Author: Garvi Gujarat

રામ મંદિર દાન કેસમાં મોટો ખુલાસો SBI અને ટ્રસ્ટની મોટી બેદરકારી, ડ્રાઈવર કનેક્શન પણ ખુલ્યું આશ્ચર્યની વાત એ છે કે, ટ્રસ્ટને પહેલેથી જ ગરબડ થવાની આશંકા હતી, છતાં આ ગંભીર બેદરકારી દાખવવામાં આવી રામ મંદિરના ચઢાવામાં થયેલી ઉચાપત મામલે એસઆઈટી (SIT) તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. પ્રારંભિક અહેવાલ મુજબ, ચઢાવાની ગણતરી અને તેના મેનેજમેન્ટ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વચ્ચે બનેલી એસઓપી (SOP – સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, ટ્રસ્ટને પહેલેથી જ ગરબડ થવાની આશંકા હતી, છતાં આ ગંભીર બેદરકારી…

Read More

થ્રી લેંગ્વેજ પોલિસીમાં મોટો ફેરફાર CBSE ઈએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત ૧૦માં ધોરણ સુધી જૂનું લેંગ્વેજ કોમ્બિનેશન લાગુ રહેશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ થ્રી લેંગ્વેજ પોલિસી (ત્રિભાષીય ફોર્મ્યુલા) ને લઈને એક મોટો ર્નિણય લીધો છે. સીબીએસઈ દ્વારા લેવાયેલા ર્નિણય અનુસાર, હાલના સમયમાં સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં ૭માંથી ૯માં ધોરણમાં ભણી રહેલા સ્ટુડન્ટ્સ પર નવી શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ લાગુ થશે નહીં, અને ૧૦માં ધોરણના સ્ટુડન્ટ્સ બે ફોરેન લેંગ્વેજ (વિદેશી ભાષાઓ) સાથે જ બોર્ડની એક્ઝામ આપી શકશે. એટલે કે, ૭માંથી લઈને ૧૦માં ધોરણ સુધીના સ્ટુડન્ટ્સ માટે હાલ પૂરતા ભાષાની પસંદગી અને પરીક્ષાને લઈને જૂના નિયમો જ ચાલુ રહેશે.…

Read More

પહેલા અમારું અનાજ ખરીદો… ઈરાનને ૧૨ બિલિયન ડોલર આપતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની આકરી શરત અમેરિકા અને ઈરાન વચ્ચે $12 બિલિયનના ફ્રોઝન ફંડના ઉપયોગને લઈને નવો વિવાદ સર્જાયો છે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ હવે વેપાર અને ફ્રીઝ કરાયેલા ફંડના ઉપયોગને લઈને એક નવો રાજદ્વારી વિવાદ ઊભો થયો છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાનના ફ્રીઝ કરાયેલા ઇં૧૨ બિલિયન એટલે કે અંદાજે ૧.૧૩ લાખ કરોડ રૂપિયાનો ઉપયોગ અમેરિકન ખેડૂતો પાસેથી ઘઉં અને અન્ય કૃષિ ઉત્પાદનો ખરીદવા માટે કરવામાં આવે. જાેકે, તેહરાને આ શરતને સખત શબ્દોમાં ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે આ નાણાં ક્યાં ખર્ચવા તેનો ર્નિણય તે પોતે…

