Author: Garvi Gujarat

H-4 વિઝા અરજદારના આશ્રિતો માટે હોય છે. US ૧૫મીથી વિઝા અરજીમાં સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરશે.H-1B, H-4 વિઝા અરજદારોને સોશિયલ મીડિયા પ્રોફાઈલ પબ્લિક કરવા અમેરિકાના વિદેશ મંત્રાલયનો આદેશ.અમેરિકામાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા પર આકાર નિયંત્રણો મુકવાના પગલાં અંતર્ગત હવે ટ્રમ્પ સરકારે H-1B અને H-4 વિઝા માટે અરજી કરનારા અરજદારોની ચકાસણી કરવાની પ્રક્રિયાને વધુ સઘન અને આકરી બનાવતા તમામ અરજદારોને પોતાની સોશિયલ મીડિયા ઉપરની પ્રોફાઇલને પ્રાઇવસી સેટિંગમાં જઇને ‘પબ્લિક’ (જાહેર) રાખવાનો આદેશ કર્યાે છે, અર્થાત આ બંને વિઝા માટે અરજી કરનારા લોકો પોતાની પ્રોફાઇલને હવેથી ખાનગી રાખી શકશે નહીં. H-4 વિઝા અરજદારના આશ્રિતો માટે હોય છે.વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે જારી કરાયેલા આદેશમાં કહેવામાં…

Read More

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો આકરો સવાલ.અમેરિકા પોતે અમારાથી ફ્યુલ ખરીદે છે તો ભારતને કેમ અધિકારી નહીં.રશિયાના પ્રમુખ પુતિનની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે. જ્યારે ભારત-અમેરિકાના સંબંધ છેલ્લા બે દાયકામાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જાે રશિયન ઈંધણ અમેરિકા ખરીદી શકે, તો ભારત કેમ નહીં? તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ માટે સતત પ્રહાર કરી રહ્યું છે. જેના કારણે ભારત પર ભારે ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે. એક ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે, ‘અમેરિકા…

Read More

અનુષ્કા શંકરે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો.અનુષ્કા શંકરે સિતારનો તાર તૂટવા બદલ એર ઇન્ડિયાને જવાબદાર ઠેરવ્ય.અનુષ્કા શંકરે વીડિયોમાં જણાવ્યું કે તેઓ આ બેદરકારીથી ભાંગી પડ્યાં છે અને આ પ્રકારનું નુકસાન થઈ જ કેવી રીતે શકે, તે અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે.બારથી પણ વધુ વખત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થનાર વિશ્વવિખ્યાત સિતાર વાદક અનુષ્કા શંકરે વીડિયો પોસ્ટ કરીને એર ઇન્ડિયા વિશે ફરિયાદ કરી છે. તાજેતરમાં તેની ભારતની સફર દરમિયાન તેમની સિતારમાં ગંભીર નુકસાન થયું. આ પ્રવાસ માટે ટિકિટ ઉપરાંત સિતારની ખાસ કાળજી લેવા માટે અલગ હેન્ડલિંગ ફી ચૂકવી હોવા છતાં તેમની સાથે આ ઘટના બની. અનુષ્કા શંકરે વીડિયોમાં જણાવ્યું કે તેઓ…

Read More

કેટરિનાનો ચોંકાવનારો ખુલાસો.રણબીર કપૂરને કારણે મેં મારું કરિયર ખરાબ કર્યું.હું કપૂર ખાનદાનની વહુરાણી બનવાના સપના જાેઈ રહી હતી પરંતુ મારા એ સપનાં તો તૂટ્યા પણ એની સાથે સાથે મારું કરિયર પણ ખાસ કંઈ સક્સેસફૂલ ના બની શક્યું.બોલીવૂડના ક્યુટ અને એડોરેબલ કપલમાંથી એક એવા વિકી કૌશલ અને કેટરિના કૈફ હાલમાં જ માતા-પિતા બનીને ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે. પંતુ એક સમય એવો પણ હતો કે કેટરિનાને પર્સનલ લાઈફમાં મળેલી નિષ્ફળતાઓને કારણે તેની પ્રોફેશનલ લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. ખુદ કેટરિનાએ આ વાતનો ખુલાસો કર્યાે હતો. કેટરિનાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે રણબીર કપૂરને કારણે મેં મારું કરિયર ખરાબ કરી…

Read More

ફિલ્મ ૧૯ ડિસેમ્બર વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે.અવતાર-૩ ટુંક સમયમાં જ થિયેટરોમાં મચાવશે તબાહી.અવતાર ફ્રેન્ચાઇઝના ત્રીજા ભાગ, ફાયર એન્ડ એશનો વર્લ્ડ પ્રીમિયર યુએસએના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં યોજાયા.જાે આપણે હોલીવુડની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મો વિશે વાત કરીએ, તો અવતાર: ફાયર એન્ડ એશ તેમાં શામેલ છે. સુપ્રસિદ્ધ અંગ્રેજી ફિલ્મ નિર્માતા જેમ્સ કેમેરોન દ્વારા સફળ અવતાર ફ્રેન્ચાઇઝીના આ ત્રીજા ભાગ માટે ચાહકો ભારે ઉત્સાહ અનુભવી રહ્યા છે.તેની રિલીઝ પહેલા, જેમ્સ કેમેરોનની પ્રશંસનીય ફિલ્મ, અવતાર: ફાયર એન્ડ એશ, લોસ એન્જલસમાં તેનું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું, જેમાં અંગ્રેજી સિનેમાના અસંખ્ય વિવેચકો અને દર્શકોએ હાજરી આપી હતી. આ જ લોકોએ હવે સોશિયલ મીડિયા હેન્ડલ પર…

