- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે! અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે ૮.૩૦ કલાક સુધી આંશિક વાદળછાયું આકાશ રહેવા વકી ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતમાં વરસાદ કેમ પડી રહ્યો છે તે અંગેનું કારણ પણ જણાવ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી પાંચ સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન, રાજસ્થાન પર બે સાયક્લોનિક સર્ક્યુલેશન,…
ઈરાન સાથે ટેન્શન વચ્ચે મોટી દુર્ઘટના અમેરિકન F-16 ફાઈટર જેટ તૂર્કિયેમાં તૂટી પડ્યું અકસ્માતમાં પાયલટ મેજર ઇબ્રાહિમ બોલાત શહીદ થયા તૂર્કિયેના બાલીકેસિર પ્રાંતમાં ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ની વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મિશન ફ્લાઇટ પર નીકળેલું તૂર્કિયે વાયુસેનાનું F-16 ફાઇટર જેટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ કરુણ અકસ્માતમાં પાયલટ મેજર ઇબ્રાહિમ બોલાત શહીદ થયા છે. તૂર્કિયેના પશ્ચિમ પ્રાંત બાલીકેસિરના ૯મા મેઈન જેટ બેઝ પરથી ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વહેલી સવારે (લગભગ ૧૨:૫૦ વાગ્યે) આ ફાઇટર જેટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાની થોડી જ ક્ષણોમાં પ્લેનનો રડાર અને રેડિયો સંપર્ક તૂટી ગયો હતો. આ જેટ…
UK જવા ઇચ્છતા ભારતીયો માટે ખુશખબર આજથી ઈ-વિઝા સિસ્ટમ શરુ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં ભારતીય અરજદારો માટે યુકે ઈ-વિઝા સેવા શરુ કરી દેવામાં આવી છે, જે પરંપરાગત વિઝા સ્ટીકરનું સ્થાન લેશે બ્રિટન (UK) જવાની તૈયારી કરી રહેલા ભારતીયો માટે આજે ખુશીનો દિવસ છે. કારણ કે યુકે સરકારે તેની વિઝા સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે. અત્યાર સુધી પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવવાની જે સિસ્ટમ હતી, તેનો હવે અંત આવ્યો છે અને તેની જગ્યાએ હવે ‘ઈ-વિઝા‘ (eVisa) આપવામાં આવશે. આ નવા ફેરફારને કારણે હવે ભારતીય પ્રવાસીઓએ વિઝા પ્રોસેસિંગ વખતે પાસપોર્ટ જમા કરાવવાની જરૂર રહેશે નહીં. કોલકાતા સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઇ…
ગેરકાયદે ન્ઈડ્ઢ લાઈટ હશે તો કડક કાર્યવાહી કરાશે.રાજ્યમાં આજથી ૧૫ દિવસ સુધી હેલ્મેટ ડ્રાઈવ.પોલીસની હેલ્મેટ ડ્રાઈવની કાર્યવાહી વચ્ચે ઘણા વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેરવાના બહાના બતાવ્યા હતા.રાજ્યમાં આજથી હેલ્મેટ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ન પહેરનારા ટૂ વ્હીલર વાહનચાલકોને અટકાવીને ફરિયાદો નોંધવામાં આવી હતી. પોલીસની હેલ્મેટ ડ્રાઈવની કાર્યવાહી વચ્ચે ઘણા વાહનચાલકોએ હેલ્મેટ ન પહેરવાના બહાના બતાવ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ વિસ્તારોમાં આ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે. રોંગ સાઈડ, વાહનોમાં ગેરકાયદે LED લાઈટ હશે તેવા ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી…
બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.૧.૧૮ કરોડનો ખર્ચ.બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.૧.૧૮ કરોડનો ખર્ચ.વડોદરા કારેલીબાગ ખાતે આવેલ બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગને સ્ટ્રક્ચર, રીપેરીંગને લગતી ગનાઈટિંગ, ગ્રાઉટીંગ અને એપ્રોક્સી પેઇન્ટને લગતી કામગીરી કરવા પાછળ કુલ રૂપિયા ૧.૧૮ કરોડનો ખર્ચ થયો હતો. જે પૈકી લાલબાગ બ્રિજ માટે અંદાજે રૂપિયા ૬૨ લાખ અને મુજમહુડા બ્રિજ માટે અંદાજ રૂપિયા ૫૬ લાખનો ખર્ચ કરાયો હતો. જે અંગેની જાણ સ્થાયી સમિતિને કરવામાં આવી છે. કારેલીબાગ ખાતે આવેલ બાલભવન રીવર ઓવર બ્રીજના સ્ટ્રક્ચરના રીપેરીંગને લગત ગનાઇટીંગ/ગ્રાઉટીંગ, એપોક્ષી પેઇન્ટ વિગેરે જેવી આનુસંગિક કામગીરી GPMC એકટની કલમ ૬૭/૩/સી હેઠળ ઇજારદાર મે.રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી.,…
