
- સુરતના સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા કાબૂ માટે જહેમત
- ગુલાબી કેરીની ખેતી પર વાવાઝોડા અને માવઠાનો પ્રભાવ, ભાવ વધ્યા ૧૦૦૦–૧૭૦૦ રૂપિયા
- ઈરાન-યુએઈ સંઘર્ષ: હોર્મુઝ જળમાર્ગ પર યુદ્ધની તૈયારી અને યુએઈ સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લાવશે
- હિમાચલમાં પક્ષપલટા પર રોક: પેન્શનવાળો લાભ બંધ કરતો બિલ રજૂ
- ચંડીગઢમાં ભાજપ કાર્યાલય બહાર સ્કૂટીમાં બ્લાસ્ટ, કોઈ ઘાયલતા નહીં, પોલીસ તપાસ શરૂ
- ગુજરાતમાં ૨-૪ એપ્રિલ સુધી કમોસમી વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી
- “ATF ભાવ ડબલ: હવાઈ મુસાફરી મોંઘી, સરકાર કહ્યુ—નિયંત્રણ બહાર”
- અમેરીકા ઈરાન સંઘર્ષ બાદ NATO સંબંધો પર પુનર્વિચાર કરશે: વિદેશ મંત્રી
Author: Garvi Gujarat
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું.અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મન મોહિત કરશે!.તે જનભાગીદારીનું એક અદ્ભુત ઉદાહરણ છે, તેનાથી શહેરની જીવંત ભાવના સાથે જ પ્રકૃતિ સાથેના જાેડાણને સુંદર રીતે દર્શાવે છે.અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૧ જાન્યુઆરીથી ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-૨૦૨૬નો ભવ્ય પ્રારંભ થયો છે. આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભારત એક ગાથા થીમ પર ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલોથી જીવંત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના ફ્લાવર શોની ભવ્યતાને લઈ એક્સ પર પોસ્ટ શેર કરી છે. પ્રધાનમંત્રી…
Gail Gas Limited ની જાહેરાત.CNG ભાવમાં કર્યો ઘટાડો,PNG ગ્રેસ પણ થયો સસ્તો. PNG અને CNG ભાવમાં અનુક્રમે રૂપિયા ૧ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર અને રૂપિયા ૧ પ્રતિ કિલોનો ઘટાડો કરવાની જાહેરાત.પબ્લિક સેક્ટરની કંપની ગેલ ગેસ લિમિટેડ (Gail Gas Limited) એ ગુરુવારે ઘરેલું રસોઈ ગેસ (PNG) અને CNG ભાવમાં અનુક્રમે રૂપિયા ૧ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર અને રૂપિયા ૧ પ્રતિ કિલોનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા વર્ષ નિમિત્તે કંપનીએ પોતાના ગ્રાહકોને આ મોટી ભેટ આપી છે. નોંધનીય છે કે, ગેસના ભાવમાં આ ઘટાડો પાઇપલાઇન ટેરિફમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારો બાદ લેવામાં આવ્યો છે. આના એક દિવસ પહેલા જ દેશની સૌથી…
ઓસી. ટીમના કોચ મેકડોનાલ્ડે અગાઉ કમિન્સ રમશે કે નહીં તે અંગે શંકા સેવી હતી.ટી૨૦ વર્લ્ડ કપમાં પણ કમિન્સના સમાવેશથી તમામ શંકા દૂર: કોચ.કમિન્સ ટીમનું નેતૃત્વ સંભાળશે નહીં કેમ કે ઓલરાઉન્ડર મિચેલ માર્શ હાલ ઓસ્ટ્રેલિયાનો ટી૨૦ કેપ્ટન છે.પ્રવાસી ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ ગુમાવી ચૂકેલો ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સ આગામી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ થયો છે તેનાથી તેના અંગેની તમામ શંકાઓ દૂર થઈ ગઈ છે.અગાઉ કાંગારું ટીમના કોચ મેકડોનાલ્ડે જાહેર કર્યું હતું કે તે વર્લ્ડ કપમાં રમી શકશે નહીં અને તેને ફિટ થવામાં ઘણો સમય લાગશે. આગામી ટી૨૦ વર્લ્ડ કપ આ વખતે ભારત અને શ્રીલંકામાં યોજાનારો છે. ફેબ્રુઆરી-માર્ચમાં…
