Author: garvigujrat

બે અમેરિકન સૈનિકો દાઝ્યા વિશ્વના સૌથી મોટા ન્યુક્લિયર યુદ્ધજહાજ USS ગેરાલ્ડ ફોર્ડમાં આગ ‘USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ વિશ્વની સૌથી મોટું અને મોંઘુ એરક્રાફ્ટ કેરિયર છે. તેની લંબાઈ ૩૩૩ મીટર છે. અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સામેલ અને વિશ્વના સૌથી મોટા અમેરિકન યુદ્ધજહાજ USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ (CVN-78)માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાતા સમુદ્રમાં તૈનાત આ વિશાળ એરક્રાફ્ટ કેરિયરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જાેકે, આ ઘટના યુદ્ધ સાથે સંબંધિત નથી તેમ અમેરિકન નેવીએ સ્પષ્ટ કર્યું છે.યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ૧૨ માર્ચના રોજ રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયાના અલ વજહના કિનારા પાસે આ યુદ્ધજહાજ પર આગ લાગી હતી. આગની…

Read More

‘એ ઈરાનને વેનેઝુએલા સમજી બેઠા’ અમેરિકાના પૂર્વ NSA એ જ ટ્રમ્પને બરાબરના તતડાવ્યાં બોલ્ટે આરોપ લગાવ્યો કે ટ્રમ્પ કોઈપણ પ્રકારના નક્કર પ્લાનિંગ વગર જ સૈન્ય અભિયાન જેવા મોટા ર્નિણયો લઈ લે છે. ઈરાન પર હુમલો કરવાના ર્નિણયને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે સ્વદેશમાં જ ટીકાઓનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જાેન બોલ્ટને ટ્રમ્પ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, પ્રમુખને કદાચ એવું લાગ્યું હશે કે તેઓ વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ ઝડપથી તખ્તાપલટ કરી દેશે, પરંતુ તેમની આ વિચારધારા સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ છે. એક ઈન્ટરવ્યૂમાં બોલ્ટને આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પ કોઈપણ પ્રકારના નક્કર…

Read More

‘અમે શાંતિના હિતેચ્છુ’ : મોદી યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત વર્તમાન યુદ્ધની સ્થિતિમાં બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ સીધી અને અત્યંત મહત્વપૂર્ણ મંત્રણા ગણાઈ રહી છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારેલા અગ્નિ જેવા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. વર્તમાન યુદ્ધની સ્થિતિમાં બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ સીધી અને અત્યંત મહત્વપૂર્ણ મંત્રણા ગણાઈ રહી છે.વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથેની વાતચીત બાદ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, તેમણે મધ્ય પૂર્વની ગંભીર સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રદેશમાં વધતો તણાવ, નિર્દાેષ…

Read More

અનીત પછી અહાને ઓફરોના અનેક દાવા અહાન પાંડેને એક્શન મૂવી કર્ણ સહિત બે ફિલ્મોની ઓફર અહાન પાંડેને આનંદ એલ રાયની ફિલ્મનો વિષય પસંદ પડયો છે. જાેકે તે પૂરી સ્ક્રિપ્ટ વાંચ્યા પછી જ ર્નિણય લેશે. ‘સૈયારા’ની સફળતા પછી જેમ અનીત પડ્ડાને નવી નવી ફિલ્મોની ઓફર મળી રહી હોવાના દાવા થાય છે તેવું જ અહાન પાંડેની બાબતમાં પણ બની રહ્યું છે. હવે એવી વાત ચર્ચાઈ રહી છે કે અહાનને આનંદ એલ રાય તથા રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ પણ ફિલ્મોની ઓફર આપી છે. અહાન પાંડેને આનંદ એલ રાયની ફિલ્મનો વિષય પસંદ પડયો છે. જાેકે તે પૂરી સ્ક્રિપ્ટ વાંચ્યા પછી જ ર્નિણય લેશે. રાકેશ…

Read More

એક ટિકિટનો ભાવ ૩૧૦૦ હવે ધુરંધરની ટિકિટની કિંમતે પણ રેકોર્ડ તોડ્યામુંબઈના બોરિવલીનાં એક મલ્ટિપ્લેક્સમાં ‘ધુરંધર: ધ રિવેન્જ’ ફિલ્મની ટિકિટ દેશની સૌથી મોંઘી પહેલાં રણવીર સિંહની ધુરંધરે સૌથી લાંબી ફિલ્મ હોવાનો રેકોર્ડ તોડ્યો, પછી પહેલી ફિલ્મે કમાણીના રેકોર્ડ તોડ્યા, હવે ફિલ્મનાં બીજા ભાગે એડવાન્સ બૂકિંગના રેકોર્ડ બનાવવાના શરૂ કર્યા છે, ત્યાં હવે આ ફિલ્મના નામે એક નવો રેકોર્ડ બન્યો છે. ફિલ્મનાં પેઇડ પ્રિવ્યુ અને એડવાન્સ બૂકિંગ માટે ટિકિટ વેંચાવાની શરૂ થઈ ગઈ છે. ટ્રેડ અને ફિલ્મ ઉદ્યોગનાં નિષ્ણાતોને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું છે કે ટિકિટની કિંમતો ખુબ ઊંચી હોવા છતાં શોઝ ઝડપથી હાઉસફુલ થઈ રહ્યા છે.આ ફિલ્મ માટે ટિકિટના…

