- ‘शब्द यज्ञ’ कवि सम्मेलन में महाराष्ट्र के सात रचनाकारों ने बिखेरी काव्य प्रतिभा की इंद्रधनुषी छटा
- શિવમહાપુરાણમાં વર્ણવાયેલી ભગવાન ગણેશજીની દિવ્ય ઉત્પત્તિ, શિરચ્છેદ અને પુનર્જીવનની કથા
- ઇસુદાન ગઢવીએ દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને તાત્કાલિક સહાય આપવા સરકાર સમક્ષ કરી ઉગ્ર માંગ
- Buy FC 26 Coins – What You Need to Know for Safe Purchases
- Mostbet AZ – bukmeker ve kazino Mostbet – Giriş rəsmi sayt
- Neue Online Casinos in Österreich
- Nouveau casino en ligne en France – Fonctionnalités mobiles et applications
- Ξένες στοιχηματικές εταιρίες στην Ελλάδα – Οδηγός για διεθνείς πλατφόρμες στοιχήματος
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ગંભીર મુદ્દા પર પોલીસ પ્રશાસન અને સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એક તરફ ગુજરા તના લોકો દારૂના વેચાણ અને દારૂ પીવાથી લોકો ત્રાહિમામ છે અને લોકો મરી રહ્યા છે. તમે ફાંકા ફોજદારી કરો છો કે “જે વિસ્તારમાંથી દારૂ પકડાશે, તેના પી.આઇ. અને પીએસઆઇને સસ્પેન્ડ કરીશું.” માત્ર વાતો કરીને તમે જનતા સમક્ષ ઉઘાડા પડી ગયા છો. આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા વરાછા વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી અને પોલીસને બોલાવવામાં આવી. છતાં પણ પોલીસ હરકતમાં આવી નથી અને હવે જોઈએ છે કે હર્ષ સંઘવી વરાછા પોલીસ સ્ટેશનના…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જો કરોડો રૂપિયાનો દારૂ વેચતો હોય અને એના સેવનથી લોકો મોતના મુખમાં ધકેલાતા હોય ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથામાં કયાય મૌખિક કે લેખિત લખ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી કરવી? ગાંધી ના ગુજરાતમાં જ્યારે ખુલ્લે આમ દારૂબંધીના ધજીયા ઉડતા હોય અને દારૂના કારણે વારંવાર મૃત્યુના બનાવો બની ગુજરાત દેશભરમાં ચર્ચાનો વિષય બની જતું હોય છે ત્યારે સવાલ એ થાય છે કે દારૂબંધી નાબૂદ કરવામાં આવે તો કોને નુકશાન થાય? એ પણ મોટો સવાલ છે. એમાં સૌ પ્રથમ તો રાજકીય નેતાઓની અને પોલીસ…
(છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ભારતના લોકોની આસ્થા સાથે જોડાયેલા અને કરોડો નું દાન મેળવનાર અયોધ્યાના રામમંદિરમાં થયેલી કરોડો રૂપિયાના દાનની ચોરીનો પર્દાફાશ કરનારા સૌ પ્રથમ પત્રકારો માંના એક એવા પત્રકાર અભિષેક ઉપાધ્યાયેઆરોપ લગાવ્યો છે કે ગાઝીયાબાદ પોલીસ તેમને અને તેમના પરિવારને હેરાન કરી રહી છે. ૨૧ ઓગસ્ટના રોજ X (એક્સ) પર એક પોસ્ટમાં, પત્રકાર ઉપાધ્યાયે આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેમના ઘરે ગઈ હતી અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. આ રીતે વારંવાર પોલીસ ની મુલાકાત સતત હેરાનગતિનો એક ભાગ છે. આ એજ પત્રકાર છે કે જેમના અહેવાલોને કારણે આ દાણચોરી ના સમાચારો રાષ્ટ્રીય સ્તરની હેડલાઈન્સ માં આવ્યા અને…
રવિન્દ્રનાથ ટાગોરની કહાની પર બની હતી ફિલ્મ ૬૧ વર્ષ જૂનું ‘દેશભક્તિ’ ગીત જે ભારત નહીં, પણ અફઘાનિસ્તાન માટે લખાયું હતું! ‘કાબૂલીવાલા’ ૧૯૬૧માં રિલીઝ થઈ હતી અને આ રવિન્દ્રનાથ ટાગોરની ૧૮૯૨માં લખવામાં આવેલી પ્રખ્યાત કહાની પર આધારિત હતી ફિલ્મોની સાથે સંગીત-ગીતનું કનેક્શન વર્ષાેથી એકબીજા માટે પુરક મનાય છે, જે ક્યારેક સફળતા પણ અપાવી હોવાના અનેક કિસ્સા છે. વાત કરીએ ૬૧ વર્ષ જૂના ગીતની છે, જે આજેય ઘરેઘરમાં દેશભક્તિનું ગીત તરીકે જાણીતું છે, જ્યારે વડીલોને પણ યાદ છે. એ ગીત એટલે ‘એ મેરે પ્યારે વતન’, જે આજે પણ સાંભળતા જ હૃદયને સ્પર્શી જાય છે. સામાન્ય રીતે આજે પણ લોકો તેને દેશભક્તિ ગીત…
જિમમાંથી નીકળતા જ બદમાશોએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ ‘ભરી કોર્ટ મેં ગોલી મારેંગે’ ફેમ એક્ટર અંકિત બાલિયાનની હત્યા પોલીસે ઘટનાસ્થળની સુરક્ષા વધારીને સ્થાનિક લોકો પાસેથી વધુ વિગતો મેળવવાની કવાયત શરૂ કરી ઉત્તર પ્રદેશના શામલીમાં બુધવારે સાંજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં પ્રખ્યાત યુટ્યુબર અને હરિયાણવી એક્ટર અંકિત બાલિયાનની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. શામલી કોતવાલી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.સાંજના સમયે અંકિત બાલિયાન જિમમાં ગયા હતા અને ત્યાંથી બહાર નીકળતા જ કેટલાક બદમાશોએ તેમના પર અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સતત ગોળીઓ વાગવાને કારણે તેઓ ગંભીર…