Read More

મલાઇકા અરોરાએ ડિવોર્સ વિશે વાત કરી.‘પુરુષો આગળ વધી શકે, સ્ત્રીઓ ભુલીને આગળ વધે તો ચર્ચા થાય’.મલાઇકા અને અરબાઝ ખાન સાથે ૨૩ વર્ષ લાંબા દામ્પત્ય જીવન બાદ ૨૦૧૭માં અલગ થયા હતા.મલાઇકા અરોરા એવી એક્ટ્રેસ છે, જેણે પોતાના ડિવોર્સ વિશે પણ જાહેરમાં જાતે જ વાત કરી છે. તે પોતાની વાત ખુલીને કહેવા માટે જાણીતી છે. તાજેતરમાં તેણે ડિવોર્સ અને પુનર્લગ્ન અંગે સમાજના બેવડાં ધોરણો અંગે વાત કરી હતી. તેણે જણાવ્યું કે સ્ત્રીઓ કરતાં પુરુષોને ઓછી ટીકાનો સામનો કરવો પડે છે.મલાઇકાના અંગત જીવન વિશે હંમેશા ચર્ચા અને ટીકા થતાં રહ્યાં છે. ત્યારે તેણે આખરે આ મુદ્દે પણ વાત કરી છે. તેણે સમાજના બેવડાં…

Read More

૭ ડિસેમ્બરે ઉજવાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ.BAPS સંસ્થા અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન.સાબરમતીના પાણી પર તરતી ૭૫ દિવ્ય હોડીઓ લાખો ન્ઈડ્ઢ લાઈટ્સની ઝગમગશે : દરેક હોડી પર એક અમૃત સૂત્ર.સનાતન સંસ્કૃતિના ધ્વજવાહક તરીકે જાણીતી વિશ્વભરમાં ૧૨૦૦થી વધુ મંદિરો રચનાર BAPS સંસ્થા આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ ઉજવવા જઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજે BAPS નું પ્રમુખ પદ સંભાળ્યા તેને ૭૫ વર્ષ પૂર્ણ થતા, અમદાવાદના રિવરફ્રન્ટ પર પ્રમુખવર્ણી અમૃત મહોત્સવનું ગૌરવશાળી આયોજન કરાયું છે. અમદાવાદ ૭ ડિસેમ્બરના ઐતિહાસિક દિવસે સાબરમતીના કિનારે રચાશે ભક્તિનો મહાસાગર. BAPS સંસ્થાના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખપદના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ…

Read More

પાસામાં બંધ ટિકટોક ગર્લને મોટો ઝટકો.વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ.વધુ એક વેપારી અલ્પેશ ડોંડાએ સોશિયલ મીડિયા પર બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી.ખંડણીખોર ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર સુરતની લસકાણા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા અને ચર્ચામાં રહેતી પાસામાં બંધ કિર્તી પટેલને મોટો ઝટકો મળ્યો છે. વધુ એક વેપારીએ કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરી. ફરિયાદી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરત શહેરની કુખ્યાત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ઉપર વધુ એક ગુનો દાખલ થયો છે. કીર્તિ પટેલ પર મારામારી, હત્યાનો પ્રયાસ, ખંડણી અને સોશિયલ મીડિયા પર લોકોને…

Read More

૨૦ ડિસેમ્બર સુધી ફરજિયાત પૂર્ણ કરવાનો આદેશ.ગુજરાતના શિક્ષકો પર ફરી એક નવા કામની જવાબદારી!.૧૩થી ૧૪ લાખ વિદ્યાર્થીઓનું ડેટા-મેપિંગ ૨૦ ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવતા ખળભળાટ.રાજ્યના શિક્ષકો પર શિક્ષણ સિવાયના કાર્યોનો ભાર હવે વધુ એક નવા તબક્કામાં પ્રવેશી ગયો છે. કેન્દ્ર સરકારના મહત્ત્વપૂર્ણ ‘પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ’ (PM-FCT) પ્રોજેક્ટ માટે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોને નવી અને સમય માંગી લે તેવી જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ લગભગ ૧૩થી ૧૪ લાખ વિદ્યાર્થીઓનું ડેટા-મેપિંગ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવતા શિક્ષક વર્ગમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડિરેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારીઓને લખેલા પત્રમાં જણાવ્યું…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત.ગુજરાતમાં બનશે ૧૦ હજાર નવી આંગણવાડી.યશોદાથી કમ નથી આંગણવાડી બહેનો : મુખ્યમંત્રી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં ૧૦,૦૦૦ નવી આંગણવાડી કેન્દ્રો બનાવવાની મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત તેમણે આજે ૯ હજાર આંગણવાડી કાર્યકર બહેનોને નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમ દરમિયાન કરી હતી. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત હળવી શૈલીમાં કરતાં જણાવ્યું હતું કે, “આટલી બધી બહેનો બેઠી છે છતાંય એક અવાજ નથી આવતો. આ સૌથી આનંદની વાત છે. કદાચ મોબાઈલ હશે એટલે પણ શાંત બેઠા હશે. અમને ચિંતા થાય કે બહેનો કેમ આટલી બધી શાંત છે.” તેમણે નાના ભૂલકાઓના વિકાસમાં આંગણવાડી બહેનોની ભૂમિકાને બિરદાવતા કહ્યું કે,…

Read More