પોલીસ ભરતી અને બઢતી પર મોટી જાહેરાત.વિધાનસભામાં કાયદા મંત્રીએ રજૂ કર્યા આંકડા.કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ વિધાનસભામાં ૧૧,૧૦૦ પોલીસ અધિકારીઓની બઢતી અને નવી ભરતીના આંકડા રજૂ કર્યા.ગુજરાત રાજ્યના સુરક્ષા તંત્રને વધુ સુદ્રઢ બનાવવા અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬ માં ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ જાહેરાત કરી હતી કે, સમગ્ર રાજ્યમાં હાલ ૧૦,૨૮૮ જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનોની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ અસરકારક બનાવવા માટે ખાલી જગ્યાઓ ભરવા અને પોલીસ બેડામાં નવા લોહીનો સંચાર કરવાના હેતુથી…
મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો.ઈડ્ઢએ અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત આલીશાન ઘર જપ્ત કર્યું.હાઈકોર્ટે રોક હટાવતા જ ED દ્વારા મોટી કાર્યવાહી કરાઈ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ કેસમાં આજે મોટી કાર્યવાહી કરીને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મુંબઈ સ્થિત ‘અબોડ’ નામના નિવાસ સ્થાનને જપ્ત કર્યું છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ, ૧૭ માળના આ આલીશાન ઘરની કિંમત લગભગ ૩૭૧૬.૮૩ કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મની લોન્ડરિંગ કેસ હેઠળ અત્યાર સુધીમાં જપ્તીની જે કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં અનિલ અંબાણી અને તેમના ગ્રૂપની કંપનીઓની કુલ રૂ.૧૫,૭૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. આ કાર્યવાહી પહેલા બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને…
ગાર્ડ ઓફ ઓનર અપાયું ઇઝરાયલમાં મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, નેતન્યાહૂ ભેટી પડ્યાં છેલ્લા ૯ વર્ષમાં પીએમ મોદીની આ બીજી મુલાકાત છે ૯ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના બે દિવસીય પ્રવાસ માટે તેલ અવીવ પહોંચી ગયા છે. ઈઝરાયલ વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર પીએમ મોદીનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ ભારતના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ઇઝરાયલની યાત્રા પર નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઈટ લોકેશન દુનિયામાં સૌથી વધારે સર્ચ થઈ હતી. દુનિયાભરના વિમાનોની અવર જવર પર દેખરેખ રાખતા ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લાઈટ રડાર પર સૌથી વધુ એર ઈન્ડિયા વનને ટ્રેક કરવામાં આવ્યું હતું. છેલ્લા ૯…
સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERT મહત્ત્વનો ર્નિણય પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ હટાવાયું આ પુસ્તકના એક પ્રકરણમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને કેસોના મોટા બેકલોગ અંગે ટિપ્પણી કરાઈ હતી, જેના કારણે ન્યાયિક ક્ષેત્રમાં ભારે રોષ જાેવા મળ્યો શિક્ષણ જગત અને ન્યાયતંત્ર વચ્ચે સર્જાયેલા વિવાદ બાદ NCERT(નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા ધોરણ -૮ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તક એક્સપ્લોરિંગ સોસાયટી: ઈન્ડિયા એન્ડ બિયોન્ડ(પાર્ટ-૨)ના વેચાણ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ માહિતીની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે મંગળવારથી જ આ પુસ્તક બજારમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ પુસ્તકના એક પ્રકરણમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને કેસોના મોટા…
VSR ના ચાર વિમાન ગ્રાઉન્ડેડ કર્યા અજિત પવારના વિમાન અકસ્માત મુદ્દે DGCA ની મોટી કાર્યવાહી મહારાષ્ટ્રના બારામતી અકસ્માત બાદ ડીજીસીએ દ્વારા ચાર્ટર ઓપરેટરો પર દેખરેખ વધારવામાં આવી છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માત મુદ્દે ડીજીસીએ મોટી કાર્યવાહી કરી છે. ડીજીસીએ જાન્યુઆરી માસમાં બારામતી થયેલા વિમાન દુર્ઘટનાની તપાસ બાદ VSR ના ચાર વિમાન ગ્રાઉન્ડેડ કરવાનો આદેશ આપ્યો છે. હવે આ વિમાન આગામી સુચના સુધી ઉડાન નહી ભરી શકે. ડીજીસીએ લિયરજેટ 45 વિમાન દુર્ઘટના બાદ હાથ ધરવામાં આવેલા વિશેષ સલામતી ઓડિટમાં અનેક ઉલ્લંઘનો બહાર આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણ વર્ષમાં VSR એવિએશન અને લિયરજેટ 45 મોડેલ સાથે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



