- મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો: એરપોર્ટ બંધ, રશિયાનો 180 ડ્રોન તોડી પાડવાનો દાવો
- શહબાઝ શરીફનો દાવો: અમેરિકા–ઈરાન શાંતિ કરારમાં પાકિસ્તાને મધ્યસ્થતા કરી હોવાનો claim, અનેક દેશોનો આભાર વ્યક્ત કર્યો
- રોહિત પવારે મોટો દાવો: શિવસેના UBTના સાંસદોને ₹110 કરોડમાં ખરીદાયા, રાજકીય ગરમાવો વધ્યો
- મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો: પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા પદનો વિવાદ યથાવત
- મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબોળ
- મોદી–ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકા દ્વારા ભારતના નકશા અને ‘ઇન્ડો-પેસિફિક’ કમાન્ડના નામમાં ફેરફાર, ભારત-અમેરિકા સંબંધોમાં ચર્ચા ગરમાઈ
- અમેરિકા–ઈરાન વચ્ચે યુદ્ધ અંતનો દાવો: ટ્રમ્પ અને પેઝેશ્કિયાને MoU પર સહી, શાંતિ કરાર લાગુ
- પંકજ ત્રિપાઠીની નવી પહેલ ‘તુલો’: હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા અનોખું વેન્ચર
Author: Garvi Gujarat
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવતીકાલથી ગુજરાત પ્રવાસે પધારી રહ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવતીકાલે 21 ફેબ્રુઆરીએ પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસે પધારી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી સમિતિની જાહેરાત કરી દીધી છે અને મજબૂતીથી ચૂંટણી તરફ આગળ વધી રહી છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલજી અમદાવાદ એરપોર્ટ ખાતે પધારશે અને મીડિયાને સંબોધન કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ…
વીડિયો થયો વાઈરલ.વીડિયો થયો વાઈરલ.વીડિયો થયો વાઈરલ.રાજપાલ યાદવ ચેક બાઉન્સ કેસ મામલે લગભગ ૧૧ દિવસ દિલ્હીની તિહાર જેલમાં રહ્યા. રાજપાલ યાવદ જેલમાં ગયા બાદ બોલિવૂડે તેમને ખૂબ સપોર્ટ કર્યાે. જેમાં અનેક લોકો તેમની મદદ માટે આગળ આવ્યા. દિલ્હી હાઈકોર્ટે તેમને કરોડના લોન કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. આમ, જેલથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવ મનમૂકીને નાચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ભત્રીજીના લગ્નના કારણે રાજપાલ યાદવને વચગાળાના જામીન આપ્યા છે. જેમાં ભત્રીજીના લગ્નના ફંક્શનમાં રાજપાલ ડાન્સ કરતાં હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ પોતાના પરિવાર સાથે ખુશીથી નાચી રહ્યા છે.રાજપાલ યાદવે ભત્રીજીના લગ્નમાં સલમાન…
લાંબા સમયથી રાજસ્થાનની જેલમાં હતાં .વિક્રમ ભટ્ટ અને તેમનાં પત્નીને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન.વિક્રમ ભટ્ટ તરફથી એવી દલીલ કરાઈ હતી કે પોતે જેલની બહાર આવશે તો જ બાકીની ફિલ્મોના પ્રોજેક્ટ આગળ વધારી શકશે.ફિલ્મ સર્જક વિક્રમ ભટ્ટ તથા તેમનાં પત્ની શ્વેતામ્બરી ભટ્ટને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અપાયા છે. ચાર ફિલ્મ બનાવવા માટે ૩૦ કરોડ રુપિયા લીધા બાદ બે જ ફિલ્મો બનાવીને છેતરપિંડી કરવાનો તેમની સામે આરોપ હતો. પતિ-પત્ની બંને આશરે બે માસથી રાજસ્થાનનાં ઉદયપુરની જેલમાં હતાં. ઉદયપુરના એક ડોક્ટરે તેમનાં સ્વર્ગસ્થ પત્નીની બાયોપિક માટે વિક્રમ ભટ્ટને પૈસા આપ્યા હતા. બાદમાં વિક્રમ ભટ્ટ તથા તેમના વચ્ચે કુલ ચાર ફિલ્મો…
કેટરિના કૈફ અને વિકી કૌશલ બોલીવુટનું એક સ્ટાર કપલ.આલિયાએ કેટરિનાના દિકરા માટે ખાસ ગિફ્ટ મોકલી.વિહાનને એક ક્યુટ ગિફ્ટ હેમ્પર મળ્યું, કેટરિના વિકીએ દિકરા વિહાનને મળેલી ગિફ્ટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યાે.બોલિવૂડનું સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ એક સ્ટાર કપલ છે. ગયા વર્ષે નવેમ્બરમાં તઓ માતા-પિતા બન્યાં છે અને તેમને દિકરાનો જન્મ થયો છે, જેનું નામ તેમણે વિહાન પાડ્યું છે. કેટરિના હાલ તેના દિકરા સાથે દિવસો માણી રહી છે, જ્યારે વિકી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ના શૂટમાં વ્યસ્ત છે. ત્યારે હવે આલિયાએ વિકી અને કેટરિનાના દિકરા વિહાન માટે એક ખાસ ગિફ્ટ મોકલી…
‘યુવા’ ફરીથી થિયેટર્સમાં રિલીઝ.“યુવા ફિલ્મ મારા દિલની બહુ નજીક” : અભિનેત્રી ઈશા દેઓલ.ફિલ્મ તમિલમાં ‘આયુથા એઝુથુ’ નામે યુવાની સાથે જ અલગ મુખ્ય કલાકારો સાથે બનાવવામાં આવી હતી.શહેરી યુવાનોની બેચેનીને પડદા પર ઉતારનાર ફિલ્મ ‘યુવા’ હવે બે દાયકાથી વધુ સમય પછી ફરીથી મોટા પડદા પર આવી રહી છે. ૨૦૦૪ની આ પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ એટલે કે આજે પીવીઆર આઇનોક્સ સિનેમામાં ફરી રિલીઝ થઈ.આ અંગે ફિલ્મની એક્ટ્રેસ ઇશા દેઓલે એક વીડિયો પોસ્ટ કરીને રી-રિલીઝની જાહેરાત કરી અને ફિલ્મને તેના દિલની અત્યંત નજીક રહેલી ફિલ્મ ગણાવી હતી. તેણે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક મણી રત્નમ અને સહ-અભિનેતાઓ અજય દેવગણ, અભિષેક બચ્ચન અને…
