- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
- PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો ફરી તેજ
- પ્રિયંકા ગાંધીનો સરકાર પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે’; ગૃહમંત્રી પાસે જવાબની માંગ
- ડાર્ક પેટર્ન બદલ Zepto, BookMyShow સહિત 9 એપ્સને CCPAનો દંડ, ગ્રાહકો પાસેથી વસૂલાતા છુપા ચાર્જ પર કાર્યવાહી
- 20 દિવસમાં 5 વખત રસ્તો ધસી ગયો, લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના રિપેરમાં ટેબલ ફેનનો વીડિયો વાયરલ
- સુરતમાં એનલોગ પનીર સામે કાર્યવાહી, નકલી-અસલી પનીરનો ભેદ અને આરોગ્યના જોખમો પર ચેતવણી
- સુરતમાં 15 ઓગસ્ટે વાલ્મીકી સમાજનો કૌટુંબિક તકરાર સમાધાન કાર્યક્રમ, પક્ષકારોને હાજરીનું આમંત્રણ
- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
Author: garvigujrat
ઈરાન યુદ્ધની બોલિવુડ ફિલ્મો પર અસર શાહરુખ બાદ અક્ષયની ફિલ્મનું દુબઈ શૂટિંગ પણ રદ દુબઇમાં ફિલ્મના એક ગીતના દ્રશ્યનું શૂટિંગ કરવાનું હતું જે હવે મલાડના મઢ આઇલેન્ડમાં કરવામાં આવશે હાલ ઇરાન-ઇઝરાયલ યુદ્ધને લીધે દુબઇની પરિસ્થિતિ વણસી ગઇ હોવાથી હવે ત્યાં શૂટિંગ થઇ શકે એમ ન હોવાથી બોલિવુડની અનેક ફિલ્મોનાં શૂટિંગ કેન્સલ થઇ રહ્યા છે. હાલમાં જ શાહરૂખ ખાને પોતાની ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ કેન્સલ કરીને પાર્લાના એક સ્ટુડિયોમાં કરવાનો ર્નિણય લીધો હતો. હવે અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું દુબઇનું શૂટિંગ રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દુબઇમાં આ ફિલ્મના એક ગીતના દ્રશ્યનું શૂટિંગ કરવાનું હતું જે હવે મલાડના મઢ…
આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થાઓમાં ભાજપનું શાસન રહ્યું છે, પરંતુ તેઓ નિષ્ફળ ગયા છે, ભારે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. જેના કારણે હવે જનતા ભાજપને નકારી કાઢવા તૈયાર છે. આમ આદમી પાર્ટીને વધતું સમર્થન અને લોકોનું જોડાણ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યું છે, અને આથી ગભરાઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે ગુજરાતની પોલીસ સક્રિય બની ગઈ છે અને આમ આદમી પાર્ટીના…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે છેલ્લા દિવસોથી ભાજપની સરકાર એટલી હદે ડરી ગઈ છે કે રોજના પાંચ, ચાર અને દસ જેટલા કેસો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે બે વાગ્યે સુરેન્દ્રનગર, પોરબંદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી અને ગુંડાગીરી કરવામાં આવી હતી. ખંભાળિયા પોલીસે સાંજે પાંચ વાગ્યે કાર્યકર્તાઓ ઉપર ખોટી રીતે એફઆઈઆર નોંધાવી હતી, જ્યારે પરમદિવસે જૂનાગઢમાં પણ એફઆઈઆર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આખા ગુજરાતમાં એફઆઈઆરનો માહોલ સર્જાયો છે, કારણ કે ભાજપ સરકારને ડર લાગી ગયો છે. ખંભાળિયા ખાતે આમ આદમી…
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે તાજેતરમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે, અને આ ચૂંટણીઓ પહેલાં જ ભાજપમાં ડર ફેલાઈ ગયો છે કે જનતા મત નહીં આપે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે અને લોકોને વધુ સમર્થન મળી રહ્યું છે, જેના કારણે ભાજપ આમ આદમી પાર્ટીને રોકવા અને તોડવા માટે અત્યાચાર અને ગંદી રાજનીતિ અપનાવી રહી છે. તેમણે જણાવ્યું કે રાજનીતિમાં મુદ્દાઓની લડાઈ હોવી જોઈએ, પરંતુ ભાજપ હિટલરશાહી પર ઉતરી આવી છે અને પોતાની સત્તા ટકાવવા માટે તમામ હદો પાર કરી દીધી છે. છેલ્લા ત્રણ મહિનામાં આમ આદમી પાર્ટીના…
સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આજરોજ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપના વિરોધમાં લોકોની અંદર ખૂબ જ નકારાત્મકતા છે. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો વિકલ્પ બની રહી છે ત્યારે આજે ગુજરાતની જનતાની વેદનાઓ છે, એ વેદનાઓની સામે ગુજરાતની જનતાની વચ્ચે 45 જેટલી એફઆઈઆરની એક લિસ્ટ છે. આ તમામ એફઆઈઆર એવી છે કે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર અને નેતાઓ ઉપર છેલ્લા લગભગ થોડા મહિનાઓમાં કરવામાં આવી છે. સતત જો કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર આમ આદમી પાર્ટીનું કામ કરતો હોય, લોકોના મુદ્દાઓ ઉઠાવતો હોય,…
