- Buy FC 26 Coins – What You Need to Know for Safe Purchases
- Mostbet AZ – bukmeker ve kazino Mostbet – Giriş rəsmi sayt
- Neue Online Casinos in Österreich
- Nouveau casino en ligne en France – Fonctionnalités mobiles et applications
- Ξένες στοιχηματικές εταιρίες στην Ελλάδα – Οδηγός για διεθνείς πλατφόρμες στοιχήματος
- Олимп Казино – Получай BONUS 100% + 250 бесплатных вращений
- જો રૂટે રચ્યો વર્લ્ડ રેકોર્ડ: સ્ટીવ સ્મિથને પછાડી ટેસ્ટ ક્રિકેટનો સૌથી સફળ ફીલ્ડર બન્યો
- સંસદ માર્ચમાં ૧૭ મેટ્રો સ્ટેશન બંધ કરાતા સુપ્રીમ નારાજ, વિદ્યાર્થીઓ પર હિંસા કરનાર સામે પગલાંના નિર્દેશ
Author: garvigujrat
‘સર, બિસ્કિટ લઈ લઉં? સીએમ ફડણવીસ સામે જ સમય રૈનાએ મુંબઈ પોલીસને કરી રોસ્ટ સન્માન સ્વીકાર્યા બાદ સમય રૈનાએ પોતાના જૂના અંદાજમાં મહારાષ્ટ્ર સાયબર સેલની જ ફિરકી લીધી હતી પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ મુંબઈમાં મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા આયોજિત સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ સામે જાગૃતિ લાવવા માટે એક શોર્ટ ફિલ્મ અને ‘૧૯૩૦ મહારાષ્ટ્ર સાયબર એન્થમ‘ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. મંચ પર જ્યારે મુખ્યમંત્રી…
અહાનની મોમની તસવીરોનુંરહસ્ય ફેને ખોલ્યું અનીત પડ્ડા અને અહાન પાંડેએ જુલાઇમાં કુમ્બ્રિયામાં વેકેશન માણ્યું? જુલાઇમાં અહાનની મોમ ડીન પાંડેએ જે તસવીરો મુકી હતી તે અને અનીત પડ્ડાએ મુકેલી તસવીરો ફેન્સને એકસમાન જણાઇ હતી મંગળવારે અનીત પડ્ડાએ ઇન્સ્ટા પર તેના વેકેશનના ફોટા મુકતાં તેમના ચાહકોએ શોધી કાઢ્યું છે કે અનીત પડ્ડા અને અહાન પાંડેએ જુલાઇમાં સાથે વેકેશન માણ્યું હતું. જુલાઇમાં અહાનની મોમ ડીન પાંડેએ જે તસવીરો મુકી હતી તે અને અનીત પડ્ડાએ મુકેલી તસવીરો ફેન્સને એકસમાન જણાઇ હતી.અનીતે મુકેલા ફોટાઓમાં તે ફૂલોના બુકે સાથે પોઝ આપી રહી છે. તે એક રેસ્ટોરાંમાં ભોજન લઇ રહી છે તેની પણ તસવીર છે. તેણે એક…
રક્ષાબંધન પહેલાં છલકાયું શ્વેતાનું દર્દ સુશાંત સાથેના બાળપણના ફોટા શેર કરી લખી હૃદયસ્પર્શી પોસ્ટ! શ્વેતા સિંહ કીર્તિનું કહેવું છે કે આ પ્રકારની તમામ યાદોને તેઓ પોતાના દિલની નજીક રાખશે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને અવસાન પામે લગભગ ૬ વર્ષ થઈ રહ્યા છે. પરંતુ આ વર્ષાેમાં એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે તેમની બહેન શ્વેતા કીર્તિ સિંહે તેમને યાદ ન કર્યા હોય. રક્ષાબંધન પહેલાં ગુરુવારે શ્વેતાએ ભાઈને યાદ કરીને એક ખાસ પોસ્ટ કરી હતી.શ્વેતા કીર્તિ સિંહે ઇન્સ્ટાગ્રામ પર ભાઈ સુશાંત સિંહ રાજપૂત સાથે બાળપણના કેટલાક ફોટા પોસ્ટ કર્યા, જેમાં બંનેએ સાથે વિતાવેલી ક્ષણો સામેલ છે. પ્રથમ તસવીરમાં સુશાંત બહેન શ્વેતા…
