Author: Garvi Gujarat

નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક આકર્ષક પોસ્ટર શેર કર્યું બોક્સ ઓફિસ પર પિતા સૈફ અને પુત્રી સારા વચ્ચે ટક્કર થશે અક્ષય કુમાર-સૈફ અલી ખાનની ‘હૈવાન’ અને ‘ઉડતા તીર’ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થશે અક્ષય કુમાર અને સૈફ અલી ખાનને ફરી એકવાર મોટા પડદા પર સાથે જાેવા આતુર ચાહકો માટે ખુશખબર છે. તેમની પ્રિયદર્શન સાથેની સસ્પેન્સ થ્રિલર ‘હૈવાન’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જ્યારથી પ્રિયદર્શન અને અક્ષય તેમજ સૈફ અલી ખાનની તસવીરો જાહેર થઈ ત્યારથી આ ફિલ્મ વિશે ચર્ચાઓ થતી રહી છે. કેવીએન પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ દુનિયાના થિએટર્સમાં એકસાથે રિલીઝ થશે.…

Read More

રિલીઝના દિવસે ૭૦ કરોડનું નુકસાન થયું હતું ‘બાહુબલી’ એટલે ભારતીય સિનેમાની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મ : રાજામૌલી ફિલ્મ શરૂ કરતી વખતે કોઈ નિશ્ચિત બજેટ નક્કી કરવામાં આવ્યું નહોતું. દરરોજના શૂટિંગ માટે પૈસાની વ્યવસ્થા કરવી પડતી હતી આજે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી સફળ ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાં સ્થાન મેળવનારી ફિલ્મ ‘બાહુબલી’ની શરૂઆત એટલી સારી નહોતી. દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીએ તાજેતરમાં ખુલાસો કર્યાે છે કે ફિલ્મ રિલીઝના દિવસે ફિલ્મને “ભારતીય સિનેમાની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મ” તરીકે ગણાવવામાં આવી હતી અને નિર્માતાઓને લગભગ ૭૦ કરોડની ખોટનો સામનો કરવો પડ્યો હતો.નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી ‘બાહુબલી: ધ ટોર્ચબેરર’માં રાજામૌલી અને નિર્માતા શોબુ યારલગડ્ડાએ ફિલ્મનાં નિર્માણ અને રિલીઝ દરમિયાનના પડકારો વિશે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.           દેશમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત થી ભડકે બળતું મણિપુર બે સમુદાયોની દુશ્મનીને કારણે આજે સળગી રહ્યું  છે. છતાં કેન્દ્ર સરકાર આ અંગે હજુ કોઈ નિર્ણય નહીં લઈ શકતા હવે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને  ઊડી રહ્યા છે.          કારણ કે મણિપુરના કુકી સમુદાયનો પ્રભુત્વ ધરાવતા કાંગ પોકપી જિલ્લામાં લાદવામાં આવેલી આર્થિક નાકાબંધી ને કારણે આવશ્યક ચીજવસ્તુ ઓની અછત સર્જાઈ છે. ૫૦ કિલો ચોખાની ગુણીનો ભાવ ૧૪૦૦ રૂપિયા થીં ૧૭૦૦ રૂપિયાથી વધીને ૪૦૦૦ રૂપિયા થઈ ગયો છે.જ્યારે કાળાબજારમાં રાંધણગેસ ના સિલિન્ડરનો ભાવ ૫૦૦૦ રૂપિયા થયો છે. પેટ્રોલ પણ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.            સને ૧૯૭૫ ની કટોકટીની ઘોષણા ની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ ગયા મંગળવારે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે “લોકશાહી માટે જોખમો અને આગળના પડકારો” વિષય પર એક ચર્ચાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દેશના ચાર અગ્રણી માનવ અધિકાર સંગઠનો પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL) દિલ્હી, પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ (PUDR) , સિટીઝન ફોર ડેમોક્રેસી(CFD), અને જન હસ્તક્ષેપ દ્વારા રાખવામાં આવ્યો હતો.         આ કાર્યક્રમમાં કાનૂની નિષ્ણાતો, પત્રકારો અને નાગરિક અધિકાર કાર્યકરોને કટોકટીના પાઠ પર ચિંતન કરવા અને ભારતની લોકશાહી સંસ્થાઓ સામેના સમકાલીન પડકારોનું મૂલ્યાંકન કરવા માટે એકત્ર કરવામાં…

Read More

આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના નેતા યાત્રિક પટેલે વીડિયોના માધ્યમથી સત્તાધારી પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન અવારનવાર ‘મનની વાત’ કરે છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આપણા દેશના વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેડૂતોના મનની વાત આપણા સાહેબને કેમ નથી સંભળાતી? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિયમિતપણે પોતાના મનની વાત કરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણા દેશના યુવાનો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો પોતાના હક અને અધિકારો માટે રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે દેશનો વિદ્યાર્થી પેપર લીક, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને ભરતી પ્રક્રિયાઓ પર સવાલો પૂછી રહ્યો છે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં…

