Author: Garvi Gujarat

સૂર્યકુમારની EXIT અજિત અગરકરે જણાવ્યું કારણ સૂર્યકુમારનું હાલનું ફોર્મ પણ આ ર્નિણય પાછળનું એક કારણ છે શ્રેયસ વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાની ખૂબ નજીક હતો અને મારી નજરમાં કેપ્ટનશિપ માટે તે મજબૂત દાવેદાર હતો આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સીરીઝની સાથે-સાથે એશિયન ગેમ્સ માટે આજે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ટીમોની કમાન સ્ટાર બેટર શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે, જ્યારે તિલક વર્માને ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમ સિલેક્શનમાં સૌથી મોટો ધમાકો ૧૫ વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને લઈને થયો છે, જેને પહેલીવાર સીનિયર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ, સૂર્યકુમાર યાદવ પાસેથી માત્ર T20…

Read More

અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન ડાયનાસોર ખતમ થઈ ગયા પણ કોકરોચ બચી ગયા, બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાની પોસ્ટ વાઇરલ સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય બનેલી કોકરોચ જનતા પાર્ટી દ્વારા આજે ૬ જૂનના રોજ દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે એક વિશાળ અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખા પ્રદર્શન માટે દિલ્હી પોલીસ તરફથી પણ મંજૂરી મળી ચૂકી છે. આ આંદોલન મુખ્યત્વે NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કરવામાં આવી રહ્યું છે. દેશના યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલા આ અનોખા આંદોલનમાં હવે બોલિવૂડ સેલેબ્સ પણ કૂદી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. કેરળ સ્થિત એક સંશોધન સંસ્થા “ફન્ટિયર્સ ઇન ફાર્માકોલોજી” એ ડો.એબી ફિલિપ્સ અને સાત અન્ય ડોક્ટરોની ટીમના નેતૃત્વમાં એક અભ્યાસ હાથ ધર્યો. ડો. ફિલિપ્સ કેરળના કોચીમાં રાજગીરી હોસ્પિટલ સાથે જોડાયેલા છે અને સોશિયલ મીડિયા પર “લીવર ડોક્ટર” તરીકે વ્યાપકપણે જાણીતા છે. શું સસ્તી જેનરિક દવાઓ ખરેખર મોંઘી બ્રાન્ડેડ દવાઓ જેટલી જ અસરકારક છે? આ એક એવો પ્રશ્ન છે કે જે લાંબા સમયથી ફક્ત દર્દીઓને જ નહીં પરંતુ ઘણા ડોક્ટરોને પણ પરેશાન કરે છે. એક સામાન્ય ધારણા એવી છે કે ઓછી કિંમત ઓછી ગુણવત્તા દર્શાવે છે. ભારત જેવા દેશમાં આ શંકા ખાસ કરીને મહત્વપૂર્ણ છે. કારણકે આરોગ્ય સંભાળ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં મહિલા સુરક્ષા સામે જ્યારે સવાલો પેદા થઈ રહ્યા છે ત્યારે મહિલા સુરક્ષા અંગે રેલવે પોલીસ કેટલી નિષ્ક્રિય રહી હતી એવો એક બનાવ જેમાં મુંબઈની લોકલ ટ્રેનમાં લેડીઝ કોચમાં શનિવારે એક યુવક ચડીને દાદાગીરી કરતો જોવા મળ્યો હતો. જ્યારે લેડીઝ કોચમાં ચડેલા યુવકનો મહિલાઓએ વિરોધ કરીને તેને કોચમાંથી ઉતરી જવાનું કહેતા માથા ફરેલ યુવકે રીતસર ના પાડી દીધી હતી અને મહિલા પેસેન્જરો સાથે ઉદ્ધતાઈપૂર્વક વાતો કરી હતી. મહિલાઓ સાથે વાદવિવાદ કરતા યુવકનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં મહિલાઓ તેને કોચમાંથી ઉતરવાનું કહેતી હોવાનું સાંભળી શકાય છે. વીડિયોમાં મહિલાઓ સૌથી પહેલા તો યુવકને…

Read More

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોનું સંશોધન પહેલી વખત એઆઈની મદદથી વેક્સિન બનાવાઈ : મહામારીઓ સામે કવચ વાયરસના તમામ પ્રકારના વેરિએન્ટ્સ સામે લડી શકે છે વૈજ્ઞાનિકોએ ખાસ સુપર એન્ટિજન તૈયાર કર્યું બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી નવા પ્રકારની વેક્સિન ડેવલપ કરી છે. આ વેક્સિન હાલના કોરોના વાયરસ જ નહીં પરંતુ, ભવિષ્યમાં ફેલાઈ શકે તેવા નવા વાયરસો સામે રક્ષણ આપી શકે છે. આ પહેલી વખત છે જ્યારે, વેક્સિનનો મુખ્ય ભાગ સંપૂર્ણપણે એઆઈ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હોય અને ત્યારબાદ તેનું માણસો પર પરીક્ષણ કરવામાં આવ્યું હોય. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ વેક્સિન કોરોના વાયરસના તમામ વેરિએન્ટ્સ સામે લડી શકે છે. આ…

