- અંબાજી ગબ્બર દર્શન 22-23 એપ્રિલે બંધ, મધપૂડા દૂર કરવાની કામગીરી માટે રોપવે પણ બંધ રહેશે
- સંજય રાઉતનો ગુજરાત પર કટાક્ષ: સુરતમાં શ્રમિક પલાયન મુદ્દે સરકાર પર નિશાન, રાજકીય ગરમાવો
- બંગાળમાં મતદાર યાદી ડરની અફવા: હજારો શ્રમિકોની ઘરવાપસી, રેલવે સ્ટેશનો પર ભારે ભીડ
- વિરાટ કોહલી-અનુષ્કા શર્મા વૃંદાવન મુલાકાત: પ્રેમાનંદ મહારાજ સાથે આધ્યાત્મિક ચર્ચા, પાંચ મહિનામાં ત્રીજી મુલાકાત
- ટ્રમ્પની કેનેડાને ચેતવણી: ચીન ડીલ ખતમ કરો નહીં તો 100% ટેરિફ લગાવશું
- અમેરિકા-ઈરાન તણાવ વધ્યો: જહાજ જપ્ત બાદ ડ્રોન હુમલાની આશંકા, સીઝફાયર પર સંકટ
- જમ્મુ-કાશ્મીરમાં બસ દુર્ઘટના: 21ના મોત, 30થી વધુ ઘાયલ, CM ઓમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો
- કેપિટોલ હિલ પર 22 એપ્રિલે આતંકવાદ પર પ્રદર્શન, પાકિસ્તાનની પોલ ખોલશે ભારત
Author: Garvi Gujarat
જીપીએસ ડિવાઈસના આધારે તપાસ શું રાજકોટના જ કોઈ જાણભેદુંએ બિહાર ડિલીવરી થાય તે પહેલા સોનું લૂંટી લીધું? હવે એસઆઈટીની તપાસમાં નવી વાત સામે આવી છે કે, ષડયંત્રનો સૂત્રધાર ગુજરાતમાં જ બેસેલો એક શખ્સ છે બિહારના પટનામાં ૨૫ કરોડ રૂપિયાના સનસનીખેજ લૂંટમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ઘટનાને બિહારના ૬ લૂંટારુઓએ અંજામ આપ્યો. પરંતું તેનું ષડયંત્ર ગુજરાતના જ માસ્ટરમાઈન્ડે રચ્યું હતું. પોલીસે આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી ચોરીની કાર અને બાઈક જપ્ત કરી છે. ૨૫ કરોડ સોનાની લૂંટ મામલે સનસનીખેજ ખુલાસો થયો છે. રાજકોટમાં બેસેલા એક શખ્સે પટનામાં લૂંટનું તરખટ રચ્યું હતું. શનિવારે રસ્તા પર ધોળા દિવસે ખગૌલ લખ પાસે દાનાપુરમાં…
હાથ-પગ બાંધી મારપીટ કર્યા બાદ દુષ્કર્મ લખનઉમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવતી ઘટના એક નિર્માણાધીન બિલ્ડિંગમાં વરસાદથી બચવા રોકાયેલી એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વરસાદની વચ્ચે હેવાનિયતની એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. આ ઘટના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-એમમાં મંગળવારે સાંજે એક નિર્માણાધીન બિલ્ડિંગમાં બની હતી. અહીં વરસાદથી બચવા માટે રોકાયેલી એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું. તે નજીકના ઘરમાં બેબીસીટર તરીકે કામ કરતી હતી અને રાબેતા મુજબ કામ પર જઈ રહી હતી. રસ્તામાં ભારે વરસાદ શરૂ થતાં કિશોરી આશરો લેવા માટે નિર્માણાધીન બિલ્ડિંગમાં ઊભી રહી. એવો આરોપ છે કે બિલ્ડિંગમાં…
દિલ્લીમાં ભાજપ સાંસદોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન ખડગેના ગુજરાતી લોકો અભણના નિવેદનથી રાજકારણ ગરમાયું દિલ્લીમાં ગુજરાત ભાજપના સાંસદોએ મોરચો માંડ્યો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાના વિવાદિત ગુજરાતીઓ પરના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. આ મામલે ગુજરાત ભાજપના સાંસદોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી પણ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા. વલસાડ સાંસદ ધવલ પટેલ, રાજકોટના સાંસદ રૂપાલા પણ વિરોધમાં જાેડાયા હતા. આણંદના સાંસદ મિતેશ પટેલ, મહેસાણાના સાંસદ પણ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓને અભણ કહ્યાં હતા. આ નિવેદને લઇને રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના…
