Author: Garvi Gujarat

ચીનથી લઈને જાપાન સુધી આંચકા અનુભવાયા.તાઇવાનમાં ૬.૧ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ.લોકો ધરતીકંપથી ડરી ઘરની બહાર નીકળી ગયા હતા.દક્ષિણપૂર્વ તાઇવાનમાં મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે (૨૪ ડિસેમ્બર)ની સાંજે ત્યાંના સ્થાનિક સમય અનુસાર ૫:૪૭ કલાકે ધરતી ધણધણી ઉઠી હતી. લોકો ડરી ઘરની બહાર નીકળી ગયા હતા. રિએક્ટર સ્કેલ ભૂકંપની તીવ્રતા ૬.૧ નોંધાઈ હતી. તેના ઝટકા ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી અનુભવાયા છે. સદનસીબે કોઈ જાનમાલને નુકસાન થયું નથી. તાઇવાનના કેન્દ્રીય મૌસમ પ્રશાસન (CWA) અનુસાર ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટી હોલથી ૧૦.૧ કિલોમીટર ઉત્તરમાં હતું, જેની ઊંડાઈ ૧૧.૯ કિલોમીટર હતી. અને તીવ્રતા ૬.૧ હતી. તાઇવાનમાં ભૂકંપની તીવ્રતા ૧ થી ૭ના સ્તર પર માપવામાં આવે…

Read More

કોહલીએ રચ્યો ઈતિહાસ.રોહિત શર્માએ પણ તોફાની બેટિંગ કરીને દિલ જીત્યા.કોહલીની વિસ્ફોટક બેટિંગથી દિલ્હીનો વિજય થયા.ભારતની પ્રતિષ્ઠિત સ્થાનિક વન-ડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીનો બુધવારથી શાનદાર પ્રારંભ થયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ સુપરસ્ટાર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા જાેવા મળતા મેદાન પર રનનો વરસાદ થયો છે. દિલ્હી તરફથી રમતા વિરાટ કોહલીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે મુંબઈ માટે રમતા હિટમેન રોહિત શર્માએ સિક્કિમના બોલરોની ધુલાઈ કરીને આક્રમક સદી ફટકારી ચાહકોને ખુશ ખુશ કરી દીધા છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આંધ્રને ટીમે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૯૮ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમે ૩૭.૪ ઓવરમાં ૬…

Read More

રેલવે AI ની મદદથી રોકશે અકસ્માત.હવે રેલની પટરીઓ ઉપર નહિ થાય પ્રાણીઓના મોત.હાથીઓના મોતની ઘટના બાદ પાટા પર AI નો ઉપયોગ કરીને હાથી અને વાઘને બચાવવાની તૈયારીઓ.આસામમાં પાટા પર ૭ હાથીઓના મૃત્યુ બાદ રેલ્વેએ AI-આધારિત સિસ્ટમનો ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. ભારતીય રેલ્વેએ રેલ્વે ટ્રેક પર હાથીઓ સહિત વન્યજીવનનું રક્ષણ કરવા માટે AI-આધારિત ઇન્ટ્રૂઝન ડિટેક્શન સિસ્ટમ (IDS)) તૈનાત કરી છે. આ સિસ્ટમ ડિસ્ટ્રિબ્યુટેડ એકોસ્ટિક સિસ્ટમ ((IDS)) ટેકનોલોજી પર આધારિત છે, જે પાટા નજીક હાથીઓની હાજરી શોધી કાઢશે. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (DAS) ના ૧૪૧ રૂટ કિલોમીટર પર સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે. સકારાત્મક પરિણામો બાદ, ૯૮૧ રૂટ કિલોમીટર…

Read More

અમારી વિચારધારા એક જ છે : ઉદ્ધવ ઠાકરે.૨૦ વર્ષ બાદ એક સાથે આવ્યા ઠાકરે બંધુઓ, BMC ચૂંટણી ગઠબંધનમાં લડવા કરી જાહેરાત.મુંબઈ અમારા ઝઘડાથી મોટું છે, આજે અમે બંને ભાઈ સાથે છીએ : સીટોની વહેંચણી પણ મહત્ત્વની નથી : મેયર મરાઠી હશે અને તે અમારો હશે : રાજ ઠાકરે.બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્સ્ઝ્ર)ની ચૂંટણી આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવી જાય છે. આ ચૂંટણીમાં ૨૦ વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે જાેવા મળી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) અને રાજ ઠાકરેની (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ જાહેર કર્યું છે કે, હવે તેઓ મહારાષ્ટ્રની ૨૯ મહા નગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડશે. આ જાહેરાત…

Read More

બલોચ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ.ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો.અરજીમાં તમામ પ્લેટફોર્મ પર વાંધાજનક ડાયલોગ પ્રદર્શન અને પ્રસાર પર રોક લગાવવાની માંગ કરાઈ.તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ધુરંધરમાં બલોચ સમાજ સંબંધિત ડાયલોગ પર રોક લગાવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મમાં કથિત ડાયલોગથી બલોચ સમુદાયની લાગણી દુભાઇ છે.અરજદાર યાસીન અલ્લારખા બલોચ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફિલ્મમાં વિવાદિત પ્રકારનો ડાયલોગ સામેલ કરવા બદલ ડિરેક્ટર આદિત્ય ધાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના…

