- નીરજ ચોપડાનો મહારેકોર્ડ, કોમનવેલ્થમાં જેવલિનના 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
- IRCTCની FTR સેવા શરૂ: લગ્ન, પ્રવાસ કે યાત્રા માટે હવે આખો કોચ અથવા ટ્રેન ભાડે બુક કરો
- પાકિસ્તાનમાં ‘કોકરોચ પાર્ટી’થી સરકાર ચિંતિત, Gen Zના અભિયાનથી રાજકારણમાં ખળભળાટ
- ₹500ના ઇનામથી બદલાયું જીવન, જાદુમણિ સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં જીત્યો સિલ્વર મેડલ
- પ્રીતિ પવાર બાદ જાસ્મીન લંબોરિયાનો ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દીકરીઓની ધમાકેદાર સિદ્ધિ
- જુલાઈમાં GST કલેક્શન 15.4% વધીને ₹2.11 લાખ કરોડ, આયાત અને ઘરેલુ આવકમાં જોરદાર ઉછાળો
- સુપ્રીમ કોર્ટે ભોજશાળા પાસે નમાઝને મંજૂરી આપી, પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇનકાર
- એવરેસ્ટ નજીક ચીનનું હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોન સેન્ટર, સરહદ સુરક્ષા વચ્ચે ભારતની ચિંતા વધી
Author: garvigujrat
સંસદમાં સરકારનો જવાબ ઈથેનોલના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે નિષ્ણાતોની સલાહ બાદ જ ૨૦૧૩-૧૪ માં ૧.૫૩% થી વધારીને તેને ૨૦૨૫-૨૬ સુધીમાં ૨૦% સુધી પહોંચાડવામાં આવ્યું દેશભરમાં E20 (૨૦% ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં મોટો ખુલાસો કર્યાે છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે દેશના પેટ્રોલ પંપો પર શુદ્ધ પેટ્રોલ (E0) કે ઓછું ઇથેનોલ ધરાવતા E10 પેટ્રોલની સમાંતર સપ્લાય શરૂ કરવાનો કોઈ વિચાર કે પ્રસ્તાવ નથી. રાજ્યસભામાં સાંસદ ડૉ. વી શિવદાસન અને અશોક સિંહ દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ…
ક્રૂડ ઓઈલ ૮૮ ડોલરને પાર મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ! ઈરાનમાં સતત ૧૦માં દિવસે અમેરિકાની એરસ્ટ્રાઈક જૉર્ડનમાં થયેલા હુમલામાં અમેરિકાના બે સૈનિકો માર્યા ગયા છે અને એક ગુમ થયો છે, જ્યારે ઈરાનના એક ડ્રોન ધમાકામાં વધુ એક સૈનિકનું મોત થયું છે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલાવવાના હેતુથી અમેરિકન સેનાએ ઈરાન પર સતત ૧૦મી રાત્રે પણ જાેરદાર હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, ‘જ્યારે પણ ઈરાન કોઈ અમેરિકન સૈનિકની હત્યા કરશે, ત્યારે તેણે તેની ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે!’બીજી તરફ…
‘હું અવાજ ઉઠાવીશ ફરી દેશદ્રોહી કહેવાશે’ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ દિલજીત દોસાંઝે સરકાર સામે બાંયો ચડાવી ખેડૂત આંદોલન બાદ મેં ઘણી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જે અંગે હું હજુ પણ ખુલીને વાત કરી શકતો નથી દિલ્હીમાં CJP ના નેતૃત્વ હેઠળ NEET પરીક્ષામાં કથિત ગોટાળા અને શિક્ષણ સુધારાની માંગ સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શન સામે મનોરંજન જગતમાંથી મોટો સપોર્ટ સાંપડ્યો છે. જાણીતા ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને ખુલ્લું સમર્થન આપ્યું છે.દિલજીત દોસાંજે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, “જે કંઈ પણ થયું તે ખૂબ જ ખોટું છે. વિદ્યાર્થીઓ સાથે આ…
