
- Gir Somnathમાં 8800 લિટર ડીઝલ જપ્ત, ગેરકાયદે હેરાફેરીમાં ત્રણ ઝડપાયા
- Navsari Civil Hospitalના ઇમરજન્સી વોર્ડમાં ગટરના પાણી ફરી વળતા હાહાકાર
- Madhavpur Ghed Fairમાં 650થી વધુ ખેલાડીઓ સાથે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે
- Vladimir Putinની ચેતવણી: મધ્ય પૂર્વ યુદ્ધના પરિણામો કોવિડ જેટલા ગંભીર થઈ શકે
- જામનગરમાં AAPની ‘વિજય વિશ્વાસ સભા’: કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર નિશાન, બદલાવની અપીલ
- રાજસ્થાનમાં વેપારીએ ઘઉંમાં મળેલા 15 લાખના ઘરેણા ખેડૂતને પરત આપ્યા, ઈમાનદારીની મિસાલ
- શશિ થરૂર નારાજ: પાકિસ્તાન ઈરાન-અમેરિકા યુદ્ધમાં મધ્યસ્થી, ભારતની ભૂમિકા ઓછા નજરે
- રાહુલ ગાંધી ભાવુક: કેરલમની નર્સે સોનિયા ગાંધીને હાથ પકડીને સંભાળ આપી, હાલ તબિયત સ્થિર
Author: Garvi Gujarat
વધુ બે આરોપીને યુપીથી ઝડપી પાડ્યા.વધુ બે આરોપીને યુપીથી ઝડપી પાડ્યા.એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.વી. જાેષીએ બંને આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ગુજરાતના વધતા નશાના કારોબાર સામે કડક કાર્યવાહી કરતાં ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) એ મેફેડ્રોન (MD) કેસમાં વધુ બે આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે. ધરપકડ બાદ બંને આરોપીઓને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.વી. જાેષીએ બંને આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં AT એ અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જે હાલ જેલમાં છે. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે ATSની ટીમ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી અને ત્યાંથી…
હવે ભરપાઈ કરવાનો વારો!.બુમરાહને ૨ કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCI ની કોન્ટ્રાક્ટ સિસ્ટમ.‘’A+’‘ કેટેગરીમાંથી ‘A’ કેટેગરીમાં આવતા ૨ કરોડનું નુકશાન.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)દ્વારા લેવામાં આવેલા ર્નિણયને કારણે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ૨ કરોડનો આર્થિક ફટકો પડ્યો છે. આ ર્નિણય BCCI દ્વારા ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યો હતો. આ ર્નિણય સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સંબંધિત છે, ખાસ કરીને જ્યારે BCCI એ ૨૦૨૫-૨૬ સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, ત્યારે જસપ્રીત બુમરાહને અસરકારક રીતે ડિમોટ કરવામાં આવ્યો હતો. અગાઉ, જસપ્રીત બુમરાહ ‘A+‘ કેટેગરીનો ભાગ હતો. જાેકે, નવા કરાર ચક્રમાં તેને ‘A‘ કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. આ પગલા પાછળનું કારણ એ છે કે બોર્ડે…
હું યુદ્ધને સમર્થન નહીં કરું : જાે કેન્ટ.અમેરિકાના એક ઉચ્ચ કક્ષાના અધિકારીએ રાજીનામું આપ્યું.કેન્ટે જણાવ્યું હતું કે અમેરિકાએ ઇઝરાયલના દબાણ હેઠળ આ યુદ્ધ શરૂ કર્યું હતું અને તેઓ તેનું સમર્થન કરશે નહીં.ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. એક ઉચ્ચ કક્ષાના અધિકારીએ રાજીનામું આપી દીધું છે, જેમાં ઈરાન સાથે યુદ્ધ કરવા અંગેની તેમની નીતિ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. યુએસ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર જાે કેન્ટે રાજીનામું આપી દીધું છે. કેન્ટે ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું કે મારો અંતરાત્મા કહે છે કે હું ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને સમર્થન કરી શકીશ નહીં. આપણા દેશને ઈરાન તરફથી કોઈ તાત્કાલિક…
વિલંબ સામે જનતામાં રોષ.શિયાળબેટમાં ક્ષતિગ્રસ્ત સમુદ્રી કેબલ માટે ૩૦ કરોડ મંજૂર.અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ પર વાવાઝોડાને કારણે સમુદ્રી કેબલને ભારે નુકસાન થયું હતું.મે ૨૦૨૧માં ત્રાટકેલા વિનાશક તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જે તબાહી મચાવી હતી, તેના નિશાન આજે પણ વર્તાય છે. ખાસ કરીને અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ પર વાવાઝોડાને કારણે સમુદ્રી કેબલને ભારે નુકસાન થયું હતું, જેના પરિણામે ૩-ફેઝ વીજ પુરવઠો સાવ ખોરવાઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, લોકોની પ્રાથમિક જરૂરિયાત ગણાતી વીજળી માટે સરકારને જાગતા આશરે ૫ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે શિયાળબેટમાં વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે રૂ. ૩૦.૧૪ કરોડની…
