Author: Garvi Gujarat

રવિવારનાં લેખ માટે શું લખવું એ વિચારતી હતી! જેઠ મહિનાનાં તહેવારો વિષે લખું! કે કોઈ ખાસ દિવસ આવે છે કે નહીં એનું સર્ચ કર્યું, અને એક વિશેષ વિષય મળી ગયો! 30 જૂન એસ્ટ્રોઈડ દિવસ! એ શું છે એ આપણે પછી જોઈએ! પરંતુ હિન્દુ સંસ્કૃતિમાં જેને સૌથી વધુ મહત્વ અપાયું હોય તો એ ખગોળ શાસ્ત્ર છે! અને ગ્રહ નક્ષત્રનાં સ્થાન મુજબ વાર‌, તિથિ, અને મહિનાઓની તેમજ સૂર્ય વર્ષ, કે ચંદ્ર વર્ષ એમ ગણતરી કરવામાં આવે છે, અને જેને આપણે પંચાંગ કહીએ છીએ! નાસા અને ઈસરોની સ્થાપના પણ નહોતી થઈ, ત્યારથી આપણી સંસ્કૃતિનાં ઋષિઓના બહોળા જ્ઞાનને કારણે ખગોળિય ઘટનાઓ‌ વિશે એટલે સૂર્ય…

Read More

ઈરાને હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પે ઈરાન પર લગાવ્યો યુદ્ધ વિરામનો ભંગ કરવાનો આરોપ અમેરિકાના રાષ્ટ્રપતિએ ૨૫ જૂનના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજ પર મિસાઈલ હુમલા બાદ આ નિવેદન આપ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (૨૬ જૂન, ૨૦૨૬) ઈરાન પર યુદ્ધવિરામ કરારનો ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ૨૫ જૂનના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા એક કોમર્શિયલ જહાજ પર મિસાઈલ હુમલા બાદ આ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પના મતે ઈરાને હુમલો કર્યો હતો, જ્યારે અમેરિકન સેનાએ ત્રણ અન્ય ડ્રોનને રોકી દિધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથસોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “ઈરાને હોર્મુઝ…

Read More

ઈરાન પર અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ જેડી વેન્સે કહ્યું ઈરાનના ડ્રોન હુમલા બાદ અમેરિકાએ વળતો પ્રહાર કર્યો અમેરિકી વાયુસેનાએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજના ગુપ્ત ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી તબાહ કર્યા સ્ટ્રેેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક વ્યાપારી માલવાહક જહાજ પર ઈરાન દ્વારા કરાયેલા ડ્રોન હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર જવાબી સૈન્ય કાર્યવાહી કરીને ફરી એકવાર મિડલ ઈસ્ટમાં તણાવ વધારી દીધો છે. અમેરિકી સેનાના આ મોટા હુમલા બાદ યુએસ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ઈરાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “અમેરિકા હિંસાનો જવાબ હિંસાથી જ આપશે.” અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીકથી…

Read More

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત લઈ શકે છે રૂબિયોએ કહ્યું કે, “અમે ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાથી માત્ર થોડાં પગલાં જ દૂર છીએ : ચર્ચા ખૂબ જ સકારાત્મક રહી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ અંગે મોટો સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ટ્રમ્પની ભારત મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે અને મને આશા છે કે, આગામી વર્ષની શરૂઆતમાં આ પ્રવાસ શક્ય બનશે. અહેવાલ મુજબ, વોશિંગ્ટન DC માં ભારત-અમેરિકા સંબંધો અંગે વાત કરતાં રૂબિયોએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો હાલમાં ખૂબ…

Read More

પરિવારમાં શોકનો માહોલ ફેમસ એક્ટર-ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન CM વિજય, કમલ હાસન સહિતના દિગ્ગજાેએ આપી શ્રદ્ધાંજલિ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જાેરદાર સ્ક્રિપ્ટ રાઈટિંગ અને નિર્દેશનથી દર્શકોનાં દિલ પર રાજ કરનાર દિગ્ગજ ફિલ્મમેકર કૃષ્ણસ્વામી ભાગ્યરાજ (કે.ભાગ્યરાજ) નું શનિવારનાં રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું છે, જેમને સિનેમા જગતમાં પટકથાનાં જાદુગર માનવામાં આવતા હતા. ભાગ્યરાજનું નિધન થતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કે. ભાગ્યરાજનાં નિધન પર દુખ વ્યક્ત કરતા ફેમસ નિર્દેશક એમ. રાજેશે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમને લખ્યું છે કે, ભગવાન તમારી આત્માને શાંતિ આપે. ફિલ્મમેકરનાં નિધનનાં સમાચાર…

