- મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો: એરપોર્ટ બંધ, રશિયાનો 180 ડ્રોન તોડી પાડવાનો દાવો
- શહબાઝ શરીફનો દાવો: અમેરિકા–ઈરાન શાંતિ કરારમાં પાકિસ્તાને મધ્યસ્થતા કરી હોવાનો claim, અનેક દેશોનો આભાર વ્યક્ત કર્યો
- રોહિત પવારે મોટો દાવો: શિવસેના UBTના સાંસદોને ₹110 કરોડમાં ખરીદાયા, રાજકીય ગરમાવો વધ્યો
- મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો: પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા પદનો વિવાદ યથાવત
- મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબોળ
- મોદી–ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકા દ્વારા ભારતના નકશા અને ‘ઇન્ડો-પેસિફિક’ કમાન્ડના નામમાં ફેરફાર, ભારત-અમેરિકા સંબંધોમાં ચર્ચા ગરમાઈ
- અમેરિકા–ઈરાન વચ્ચે યુદ્ધ અંતનો દાવો: ટ્રમ્પ અને પેઝેશ્કિયાને MoU પર સહી, શાંતિ કરાર લાગુ
- પંકજ ત્રિપાઠીની નવી પહેલ ‘તુલો’: હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા અનોખું વેન્ચર
Author: Garvi Gujarat
ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલમાં ઘૂસી ગયા રાજધાનીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી હાઈ-પ્રોફાઇલ ‘AI ઈમ્પેક્ટ સમિટ‘ દરમિયાન આજે ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. જ્યારે યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર ઘૂસી ગયા હતા. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા અને “PM is Compromised” ના નારા લગાવ્યા હતા. જે સમયે આ વિરોધ પ્રદર્શન થયું, તે સમયે સમિટમાં દેશ-વિદેશના અનેક દિગ્ગજાે અને પ્રતિનિધિઓ હાજર હતા. યુથ કોંગ્રેસના કાર્યકરો અચાનક બેનરો અને પોસ્ટરો સાથે મુખ્ય હોલ પાસે પહોંચી ગયા…
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની ગદ્દારોને ચેતવણી આતંક ફેલાવનારા દયાની ભીખ માંગશે એવી સજા કરીશું : મનોજ સિન્હા કલમ-૩૭૦ નાબુદ થયા બાદ વિશ્વાસ ઉભો થયો : કાશ્મીરી પંડિતોને સન્માન-સુરક્ષા સાથે પરત લવાશે : પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મનોજ સિન્હા બોલ્યા જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ દેશના ગદ્દારો અને આતંકવાદીઓને ગંભીર ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, દેશ વિરુદ્ધ ગદ્દારી કરનારાઓ અને આતંકવાદીઓને કોઈપણ સંજાેગોમાં બક્ષવામાં નહીં આવે. તેમણે દેશની સુરક્ષા બગાડનારા તત્ત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, સુરક્ષા એજન્સીઓ આતંકવાદ સંબંધી તમામ કેસોની ગંભીરતાથી તપાસ કરી રહી છે, જાે કોઈપણ દોષિતો પકડાશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ…
ગૂગલે ૧૦ કરોડથી વધુને ડિજિટલ તાલીમ આપી.ટેકનોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ.બે દાયકા પહેલા યુટયુબનું નામ પણ સાંભળ્યું ન હતુ, આજે લાખો યુટયુબર અસ્તિત્વ ધરાવે છે: પિચાઈ.ગૂગલના સીઇઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે ડિજિટલ ડિવાઇડ એઆઈ ડિવાઇડ ન બને તે જાેવું જરુરી છે. ટેકનોલોજીના લાભ તળિયાના લોકો સુધી પહોંચે તે જરુરી છે. તેથી વર્તમાન ડિજિટલ ડિવાઇડનું એઆઇ ડિવાઇડમાં રૂપાંતર ન થવા દેવાની જવાબદારી શાસકોની, યુનિવર્સિટીઓની, કંપનીઓની અને શૈક્ષણિક સંસ્થાઓની છે. તેમણે જણાવ્યું હતું કે એઆઈ પ્લેટફોર્મ્સ આપણા જીવનમાં મળેલી મહામૂલી તક છે. તેના કારણે માનવ જાતની પ્રગતિ હાઈપર સ્કેલ પર થશે. અત્યાર સુધી…
હરિયાણા સરકાર હાઉસિંગ સોસાયટીના ર્નિણય પર સ્ટે આપ્યો.લોકશાહી વ્યવસ્થા માટે સગાવાદ અને આત્મશ્લાઘા અભિશાપ: સુપ્રીમ કોર્ટ.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સોસાયટી દ્વારા થયેલી ફાળવણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા મનાઈ ફરમાવી હતી.દેશમાં વધી રહેલા લાગવગ અને સગાવાદના પ્રભાવની સુપ્રીમ કોર્ટે ટીકા કરી છે. નીપોટિઝમ અને આત્મશ્લાઘાને લોકશાહી વ્યવસ્થા માટે અભિશાપ સમાન ગણાવી સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના હાઉસિંગ સોસાયટીના ર્નિણય પર સ્ટે આપ્યો છે, જેમાં સોસાયટીની ગવર્નિંગ બોડીના એક સભ્ય અને તેમના કર્મચારીને બે ફ્લેટ ફાળવી દેવાયા હતા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સોસાયટી દ્વારા થયેલી ફાળવણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા મનાઈ ફરમાવી હતી. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે હાઈકોર્ટના આ હુકમને…
