Author: Garvi Gujarat

ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો.આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં.ભારતીય સેનાએ બદલાતા સમય અને ટૅક્નોલૉજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોટો ફેરફાર કર્યો છ.ભારતીય સેનાએ બદલાતા સમય અને ટૅક્નોલૉજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની સોશિયલ મીડિયા પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સૈનિકો અને અધિકારીઓને ઇન્સ્ટાગ્રામ પર સર્ફિંગ કરવાની કે મોનિટર કરવાની છૂટ અપાઈ છે. જાે કે, તેઓ કોઈ પોસ્ટ નહીં કરી શકે અને કોઈ પોસ્ટ પર લાઇક, શેર અને કોમેન્ટ પણ નહીં કરી શકે. ભારતીય સેનાના તમામ યુનિટો અને વિભાગો માટે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.…

Read More

જાણો તાંજાવુર શૈલીની આ કલાકૃતિની વિશેષતા.રામ મંદિરના ‘અંગદ ટીલા’ ઉપર સ્થપાશે રામલલાની સુવર્ણ પ્રતિમા.કર્ણાટકના બેંગલુરુના રહેવાસી જયશ્રીફનીશ દ્વારા અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી.અયોધ્યામાં રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક ભવ્ય અને કિંમતી સુવર્ણ પ્રતિમા બિરાજમાન કરાશે. કર્ણાટકના બેંગલુરુના રહેવાસી જયશ્રીફનીશ દ્વારા અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી ગઈ હતી. આ સુવર્ણ પ્રતિમા પર હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નો જડવામાં આવ્યા છે. આ મૂર્તિનું મૂલ્ય જાહેર કરાયું નથી, પરંતુ એવું કહેવાય છે કે તેની કિંમત રૂ. ૩૦ કરોડ જેટલી હોઈ શકે છે. આ દક્ષિણ ભારતની પરંપરાગત તાંજાવુર શૈલીમાં તૈયાર કરાયેલી માત્ર એક કલાકૃતિ નથી,…

Read More

ઢાકામાં રાજકીય ઉથલપાથલ.૧૭ વર્ષ પછી ડાર્ક પ્રિન્સનું બાંગ્લાદેશમાં આગમન.BNP ના વડા બેગમ ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન લગભગ ૧૭ વર્ષની લાંબી ગેરહાજરી પછી ઘરે પરત ફર્યો છે.બાંગ્લાદેશી રાજકારણમાં એક મોટા ઘટનાક્રમમાં, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વડા બેગમ ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન લગભગ ૧૭ વર્ષની લાંબી ગેરહાજરી પછી ઘરે પરત ફર્યો છે. તારિક રહેમાનના પાછા ફરવાથી BNP સમર્થકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે, અને તેને દેશના રાજકીય પરિદૃશ્યમાં એક વળાંક તરીકે જાેવામાં આવી રહ્યો છે. તારિક રહેમાનનું પાછા ફરવું એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશ ગંભીર રાજકીય અસ્થિરતાનો અનુભવ કરી રહ્યું છે. દેશના વિવિધ ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉની મુલાકાતે.અમારી સરકારે ૩૭૦ની દીવાલ તોડી પાડી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી.મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૬૫ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(૨૫ ડિસેમ્બર) ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાને અટલ બિહારી બાજપેયીની ૧૦૧મી જન્મજયંતી પર રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૬૫ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, અમારી સરકારે ૩૭૦ની દીવાલ તોડી પાડી. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના…

Read More

સુરત એસીબીએ એક જ દિવસમાં બે સરકારી લાંચિયા અધિકારીઓની ધરપકડ કરી.સુરતમાં ડે. ચીફ ફાયર ઓફિસર એક લાખની લાંચ લેતાં ઝડપાયા.બીજા કેસમાં ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.સુરત ACB એક જ દિવસમાં બે સરકારી લાંચિયા અધિકારીઓને ઝડપી પાડયા છે. પહેલાં ઉધના મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસરને ૧૦ હજારની લાંચ લેતા ACB રંગેહાથ ઝડપી પાડયા હતા. બીજા કેસમાં ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એક જાગૃત નાગરિકે પોતાની હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. આ NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં વર્ગ-૩…

Read More

ભારતમાં દારૂ સાથે સંકળાયેલા મોઢાંના કેન્સરની સંખ્યા અંદાજે ૧૧.૩ ટકા છ.થોડો દારૂ પીવાથી પણ મોંઢાનું કેન્સર થવાનું જાેખમ ૫૦ ટકા વધી જાય છે: રિસર્ચ.સેન્ટર ફોર કેન્સર એપિડેમિયોલોજી અને ફ્રાન્સની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઑન કેન્સરના સંશોધકોએ હાથ ધરેલા સર્વેમાં થયેલો ચોંકાવનારો ઘટસ્ફોટ.દરરોજ માત્ર નવ ગ્રામ જેટલો શરાબ પીવાથી પણ મોઢાનું કેન્સર થવાની શક્યતા લગભગ ૫૦ ટકા વધી શકે છે તેમ તાજેતરમાં હાથ ધરાયેલાં એક અભ્યાસમાં જણાવાયું છે. અભ્યાસમાં વધુમાં જણાવ્યાં અનુસાર સ્થાનિક રીતે બનાવેલા શરાબના સેવનથી આ જાેખમ નોંધપાત્ર રીતે વધી ૮૭ ટકા સુધી પહોંચી જાય છે.નવી મુંબઈ સ્થિત સેન્ટર ફોર કેન્સર એપિડેમિયોલોજી સહિત ભારતની વિવિધ સંસ્થાઓ અને ફ્રાન્સની ઇન્ટરનેશનલ…