(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત આપણા દેશમાં હવે ન્યાયતંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ એટલા માટે ડગમગી ગયો છે કે કેટલાંક ચૂકાદાઓએ સમાજને દિગ્મૂઢ કરી નાખ્યા છે. જ્યાં લોકોને ડરાઈને કોઈ પ્રકારે ન્યાયતંત્ર પર પરોક્ષ રીતે અથવા દબાણનો સામનો કરી ને પણ લડત ચાલુ રાખવી પડે છે. પછી એ દબાણો કોઈ રાજકારણીના હોય, કોઈ ધર્મના નામે આડંબર કરી નેતાઓને આંજી નાખી આશ્રમો ઉભા કરનારા બાપાઓ, બાપુઓના કેમ ન હોય? તાજેતરનો દાખલો જોઈએ જ્યાં જંતરમંતર પર થયેલા આંદોલનમાં પોલીસ દ્વારા ચલાવાયેલી પેલેટગન થી ઈજા પામેલી વ્યક્તિની FIR નોંધાવવા લોકસભાના વિરોધ પક્ષના…
(નીડર,નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત ભારતમાં લોકશાહી છે અને લોકશાહીમાં પત્રકારોનું કામ સરકાર પર સવાલ ઉઠાવવાનું, નીતિઓની સમીક્ષા કરવાનું અને જનતા સુધી હકીકતો પહોંચાડવાનું છે. જો પત્રકારોને રાજકીય વિરોધીઓ અથવા દુશ્મનો તરીકે દર્શાવવામાં આવે છે, તો તે મીડિયા સ્વતંત્રતાને નબળી પાડશે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ ભાજપના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સરકારી પ્રશ્નકર્તાઓ અને વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈને "દિમાગી નક્સલ" કહીને નિશાન બનાવવાની નિંદા કરી છે. વધુમાં ગિલ્ડે જણાવ્યું હતું કે, પત્રકાર સરકાર પર પ્રશ્ન ઉઠાવે છે અથવા તેની નીતિઓનું વિશ્લેષણ કરે છે તેના કારણે તેને જાહેરમાં બદનામ કરવાની આ પ્રવૃત્તિ લોકશાહી મૂલ્યો અને પ્રેસ સ્વતંત્રતાની વિરુદ્ધ છે. એડિટર્સ…
કમાણીમાં ૬૪ ટકાનો કડાકો, જાણો કેટલું થયું કલેક્શન રૂ.૧૦૦ કરોડની ઓપનિંગના બીજા જ દિવસે ‘Toxic’ નો ધબડકો! ‘ટોક્સિક’ના બીજા દિવસના પ્રદર્શનની સરખામણી આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ સાથે કરવામાં આવી રહી છે સાઉથ સુપરસ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ ના બોક્સ ઓફિસ કલેક્શનમાં બીજા દિવસે જંગી ઘટાડો નોંધાયો છે. પ્રથમ દિવસે દેશભરમાં ૧૦૧.૧૦ કરોડ નેટ કલેક્શન સાથે ધમાકેદાર શરૂઆત કરનાર આ ફિલ્મે ગુરુવારે બીજા દિવસે ભારતમાં ૩૬.૪૦ કરોડ નેટ કલેક્શન કર્યું છે. કમાણીમાં પ્રથમ દિવસની સરખામણીએ લગભગ ૬૪%નો મોટો કડાકો જાેવા મળ્યો છે. આ સાથે જ ૨ દિવસમાં ફિલ્મનું કુલ ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન ૧૩૭.૫૦…
શ્રી ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની પાવન કથા સનાતન ધર્મ સંસ્કૃતિમાં ‘જ્યોતિર્લિંગ’ ને પરબ્રહ્મ પરમાત્મા શિવનું દિવ્ય,સ્વયંભૂ અને સર્વોચ્ચ સ્વરૂપ માનવામાં આવે છે.જ્યોતિર્લિંગ એ કેવળ પાષાણ પ્રતિમા નથી પરંતુ સાક્ષાત સદાશિવનો જ્યોતિર્મય અંશ છે.સમગ્ર ભારતવર્ષમાં સ્થાપિત બાર જ્યોતિર્લિંગો એવાં પવિત્ર ધામ છે જ્યાં ભગવાન શંકર પોતાના ભક્તોના કલ્યાણ અર્થે દિવ્ય જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ દ્વાદશ જ્યોતિર્લિંગો પૈકી અંતિમ એટલે કે બારમું જ્યોતિર્લિંગ એટલે ‘શ્રી ઘુશ્મેશ્વર’. આ દિવ્ય મંદિર મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ-છત્રપતિ સંભાજીનગર નજીક આવેલા ઐતિહાસિક દૌલતાબાદથી આશરે ૧૧ કિલોમીટરના અંતરે આવેલું છે.