Read More

રાજ્યમાં ખેડૂતોની જમીન પર થઈ રહેલી તાનાશાહી અને ગેરકાયદેસર વીજ થાંભલા નાખવાની કામગીરીના વિરોધમાં તથા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા “કિસાન મહાપંચાયત”નું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના નગરા ગામે આ મહાપંચાયત યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, મહિલા પ્રમુખ પાયલ સાકરીયા, પ્રદેશ મંત્રી અનુપ શર્મા તેમજ પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે, પ્રદેશ ઉપપ્રમુખ મયુર સાકરીયા, પ્રદેશ મહિલા ઉપપ્રમુખ માધવીબેન રાજપૂત અને સંગઠન મંત્રી ડો. રાણાજી તથા ઝોન સ્તરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત…

Read More

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સામે ષડયંત્રના ભાગરૂપે એક કેસ કરવામાં આવ્યો અને તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ નવ લોકોને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી. જેથી આમ આદમી પાર્ટીએ આજે આ સજાના વિરોધમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દાહોદ, વડોદરા, પંચમહાલ અને આણંદમાં “સપોર્ટ માર્ચ” પદયાત્રાનું આયોજન કર્યું હતું. તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારીઓ સ્થાનિક હોદ્દેદારો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજી હતી અને નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજ માટે લડત લડનારા, જળ, જંગલ જમીનની રક્ષા કરવા…

Read More

(છગનલાલ મેવાડા દ્વારા) ગુજરાત હાઇકોર્ટ સ્ટેમ્પ ડ્યુટીના વિવાદ અંગે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમા સ્પષ્ટપણે જણાવ્યું છે કે મૂળ દસ્તાવેજ જપ્ત કર્યા વિના માત્ર ઝેરોક્ષ નકલના આધારે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ની વસુલાતની કોઈપણ કાર્યવાહી સંપૂર્ણ ગેરકાયદેસર અને અધિકાર ક્ષેત્ર વિહોણી છે. ન્યાયમૂર્તિ નિર્જળ એસ દેસાઈની એકલ ખંડપીઠે રીત અરજી નં -4257/2022 માં અરજી કરતા નારણભાઈ સમંતભાઈ ભરવાડ (મૃત) ના કાનૂની વારસદારો વતી અરજી કરતાના અધિવક્તા ની દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો છે. પરંતુ આ કેસમાં છ વર્ષ પછી એટલે કે એપ્રિલ 2020 માં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી અને ઓક્ટોબર 2020 માં રૂ. ૫૭,૯૯,૮૦૦ ઘટ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત. બ્રિટિશ શાસન દરમ્યાન સમગ્ર ભારતમાં એક જ સરખી ન્યાય પ્રથા અને પદ્ધતિ જળવાઈ રહે તે દ્રષ્ટિએ ન્યાય વ્યવસ્થા અને કાયદાઓ તૈયાર કર્યા હતા. તે સમયને અનુરૂપ પણ હશે. પરંતુ આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ૧૫૦-૨૦૦ વર્ષ જૂના કાયદાઓમાં દેશની વર્તમાન સ્થિતિને અનુરૂપ કાયદાઓ ન્યાય વ્યવસ્થા અને પદ્ધતિમાં ફેરફાર થયા નથી. ન્યુઝ મીડિયાના અહેવાલો મુજબ વારંવાર આક્ષેપો થાય છે કે કાયદાઓ અને ન્યાય વ્યવસ્થાનો ઉપયોગ શાસકો સત્તા મેળવવા અને ટકાવી રાખવાના માધ્યમ તરીકે કરે છે. આપણા ન્યાયતંત્રની બલીહારી છે. સુપ્રીમ કોર્ટના નામાંકિત વકીલો દેશના હિતમાં અને ગુનાખોરી અટકાવવા સંસદમાં સત્તા સ્થાને બેસીને કાયદાઓ ઘડે છે. જજ…

Read More

મદ્રાસ હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જાે તથા અનામતનો લાભ ન મળે: HC તમિલનાડુ સરકારે બેકવર્ક મુસ્લિમને આપેલા અનામતને મદ્રાસ હાઈકોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યું ધર્મપરિવર્તન અને અનામત સંદર્ભે મદ્રાસ હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિન્દુ ધર્મની પછાત, અતિ પછાત અથવા અનુસૂચિત જાતિમાંથી ઈસ્લામ સ્વીકારના લોકોને બેકવર્ક ક્લાસ મુસ્લિમનો દરજ્જાે અને અનામત આપવાના તમિલનાડુ સરકારના આદેશને હાઈકોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યો છે. જસ્ટિસ જી આર સ્વામિનાથન અને જસ્ટિસ પી બી બાલાજીની બેન્ચે ચુકાદામાં ઠરાવ્યું હતું કે, ઈસ્લામ સ્વીકાર્યા પછી કોઈ પણ વ્યક્તિ માત્ર મુસ્લિમ રહે છે. તે માત્ર એક મુસલમાન હોય છે અને બેકવર્ક ક્લાસ મુસ્લિમના દરજ્જા કે અનામત માટે…

Read More