Author: Garvi Gujarat

ફિલ્મ નિર્માતાઓ દ્વારા સત્તાવાર જાહેરાત.કમલ હાસન અને રજનીકાંત ૪૭ વર્ષ પછી સાથે ફિલ્મ કરશે.બંને મેગા સ્ટાર્સ અત્યાર સુધીમાં તમિલ, તેલુગુ અને હિન્દી ભાષામાં કુલ ૨૧ ફિલ્મો સાથે કરી ચૂક્યા છે.સાઉથના બે મેગા સ્ટાર કમલ હાસન અને રજનીકાંત એક ફિલ્મમાં સાથે આવી રહ્યાની ચર્ચાઓ લાંબા સમયથી હતી. હવે આ ફિલ્મના નિર્માતાઓએ તેની સત્તાવાર પુષ્ટિ કરી છે. આશરે ૪૭ વર્ષ પછી બંને સ્ટાર્સ એક ફિલ્મમાં સાથે દેખાશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ફિલ્મનું ટીઝર અપાયું હતું. જાેકે, વધારે વિગતો શનિવારે જાહેર કરાશે તેમ જણાવાયું હતું. હજુ થોડા મહિના પહેલાં જ કમલ હાસન અને રજનીકાંત બંનેએ સંકેત આપ્યો હતો કે તેઓ એક ફિલ્મમાં…

Read More

૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ફિલ્મ રિલીઝ થયેલી.૭૫ દિવસમાં ઐતિહાસિક કમાણી પછી ‘ધુરંધર’ની રેકોર્ડબ્રેકિંગ થિએટર રન અટકી.અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા કલાકારોની મોટી હિટ સાબિત થઈ.અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી રણવીર સિંહ અભિનિત ‘ધુરંધર’ને બોક્સ ઑફિસ પર જાેરદાર સફળતા મળી. ગયા વર્ષની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક બનેલી આ આદિત્ય ધરની આ ફિલ્મના કારણે વધુ દર્શકો થિયેટરો સુધી પહોંચ્યા. ૧૭ ફેબ્રુઆરીએ ફિલ્મે થિયેટરોમાં ૭૫ દિવસ પૂર્ણ કરીને ઐતિહાસિક દોડ લગભગ પુરી કરી છે.અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા કલાકારોની…

Read More

૧૨ માર્ચે મુંબઈમાં મિત્રો અને કલીગ્ઝ માટે રીસેપ્શન પાર્ટી રાખશે.કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ૧૧ માર્ચે સિવિલ મેરેજ કરશે.સાંજના કાર્યક્રમમાં વૈભવી પણ અતિશયોક્તિ વગરનું નજીકના લોકો વચ્ચેનું આયોજન રહેશે, જેના અંતે એક ભવ્ય બોલીવૂડ-સ્ટાઇલ સેલિબ્રેશન થશે.ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ કૃતિકા કામરા અને ટેલિવિઝન પ્રેઝેન્ટર તથા ક્રિકેટ કોમેન્ટેટર ગૌરવ કપૂર પોતાના જીવનના નવા પ્રકરણની શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યાં છે. બંને ૧૧ માર્ચે મુંબઈમાં ગૌરવના ઘરે એક પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઇન્ટિમેટ સાઇનિંગ સેરેમની દ્વારા સિવિલ મેરેજ કરીને પોતાના સંબંધને સત્તાવાર બનાવશે. આ પ્રસંગે નજીકના પરિવારજનોની હાજરીમાં બંને પ્રતિજ્ઞા લેશે, ત્યારબાદ નજીકના પરિવાર અને ખાસ મિત્રો સાથે એક નાની ઉજવણી…

Read More

ઝડપાયું ૩ કરોડનું સાયબર ફ્રોડ રેકેટ તમારું બેન્ક એકાઉન્ટ ભાડે આપતા પહેલાં સો વાર વિચારજાે શંકાસ્પદ બેન્ક એકાઉન્ટની તપાસ કરતા સાઇબર ટોળકીના ૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી આપનું બેન્ક એકાઉન્ટ જાણે અજાણે કોઈ અન્યને વાપરવા આપતા હોય તો ચેતી જજાે.. ક્યાંક આપની આ ભૂલ આપને ભારે પડી શકે છે. વલસાડ જિલ્લા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના બેન્ક એકાઉન્ટની તપાસ કરી સાઈબર ફ્રોડ આચરતી ટોળકીનાનું એક મસ મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. વલસાડ જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લાના શંકાસ્પદ બેન્ક એકાઉન્ટની તપાસ કરી સાઇબર ટોળકીના ૨ આરોપીઓની ધરપકડ કરી કુલ ૩ કરોડથી વધુનું મસ મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું…