Read More

દેશભરના લાખો પેન્શનરોને નોંધપાત્ર રાહત મોબાઇલથી ચહેરો દેખાડો અને ઘર બેઠાં જમા થઈ જશે લાઇફ સર્ટિફિકેટ આ પ્રક્રિયા બેંકની મુલાકાત લેવાની જરૂરિયાતને દૂર કરે છે સરકારે દેશભરના લાખો પેન્શનરોને નોંધપાત્ર રાહત આપી છે. પેન્શનને સક્રિય રાખવા માટે હવે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે બેંકો, પોસ્ટ ઓફિસો અથવા ટ્રેઝરી ઓફિસોના ચક્કર લગાવવાની જરૂર નથી. સરકારી ઇ-ગવર્નન્સ પહેલોએ ટેકનોલોજીને એટલી સરળ બનાવી છે કે વૃદ્ધ વ્યક્તિઓ હવે ઘરે બેઠા ફક્ત તેમના મોબાઇલ ફોન કેમેરામાં પોતાનો ચહેરો બતાવીને તેમના ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટ હેઠળ, કોઈપણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનના ફ્રન્ટ કેમેરા દ્વારા ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેન્શનરની ઓળખ ચકાસવામાં…

Read More

પ્રક્રિયા વગર તોડફોડ કરી તો આપવું પડશે નવું ઘર સુરતમાં રાતોરાત મકાનો તોડવા મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ ગત ૩૦ મે, ૨૦૨૬ના રોજ સુરત મનપાના સત્તાવાળાઓ અને અધિકારીઓએ ભારે મનસ્વી વલણ અપનાવ્યું હતું સુરતના નાસીરનગરના રાતોરાત ડિમોલિશનના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે સુરત મહાનગરપાલિકા સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે સાથે સાથે એવી પણ ટકોર કરી હતી કે, એકપણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના તોડી શકાય નહીં.જાે સુરત મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ ડિમોલિશન કરવામાં આવ્યું હશે, તો તેની સીધી જવાબદારી મનપા અને તેના સંબંધિત અધિકારીઓની…

Read More

વેપારીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી ઝીપ ફાઇલના કારણે રિયલ એસ્ટેટના વેપારીને ૧.૫૦ કરોડનો ચૂનો લાગ્યો RBI ની નોટિસના નામે આવેલી ફાઇલ એકાઉન્ટન્ટે ડાઉનલોડ કરતા ઓફિસનું કમ્પ્યૂટર હેક થયું બોડકદેવના એક વેપારીને ગઠિયાઓએ એક ઝીપ ફાઇલ મોકલી તેમના ફોનના તમામ રાઇન્ટ પોતાની પાસે લઇને રૂપિયા ૧.૫૦ કરોડ ટ્રાન્સફર કરાવી દીધા હતા. જે અંગે વેપારીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે. વેપારી પોતાના એકાઉન્ટન્ટને ઇનકમ ટેક્સના નોટિસના નામે આવેલી ફાઇલ ટ્રાન્સફર કરી હતી. જેને આધારે ગઠિયાઓએ ખેલ પાડી દીધો.રિયલ એસ્ટેટમાં વ્યવસાય કરતા બોડકદેવના વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેેલી ફરિયાદ મુજબ ૨૩ જૂનના રોજ તેમના મોબાઇલ ફોન…

Read More

દેશની ભાવિ પેઢી ઈતિહાસ વિશે જાણશે NCERT ધો-૯ના પાઠ્યપુસ્તકમાં ઈમરજન્સીના પ્રકરણનો સમાવેશ કર્યાે ૨૫ જૂન, ૧૯૭૫માં સરકાર દ્વારા આંતરીક અરાજકતાનું કારણ આપી દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી હતી એનસીઈઆરટીએ ધોરણ-૯ના અભ્યાસક્રમમાં ઈમરજન્સીના એક પ્રકરણનો સમાવેશ કર્યાે છે. જેમાં કટોકટીને ભારતીય લોકશાહીના સૌથી મોટાં પડકારો પૈકીનો એક ગણાવાયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પગલાંને આવકારતાં જણાવ્યું હતું કે, તેનાથી દેશની ભાવિ પેઢીને ભૂતકાળના કાળા કરતૂતો વિશે જાણકારી મળશે.અગાઉ ૨૦૦૭માં યુપીએના કાર્યકાળ દરમિયાન આ પ્રકરણને ધોરણ-૧૨ના અભ્યાસક્રમમાં સમાવાયો હતો. આ વખતે પ્રથમ વખત ધોરણ-૯ના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ કરાયો છે. સમાજ વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તક ‘અંડરસ્ટેન્ડિંગ સોસાયટી: ઈન્ડિયા એન્ડ બિયોન્ડ’માં સમાવેશ આ…

