Author: garvigujrat

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દિલ્હીના જંતર-મંતર ખાતે પર્યાવરણવાદી કાર્યકર સોનમ વાંગચૂકને તેમની ભૂખ હડતાળના સ્થળેથી બળજબરીથી દૂર કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાના એક દિવસ પછી, રવિવારે અગ્રણી અખબારોએ માત્ર પોલીસના એવા દાવાઓને પ્રકાશિત કર્યા છે કે તેઓએ હાઇકોર્ટના આદેશનું પાલન કર્યું છે. મોટાભાગના અખબારોએ તેમના પહેલા પાના પર આ વાર્તાને આવરી લીધી હતી. ત્યારે હિંદુસ્તાન ટાઈમ્સે આ વાર્તાને પાનાંના નીચેના ભાગમાં મૂકી દીધી અને તેને માત્ર વિરોધી પક્ષોની ટિપ્પણીઓ સુધી મર્યાદિત કરી હતી. હિન્દી દૈનિક અમર ઉજાલાએ તેના પહેલા પાનાં પર આ વાર્તાનો ઉલ્લેખ કર્યો નથી. જ્યારે આ વાતને પહેલા પાનાં પર મુખ્ય સ્થાન ન આપતા…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. “સોરી પપ્પા, મે પ્રયત્ન કર્યા હતા છતાં સરકારી નોકરી મેળવવા માટે મને ૫૦ વખત નિષ્ફળતાઓ મળતા હવે હું જીવનને અલવિદા કરું છું.” આ શબ્દો છે મૂળ બિહારના બક્સરના વતની અને લોહીયા પ્રાઈવેટ લિમિટેડના નિવૃત કર્મચારી રાજકુમારના તેજસ્વી પુત્ર આનંદના સુસાઇડ નોટમાં લખાયેલા નિરાશાભર્યા લાગણીશિલ શબ્દો મોતને વહાલું કરનાર આનંદે વર્ષ૨૦૨૪ માં કાનપુરની એક પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં B.TECH પૂર્ણ કર્યું હતું. રાજયમાં ત્રીજો ક્રમ મેળવવા બદલ ૧૩ ઓગષ્ટ, ૨૦૨૪ ના રોજ કોલેજના એક સમારોહમાં રાજયપાલ આનંદીબેન પટેલના હસ્તે તેને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ડિગ્રી પૂર્ણ કર્યાબાદ આનંદ ખાનગી ક્ષેત્રમાં…

Read More

કિમી કે૩ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી એઆઈ મોડલ ચેટજીપીટીને ટક્કર આપવા ચીને Kimi K3 AI મોડલ લોન્ચ કર્યું કિમી કે-૩ માત્ર સામાન્ય પ્રશ્નોના જવાબ આપવા પૂરતું સીમિત નથી. તે લાંબા દસ્તાવેજાે વાંચી અને તેનો સારાંશ તૈયાર કરી શકે છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં ચીની સ્ટાર્ટઅપે મૂનશોટ એઆઈ સાથે અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી એઆઈ મોડલ કિમી કે૩ લોન્ચ કર્યું છે.કંપનીનો દાવો છે કે, આ વિશ્વનું સૌથી મોટું ઓપન-વેઈટ એઆઈ મોડલ છે. તેને ડેવલપર્સ અને રિસર્ચર્સ પોતાની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરી શકે છે. તેનો ઉપયોગ વિવિધ પ્રકારની એઆઈ એપ્સ બનાવવા માટે પણ થઈ શકે છે.કિમી કે૩માં અંદાજે ૨.૮ ટ્રિલિયન પેરામીટર્સ છે. તેમાં એક…

