Author: Garvi Gujarat

સુપ્રીમ કોર્ટનો આદેશ.માદુરોની ધરપકડ બાદ વાઇસ પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્રિગ્ઝ વેનેઝુએલાની કમાન સંભાળશે.અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપપ્રમુખને વચગાળાના પ્રમુખ બનાવવાનો આદેશ આપ્યો છે.વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અને પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ દેશમાં ગંભીર રાજકીય સંકટ ઉભું થયું છે. અમેરિકાના સેના પ્રમુખ માદુરો અને તેમના પત્નીને કારાકાસથી ન્યૂયોર્ક લઈ ગઈ છે, જેના પછી સૌથી મોટો સવાલ એ ઉભો થયો હતો કે વેનેઝુએલાની સત્તા હવે કોણ સંભાળશે? આ સંકટનો ઉકેલ વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે શોધી કાઢ્યો છે.વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે દેશમાં સર્જાયેલી અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપપ્રમુખને વચગાળાના પ્રમુખ બનાવવાનો આદેશ આપ્યો છે. આ ર્નિણય અનુસાર, દેશમાં પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી, ઉપપ્રમુખ…

Read More

પ્રેસ સ્વતંત્રતાને દફનાવવામાં આવી.પાકિસ્તાનમાં કલમની હત્યા: ૭ પત્રકારોને આજીવન કેદ.પાકિસ્તાનમાં કલમની હત્યા: ૭ પત્રકારોને આજીવન કેદ.પાકિસ્તાનમાં પ્રેસ સ્વતંત્રતાને દફનાવવામાં આવી છે. આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ ડિજિટલ આતંકવાદના આરોપસર આદિલ રાજા અને મોઈદ પીરઝાદા સહિત સાત પત્રકારોને આજીવન કેદની સજા ફટકારી છે. જનરલ અસીમ મુનીરના કહેવાથી આ દેશનિકાલ કરાયેલા પત્રકારો પર ૯ મેના રોજ થયેલી હિંસા ભડકાવવાનો આરોપ છે. પાકિસ્તાની ન્યાયિક પ્રણાલીને બ્લેકલિસ્ટ કરવાની હાકલ કરી છે, તેને કાંગારૂ કોર્ટનો ર્નિણય ગણાવ્યો છે. ૩ જાન્યુઆરીની સવારે, પાકિસ્તાનની ન્યાયિક પ્રણાલીએ એક ડેથ વોરંટ જારી કર્યું જેણે વૈશ્વિક પત્રકારત્વનો આત્માં કંપાવી નાખ્યો છે. આ વોરંટ કોઈ ભયાનક ગુનેગાર કે સરહદ પારના આતંકવાદી…

Read More

રેલવે સ્ટેશન પર એક મોટી આગની ઘટના બની.ત્રિશૂર રેલવે સ્ટેશન પર મોટી આગ, ૨૦૦થી વધુ વાહનો બળીને ખાખ.અધિકારીઓએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ, ઇંધણ લીકેજ અથવા અન્ય કોઈ તકનીકી ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે.કેરળના ત્રિશૂર રેલ્વે સ્ટેશન પર રવિવારે વહેલી સવારે થયેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો. આ આગમાં સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરાયેલા ૨૦૦થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા. રવિવારે સવારે કેરળના ત્રિશૂર રેલ્વે સ્ટેશન પર એક મોટી આગની ઘટના બની હતી. પ્લેટફોર્મ નંબર ૨ પાસે આવેલા ટુ-વ્હીલર પાર્કિંગ વિસ્તારમાં સવારે અંદાજે ૬:૪૫ વાગ્યે અચાનક આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે…

Read More

સાબરમતી–જૈસલમેર એક્સપ્રેસ પોકરણ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન શકે છે.ઉત્તર પશ્ચિમ રેલવેના જાેધપુર મંડળમાં રાયકા બાગ પેલેસ-જૈસલમેર સેકશનમાં જેઠા ચાંદન-થઈરાત હમીરા સ્ટેશનો વચ્ચે બ્રિજ નં.૧૭૦ અને જૈસલમેર-થઈરાત હમીરા સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. ૧૭૯ પર એન્જિનિયરિંગ કાર્ય હેતુ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન શકે છે. •ટ્રેન સંખ્યા ૨૦૪૯૨ સાબરમતી–જૈસલમેર એક્સપ્રેસ ૦૬ અને ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ પોકરણ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેથી આ ટ્રેન પોકરણ અને જૈસલમેર વચ્ચે…

Read More

ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૧૩૦૦ સરકારી કર્મી દંડાયા.આ ઉલ્લંઘનોમાં મુખ્યત્વે હેલમેટ વિના વાહન ચલાવવું, નંબર પ્લેટની ગેરહાજરી અથવા ચેડાંનો સમાવેશ થતો હતો.આ ઉલ્લંઘનોમાં મુખ્યત્વે હેલમેટ વિના વાહન ચલાવવું, નંબર પ્લેટની ગેરહાજરી અથવા ચેડાંનો સમાવેશ થતો હતો.ઘણી વખત એવી ફરિયાદો ઉઠતી હોય છે કે ટ્રાફિક પોલીસ સરકારી કર્મચારીઓ કે પોલીસકર્મીઓને નિયમ ઉલ્લઘંન પર દંડ કરી કરતી નથી ત્યારે હવે કાયદો બધા માટે સમાનનો હેતુ સાર્થક કરવા અમદાવાદ ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારીઓ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં ૧૩૦૦થી વધુ સરકારી કર્મચારીઓને ૬.૧૬ લાખ દંડનો ફટકારવામાં આવ્યો છે. ૨ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી રાત્રે ૮ વાગ્યા સુધી અમદાવાદમાં મુખ્ય સરકારી…