દિલ્હીમાં યોજાયેલી ઈવેન્ટમાંથી લીક થયું ટ્રેલર રિલીઝ પહેલાં જ રામાયણ ભાગ એકનું પ્રિવ્યુ ફૂટેજ લીક નિતેશ તિવારી ર્નિદેશિત ‘રામાયણ ભાગ એક’માં રામની ભૂમિકા રણબીર કપૂર, સીતાની ભૂમિકામાં સાઇ પલ્લવી અને રાવણની ભૂમિકામાં યશ જાેવા મળશે જેના વિશે સૌથી દર્શકોમાં વધુ ઇન્તેઝારી પ્રવર્તે છે તે ફિલ્મ ‘રામાયણ ભાગ એક’ની એક મિનિટ અને ૨૮ સેકન્ડની ક્લિપ વાયરલ થઈ જતાં ફિલ્મમેકર્સની ઉંઘ ઉડી ગઇ છે. કહેવાય છે કે આ લીક એક સ્માર્ટ ફોન પર રેકોર્ડ કરવામાં આવી હતી. આ લીક ડામવા હવે મેકર્સ કાનૂની પગલાં પણ લઈ રહ્યા છે.નવી દિલ્હીમાં ૧૮જુલાઇએ ભારત મંડપમમાં પસંદગીના કરાયેલાં આમંત્રિતો સમક્ષ પ્રથમ સંકલ્પ કાર્યક્રમ દરમ્યાન આ ફૂટેજ…
આવારપન ટુ ફિલ્મ માટે નિવૃત્તિ પાછી ખેંચી અરિજિત સિંહની નિવૃત્તિનો અંત, નવું ગીત રજૂ થયું વિશેષ ફિલ્મ્સની જ મર્ડર ટુ સાથે અરિજિતે કેરિયર શરુ કરી હતી ફિલ્મ ‘આવારાપન ટુ ‘૧૪ ઓગસ્ટે સિનેમાઘરોમાં રજૂ થશે એક સમયે હું હવે નહીં ગાઉ એમ કહી નિવૃત્તિ જાહેર કરનાર લોકપ્રિય ગાયક અરિજિતસિંહનું નવું ગીત સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પર સ્ટ્રિમ થયું હતું. ‘આવારાપન ટુ’ ફિલ્મનું ગીત યેહ આવારાપન ૨૧ જુલાઇએ રજૂ કરવામાં આવ્યું હતું. ‘આવારાપન ટ’ુ ફિલ્મ બનાવનાર બેનર વિશેષ ફિલ્મ્સ સાથે ગાયક અરિજિતસિંહના સંબંધો પંદર વર્ષથી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિશેષ ભટ્ટે જણાવ્યા મુજબ રશ્મિ વિરાગ લિખિત અને અમાલ મલિક દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવેલું આ…
આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયાએ દિલ્હીના જંતર મંતર પર દીકરીઓ પર થયેલા લાઠીચાર્જ મુદ્દે ઉગ્ર નિવેદન આપતા જણાવ્યું હતું કે, “બેટી બચાવો બેટી પઢાવો” અને સ્ત્રી સશક્તિકરણના નારા ફક્ત ચૂંટણી પૂરતા છે. દેશની દીકરીઓ દિલ્હીના જંતર મંતર ખાતે સત્તાધીશોને સવાલ કરવા માટે પહોંચી હતી પરંતુ એમની સાથે દિલ્હી પોલીસનું વર્તન કેવું હતું? આ દીકરીઓ આતંકવાદી હોય એમ એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, તેમના કપડા ફાડી નાખવામાં આવ્યા, દીકરીઓને છાતીમાં મારવામાં આવ્યું, જેમ ફાવે એમ લાઠીઓ વરસાવવામાં આવી. સ્ત્રીઓ સશક્ત બનીને સત્તાધીશોને જ્યારે સવાલ પૂછે છે તો તમે એ સાંભળી તો શકતા નથી. જે લોકોના હાથમાં દેશની…