રાજકારણમાં શોકનો માહોલ.ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત.મેઘાલયના રાજકારણ માટે આજે અમંગળ સમાચાર સામે આવ્યા છે. શિલોંગના લોકપ્રિય સાંસદ રિકી એ. જે. સિંગકોનનું ફૂટબોલ રમતી વખતે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. મેદાન પર અચાનક ઢળી પડેલા સાંસદના અવસાનથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે.શિલોંગના સાંસદ અને ‘વોઈસ ઓફ ધ પીપલ પાર્ટી’ના દિગ્ગજ નેતા રિકી એ. જે. સિંગકોન ગુરુવારે સાંજે માવલાઈ માવિયોંગ ખાતે મિત્રો સાથે ફૂટબોલની મજા માણી રહ્યા હતા. રમત દરમિયાન જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ અચાનક બેભાન થઈને મેદાન પર જ ઢળી પડ્યા હતા. આ આકસ્મિક ઘટનાને પગલે રમતનું મેદાન ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. સ્થાનિક…
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો.ઈરાન પર હુમલા માટે બ્રિટને એરબેઝ આપવાનો કર્યાે ઇનકાર.બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પરના કોઈપણ હુમલામાં ભાગીદાર બનીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા માંગતા નથી.ઈરાન પર હુમલો કરવાની અમેરિકાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સરકારે આંતરરાષ્ટ્રીય કાયદાનું કારણ આપીને અમેરિકાને પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે, જેના કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે.બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પરના કોઈપણ હુમલામાં ભાગીદાર બનીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા માંગતા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટને ખાસ કરીને ગ્લોસ્ટરશાયર સ્થિત ‘રોયલ એર ફોર્સ બેઝ ફેરફોર્ડ’ અને હિંદ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ગુમ થઈ રહ્યા છે અને થાય છે. જેમાં મોટાભાગે બાળકો, મહિલાઓ અને છોકરીઓ હોય છે. આ વર્ષે જાન્યુઆરીના પહેલા વીકમાં ફકત રાજધાની દિલ્હી માંથી જ ૮૦૦ થી વધુ લોકો ગુમ થયાના સમાચારોએ ફરી એકવાર આ મુદ્દાની ગંભીરતા પર ભાર મૂકયો છે. છતાં આશ્ચર્યજનક રીતે આ ગુનાહિત સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ એકીકૃત રાષ્ટ્રીય પ્રયાસો થયા નથી. ગુમ થયેલા વ્યક્તિઓનું રાજય-દર- રાજય વિશ્લેષણ પણ ભાગ્યે જ ઉપલબ્ધ છે. આજ સુધી કેટલા મળી આવ્યા છે. અને આવા કિસ્સાઓ પાછળ કોણ હતું એ અંગે કોઈ માહિતી જ મળતી નથી. વિચાર કરો કે જો…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે વિધાનસભા ગૃહમાં મનરેગા યોજના મુદ્દે મારો સવાલ હતો કે છેલ્લા બે વર્ષમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલા લોકોએ મનરેગા યોજના અંતર્ગત રોજગારીની માંગ કરી. ત્યારે જવાબમાં સરકારે કહ્યું કે નર્મદા જિલ્લામાં 1,27,302 લોકોએ રોજગારીની માંગ કરી. છોટાઉદેપુરમાં 1,17,900 લોકોએ રોજગારીની માંગ કરી. તેની સામે સરકારે નર્મદા જિલ્લામાં માત્ર 46,33,817 માનવ દિવસની રોજગારી પૂરી પાડી, જે દરેક પરિવાર દીઠ બે વર્ષમાં 36 દિવસ સરેરાશ રોજગારી થાય છે, મતલબ કે વર્ષના 18 દિવસની રોજગારી. એવી જ રીતે છોટાઉદેપુરમાં 30,65,920 માનવ દિવસની રોજગારી…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા કરવા જઈ રહી છે અને તે માટે જનતા પાસેથી સૂચનો તથા વાંધાઓ મંગાવ્યા છે. તેમણે કહ્યું કે લગ્ન નોંધણી કાયદાનો દુરુપયોગ કરીને કેટલીક ઘટનાઓમાં દીકરીઓને ખોટી રીતે હેરાન, ડરાવી-ધમકાવી અથવા છેતરપીંડી કરીને તેમનું જીવન બરબાદ કરવાની ઘટનાઓ સામે આવી છે. સમાજના વિવિધ વર્ગો અને સંસ્થાઓએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. ખાસ કરીને એસપીજી દ્વારા આ સમસ્યાને પ્રાથમિક સ્તરે ઉજાગર કરવામાં આવી હતી અને ઉત્તર ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા હતા. ઇટાલિયાએ જણાવ્યું કે સમાજના દબાણ અને માંગણીને પગલે સરકાર સુધારા માટે તૈયાર થઈ…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમણે આજે વિધાનસભામાં પોતાના મતવિસ્તાર તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતોને લગતા અગત્યના પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં ટેકાના ભાવે ખરીદી અંગે પ્રશ્ન પૂછતા તેમણે સરકારને પૂછ્યું કે મગફળી, સોયાબીન અને ચણાને ટેકાના ભાવે વેચવા માટે કેટલા ખેડૂતોએ નોંધણી કરાવી, તેમાંથી કેટલાએ વાસ્તવમાં પાક વેચ્યો અને કેટલાના ચૂકવણાં બાકી છે. સરકાર તરફથી મળેલા જવાબ મુજબ અનેક ખેડૂતોના ચુકવણાં હજુ બાકી છે. ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે માત્ર જૂનાગઢ જિલ્લામાં જ અંદાજે 30થી 35 હજાર ખેડૂતોને છેલ્લા બે મહિનાથી ચૂકવણાં મળ્યાં નથી. તેમણે જણાવ્યું કે સરકાર 100 ટકા પાક ખરીદતી નથી. ખેડૂતના ખેતરમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