કંગના અને રાહુલ પણ સામસામે આવી ગયાં હતાં ક્રિતીની વિવાદાસ્પદ એડ આખરે પાછી ખેંચી લેવાઈ કંપનીએ આ એડથી કોઈની લાગણી ઘવાઈ હોય તો તે માટે જાહેર માફી પણ માગી હતી મુંબઈ : ક્રિતી સેનોને રક્ષાબંધન જ્વેલરીની એડમાં બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેરી કામ કરતાં મોટો વિવાદ થવાને પગલે જ્વેલરી બ્રાન્ડે તમામ મીડિયા પ્લેટફોર્મ પરથી આ એડ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.કંપનીએ આ એડથી કોઈની લાગણી ઘવાઈ હોય તો તે માટે જાહેર માફી પણ માગી હતી.નેટયૂઝર્સએ આ એડ માટે ક્રિતીની આકરી ઝાટકણી કાઢી હતી.એકટ્રેસ અને સાંસદ કંગના રણૌતે પણ ક્રિતીની ટીકા કરતાં કહ્યું હતું કે ભારતીય મહિલાઓ પાસે અનેક…
શૂટિંગ ઝપાટાભેર આટોપવા માટે ર્નિદેશ ગોલમાલ ફાઈવ આવતા માર્ચમાં રજૂ કરવાનું ટાર્ગેટ ‘ગોલમાલ ફાઇવ’માં ટોચના સ્ટાર અજય દેવગણ, અક્ષય કુમાર અને શર્મન જાેશી મહત્વની ભૂમિકામાં જાેવા મળશે અજય દેવગણ, અક્ષય કુમાર અને શર્મન જાેશીને ચમકાવતી કોમેડી ળેન્ચાઇઝી ‘ગોલમાલ’નો પાંચમો ભાગ ૨૬ માર્ચ ૨૦૨૭ના દિવસે થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. ગુડ ળાઇડેની રજાઓનો લાભ મેળવવા માટે આ રીલિઝ ડેટ નક્કી કરવામાં આવી છે. આ માટે ર્નિદેશક રોહિત શેટ્ટીએ ઝપાટાભેર શૂટિંગ આટોપવા માટે તૈયારીઓ આદરી છે. પારિવારિક કોમેડી ફિલ્મને રજૂ કરવા માટે લોંગ વીક એન્ડ પસંદ કરવામાં આવે છે. જેથી રિપિટ દર્શકો મળી રહે. કોમેડી ‘ગોલમાલ’ ળેન્ચાઇઝી સૌથી સફળ પુરવાર થઇ છે. તેને…
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવા બદલ વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હીરપરાને સસ્પેન્ડ કરી દેવાતા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને મહિલા કાર્યકરોએ સુરતમાં અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા કાર્યકરોએ મેયરના ઘર બહાર હોટફિક્સ કચરાના ઢગલા કર્યા હતા અને પ્રશ્નો ન ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટી સુરત વોર્ડ નં. 17ના કોર્પોરેટર અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે જ્યાં જુઓ ત્યાં હોટફિક્સના કચરાના પહાડો બની ગયા છે. સુરત મહાનગરપાલિકા પાસે આ કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. શહેરમાં આવેલા સેમી-ઔદ્યોગિક એકમો અને હોટફિક્સના જેટલા કારખાના છે,…
ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે પાણી, હવા અને જમીન પ્રદૂષણના મુદ્દે ચાલી રહેલા આંદોલનને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગ્રામજનોના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ખેડૂતોને સંબોધન કરતા ’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આપણી ખામીયુક્ત સિસ્ટમના કારણે જેમણે કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓથી પોતાના જીવ ગુમાવ્યા છે, તેમના પરિવારોને હું સાંત્વના પાઠવું છું. તમારો અવાજ અને તમારી પીડા સાંભળીને અહીં આવ્યો છું. ખરેખર દુઃખ થાય છે કે સરકારો શેના માટે હોય? વર્ષો પહેલાં 1947 માં જ્યારે આપણો દેશ સ્વતંત્ર થયો, અને તે પહેલાં મહાત્મા ગાંધીજી જેવા મહાન આત્માઓએ અંગ્રેજોથી દેશને આઝાદ કરાવવા માટે આંદોલનો અને…
દિવાળી સુધી રાહત નહીં સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવે રડાવ્યા! ગોડાઉનમાં ૫૦% માલ સડી ગયા બજારમાં ઉપલબ્ધ ડુંગળીનો જથ્થો નબળો પડી રહ્યો છે અને વરસાદ ખેંચાવાના કારણે નવા પાકના આગમનમાં પણ વિલંબ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો આશરે ૧૦-૧૫ રૂપિયાનો વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર હાલ બજારમાં ઉપલબ્ધ ડુંગળીનો જથ્થો નબળો પડી રહ્યો છે અને વરસાદ ખેંચાવાના કારણે નવા પાકના આગમનમાં પણ વિલંબ થઈ રહ્યો છે. પરિણામે આવનારા દિવસોમાં ભાવ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલા વેપારી રાજેશ પારેખના જણાવ્યા મુજબ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


