Author: garvigujrat

ગરમીની મોસમમાં પણ ડેન્ગ્યુનાં કેસ વધ્યા શહેરમાં ખાણીપીણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો તાજેતરમાં જ પિકનિક હાઉસ, ગર્લ્સ હોસ્ટેલ વગેરે જગ્યાએ જ ઝાડા ઊલટીનાં ૧૦૦થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે શહેરમાં ગરમીની મોસમ તેમજ ભેળસેળયુક્ત અને જાહેર આરોગ્યને હાનિ પહોંચાડે તેવા ખાદ્યપદાર્થાેનાં ધૂમ વેચાણને પગલે તથા પ્રદૂષિત પાણીનાં કારણે ઝાડા ઊલટી, ટાઇફોઇડ જેવા રોગચાળામાં વધારો નોંધાયો છે, પરંતુ મ્યુનિ. હેલ્થ ખાતાનાં ચોપડે કોઇ અકળ કારણોસર ઓછા કેસ નોંધાઇ રહ્યાં છે.શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ખાણીપીણીનો ધંધામાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે. જ્યાં જુઓ ત્યાં ખાણીપીણીની લારીઓ, ફાસ્ટફૂડની દુકાનો, રેસ્ટોરન્ટ, હોટલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, આ સિવાય ખાણીપીણીની ચીજવસ્તુઓનાં ઉત્પાદકો પણ વધ્યા છે.…

Read More

એક પરકોલેટીંગ વેલ પાછળ સરેરાશ ૧૦ લાખ જેટલો ખર્ચ શહેરમાં ચોમાસા પહેલાં ૧૦૦૦ પરકોલેટીંગ વેલ કાર્યરત થઇ જશે રાજ્ય સરકાર અને મ્યુનિ.નાં ખર્ચે ખાનગી સોસાયટીઓમાં ભૂગર્ભ જળસંચય યોજનાનો પૂરજાેશમાં અમલ શહેરમાં આગામી ચોમાસા દરમિયાન ભૂગર્ભ જળસંચય અભિયાન હેઠળ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનાં પ્રોજેક્ટ અંતર્ગત સાત ઝોનમાં એક હજાર જેટલાં પરકોલેટીંગ વેલ કાર્યરત કરી દેવાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે.મ્યુનિ.ઇજનેર ખાતામાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં વર્ષાેથી પીવાનાં પાણી માટે કે ફેક્ટરી ઉપયોગ માટે બોરવેલની મદદથી ભૂગર્ભ જળ ઉલેચવામાં આવી રહ્યાં છે. નર્મદાનાં નીર ઘર ઘર સુધી પહોંચાડવાનાં દાવા છતાં મ્યુનિ.હદમાં આવેલી સંખ્યાબંધ સોસાયટીઓ અને ફેક્ટરીઓમાં હજુ પણ હજારોની સંખ્યામાં ખાનગી બોરવેલ…

Read More

પીએમ મોદીએ કહ્યું દેશ માટે ‘ગૌરવની ક્ષણ’ ભારતે મોટી પરમાણુ સફળતા હાંસલ કરીને રચ્યો ઈતિહાસ પીએમ મોદીએ પોતે આ રિએક્ટરના ‘કોર લોડિંગ’નું નિરીક્ષણ કર્યું હતું, જેનું પરિણામ આજે ‘ક્રિટીકેલિટી’ સ્વરૂપે જાેવા મળ્યું  ભારત સિવિલ ન્યૂક્લિયર ઉર્જાના ક્ષેત્રમાં શક્તિશાળી દેશ બનવા તરફ એક ડગલું વધુ આગળ વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, તમિલનાડુના કલ્પક્કમમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઈન અને નિર્મિત એડવાન્સ્ડ ન્યૂક્લિયર રિએક્ટર સફળતાપૂર્વક ‘ક્રિટીકેલિટી’ પર પહોંચી ગયું છે. આ સફળતા સાથે જ ભારત રશિયા પછી કોમર્શિયલ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ચલાવનાર વિશ્વનો બીજાે દેશ બનવા જઈ રહ્યો છે.આ રિએક્ટરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પોતાની જરૂરિયાત…

