Author: garvigujrat

આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનોને યોગ્ય વેતન નથી મળતું તેને લઈને તેઓ વર્ષોથી માંગણીઓ કરી રહ્યા છે. આ માંગણીઓ મુદ્દે તેમને ત્રણ દિવસની હડતાલ કરી અને ત્યારબાદ તેમણે ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતની તમામ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોની આ માંગણીઓ અને તેમના આંદોલનને આમ આદમી પાર્ટી પોતાનું પૂરું સમર્થન આપે છે. ભૂતકાળમાં પણ અમે ગુજરાતની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો માટે અનેક લડાઈઓ લડી છે, ભવિષ્યમાં…

Read More

હાલમાં સમગ્ર ગુજરાતમાં થયેલા માવઠા મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં માવઠું થયું અને ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે આંબાના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે, તો મધ્ય ગુજરાતમાં કેળાના પાકની સાથે સાથે પૂર્વ પટ્ટીના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં મકાઈના ઉભા પાકને પણ ખૂબ જ નુકસાન થયું છે. આ સિવાય ઘઉં અને ચણાને પણ નુકસાન થયું છે. તો મોટાભાગે જે શિયાળુ પાક લેવાની અવસ્થામાં આવી ગયા હતા એમને ખૂબ જ નુકસાન થયું છે. સાથે સાથે બાગાયતી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણને વિચાર કરતા કરી મૂકે એવા કિસ્સાઓ જ્યારે આપણે સાંભળીએ કે જોઈએ ત્યારે બે ઘડી આશ્ચર્યમાં મુકાઈને એને ઈશ્વરીય ચમત્કાર માનીએ છીએ. એવો જ એક કિસ્સો છે ઉત્તર પ્રદેશના બરેલીનો જ્યાં એક હોસ્પિટલમાં બ્રેઇન-ડેડ જાહેર કરાયેલા વિનીતા શુક્લા નામની મહિલા દર્દી ને એમ્બ્યુલન્સ ને લાગેલા એક ઝટકાએ નવજીવન બક્ષ્યુ હતું. આ અંગેની વિગત એ છે કે ૨૨ મી ફેબ્રુઆરીએ વિનીતાબહેન એમના ધરમા જ અચાનક બેહોશ થઈ ગયા હતા. તરત જ તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા ત્યાં તેમને બરેલીની મોટી હોસ્પિટલમાં લઈ જવાનું કહેવાયુ. બે દિવસ માટે તેમને ત્યાં વેન્ટિલેટર પર રાખ્યા અને પછી ડોક્ટરોએ તેમને બ્રેઈન…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન(રાંદેર) ના પાલ ગામ વોર્ડ ઓફિસમાં ફરજ બજાવતા એસ.આઈ દેવેન દેસાઈએ તા.૧૫/૦૩/૨૦૨૬ ના રોજ તેમની વોર્ડ ઓફિસમાં એક ટેમ્પો બોલાવીને સફાઈ કામદારો પાસે બોક્ષમાં ભરાવેલી જુની તૂટેલી મૂર્તિઓ,ફ્રેમ,ધાર્મિક ફોટા વિગેરે કોઈક દરિયા કિનારે લઈ ગયા હતા તેથી એસઆઇ સામે યોગ્ય તપાસ કરી તેની સામે પગલાં લેવા અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન ધ્વારા મ્યુ.કમિશનરને રાંદેર ઝોનના જાહેર આરોગ્ય નિરીક્ષક દેવેનભાઈ દેસાઈ વિરુદ્ધ નૈતિક ધોરણોથી વિરુદ્ધ, ગેરવર્તણૂક, પોતાને આપેલી સત્તાનો દુરુપયોગ કરીને પોતાના કાર્યક્ષેત્ર બહારની કામગીરી સુરત મહાનગરપાલિકાના વર્ગ-૪ સફાઈ કામદાર કર્મચારીઓ પાસે બળજબરીપૂર્વક ઈચ્છા કે સંમતિ વિરુદ્ધ, ધાકધમકી, દબાણ, કે શારીરિક બળનો ઉપયોગ કરી…

Read More

પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન રાધે-રાધે કહીને થયું સ્વાગત : રાષ્ટ્રપતિ મથુરામાં સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા, ધર્મ અને આધ્યાત્મ પર ચર્ચા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાલમાં મથુરાના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વૃંદાવનમાં આવેલા શ્રીહિત રાધા કેલી કુંજ આશ્રમ પહોંચ્યા હતા. અહીં તેમણે સંત શ્રી પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આશ્રમ પહોંચતા પ્રેમાનંદ મહારાજે પરિકરો અને શિષ્યો દ્વારા રાષ્ટ્રપતિનું ભવ્ય અને પરંપરાગત રીતે સ્વાગત કર્યું. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રેમાનંદ મહારાજ વચ્ચે એકાંતિક વાર્તાલાપ પણ થયો. જાણકારી અનુસાર, બંને વચ્ચે મુખ્યત્વે આધ્યાત્મ્ય, સેવા અને જનકલ્યાણ જેવા વિષયો પર ચર્ચા…

