- ટ્રાન્સમિશન લાઈન મુદ્દે AAPનો વિરોધ, પ્રવીણ રામે ખેડૂત હિતમાં પરિપત્ર રદ કરવાની માંગ કરી
- ચોટીલાની નર્મદા સિંચાઈ યોજના મુદ્દે AAPનો આક્ષેપ, ખેડૂતોને વાયદા નહીં પાણી જોઈએ
- સુરત પૂર સહાય પેકેજને આપનો વિરોધ, ધર્મેશ ભંડેરીએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલો
- આપ નેતાઓએ જગન્નાથ મંદિરે દર્શન કરી રથયાત્રા અને ગુજરાતની સુખાકારી માટે કરી પ્રાર્થના
- ગુજરાતના 60 હજાર કર્મચારીઓને જૂની પેન્શન યોજનાની આશા, સરકારની મહત્વપૂર્ણ તૈયારી
- અશાંતધારા, ગેરકાયદે બાંધકામ અને જનહિતના પ્રશ્નો અંગે તટસ્થ અવાજ
- થાઈલેન્ડમાં ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી યથાવત, હવે વિઝા વગર માત્ર 30 દિવસ રહી શકાશે
- અષાઢી બીજે અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા આજે, ભક્તિમય માહોલ વચ્ચે નગરચર્યાની તૈયારી
Author: garvigujrat
‘આપ’ કિસાન નેતા પ્રવિણ રામ જેલની બહાર આવતાની સાથે જ સરકાર ફરીથી ઘેડ મુદે એક્શનમાં આવી છે. થોડા મહિનાઓ પહેલા જ ‘આપ’ નેતા પ્રવિણ રામે ઘેડના ખેડૂતો માટે 14 દિવસની સફળ પદયાત્રા કાઢી હતી. ત્યારે આ પદયાત્રાની અસરના કારણે સરકાર ઘેડ મુદે સફાળી જાગી હોય એવા દ્રશ્યો ઉપસ્થિત થયા છે. ‘આપ’ નેતા પ્રવિણ રામે સરકારની ઘેડ માટે 1423 કરોડની મંજૂરી આપ્યા ઉપર વિડીયોના માધ્યમથી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકારે પદયાત્રા વખતે જ ઘેડ મુદે 1423 કરોડની વહીવટી મજૂરી આપી હોવાની જાહેરાત કરી હતી અને અત્યારે પણ એ જ જાહેરાત કરીને વાહ વાહી લુંટવાનો પ્રયાસ કરી રહી છે. પ્રવીણ રામે આગળ…
રબારી સમાજે કહ્યું, સમાજની એકતા અને તાકાતની જીત.ગાયિકા કિંજલ રબારી પોતાના નિવાસે પરત ફરી.સમાજના આગેવાનોની બેઠક બાદ કિંજલ ઘરે પરત ફરી.કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદનો હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંત આવ્યો છે. ગાયિકા કિંજલ રબારી પોતાના નિવાસે પરત ફરી છે. સમાજના આગેવાનોની બેઠક બાદ કિંજલ રબારી ગતરાત્રે પોતાના ઘરે પરત ફરી ગઈ છે. સમાજના આગેવાનોએ આ બાબતને રબારી સમાજની જીત ગણાવી છે. ગુજરાતની ગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદથી હવે ભાગ્યેજ કોઈ અજાણ હશે. રબારી સમાજની દીકરીએ સમાજ સામે બાંયો ચઢાવીને પ્રેમલગ્ન કર્યા હતા, અને નાયબ મુખ્યમંત્રી પાસે સુરક્ષાની માંગ કરતા વીડિયો પણ જાહેર કર્યા હતા. પરંતું બે દિવસના આંતરજ્ઞાતિય વિવાદ બાદ ઘીના…
યુદ્ધના કારણે મોંઘી થઈ હવાઈ મુસાફરી!.ઈન્ડિગો-એર ઈન્ડિયા બાદ હવે અકાસાએ પણ ઝીંક્યો ભાવવધારો.અકાસા એર ૧૫ માર્ચથી ફ્લાઈટની ટિકિટ પર ૧૯૯થી લઈને ૩૦૦ રૂપિયા સુધીનો ઈંધણ સરચાર્જ લાગુ કરશે.એર ઈન્ડિયા અને ઈન્ડિગો બાદ હવે અકાસા એર દ્વારા પણ ફ્લાઈટની ટિકિટો પર વધારાનો ચાર્જ વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં થયેલા વધારાને પગલે આ ર્નિણય લેવાયો છે. એરલાઇનના સત્તાવાર નિવેદન અનુસાર, ૧૫ માર્ચથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પર ટિકિટના દરોમાં વધારો જાેવા મળશે. અકાસા એર ૧૫ માર્ચથી ફ્લાઈટની ટિકિટ પર ૧૯૯થી લઈને ૩૦૦ રૂપિયા સુધીનો ઈંધણ સરચાર્જ લાગુ કરશે. અગાઉ એર ઈન્ડિયા,…