Read More

સ્ટોર, હોટેલ્સમાં બંદૂક લઈ જવા મંજૂરી લેવાનો કાયદો સુપ્રીમે રદ કર્યાે ટ્રમ્પ સરકારની આકરી ઇમિગ્રેશન નીતિ પુન:જીવિત કરવા સુપ્રીમની લીલી ઝંડી અમેરિકા-મેક્સિકો સરહદે શરણાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાની નીતિ ફરી લાગુ થશે વોશિંગ્ટન દેશમાંથી શરણાર્થીઓ અને ગેરકાયદે વસાહતીઓની સંખ્યા ઘટાડવાના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોને સમર્થન આપતાં એક ચુકાદામાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે, અમેરિકા-મેક્સિકોની સરહદ પરથી શરણાર્થીઓને પાછા ધકેલવા માટે ઉપયોગમાં લેવાતી ઈમિગ્રેશન પોલિસીને પુન:જીવિત કરવાનો માર્ગ મોકળો કર્યાે છે. અગાઉની ઓબામા સરકાર અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, સરહદ પર દરરોજ આશ્રય માટે અરજી કરનારા લોકોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી હતી. નીચલી અદાલતે આ પ્રક્રિયા પર રોક લગાવી દીધી…

Read More

ઘણા સાંસદો વધુ લશ્કરી કાર્યવાહીનો વિરોધ કર્યો ઇરાન યુદ્ધ, અમેરિકી ખેડૂતોને સહાય અને ઇબોલા માટે ટ્રમ્પે કોંગ્રેસ પાસે ૮૭.૬ બિલિયન ડોલર માગ્યા ઇરાન યુદ્ધ, અમેરિકી ખેડૂતોને સહાય અને ઇબોલા માટે ટ્રમ્પે કોંગ્રેસ પાસે ૮૭.૬ બિલિયન ડોલર માગ્યા ‘ઓપરેશન એમિક ફ્યુરી’ ઉપર કેન્દ્રિત હતી સાથે અમેરિકાના કૃષિકારને સહાય માટેની રકમ પણ તેમાં આવરી લેવાઈ હતી વોશિંગ્ટનમાં, પેન્ટાગોને ઇરાન સામે યુદ્ધ ખર્ચ, ખેડૂતોને સહાય અને ઇબોલા કટોકટી માટે કોંગ્રેસ સમક્ષ ૮૭.૬ બિલિયન માંગ્યા છે. આ માંગણી મુશ્કેલ છે કારણ કે ઘણા સાંસદો વધુ લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરે છે. ટ્રમ્પે રિપબ્લિકન સેનેટર્સ સાથે લંચ દરમિયાન આ મુદ્દે ગરમાગરમી અને રાડારાડી કરી હતી.ડૉનાલ્ડ ટ્રમ્પે…

Read More

આજરોજ સાણંદના ડરણ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા, જ્યાં ખેડૂતોની વહારે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી પણ પહોંચ્યા હતા. આ તકે ખેડૂતોને સંબોધન કરતા ’આપ’ યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ખેડૂતોએ સરકાર સામે છેક સુધી લડી લેવાનું છે. અગાઉ પણ જસદણ વિસ્તારમાં ગેરકાયદેસર વીજ થાંભલા નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારે અમે પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓ સામે લડત આપતા આજે છ દિવસથી એ કામ અટકી ગયું છે. હવે આપણે સૌએ પણ એક થવાની અને સંગઠિત થવાની જરૂર છે. કારણ કે આ દેશનો ઇતિહાસ કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશમાં…

Read More