- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
- મોંઘવારીનો માર: ડુંગળી, ખાંડ, દાળ અને ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો
- ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં AAPનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
- સુરતમાં ‘નારી હુંકાર’ સંમેલન, 2700થી વધુ મહિલાઓએ પરિવર્તનનો સંકલ્પ લીધો
- મિચેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ, બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ
- અમદાવાદના સરખેજમાં 291 લિટર દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
- રાજકોટની મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી
Author: garvigujrat
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર કરસન ઘાવરીની સલાહ જસપ્રિત બુમરાહને ૧ વર્ષ માટે આરામ આપી દો ઘાવરીનું માનવું છે કે બુમરાહને વારંવાર ઉતાવળમાં મેદાન પર ઉતારવાને બદલે તેને લાંબો બ્રેક આપવો જાેઈએ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વધુ એક વખત ઈજાના ગંભીર કારણોસર ક્રિકેટિંગ એક્શનથી દૂર થઈ ગયો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થયેલી ઈજામાંથી તે હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શક્યો નથી. જેના કારણે તેને શ્રીલંકા સામેની આગામી ૨ ટેસ્ટ મેચની સિરીઝમાંથી સત્તાવાર રીતે બહાર કરવામાં આવ્યા છે. બુમરાહની જગ્યાએ જમ્મુ-કાશ્મીરના યુવા ફાસ્ટ બોલર આકિબ નબીને ૧૫ ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.…
VIP પાસ સિસ્ટમ બંધ અયોધ્યાના રામ મંદિરમાં દર્શન વ્યવસ્થામાં મોટો ફેરફાર હવે ભક્તો સામાન્ય કતારમાંથી રામલલાના દર્શન કર્યા બાદ સીધા જ પ્રથમ માળે આવેલા રામ દરબારના દર્શન કરી શકશે અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ દરબારના દર્શનને વધુ સરળ અને સર્વસુલભ બનાવવા માટે મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. હવે ભક્તોને રામ દરબારના દર્શન કરવા માટે અલગથી VIP અથવા વિશેષ પાસ લેવાની જરૂર રહેશે નહીં. નવી વ્યવસ્થા મુજબ, ભક્તો પહેલા સામાન્ય દર્શન કતારમાંથી રામલલાના દર્શન કરશે. ત્યારબાદ તેઓ સીધા મંદિરના પ્રથમ માળે આવેલા રામ દરબારના દર્શન પણ કરી શકશે. આ પ્રક્રિયા માટે કોઈ વધારાની મંજૂરી કે વિશેષ પાસની આવશ્યકતા રહેશે નહીં.…
થાઈલેન્ડમાં રમતના મેદાન પર ભયાનક દુર્ઘટના! LIVE મેચમાં વીજળી પડતા ખેલાડીનું મોત નિપજ્યું ફુટબોલર સોફ્વાન અવાઈ પર અચાનક વીજળી પડી, જેનાથી તેનું મોત થયું અને આશરે ૧૨ ખેલાડી ઈજાગ્રસ્ત રમતને મનોરંજનનું એક માધ્યમ માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર રમતના મેદાન પર એવી દર્દનાક દુર્ઘટના થાય છે, જે બધાને ઝકઝોર કરી દે છે. આવી ઘટના થાઈલેન્ડમાં એક ફુટબોલ મેચ દરમિયાન બની છે. ૨૪ વર્ષના થાઈ ફુટબોલર સોફ્વાન અવાઈ પર અચાનક વીજળી પડી, જેનાથી તેનું મોત થયું છે અને આશરે ૧૨ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધ ઈન્ડિપેન્ડેન્ટના રિપોર્ટ પ્રમાણે ગોલોક એફએ કપ…
સુપ્રીમ કોર્ટ તરફથી આસારામને મોટો ઝટકો ખરાબ સ્વાસ્થ્યના આધારે આસારામને વચગાળાના જામીન આપવાનો ઈનકાર આસારામના સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલ તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું કે તેમને દાખલ કરવાની જરૂર નથી સગીર યુવતી સાથે દુષ્કર્મના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે ખરાબ સ્વાસ્થ્યના આધાર પર આસારામને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે તે જરૂર કહ્યું છે કે સ્થિતિ ખરાબ થવા પર આસારામ બીજીવાર વચગાળાના જામીન માટે અપીલ કરી શકે છે, હાલ તેમણે જેલમાં જ રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે આસારામની વચગાળાની જામીન અરજીને છૈંૈંસ્જી ના રિપોર્ટને આધાર માનતા પેન્ડિંગ રાખી…
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે ખડગેનો સરકાર પર પ્રહાર ગૃહમંત્રી સંસદમાં જવાબ આપે અને પીએમ મોદી માફી માંગે તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, ફાયરિંગ, પેલેટ ગન અને ટીયર ગેસનો ઉપયોગ અત્યાચાર છે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને જંતર-મંતર પાસે વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, છેલ્લા ૧૫ દિવસથી સમગ્ર વિપક્ષ એ માંગ પર અડગ છે કે ગૃહમંત્રી ખુદ સંસદમાં આવીને જવાબ આપે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથે અન્યાય અને અત્યાચાર થયો છે. જે રીતે તેમના પર લાઠીચાર્જ અને ફાયરિંગ કરવામાં આવ્યું તે ખોટું હતું. આવા સાધનોનો ઉપયોગ…
