Author: Garvi Gujarat

રણવીરની ફિલ્મે યુએસમાં ‘પઠાણ’ અને ‘આરઆરઆર’ના રેકોર્ડ તોડ્યા ‘ધુરંધર ૨’નાં એડવાન્સ બુકિંગની આંધી વર્લ્ડવાઇડ બૂકિંગ રૂ. ૧૦૦ કરોડને પાર ભારતમાં માત્ર પહેલા દિવસ અને પ્રીવ્યૂ શોઝ માટે જ ફિલ્મની ૧૦ લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. ધુરંધર ૨નં એડવાન્સ બૂકિંગ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં માત્ર પહેલા દિવસ અને પ્રીવ્યૂ શોઝ માટે જ ફિલ્મની ૧૦ લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે.ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ રિલીઝ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે ટિકિટનું એડવાન્સ બુકિંગ તેજ બની ગયું છે. ઓપનિંગ વીકએન્ડ માટેનું વ્યાપક એડવાન્સ બૂકિંગ આ વીકેન્ડથી શરૂ થયું છે. ત્યારથી અત્યાર સુધીના પ્રી-સેલ્સ દરરોજ નવા…

Read More

તીસ માર ખાનની નિષ્ફળતા વિશે ફરાહે કહ્યું ‘હું તો પથારીમાંથી પણ ઊઠી શકતી નહોતી’ આપણી ઇન્ડસ્ટ્રીમાં લોકો તમારી સફળતા માટે ખુશ થવા કરતાં, બીજા લોકોની નિષ્ફળતા માટે વધુ ખુશ થાય છે. ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને તાજેતરમાં પોતાના કૅરિયરના સૌથી મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યાે છે. તેણે જણાવ્યું કે ૨૦૧૦માં આવેલી તેની ફિલ્મ તીસ માર ખાનને મળેલા વિરોધ અને ટીકા કારણે તેને પ્રોફેસનલ અને ઇમોશનલ રીતે ભારે અસર થઈ હતી.તાજેતરમાં એક પોડકાસ્ટ શોમાં થયેલી વાતચીત દરમિયાન ફરાહે ફિલ્મ રિલીઝ પછીના સમયને પોતાના કરિયરની “સૌથી અંધકારમય અવસ્થા” ગણાવી. તે સમયને યાદ કરતાં તેણે કહ્યું કે પહેલાંની સફળ ફિલ્મો બાદ તે ખૂબ…

Read More

બે જહાજાે ગેસનો પુરવઠો લઈને ગુજરાત પહોંચ્યા શિવાલિક જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોચ્યું ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું અને આજે જામનગરના વાડીનાર બંદરે પહોંચી ગયું છે ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં ગેસ અને ક્રુડ ઓઈલ સહિતના પુરવઠાની ભારે તંગી સર્જાઈ છે. વિદેશમાંથી જથ્થો લઈને આવી રહેલા જહાજાેને હોર્મુઝ સ્ટેટથી નીકળવામાં મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે ભારતમાં ગઈકાલે શિવાલિક જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોચ્યું હતું. આ ઉપરાંત અન્ય એક ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું અને આજે જામનગરના વાડીનાર બંદરે પહોંચી ગયું છે. જામનગરના…

Read More

ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ ડાય કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સમર સ્પેશિયલ વ્યવસ્થા પિંજરાઓની અંદરનું વાતાવરણ ૧થી ૨ ડિગ્રી ઓછું રહે તે માટે હાઈટેક ડિવાઈસ અને નેચરલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને વટાવી રહ્યો છે, ત્યારે શહેરના પ્રસિદ્ધ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ અને પક્ષીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુથી ખાસ સમર મેનેજમેન્ટ અમલમાં મૂકવામાં આવ્યું છે. અહીં બહારના તાપમાન કરતા પિંજરાઓની અંદરનું વાતાવરણ ૧થી ૨ ડિગ્રી ઓછું રહે તે માટે હાઈટેક ડિવાઈસ અને…

Read More

પરિવાર જ બન્યો દુશ્મન અમદાવાદમાં ધો.૧૧ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હાલ પોલીસે સંબંધિત ચારેય વ્યક્તિઓ સામે આપઘાતને પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આપઘાત બાદ પોલીસે તપાસ કરતા બેડ નીચેથી ત્રણ પાનાની અંગ્રેજીમાં લખાયેલી સુસાઇડ નોટ મળી છે. જેના આધારે પોલીસે મૃતક સગીરના પિતા સહિત દાદા-દાદી અને ફોઈ સહિત ૪ સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે રાણીપમાં રહેતા ૪૫ વર્ષીય હેતલબેન બારોટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતાના પતિ…

Read More

યુવકે ખૂદ પર પિસ્તોલ ચલાવી દિલ્હીમાં રમત-રમતમાં યુવાનનું કરુણ મોત નિપજ્યું ઘટનાની તુરંત બાદ યુવાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આજ કાલ રીલ્સની ઘેલછા ખૂબ વધી ગઈ છે. થોડીક લાઈક્સ અને વ્યૂ મેળવવા માટે લોકો પોતાનો જીવ પણ જાેખમમાં મુકી દે છે. ક્યારેક વહેતા પાણીમાં તો ક્યારેક પહાડની ટોચ પરથી વીડિયો બનાવીને અપલોડ કરતા હોય છે. જ્યારે કેટલાક કિસ્સામાં તો હથિયાર (બંદુક) જાણે રમકડું હોય એવી રીતે એની સાથે રમતા હોય છે. ત્યારે દિલ્હીના દલ્લુપુરા વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં એક યુવાને વીડિયો બનાવવાની ઘેલછામાં પોતાને ગોળી મારી દીધી.…