Read More

સ્પેન ફૂટબોલનું નવું બાદશાહ મેસીની આર્જેન્ટિનાને હરાવી ૧૬ વર્ષ બાદ સ્પેને જીત્યો ફીફા વર્લ્ડ કપ નિર્ધારિત ૯૦ મિનિટના સમય સુધી બંનેમાંથી એકપણ ટીમ ગોલ કરી શકી નહોતી અને સ્કોર ૦-૦ ની બરાબરી પર રહ્યો હતો ન્યુ જર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના હાઈ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલામાં સ્પેને શાનદાર પ્રદર્શન કરતા ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને ૧-૦થી હરાવીને ફૂટબોલ જગત પર પોતાનો કબજાે જમાવ્યો છે. આ જીત સાથે સ્પેને ૧૬ વર્ષ લાંબો વર્લ્ડ કપનો દુકાળ ખતમ કર્યાે છે. અગાઉ સ્પેનિશ ટીમ ૨૦૧૦માં ચેમ્પિયન બની હતી. બીજી તરફ, લિયોનેલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમ પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી હતી…

Read More

આઠ લાખની રોયલ્ટીની ન મળી સૈયારા માટે હજુ રોયલ્ટી બાકી હોવાનો તનિષ્ક બાગચીનો આરોપ મોહિત સુરી દિગ્દર્શિત ‘સૈયારા’ બ્લોકબસ્ટર બની હતી અને તેના પ્રસિદ્ધ સાઉન્ડ ટ્રેક તેમજ શીર્ષક ગીતે ફિલ્મની સફળતામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી સંગીતકાર તનિષ્ક બાગચીએ યશરાજ ફિલ્મ્સ પર જાહેરમાં બ્લોક-બસ્ટર ‘સૈયારા’ના ટાઈટલ ટ્રેક માટે અપૂરતી રોયલ્ટી ચૂકવણીનો આરોપ લગાવતા દાવો કર્યાે છે કે તે હજી પણ ગીતની ભારે સફળતા છતાં રૂા. આઠ લાખની રોયલ્ટીની રાહ જાેઈ રહ્યો છે. બીજી તરફ વાયઆરએફએ કંઈપણ ખોટું થયાનું સ્પષ્ટપણે નકારી દીધું છે અને જણાવ્યું છે કે તમામ પક્ષોને કરાર મુજબ જ ચૂકવણી કરવામાં આવી છે.રદ કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ…

Read More

અભિનય દ્વારા સેલિના પોતાના જીવનને ફરી ઊભુ કરવા તૈયાર સેલિના જેટલી સિસ્ટર નિવેદિતાની બાયોપિક સાથે વાપસી કરશે એક હૃદયસ્પર્શી સંદેશમાં સેલિનાએ પોતાના મુશ્કેલ સમયમાં ટેકો આપનારા પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરી સેલિના જેટલીએ આગામી ફિલ્મ ‘સિસ્ટર નિવેદિતા’ સાથે પોતાની બોલીવૂડ વાપસીની જાહેરાત કરી છે જે તેના જીવનમાં અનેક અંગત સંઘર્ષાે પછી એક નવો અધ્યાય બનશે. સેલિનાએ જણાવ્યું કે સિનેમા તેની શક્તિ છે અને તેણે પ્રોજેક્ટને કમબેક નહિ પણ ઘરવાપસી તરીકે ગણાવ્યો તેમજ શુભેચ્છકો પાસેથી સમર્થનની વિનંતી કરી હતી.એક હૃદયસ્પર્શી સંદેશમાં સેલિનાએ પોતાના મુશ્કેલ સમયમાં ટેકો આપનારા પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરી.તેણે જણાવ્યું કે રામ કમલ મુખરજી દ્વારા દિગ્દર્શિત ‘સિસ્ટર નિવેદિતા’ ભારતમાં શિક્ષણ…

Read More

ફિલ્મે પહેલા દિવસે ૧૭.૪૦ કરોડ કલેક્શન કર્યા ભારતીય દર્શકોમાં હોલીવુડની કલાત્મકતાનાં કામણ:“ધ ઓડિસી” ભારતીય દર્શકો પણ ફિલ્મના મૂળ સંસ્કરણને થિયેટરોમાં જાેઈ શકશે, જે વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે “ઓપેનહાઇમર” જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા પ્રખ્યાત દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “ધ ઓડિસી” આખરે ભારતનાં થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે અને તેને અપેક્ષિત પ્રતિસાદ પણ મળી રહ્યો છે. હોમરના કાલાતીત ગ્રીક મહાકાવ્ય પર આધારિત, આ ફિલ્મ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક રહી છે, જેમાં સ્ટાર-સ્ટડેડ કાસ્ટ, વિશાળ સ્કેલ અને સિનેમાની સીમાઓને આગળ વધારવા માટે નોલાનની પ્રતિષ્ઠા છે. “ધ ઓડિસી”ની ટિકિટો ઊંચા દામે વેચાઇ રહી છે. નિર્માતાઓએ તાજેતરમાં ફિલ્મ વિવેચકો અને ઉદ્યોગના…