સરકારે યોજનાને મંજૂરી આપી કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો ર્નિણય: ગામડે-ગામડે બનશે ગેસ સરકારે દેશમાં બાયોગેસ ઉત્પાદનને નવી દિશા આપવા માટે ૨૩,૭૩૧ કરોડ રૂપિયાની ગોવર્ધન રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુરુવારે ૨ મોટા ર્નિણયો લેવાયા, જેની સીધી અસર ભારતની ઈકોનોમી પર પડશે. પહેલો ર્નિણય ગોવર્ધન યોજનાને મંજૂરી, જેની અંદર ભારતમાં ગેસ બનાવવા અને વિતરણને પ્રોત્સાહન મળશે. બીજાે ર્નિણય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જાેડાયેલો છે. સરકારે આસામમાં ૪ લેન હાઈવેને મંજૂરી આપી છે. આવો બંને ર્નિણય વિશે વિસ્તારથી જાણીએ. સરકારે દેશમાં બાયોગેસ ઉત્પાદનને નવી દિશા આપવા માટે ૨૩,૭૩૧ કરોડ રૂપિયાની ગોવર્ધન રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે. આ યોજના ૨૦૨૬-૨૭થી ૨૦૩૫-૩૬ સુધી…
ડોગ લવર્સની પ્રથમ પસંદગી લેબ્રાડોર અમદાવાદ શહેરમાં ૧૯૭૪૬ પેટ ડોગ અને ૧૮૯ પેટ કેટની નોંધણી થઇ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૪૧૦૧, પૂર્વ ઝોનમાં ૨૮૫૫, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૨૬૪૦, દક્ષિણ ઝોનમાં ૨૩૭૨, ઉત્તર ઝોનમાં ૨૦૦૩ અને મધ્ય ઝોનમાં ૭૭૯ ડોગનું રજિસ્ટ્રેશન નોંધાયું શહેરમાં કૂતરાં અને બિલાડી તેમજ વિવિધ પ્રકારનાં પક્ષી પાળનારા પશુ-પક્ષી પ્રેમીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી જાય છે અને તેમાંય ખાસ કરીને પેટ ડોગ રાખવાનાં વધતાં જતાં ચલણને પગલે રેબીઝ નિયંત્રણ વગેરે કારણોસર પેટ ડોગ અને પેટ કેટનાં ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયા બાદ શહેરમાં ૧૯૭૫૬ પેટ ડોગ તથા ૧૮૯ પેટ કેટની નોંધણી થઇ ચૂકી છે.મ્યુનિ. સીએનસીડી વિભાગનો હવાલો સંભાળતાં એચઓડી નરેશ…
કંપનીએ ૭ ટકા વર્કફોર્સ ઘટાડી એઆઈની અસર : Visa એ ૨,૬૦૦ કર્મચારીઓની છટણી કરી સિનિયર ડિરેકટર્સ, એન્જિનિયરિંગ મેનેજર્સ અને વર્ષાેથી કંપની સાથે જાેડાયેલા કર્મચારીઓ પ્રભાવિત એઆઈના વધતા ઉપયોગ વચ્ચે જાણીતી પેમેન્ટ કંપની ફૈજચએ પોતાના કર્મચારીઓની સંખ્યામાં મોટા પાયે ઘટાડો કર્યાે છે. કંપનીએ વિશ્વભરમાં લગભગ ૨,૬૦૦ કર્મચારીઓ એટલે કે કુલ વર્કફોર્સના આશરે ૭ ટકા કર્મચારીઓને હટાવવાનો ર્નિણય લીધો છે. આ છટણીની અસર ભારતના કર્મચારીઓ પર પણ પડી છે, જાેકે ભારતમાં કેટલા કર્મચારીઓને હટાવવામાં આવ્યા તેની સત્તાવાર માહિતી કંપનીએ જાહેર કરી નથી. રિપોર્ટ મુજબ, ૨૯ જુલાઈની વહેલી સવારે ૪થી ૫ વાગ્યાની વચ્ચે ભારતના અનેક કર્મચારીઓને છટણીના ઈ-મેઇલ મળ્યા હતા. ઘણા કર્મચારીઓ દિવસની…
આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર વાત કરતાં જણાવ્યું હતું કે, વડોદરામાં એક દીકરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો. ક્યાં ક્યાં વિસ્તારમાં ડ્રગ્સ વેચાય છે, કોણ કોણ લોકો આ ડ્રગ્સ વેચે છે અને કયા પ્રકારનું ડ્રગ્સ મળે છે અને કેટલા રૂપિયામાં ડ્રગ્સ વેચાય છે, એવી બધી જ માહિતી આ વીડિયો દ્વારા વાયરલ કરવામાં આવી હતી. ગાંધી અને સરદારના ગુજરાતમાં દીકરીઓએ પણ હવે ડ્રગ્સ મુદ્દે બોલવું પડે છે. મુન્દ્રા પોર્ટથી હજારો કરોડોનું ડ્રગ્સ ગુજરાતમાં એન્ટર થાય છે અને લાખો યુવાનોની જિંદગી બરબાદ કરી નાખે છે, એમને ખોખલા…
Students from Sindhudurg district are very talented. They should dream big and continue working hard to achieve their goals. Parents should give their children the right opportunities and support them throughout their careers so that Sindhudurg becomes known as a district that produces administrative officers, said Padma Shri Parshuram Gangawane. He was speaking as the Chief Guest at the Meritorious Students and Teachers Felicitation Ceremony, jointly organized by Kokan Kala Va Shikshan Vikas Sanstha (Kokan NGO India) and Vetal Pratishthan Sindhudurg (Tulas). He said that students should use mobile phones, digital technology, and Artificial Intelligence (AI) for positive and productive…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