Read More

અમે કેમ ટોલ ટેક્સ ના લઈએ? હોર્મુઝ સ્ટ્રેટ અંગે ટ્રમ્પની નવી જાહેરાતથી દુનિયા સ્તબ્ધ હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વની સૌથી મહત્વની ઓઈલ લાઈફલાઈન ગણાય છે. તે પર્શિયન ગલ્ફને હિંદ મહાસાગર સાથે જાેડે છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક નવા અને અત્યંત ખતરનાક વળાંક પર આવી પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે છે કે, અમેરિકા ઈરાન સામેનું યુદ્ધ જીતી ચૂક્યું છે અને હવે તેઓ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝની ખાડી પર ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પનું આ નિવેદન વૈશ્વિક તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખળભળાટ મચાવી શકે તેમ છે.સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે અત્યંત આક્રમક…

Read More

‘ધુરંધર’ જાેઈને પરેશ રાવલે ખૂબ વખાણ કર્યા ‘પહેલીવાર કોઈ ફિલ્મ જાેઈને લાગ્યું કે તેમાં મને કાશ ભૂમિકા મળી હોત’ ‘ધુરંધર: ધ રિવેન્જ’ ભારતમાં સૌથી ઝડપથી ૧૦૦૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ ર્નિદેશક આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર અને તેની સિક્વલની જબરદસ્ત સફળતા વચ્ચે એક્ટર પરેશ રાવલનું એક નિવેદન ચર્ચામાં છે. પરશે રાવલે કહ્યું છે કે તેને આ ફ્રેન્ચાઇઝીનો ભાગ હોવું જાેઈતું હતું.પરેશ રાવલે તાજેતરમાં ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં ધુરંધર અને ધુરંધર: ધ રિવેન્જની ખૂબ પ્રશંસા કરી. તેણે જણાવ્યું કે તેણે ફિલ્મનો પહેલો ભાગ બે વાર જાેયો છે, જ્યારે બીજાે ભાગ પણ જાેઈ ચૂક્યા છે અને ફરીથી જાેવાની…

Read More

રાઘવ જુયાલને ઓફર કરાયાછઝ્રની અટકળો રેમો ફનાર્ન્ડિઝ ૧૧ વર્ષ બાદ એબીસીડી થ્રી બનાવશે પહેલા બે ભાગમાં વરુણ ધવન તથા શ્રદ્ધા કપૂરે કામ કર્યું હતું. ત્રીજા ભાગમાં રેમો નવી પેઢીના કલાકારોને પસંદ કરે તેવી સંભાવના છે રેમો ડિસોઝાએ પોતાની ડાન્સ ફિલ્મની ત્રીજી ળેન્ચાઇઝી ‘એની બડી કેન ડાન્સ ૩’ પર કામ શરૂ કરી દીધુ છે. હાલ આ ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ પહેલા એવા સમાચાર હતા કે, રેમો આ ફ્રેન્ચાઇઝીના ૩જા ભાગ માટે અભિનેતા-ડાનસર રાઘવ જુયાલ સાથે ફરી કામ કરશે. જાેકે રાઘવ જુયાલે હજુ સુધી આ વિશે કન્ફર્મ કર્યું નથી. આ ફિલ્મનો…

Read More

મુંબઈમાં એક શૂટિંગ શિડયૂલ પૂર્ણ થયું સની દેઓલની એન્ટનીનાં ફાઈટ સીન્સનું શૂટિંગ ગોવામાં થશે સાઉથના જ એ આર મુર્ગાદોસ અને ફરહાન અખ્તર સાથે મળીને આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યા છે સની દેઓલે પોતાની આગામી એકશન ફિલ્મ ‘એન્ટની’નું મુંબઇનું શૂટિંગ પુરુ કરી લીધું છે. હવે તે વધુ શૂટિંગ માટે ગોવા રવાના થશે.આ શૂટિંગ એક મહિના સુધી ચાલશે . ગોવામાં કેટલીક ફાઈટ સીકવન્સનું શૂટિંગ થવાનું છે. આ ફિલ્મમાં સની સાથે જ્યોતિકા છે. આ ઉપરાંત વિજય વર્મા નેગેટિવ રોલમાં છે. સાઉથનો બાલાજી ગણેશ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે. આ ફિલ્મ મોટાભાગે આવતાં વર્ષની શરુઆતમાં રીલિઝ થાય તેવી સંભાવના છે. સાઉથના જ એ…

