- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
- મોંઘવારીનો માર: ડુંગળી, ખાંડ, દાળ અને ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો
- ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં AAPનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
- સુરતમાં ‘નારી હુંકાર’ સંમેલન, 2700થી વધુ મહિલાઓએ પરિવર્તનનો સંકલ્પ લીધો
- મિચેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ, બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ
- અમદાવાદના સરખેજમાં 291 લિટર દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
- રાજકોટની મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી
Author: garvigujrat
સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટીની ડાર્ક પેટર્ન બદલ કાર્યવાહી ઝેપ્ટો, ઈન્ડિગો, ફિઝિક્સવાલા, બુક માય શો જેવી ૯ એપ્સને ૨૦ લાખનો દંડ એપ્સમાં બુકિંગ વખતે જે કિંમત બતાવતી હતી તેમાં હેન્ડલિંગ ચાર્જ વગેરે ઉમેરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા કેન્દ્ર સરકારી એજન્સી સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ ડાર્ક પેટર્ન ધ્યાનમાં આવતા નવ એપ્સ સામે પગલાં ભર્યા છે. ડાર્ક પેટર્ન એટલે એવી ચાલાકી કે જેમાં ગ્રાહકને ઓરિજિનલ ભાવ કંઈક જુદો બતાવે ને પછી પેમેન્ટ કરીએ ત્યારે ખબર પણ ન પડે એ રીતે વધારાના ચાર્જ વસૂલી લેવામાં આવે છે. એપમાં ભ્રામક દાવો કરીને ગ્રાહક સાથે થતી આવી છેતરપિંડીને ડાર્ક પેટર્ન કહેવામાં આવે છે. હવે…
(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. દેશના લખનઉ-કાનપુર એક્સપ્રેસવેનું હજી ૧૩ જુલાઈએ જ ઉદ્દઘાટન થયું હતું. જોકે પહેલા ૨૦ દિવસમાં જ પાંચ વાર રસ્તો ઘસી જવાની ગંભીર ઘટનાઓ ઘટતા નેશનલ હાઈવેઝ ઓથોરીટી ઓફ ઈન્ડિયા(NHAI) એ રોડ નિર્માણ કરનારી કંપનીને તાત્કાલિક રોડ- રિપેરિંગ નું કામ કરવા નિર્દેશ કર્યો હતો. એટલું જ નહીં જ્યાં સુધી આ હાઇવે રીપેર ના થઈ જાય ત્યાં સુધી એને ટોલ-ફ્રી રાખવાની જાહેરાત પણ થઈ હતી. હવે આ રોડનું સમારકામ તડામાર ચાલી રહ્યું છે. જોકે રિપેરિંગ પછી રોડ ઝડપથી સુકાય એ માટે એ જગ્યાએ ટેબલ-ફેન ગોઠવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ તો વાઇરલ થતાં તંત્રી સામે સવાલો ઊભા…
(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. દેશભરમાં FSSAIની છટકબારીનો દૂરુપયોગ કરીને એનલોગ પનીરના નામે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં પર હવે મહારાષ્ટ્રના પગલે સુરત મ.ન.પા ધ્વારા પણ જાગૃતિનાં ભાગરૂપે પાડવામાં આવેલા દરોડા શહેરીજનોના હિતમાં પ્રસંશાને પાત્ર છે. ત્યારે જોઈએ શું છે આ નકલી પનીર અને અસલી પનીર વચ્ચેનો ભેદ? સામાન્ય રીતે અસલી પનીર શુધ્ધ દૂધને ફાડીને બનાવવામાં આવે છે જે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. પરંતુ એનલોગ પનીર દૂધમાંથી નહીં પણ પામ ઓઇલ, સ્ટાર્ચ, દૂધનો પાઉડર અને કેમિકલ્સ મિક્ષ કરીને બનાવવામાં આવતું એક કૃત્રિમ પનીર છે. જ્યારે FDA ને તપાસમાં જે ભેળસેળયુકત પનીરમાં ફોર્મલીન, યુરિયા, ડિટર્જન્ટ જેવા જીવલેણ રસાયણો પણ…
