Author: Garvi Gujarat

ડેનમાર્કના ઇમિગ્રેશન મિનિસ્ટર મોર્ટન બોડસ્કોવનું વલણ અત્યંત આક્રમક ડેનમાર્કમાં ‘ઇસ્લામીકરણ’ રોકવા અઝાન પર પ્રતિબંધની તૈયારી ડેનમાર્કની કુલ વસ્તીમાં મુસ્લિમ સમુદાય લગભગ પાંચ ટકા હિસ્સો ધરાવે છે, જે દેશનો સૌથી મોટો લઘુમતી સમુદાય છે ડેનમાર્ક સરકાર દેશમાં વધી રહેલા ‘ઇસ્લામીકરણ’ને અટકાવવા માટે કડક પગલાં લઈ રહી છે, જેમાં હવે જાહેરમાં અદા કરાતી ‘અઝાન’ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મુદ્દે ડેનમાર્કના ઇમિગ્રેશન મિનિસ્ટર મોર્ટન બોડસ્કોવનું વલણ અત્યંત આક્રમક જણાય છે.સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા મોર્ટન બોડસ્કોવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ડેનમાર્કને ‘ઇસ્લામાબાદ’ જેવું બનવા દેવામાં આવશે નહીં. ડેનમાર્કની છતો પરથી અઝાનનો અવાજ સંભળાવો જાેઈએ નહીં, કારણ કે અહીં…

Read More

દુનિયામાં પહેલી એવી ઘટના ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરી કેસ જીતી બતાવ્યો બ્રિટનની આ એઆઈ ચેટબોટ લૉ ફર્મની સ્થાપના ૨૦૨૩માં થઈ હતી, ૨૦૨૫માં આ કંપનીને રેગ્યુલેટરી ઓથોરિટીએ પરવાનગી આપી હતી ગારફીલ્ડ એઆઈના ચેટબોટે બ્રિટનની એક કોર્ટમાં વકીલને હરાવી દીધો હતો. તેની દલીલો એટલી ધારદાર હતી કે વકીલ પાસે બચાવની તક જ રહી ન હતી. કોર્ટે એઆઈ ચેટબોટ વકીલની તરફેણમાં ચુકાદો આપીને તેના ક્લાયન્ટને ૭૦૦૦ પાઉન્ડનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. કોઈ વકીલને એઆઈ ચેટબોટે હરાવ્યો હોય એવો આ પહેલો બનાવ છે.એઆઈ પાવર્ડ લૉ ફર્મ ગારફીલ્ડે એક ક્લાયન્ટનો કેસ એઆઈ એજન્ટને લડવા આપ્યો હતો. બ્રિટનની એક કોર્ટમાં ચાલતા આ કેસના…

Read More

નેતન્યાહૂએ હિઝબુલ્લાહને ચેતવ્યાં ઈઝરાયલ-લેબેનોન વચ્ચે આખરે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર વોશિંગ્ટનમાં શાંતિ કરારની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક મોટું અને કડક નિવેદન આપ્યું છે ઇઝરાયલ અને હિઝબુલ્લાહના લડાકુઓ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગને શાંત કરવા માટે અમેરિકાની મધ્યસ્થતામાં ઘણા દિવસોથી ચાલી રહેલી વાટાઘાટો આખરે સફળ રહી છે. શુક્રવારે વોશિંગ્ટન સ્થિત વિદેશ મંત્રાલયમાં ઇઝરાયલ અને લેબેનોને એક ઐતિહાસિક શાંતિ કરારની રૂપરેખા (ળેમવર્ક એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીને બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા તરફનું પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.અમેરિકાની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમેરિકામાં લેબેનોનના રાજદૂત નાડા હમાદેહ મોવાદ અને…

Read More

લોકોને પણ આશ્ચર્ય થયું હવે અભિનેત્રી કૃતિ સેનને નેપોટિઝમ અંગે કાઢી ભડાસ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટારકિડને શરૂઆતથી જ કેટલાક ફાયદાઓ મળવાનું ચાલું થઈ જાય છે બોલિવૂડની બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ એક્ટ્રેસ કૃતિ સેનને કોકટેલ-૨ ફિલ્મથી પોતાના ફેન્સને દિવાના બનાવી દીધા છે. આ ફિલ્મમાં તેનો બિકિની અવતાર જાેવા મળ્યો છે. આ અવતાર જાેઈને ફેન્સ એની ફિટનેસ અને ફીગરના વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં એના પાત્રની નોંધ લેવાઈ રહી છે અને લોકો એની એક્ટિંગની પ્રશંસા કરી રહ્યા છે. એક એક ળેમમાં એને એક્સપ્રેશનને દાદ આપી રહ્યા છે. બોલિવૂડમાં જે મુદ્દાની સૌથી વધારે ચર્ચા થાય છે એવા નેપોટિઝમ અંગે તેણે પોતાનો મત વ્યક્ત કર્યાે હતો.…

Read More

રીયાએ કહ્યું કે તે ઇચ્છે છે કે જીવનમાં કોઈ પરિપક્વ વ્યક્તિ મળે હું હજુ સિંગલ છું, હજુ સુશાંતના મૃત્યુના ટ્રોમામાં છું : રીયા રિયા અને શોવિક બંનેએ જણાવ્યું કે તેઓ હજુ પણ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે રિયા ચક્રવર્તીએ પોતાના અંગત જીવન અને વર્ષ ૨૦૨૦માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ આવેલા કઠિન સમય અંગે ખુલીને વાત કરી છે. અંગદ બેદી અને નેહા ધૂપિયાના યુટ્યુબ શોમાં આપેલા ઇન્ટરવ્યુમાં રિયાએ જણાવ્યું કે તે હાલમાં સિંગલ છે અને તે તથા તેનો ભાઈ શોવિક ચક્રવર્તી હજુ પણ તે સમયના માનસિક આઘાતમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યા નથી.પોતાનાં રિલેશનશિપ સ્ટેટસ…