Read More

ખનિજ ખોદકામ માટે.અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે.આ પર્વતમાળા ગુજરાતમાં આવતા ગરમ પવનને રોકવામાં મદદરૂપ થાય છે, ત્યારે પર્વતમાળાની ઉંચાઇ ઘટે તે ગુજરાતને પોષાય તેમ નથી.ઉત્તર ભારતથી લઈ ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળમાં ખોદકામના મુદ્દે દેશભરમાં ‘અરવલ્લી બચાવા અભિયાન’ શરૂ થઈ ગયું છે. વિકાસના નામે વિનાશની પરવાનગીથી પર્યાવરણનો સફાયો થતાં ઈકો સિસ્ટમ પર તેની ખરાબ અસરો પડશે. ગુજરાત રાજસ્થાનની સરહદ પર પહાડો અને વનરાજીના અલૌકિક અદ્દભૂત દ્રશ્ય જાેવા મળે છે. તસ્વીરમાં બનાસકાંઠામાં આવેલા જેસોર હિલથી દેખાતી અરવલ્લી પર્વતમાળાના અદ્ભુત દર્શન થાય છે. આવા સુંદર દેખાતા પર્વતો પર ‘બુલડોઝરો’ ફરી વળશે અને ખાનાખરાબી કરશે. ખનીજ માટેનું ખનન પર્યાવરણને…

Read More

૧૦૦ મીટરની નવી વ્યાખ્યાને પડકારતી અરજીને સર્વોચ્ચ અદાલતે સ્વીકારી.અરવલ્લી પર્વતમાળાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.આ અરજીમાં દક્ષિણ હરિયાણાના ભૂતપૂર્વ વન સંરક્ષકે દલીલ છે કે આ પર્વતમાળા માટે ૧૦૦ મીટરના માપદંડથી તેના સંરક્ષણ પ્રયાસો નબળા પડશ. ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લી પર્વમાળાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ખાણકામને છૂટ આપવા માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નિર્ધારિત કરી છે. આ વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. હરિયાણા વન વિભાગના એક નિવૃત્ત અધિકારીએ દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સ્વીકારી છે.૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે, તેવી સમિતિની ભલામણને ૨૦ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે…

Read More

ISRO એ રચ્યો ઇતિહાસ રચ્યો : હવે સ્પેસમાંથી સીધું ઈન્ટરનેટ મળશે.નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લૉક-૨ લોન્ચ.આ સેટેલાઇટમાં ૨૨૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું વિશાળ એન્ટેના લગાવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું એન્ટેના માનવામાં આવે છે.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે ઈતિહાસ રચી દીધો છે. બુધવારે સવારે ૮:૫૪ વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી બ્લૂબર્ડ બ્લોક-૨નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એક નેક્સ્ટ જનરેશન કમ્યુનિશકેશન સેટેલાઇટ છે. ઈસરોએ તેના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 ની મદદથી અમેરિકન કંપની AST સ્પેસમોબાઈલના બ્લૂબર્ડ બ્લૉક-૨ કમ્યુનિકેશન સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યાે હતો. આ રોકેટની છઠ્ઠી ઓપરેશનલ ઉડાન (LVM3-M6))…

Read More

ફિલ્મનું કામ છ થી આઠ મહિના મોડું શરૂ થશે.વરુણ ધવન અને શર્વરી વાઘની ‘લુકા છુપી ૨’ પાછી ઠેલાઈ.વરુણની બોર્ડર ૨ આવી રહી છે, તેના અમુક સીનનું શૂટિંગ હજુ વાસ્તવિક લોકેશન પર ચાલુ છેવરુણ ધવન અને શર્વરી વાઘની રોમેન્ટીક કોમેડી ફિલ્મ ‘લુકા છુપી ૨’નું કામ અટકાવી દેવાયું છે. પહેલાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મનું પ્રી પ્રોડક્શનનું કામ ૨૦૨૬ની શરૂઆતમાં શરૂ થઈ જશે. ૨૦૧૯માં આવેલી હિટ ફિલ્મ લોકુ છુપીની સિક્વલ હવે છથી આઠ મહિના મોડી થશે એવા અહેવાલો છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મના ફૅન્સ તેના વિશે કોઈ અપડેટની રાહ જાેઈ રહ્યા હતા. તેનાં બદલે ફિલ્મનું કામ અટકી…

Read More

જેકલિને જરૂરિયાતમંદ બાળકોને ગિફ્ટ આપીને તહેવાર ઉજવ્યો.જેકલિન મુંબઇની સડકો પરનાં બાળકો માટે બની સાન્તા ક્લોઝ.જેકલિને ઉજવણીનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને તેના પર તેનાં ઘણાં વખાણ થયા હતા.જેકલિન ફનાર્ન્ડિઝ જરૂરિયાતમંદ બાળકો માટે મુંબઇ સડકો પર સિક્રેટ સાંતા બનેલી જાેવા મળી અને તેણે ખરા અર્થમાં ક્રિસમસની ઉજવણી કરી છે. જેકલિન આ પહેલાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી ચુકી છે. આ વખતે તેણે પોતે મુંબઇની સડકો પર જરૂરિયાતમંદ બાળકોને ગિફ્ટ આપીને તેમની ક્રિસમસની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધાં છે. જેકલિને આ ઉજવણીનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાે હતો અને તેના પર તેનાં ઘણાં વખાણ થયા હતા.…

Read More