વિશ્વપ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓની બિલકુલ સમીપ સ્થિત આ ધામ અત્યંત રમણીય અને આધ્યાત્મિક ઊર્જાથી સભર છે. ઘુશ્મેશ્વર મંદિરનો ઈતિહાસ અત્યંત ગૌરવશાળી…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી છે. વારંવાર ખેડૂતોએ ભાજપને તક આપી સરકાર બનાવવાની, ચલાવવાની, કામ કરીને બતાવવાની. જ્યારે પણ ભાજપને જરૂર હોય છે ત્યારે ગુજરાતના ખેડૂતો ભાજપનો સાથ આપે છે, પરંતુ જ્યારે ખેડૂતોને ભાજપની જરૂર પડે છે ત્યારે સરકાર ખેડૂતોને ધિક્કારી દે છે, ખેડૂતોનો અવાજ નથી સાંભળતી અને જો અવાજ ઉઠાવે છે તો પોલીસ મૂકીને દમન કરે છે. એ પછી કડદા પ્રથા હોય કે પછી જ્યારે-જ્યારે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો ત્યારે તેમના પર એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી. ખેતરોમાં જબરદસ્તી જ્યારે વીજળીના થાંભલા નાંખવામાં આવી રહ્યા હતા…
ગાંધીજીએ પોતાના જીવનમાં માપદંડ નક્કી કર્યા હતા : શાહ અમિત શાહે ગૂજરાત વિદ્યાપીઠના ૭૨માં પદવીદાન સમારોહમાં હાજરી આપી તમે ગાંધીજીને વાંચશો તો ક્યારેય નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુન:નિર્માણ વિશે વિચાર આપ્યો: અમિત શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, ગૂજરાત વિદ્યાપીઠના ૭૨મો પદવીદાન સમારોહમાં સંબોધન કરતા વિદ્યાર્થીઓને કહ્યું કે, આઝાદી બાદ, દેશનું શિક્ષણ કેવુ હશે તે અહીં મહાત્માએ નક્કી કર્યું હતું. આ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત મોડલ છે. આજકાલ યુવાઓના નવ નિર્માણને લઈને થઈ રહેલ વાતોને ધ્યાને લઈને, અમિત શાહે તેમના સંબોધનમાં એમ પણ કહ્યું કે, ગાંધીજીને વાંચશો તો ક્યારેય નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુન:નિર્માણ વિશે જ વિચાર આપ્યા હતા. પદવી…
મોંઘવારીમાંથી રાહત મળવાની શક્યતા ખાંડના ભાવ ગગડીને ૫૧ રૂપિયા કિલોએ પહોંચ્યા કેન્દ્ર સરકારના કડક પગલાંથી દેશમાં ખાંડના ભાવ ગગડ્યા છે; માત્ર ૪ દિવસમાં છૂટક બજારમાં પ્રતિ કિલો ૮ સુધીનો ઘટાડો દેશમાં ખાંડના વધતા ભાવ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા કડક નીતિગત પગલાંની અસર હવે બજારમાં સ્પષ્ટપણે જાેવા મળી રહી છે. દેશના વિવિધ ભાગોમાં ખાંડના ભાવમાં નરમ વલણ નોંધાયું છે. છેલ્લાં માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં છૂટક બજારમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો ૮ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. દક્ષિણ મહારાષ્ટ્રમાં મિલ સ્તરે ખાંડનો ભાવ જે વધીને ૬૨ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો, તે ઘટીને હવે ૫૧થી ૫૨…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


