Author: Garvi Gujarat

પહેલા ટ્રેલર હતું, હવે ગોળીઓ નહીં ચૂકે રોહિત શેટ્ટીને ફરી મળી ધમકી, લોરેન્સ ગેંગે માગ્યા રૂ. ૨૦ કરોડ મુંબઈ પોલીસે એન્ટી-એક્સ્ટોર્શન સેલ સક્રિય કર્યું છે, શુભમ લોનકરે ઓડિયો રેકોર્ડ કર્યો હોવાનું સામે આવ્યું બોલિવૂડ ફિલ્મમેકર રોહિત શેટ્ટીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી તેમને એક ઓડિયો ક્લિપ દ્વારા આપવામાં આવી છે, અને તેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ ગેંગે ૨૦ કરોડ રૂપિયાની ખંડણી માંગી છે અને આ નવી ધમકી જુહુ સ્થિત રોહિત શેટ્ટીના ઘરની બહાર ચાર રાઉન્ડ ગોળીબાર થયાના થોડા મહિનાઓ બાદ જ આવી છે. શુભમ લોનકર તરફથી રોહિત શેટ્ટીની ટીમને મોકલવામાં આવેલી આ કથિત ઓડિયો…

Read More

બાંગ્લાદેશ પરત ફરવાનો પ્લાન જણાવ્યો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ સ્વદેશ વાપસીની જાહેરાત કરી તેમણે કહ્યું છે કે તેઓ આ જ વર્ષે બાંગ્લાદેશ પરત ફરી જશે : તેમણે અવામી લીગને માત્ર એક પક્ષ નહીં, પરંતુ પોતાની તાકાત ગણાવી બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બે વર્ષ પહેલા થયેલા સત્તા પરિવર્તનને કારણે પોતાનો દેશ છોડીને ભારત આવેલા શેખ હસીનાએ વાપસીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ આ જ વર્ષે બાંગ્લાદેશ પરત ફરી જશે. તેમણે અવામી લીગને માત્ર એક પક્ષ નહીં, પરંતુ પોતાની તાકાત ગણાવી. બાંગ્લાદેશમાં વર્ષ ૨૦૨૪ના મધ્યમાં મોટા પાયે વિરોધ અને હિંસા થઈ હતી, જે બાદ ભીડ વડાપ્રધાન આવાસ…

Read More

વહેલી સવારે સુપ્રભાત સેવામાં જાેડાયા હતા અનંત અંબાણી આંધ્રપ્રદેશના પવિત્ર તિરુમાલા મંદિરે પહોંચ્યા અનંત અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ને ૨૫ ઇલેક્ટ્રિક બસોનું દાન આપશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી રવિવારે આંધ્રપ્રદેશના પવિત્ર તિરુમાલા મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેઓ વહેલી સવારે સુપ્રભાત સેવામાં જાેડાયા હતા અને ત્યારબાદ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. આ દરમિયાન અનંત અંબાણીએ ભગવાન વેંકટેશ્વરને પોતાના વાળ (કેશ મુડન) અર્પણ કર્યા હતા. ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા પછી રંગનાયકુલા મંડપમમાં વૈદિક વિદ્વાનોએ તેમને વેદ મંત્રોથી આશીર્વાદ આપ્યા હતા. તો મંદિરના અધિકારીઓએ તેમને શ્રીવારી તીર્થ પ્રસાદમ્ અને એક વિશેષ રેશમી શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.…

Read More

ટ્રમ્પે આપી ધમકી, કહ્યું અસ્તિત્વ ખતમ અમેરિકાનો ૨૪ કલાકમાં ઈરાન પર બીજાે મોટો હુમલો અમેરિકાએ બીજીવાર ઈરાન પર સૈન્ય હુમલો કર્યો, જેનાથી પશ્ચિમ એશિયામાં એકવાર ફરી તણાવ વધી ગયો પશ્ચિમ એશિયામાં એકવાર ફરી તણાવ વધી ગયો છે. અમેરિકાએ શનિવારે ઈરાનના વધુ એક સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો. આ કાર્યવાહી સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે પનામાના ધ્વજવાળા એક તેલ ટેન્કર પરથયેલા હુમલા બાદ કરવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાને યુદ્ધવિરામ સમજુતિનું ઉલ્લંઘન કર્યું, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જાે ઈરાન નહીં માને તો તેનું અસ્તિત્વ ખતમ થઈ શકે છે. અમેરિકાએ શનિવારે સતત બીજા દિવસે ઈરાન વિરુદ્ધ સૈન્ય…

Read More

વડાપ્રધાન મોદીને મળ્યું વધુ એક સન્માન સેશેલ્સે મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી નવાજ્યા આ એવોર્ડ મોદીને પર્યાવરણ બચાવવા તેમના દ્વારા નિભાવવામાં આવેલી સાહસિક વૈશ્વિક લીડરશિપ માટે આપવામાં આવ્યો આજે સમગ્ર વિશ્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વૈશ્વિક કૂટનીતિ અને પર્યાવરણ સુરક્ષા નીતિઓનો સ્વીકાર કરી રહ્યું છે. હિંદ મહાસાગરના રણીતિક અને સુંદર દ્વીપ રાષ્ટ્ર સેશેલ્સે પોતાની આઝાદીની સુવર્ણ જયંતિના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીને પોતાના દેશનો સૌથી પ્રતિષ્ઠિતઅને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બીચ / બ્લુ હોરાઇઝન (Guardian of the Blue Horizon) એનાયત કર્યો છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સેશેલ્સના રાષ્ટ્રપતિ દ્વારા પીએમ મોદીને પર્યાવરણ બચાવવા, સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ (સતત વિકાસ) અને ગ્રીન…