Read More

સુપ્રીમ કોર્ટ પહોંચી મહિલા રાજકારણી CM મને ધમકાવે છે મારે ઘરે જવું છે પણ મને ધમકીઓ મળી રહી છે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સીધી ચિમકી આપી છે કે તમારી અંદરો અંદરની લડાઈમાં કોર્ટને વચ્ચે ના સામેલ કરો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ફરિયાદ લઈને સુપ્રીમ કોર્ટ પહોંચેલી મહિલાને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે થયેલી સુનાવણીમાં કોર્ટે સીધી ચિમકી આપી છે કે તમારી અંદરો અંદરની લડાઈમાં કોર્ટને વચ્ચે ના સામેલ કરો. આ સાથે કોર્ટે કહ્યું કે આ કેસને લઈને પહેલાં હાઈકોર્ટમાં જાઓ, મહિલા તરફથી માગ કરાઈ હતી કે તેને સુરક્ષા આપવામાં આવે. એને આરોપ લગાવ્યો હતો કે તે કર્ણાટકથી બહાર રહેવા મજબૂર બની…

Read More

હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં કતાર એનર્જી પ્લાન્ટ અત્યારે માત્ર ૧૭% ક્ષમતા પર કામ કરી રહ્યો છે અને તેને ઠીક કરવામાં ૩થી ૫ વર્ષ લાગી શકે ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે એક એવો વળાંક આવ્યો છે જેણે સમગ્ર વિશ્વની ટૅક્નોલૉજી અને મેડિકલ ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. ઈરાને કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો છે. આ પ્લાન્ટ દુનિયાનો સૌથી મોટો LNG(પ્રવાહી પ્રાકૃતિક ગેસ) પ્લાન્ટ છે. આ હુમલાને કારણે પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે અને ભારે નુકસાન થયું છે. કતાર એનર્જીના CEO અનુસાર,…

Read More

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે ઈરાન પાયમાલ થઈ રહ્યું છે અને તેની પાસે યુરેનિયમનું સંવર્ધન કરવાની કે નવી બેલેસ્ટિક મિસાઇલ બનાવવાની ક્ષમતા બચી નથી વિશ્વભરમાં તેલ અને ગેસના વધતા સંકટ વચ્ચે ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન સામેનું આ યુદ્ધ લોકોની ધારણા કરતા ઘણું વહેલું સમાપ્ત થઈ શકે છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે ઈરાન અત્યારે પાયમાલ થઈ રહ્યું છે અને હવે તેની પાસે યુરેનિયમનું સંવર્ધન કરવાની કે નવી બેલેસ્ટિક મિસાઇલ બનાવવાની ક્ષમતા બચી નથી. વધુમાં, ઈરાનના ઉચ્ચ નેતૃત્વમાં પણ આંતરિક…

Read More

ઈરાન સામે એકજૂથ થઈ દુનિયા હોર્મુઝને સુરક્ષા પૂરી પાડવા માટે ૬ દેશોએ કાઢ્યો મોટો તોડ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ અને જાપાને કહ્યું કે તેઓ જહાજાેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તૈયાર મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની જ્વાળા હવે બીજા દેશો સુધી પણ પહોંચી ગઈ છે. આ યુદ્ધ હવે ઓઈલના યુદ્ધમાં ફેરવાઈ ગયું છે. એકબીજાના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા થતા જાેવા મળ્યા. ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરતા ચારેબાજુ હાહાકાર થઈ ગયો કારણ કે ઓઈલ અને ગેસના વેપાર માટે આ જળમાર્ગ ખુબ મહત્વનો છે. વધતા તણાવ વચ્ચે હવે યુરોપ અને જાપાને મોટું પગલું ભરવાનો સંકેત આપી દીધો છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી,…

Read More

મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા મોહન ભાગવત દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે સંઘ પ્રમુખ મોહન ભાગવતે RSS ના મુખ્ય શહેર નાગપુરમાં હિન્દૂ પરિષદની ઓફિસનો શિલાન્યાસ કર્યો હતો અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ભારે સંકટ ઉભું થયું છે, ત્યારે આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિશ્વભરને મહત્ત્વનો સંદેશ આપ્યો છે. ભાગવતે કહ્યું છે કે, સ્વાર્થી હિત ધરાવનારા લોકો અને વર્ચસ્વ જમાવવાની ઈચ્છા રાખનારાઓના કારણે જ વિશ્વમાં સંઘર્ષ થઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, માત્ર એકતા, અનુશાસન અને અને ધર્મના પાલનથી જ કાયમી શાંતિ સ્થાપી શકાય છે. સંઘ પ્રમુખ ભાગવતે આજે ઇજીજીના મુખ્ય…

Read More