
- કૃષ્ણનગરમાં AMTS બસે બળદ ગાડાને ટક્કર મારી, વૃદ્ધને ગંભીર ઇજા
- ખેડબ્રહ્મા અંબાજી મંદિરે ચૈત્રી પૂર્ણિમાએ ભક્તોનો ઘોડાપૂર, દર્શનમાં ઉમટી ભીડ
- અમદાવાદમાં ક્રિપ્ટો ઠગાઇ, ચાઈનીઝ ગેંગનો ૫૮ લાખનો કૌભાંડ પર્દાફાશ
- મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે United States-Israelનો હુમલો: Iranનો વ્યૂહાત્મક બ્રિજ તૂટી પડ્યો, હજારો કરોડનું નુકસાન
- લોકસભામાં Manohar Lal Khattarની જાહેરાત: સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં, ગ્રાહકોને પસંદગીનો વિકલ્પ
- ‘ઓપરેશન સિંદૂર’ ખુલાસો: Dinesh K. Tripathiએ કહ્યું—પાકિસ્તાન પર દરિયાઈ હુમલો મિનિટોમાં શક્ય હતો
- ભારતીય ટીમ પર આરોપ લગાવનાર Rassie van der Dussenએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
- Reserve Bank of Indiaના પગલાંથી રૂપિયામાં 12 વર્ષનો સૌથી મોટો ઉછાળો, ડોલર સામે મજબૂતી
Author: Garvi Gujarat
ડોનાલ્ડ ટ્રમ્પની નીતિથી હડકંપ.એક ઈમેલ અને અમેરિકામાં રહેતા ભારતીયોમાં અફરાતફરીનો માહોલ.આ ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે તેના ટેમ્પરરી વર્કિંગ વિઝા સાવચેતીના પગલા તરીકે રદ કરવામાં આવ્યા છ.અમેરિકામાં રહેતાં હજારો ભારતીય H-1B અને H-4 વિઝા ધારકોમાં તાજેતરમાં દૂતાવાસ તરફથી આવેલા એક ઈમેલને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે તેના ટેમ્પરરી વર્કિંગ વિઝા સાવચેતીના પગલા તરીકે રદ કરવામાં આવ્યા છે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે લાગુ કરાયેલી સ્કીમની જેમ અરજદારોની સોશિયલ મીડિયા ચકાસણી વધારવા માટે એક નવી સ્કીમ અમલમાં મૂકી છે, જે આ મામલાનું મૂળ કારણ હોવાનું મનાય છે. ભારતમાં H-1B વિઝાના ઇન્ટરવ્યુ પહેલાથી જ મુલતવી રાખવામાં આવ્યા…
અપશબ્દો બોલ્યો; લોકો ભડક્યા તો કહ્યું- મને ફોબિયા છે.સોહેલ ખાને હેલમેટ વિના દોડાવી ૧૭ લાખની બાઈક.એની ખૂબ જ ટીકા કરવામાં આવતાં તેણે માફી પણ માંગી.બોલિવૂડ એક્ટર સોહેલ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં તે હેલમેટ વગર બાઇક ચલાવતો જાેવા મળી રહ્યો છે. આ વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે અને એને કારણે વિવાદ થયો છે કારણ કે, તે હેલમેટ વગર બાઇક ચલાવતો જાેવા મળી રહ્યો છે. એની ખૂબ જ ટીકા કરવામાં આવતાં તેણે માફી પણ માંગી છે. સલમાન ખાન વર્ષો પહેલાં બાઇક ચલાવતો જાેવા મળતો હતો. કેટરિના કૈફ સાથેનો તેનો બાઇકનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો…
સોનાનો વાયદો ઓલ ટાઇમ હાઇ સ્તરેઃ ચાંદીના વાયદામાં રૂ.5280નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.15 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.33744.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.139977.29 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.29083.35 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 32905 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.173728.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.33744.