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક અને પવિત્ર યાત્રાધામ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરોએ પ્રવેશ કરી મોટી દાનપેટીની ચોરી કરી છે. આ પૌરાણિક ધામમાં આખા વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને સ્વયંભૂ લાખો રૂપિયાનું દાન અર્પણ કરે છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સ્થળ પરથી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આટલા મોટા યાત્રાધામમાં સુરક્ષા વ્યવસ્થા સાવ નહિવત છે. મંદિરમાં રાત્રિના સમયે માત્ર એક જ ચોકીદાર હોય છે, અને બહારના ભાગે સીસીટીવી કેમેરા કે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો નથી. મંદિરની આસપાસના જૂના ઘરો તોડી પાડવામાં આવ્યા છે, છતાં તંત્ર કે મંદિરના હોદ્દેદારો દ્વારા…
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી અને ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે એક વીડિયોના માધ્યમથી દેશમાં ચાલી રહેલા ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે “અચ્છે દિન”નું સપનું બતાવીને લોકશાહીનો સૌથી કાળો દિવસ બતાવી દીધો. આજે જ્યારે દેશનો યુવા સારી શિક્ષણ વ્યવસ્થાની માંગ સાથે રસ્તા પર ઉતર્યો છે, તો તેનું સ્વાગત સંવાદથી કરવાનું હતું, લાઠીથી નહીં. આજે જ્યારે દેશનો યુવાન પોતાના સારા ભવિષ્ય માટેની વાત કરી રહ્યો છે, તો એવા સમયમાં તેના પર લાઠીઓ ન વરસાવી જોઈએ. આજે દેશની દીકરીઓ સારી શિક્ષણ વ્યવસ્થા અને પોતાના અધિકાર માટે જ્યારે લડી રહી છે તો એ…
દિલ્હીના જંતર-મંતર ખાતેથી શરૂ થયેલી સંસદ કૂચમાં આજે બીજા દિવસે પણ ભાગ લેવા પહોંચેલા આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ સ્થળ પરથી વીડિયોમાં સંબોધતા જણાવ્યું હતું કે, ‘કોકરોચ જનતા પાર્ટી’ અને ‘GenZ’ (નવી પેઢીના) યુવાનોનું આંદોલન આજે બીજા દિવસે પણ સતત ચાલુ છે. સરકાર દ્વારા આ વિરોધ પ્રદર્શનને દબાવવા માટે જંતર-મંતર પર પોલીસ અને આર્મીનો ખૂબ મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. જો આટલી જ કડક સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત નીટ પરીક્ષા વખતે ગોઠવવામાં આવ્યો હોત, તો દેશના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયું ન હોત. આજે દેશનો યુવા વર્ગ સંપૂર્ણપણે જાગૃત થઈ ગયો છે અને…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે મોદી સરકારે આપણા દેશના માસૂમ બાળકો અને યુવાનો પર જે નિર્દયતાથી હુમલો કર્યો છે તે અત્યંત શરમજનક છે, જેનાથી અંગ્રેજો પણ શરમાઈ જાય. સોશિયલ મીડિયા પર યુવાનો પર થયેલા લાઠીચાર્જ, ટીયર ગેસના ગોળા અને ખોટા કેસ દાખલ થવાના વિડીયો જોઈને કાળજું કંપી ઉઠે છે. જે વાલીઓના બાળકો ગુમ છે અથવા જેમના પર ખોટી એફઆઈઆર (FIR) થઈ છે, તેમની મદદ માટે આમ આદમી પાર્ટીએ સ્પેશિયલ લીગલ અને મેડિકલ ટીમ તૈયાર કરી છે. કોઈ પણ પ્રકારની કાનૂની મદદ માટે 85888-33548 નંબર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



