- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
- PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો ફરી તેજ
- પ્રિયંકા ગાંધીનો સરકાર પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે’; ગૃહમંત્રી પાસે જવાબની માંગ
- ડાર્ક પેટર્ન બદલ Zepto, BookMyShow સહિત 9 એપ્સને CCPAનો દંડ, ગ્રાહકો પાસેથી વસૂલાતા છુપા ચાર્જ પર કાર્યવાહી
- 20 દિવસમાં 5 વખત રસ્તો ધસી ગયો, લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના રિપેરમાં ટેબલ ફેનનો વીડિયો વાયરલ
- સુરતમાં એનલોગ પનીર સામે કાર્યવાહી, નકલી-અસલી પનીરનો ભેદ અને આરોગ્યના જોખમો પર ચેતવણી
- સુરતમાં 15 ઓગસ્ટે વાલ્મીકી સમાજનો કૌટુંબિક તકરાર સમાધાન કાર્યક્રમ, પક્ષકારોને હાજરીનું આમંત્રણ
- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા દ્વારા અમરેલીના સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવા જઈ રહી છે, તેને લઈને આમ આદમી પાર્ટીએ આજે પોતાની 445 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં લોકોના મુદ્દાઓ પર લડત લડી રહી છે અને અવાજ ઉઠાવી રહી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે આજે મીડિયા સમક્ષ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા બિલ લઈને આવવામાં આવી રહ્યું છે, ત્યારે અગાઉની જેમ અમે આજે પણ આ બિલનો વિરોધ કરીએ છીએ. આ બિલમાંથી આદિવાસી સમાજની બાદબાકી કરવામાં આવી છે, એવું અમને જણાવવામાં આવ્યું છે, તેમ છતાં પણ અમને ભીતિ છે કે હાલમાં ચૂંટણી છે માટે આદિવાસી સમાજને સમાવવામાં આવ્યો નથી પરંતુ આવનાર દિવસોમાં ચોક્કસ સુધારાના ભાગરૂપે આદિવાસી સમાજનો સમાવેશ કરવામાં આવશે. આજથી એક વર્ષ પહેલા સમાન નાગરિક સંહિતાની કમિટી જ્યારે જિલ્લા કક્ષાએ સામાજિક, રાજકીય ધાર્મિક સહિત તમામ પ્રકારના આગેવાનોના…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, સામાન્ય લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ આમ જનતાને તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ટિકિટ આપી છે અને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે મને ગર્વ થાય છે, અમે સ્વપ્ન જોયું હતું કે બહુ થયું બાપ-બેટાની રાજનીતિ, હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત કરી છે અને એ અમારું સૌભાગ્ય છે. આજે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ…
તપાસમાં અત્યાર સુધી ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત.અનિલ ગ્રુપની કંપનીઓ સામે CBI, ED ની ઢીલી તપાસથી સુપ્રીમ નારાજ વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન આરકોમ અને તેની સહયોગી કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનના નાણાંના કથિત દુરુપયોગ સાથે જાેડાયેલો છે.અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) સાથે જાેડાયેલા કથિત બેન્ક લોન કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે આ મામલાની તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થવી જાેઈએ. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) જેવી તપાસ એજન્સીઓને પરસ્પર સંકલન સાધીને સત્ય સામે લાવવા આદેશ આપ્યો છે, જેથી…
રનવેથી માત્ર ૧.૫ કિમી દૂર કાળમુખો અકસ્માત.કોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશ: મૃત્યુઆંક વધીને ૬૬ થયો.કોલંબિયા ૧૯૬૦ના દાયકાથી આ વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે. જાેકે, સમયાંતરે તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે, પરંતુ જૂના થતા સૈન્ય સાધનો અને વિમાનોની સુરક્ષા હવે ચિંતાનો વિષય બની છે.કોલંબિયાના દક્ષિણ અમેઝોન વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં અનેક સૈનિકોના મોત થયા છે. ૧૧૦ સૈનિકોને લઈ જઈ રહેલું લોકહીડ માર્ટિન હર્ક્યુલસ C-૧૩૦ વિમાન ટેક-ઓફના થોડા સમય બાદ જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં શહીદ થનાર સૈનિકોની સંખ્યા વધીને ૬૬ થઈ ગઈ છે. આ અકસ્માત પેરૂની સરહદ પાસે આવેલા પ્યુર્ટાે લેગુઝામો નજીક સર્જાયો હતો. દુર્ઘટના સ્થળ રહેણાંક વિસ્તારથી માત્ર ૩…