ભરણપોષણ તરીકે પત્નીને આપવા પડશે બે કરોડ આસારામના પુત્ર નારાયણ સાંઈના થયા છૂટાછેડા ઈન્દોરની ફેમિલી કોર્ટે બંનેના લગ્નને સત્તાવાર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો : આઠ વર્ષથી ચાલતા કેસનો અંત મધ્યપ્રદેશના ઈન્દોરની એક ફેમિલી કોર્ટે તાજેતરમાં હાઈ-પ્રોફાઇલ લગ્ન વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્વંયભૂ ધર્મગુરૂ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી હરપાલાની વચ્ચે લગભગ આઠ વર્ષથી ચાલી રહેલા કાયદાકીય વિવાદને સમાપ્ત કરતા તેના લગ્નને સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કરી દીધા છે. આ ર્નિણય ન માત્ર બંને પક્ષો માટે વ્યક્તિગત મહત્વ રાખે છે, પરંતુ તેમાં નક્કી કરવામાં આવેલી એલીમની એટલે કે ભરણપોષણ રકમે પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે.…
હાઈકોર્ટે આપી રાહત દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, ૧૧ વર્ષ બાદ થશે જેલમુક્ત સતલોક આશ્રમમાં વહીવટીતંત્ર અને તેના સમર્થકો વચ્ચે થયેલી અથડામણ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાજદ્રોહના કેસમાં સ્વયંભૂ સંત રામપાલના જામીન મંજૂર કર્યા છે. રામપાલને લગભગ ૧૧ વર્ષ પછી મળેલી આ રાહતથી રામપાલના સમર્થકો ખૂબ જ ખુશ છે. સંત રામપાલ હાલમાં હરિયાણાની હિસાર જેલમાં બંધ છે. ૨૦૧૪માં હરિયાણાના બરવાલામાં સતલોક આશ્રમમાં વહીવટીતંત્ર અને તેના સમર્થકો વચ્ચે થયેલી મોટી અથડામણ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અથડામણ દરમિયાન ૬ લોકોના મોત થઈ ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ કેસ…
ઈરાન હવે યુરેનિયમનું કોઈ સંવર્ધન કરી શકશે નહીં અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરશે, ટ્રમ્પનું નિવેદન યુનાઈટેડ સ્ટેટ્સ, ઈરાન સાથે મળીને, જમીનમાં ઊંડે દટાયેલી તમામ પરમાણુ “ડસ્ટ” ખોદીને બહાર કાઢશે અને હટાવશે અમેરિકાની શરતો પર યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. પ્રમુખ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનમાં શાસન પરિવર્તનની પ્રક્રિયા અત્યંત ફળદાયી રહી છે અને હવે અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરવા તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે યુરેનિયમનું કોઈ સંવર્ધન કરી શકશે નહીં. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, યુનાઈટેડ સ્ટેટ્સ ઈરાન સાથે મળીને નજીકથી કામ…