Read More

અમદાવાદ જિલ્લા પ્રમુખ કુલદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સાણંદ તાલુકાની ડરણ ગામે સિંચાઈ વિભાગને આગળ કરીને પાઇપલાઇન નાખવાનું કાવતરૂ ઘડવામાં આવ્યુ હતુ. આ બાબતે તંત્ર દ્વારા જે રીતે કામ આગળ વધારવામાં આવી રહ્યું હતું, તેનાથી સ્થાનિક ખેડૂતો સંતુષ્ટ નહોતા. જ્યારે આ કામ શરૂ થયું, ત્યારે તેના પહેલા જ દિવસથી ગામ લોકોએ એક સમિતિ (કમિટી) બનાવીને આ કામ રોકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, તે કમિટીને શરૂઆતમાં ધારી સફળતા ન મળી. ત્યારબાદ ગામના અન્ય આગેવાનોએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે ખેડૂતોના હિતમાં આ પાઇપલાઇનનું કામ અટકાવવું ખૂબ જ જરૂરી છે. આ રજૂઆત બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ગંભીર ચર્ચા વિચારણા કર્યા બાદ કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પદે ખેડૂત નેતા પ્રવીણ રામની નિમણૂક કરી હતી. પ્રવીણ રામને ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પદની સાથે સાથે કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સોંપાઈ છે તો હવે તેઓ આ બંને જવાબદારી નિભાવશે. પ્રવીણ રામ છેલ્લા લાંબા સમયથી આમ આદમી પાર્ટીમાં ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પદે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને તમામ ફ્રન્ટના સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવ્યા છે. આજે આમ આદમી પાર્ટી…

Read More

ચોમાસાએ હાલાર પંથકના ખેડૂતોની વધારી ચિંતા વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ જુન પુરો થવામાં છે પરંતુ વરસાદ ન આવતા ચિંતા વધી એકતરફ હાલ વાવણીની સીઝન માથે છે બીજી તરફ ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે તેવી આશાએ ધરતીપુત્રોએ તેમના ખેતરોમાં ખેડ કરીને વાવેતર પણ કરી દીધુ છે પરંતુ હવે જ્યારે પિયત નો સમય થયો છે ત્યારે વરસાદ ખેંચાયો છે જેના કારણે ખેડૂતોને વાવણી નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. જુન મહિનો પુરો થવામાં છે પરંતુ વરસાદ ન આવતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. જામનગરના હાલાર પંથક સહિતના વિસ્તારોમાં…

Read More

અમદાવાદ એરપોર્ટ પર સ્નિફર ડોગનો કમાલ બેંગકોકથી લવાયેલા હાઈડ્રોપોનિક ગાંજાની કરોડોની ખેપ પકડી પડાઈ કન્વેયર બેલ્ટ પર સ્નિફર ડોગના ઈશારાથી સ્મગલિંગ પકડાયું : સામાન્ય ગાંજા કરતાં ૧૦ ગણી વધુ કિંમત અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી ૧૦.૯૧૧ કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજાે જપ્ત કર્યો છે. નોંધનીય છે કે, થાઇલેન્ડમાં ગાંજાના ઉપયોગને કાયદેસરની માન્યતા મળ્યા બાદ ગુજરાત સહિત ભારતમાં હાઈડ્રોપોનિક ગાંજાની દાણચોરીના બનાવોમાં વધારો થયો છે. મહત્ત્વનું છે કે, આ હાઈડ્રોપોનિક ગાંજાની હેરફેર સ્નિફર ડોગને લીધે ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટનામાં કસ્ટમ્સ વિભાગના ટ્રેઇન્ડ સ્નિફર ડોગની ભૂમિકા અત્યંત…

Read More

એક વર્ષમાં ૩૦ હજાર વિદ્યાર્થીઓએ છોડી દીધો દેશ અમેરિકાથી ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ અમેરિકામાં શિક્ષણ ખર્ચમાં વધારો, કડક વિઝા નિયમો અને નોકરીની અનિશ્ચિતતાને કારણે અમેરિકા છોડી રહ્યા છે વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જાેતા દરેક વિદ્યાર્થી માટે એક સમયે ટોચનું સ્થળ રહેતું અમેરિકા હવે પહેલા જેવું રહ્યું નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ, વિઝામાં વિલંબ અને નોકરીની ગેરંટીનો અભાવ ભારતીય વિદ્યાર્થીઓને ઝડપથી અમેરિકા છોડી રહ્યા છે. અમેરિકન અભ્યાસના ડેટા અનુસાર, ગયા વર્ષે લગભગ ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો છે અને અમેરિકા પાછા ફર્યા છે. જૂન ૨૦૨૫માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૩૮૨,૦૦૦ હતી જે જૂન ૨૦૨૬ સુધીમાં ઘટીને ૩૫૨,૦૦૦ થઈ ગઈ છે. આ…

Read More