃણાલે કહ્યું હતું કે પ્રેમ એવી બાબત છે કે જે વ્યક્તિને પોતાનાં એક સારા વર્ઝનનો પરિચય કરાવે…

Read More

કોર્ટે આપ્યો આદેશ ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને આત્મસમર્પણ કરવું પડશે અગાઉ એપ્રિલ ૨૦૧૮ માં મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને છ મહિનાની કેદની સજા ફટકારી હતી બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને ૪ ફેબ્રુઆરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે.બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને ૪ ફેબ્રુઆરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કડક અવલોકન કરતાં જણાવ્યું હતું કે અભિનેતાએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તે પૈસા પરત કરશે પરંતુ ટ્રાયલ કોર્ટના આદેશોનું…

Read More

પોસ્ટર બહાર આવતા જ ફેન્સે તેને વાયરલ કરી દીધું રણવીર સિંહના દમદાર લુક સાથે ‘ધુરંધર ૨’નો ફર્સ્ટ લુક આઉટ ફિલ્મ ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે ર્નિદેશક આદિત્ય ધરની અપકમિંગ એક્શન ફિલ્મ ‘ધુરંધર ૨’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે. ફિલ્મના ટીઝર રિલીઝ પહેલા જ મેકર્સે ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર કરતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાયો છે. ખાસ કરીને રણવીર સિંહનો નવો લુક ફેન્સ માટે મોટો સરપ્રાઇઝ સાબિત થયો છે. પોસ્ટર બહાર આવતા જ ફેન્સે તેને વાયરલ કરી દીધું છે.રણવીર સિંહે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનું નવું…

Read More

ધો.૬ના બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાએ ગંભીર વળાંક લીધો મણિનગરની દુર્ગા સ્કૂલમાં બદલાની ભાવનાથી કેમિકલ ભેળવીને જીવલેણ કૃત્ય આ કેમિકલયુક્ત પાણી પીધા બાદ બીજા વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળા ‘દુર્ગા સ્કૂલ’માં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ધોરણ ૬ના બે વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ બદલવાની કે સામાન્ય બાબતને લઈને થયેલા ઉગ્ર ઝઘડા બાદ એક વિદ્યાર્થીએ બદલો લેવા માટે તેના મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવી દીધું હતું. આ કેમિકલયુક્ત પાણી પીધા બાદ બીજા વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ ઘટના લગભગ ચાર…

Read More

સ્થાનિક લોકોએ પાણી નાખીને બચાવ્યો અસારવા ચોક પાસે વૃદ્ધનો જાહેરમાં પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ સ્થાનિક લોકો અને પસાર થતા લોકોએ તાત્કાલિક તેમને ઉપાડીને નજીકના સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અમદાવાદના અસારવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અસારવા ચોક પાસે એક આધેડ વ્યક્તિએ જાહેર સ્થળે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બનતાં આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર અસારવા ચોક પાસેના વ્યસ્ત રસ્તા પર આ આધેડ વ્યક્તિએ અચાનક પેટ્રોલ કાઢી અને પોતાના શરીર પર છાંટવાનું શરૂ કરી દીધું હતું. તેને આગ લગાવવાનો પ્રયાસ કરતાં આસપાસના…

Read More

રાહુલ ગાંધીનો ગંભીર આરોપ અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે ઁસ્ મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી સંસદમાંથી બહાર આવી તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સતત બીજા દિવસે સંસદમાં ભાષણ આપી શક્યા નહીં. તેઓ લોકસભામાં ડોકલામ તથા ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવા માંગતા હતા. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન આજે સતત બીજા દિવસે હારે હોબાળો થયો અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. જે બાદ સંસદમાંથી બહાર આવી તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ડીલ મુદ્દે…

Read More

બુલેટ ટ્રેનનુ કાઉન્ટ ડાઉન શરૂ દિલ્હીથી વારાણસી પહોંચી જવાશે ૩.૫ કલાકમાં જ દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે ભારતમાં રેલ મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. સોમવારે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દ્ગઝ્રઇ મુખ્યાલય અને ડ્ઢઇસ્ કાર્યાલય સાથે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન કોરિડોર અંગે મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે સ્પષ્ટતા કરી કે સરકારની હવે પ્રાથમિકતા આ રૂટ પર હાઇ-સ્પીડ કનેક્ટિવિટી પૂરી પાડવાની છે. એકવાર આ પ્રોજેક્ટ કાર્યરત થઈ જાય, પછી દિલ્હીથી બાબા વિશ્વનાથના શહેર વારાણસીનું અંતર ફક્ત સાડા ત્રણ કલાકમાં પૂર્ણ કરી શકાશે. હાલમાં વંદે ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનો પણ આ અંતર કાપવામાં…

Read More

NDA સાંસદોને સંબોધતા બોલ્યા PM મોદી અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સારું વાતાવરણ બન્યું આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, લોકો ટીકા કરી રહ્યા હતા પરંતુ આપણે ધીરજ રાખી અને તેનું સકારાત્મક પરિણામ આવ્યું છે ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટેરિફ સોદાને લઈને સંસદ પરિસરમાં દ્ગડ્ઢછ સાંસદો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, લોકો ટીકા કરી રહ્યા હતા પરંતુ આપણે ધીરજ રાખી અને તેનું સકારાત્મક પરિણામ આવ્યું છે. પીએમ મોદીએ NDA સંસદીય દળની બેઠકમાં કહ્યું કે, તમામ સાંસદો સદનમાં હાજર રહે, ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે. બજેટની ઉપલબ્ધિઓ અંગે જનતા…

Read More