(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા)સુરત. સુરત જિલ્લા વાલ્મીકિ સમાજ સેવા મંડળ સંચાલિત ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજ કલ્યાણ સમિતિ કૌટુંબીક તકરાર નિવારણ સમિતિ ધ્વારા તા.૦૫/૦૭/૨૦૨૬ ના રોજ નવસારી મુકામે કૌટુંબિક તકરારના પક્ષકારોને રુબરૂ બોલાવી સમાધાનના પ્રયાશો હાથ ધરવામાં આવેલ. જેમાં સારી સફળતા મળેલ છે. અને દશેક જેટલા પક્ષકારો સમિતિના કાર્યોથી સંતોષ અને પ્રભાવિત થયેલ છે. અને તેમની તકરારના નિવારણ માટે સંમત થયા છે એ કાર્યને લક્ષમાં લઈ તા.૧૫/૦૮/૨૦૨૬ ના રોજ આઝાદી પર્વના પવિત્ર દિવસે સાંજના ૪:૦૦ કલાકે ન્યુ ઓપેરા હાઉસ ન્યુ સિવિલ ચાર રસ્તા,કિરણ મોટર્સ શો રૂમની બાજુમાં સુરત ખાતે ડી.સી સોલંકી એડવોકેટના પ્રમુખ સ્થાને સમાધાન કાર્યક્રમ રાખવામા આવેલ છે. જેમાં વાલ્મીકી…
સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રામભાઈ ધડુક, પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી અને સુરત લોકસભા ઈન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ તકે આપના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આખા દેશની અંદર ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા લોકોની ગાડીઓમાં ભરાતા પેટ્રોલમાં તેમની ઈચ્છા વિરુદ્ધ ઈથનોલ મિશ્રિત કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે લોકોને જાગૃત કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા દેશવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત 1 ઓગસ્ટના રોજ દિલ્હીના ટાઉન હોલમાં આ મુદ્દે જાગૃતિ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તે જ પ્રકારનો કાર્યક્રમ હવે ગુજરાતમાં, સુરત શહેરમાં…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આ સાંસદ મનસુખ વસાવાનું જુનારાજ ગામ છે. અહીંયા રોડ પર કમર સુધીના ખાડા છે. આ જુનારાજથી લઈને કરજણ ડેમ સુધીનો રોડ છે, અહીંયાથી બાઈક પણ પસાર થાય એવી પરિસ્થિતિ નથી. આ ગામની 3500થી 4000ની વસ્તી છે અને લોકોને આ ખરાબ રોડના કારણે ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. સાંસદ મનસુખ વસાવા આ વિસ્તારમાં બે વખત ધારાસભ્ય પણ બની ચૂક્યા છે. તેઓ પોતાના ગામમાં પણ રસ્તો નથી બનાવી શકતા. બે-ત્રણ દિવસ અગાઉ તેઓ મુલાકાત…