ગત વર્ષની સરખામણીએ વધુ ૪૦નાં મોત.વાઘના અસ્તિત્વ પર સંકટ વર્ષ ૨૦૨૫માં ૧૬૬નાં મોત.ભારતમાં વાઘની વસ્તી ૨૦૧૮માં ૨,૯૬૭ હતી જે ૨૦૨૨માં વધીને ૩,૬૮૨ થઈ ગઈ છે. ભારત વિશ્વના ૭૫% વાઘનું ઘર છે. વિશ્વમાં વાઘની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત માટે વર્ષ ૨૦૨૫ ચિંતાજનક રહ્યું છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ના તાજેતરના આંકડા અનુસાર, ગત વર્ષે દેશમાં કુલ ૧૬૬ વાઘનાં મોત થયા છે, જે વર્ષ ૨૦૨૪ (૧૨૬ મોત)ની સરખામણીએ ૪૦ વધુ છે. ‘ટાઈગર સ્ટેટ’ તરીકે જાણીતા મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૫૫ વાઘનાં મોત નોંધાયા છે.કુલ ૧૬૬ મૃત વાઘોમાં ૩૧ બચ્ચા હતા, જે ચિંતાનો વિષય છે. વર્ષની શરૂઆત ૨ જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં એક નર વાઘના…
પ્રદૂષણના ગંભીર અસર.બે વર્ષમાં ગુજરાતમાં શ્વાસના દર્દીઓમાં ૪૦%નો વધારો.૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં શ્વાસની સમસ્યાના ઈમરજન્સી કોલ્સમાં આંશિક ઘટાડો નોંધાયો.શિયાળાની સાથે જ પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ છેલ્લા ઘણા દિવસથી ૨૦૦ને પાર નોંધાય છે. પ્રદૂષણની અસરને પગલે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં એક જ વર્ષમાં શ્વાસની સમસ્યા ધરાવતા ૧.૨૯ લાખથી વઘુ ઈમરજન્સી કોલ્સ નોંધાયાનું સામે આવ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૫માં શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ ૩૬૧ અને પ્રતિ કલાકના ૧૫ જેટલા કેસ નોંધાયા છે. ઈમરજન્સી સેવા ‘૧૦૮’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૩માં શ્વાસની…
વર્ષાંતે ટેક્સ પ્લાનિંગના ભાગરૂપે દાનવીર બન્યા હોવાનો ખુલાસા.ઇલોન મસ્કની સખાવત: ટેસ્લાના રૂ.૯૦૦ કરોડના શેર દાનમાં આપ્યા.અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો થયો. વિશ્વના સૌથી ધનિક અબજાેપતિ ઇલોન મસ્કે આશરે ૧૦ કરોડ ડોલર (આશરે ૯૦૦ કરોડ)ના ટેસ્લાના આશરે ૨.૧૦ લાખ શેર કેટલીક સખાવતી સંસ્થાને દાનમાં આપ્યાં છે. જાેકે આ સખાવતી સંસ્થાઓના નામ જાહેર કરાયા નથી. ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વર્ષાંતના ટેક્સ પ્લાનિંગને ભાગરૂપે મસ્કે આ દાન કર્યું હતું.અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો થયો હતો. ટેસ્લાના સીઇઓએ આવું મોટું દાન કર્યું હોય તેવો…