સમૃદ્ધિ યાત્રા દરમિયાન નીતિશ કુમારનું નિવેદન .સમ્રાટ ચૌધરી આગામી મુખ્યમંત્રી બની શકે છે.જ્યારે નીતિશ કુમાર રાજ્યસભામાં જતા રહેશે, ત્યારે બિહારના મુખ્યમંત્રીનું પદ સમ્રાટ ચૌધરીને મળી શકે છે.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે જમુઈમાં સમૃદ્ધિ યાત્રા દરમિયાન એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી એ સંકેત મળે છે કે, સમ્રાટ ચૌધરીના આગામી મુખ્યમંત્રી બની શકે છે. તેમના ખભે હાથ રાખીને નીતિશ કુમારે કહ્યું કે, હવે આ લોકો જ કામ કરશે. નીતિશ કુમારનું આ નિવેદન બિહારના રાજકારણમાં ઝડપથી ફેલાઈ ગયું છે. તેમના આ નિવેદનનું એવું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે કે, આવતા મહિને જ્યારે નીતિશ કુમાર રાજ્યસભામાં જતા રહેશે, ત્યારે બિહારના મુખ્યમંત્રીનું પદ સમ્રાટ…
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સરકારનું મોટું નિવેદન.હોર્મુઝમાં ફસાયેલા તમામ ૨૨ ભારતીય જહાજાે સુરક્ષિત.ઈરાને જહાજાેને સુરક્ષિત રસ્તો આપવા બદલ ભારતે જપ્ત કરેલા તેના ત્રણ ટેન્કરોની અદલાબદલી કરવાની માંગ કરી.પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની વચ્ચે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા તમામ ૨૨ ભારતીય જહાજાે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સાથે જ ભારતે તે અહેવાલોનું સખત શબ્દોમાં ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય ધ્વજ ધરાવતા અથવા ભારત આવતા જહાજાેને સુરક્ષિત રસ્તો આપવાના બદલામાં, ભારતે જપ્ત કરેલા તેના ત્રણ ટેન્કરોની અદલાબદલી કરવાની માંગ કરી છે. અગાઉ રૉયટર્સના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર કરેલા હુમલાઓ, અત્યાચારો સામે "અમારે શું" "અમારે શું" વાળી નીતિ અપનાવીને મૌન બેઠા હતા. તેઓ પણ હવે આ યુધ્ધની સાઈડ ઇફેક્ટ ના સપાટા માં આવી ગયા છે. જો અન્યાય સામે તમે અવાજ નહીં ઉઠાવો તો આ અન્યાય ની અગનજવાળા ઓ તમને પણ કઈ રીતે દઝાડે છે એનું જીવતું જાગતું ઉદાહરણ વિશ્વની વર્તમાન સ્થિતિ છે. દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાન દ્વારા નાકાબંધી કરવાથી વિશ્વભરના ઘણા દેશોમાં તેલનો પુરવઠો બંધ થઈ ગયો છે. અને ખાસ કરીને ભારતમાં અનુભવાઈ રહેલ તેલ અને ગેસ કટોકટી ઘણા સ્તરે ચિંતાજનક છે. જોકે સરકારે જણાવ્યું છે કે દેશમાં…
૩ ટ્રક સામાન કબજે કરાયો લાલબાગ ઓવરબ્રિજથી શ્રેયસ સ્કુલ સુધીના દબાણોનો સફાયો મ્યુનિ. કમિશનર સ્વયં રાત્રે ઓચિંતી મુલાકાતે નીકળ્યા હતા અને રસ્તા પરના ગેરકાયદે ઓટલાઓનો સફાયો કરતા રોડ રસ્તા ખુલ્લા થયા હતા વડોદરા શહેરમાં ચારે બાજુએ રોડ રસ્તા પર આડેધડ ગેરકાયદે દબાણો થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. શહેરની મધ્યમાં નવા બજાર ખાતે પાલિકા મ્યુનિ. કમિશનર સ્વયં રાત્રે ઓચિંતી મુલાકાતે નીકળ્યા હતા અને રસ્તા પરના ગેરકાયદે ઓટલાઓનો સફાયો કરતા રોડ રસ્તા ખુલ્લા થયા હતા. ત્યારબાદ આજે પાલિકા દબાણ શાખાની કાર્યવાહી પણ મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. એમાં લાલબાગ ઓવરબ્રિજ નીચેથી શ્રેયસ સ્કૂલ સુધી અને…
જે કર્યું તે યોગ્ય નથી : સુપ્રીમ કોર્ટ મુખ્યમંત્રી મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ નારાજ IPAC ની ઓફિસમાં દરોડા દરમિયાન મમતા બેનરજી સ્થળ પર પહોંચી ગયા હતા તે મામલે સુનાવણી હાથ ધરાઈ હતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે ૮મી જાન્યુઆરીએ કોલકાતામાં જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACની ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ છે. ઈડીના દરોડા વખતે મમતા બેનરજીની એન્ટ્રી મામલે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, ‘જે થયું તે સુખ:દ વાત નથી, આવી રીતે જવું અમાન્ય વાત…
સોનાના વાયદામાં રૂ.1616 અને ચાંદીના વાયદામાં રૂ.2112ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.60 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.28774.87 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.133320.04 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16922.09 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.162094.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28774.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.133320.04 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2560.48 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16922.09 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.155658ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.156075 અને નીચામાં રૂ.154201ના સ્તરને સ્પર્શી, રૂ.155985ના આગલા બંધ સામે રૂ.1616 ઘટી રૂ.154369ના સ્તરે પહોંચ્યો હતો.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



