- નીરજ ચોપડાનો મહારેકોર્ડ, કોમનવેલ્થમાં જેવલિનના 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
- IRCTCની FTR સેવા શરૂ: લગ્ન, પ્રવાસ કે યાત્રા માટે હવે આખો કોચ અથવા ટ્રેન ભાડે બુક કરો
- પાકિસ્તાનમાં ‘કોકરોચ પાર્ટી’થી સરકાર ચિંતિત, Gen Zના અભિયાનથી રાજકારણમાં ખળભળાટ
- ₹500ના ઇનામથી બદલાયું જીવન, જાદુમણિ સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં જીત્યો સિલ્વર મેડલ
- પ્રીતિ પવાર બાદ જાસ્મીન લંબોરિયાનો ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દીકરીઓની ધમાકેદાર સિદ્ધિ
- જુલાઈમાં GST કલેક્શન 15.4% વધીને ₹2.11 લાખ કરોડ, આયાત અને ઘરેલુ આવકમાં જોરદાર ઉછાળો
- સુપ્રીમ કોર્ટે ભોજશાળા પાસે નમાઝને મંજૂરી આપી, પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇનકાર
- એવરેસ્ટ નજીક ચીનનું હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોન સેન્ટર, સરહદ સુરક્ષા વચ્ચે ભારતની ચિંતા વધી
Author: garvigujrat
ટ્રમ્પનો નવો વિવાદિત પ્લાન અમેરિકામાં ૧.૫ લાખ ભારતીય ટ્રક ડ્રાઇવરોની નોકરી પર સંકટ સેનામાં ભારે વાહનો ચલાવવાનો અનુભવ ધરાવતા અમેરિકી નાગરિકોને કોઈ પણ ઝંઝટ વિના કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ અપાશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રવાસીઓને લઈને એક નવો અને અત્યંત વિવાદિત પ્રસ્તાવ રજૂ કર્યાે છે, જેની સીધી અસર ત્યાં વસતા લાખો ભારતીય પ્રવાસીઓ પર પડશે. પૅન્સિલવેનિયામાં આયોજિત ‘મિલિટરી ઇન્વેસ્ટમેન્ટ સમિટ’માં સંબોધન કરતાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમની સરકાર પ્રવાસી ટ્રક ડ્રાઇવરોને હટાવીને તેમની જગ્યાએ અમેરિકન સેનાના નિવૃત્ત સૈનિકોને તૈનાત કરશે. આ પ્રસ્તાવ હેઠળ, સેનામાં ભારે વાહનો ચલાવવાનો અનુભવ ધરાવતા અમેરિકી નાગરિકોને કોઈ પણ ઝંઝટ વિના સીધું જ કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ…
પોડકાસ્ટ દરમિયાન પ્રિયંકા અને નિકની લવસ્ટોરીની પણ ચર્ચા થઈ નિક જાેનાસને મારા કરતાં પણ વધુ બોલિવૂડ ગોસિપની ખબર હોય છે : પ્રિયંકા ચોપરા બંનેએ પહેલી વખત એકબીજા વર્ષ ૨૦૧૬માં સંપર્કમાં આવ્યાં હતાં, જ્યારે નિકે પ્રિયંકાને એક્સ પહેલાં ટ્વિટર પર ડાયરેક્ટ મેસેજ મોકલ્યો હતો ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ એક રસપ્રદ ખુલાસો કરતાં જણાવ્યું છે કે તેનાં પતિ અને ગાયક નિક જાેનાસને બોલિવૂડની ગોસિપ વિશે તેનાં કરતાં પણ વધુ માહિતી હોય છે. પ્રિયંકાએ આ વાત જાેનાસ બ્રધર્સના પોડકાસ્ટ ‘હે જાેનાસ’ દરમિયાન નિક, જાે જાેનાસ અને કેવિન જાેનાસ સાથેની વાતચીતમાં કરી હતી.વાતચીત દરમિયાન પ્રિયંકાએ જણાવ્યું કે નિક નિયમિત રીતે સેલિબ્રિટીઓના સંબંધો અને મનોરંજન…