બુમરાહ પણ રહી ગયો પાછળ.શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCI નો સૌથી મોટો એવોર્ડ.શાનદાર પ્રદર્શન બદલ શુભમન ગિલને પોલી ઉમરીગર અને સ્મૃતિ મંધાનાને બેસ્ટ વુમન્સ ક્રિકેટરનો ખિતાબ.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્ષ ૨૦૨૫ ની સીઝન માટે શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન કરવા BCCI નમન એવોર્ડ્સ ૨૦૨૬ ની જાહેરાત કરી દીધી છે. શનિવારે જાહેર થયેલી આ યાદીમાં ભારતીય ટેસ્ટ અને ODI ટીમના કેપ્ટન શુભમન ગિલને વર્ષનો સૌથી મોટો એવોર્ડ (મેન્સ ક્રિકેટર ઓફ ધ યર) આપવાનો ર્નિણય લેવાયો છે. મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર મેદાન માર્યું છે. જાેકે, ક્રિકેટ ચાહકો માટે થોડી આશ્ચર્યની વાત એ છે કે આ વખતે…
રોકાણકારોને ભારે નુકસાન થયું.મિડલ ઈસ્ટમાં તણાવથી શેરબજારમાં ઉથલપાથલ.સેન્સેક્સ ૭૪,૫૬૩.૯૨ પોઈન્ટ પર, જ્યારે NSE નિફ્ટી ૫૦ ૪૮૮.૦૫ પોઈન્ટ ઘટીને ૨૩,૧૫૧.૧૦ ના સ્તરે બંધ થયા.મિડિલ ઈસ્ટમાં પેદા થયેલા વાતાવરણે વૈશ્વિક સહિત ભારતીય ઘરેલું બજારના વલણને ખરાબ કરવાનું કામ કર્યું છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ બજારમાં જાેરદાર ઘટાડો જાેવા મળ્યો હતો. સેન્સેક્સ ૧૪૭૦.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪,૫૬૩.૯૨ પોઈન્ટ પર, જ્યારે NSE નિફ્ટી ૫૦ ૪૮૮.૦૫ પોઈન્ટ ઘટીને ૨૩,૧૫૧.૧૦ ના સ્તરે બંધ થયા હતા. ડરના આ વાતાવરણ વચ્ચે રોકાણકારોએ ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. બજારમાં ચાલી રહેલા આ ઘટાડાથી રોકાણકારોને જબરદસ્ત નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આંકડાઓની વાત કરીએ તો, આ સપ્તાહે રોકાણકારોને કુલ…
માર્ચમાં જ શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી.ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ૨ થી ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે.સિસ્ટમની અસરને પગલે ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ૨ થી ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. આ સિસ્ટમની અસરને પગલે ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં…