Read More

૬ વર્ષમાં ૫૩૦૦૦ કરોડની છેતરપિંડી.ગુજરાત, દિલ્હી અને વેસ્ટ બંગાળમાં સૌથી વધુ સાઇબર ફ્રોડની ફરિયાદ.ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ અરેસ્ટ સ્કેમ, ઓનલાઇન ફ્રોડ, બેન્કિંગ ફ્રોડ અને સાઇબર ફિશિંગ દ્વારા ઘણાં લોકોને ટાર્ગેટ કરાયા.ભારતમાં છેલ્લા ૬ વર્ષમાં ૫૩૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને એની અંદર આ આંકડા આપવામાં આવ્યાં છે. યુનિયન હોમ મિનિસ્ટ્રીની અંદર આવતું આ ડિપાર્ટમેન્ટ સાઇબર ક્રાઇમ સામે લડવા માટે કામ કરે છે. ભારતના લોકોને સાઇબર ક્રાઇમથી રક્ષણ આપવા માટે દરેક પ્રકારની પોલિસી અને કાયદાઓની દેખભાળ આ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે સાઇબર…

Read More

હોમગાર્ડ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડીંગ ઓફીસર બદલી કરવા માટે રૂ.૨૦૦૦ની લાંચ લેતા ઝડપાયા.ફરીયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા સારૂ અરજી કરેલ.મહેસાણામાં હોમગાર્ડ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડીંગ ઓફીસર બદલી કરવા માટે રૂ.૨૦૦૦ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે, પોલીસે ઝડપાયેલાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી. આ કામે હકિકત એવી છે કે, ફરીયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા સારૂ અરજી કરેલ. જે અરજી આધારે ફરીયાદીની હોમગાર્ડ યુનિટ વિસનગરથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી થયેલ. જે બદલીની ફાઈલના કાગળો આરોપીએ ફરિયાદીને આપવા સારૂ રૂ.૨૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા…

Read More

૮ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી ધામાસાણ!.ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સરકારની નવી નીતિ સામે બાંયો ચડાવી.આગામી ૮ જાન્યુઆરીથી રાજ્યભરમાં મનરેગા બચાવો કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છ.કેન્દ્ર સરકારે ગ્રામીણ રોજગાર માટેની જૂની MGNREGA યોજનામાં ધરમૂળથી ફેરફાર કરી તેને નવા નામ અને માળખા સાથે લાગુ કરી છે. જાેકે, આ નવા ફેરફારો સામે વિપક્ષ (Opposition) આક્રમક મૂડમાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સરકારની નવી નીતિ સામે બાંયો ચડાવી છે અને આગામી ૮ જાન્યુઆરીથી રાજ્યભરમાં ‘મનરેગા બચાવો કાર્યક્રમ‘ શરૂ કરવાની જાહેરાત કરી છે. નવી યોજનામાં રોજગારીના દિવસો વધ્યા છે, પરંતુ ફંડિંગ પેટર્ન બદલાતા વિવાદ સર્જાયો છે. કેન્દ્ર સરકારના ર્નિણય સામે વિરોધ નોંધાવવા માટે ગુજરાત કોંગ્રેસે…

Read More

કોઈ ગર્લ્સ હોસ્ટેલની બારી ખખડાવી લાઇટ બંધ કરે છે!.ખેડાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને થયો ડરામણો અનુભવ થઈ રહ્યો છે.કન્યા છાત્રાલયની ૪૭ વિદ્યાર્થિની ભયના ઓથાર હેઠળ.નડિયાદ અનુસૂચિત કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વો ખૌફ ફાટી નીકળ્યો છે. નડિયાદ પીજ રોડ કેનાલ ઉપર આવેલ છાત્રાયલની વિદ્યાર્થીનીઓએ કોઈ અજાણ્યા શખ્સના આતંકને પગલે પોલીસની શી ટીમ પાસેથી મદદ માંગી હતી. ગઈકાલે રાત્રે છાત્રાલયમાં પથરા ફેંકવાની અને લાઈટના ફોક્સની ઘટનાથી ૫૦થી વધુ વિદ્યાર્થીનીઓ આખી રાત ભયના ઓથાર નીચે કાઢ્યો. નડિયાદમાં સરકારી કન્યા છાત્રાયલ આવેલી છે. જ્યાં છેલ્લા અઠવાડિયાથી આ અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો આતંક ફાટી નીકળ્યો છે. વોર્ડન સમક્ષ રજૂઆત છતાં વિધાર્થીનીઓની વાતને સાંભળવામાં આવતી નથી. આ…

Read More

૪ અધિકારીઓ પર FIR નો ચૂંટણી પંચનો આદેશ.બંગાળમાં SIRમાં પડદાં પાછળ ચાલી રહ્યો હતો ખેલ!.મોયના અને બારુઈપુર પૂર્વમાં ફરજ બજાવતા આ અધિકારીઓએ નકલી મતદારોને કાયદેસરની માન્યતા આપી દીધી હતી.પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં ગેરરીતિ આચરવાના ગંભીર આરોપ હેઠળ ચૂંટણી પંચે ૪ વરિષ્ઠ અધિકારીઓ અને એક કર્મચારી સામે FIR દાખલ કરવાનો આદેશ આપી કડક કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે મોયના અને બારુઈપુર પૂર્વમાં ફરજ બજાવતા આ અધિકારીઓએ વાસ્તવિક સ્થિતિની તપાસ કરવાને બદલે ઓફિસમાં બેઠા બેઠા જ નકલી મતદારોને કાયદેસરની માન્યતા આપી દીધી હતી. પંચે આ અધિકારીઓ પર લોકશાહીની પ્રક્રિયા સાથે છેડછાડ કરવાનો અને બોગસ વોટિંગ માટે નકલી નામોને…

Read More