કેન્દ્ર સરકારે લીધો સૌથી મોટો ર્નિણય ઈન્ડસ્ટ્રીમાં પણ LPG સપ્લાયની છૂટ અપાઈ છે આ સિવાય ફાર્મા, ફૂડ, હેવી મેટલ, એગ્રિકલ્ચર સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી સપ્લાય આપવા સૂચના અપાઈ છે ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસને લઈને સમસ્યાઓ ચાલી રહી છે. ત્યારે ૧૪ દિવસ માટે યુદ્ધ રોકાયું છે, તેવા સમયે ગુજરાતમાં લાખો લોકો માટે LPG લઈ મળ્યા રાહતના સમાચાર મળ્યા છે. કેન્દ્ર સરકારે હાલ એક મોટો ર્નિણય લીધો છે. ઈન્ડસ્ટ્રીમાં પણ LPG સપ્લાયની છૂટ અપાઈ છે. આ સિવાય ફાર્મા, ફૂડ, હેવી મેટલ, એગ્રિકલ્ચર સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી સપ્લાય આપવા સૂચના અપાઈ છે. કેન્દ્ર સરકારે દિવસની ૦.૨ ટીએમટી એલપીજી…
શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસ ડ્રગ્સ કેસ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં નિષ્ફળ, કોર્ટે ‘એ’ સમરી મંજૂર કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી ક્રાઇમ બ્રાન્ચે ૧.૧૨ કરોડનો ગાંજાે જપ્ત કર્યાે હતો શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ મળી આવવાના ચકચારી કેસમાં સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓના હાથ ખાલી રહ્યા છે. મહિનાઓ સુધી ચાલેલી તપાસ બાદ પણ ડ્રગ્સ મગાવનાર કે મોકલનારનો કોઈ પત્તો ન લાગતા આખરે સ્પે. એનડીપીએસ કોર્ટના જજ વી.બી.રાજપૂતે આ કેસમાં ‘છ’ સમરી (પડત સમરી) મંજૂર કરી છે. નોંધનીય છે કે, દેશમાં સૌથી વધુ આતંકવાદીઓને ઝડપી લેવામાં ઝાંબાઝ ક્રાઈમ બ્રાન્ચ આ ડ્રગ્સ કેસમાં આરોપીને શોધી શકી નથી! ૨૦૨૪માં શાહીબાગ…
શાંતિદૂત બનવા ચીનના પ્રયાસ પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી બંને દેશ વચ્ચે તણાવ દૂર કરવા ધીમી પણ મક્કમ ગતિએ વાટાઘાટો આગળ વધી રહી છે: ચીન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધનો વિરામ કરાવવા ચીનની મધ્યસ્થીમાં વાટાઘાટો શરૂ કરાઇ હતી અને આ વાટાઘાટો શરૂ થયાના એક સપ્તાહ બાદ પણ હજુ ચાલુ છે એમ ચીનના વિદેશમંત્રાલયે મંગળવારે કહ્યું હતું. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણાઓ સફળ રહે તે માટે ચીન અત્યંત સક્રિયપણે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ વાટાઘાટો માટેની પ્રક્રિયા અમલમાં મૂકાઇ ગઇ છે અને ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે એમ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ…
‘લેબેનોનમાં કોઈ સીઝફાયર નહીં’ નેતન્યાહૂની જાહેરાતથી અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ ઉપર સંકટ ઈરાન સાથે સીધી અથડામણ ભલે ટળી હોય, પરંતુ લેબેનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઈઝરાયેલના હુમલા ચાલુ રહેશે અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સંઘર્ષ વિરામ ની જાહેરાતથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ આશા પર પાણી ફેરવી દીધું છે. નેતન્યાહૂના કાર્યાલયે બુધવારે સવારે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલું સમજૂતી લેબેનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ચાલી રહેલી ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી પર લાગુ થશે નહીં.ઈઝરાયલના પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે ઈઝરાયલ ડોનાલ્ડ ટ્રમ્પના બે અઠવાડિયા સુધી હુમલા સ્થગિત કરવાના ર્નિણયનું સમર્થન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



