Author: garvigujrat

સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે આજે બે માળના અદ્યતન “હોલ્ડિંગ એરિયા”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ અવસરે મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશ દ્વારા પ્રતીકાત્મક રીતે બુલડોઝર ચલાવી પ્રોજેક્ટ કાર્યનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો પર 76 મુસાફર હોલ્ડિંગ એરિયા વિકસાવવા માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન પર વિકસાવવામાં આવેલા હોલ્ડિંગ એરિયાની સફળતા બાદ હવે સાબરમતી રેલવે સ્ટેશન પર પણ આ આધુનિક સુવિધા વિકસાવવામાં આવી રહી છે મંડળ રેલ પ્રબંધક…

Read More

કેબિનેટમાં બે ભાગલા: ગૃહમંત્રીએ જ રાજીનામું માંગ્યું.યુકેમાં રાજકીય ભૂકંપ! ૭૨ સાંસદોનો સ્ટાર્મર વિરુદ્ધ બળવો.લેબર પાર્ટીના કુલ ૪૦૩ સાંસદોમાંથી અત્યાર સુધીમાં ૭૧ સાંસદોએ ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે. બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ હવે પીએમ સ્ટાર્મર સામે રાજીનામું આપવા અથવા પદ છોડવાની સમયમર્યાદા નક્કી કરવાનું દબાણ આકાશે આંબી રહ્યું છે. મંગળવારની વહેલી સવાર સુધીમાં બગાવત કરનારા લેબર સાંસદોની સંખ્યા વધીને ૭૨ પર પહોંચી ગઈ છે. લેબર પાર્ટીના કુલ ૪૦૩ સાંસદોમાંથી અત્યાર સુધીમાં ૭૧ સાંસદોએ ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે. આ સાંસદોનું કહેવું છે કે,…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) આજે દેશમાં લગભગ દરેક ખાવા પીવાની વસ્તુઓ ભેળસેળ વાળી જ મળે છે. હદ તો ત્યાં થાય છે કે જીવન રક્ષક ગણાતી દવાઓ પણ અહી ભેળસેળથી મુકત નથી. ત્યારે દૂધથી માંડીને પાણી સુધી અને ઘઉં થી લઈને મરી- મસાલા સુધી તેમજ ફળોથી માંડીને શાકભાજી બધુ જ ભેળસેળવાળું કાં તો અત્યંત હાનિકારક રસાયણો યુકત જ મળે છે. સારા સ્વાસ્થય માટે અને આરોગ્યને નિરોગી રાખવા માટે ફળો અને લીલા શાકભાજીનું સેવન જરૂરી માનવામાં આવે છે. તબીબો પણ લોકોને તેમના રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરવાની સલાહ આપે છે. જોકે આ ફળો કે શાકભાજીની ખેતીમાં ઝેરી રસાયણોનો વધતો ઉપયોગ ગંભીર ચિંતાનો…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં ચર્ચાની ચકડોળે ચઢેલા નાશિકના ભોંદુબાબા અશોક ખરાતના કેસની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસ કરી રહી છે અને પોલીસે વિવિધ કેસોમાં આરોપી અશોક ખરાતની પોલીસ કસ્ટડી લંબાવી છે. ગઈકાલે રાજય મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ રૂપાલી ચાકણકરની પણ SIT ધ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કુલ ૦૭ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. એમાંથી બે કલાક તો SIT ના હેડ તેજસ્વી સાતપુતે તેમને સવાલો કર્યા હતા. અન્ય રાજકીય જૂથો કોના ઇશારે અશોક ખરાતના મંદિરમાં આવી રહ્યા હતા? રૂપાલી ચાકણકરના અશોક ખરાત સાથે સંબંધિત નાણાંકીય વ્યવહારો કયા બેન્ક ખાતાઓ ધ્વારા કરવામાં આવ્યા હતા એ વિશે પણ તપાસ હાથ…

Read More

ક્રૂડ તેલના વાયદામાં રૂ.326નો ઉછાળોઃ સોનાનો વાયદો રૂ.116 સુધર્યો, ચાંદીનો વાયદો રૂ.2112 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.45378.48 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.227199.05 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32151.59 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.272577.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.45378.48 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.227199.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3672.26 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32151.59 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.153999ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154243 અને નીચામાં રૂ.153016ના મથાળે અથડાઈ, રૂ.153663ના આગલા બંધ સામે રૂ.116 વધી રૂ.153779ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ…