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.139977.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 32905 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2042.62 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.29083.35 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.134204ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.135496ના ઓલ ટાઇમ હાઇ સ્તરે અને નીચામાં રૂ.134204ના મથાળે અથડાઈ, રૂ.133622ના આગલા બંધ સામે રૂ.1548 વધી રૂ.135170 થયો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.1339 વધી રૂ.107771ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર…
પહેલા જ બોલે સિક્સર મારવાનો કીર્તિમાન.અભિષેક શર્મા પહેલા બોલે ૩ વખત છગ્ગો મારનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર.બેટ્સમેન અભિષેક શર્મા માટે આ વર્ષ શાનદાર રહ્યું છ.ભારતીય યુવા ઓપનર અભિષેક શર્મા એT20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. તે પોતાની બેટિંગની ઇનિંગ્સના પ્રથમ બોલ પર ત્રણ વખત છગ્ગો મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજીT20 મેચમાં, અભિષેકે લુંગી એનગિડી દ્વારા ફેંકવામાં આવેલ ભારતીય ઇનિંગ્સના પ્રથમ બોલનો સામનો કર્યો અને છગ્ગો ફટકારીને પોતાનું અને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. વર્ષ ૨૦૨૫ માં, આ ત્રીજી વખત છે જ્યારે અભિષેકે ઇનિંગ્સના પ્રથમ બોલ પર છગ્ગો ફટકારીને ભારતની ઇનિંગ્સની શરૂઆત…
ભારતીય રૂપિયા અંગે મોટો ર્નિણય.નેપાળ ભારતીય ચલણના ઉપયોગને નિયંત્રિત કરતા નિયમોમાં નોંધપાત્ર ફેરફારો થશે.સરકાર દ્વારા આ નિયમ બદલાવવાથી પૈસાની હેરફેર કરનારાઓ માટે મોટી મુશીબત સાબિત થઈ શકે છે.ભારતીય રૂપિયા અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કારણ કે પડોશી દેશ નેપાળ ભારતીય ચલણના ઉપયોગને નિયંત્રિત કરતા તેના નિયમોમાં નોંધપાત્ર ફેરફારો કરવા જઈ રહ્યું છે. આ ફેરફાર ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ, સ્થળાંતર કામદારો અને બંને દેશો વચ્ચેના વેપારને અસર કરશે. નેપાળ હવે ૧૦૦ રૂપિયાથી વધુ મૂલ્યની ભારતીય ચલણી નોટોને સત્તાવાર રીતે સ્વીકારવાની તૈયારી કરી રહ્યું છે. આ ર્નિણય ૨૦૧૬માં ભારતીય નોટબંધી પછી લાગુ કરાયેલા પ્રતિબંધના લગભગ એક દાયકા પછી આવ્યો છે. આ…
સંસદમાં રજૂ થશે બિલ.મનરેગાની જગ્યાએ હવે “જી રામ જી”યોજના.યોજનામાં વાર્ષિક રોજગાર માટેના દિવસોને પણ ૧૦૦થી વધારીને ૧૨૫ દિવસ કરવાની જાહેરાત કરી શકે છ.કેન્દ્ર સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું છે. હવે આ યોજનાનું નામ જી રામ જી યોજના હશે. કેન્દ્ર સરકાર આ અંગે સંસદમાં એક બિલ લાવશે. કેન્દ્ર સરકારે મનરેગાનું નામ હવે વિક્સિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) ‘VB-G RAM G’‘ કરીને એક બિલ લાવશે. સરકાર આ સાથે આ યોજનામાં વાર્ષિક રોજગાર માટેના દિવસોને પણ ૧૦૦થી વધારીને ૧૨૫ દિવસ કરવાની જાહેરાત કરી શકે છે. અત્રે જણાવવાનું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને રદ કરી ગ્રામીણ…