Read More

૨૦૨૮માં દોડશે પ્રથમ ટ્રેન ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું ૪૦% કામ પૂર્ણ આ પ્રોજેક્ટ શરુ થતાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાત, રાજસ્થાનના લોકોને કનેક્ટિવિટી સરળતાથી મળશે તારંગા-અંબાજી-આબુ રોડ રેલવેનો ૨,૭૯૮.૧૬ કરોડના પ્રોજેક્ટમાં ગુજરાતની સૌથી મોટી ૧,૮૩૦ મીટરની ટનલની ૪૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ કામગીરી ૨૪ કલાક યુદ્ધના ધોરણે આધુનિક મશીનરીની મદદથી ૧૧.૫ મહિનામાં ૬૮૩ મીટર ટનલ તૈયાર કરાઈ છે. જ્યારે ૬૦ ટકા ટનલ પૂર્ણ કરતાં એક વર્ષનો સમય લાગશે. આ પ્રોજેક્ટ શરુ થતાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાત, રાજસ્થાનના લોકોને કનેક્ટિવિટી સરળતાથી મળશે. તારંગા-અંબાજી-આબુ રોડ સુધીના ૧૧.૬૫ કિલોમીટરના નવો રેલવે લાઇન પ્રોજેક્ટ અંતર્ગત પોશીના તાલુકાના ધ્રોવફળો પાસે ગુજરાતની સૌથી લાંબી…

Read More

માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી હવે ટોલ પ્લાઝા ઉપર રોકડ વ્યવહારને બંધ કરવાની તૈયારી ૧ એપ્રિલ ૨૦૨૬થી આ નવો નિયમ લાગુ થઈ શકે છે દેશના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર મુસાફરી કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હવે ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે મુસાફરોએ ટોલ ટેક્સ ભરવા માટે માત્ર FASTag અથવા UPI જેવા ડિજિટલ વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે. ૧ એપ્રિલ ૨૦૨૬થી આ નવો નિયમ લાગુ થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં FASTag નો ઉપયોગ ૯૮ ટકાથી વધુ વધી ગયો છે, જેના કારણે ટોલ…

Read More

સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ સોનાનો વાયદો રૂ.1458 અને ચાંદીનો વાયદો રૂ.7909 ઊછળ્યો ક્રૂડ તેલનો વાયદો રૂ.6 ઢીલોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.23564.28 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.149568.79 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17619.13 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38630 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.173134.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.23564.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.149568.79 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 38630 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2289.55 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17619.13 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.155105ના…

Read More

ધોળકા વિધાનસભા વિસ્તારમાં રાજકીય હલચલ વચ્ચે આમ આદમી પાર્ટીને વધુ મજબૂતી મળી છે. કામની રાજનીતિ અને જનહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી પાર્ટીમાં દિવસેને દિવસે વિવિધ વર્ગોના લોકો જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ જેવા પરંપરાગત પક્ષો ઉપરાંત હવે સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન સાગર રબારીની આગેવાનીમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન અનેક જાણીતા સામાજિક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા હતા. સામાજિક કાર્યકરોમાં કાંતિભાઈ નકુમ, એડવોકેટ કનુભાઈ, મનીષાબેન મહેરિયા, રોશનભાઈ જગદીશભાઈ અને જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન…

Read More

બિટકોઈન કૌભાંડ મામલે જામીન મળ્યા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન મુંબઈમાં આવેલી પીએમએલએ કોર્ટ દ્વારા જામીન અપાયા બિટકોઈન સાથે સંકળાયેલું આ કૌભાંડ ૧૫૦ કરોડનું છે બિટકોઈન કૌભાંડ મામલે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન આપી દેવામાં આવ્યા છે. મુંબઈમાં આવેલી પીએમએલએ કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા. બિટકોઈન સાથે સંકળાયેલું આ કૌભાંડ ૧૫૦ કરોડનું છે. એક દિવસ અગાઉ જ મુંબઈની સ્પેશિયલ કોર્ટે રાજ કુંદ્રા વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું હતું. ઈડીની ચાર્જશીટને ધ્યાનમાં લેતા કોર્ટે આ કાર્યવાહી કરી હતી. આ મામલે દુબઈ સ્થિતિ બિઝનેસમેન રાજેશ સતીજાને પણ સમન્સ મોકલાયું હતું. બંનેને કોર્ટમાં હાજર રહેવા આદેશ…

Read More

સત્તા પલટતાં જ બાંગ્લાદેશના સૂર બદલાયા! બાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સેવા ફરી શરૂ કરી રહેમાને યુનુસનો ફરમાન રદ કરી ભારત અંગે લીધો મોટો ર્નિણય બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાને ભારતીય નાગરિકો માટે ફરીથી વિઝા સેવા શરૂ કરવાનો ર્નિણય લીધો છે. શેખ હસીના સરકારનો સત્તાપલટો થયો તે પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા પણ વધી હતી. એવામાં હવે ચૂંટણી બાદ ચૂંટાયેલી નવી સરકાર સત્તામાં આવતા જ બાંગ્લાદેશના સૂર બદલાયા છે. એવું લાગી રહ્યું છે કે બાંગ્લાદેશ હવે ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે. દિલ્હી સ્થિતિ બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીય નાગરિકો માટે વિઝા સેવા ફરીથી શરૂ…

Read More