ક્રૂડ તેલના વાયદામાં રૂ.86ની તેજીઃ સોનાના વાયદામાં રૂ.578 અને ચાંદીના વાયદામાં રૂ.1532નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.27315.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.108621.74 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20201.08 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38390 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.135939.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.27315.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.108621.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 38390 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2026.22 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20201.08 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.155132ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.157185 અને…
ધાર્મિક વિવાદમાં હવે સમાજવાદી પાર્ટી પણ કૂદી પડી બ્રજેશ પાઠકના હસ્તે બટુકોના સન્માનને શંકરાચાર્યે દેખાડો ગણાવ્યો અવિમુક્તેશ્વરાનંદનો પ્રહાર: પહેલા મારો છો, પછી ફૂલ ચઢાવો છો? વારાણસીમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક દ્વારા ૧૦૧ બટુકોના સન્માન કરવાના પગલા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ સમગ્ર વિવાદ માઘ મેળામાં મૌની અમાસ દરમિયાન પોલીસકર્મીઓ દ્વારા વેદપાઠી બટુકોની શિખા (ચોટલી) ખેંચવા અને મારપીટ કરવાથી શરૂ થયો હતો. ડેપ્યુટી સીએમએ તાજેતરમાં આ ઘટનાને ‘પાપ‘ ગણાવી પોતાના નિવાસસ્થાને બટુકોનું સન્માન કર્યું હતું. જેને શંકરાચાર્યએ અપૂરતું અને વિરોધાભાસી ગણાવ્યું છે. તેમણે ન્યાય ન મળવા પર ૧૧ માર્ચે લખનઉ કૂચ કરવાની જાહેરાત કરી છે. સ્વામી…
2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરની પરિવહન વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી અનોખું જાહેર એક્ઝિબિશન ‘AmdavadNXT’ યોજવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી ત્રણ દિવસીય દરમિયાન રિવરફ્રન્ટ હાઉસ ખાતે સવારે 10.00 કલાકે યોજાશે. આ એક્ઝિબિશન તમામ નાગરિકો માટે ખુલ્લું રહેશે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરમાં જાહેર પરિવહનને મજબૂત બનાવી સર્વસમાવેશક, જલવાયુ-સહનક્ષમ અને લોકો-કેન્દ્રિત મોબિલિટી અંગે શહેરવ્યાપી ચર્ચા શરૂ કરવાનો છે. SHIFT Transport coalition હેઠળ AMC દ્વારા WRI India, TUL Foundation, UrbanVoices, aProCh, MYBYK તથા અન્ય સંસ્થાઓની ભાગીદારીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 50થી વધુ સંસ્થાઓ, 35 શાળાઓ અને 18 યુનિવર્સિટીઓના સહયોગ સાથે યોજાનાર…
ફ્રાંસના મેક્રોને કરી અપીલ ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ભારત પણ બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી બચાવવા માટે ફ્રાન્સ જેવી કડક નીતિ અપનાવે ઈન્ડિયા AI સમિટ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એક અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વના મુદ્દે વૈશ્વિક સ્તરે ભારતનો સાથ માંગ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે ભારત પણ બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી બચાવવા માટે ફ્રાન્સ જેવી કડક નીતિ અપનાવે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે, ‘ફ્રાન્સ ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે. ગ્રીસ, સ્પેન અને અન્ય યુરોપિયન દેશો પણ…
સ્કીઈંગ કરનારા ૯માંથી ૮ના મોત, ૧ હજુ ગુમ કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે ભયાનક હિમસ્ખલન સ્કીઅર્સનો એક સમૂહ જ્યારે પહાડ પર હતો, ત્યારે અચાનક હિમપ્રપાત થતા આખો સમૂહ તેની ઝપટેમાં ચડી ગયો હતો અમેરિકાના કેલિફોર્નિયામાં બરફીલા તોફાન અને હિમપ્રપાતે (એવલાન્ચ) ભારે તબાહી મચાવી છે. બુધવારે પોલીસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, તાહો વિસ્તારના કેસલ પીક પર આવેલા ભીષણ હિમપ્રપાત બાદ લાપતા થયેલા નવ સ્કીઅર્સમાંથી આઠના મોત થયા છે. બચાવ ટુકડીઓએ તેમના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જેનું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નેવાડા કાઉન્ટીના શેરિફ શાનન મૂને આ દુર્ઘટનાની પુષ્ટિ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