Read More

ફિલ્મ એક સસ્પેન્સથી ભરપૂર થ્રિલર હશે સૈફ અને ફરહાન ૨૫ વર્ષ બાદ ફરી સાથે કામ કરશે ૨૦૦૧માં રિલીઝ થયેલી દિલ ચાહતા હૈને હિન્દી સિનેમામાં આધુનિક મિત્રતા અને સંબંધોની નવી વ્યાખ્યા આપનાર ફિલ્મ તરીકે માનવામાં આવે છે હિન્દી સિનેમાની કલ્ટ ફિલ્મ દિલ ચાહતા હૈને ૨૫ વર્ષ પુરા થયા છે અને હવે ફરી એક વખત સૈફ અલી ખાન અને એક્ટર ડિરેક્ટર ફરહાન અખ્તર સાથે કામ કરવા જઈ રહ્યા હોવાના અહેવાલોએ ફિલ્મપ્રેમીઓમાં ઉત્સુકતા જગાવી છે. આ અંગેના અહેવાલો મુજબ, સૈફ અલી ખાન એક્સેલ એન્ટરટેઇન્મેન્ટની આગામી થ્રિલર ફિલ્મ કરવા તૈયાર થયો છે. ફિલ્મ ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાની પ્રોડ્યુસ કરશે. જાેકે, નિર્માતાઓ તરફથી હજુ…

Read More

એક કલાકારનું મુખ્ય કામ પાત્રને વિશ્વસનીય રીતે રજૂ કરવાનો છે રોલ સારો હોવો જાેઈએ, ઉંમરથી કોઈ ફેર નથી પડતો : મૌની રોય વરુણ ધવનની આવનારી ફિલ્મ ‘યે જવાની તો ઇશ્ક હોના હૈ’માં મૌની રોયે વરુણ ધવનની માતાનો રોલ કર્યાે હતો વરુણ ધવનની આવનારી ફિલ્મ ‘યે જવાની તો ઇશ્ક હોના હૈ’માં મૌની રોયે વરુણ ધવનની માતાનો રોલ કર્યાે હતો. તેના માટે તેણે ઘણી ટ્રોલિંગ અને ટીકાનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે મૌનીએ કહ્યું છે કે તેણે આ રોલને ઉમરની દૃષ્ટિએ જાેયો જ નહોતો, તેણે તો પાત્ર કેવું છે એ જાેયું હતું. આ અંગેની ટીકા અને તેના ર્નિણય પર ઉઠતા સવાલો…

Read More

‘ભારત ટેક્સી’ના માધ્યમથી ગુજરાત સહિત દેશના ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ ના મંત્રને સાકાર કરતાં, સહકારી ધોરણે દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ નો આજે ગાંધીનગરથી ગુજરાતના તમામ પ્રમુખ શહેરોમાં સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલ પર આધારિત આ નવીન પહેલથી ટૂ-વ્હીલર, ઓટો રિક્ષા અને ફોર-વ્હીલર ચલાવતા દેશના લાખો વાહનચાલકોને ખાનગી એપ-આધારિત કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે. આ પહેલથી ટેક્સી ચાલકો ડ્રાઇવર નહીં, પરંતુ ‘સારથિ’ અને ‘માલિક’ છે, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂતોના હક માટે હંમેશા અવાજ ઉઠાવતા ખેડૂતોના મસીહા ઈસુદાન ગઢવી આજે સાણંદના ડરણ ગામે પહોંચ્યા હતા. અહીં ખેડૂતોના પાણીના પ્રશ્નો અને ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે ખેડૂતોને થઈ રહેલા અન્યાય મુદ્દે ઈસુદાન ગઢવીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ તકે ‘આપ’ નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે સાણંદના ડરણ ગામે દસ કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે. ખેડૂતોને પૂછ્યા વગર, તેમની ખેતીની જમીન પર બળજબરીપૂર્વક કંપનીઓનું વેસ્ટ પાણી કાઢવા માટે આ લાઇન નખાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ લાઇન કેનાલની બાજુમાંથી કાઢો, પણ તેમ કરવાને બદલે ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી, લગભગ…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરના દર્શન કર્યા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમને શ્રી રામલલાના દર્શન કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયુ. આ ભવ્ય મંદિર કરોડો હિન્દુઓની આસ્થા અને ગૌરવનું પ્રતીક છે. શ્રી રામ મંદિરમાં ભગવાનની મનમોહક મૂર્તિની દિવ્ય આભાને શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે. ત્યારબાદ તેમણે હનુમાન ગઢી મંદિરમાં બજરંગબલીના આશીર્વાદ લીધા અને મહંત ધર્મદાસ સહિત અન્ય સાધુ-સંતોના સાનિધ્યનો લાભ પ્રાપ્ત થયો. તેમણે રામ મંદિરમાંથી દાનના પૈસા તથા સોનાં-ચાંદીના આભૂષણોની ચોરી કરનાર મહાપાપીઓને કઠોર સજા મળે તેવી પ્રાર્થના કરી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે સૌના સુખ-સમૃદ્ધિ અને આરોગ્ય માટે તેમણે ભગવાન પાસે…

Read More