અભિનેત્રીને નાનપણથી જ અભિનયમાં રસ હતો.દેખાવ અને વજન માટે ટ્રોલ થતા વિદ્યાને જાત માટે નફરત થવા લાગી હતી.અક્ષય કુમાર સાથે ફિલ્મ “હે બેબી” માં અભિનય કર્યા બાદ વિદ્યાને તેના દેખાવ અને વજન માટે ટ્રોલ કરવામાં આવી હતી.વિદ્યા બાલનનો જન્મદિવસ વિશેષ: હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલન થિયેટર કર્યા પછી ટીવી શોમાં કામ કરતી હતી. આ પછી, અભિનેત્રીએ દક્ષિણ સિનેમામાં અભિનય કારકિર્દી શરૂ કરવાની યોજના બનાવી હતી. જાેકે, આ ર્નિણય સફળ ન થયો. આ પછી, તેણીએ એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું. આનાથી તેનું નસીબ બદલાઈ ગયું અને અભિનેત્રીને બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક મળી. ૨૧ વર્ષ પહેલાં હિન્દી સિનેમામાં પ્રવેશ કરનારી વિદ્યા…
૨૦૨૩માં આવેલી કેરાલા સ્ટોરી ફિલ્મનું ડિરેકશન સુદિપ્તો સેને કર્યું હતું.‘કેરાલા સ્ટોરી-૨’ ફેબ્રુઆરીમાં થિએટરમાં રિલીઝ થશે.‘કેરાલા સ્ટોરી-૨’નું ફિલ્માંકન અત્યંત અંકુશ ધરાવતી અને સુનિશ્ચિતતા ધરાવતી પદ્ધતિએ કરવામાં આવ્યું છે.આ ફિલ્મમાં પ્રવર્તમાન સ્થિતિની અત્યંત કાળી, ક્રૂર અને અમાનવીય બાજુ દર્શાવતી ફિલ્મ કેરાલા સ્ટોરી ઘણી ચર્ચામાં રહી હતી. હવે આ ફિલ્મનો બીજાે ભાગ આવી રહ્ય છે. જાેકે, ફિલ્મના કલાકારો અને સ્ટોરી અંગે સંપૂર્ણ ગોપનિયતા જાળવવામાં આવી છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ‘કેરાલા સ્ટોરી-૨’નું શૂટિંગ ઘણું અંકુશ ધરાવતી અને સુનિશ્ચિતતા ધરાવતી પદ્ધતિએ કરવામાં આવ્યું છે૨૦૨૩ની વર્ષમાં ‘કેરાલા સ્ટોરી’ આવી ત્યારે તે ફિલ્મ બ્લોકબસ્ટર પૂરવાર થઇ હતી. જાેકે પ્રેક્ષકો તરફથી આ ફિલ્મ માટે મિશ્ર…
મૂળ લા ફેમિલા બેલિર ફિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી.લા ફેમિલા બેલિરની હિન્દી રિમેકમાં અલીઝે અને સિદ્ધાંત.સિદ્ધાંત ચતુર્વેદી છેલ્લે ૨૦૨૫માં ધડક ૨માં જાેવા મળ્યો હતો, જેમા તેની સાથે તૃપ્તિ ડિમરી લીડ રોલમાં હતી.સિદ્ધાંત ચતુર્વેદી અને અલીઝે અગ્નિહોત્રી જાણીતી ળેન્ચ ફિલ્મ લા ફેમિલા બેલિરની હિન્દી રીમેક માટે કાસ્ટ થયાં છે. આ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ વિકાસ બ્હલ ડિરેક્ટ કરશે, જેમાં ટેલેન્ટ અને પરિવારના આધારીત વાર્તા હશે. મૂળ લા ફેમિલા બેલિર ફિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી અને આ એક ફ્રેન્ચ- બેલ્જિયન કોમેડી ફિલ્મ હતી, જે એરિક લાર્ટીગોએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં ૧૬ વર્ષની છોકરીની વાત છે, જે પોતાનાં બધિર માતા પિતા માટે દુભાષિયાનું…
ઝહાન કપૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પીઆરની અતિશયોક્તિ વિશે વાત કરી.PR થી મેગેઝીન કવર પર ચમકવાને બદલે હું મારું સ્થાન કમાવામાં માનું છું : ઝહાન કપૂર.મારો આ મીડિયાની દુનિયા અને મનોરંજનની દુનિયાનો ભાગ બની રહીને શક્ય હોય એટલી મોટી અસર ઉભી કરવાનો હેતુ છે : ઝહાન કપૂર.જાન્યુઆરી ૨૦૨૫માં એક સીરિઝ આવી, ‘બ્લોક વોરન્ટ’ અને કોઈને ધ્યાનમાં પણ નહોતો એવો કપૂર પરિવારનો એક કલાકાર, ઝહાન કપૂર છવાઈ ગયો. ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રિય સ્તરે આ સિરીઝની ચર્ચા હતી. ત્યાર પછી ઝહાન કપૂર કોઈ ફિલ્મ કે સિરીઝમાં દેખાયો નથી. ત્યારે એક ઇન્ટરવ્યુમાં ઝહાને ઇન્ડસ્ટ્રીમાં થઈ રહેલી પીઆરની અતિશ્યોક્તિ વિશે વાત કરી છે. તેણે જણાવ્યું,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