Read More

પોણા બે કરોડ સ્ટેમ્પ ડયૂટી ભરી સિંગર શ્રેયા ઘોષાણે મુંબઈના વરલીમાં ૩૦ કરોડનો ફલેટ લીધો ફલેટના વેચાણ ખત પેટે ૧.૭૮ કરોડ રૂપિયાની સ્ટેમ ડયુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશનના ચુકવવામાં આવ્યા પ્લેબક સિંગર શ્રેયા ઘોષાલે પોતાના પેરન્ટસ સાથે મુંબઇના વરલીમાં ૨૯.૭૦ કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો છે. ગાયિકાનો આ ફ્લેટ ૨,૭૫૦ ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે. શ્રેયાને ફલેટ સાથે ત્રણ કાર પાર્કિંગ એલોટ થયાં છે. દસ્તાવેજાે અનુસાર ફલેટના વેચાણ ખત પેટે ૧.૭૮ કરોડ રૂપિયાની સ્ટેમ ડયુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશનના ચુકવવામાં આવ્યા છે. ગત પહેલી એપ્રિલે આ ફલેટના સોદાનું રજિસ્ટ્રેશન થયું હતું. મુંબઈમાં મોટાભાગના સેલિબ્રિટીઓ બાન્દ્રા, જૂહુ તથા પાલી હિલ જેવા વિસ્તારોમાં…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. અને એટલે જ શ્રધ્ધા રાખનારા અંધશ્રધ્ધાનો શિકાર બને છે. આમ તો કહેવાય છે કે શ્રધ્ધા ને પુરાવાની શું જરૂર છે? પરંતુ હવે કળિયુગમાં જો શ્રધ્ધાની વાત કરો તો શંકા ઉત્પન્ન કરી સામે આપણને પૂછે કે હોય? આવું બનતું હશે? એટલે એમ કહેવાય કે શ્રધ્ધા ને પુરાવાની જરૂર છે. અંધશ્રધ્ધાને નહીં? એનો તાજો દાખલો એટલે મહારાષ્ટ્રના નાસિકનો અશોક ખરાત. આમ પણ અંધશ્રધ્ધા એક એવી બીમારી છે જેનો ઈલાજ હાથવગો હોવા છતાં એ એક મહામારીનું રૂપ ધારણ કરીને બેઠી છે. વ્યક્તિને પોતાની ક્ષમતા કરતાં કોઈ ચમત્કાર પર વધુ ભરોસો…

Read More

(છગન લાલ મેવાડા ધ્વારા) સુરત. દક્ષિણ ગુજરાત ના વાલ્મિકી સમાજ ના આગેવાનોની એક મીટીંગ તા.૦૭/૦૪/૨૦૨૬ ના રોજ સુરત ઓપેરા હાઉસ ખાતે શ્રી ડી.સી.સોલંકી સિનિયર એડવોકેટ અને ઉધોગપતિ ના પ્રમુખ સ્થાને સાંજના ૫:૦૦ કલાકે રાખવામાં આવી હતી. જેમાં વાલ્મિકી સમાજ ના પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વાલ્મિકી સમાજ માં લગ્ન બાદ ઘરેલું ઝઘડાઓનું પ્રમાણ વધી રહેલ છે અને સામાન્ય બાબતોમાં કોર્ટનો આશરો લેવામાં આવે છે. અને વર્ષો સુધી ઝઘડાં ના નિરાકરણ થતાં નથી. એક તો સમાજ પ્રથમથી આર્થિક,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તેમાં કોઈ કોર્ટ કચેરી થાય તો લાંબો સમય સુધી બંને પક્ષકારોએ યાતનાઓ ભોગવવી પડે છે અને…

Read More