નેવુના દાયકાની યાદો ફરી તાજી થશે અનિલ કપૂર અને મનીષા કોઇરાલાની ક્લાસિક ફિલ્મ થિયેટર્સમાં ફરી રિલીઝ થશે ફિલ્મ વર્ષ ૧૯૯૪માં આવી રિલીઝ થઈ હતી. એ સમયે આ ફિલ્મ પોતાના શાનદાર સંગીત માટે સૌથી વધારે ચર્ચામાં હતી મુંબઈ: અનિલ કપૂર અને મનિશા કોઈલારાની ફિલ્મ ‘૧૯૪૨ લવસ્ટોરી’ ફરી સિનેમાઘરમાં જાેવા મળશે. આ ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ૯૦ના દાયકાની આ ફિલ્મ હજુ પણ એક આખા વર્ગની સૌથી ગમતી ફિલ્મ પૈકીની એક છે. ફિલ્મના ગીત અને સંગીત આજે પણ ઘણાય લોકોને એ ૯૦નો દાયકો યાદ અપાવી રહ્યા છે. આ ફિલ્મ હવે હાઈરિઝોલ્યુશન સાથે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. એ સમયે જ્યારે આ…
૭૦૦૦ કરોડની કમાણી કરી ૧૬ વર્ષથી દર્શકોને ડરાવતી હોરર ફિલ્મના છઠ્ઠા પાર્ટનું ટ્રેલર રિલીઝ ફિલ્મમાં ‘ઇન્સિડિયસ’ સીરીઝની સૌથી લોકપ્રિય કેરેક્ટર ‘એલિસ રેનિયર’ના રોલમાં ફરી એકવાર લિન શે જાેવા મળશે હોલિવૂડની સૌથી લોકપ્રિય અને ડરામણી હોરર ફ્રેન્ચાઇઝી ‘ઇન્સિડિયસ’ની છઠ્ઠી સિક્વલ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. સોની પિક્ચર્સે ‘ઇન્સિડિયસ: આઉટ ઓફ ધ ફર્ધર’નું ફાઇનલ ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે રાક્ષસો અને આત્માઓ અંધારી દુનિયામાંથી બહાર આવીને વાસ્તવિક દુનિયામાં પગ મૂકે છે. આ ફિલ્મ ૨૧ ઓગસ્ટના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે અને તેની એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂકી છે.બ્લુમહાઉસ અને એટોમિક…
અનિલ કપૂરે ઈન્સ્ટા પર સંસ્મરણો વાગોળ્યાં અનિલ કપૂરે તેલુગુ ફિલ્મ ડ્રેગનનું શૂટિંગ શરુ કર્યું ૧૯૬૦ના દાયકાની પશ્ચાદભૂ ધરાવતી આ ફિલ્મમાં જુનિયર એનટીઆર હીરો તરીકે લુગારનું પાત્ર ભજવી રહ્યો છે પ્રશાંત નીલ ર્નિદેશિત ‘ડ્રેગન’ ફિલ્મમાં નાકોટિક્સ બ્યુરોના વડા રઘુવીર રાઠોડની ભૂમિકા ભજવી રહેલાં અનિલ કપૂરે હૈદરાબાદમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. ૧૯૬૦ના દાયકાની પશ્ચાદભૂ ધરાવતી આ ફિલ્મમાં જુનિયર એનટીઆર હીરો તરીકે લુગારનું પાત્ર ભજવી રહ્યો છે.આ પ્રસંગે સોશિયલ મિડિયા પર પોતાના તેલુગુ સિનેમા સાથેના સંસ્મરણો શેર કરતાં અનિલ કપૂરે જણાવ્યું હતું કે ૧૯૮૦માં મેં બાપુની ફિલ્મ ‘વંશવૃક્ષમ‘નું શૂટિંગ અહીં કર્યું હતું. મારી આ પ્રથમ તેલુગુ ફિલ્મમાં મને હીરો તરીકે રજૂ કરવામાં…
ઇતિહાસ માત્ર ભુતકાળની ઘટનાઓનો સંગ્રહ નથી ઈતિહાસ પ્રત્યેના પ્રેમે ‘મુસાફિરી’ની પ્રેરણા આપી : અભિનેત્રી રિચા ચઢ્ઢા રિચા ચઢ્ઢા કહે છે, આ સિરીઝ લોકોને આપણા વારસાને નવી નજરથી જાેવાની પ્રેરણા આપશે અભિનેત્રી અને નિર્માતા રિચા ચઢ્ઢા પોતાના પ્રોડક્શન હાઉસ પુશિંગ બટન્સ સ્ટુડિયોઝ હેઠળ નિર્મિત નવી નોન-ફિક્શન સિરીઝ ‘મુસાફિરી’ લઈને આવી રહી છે. ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને અનોખી રીતે રજૂ કરતી આ સિરીઝ માટે રિચાને પોતાનાં ઇતિહાસ વિષય પ્રત્યેના પ્રેમ અને અભ્યાસમાંથી પ્રેરણા મળી છે.રિચા માટે ઇતિહાસ માત્ર ભુતકાળની ઘટનાઓનો સંગ્રહ નથી, પરંતુ સમાજ, લોકો અને સંસ્કૃતિને સમજવાનો માર્ગ છે. ઇતિહાસના અભ્યાસ, સતત વાંચન અને દેશભરના પ્રવાસોએ ‘મુસાફિરી’ની કલ્પનાને આકાર આપ્યો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



