Author: Garvi Gujarat

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગત તારીખ 17 માર્ચના રોજ વિધાનસભામાં અલગ અલગ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરી હતી. તેઓએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ ધારાસભ્યોને અઢી કરોડની ગ્રાન્ટ મળે છે પરંતુ આ ગ્રાન્ટ પ્રમાણસરની નથી, જે બાબતે આજે મેં રજૂઆત કરી હતી. જેમ કે સુરતની કરંજ વિધાનસભામાં મતદાર પોણા બે લાખ પણ નથી, જ્યારે અબડાસા વિધાનસભામાં પાંચ લાખ મતદાર છે, કામરેજમાં ચાર લાખ મતદારો છે, તો આ રીતે દરેક વિધાનસભામાં મતદારોની સંખ્યા અલગ અલગ છે. લગભગ દોઢ લાખથી લઈને સાડા પાંચ લાખ મતદાર ધરાવતી વિધાનસભાની સીટો હોય છે તો દોઢ…

Read More

આજે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જે મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોજબરોજ કોલેજો, શાળાઓ, કોર્ટોને ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોય છે. આજે તો વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી છે. ત્યારે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગને મારી વિનંતી છે કે આધુનિક ટેકનોલોજીથી આવા લોકોને પકડીને એવા દાખલા બેસાડવામાં આવે કે રોજ રોજ મળતી ધમકી અટકી જાય. એટલી ધમકીઓ મળે છે “કોલેજો ઉડાવી દેવાની, શાળાઓ ઉડાવી દેવાની, હાઇકોર્ટમાં બૉમ્બ છે, સેશન્સ કોર્ટમાં બૉમ્બ છે”, તો આમાં અત્યાર સુધી કેટલા લોકોને પકડ્યા? કોઈ…

Read More

વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયા સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની વિધાનસભાના સત્રમાં 18મી માર્ચ 2026ના દિવસે તારાંકિત પ્રશ્ન ક્રમાંક 165 દ્વારા મેં સરકારને પ્રશ્ન પૂછ્યો હતો. જોકે સમયના અભાવે મારો પ્રશ્ન ચર્ચામાં આવ્યો નથી, એટલે ગૃહની અંદર ઊભા રહીને આ પ્રશ્ન બાબતે કોઈ ચર્ચા થઈ શકી નથી. પરંતુ સરકાર તરફથી મળેલા જવાબ ઉપર ગુજરાતની જનતાનું ધ્યાન દોરવા માંગું છું. તેમણે જણાવ્યું કે તેમના પ્રશ્નનો વિષય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ)માં ખેડૂતો સાથે થતા ભાવફેર (કટોકટીમાં “કડદો”) અંગે હતો. તેમણે પૂછ્યું હતું કે શું સરકાર આ બાબતે વાકેફ છે કે…

Read More

વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયા સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે, ૧૮ માર્ચ ૨૦૨૬ના રોજ, ગુજરાત વિધાનસભામાં જૂનાગઢ જિલ્લાનો એક અત્યંત મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ખાસ કરીને વિસાવદર અને ભેસાણ તાલુકાની બાબતે તારાંકિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સમયના અભાવે આ પ્રશ્નની વિસ્તૃત ચર્ચા વિધાનસભામાં થઈ શકી નહોતી, પરંતુ સરકારે આપેલા જવાબના આધારે હું રાજકીય વિશ્લેષણ કરીને ગુજરાતની જનતા સુધી સંદેશ પહોંચાડવા માંગું છું. તેમણે જણાવ્યું કે અનેક સહકારી મંડળીઓ દ્વારા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ કરવામાં આવી રહી છે. સહકારી મંડળીઓમાં કેટલાક કિસ્સાઓમાં એવા ખેડુતોના નામે પણ લોન લેવામાં આવી છે…

Read More

નકલી પોલીસ બની પૈસા પડાવ્યા ફેસબુક ફ્રેન્ડે હનીટ્રેપમાં ફસાવી વેપારી પાસે ૩૦ લાખ માગ્યા રામોલ પોલીસે હનીટ્રેપમાં ફસાવી લોકો પાસે લાખો પડાવતી ટોળકીને ઝડપી લીધી હતી. આ જ ટોળકીએ ઘાટલોડિયાના વેપારીને પણ લૂંટ્યો હોવાનું ખૂલ્યું શહેરમાં હનીટ્રેપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે નરોડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને વેપારીને ફેસબુક પર મિત્રતા કેળવી એક મહિલાએ મળવા બોલાવ્યા હતા. ત્યારબાદ તેના સાગરીતોએ નકલી પોલીસ બની વેપારીને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માગી હતી. આ દરમિયાન નાના ચિલોડા પાસે ફિલ્મી ઢબે વેપારીનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી. ત્રણ લાખ પડાવ્યા બાદ…

Read More

ગેસની અછતને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગમાં એક મહિનાનું લોકડાઉન જાહેર સિરામિક એસો.ની બેઠકમાં ઉદ્યોગકારોનો સામૂહિક ર્નિણય: ૨૫૦ કારખાનાં બંધ થઈ ગયાં . મોરબીનો સીરામીક ઉદ્યોગ ગેસની અછતના કારણે બંધ કરવા પડે તેવી નોબત ઉભી થઇ છે. આજે મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અંદાજે ૫૦૦ જેટલા સીરામીકના કારખાનેદારો હાજર રહ્યા હતા અને ગેસની અછત અને તેનો ભાવ નિશ્ચિત ન હોવાના કારણે સિરામિક કારખાનાઓને આગામી એક માસ સુધી બંધ કરવાનો સામૂહિક ર્નિણય લેવામાં આવ્યો છે.મોરબીના સિરામિક કારખાનાઓમાં છેલ્લા ૧૫ દિવસથી પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે. જેથી ધીમે ધીમે ૨૦૦ જેટલા કારખાના બંધ થઈ ગયા હતા.છેલ્લા બે…