નરેન્દ્ર મોદીએ મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા.વડાપ્રધાન મોદીએ શિલાંગ-સિલચર કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યું.પ્રોજેક્ટ તૈયાર થયા બાદ હાલ ગુવાહાટી-સિલચર વચ્ચેનો સફર પુરો કરવામાં જે ૮.૫ કલાકનો સમય લાગે છે, તે માત્ર પાંચ કલાકમાં પુરો થઈ શકે છે.વડાપ્રધાને આસામમાં આજે એવા કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે, જેનાથી એક સાથે પાંચ રાજ્યોને ફાયદો થશે. વડાપ્રધાને આજે શિલાંગ-સિલચર કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યું છે, જેનાથી આસામ સહિત મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર સહિતની કનેક્ટિવીટીમાં વધારો થશે. વડાપ્રધાન આ પ્રસંગે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે, કોંગ્રેસ યુદ્ધ જેવા ગંભીર સમયમાં દહેશત ફેલાવવાની કામગીરી કરી રહી છે. પ્રોજેક્ટ…
લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખે પત્ની, માતા અને ભાગીદાર સાથે મળી રેકેટ ચલાવ્યું.વેપારીને શેરબજારમાં રોકાણ કરાવવાના નામે ૪ વ્યક્તિએ ૪ કરોડની ઠગાઇ આચરી.વેપારીએ આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી.સેટેલાઈટમાં રહેતા વેપારીને શેરબજારમાં રોકાણ કરી મોટું વળતર આપવાની લાલચ આપીને લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ અને સભ્યે કુલ શ્ ૪.૦૪ કરોડની છેતરપિંડી આચરી છે. આરોપીએ શેરબજારમાં રોકાણ કરવાની વાત કરીને પત્ની, માતા અને ભાગીદારના નામે આખું રેકેટ ચલાવીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થઇ છે. વેપારીએ આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ…
બ્રાન્ડના નામે શુદ્ધ ઘી તરીકે નકલી ઘી પધરાવી દેવાતું.સુરતના વેલંજામાં દોઢ વર્ષથી ધમધમતું નકલી ઘીનું કારખાનું ઝડપાયું.૩.૫૦ લાખની કિંમતનું ૫૮૩ કિલો નકલી ઘી, ૨૨૦૦ નંગ સહિત વિવિધ સામગ્રી પોલીસે ઝપ્ત કરી હતી.સુરતના ઉમરા-વેલંજા રોડ પર આવેલા અવસર પ્લાઝામાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર ઉત્રાણ પોલીસે દરોડો પાડી ૫૮૩ કિલોગ્રામ તૈયાર નકલી ઘી સહિત અંદાજે પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે ફેક્ટરીનો માસ્ટર માઈન્ડ વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, અવસર પ્લાઝાની દુકાન નંબર ૧૦૬ અને ૧૦૮માં આ કૌભાંડ ચાલી રહ્યું હતું. આરોપી…
દેસુન હોસ્પિટલે મેનુમાં ફેરફાર કર્યા.સરકારની ખાતરી છતાં દેશભરમાં રાંધણગેસનો કકળાટ યથાવત.સિલિન્ડર માટે ઠેરઠેર લાંબી કતારો, ઘણી હોટેલ-રેસ્ટોરન્ટ બંધ કરવાની નોબત, હોટેલોમાં ‘ઇમર્જન્સી મેનુ’ તૈયાર કરાયા.દેશમાં રાંધણ ગેસ (એલપીજી)ની કોઇ અછત ન હોવાનું સરકારે ભારપૂર્વક જણાવ્યું હોવા છતાં શુક્રવારે પણ દેશભરમાં લોકોમાં ગભરાટનો માહોલ ચાલુ રહ્યો છે. ગેસ સિલિન્ડર મેળવવા માટે ઠેર ઠેર લાંબી કતારો જાેવા મળી હતી. ઘણા હોટેલ-રેસ્ટોરન્ટ બંધ કરવાની નોબત આવી છે તથા સંગ્રહખોરી અને કાળા બજારના અહેવાલ આવ્યાં હતાં. ઘણા હોટેલ, રેસ્ટોરન્ટ માલિકો બિઝનેસ બંધ થતા આર્થિક મુશ્કેલીમાં ફસાયા છે.શુક્રવારે પણ સરકારે સ્પષ્ટતા કરી હતી કે ઘરોમાં એલજીપીનો સપ્લાય અવિરતપણે ચાલુ છે અને સિલિન્ડર માટે પેનિક બુકિંગ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