Read More

કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર.ગુજરાતમાં ૪૫ ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી.હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જાેવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે રાજ્યના અનેક શહેરોમાં પારો ૪૧થી ૪૫ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ‘૧૧મીથી ૧૭મી મે સુધીની હવામાનની આગાહી જણાવી રહ્યો છું, જેમાં આ સમયગાળા દરમિયાન હવામાન મોટાભાગે સૂકું રહેશે અને આવતા…

Read More

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં નિર્ણય.શુભેન્દુ સરકારનો મોટો ર્નિણય, બોર્ડર હવે બીએસએફને હવાલે.અગાઉની મમતા બેનર્જી સરકાર દ્વારા અટકાવવામાં આવેલી કેન્દ્રીય યોજનાઓને હવે બંગાળમાં લીલી ઝંડી મળી.પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક ઐતિહાસિક અને મહત્ત્વના ર્નિણયો લીધા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે મળી હતી. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં આ બેઠકમાં અનેક ર્નિણયો લેવામાં આવ્યા છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. કેબિનેટનો સૌથી મહત્ત્વનો ર્નિણય બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા અંગેનો છે. સરકારે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલી જમીન BSF (સીમા સુરક્ષા દળ) ને સોંપવાનો…

Read More

PM અપીલથી વેપારીઓમાં ડરનો માહોલ.કારીગરો પર છટણીની તલવાર! જ્વેલરી બજારમાં ભારે હડકંપપીએમ મોદીની સોનું ન ખરીદવાની અપીલથી જ્વેલર્સ ઈન્ડસ્ટ્રી ચિંતામાં, લગ્ન સિઝનમાં માંગ ઘટવાની આશંકા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૦ મેએ હૈદરાબાદમાં જનસભા દરમિયાન દેશવાસીઓને અપીલ કરી હતી કે ૧ વર્ષ સુધી સોનું ખરીદો નહીં. પીએમ મોદીની આ અપીલે જ્વેલરી માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. દિલ્હી સહિત દેશભરમાં જ્વેલરી વેપારી, ઝવેરીઓ અને નાના કારોબારીઓ આ અપીલથી ચિંતાગ્રસ્ત જાેવા મળી રહ્યાં છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) ના ચેરમેન બૃજેશ ગોયલે આ મુદ્દા પર વિસ્તારથી વાત કરતા જણાવ્યું કે અપીલ સામે આવતા અનેક વેપારીઓએ તેમનો સંપર્ક કર્યો અને પોતાની ચિંતા વ્યક્ત કરી…

Read More

સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી.પીએમ મોદીના ભવ્ય રોડ શોમાં જુનિયર બચ્ચને આકર્ષણ જમાવ્યું.મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા પિનાકીન ગોહિલે પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાન સોમનાથ મંદિરની પ્રતિકૃતિ પ્રદર્શિત કરી.જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હોય છે, ત્યારે જનતાનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. હાલમાં જ સોમનાથની ભૂમિ પર જ્યારે પ્રધાનમંત્રી પધાર્યા, ત્યારે તેમને આવકારવા માટે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દૂર-દૂરથી તેમના પ્રશંસકો ઉમટી પડ્યા હતા. આ ભીડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ભાવનગરના વતની અને ‘જુનિયર બચ્ચન‘ તરીકે જાણીતા કલાકાર પિનાકીન ગોહિલ, જેઓ પ્રધાનમંત્રી પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરવા ખાસ સોમનાથ પહોંચ્યા હતા. મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા પિનાકીન ગોહિલે પ્રધાનમંત્રીના રોડ…

Read More

વિદ્યાર્થી સંઘો, એનજીઓને લડતમાં સામેલ થવા પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમની અપીલ.ભાજપ મારો પ્રથમ દુશ્મન વિરોધ માટે વિપક્ષોને એક થવા મમતાની હાકલ.અગાઉ કોંગ્રેસના નેતૃત્વમાં દેશના તમામ વિરોધ પક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી હતી.તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલાં સજ્જડ પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીને હવે વિપક્ષી એક્તાની યાદ આવી છે. તેમણે ભાજપ વિરુદ્ધ લડવા માટે તમામ વિરોધ પક્ષોને એકજૂથ થવા અને એક સંયુક્ત મંચનું ગઠન કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના નેતૃત્વમાં દેશના તમામ વિરોધ પક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી હતી. તેમાં સામેલ રાજકીય પક્ષોના વ્યક્તિગત હિતોને કારણે આ ગઠબંધન બિનઅસરકારક પૂરવાર થયું છે. આ…

Read More