Read More

બિહારના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા કેસી ત્યાગીએ પાર્ટી છોડવાની કરી જાહેરાત જેડીયુના તાજેતરના સભ્યપદ અભિયાનના સમાપન પછી, ત્યાગીએ તેમનું સભ્યપદ રિન્યૂ કર્યું નથી બિહારના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના લાંબા સમયથી સહયોગી અને જેડીયુના અગ્રણી નેતા કેસી ત્યાગીએ પાર્ટીથી અલગ થવાની જાહેરાત કરી છે. જેડીયુના તાજેતરના સભ્યપદ અભિયાનના સમાપન પછી, ત્યાગીએ તેમનું સભ્યપદ રિન્યૂ કર્યું નથી. કેસી ત્યાગીએ કહ્યું જેડીયુ સભ્યપદ અભિયાન સમાપ્ત થઈ ગયું છે. મેં આ વખતે મારું સભ્યપદ રિન્યૂ કર્યું નથી. વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી છોડવા છતાં, તેઓ તેમની જૂની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે તેઓ દલિતો,…

Read More

ઉત્તર પ્રદેશ સરકારે ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મોટો ર્નિણય લીધો ૧ એપ્રિલથી ઈંડા પર એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત કરાઇ આ નિયમ પશુપાલન વિભાગ અને ખાદ્ય સુરક્ષા વિભાગના નિર્દેશથી લાગુ કરવામાં આવી રહ્યો છે ઉત્તર પ્રદેશ સરકારે ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મોટો ર્નિણય લીધો છે. હવે ૧ એપ્રિલથી રાજ્યમાં દરેક ઈંડા પર ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત કરી દીધું છે. તેનો અર્થ છે કે, હવે દુકાનદાર તાજા ઈંડા છે એવું કહીને જૂના કે ખરાબ ઈંડા વેચી શકશે નહીં. ગ્રાહક પોતે જ તારીખ જાેઈને સમજ શકશે કે, ઈંડા કેટલા તાજા છે અને ક્યાં સુધી સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે.આ નિયમ પશુપાલન…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત જાણે કે શિકાગો બની રહ્યું હોય એમ છેલ્લા છ માસ ઉપરાંત જે રીતે લૂંટ, ખૂન,બળાત્કાર, ખંડણી, વ્યાજ ખોરોનો ત્રાસ અને ખુલ્લી ગુંડાગીરી ,દાદાગીરી વિગેરે રોજિંદા બનાવોથી જ્યારે ખરડાઈ રહ્યું હોય ત્યારે સવાલ એ છે કે ક્યાં છે પોલીસની હાક અને ધાક? સુરત શહેરમાં હત્યા, બળાત્કાર,ખંડણી,વ્યાજખોરોનો ત્રાસ , લૂંટ, ચોરી અને મારામારી ના બનાવોનું પ્રમાણ વધી રહેલ છે. એમાં પણ કેટલાક ખાસ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તો આવા બનાવો રોજિંદા બની રહ્યા છે. જેવા કે ડિંડોલી, લિંબાયત, ગોડાદરા, પાંડેસરા, સચીન, સચીન GIDC, ઉધના વિગેરે પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુન્હાઓની આ પોલીસ સ્ટેશનોમાં નોંધ લેવામાં આવે છે. સામાન્ય…

Read More

ઈરાન સામેના યુદ્ધમાં ભારતને નુકસાન કરવાનો ટ્રમ્પનો કારસો ઈરાનમાં ભારતના ગેટવે ચાબહાર બંદર પર અમેરિકાનો હવાઈ હુમલો ઈરાનના હુમલાના કારણે દુબઈ એરપોર્ટ કલાકો બંધ રાખવું પડયું અમેરિકા-ઇઝરાયેલના લશ્કરી થાણાને પણ નિશાન બનાવાયા ઇરાન સાથેના યુદ્દ વચ્ચે પણ અમેરિકાના ફાઇટર જેટ્સે ચાબહાર બંદરની જાેડેના લશ્કરી કેન્દ્ર પર હુમલા કર્યા છે. આ હુમલા ઇરાનના ચાબહાર બહારના ફ્રી ટ્રેડ ઝોન (સીએફઝેડ) પર કરવામાં આવ્યા છે. વોઇસ ઓફ અમેરિકાના એક સમાચાર મુજબ ઇરાનના પહાડોની વચ્ચે બનેલા ચાબહાર બંદરની જાેડે મોટા વિસ્ફોટના અવાજ સાંભળવા મળ્યા છે. ભારત માટ આ બંદર એક સમયનું વ્યૂહાત્મક રોકાણ હતું. ભારતને ચાબહાર બંદરની મદદથી જ મધ્ય એશિયા જવા માટેનો રસ્તો…

Read More