Read More

૨૨ લાખ બેરોજગારો છતાં રાજસ્થાનમાં રોજગાર કચેરીના ચોપડે નોકરીઓનો દુકાળ! છેલ્લાં પાંચ વર્ષમાં એક પણ ઉમેદવારને સરકારી નોકરી અપાવી શકી નથી: આરટીઆઈમાં ખુલાસો. રાજસ્થાનમાં એક આરટીઆઈ કાર્યકર્તા દ્વારા કરાયેલી આરટીઆઈએ દેશમાં બેરોજગારીની સ્થિતિ કેટલી હદે વકરી છે તેનો ચિતાર રજૂ કર્યાે છે. માહિતીના અધિકાર હેઠળ હાંસલ કરાયેલી વિગતો અનુસાર, રાજસ્થાનમાં આવેલી વિવિધ રોજગાર કચેરીઓમાં હાલ ૨૨ લાખ બેરોજગાર યુવાનો નોંધાયેલાં છે. એટલું જ નહીં, છેલ્લાં પાંચ વર્ષમાં રોજગાર કચેરીના માધ્યમથી એક પણ બેરોજગારની સરકારી ક્ષેત્રોમાં નિમણૂક થઈ નથી.ડિરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ દ્વારા ઉપલબ્ધ બનાવાયેલી માહિતી અનુસાર, વિવિધ જિલ્લાઓમાં આવેલી રોજગાર કચેરીઓમાં નોંધાયેલાં નોકરીવાંચ્છુઓની સંખ્યા ૧૪ જાન્યુઆરીના રોજ ૨૨,૨૧,૩૧૭ હતી. જેમાં ૧૩.૦૮…

Read More

હોર્મુઝ ખોલાવવા ટ્રમ્પ એકલા હાથે મેદાને! ઈરાન પર અમેરિકાએ ૫૦૦૦ પાઉન્ડનો ‘મહાબોમ્બ’ ઝીંક્યો સાથી દેશોના અસહકારથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોમાંથી બહાર નીકળવાની પણ ચીમકી આપી મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વધુ ભયાનક બન્યું છે. અમેરિકાએ ઈરાનના દરિયાકાંઠાના મિસાઈલ ઠેકાણાઓ પર ૫૦૦૦ પાઉન્ડના બોમ્બ વર્ષાવીને તેમને તબાહ કરી દીધા છે. બીજી તરફ, સાથી દેશોના અસહકારથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોમાંથી બહાર નીકળવાની પણ ચીમકી આપી છે.અમેરિકન સેનાએ હોર્મુઝની ખાડી નજીક ઈરાની તટરેખા પર આવેલા મજબૂત મિસાઈલ બેઝ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યાે છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં ૫૦૦૦ પાઉન્ડ (આશરે ૨૨૬૭ કિલોગ્રામ) ના અત્યંત શક્તિશાળી બોમ્બનો ઉપયોગ કરવામાં…

Read More

ફિલ્મનું ટાઈટલ સુંદર પૂનમ હશે સાન્યા મલ્હોત્રા અને આદિત્ય રાવલ રોમેન્ટિક થ્રીલરમાં સાથે દેખાશેે ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મ એર રિયલ લાઇવ ઇવેન્ટથી પ્રેરિત હશે. પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલ તથા સાન્યા મલ્હોત્રા એક રોમાન્ટિક થ્રીલર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને હાલ ‘સુંદર પૂનમ‘ ટાઈટલ અપાયું છે. ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મ એર રિયલ લાઇવ ઇવેન્ટથી પ્રેરિત હશે. ફિલ્મના શૂટિંગ કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી અને મુંબઇમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાન્યા મલ્હોત્રાએ તાજેતરમાં મુંબઈમાં જુહૂ ખાતે ૧૪.૩ કરોડનું સી ફેસિંગ ઘર ખરીદ્યું છે. તેણે તાજેતરમાં આ ઘરમાં ગૃહ પ્રવેશ…

Read More

વિવાદાસ્પદ ગીત યુ ટયુબ પરથી હટાવી લેવાયું દેશવ્યાપી આક્રોશ, ફરિયાદને પગલે નોરાનું અશ્લીલ સોંગ પાછું ખેંચાયું દિલ્હી પોલીસ સાઈબર સેલમાં અલાયદી ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું મૂળ કન્નડ ફિલ્મ ‘કેડી: ધી ડેવિલ’નું નોરા ફતેહી અને સંજય દત્ત પર પિક્ચરાઈઝ થયેલું ગીત અતિશય બિભત્સ અને અશ્લીલ હોવાના રાષ્ટ્રવ્યાપી વિવાદ બાદ આ ગીતને યુ ટયૂબ પરથી હટાવી લેવાયું છે. આ ગીત સામે સોશિયલ મીડિયા પર ભારે જનાક્રોશ વ્યક્ત કરાયો હતો. દેશમાં કેટલાંક સ્થળે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. કંગના રણૌત, ગાયક અરમાન મલિક સહિતના સેલેબ્સએ પણ આ ગીતને વખોડી કાઢ્યું હતું. ‘સરકે ચુનર સરકે’ એવા શબ્દો ધરાવતું હિન્દી તથા…

Read More