Read More

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજના સંગઠનોના પ્રતિનિધિઓ, સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા દરેક સમાજના પ્રતિનિધિઓની એક મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 2 જુલાઈના રોજ ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે સવારે 11 કલાકે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા “સામાજિક જનસમર્થન સભા” આયોજન કરવામાં આવશે. આ “સામાજિક જનસમર્થન સભા”માં અંબાજીથી ઉમરગામ અને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના સામાજિક આગેવાનો, ધારાસભ્યો, સાંસદો સહિત તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ અને લોકોને સાથે રાખીને ઉપસ્થિત રહેશે. તારીખ 2 જુલાઈના રોજ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને ધારાસભ્ય…

Read More

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડીયાપાડાના એપીએમસી માર્કેટમાં (હાટ બજાર) ખાતે આદિવાસી સમાજના સંગઠનોના પ્રતિનિધિઓ, સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા દરેક સમાજના પ્રતિનિધિઓની એક મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 2 જુલાઈના રોજ ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે સવારે 11 કલાકે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા “સામાજિક જનસમર્થન સભા” આયોજન કરવામાં આવશે. આ “સામાજિક જનસમર્થન સભા”માં અંબાજીથી ઉમરગામ અને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના સામાજિક આગેવાનો, ધારાસભ્યો, સાંસદો સહિત તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ અને લોકોને સાથે રાખીને ઉપસ્થિત રહેશે. તારીખ 2 જુલાઈના રોજ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમનું આયોજન…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.        વિશ્વમાં પછાત અને ગરીબ દેશોમાં ધર્મોની બોલબાલા વધારે છે. જેવાકે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારત,શ્રીલંકા, ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, નાઇજીરિયા,ઇથોપિયા વિગેરે વિગેરે દેશો કે જ્યાં શિક્ષણનો અભાવ છે.ત્યાં ધર્મની બોલબાલા છે.      જ્યારે બીજીતરફ જ્યાં શિક્ષણનું સ્તર ઊંચું છે એવા વિકસિત દેશોમાં બુધ્ધિજીવી લોકો અને શિક્ષિત પ્રજાની સંખ્યા વધુ છે.કારણકે બુધ્ધિજીવી લોકો ખાસ કરીને ધર્મો ના પ્રભાવથી દૂર રહે છે. આ બાબતે વર્લ્ડ લેવલ ઉપર થયેલા અભ્યાસ મુજબ કેનેડાના  ૭૩% લોકો, સ્પેનના 78% લોકો, ફ્રાન્સના 88% લોકો , નોર્વેના 81% અને ઓસ્ટ્રેલિયા ના 82% લોકો ધર્મને પોતાના જીવનમાં મહત્વપૂર્ણ નથી માનતા.         પરંતુ એટલું જ નહીં જ્યારે ઇંગ્લેન્ડ, જર્મની, સ્વીડન જાપાન અને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.     રાજસ્થાનનો શેખાવતી વિસ્તાર અનોખી સંસ્કૃતિ તથા વીરો અને ચમત્કારી સંતોની તપોભૂમિ તરીકે જાણીતો છે. ત્યાંના સીકર જિલ્લાના દાંતા રામગઢ ના તહસીલના બાય ગામના રહેવાસી સંત શંકરદાસ મહારાજ, જેમને ભક્તો “ખડેશ્વર બાબા” તરીકે ઓળખે છે.તેઓ પોતાના અનોખા સંકલ્પ ને કારણે આ દિવસોમાં દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. બાબા તાજેતરમાં જ સંપન્ન થયેલી નિર્જળા એકાદશીના દિવસે માતા વૈષ્ણોદેવી ના દર્શન માટે આશરે એક હજાર કિલોમીટર લાંબી અત્યંત કઠિન દંડવત યાત્રા પર નીકળ્યા છે બાબા આખુ અંતર જમીન પર સૂઈને એટલે કે દંડવત પ્રણામ કરતાં કરતાં કાપશે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાની પોતાની મુખ્ય…

Read More

આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત મહિલા આગેવાન જીગીશા પટેલે જણાવ્યું હતું કે આજે હું અહીં એક પક્ષના નેતા તરીકે નહીં, પરંતુ એક ખેડૂતની દીકરી તરીકે તમારી સમક્ષ ગોંડલ તાલુકાના ખેડૂતોની એક ગંભીર સમસ્યા મૂકવા આવી છું. જેતપર અને કોંઢ ગામની અંદર ખેડૂતો તેમના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનના વિરોધમાં ઉપવાસ પર બેઠા છે, અને એવી જ કપરી પરિસ્થિતિ આપણા ગોંડલ તાલુકામાં પણ ઊભી થવા જઈ રહી છે. જેટકો (JETCO) તરફથી મળેલા જાહેરપત્ર અને દસ્તાવેજો તપાસતા માલૂમ પડ્યું છે કે ગોંડલ તાલુકાના આબલી, ખડવંથલી, ભીંડાવાડ, હડમતાળા, ગરનાળા, અણિયારા, ભાલોડી, ત્રાકુડા, દડવા, વેકરી, પાટીદળ, ચોરડી, જામવાડી, ગોમટા, વોરા કોટડા, બાંદરા, દેવચરી,…

Read More