“દરેક મિત્રતાને પ્રેમનો રંગ આપવો જરૂરી નથી” અર્જુન બિજલાનીએ મૌની રોય સાથેના ડેટિંગની વાતને અફવા ગણાવી અર્જુને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને કેટલાંક ક્લિકબેઇટ પેજ અને ગોસિપ ફેલાવનારાઓની ટીકા કરી ટેલિવિઝન એક્ટર અર્જુન બિજલાનીએ મૌની રોય સાથે જાેડાયેલી ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પર બંને ડિનર માટે સાથે જાેવા મળ્યા બાદ તેમનાં સંબંધોને લઈને અનેક અટકળો શરૂ થઈ હતી. જાેકે અર્જુને આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવીને સ્પષ્ટ કર્યું છે કે લાંબા સમયની મિત્રતાને પ્રેમ સંબંધ તરીકે રજૂ કરવું યોગ્ય નથી.અર્જુને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને કેટલાંક ક્લિકબેઇટ પેજ અને ગોસિપ ફેલાવનારાઓની…
રિયાલિટી શોમાં જણાવી આપવીતી બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો સોહેલ ખાન! પોતાની કોઈ ભૂલ ન હોવા છતાં આ ઘટના વિશે જણાવવામાં તે સમયે મને શરમ અનુભવાતી હતી : સોહેલ સલમાન ખાનનો નાના ભાઈ અને એક્ટર સોહેલ ખાને તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યાે છે. તેણે જણાવ્યું કે બાળપણમાં હું જાતીય સતામણીનો શિકાર બન્યો હતો. પરંતુ તેણે ઘણા વર્ષાે સુધી આ અંગે કોઈની સાથે વાત નહોતી કરી. તેણે રિયાલિટી શો ‘અલાયન્સ’માં આ વાતનો ખુલાસો કર્યાે.શોમાં આ અઠવાડિયે સોહેલ ખાનની ટીમ લીડરબોર્ડમાં ટોપ પર રહી હતી. જીતના જશ્ન અને હળવા માહોલ વચ્ચે તેણે બીજા કન્ટેસ્ટન્ટ અર્સલાન ગોની, રૂહી દોસાની અને અલી ગોની…
પરેશ રાવલ અગાઉ લોકસભાની ચૂંટણીમાં જીત્યા હતા પરેશ રાવલે રાજકારણ કેમ છોડ્યું તે વિશે ખુલાસો કર્યાે રાવલે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ થયેલા મીડિયા કવરેજ અંગે તાજેતરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી પરેશ રાવલે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ થયેલા મીડિયા કવરેજ અંગે તાજેતરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તે સમય દરમિયાન જે રીતે આ કેસને સતત ટીવી ચેનલો પર રજૂ કરવામાં આવ્યો હતો, તે તેમને બિલકુલ પસંદ નહોતું. સાથે જ તેમણે રાજકારણ છોડવા પાછળનું કારણ પણ વિગતવાર સમજાવ્યું.એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન પરેશ રાવલે જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન તેમણે સમાચાર ચેનલો જાેવાનું લગભગ બંધ કરી…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતમા એક સમયે લાંબા સમય સુધી ગુનાહિત પ્રવૃત્તિઓ પર લતિફ ગેંગના સાગરીતો ધ્વારા લાંબા સમય સુધી ગુજરાતમાં હત્યા, અપહરણ, ચોરી, જાહેરમા દારૂ-જુગાર, ખંડણી, કોઈની મિલકત પચાવી પાડવા જેવા અનેક ગુનામાં એક સરખું ગુનાહિત સામ્રાજય વર્ષો સુધી ચાલેલુ. એક તરફ ગુજરાતમા પોરબંદરમા સરવણ મૂંઝા અને ભૂરા મૂંઝાની ગેંગો ધ્વારા તેમના સાગરીતો ધ્વારા પણગુજરાતમા ગુનાહિત પ્રવૃત્તિઓ જેવી કે હત્યા, અપહરણ, ચોરી, ખંડણી, જાહેરમા દારૂ-જુગાર, ખંડણી, કોઈની મિલકત પચાવી પાડવા જેવા વિવિધ ગુનાઓમાં આ ગેંગો પણ લાંબો સમય સુધી સક્રિય રહેલી. પરંતુ જે તે સમયના અધિકારીઓ, ગૃહમંત્રી અને સરકાર ધ્વારા જે તે સમયના જાબાંઝ અધિકારીઓને