Author: Garvi Gujarat

વિશ્વમાં છે ફક્ત ૧૨ પીસ.અનંત અંબાણીએ લિયોનેલ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ.વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસ્સીએ વનતારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી.ગ્લોબલ ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસ્સીએ મંગળવારે જામનગરમાં અનંત અંબાણીના વનતારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે, તેમણે મહા આરતીમાં હાજરી આપી અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. આ દરમિયાન, અનંત અંબાણીએ મેસ્સીને એક વિશિષ્ટ ઘડિયાળ ભેટ આપી, સૌથી ખાસ વાત એ છે કે ફક્ત ૧૨ ઘડિયાળો જ વિશ્વભરમાં અસ્તિત્વમાં છે. ચાલો જાણીએ આ ઘડિયાળની કિંમત અને વિશેષતાઓ. મેસ્સીને રિચાર્ડ મિલે RM 003-V2 GMT ટુરબિલોન એશિયા એડિશન ઘડિયાળ ભેટમાં આપવામાં આવી હતી. તેની કિંમત આશરે…

Read More

કાલે વિધાનસભામાં ચર્ચા.હરિયાણામાં ભાજપ સરકાર સંકટમાં! કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ.વિધાનસભા સ્પીકર હરવિંદર કલ્યાણે કોંગ્રેસની નોટિસને મંજૂરી આપતા આ પ્રસ્તાવને ગૃહની કાર્યસૂચિમાં સામેલ કરાયો છે.હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસ તરફથી નાયબ સૈની સરકાર વિરુદ્ધ લવાયેલ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને હવે સત્તાવાર રીતે સ્વીકારી લેવાઈ છે. વિધાનસભા સ્પીકર હરવિંદર કલ્યાણે કોંગ્રેસની નોટિસને મંજૂરી આપતા આ પ્રસ્તાવને ગૃહની કાર્યસૂચિમાં સામેલ કરાયો છે. આ સાથે જ એ નક્કી કરાયું છે કે આવતીકાલે એટલે કે શુક્રવારે વિધાનસભામાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે. આ પગલું કોંગ્રેસ તરફથી રાજ્ય સરકાર વિરુદ્ધ વિરોધને લઈને ઉઠાવાયું છે. વિપક્ષી દળ કોંગ્રેસે હાલની સરકારની નીતિઓ અને કાર્યપદ્ધતિ પર ગંભીર વાંધો દર્શાવ્યો છે અને તેમણે…

Read More

કેન્દ્રીય પ્રધાન ગડકરીની સંસદમાં જાહેરાત.૨૦૨૬ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન.ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે : રૂ. ૧૫૦૦ કરોડનું ઇંધણ બચશે,સરકારની આવકમાં રૂ. ૬૦૦૦ કરોડનો વધારો થશે.સેટેલાઇટ આધારિત ટોલ ક્લેકશન સિસ્ટમ ૨૦૨૬નાં અંત સુધી સમગ્ર દેશમાં શરૂ થઇ જશે. જેના કારણે યાત્રીઓને ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં અને સરકારની આવકમાં વધારો થશે તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું છે. એક પ્રશ્રનાં જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાને જણાવ્યું હતું કે નવી ટેકનોલોજી સેટેલાઇટ અને એઆઇ આધારિત હશે અને વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે આ સિસ્ટમને કારણે ૧૫૦૦…

Read More

ભાગેડુ-કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો.બેલ્જિયમની કોર્ટે પ્રત્યાર્પણ વિરોધી મેહુલ ચોક્સીની અરજી ફગાવી.કોર્ટે દલીલોને નબળી ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે પ્રત્યાર્પણ રોકવા ચોક્સી પાસે કોઈ કાનૂની કે તથ્યાત્મક આધાર નથી.હજારો કરોડ રૂપિયાના બેંકિંગ કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને વિદેશી ધરતી પરથી ભારત લાવવાના પ્રયાસોને મોટી સફળતા મળી છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત, કોર્ટ ઓફ કેસેશન એ મેહુલ ચોક્સીની ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજીને ફગાવી દીધી છે. બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોક્સીની દલીલોને નબળી ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે પ્રત્યાર્પણ રોકવા માટે ચોક્સી પાસે કોઈ કાનૂની કે તથ્યાત્મક આધાર નથી. કોર્ટે જણાવ્યું કે પ્રત્યાર્પણની આ પ્રક્રિયા ભારતીય કાયદાઓ અને યુરોપિયન માનવાધિકાર…

Read More

BMW F 450 GS ભારતમાં બનાવવામાં આવશે.જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જાેવા મળ્યા રાહુલ ગાંધી.રાહુલ ગાંધીએ BMW Welt અને મ્યુનિકમાં BMW પ્લાન્ટની મુલાકાત લીધી : ઉત્પાદન પ્રક્રિયાને નજીકથી જાેઈ.કોંગ્રેસ પાર્ટીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ફોટો શેર કર્યો છે, જેમાં રાહુલ ગાંધી જર્મનીના મ્યુનિકમાં BMW પ્લાન્ટમાં બાઇક પર બેઠા છે. આ બાઇક BMW F 450 GS છે, જે હજુ સુધી ભારતીય બજારમાં લોન્ચ થઈ નથી. આ ફોટાએ આ નવી BMW બાઇક વિશે ઘણી ચર્ચા જગાવી છે. ચાલો બાઇકના એન્જિન, પ્રદર્શન, ફીચર્સ અને કિંમત વિશે જાણીએ. આ અઠવાડિયે, રાહુલ ગાંધીએ BMW Welt અને મ્યુનિકમાં BMW પ્લાન્ટની મુલાકાત…

