
- અમદાવાદમાં ભાજપના ૪૦+ કોર્પોરેટરોની ટિકિટ કાપી શકે, વય મર્યાદા-ત્રણ ટર્મ-ગેરશિસ્તના નિયમો લાગુ
- ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને કારણે ૫ એપ્રિલથી વસ્તી ગણતરી મોકૂફ, નવી તારીખ બાદમાં જાહેર
- હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ભારતનું સશક્ત વલણ, નાવિકોના જીવનના નુકસાન પર ભાર
- India Meteorological Department ચેતવણી: ૧૦૦૦ કિ.મી. વાદળોથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ અને કરાની આગાહી
- Lucknow Super Giants વિડિયોથી સ્પષ્ટતા: Sanjiv Goenka અને Rishabh Pant વચ્ચે કોઈ વિવાદ નહીં
- B1 પુલ પર હુમલા બાદ ઈરાન ભડક્યું: ૮ પુલોને નિશાન બનાવવાની ધમકી, મધ્યપૂર્વમાં તણાવ તેજ
- દિલ્હીમાં યુવકની હત્યા બાદ આરોપીએ ઇન્સ્ટાગ્રામ રીલથી આપી કબૂલાત, પોલીસ તપાસ તેજ
- વારંગલ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં ACB દરોડા: મોબાઈલ તપાસથી ખુલ્યો કરોડોનો ભ્રષ્ટાચાર
Author: Garvi Gujarat
આજે કમાઈ રહ્યા છે લાખો.પરંપરાગત ખેતી છોડીને ખેડૂત શાકભાજીના પાક તરફ વળ્યા.બારાબંકીમાં શિમલા મરચાની ખેતી ખેડૂતો માટે ઓછા રોકાણમાં વધુ કમાણીની સુવર્ણ તક બની ગઈ છે.આપણા દેશમાં કેટલીક એવી શાકભાજી છે, જેની માંગ આખું વર્ષ રહે છે અને તેથી ખેડૂતોને સારો નફો મળે છે. શિમલા મરચું એવી જ એક શાકભાજી છે, જેની બજારમાં હંમેશા સારી માંગ રહે છે. શિમલા મરચું માત્ર શાકભાજી તરીકે જ નહીં, પણ અનેક પ્રકારના વાનગીઓમાં પણ વપરાય છે. તેના સ્વાદ અને પોષક તત્વોને કારણે આ શાકભાજી ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ રહી છે. શિમલા મરચામાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને…
ભારત-અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર?.આગામી સપ્તાહે અમેરિકન અધિકારીઓની એક ટીમ દ્વિપક્ષીય વેપાર સમજૂતીના ઉદ્દેશ્યથી ભારતની લેશે.ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલ પર હવે જલ્દી વાતચીત સફળ થવાની આશા વધી છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો તરફથી મળેલા સકારાત્મક સંકેતો બાદ હવે એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. આગામી સપ્તાહે અમેરિકન અધિકારીઓની એક ટીમ દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાના ઉદ્દેશ્યથી ભારતની મુલાકાત લેવાની છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર કરારને લઈને બાકી રહેલા તમામ મુદ્દાઓ પર વાતચીત થવાની અને અંતિમ ર્નિણય લેવાઈ શકે તેવી પ્રબળ સંભાવના છે. રિપોર્ટ્સ અનુસાર, ભારત-અમેરિકા…
ગૌતમ ગંભીરના જવાબે બધાને ચોંકાવ્યા.આપણે હાલ શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પત્રકારોએ ગંભીરને પૂછ્યું કે શું કોહલી અને રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે.ભારતે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ODI સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. આ ODI શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું. ODI સિરીઝમાં ભારતની જીત પછી મુખ્ય કોચ ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પત્રકારોએ ગંભીરને પૂછ્યું કે શું વિરાટ કોહલી અને રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે. ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “સૌ પ્રથમ, તમારે સમજવું પડશે કે ૨૦૨૭ ODI વર્લ્ડ…
કંગના રણૌત, મહુઆ મોઈત્રાનો વીડિયો વાઇરલ.ભાજપ-વિપક્ષના સાંસદોએ એક મંચ ઉપર કર્યો ડાન્સ.મહિલા સાંસદો બિઝનેસમાંથી રાજકારણમાં આવેલા નવીન જિંદાલની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં ડાન્સ કરતી જાેવા મળી.રાજકારણમાં ભલે નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરતા હોય, પણ જાહેર જીવનમાં તેમના સંબંધો કેવા હોય છે તેનું એક અનોખું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. ભાજપનાં સાંસદ કંગના રનૌત, તૃણમૂલ કોંગ્રેસ(TMC)નાં સાંસદ મહુઆ મોઇત્રા અને NCP(શરદચંદ્ર પવાર)નાં સાંસદ સુપ્રિયા સુલે એકસાથે ડાન્સ કરતા જાેવા મળ્યા છે, જેનો વીડિયો જાેઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આ ત્રણેય દિગ્ગજ મહિલા સાંસદો બિઝનેસમાંથી રાજકારણમાં આવેલા નવીન જિંદાલની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં ડાન્સ કરતી જાેવા મળી હતી.…