દિલ્હી ગેસ ચેમ્બર બનતાં CJI ભડક્યા.ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે.મુખ્ય ન્યાયાધિશે ભારપૂર્વક જણાવ્યું કે પ્રદૂષણ નિયંત્રણ સાથે સંબંધિત પ્રોટોકોલ અસ્તિત્વમાં છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી.દિલ્હી-NCR માં વકરી રહેલા વાયુ પ્રદૂષણના સંકટ પર વરિષ્ઠ અધિવક્તાએ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રદૂષણ નિયંત્રણ સાથે સંબંધિત પ્રોટોકોલ અસ્તિત્વમાં છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ(CJI)એ ગંભીર ટિપ્પણી કરતાં કહ્યું કે ધનિકો દ્વારા પ્રદૂષણ ફેલાવાય છે અને ગરીબો તેનાથી સૌથી વધુ પીડાય છે. વરિષ્ઠ અધિવક્તાએ કોર્ટને જણાવ્યું કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતની એકતા અને અખંડિતતાના પ્રણેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત સરદાર બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સોમવારે 15 ડિસેમ્બરે સફળતાપૂર્વક યોજાયો હતો. અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના હસ્તે સરદાર બાગ ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબના વિચારો અને દેશપ્રત્યેના તેમના અવિસ્મરણીય યોગદાનને ભાવપૂર્વક સ્મરવામાં આવ્યા હતા. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના સરદાર બાગ, લાલ દરવાજા ખાતે આવેલી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં રહેલા અદ્વિતીય યોગદાનને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી…
દિગ્દર્શકે ૫ ડિસેમ્બરે ક્લાઇમેક્સનું શૂટિંગ શરૂ કર્યું.“વેલકમ ટુ ધ જંગલ”ના શુટિંગ માટે મુંબઈમાં જ ઉભું કરાયું જંગલ.ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, રવિના ટંડન, જેકલીન ફર્નાન્ડીઝ અને અન્ય કલાકારો જાેવા મળશે.અક્ષય કુમાર તેની સુપર-ફાસ્ટ ગતિ માટે જાણીતા છે. તે દર વર્ષે ૩-૪ ફિલ્મો રિલીઝ કરે છે. તેણે ૨૦૨૫ માં ‘સ્કાય ફોર્સ’ થી શરૂઆત કરી હતી, ત્યારબાદ ‘કેસરી ચેપ્ટર ૨’, ‘હાઉસફુલ ૫’ અને ‘જાેલી એલએલબી ૩’ આવી. હવે, અક્ષય કુમાર પહેલાથી જ આગામી વર્ષ, ૨૦૨૬ માટે તૈયારી કરી રહ્યા છે. તેની બે મુખ્ય ફિલ્મો, જે આવતા વર્ષે રિલીઝ થશે: ‘હૈવાન’ અને ‘ભૂત બાંગ્લા’ પર કામ પૂર્ણ થઈ ગયું છે.…
ધૂરંધર’ના સેટ પર અક્ષયને સાત વાર થપ્પડ પડી હતી.આ ફિલ્મમાં સૌમ્યાનો રોલ ઘણો નાનો છે, તેણીએ તેમાં રહેલા સમય માટે પોતાની છાપ છોડી દીધી.રણવીર સિંહની ફિલ્મ ‘ધૂરંધર’ આજકાલ હેડલાઇન્સમાં છે. આ દરમિયાન, ફિલ્મમાં રહેમાન ડાકોઇટનું પાત્ર ભજવનાર અક્ષય ખન્નાનો એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત, અક્ષય ખન્નાના બીજા ઘણા દ્રશ્યો પણ સમાચારમાં છે. તાજેતરમાં, રહેમાન ડાકોઇટની ગેંગના સભ્યની ભૂમિકા ભજવનાર નવીન કૌશલે ખુલાસો કર્યાે છે કે અક્ષયને એક કે બે નહીં, પરંતુ સાત થપ્પડ સહન કરવી પડી હતી.હકીકતમાં, ફિલ્મની શરૂઆતમાં, એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે જેમાં ભાભીજી ઘર પર હૈં ફેમ સૌમ્યા ટંડન, જે રહેમાનની પત્ની ઉલ્ફતનું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