ભાવમાં મોટો ઉછાળો અને મટીરિયલની અછત છોટા ઉદેપુરમાં રૂ. ૨૦૦ કરોડના રોડના કામો પર સંકટ ડામર અને ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી કરી દીધી છે છોટા ઉદેપુર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તથા જિલ્લા પંચાયત હસ્તકના અંદાજે ૨૦૦ કરોડ રૂપિયાના ડામરના રસ્તાની કામગીરી બંધ થઈ જાય તેવી કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિની અસર હવે સ્થાનિક વિકાસ કામો પર જાેવા મળી રહી છે, જેમાં ડામર અને ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી કરી દીધી છે.મળતી માહિતી અનુસાર, ડામરના ભાવ જે અગાઉ પ્રતિ ટન ૫૩,૦૦૦ રૂપિયા હતા, તે…
લોન મંજૂર કરાવી લાખો રૂપિયા પડાવ્યા શેઠના નામે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરવી ભારે પડી વોટ્સઅપ પરથી એક જાેખમી ફાઈલ મોકલી આ કાંડને અંજામ આપ્યો હતો અમદાવાદમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં નિકોલ વિસ્તારમાં રહેતા અને વટવા GIDC ની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ૫૦ વર્ષીય વિપુલ પટેલ સાથે ૧૦.૭૦ લાખ રૂપિયાની ડિજિટલ છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઠગોએ ફરિયાદીના શેઠનો મોબાઈલ હેક કરી, તેમના જ વોટ્સઅપ પરથી એક જાેખમી ફાઈલ મોકલી આ કાંડને અંજામ આપ્યો હતો.મળતી માહિતી અનુસાર, ૧૯મી ફેબ્રુઆરીના રોજ વિપુલભાઈ પોતાની નોકરી પર હતા, ત્યારે તેમના શેઠ જયંતિભાઈ પટેલના મોબાઈલ નંબર…
મહિલા મુસાફર પાસેથી ૫૫૩ ગ્રામ ગોલ્ડ જપ્ત અમદાવાદના SVPI એરપોર્ટ પર સોનાની દાણચોરી પકડાઈ કસ્ટમ્સ વિભાગે મહિલા મુસાફર વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટ હેઠળ દાણચોરીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર દાણચોરીના સોનાની જપ્તીનો સિલસિલો યથાવત્ ચાલુ છે.આજે વહેલી સવારે મલેશિયાના કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ અત્યંત જાેખમી અને અસામાન્ય રીતે છુપાવેલું ૫૫૩.૦૭ ગ્રામ (૨૪ કેરેટ) સોનું ઝડપી પાડ્યું છે. આ સોનાની અંદાજિત બજાર કિંમત ૮૩ લાખ રૂપિયાથી વધુ છે. મળતી માહિતી અનુસાર, કુઆલાલમ્પુરથી આવેલી ફ્લાઇટમાં આવેલી આ મહિલા મુસાફરની હિલચાલ કસ્ટમ્સના અધિકારીઓને શંકાસ્પદ લાગી. તેમની વર્તણૂક અને શારીરિક હાલત…
ફોર્મ-૬ના કારણે ઉભો થયો વિવાદ બંગાળ ચૂંટણી : ફોર્મ-૬ વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ સ્થિતિ તંગ થયા બાદ પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે, પરંતુ ત્યાં સુધીમાં સ્થિતિ વણસી ગઈ હતી પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફોર્મ-૬ મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ, આજે (૩૧ માર્ચ) કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર ભાજપ-ટીએમસી વચ્ચે જાેરદાર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ જાેતજાેતામાં બંને પક્ષના કાર્યકર્તાઓ હિંસક મારમારી પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને કેન્દ્રીય સુરક્ષાદળની ટીમ તહેનાત કરી દેવાઈ છે. વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થિતિનો તાક…
એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ લખનૌમાં કેબિનમાંથી નીકળતા ધુમાડા વચ્ચે સુરક્ષિત લેન્ડિંગ બાગડોગરાથી દિલ્હી જતી ફ્લાઇટમાં ધુમાડો જાેવા મળતાં કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને તાત્કાલિક લખનૌ વાળવામાં આવ્યું સોમવારે સાંજે લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હંગામો મચી ગયો હતો જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટે મિડ-એર મેડે કોલ આપ્યો હતો. બાગડોગરાથી દિલ્હી જતી ફ્લાઇટમાં ધુમાડો જાેવા મળતાં કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને તાત્કાલિક લખનૌ વાળવામાં આવ્યું હતું. જાેકે, રાહતની વાત એ હતી કે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને બધા મુસાફરો સુરક્ષિત છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સેવા પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX…