રણબીરનું સમગ્ર ફોક્સ ફક્ત એક્ટિંગ પર.આર કે સ્ટુડિયો હાલ રિવાઈવ નહિ થાય : કરીના કપૂર.ફેમિલીમાં ચર્ચા થઈ ગઈ છે, ફક્ત રણબીર-કરિશ્મા જ બેનરને આગળ વધારી શકે, હું નહીં : કરીના કપૂર.થોડા સમય પહેલાં રણબીર કપૂરે મુંબઈમાં વિશાળ કમર્શિઅલ સ્પેસ ખરીદતાં તે આર કે સ્ટુડિયોનું બેનર રિવાઈવ કરી રહ્યો હોવાની વાત પ્રસરી હતી. જાેકે, કરીના કપૂરે આ અટકળોને ફગાવી દીધી છે. કરીનાએ એક સંવાદમાં કહ્યું હતું કે રણબીર બહુ સારો એક્ટર છે અને તેનું સમગ્ર ફોક્સ પોતાની એક્ટિંગ કેરિયર પર જ છે. અમારા પરિવારમાં ફક્ત કરિશ્મા અને રણબીર જ આ બાબતે પહેલ કરી શકે તેમ છે પરંતુ હાલ તે બનવાનું નથી.…
એઆઈ પ્લેટફોર્મ્સને ફટકાર.સોનાક્ષી સિંહાના નામ અને અવાજના દુરુપયોગ પર હાઈકોર્ટ લાલ ધૂમ.કોર્ટે અવલોકન કર્યું કે સોનાક્ષી સિંહાના મોર્ફ કરેલા ફોટામાં તેને અનુચિત કપડાં પહેરેલી દર્શાવવામાં આવી હતી.આજના ડિજિટલ યુગમાં સેલિબ્રિટીઝની છબીનો ખોટી રીતે ઉપયોગ કરવો એક ગંભીર સમસ્યા બની ગઈ છે. દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રી સોનાક્ષી સિંહાના વ્યક્તિત્વ અધિકારોની રક્ષા કરતા એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ AI પ્લેટફોર્મ કે ઓનલાઇન વેબસાઈટ સોનાક્ષીની પૂર્વ મંજૂરી વગર તેના નામ, ચહેરા કે અવાજનો ઉપયોગ કરી શકશે નહીં. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે AI ટૂલ્સ દ્વારા જાણીતી હસ્તીઓના મોર્ફ કરેલા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ…
કરણની રણવીર, આલિયા અને.વિકી કૌશલ સાથે ‘તખ્ત’ બનાવવાની ઈચ્છા અકબંધ.તાજેતરમાં એક ઇટરવ્યુમાં કરણ જાેહરે જણાવ્યું કે તખ્ત એવી ફિલ્મ છે જે તેઓ ચોક્કસપણે પોતાના જીવનકાળમાં બનાવશે.કરણ જાેહરે ૨૦૨૦માં પોતાની પિરિયડ ડ્રામા ‘તખ્ત’ની જાહેરાત કરી હતી. ફિલ્મ પર ત્યારે ઘણી ચર્ચા થઈ હતી. જાેકે, ફિલ્મ ક્યારેય બની શકી નહીં. તાજેતરમાં આ ડિરેક્ટર-પ્રોડ્યુસરે ખુલાસો કર્યાે કે તે આ પ્રોજેક્ટને ફરી જીવંત કરવાનું વિચારે છે.,વિકી કૌશલ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, કરીના કપૂર ખાન અને ઘણા અન્ય લોકો કરણ જાેહરના મેગ્નમ ઓપસ તખ્તમાં જાેવા મળવાના હતા. ફિલ્મ ૨૦૨૧ના અંત સુધી સિનેમાઘરોમાં રિલીઝ થવાની અપેક્ષા હતી. પરંતુ પેન્ડેમિક અને અન્ય કારણોસર, ફિલ્મ ક્યારેય બની નહીં.ત્યારે…
હરિયાણા પોલીસે બાદશાહના.‘તાતીરી’ની ૧૫૪ યૂટ્યુબ વિડિયો અને ૭૦૩ ઇન્સ્ટાગ્રામ રીલ્સ હટાવી.ગયા અઠવાડિયે, નેશનલ કમિશન ફોર વીમેને આ ગીતમાં અશ્લીલતા અને અયોગ્ય પ્રસ્તુતિને લઈને બાદશાહ અને તેના નિર્માતાઓને સમન્સ પાઠવ્યા હતા.રેપર-સિંગર બાદશાહનું નવું ગીત ‘તાતીરી’ની રિલીઝ બાદ વિવાદોમાં આવી ગયું હતું. આ ગીતની તેના કથિત અશ્લીલ શબ્દો અને અયોગ્ય વિઝ્યુઅલ્સ માટે ભારે ટીકા થઈ હતી, ખાસ કરીને મહિલાઓ અને સગીરો લગતા સંદર્ભાેને લઈને તેની ટીકા થઈ હતી.વિવાદ વધતા બાદ, બાદશાહએ માફી માંગી હતી અને જણાવ્યું હતું કે ગીતને તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યું છે. હવે તાજી અપડેટ મુજબ, હરિયાણા પોલીસે આ મુદ્દે કડક પગલાં લીધાં છે અને સોશિયલ મીડિયા પરથી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં છેલ્લા એક સપ્તાહ થી ગેસ ના સિલિન્ડર અંગે ચાલી રહેલી અફવાનું કેન્દ્ર સરકારે ખંડન કરતાં સ્પષ્ટતાપૂર્વક જણાવ્યુ હતું કે ગેસ સિલિન્ડરમાં રાબેતા મુજબનો એટલે કે ૧૪.૨ કિલો ગેસ જ આવશે એમાં કોઈ પણ પ્રકારની ધટ કરવામાં આવી નથી. આમ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર ભારતના ઉર્જાપુરવઠા પર પણ પડી રહી છે ત્યારે રાંધણગેસના સિલિન્ડરમાં ૧૪.૨ કિલોગ્રામ ને બદલે ૧૦ કિલો ગ્રામ ગેસ ભરવામાં આવશે એવા સમાચારોને સરકારે નકારી કાઢયા છે. આવા અહેવાલમાં એવો તર્ક આપવામાં આવતો હતો કે ઓછા વજનનું સિલિન્ડર આપવામાં આવે તો ઘણા લોકોને ગેસપુરવઠો પૂરો પાડી શકાય.પણ પેટ્રોલિયમ મંત્રાલયના પ્રેસ બ્રીફિંગમાં…