સૂચના…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારત હોય કે વિશ્વ શિક્ષણ માત્ર પાઠયપુસ્તકોનું જ્ઞાન નથી. તે બાળકમા વિચાર શક્તિ, સર્જનાત્મકતા, નૈતિક મૂલ્યો, સામાજિક સમજ અને જીવન કૌશલ્ય વિકસાવવાની પ્રક્રિયા છે. પરંતુ જ્યારે એક જ શિક્ષક પાંચ કે છ ધોરણના વિદ્યાર્થીઓને સાથે ભણાવતો હોય ત્યારે દરેક બાળક સુધી વ્યક્તિગત ધ્યાન પહોંચાડવું અશક્ય બની જાય છે. પરિણામે શિક્ષણનું સ્તર ઘટે છે. અને સૌથી મોટું નુકશાન ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના લાખો બાળકોને સહન કરવું પડે છે. પરંતુ જ્યારે સરકારી આંકડા જ બતાવે છે કે દેશમા એક લાખથી વધુ સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે ત્યારે એ માત્ર ચિંતાનો…
(છગનલાલ મેવાડા ઘ્વારા)સુરત આપણા સમાજ માં કેટલાક કુરિવાજો તેમજ ગજા બહારના ખર્ચા કરી છોકરા છોકરીના લગ્ન કરતાં હોય છે. લગ્ન પહેલા બંને પક્ષ એકબીજા પ્રત્યે એટલો પ્રેમ બતાવતાં હોયછે કે તેઓના પોતાના ભાઈ બહેન કરતાં એક બીજાને વધુ ચાહતા હોય છે. અને એટલી લાગણી ધરાવતા હોય છે. ખૂબ જ ઉત્સાહ અને એક બીજા સાથે સંબંધ કાયમના હોય એટલો વિશ્વાસ ધરાવતા હોય છે.એક બીજા વિરૂધ્ધ કોઈ પણ વાત સાંભળતા નથી કે એક બીજા ના અપમાન સહન કરી શકતાં નથી.આવા બે વેવાઈ કે વેવાણ મળે એટલે એક બીજા માટે જાન આપી દેવા તૈયાર હોય તેવું બતાવે વાસ્તવ માં એવું હોતું નથી.લગ્ન બાદ…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદના રામોલમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે, જેમાં આઠથી વધુ લોકોના મોત થયા છે. હું આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું, ભગવાન તમામના આત્માને શાંતિ આપે. સાથે સાથે સરકારને પણ વિનંતી કરું છું કે જે મૃતકો છે તેમના પરિવારને 50-50 લાખનું વળતર ચૂકવવામાં આવે. સાથે સાથે સરકારને એ પણ વિનંતી કરું છું કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય છે, એમના પ્રાદેશિક અધિકારીઓ હોય છે, તો આ બધા અધિકારીઓની કામગીરીને પણ એકવાર ચેક કરવામાં આવે.…
આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જૂનાગઢ જિલ્લા ફરિયાદ સમિતિ સહિત અલગ અલગ સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં હાજરી આપ્યા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આજે જુનાગઢ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ કમિટીની બેઠક હતી, આ સિવાય જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ અને જિલ્લા પુરવઠા સમિતિ સહિત અલગ અલગ સમિતિની બેઠક હતી. જેમાં અમારા જિલ્લાના અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. જેમકે કાછિયાથી સાસણના રોડ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ, જુનાગઢ, વિસાવદર અને ભેસાણ તાલુકાના ખેડૂતોને KCC ધિરાણનું વ્યાજનું રિબેટ મળવું જોઈએ અને રિબેટ નથી મળ્યું, એના ઉપર ચર્ચા થઈ. સમયસર સસ્તા અનાજની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