Read More

૮૫૦ મી.લિ., ૮૭૫ મી.લિ., ૯૦૦ મી.લિ. અને ૯૫૦ મી.લિ. જેવા ચોક્કસ માપ રખાશે ખાદ્ય તેલના પેકેટને ચોક્કસ માપના બનાવવાની સરકારની તૈયારી નવા નિયમથી ચોક્કસ માપ વિનાના પેકેટના કદની વધતી જતી પ્રથાને નિયંત્રિત કરવામાં મદદ મળશે કેન્દ્ર સરકાર ખાદ્ય તેલના પેકેટના કદને ચોક્કસ માપના બનાવવા માટે નવા નિયમો લાવવાની તૈયારીમાં છે. ઉદ્યોગ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પગલું ગ્રાહકો માટે ભાવની પારદર્શિતા વધારશે અને ઉત્પાદકો માટે વધુ સમાન સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું કરશે. આ પ્રસ્તાવિત પગલાથી હાલમાં બજારમાં જાેવા મળતા ૮૫૦ મી.લિ., ૮૭૫ મી.લિ., ૯૦૦ મી.લિ. અને ૯૫૦ મી.લિ. જેવા ચોક્કસ માપ વિનાના પેકેટના કદની વધતી જતી પ્રથાને નિયંત્રિત કરવામાં મદદ મળશે.…

Read More

ફેડરલ જજે ૩૯ દેશોને અસર કરતી ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિ રદ કરી ભારતે વર્ષાે સુધી US પર ઊંચા ટેરિફ નાંખી લાભ લીધો છે, હવે સ્થિતિ બદલાઇ છે: ટ્રમ્પ બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં એક મોટો વેપાર કરાર પણ થઈ શકે છે કેમ કે મને નરેન્દ્ર મોદી પસંદ છે: અમેરિકન પ્રમુખ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સાથેના વેપાર અંગે કહ્યું કે વર્ષાે સુધી ભારતે અમેરિકા પર ઊંચા ટેરિફ લાદ્યા હતા અને તેનો લાભ લીધો હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને અમેરિકા ભારત સાથેના વેપારમાંથી સારી આવક મેળવી રહ્યું છે.ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં એક મોટો…

Read More

૨૦૦૨માં કેસ ફાઈલ કરાયો હતો UK માં છૂટાછેડાના ૨૩ વર્ષ જૂના કેસમાં ગુજરાતી મહિલાને ૮૫ કરોડ મળશે છૂટાછેડાના કેસની કાર્યવાહી દરમિયાન પતિ ભદ્રેશ ગોહિલે પોતાની કરોડોની સંપત્તિની વિગતો છુપાવી હતી ૨૩ વર્ષ જૂના છૂટાછેડાના કેસમાં યુનાઈટેડ કિંગડમની એક અદાલતે મૂળ ગુજરાતી મહિલાની તરફેણમાં ચુકાદો આપી, મહિલાના પતિને ૬.૬ મિલિયન પાઉન્ડ (આશરે રૂ. ૮૫ કરોડ) ચૂકવવાનો આદેશ આપ્યો છે. યુકેની કોર્ટ ઓફ અપીલે, વર્ષા ગોહિલ નામની આ મહિલાની તરફેણમાં આપેલાં હાઈકોર્ટના ચુકાદાને બહાલ રાખતાં ૨૩ વર્ષથી ચાલી રહેલાં કેસનો અંત આવ્યો હતો. છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન પતિએ તેની પૂરે પૂરી સંપત્તિનો ખુલાસો નહીં કર્યાે હોવાના પુરાવા મળ્યાં બાદ ૨૦૦૨માં ફાઈલ કરાયેલાં આ…

Read More

ચિનાબ-બિયાસ નદી પર ભારતના પ્રોજેક્ટની પાકિસ્તાની કરેલી ટીકાને ફગાવી દીધી સીમાપારનો આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે: ભારત જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને સ્વિસ રાજદૂત અથવા અન્ય કોઈ પણ રાજદૂત ત્યાં મુલાકાત લઈ શકે છે ચિનાબ અને બિયાસ નદી પર બે પ્રોજેક્ટની પાકિસ્તાનને કરેલી ટીકાને ફગાવી દેતા ભારતે શુક્રવારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન સંપૂર્ણપણે સીમાપારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે.ચિનાબ-બિયાસ લિંક ટનલ પ્રોજેક્ટ અને સલાલ ડેમમાંથી સિલ્ટ કાઢવાની યોજનાઓ દ્વારા ભારત પાણીનો એક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું હોવાના પાકિસ્તાનના આક્ષેપ પછી ભારતના…

Read More

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવશ્રી ચંચલ કુમારે નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત પ્રવાસન કેન્દ્ર એકતાનગરની મુલાકાત લીધી હતી. તેઓશ્રીની આ મુલાકાતમાં સંયુક્ત સચિવશ્રી અજય નાગભૂષણ, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ મગદુમ પણ જોડાયા હતા. મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુલાકાત દરમિયાન સચિવશ્રીએ જણાવ્યું હતું કે, એકતાનગર આજે માત્ર ગુજરાત કે ભારતનું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ઓળખ પામેલું એક અનોખું પ્રવાસન ગંતવ્ય બની ગયું છે. અહીં વિકસાવવામાં આવેલી સુવિધાઓ, કુદરતી સૌંદર્ય અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, પરિવહન વ્યવસ્થા, સ્વચ્છતા, સુરક્ષા અને મુલાકાતીઓ માટે ઉભી કરાયેલી સર્વાંગી સુવિધાઓની પ્રશંસા કરી…

Read More