Read More

હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું.હું બુરખાની વિરુદ્ધ પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જાેઈએ.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાનો હિજાબ ઉતારવાના કૃત્યને લઈને વિવાદ વધ્યા.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હરકતને લઈને હવે દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. સામાન્યથી સેલિબ્રિટીઝ નીતિશ કુમાર પાસે માફી માંગવાની માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ઝાયરા વસીમ, રાખી સાવંત અને સના ખાન અને હવે, જાવેદ અખ્તરે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે નીતિશ કુમાર પાસેથી માફીની માંગ કરતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જાવેદ અખ્તરે એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે, “જે લોકો મને સહેજ…

Read More

AI વાળી ગાડી હાઈવેનું રાખશે ધ્યાન.રસ્તા પર ખાડો દેખાશે તો તેનો ફોટો ગડકરી સુધી પહોંચશે.આ આધુનિક નીતિ આગામી મહિનાની અંદર લાગુ થશે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના નેશનલ હાઈવે (NHs) ના ચહેરાને બદલવા માટે એક ક્રાંતિકારી છૈં યોજનાનું અનાવરણ કર્યું છે. હવે, માર્ગ જાળવણીમાં માનવીય બેદરકારી કે કોન્ટ્રાક્ટરની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં. ગડકરીએ ગુરુવારે સંસદમાં માહિતી આપી હતી કે, સરકાર એક હાઇ-ટેક વાહન વિકસાવી રહી છે, જે પોતે રસ્તાઓનું નિરીક્ષણ કરશે અને સીધા મંત્રાલયને રિપોર્ટ મોકલશે. ગડકરીએ જણાવ્યું હતું કે, માણસોની જગ્યાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની વર્ચ્યુઅલ દેખરેખ રાખવામાં આવશે. આ હેતુ માટે એક ખાસ વાહન વિકસાવવામાં આવ્યું…

Read More

પંજાબમાં ફરી આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર!.પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના સૂપડાં સાફ.આ સરકારના કામનું ઈનામ છે : અરવિંદ કેજરીવાલ.પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લહેર જાેવા મળી છે. કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ અને ભાજપ રેસમાં ઘણા પાછળ રહી ગયા છે. જિલ્લા પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧ હજારનો આંકડો પાર કરી લીધો છે. ૫૦ ટકાથી વધુ જિલ્લા પરિષદમાં આમ આદમી પાર્ટીનું શાસન રહેશે. જિલ્લા પરિષદમાં ૩૪૬ ઝોન છે, જેમાંથી ૨૨માં તો આમ આદમી પાર્ટીનો નિર્વિરોધ વિજય થયો. બાકી ૩૨૪માંથી ૩૨૨ના પરિણામ જાહેર થયા છે. જેમાં ૨૦૧ પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. પંચાયત સમિતિની વાત કરીએ…

Read More

નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી.ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં ૮૭૦૨ કરોડ ટોલટેક્સનું ઉઘરાણું.વરસાદી પાણીથી નેશનલ હાઇવે પણ બાકાત રહી શક્યા ન હતા અમદાવાદથી હિંમતનગર સુધી નેશનલ હાઇવે ખખડધજ.ગુજરાતમાં કેટલાય ઠેકાણે નેશનલ હાઈવે બિસ્માર અવસ્થામાં છે પરિણામે વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. ખખડધજ હાઇવે હોવા છતાંય વાહનચાલકો પાસેથી ટોલટેક્સનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં ટોલટેક્સ પેટે વાહનચાલકો પાસેથી કુલ મળીને રૂ. ૮૭૦૨ કરોડ જેટલી માતબર રકમ વસૂલાઇ છે. આ વખતે ભારે વરસાદને કારણે શહેર, જીલ્લા ઉપરાંત હાઈવે પણ ધોવાયા હતા. રસ્તાની દુર્દશાને કારણે સરકાર પર ચારેકોરથી માછલાં ધોવાયા હતા, પરિણામે રાજ્ય સરકારે રસ્તાની મરામતને લઈને આદેશ આપવા…

Read More

વપક્ષે શિવરાજ સિંહ પર ફેંક્યા કાગળના ટુકડા.ભારે વિરોધ વચ્ચે લોકસભામાંથી પસાર થયું “જી રામ જી” બિલ.વિપક્ષે સરકાર પર મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમના પ્રાવધાનોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો.અત્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આજે સંસદમાં વિપક્ષનો જાેરદાર હોબાળો જાેવા મળી રહ્યો છે, કારણ કે સદનમાં જી રામ જી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. લોકસભામાં ગુરુવારે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) બિલ, ૨૦૨૫ પાસ થઈ ગયું છે. જાેકે, આ દરમિયાન વિપક્ષી સાંસદોએ જાેરદાર હોબાળો મચાવ્યો. વિપક્ષે સરકાર પર મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો અને મહાત્મા ગાંધી…

Read More