Read More

મેં મારા શિક્ષકોને બહુ નિરાશ કર્યા છે શિક્ષકોનું માનવું હતું કે મારે IAS કેu IFS બનવું જાેઈએ : અર્ચના પૂરન સિંહ અભિનેત્રી અર્ચના પૂરન સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાના રિયાલિટી શોના કારણે અને યુટ્યુબના કારણે ઘરઘરમાં જાણીતી અભિનેત્રી અર્ચના પૂરન સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાના રિયાલિટી શોના કારણે અને યુટ્યુબના કારણે ઘરઘરમાં જાણીતી છે, હવે તે ફરી એક્ટિંગમાં કમબૅક કરે છે, જે સિરીઝમાં એક સ્કૂલની સ્ટોરી છે, ત્યારે તેમણે પોતાનાં શાળાજીવનની યાદો તાજી કરતાં જણાવ્યું કે તેમનાં શિક્ષકોને વિશ્વાસ હતો કે તે ભવિષ્યમાં આઈએએસ અથવા આઈએફએસ અધિકારી બનશે. જાેકે, જ્યારે તેમણે અભિનય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો ર્નિણય લીધો ત્યારે તેમનાં શિક્ષકો…

Read More

સરકાર તેને શા માટે પાસ કરાવવા માગે છે? શું છે વંદે માતરમ બિલ? જે અમિત શાહ રાજ્યસભામાં રજૂ કરશે જાે આ બિલ સંસદના બંને ગૃહોમાં પાસ થઈ જશે તો રાષ્ટ્રીય સન્માનના અપમાનને અટકાવવા સંબંધિત કાયદામાં ફેરફાર થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સોમવારે રાજ્યસભામાં વંદે માતરમ બિલ રજૂ કરશે. પ્રસ્તાવિત કાયદાનો હેતુ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ‘ને એવી જ કાનૂની માન્યતા અને સુરક્ષા આપવાનો છે, જેવી હાલમાં રાષ્ટ્રગાન ‘જન ગણ મન‘ને પ્રાપ્ત છે. જાે આ બિલ અમલમાં આવશે તો રાષ્ટ્રીય સન્માનના અપમાનને અટકાવવા સંબંધિત કાયદામાં ફેરફાર કરવામાં આવશે, જેથી વંદે માતરમનું અપમાન કરવું પણ સજાપાત્ર ગુનો બની જશે…

Read More

મોંઘવારીનો મોટો ઝટકો અદાણી CNG ભાવમાં ફરી ૨ રૂપિયાનો તોતિંગ વધારો CNG નવો ભાવ પ્રતિ કિલો ૯૦ રૂપિયા પર પહોંચ્યો છે, CNG રિક્ષાચાલકો અને CNG વાહનધારકો પર ભારણ વધશે મોંઘવારીના માર વચ્ચે ગુજરાતના વાહનચાલકો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા સીએનજી (CNG)ના ભાવમાં પ્રતિ કિલો ૨ રૂપિયાનો ઝીંકાયો વધારો કરાયો છે. આ ભાવ વધારા સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાં CNG વાહનધારકો અને રિક્ષાચાલકોના ખિસ્સા પર આર્થિક ભારણ વધવાનું નક્કી છે. અદાણી કંપની દ્વારા કરવામાં આવેલા આ તાજા વધારા બાદ હવે અમદાવાદમાં CNG નવો ભાવ પ્રતિ કિલો ૯૦.૦૨ રૂપિયા (કેટલાક વિસ્તારોમાં રૂ.૯૦.૨૦) થઈ ગયો છે. આ…

Read More