ગેરકાયદે નાઈટક્લબને તોડવા ગયા વર્ષે જ અપાઈ હતી નોટિસ.નોર્થ ગોવાના અરપોરામાં લોકપ્રિય નાઈટ ક્લબ મ્ૈષ્ઠિર હ્વઅ ઇર્દ્ર્બી ન્ટ્ઠહીમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતાં ૨૫ લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર ટુરિસ્ટ તથા સ્ટાફના ૧૪ લોકોનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ બાદ ગોવામાં ચાલતા નાઈટ ક્લબોની સુરક્ષાને લઈને ફરી સવાલ ઊભા થાય છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ ક્લબ ગેરકાયદે હતું એન ક્લબ એન્ટ્રી, એક્ઝિટ ગેટ ખૂબ જ સાંકળા હતા. મૃતકોમાં કેટલાકના મોત ધુમાડાથી ગૂંગળામણના કારણે થયું છે. અહેવાલ અનુસાર ફાયર બ્રિગેડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું, કે ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળથી ૪૦૦ મીટર દૂર ઊભી રાખવી પડી હતી. જેના કારણે બચાવ કાર્યમાં…
આવું કરનારો ચોથો ભારતીય બન્યો.રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રન પૂરા કર્યા.અગાઉ તેંડુલકર, કોહલી અને રાહુલ દ્રવિડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરી ચૂક્યા છે.દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડે દરમિયાન ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રન પૂર્ણ કર્યા છે. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર ચોથા ભારતીય ખેલાડી બન્યો. અગાઉ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં ૩૪,૩૫૭ રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૭,૯૧૦ રન બનાવ્યા છે. રાહુલ દ્રવિડ ૨૪,૨૦૮ રન…
ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ભારે ખળભળાટ મચી.હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને પણ સસ્પેન્ડ કરી દેવાતાં જામનગરના તબીબ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાર્ડિયાક સ્કેમ સામે આવ્યું છે. ઓશવાલ આયુષ હોસ્પિટલ દ્વારા ૩૫ જેટલાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડી પીએમજેએવાય યોજનામાંથી ૪૨ લાખ મંજુર કરી લીધા હોવાનું ભોપાળું બહાર આવતાં સૌ કોઈ ચોકી ગયા છે. આ સમગ્ર કૌભાંડ સામે આવતાં આરોગ્ય કમિશ્નર દ્વારા કડક પગલાં લેવાયા છે. આ ઉપરાંત ઓશવાળ આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઇ છે. ઉપરાંત હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને પણ સસ્પેન્ડ કરી દેવાતાં જામનગરના તબીબ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો…
આ કાર્યવાહીથી જિલ્લામાં નશીલી સિરપોના વેચાણનું નેટવર્ક ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યુવાધનને નશાના રવાડે ચડાવતું એક મોટું રેકેટ ઝડપાયું છે. જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (છર્જીંય્) ટીમે બાતમીના આધારે હિંમતનગરના બસ સ્ટેશન સામે આવેલા મોચી વાંસ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. છર્જીંય્ એ આ દરોડામાં કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડીને ૧૭૬ નશીલી કફ સિરપની બોટલો કબજે કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ૧૮ વર્ષીય કરણ પરમાર અને ૪૦ વર્ષીય નિલેશ પ્રજાપતિનો સમાવેશ થાય છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દર્શન પરમાર નામનો ઈસમ નિલેશ પ્રજાપતિને આ સિરપનો જથ્થો પૂરો પાડતો હતો. પાસેથી ૧૪૮ નંગ લેબલવાળી નશીલી દવાઓ મળી હતી, જેમાં…
૯ મહિનાની શોધખોળ બાદ કાર્યવાહી.સુરતમાં નકલી ચલણી નોટ છાપનાર વોન્ટેડ ઝડપાયો.પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે છેલ્લા નવ મહિનાથી ક્યાં છુપાયો હતો, તેના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે.સુરત પોલીસે નકલી ભારતીય ચલણી નોટો છાપીને બજારમાં ફરતી કરનારા એક મુખ્ય આરોપીને આખરે ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા નવ મહિનાથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉતરાણ પોલીસે ઓપરેશન કારાવાસ હેઠળ કાર્યવાહી કરીને નકલી ચલણી નોટના છાપકામ સાથે સંકળાયેલા આરોપી આશિષ વઘાસીયા ને ઓલપાડ વિસ્તારમાંથી ઝડપી લીધો છે. આશિષ વઘાસીયા છેલ્લા નવ મહિનાથી પોલીસની પકડમાંથી છટકી રહ્યો હતો, જેના કારણે પોલીસે તેની શોધખોળ માટે ખાસ પ્રયાસો…
મની લોન્ડરિંગ કેસમાં ૫ વર્ષની સજા.નિવૃત્ત IAS પ્રદીપ શર્માને અમદાવાદની વિશેષ ED કોર્ટે ૫ વર્ષ જેલની સજા ફટકારી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા ભોગવી રહ્યા છે.નિવૃત્ત IAS પ્રદીપ શર્માને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વેલસ્પન ગ્રુપની કંપનીને ગેરકાયદે જમીન વેચવાના આરોપસર ED કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ સજાનું એલાન કર્યું છે. નિવૃત્ત IAS પ્રદીપ શર્માને અમદાવાદની વિશેષ ED કોર્ટે ૫ વર્ષ જેલની સજા ફટકારી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા ભોગવી રહ્યા છે તેનાથી ઉપરોક્ત કેસમાં અલગ સજા ભોગવવાની રહેશે. તેમજ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક જ રહેશે. તત્કાલીન કચ્છ કલેકટર પ્રદીપ શર્મા પર વેલસ્પન ગ્રુપની કંપનીને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