Read More

તમામ ત્યાં ટ્રક ડ્રાઈવિંગ કરતાં હતા.અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ૩૦ ભારતીયોની ધરપકડ કરાઈ.યુએસ બોર્ડર પેટ્રોલની બે દિવસની વ્યાપક ઝુંબેશમાં વિવિધ ચેકપોઇન્ટ ઉપરથી ૪૯ ગેરકાયદે ડ્રાઇવરો ઝડપાયા. યુએસ બોર્ડર પેટ્રોલના જવાનોએ અમેરિકામાં ગેરકાયદે રહેતાં અને કોમર્શિયલ લાયસન્સની મદદથી સેમીટ્રક ચલાવતા ૩૦ ભારતીય ડ્રાઇવરોને ઝડપી લીધા હતા. કેલિફોર્નિયાના એલ સેન્ટ્રો સેક્ટરમાં આવેલાં એક ઇમિગ્રેશન ચેકપોઇન્ટ ઉપર આવતાં તમામ વાહનોના ચેકિંગ દરમ્યાન કુલ ૪૯ ગેરકાયદે રહેતા વસાહતી ડ્રાઇવરો ઝડપાયા હતા એમ યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન વિભાગે ગત સપ્તાહે બહાર પાડેલાં એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.૨૩ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર વચ્ચે બોર્ડર પેટ્રોલના જવાનોએ એવા ૪૨ ગેરકાયદે રહેતાં વસાહતીઓને ઝડપી લીધા હતા જેઓ…

Read More

ધ્રુવ રાઠી પર સાધ્યું નિશાન.‘ધુરંધર’ ફિલ્મને પ્રોપોગંડા કહેનારાઓને ડિરેક્ટર આદિત્ય ધરે આપ્યો જવાબ.‘ધુરંધર’ ફિલ્મના એક ફેન્સે આદિત્ય ધરને મેન્શન કરીને એક ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી. જેને આદિત્ય ધરે શેર કરી હતી.આદિત્ય ધરની ‘ધુરંધર’ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાલ મચાવી છે. આ સાથે ‘ધુરંધર’ બોલીવુડની ઓલટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. જાેકે, ઘણા વિવેચકો ‘ધુરંધર’ને પ્રોપોગંડા ફિલ્મ ગણાવી રહ્યા છે, જેમાં યુટ્યુબર ધ્રુવ રાઠીનો પણ સમાવેશ થાય છે, પરંતુ, ડિરેક્ટર આદિત્ય ધરે નામ લીધા વગર ધ્રુવ રાઠીને ફિલ્મની ટીકા અંગે પણ જવાબ આપ્યો છે.ધ્રુવ રાઠીએ પોતાના એક વીડિયોમાં ‘ધુરંધર’ ફિલ્મ અંગે કહ્યું હતું કે સારી રીતે બનેલી પ્રોપગંડા ફિલ્મ વધારે…

Read More

શૂટિંગ પૂર્ણ થઈ ગયાની જાહેરાત બાદ ફરી શિડયૂલ.શાહિદની ઓ રોમિયોનું રીલિઝના મહિના પહેલાં પણ શૂટિંગ ચાલશે.કેઅન્ય ફિલ્મોનું છ માસ પોસ્ટ પ્રોડક્શન ચાલતું હોય છે: વિશાલ ભારદ્વાજનો આત્મવિશ્વાસ ડગ્યો.શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’નું શૂટિંગ શિડયૂલ આ મહિનાના અંતે અને આગામી જાન્યુઆરીમાં પણ ગોઠવાયું હોવાના અહેવાલોથી આશ્ચર્ય પ્રસર્યું છે. વિશાલ ભારદ્વાજના પ્લાન પ્રમાણે આ ફિલ્મ આગામી વેલેન્ટાઈન ડેએ રીલિઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ અગાઉ પૂર્ણ થઈ ચૂક્યાની પણ જાહેરાત થઈ ગઈ છે. તેને બદલે હવે આ નવું શિડયૂલ ગોઠવાયું છે.સામાન્ય રીતે આજકાલ કોઈ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થાય પછી પોસ્ટ પ્રોડક્શન કમસે કમ છ મહિના ચાલતું હોય છે. તેને બદલે ફેબુ્રઆરીના સેકન્ડ વીકમાં રીલિઝ…

Read More

ત્રિવિક્રમ શ્રીનિવાસની ફિલ્મનું બજેટ ૧૦૦૦ કરોડ હોવાની ચર્ચા.અલ્લુ અર્જૂન ત્રિવિક્રમ સાથે માઇથોલિકલ ફિલ્મમાં કામ કરશે.અલ્લુ અર્જૂન અને ત્રિવિક્રમ જાેડીની ફિલ્મ હંમેશા સફળ રહી છે અને તેઓ બંને પણ એકબીજા સાથે કામ કરવા ઉત્સુક છે.અલ્લુ અર્જૂનની પુષ્પા પછી તેની દરેક ફિલ્મની ચર્ચા રહે છે. લાંબા સમયથી તેની અટલી સાથેની સાઇ ફાઇ ફિલ્મની પણ ચર્ચા છે. ત્યારે હવે અલ્લુ અર્જૂન અને ત્રિવિક્રમ એક માઇથોલોજિકલ એપિક ફિલ્મ કરી રહ્યા હોવાના અહેવાલો છે. આ પહેલાં ત્રિવિક્રમ અને અલ્લુ અર્જૂન અલા વૈકુંઠપુર્રમુલ્લુ, જુલાયી, એસઓ સત્યમુર્તિ જેવી ફિલ્મ સાથે કરી ચૂક્યા છે. ત્યારે હવે એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “તેમની આગામી ફિલ્મ પહેલાં ક્યારેય જાેવા…

Read More