Read More

આ વખતે એકથી વધુ વિલન હશે ‘વેલકમ ૪’ કન્ફર્મ : ફરી એકવાર મજનુ, શેટ્ટી અને ધુંધરૂની જમાવટ દુબઈમાં ફિલ્મના એક ગીતના શૂટિંગ માટે લગભગ ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતી અનેક હાઈ-એન્ડ કાર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બોલિવૂડની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી વેલકમ ફરી એકવાર ચર્ચામાં છે. લાંબા સમયથી આ લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ સતત પાછી ઠેલાઈ રહી છે, તે અંગે ચર્ચા છે. ત્યારે હવે આ ફિલ્મોના પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું છે કે ‘વેલકમ ૪’ પણ હાલમાં સ્ક્રિપ્ટિંગ સ્ટેજમાં છે. સાથે જ તેમણે ‘વેલકમ ટુ ધ જંગલના વિલંબ’ વિશે ચાલી રહેલી અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી હતી.‘વેલકમ’ શ્રેણીની પ્રથમ ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ…

Read More

ફિલ્મ ૧૦ એપ્રિલેે સિનેમાઘરોમાં રિલીઝ થશે અક્ષય, પરેશ રાવલ અને તબુની ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટીઝર રિલીઝ ટીઝર લોન્ચ પહેલાં ફિલ્મના નિર્માતાઓએ ચાહકો માટે ખાસ એક્સક્લૂઝિવ ફેન સ્ક્રીનિંગનું પણ આયોજન કર્યું હતું અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગલાનું મજા આવે એવું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ ૧૦ એપ્રિલ ૨૦૨૬એ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.ટીઝર લોન્ચ પહેલાં ફિલ્મના નિર્માતાઓએ ચાહકો માટે ખાસ એક્સક્લૂઝિવ ફેન સ્ક્રીનિંગનું પણ આયોજન કર્યું હતું. જ્યાં ફિલ્મનું ટીઝર બતાવવામાં આવ્યું હતું. ૧ મિનિટ ૨૩ સેકન્ડનું ટીઝર એક ભયાનક દેખાતા મહેલના દૃશ્યથી શરૂ થાય છે, જ્યાં કોઈ રહસ્યમય અને ખતરનાક ઘટના બનતી દેખાય છે. પાછળથી અસરાનીનો…

Read More

આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે એકદમ સજ્જ છે અને સાથે સાથે જ બીજી અન્ય પાર્ટીના ઈમાનદાર અને પ્રજાની સેવા કરવાની ભાવના સાથે રાજનીતિમાં જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે અમદાવાદ ખાતે આ કડીમાં બીજા મહત્વપૂર્ણ નામો જોડાયા છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીની આગેવાનીમાં ખૂબ જ મોટું જોઈનિંગ થયું હતું. એનસીપીના અમદાવાદ શહેર મહામંત્રી દિપક સોલંકી (દાણીલીમડા વોર્ડ), અમદાવાદ શહેર મહામંત્રી કેતન કંસારા (મણિનગર વિધાનસભા), એનસીપી અમદાવાદના ઉપપ્રમુખ નિલેશ પટેલ (ગાંધીનગર દક્ષિણ વિધાનસભા), અમદાવાદના ઉપપ્રમુખ નૈલેશ સોલંકી (ગાંધીનગર દક્ષિણ વિધાનસભા) અને અમદાવાદ શહેર ઉપપ્રમુખ કર્ણિક ઠક્કર (ઇસનપુર – વટવા AC) આજે…

Read More

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિસાવદર મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સામાન્ય જનતાને લોકશાહીના પવિત્ર મંદિરમાં પહોંચાડવાની અનોખી પહેલ કરવામાં આવી રહી છે. આ જ અનુસંધાને આજે વિસાવદર મતવિસ્તારના વિવિધ ગામોના દેવીપૂજક સમાજના આગેવાનોને ગાંધીનગર આમંત્રિત કરી તેમને વિધાનસભા ગૃહની કાર્યવાહી નજીકથી જોવા અને લોકશાહી પ્રક્રિયાને સમજવાનો અવસર આપવામાં આવ્યો હતો. ગામડાના છેવાડાના વર્ગના લોકોને વિધાનસભા સુધી પહોંચાડવાની આ પહેલને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના જણાવ્યા મુજબ કદાચ પહેલી વાર દેવીપૂજક સમાજના આટલા મોટા પ્રમાણમાં લોકો ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવ્યા છે. મને જણાવતા અત્યંત ખુશી થાય છે કે, મારા…

Read More

૨૩૫ કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે એપ્રિલમાં જ ઉપરના સ્ટ્રક્ચરને તોડવાનું કામ શરૂ થશે અમદાવાદના ટ્રાફિક માટે મહત્ત્વનો ગણાતો સુભાષ બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૩૫ કરોડ રૂપિયાના ખર્ચે નવો અને મોર્ડન બ્રિજ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જૂના બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જાેખમી જાહેર કરી તોડી પાડવાનો ર્નિણય લેવાયો છે. જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં આ નવો પ્રોજેક્ટ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મૂકવાનું લક્ષ્ય કોર્પોરેશનનું છે. મળતી માહિતી અનુસાર, આગામી પહેલી એપ્રિલથી ૧૫મી જૂન સુધીના અઢી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના ૩૦…

Read More