- Goldbet Kod Promocyjny dla polskich graczy – Bonusy i promocje dla nowych użytkowników
- Casino Yonibet pour les joueurs français – Catalogue de jeux et principales catégories disponibles
- કચ્છમાં માલધારીઓ માટે તાત્કાલિક ઘાસચારો, પાણી અને પશુ સારવારની AAPની સરકારને માંગ
- હોર્ડિંગ્સમાં ભગવાન જગન્નાથ સાથે નેતાઓના ફોટા સામે AAP નેતા હિમાંશુ ઠક્કરનો વિરોધ
- મૌલવી જરજિસ અંસારીના શ્રીકૃષ્ણ અંગેના નિવેદનથી વિવાદ, હિન્દુ સંગઠનોમાં ભારે રોષ
- સરકાર કે મુખ્યમંત્રીની ટીકા રાષ્ટ્રદ્રોહ નથી: પૂણે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
- અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ, હોર્મુઝ સ્ટ્રેટ પર હુમલા બાદ અનેક ઈરાની સૈન્ય ઠેકાણાં તબાહ
- સુરતના DCP રાજદીપ નકુમના વર્તન સામે આક્ષેપો, ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવાની જાહેરાત
Author: garvigujrat
સમય અને જરૂરિયાત મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે : ટ્રમ્પ ઈરાન ઓપરેશનમાં હથિયારોના ખાત્મો નક્કી, લોકશાહી સ્થાપવાની લડાઈ નથી: યુએસ અમેરિકા માત્ર વિજય માટે લડે છે અને તેમાં સમય કે માનવજીવન બરબાદ કરવામાં નહીં આવે ઈરાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીને અમેરિકાએ અસિમિત સમયનું યુદ્ધ કહેવાના બદલે ઓપરેશન તરીકે ઓળખાવી છે. ઈરાનની મિસાઈલ, નેવી તથા અન્ય સિક્યુરિટી ઈન્ળાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાના ઉદ્દેશથી કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેઠે કહ્યું હતું. પીટનાજણાવ્યા મુજબ, ઓપરેશન અંતર્ગત સ્પષ્ટતા સાથે નિર્ણાયક અને વિનાશક મિશન હાથ ધરાયું છે. ઈરાનની મિસાઈલ ધમકી, પરમાણુ જાેખમ અને નૌકાદળનો ખાત્મો એક માત્ર લક્ષ્ય છે. રેજિમ ચેન્જ કરવાનો…
વિદેશ નીતિ અને વ્યૂહનીતિ પર પ્રહાર ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે ભારત સરકારે ન તો આ હત્યાની નિંદા કરી છે અને ન તો ઈરાનની સંપ્રભુતાના ઉલ્લંઘન પર કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈરાનના સર્વાેચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની ટાર્ગેટેડ હત્યાના મામલે મોદી સરકારની ચુપકીદી સામે આકરા પ્રહારો કર્યા છે. એક અખબારમાં લખેલા લેખમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, સરકારનું આ મૌન કોઈ તટસ્થતા નથી, પરંતુ જવાબદારીમાંથી પીછેહઠ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ઘટનાથી ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા…
આ મામલે સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ આપી AI જનરેટેડ પુરાવાના આધારે ચુકાદો લખવો એ બિલકુલ ખોટું છે: સુપ્રીમ ગયા વર્ષે ઓગસ્ટમાં આંધ્રપ્રદેશની એક ટ્રાયલ કોર્ટે વિવાદિત મિલકતના કેસમાં એઆઈ દ્વારા નિર્મિત તસવીરના આધારે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધની એક અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(એઆઈ)ની મદદથી તૈયાર કરાયેલા પુરાવાઓના આધારે ચુકાદો લખવો એ એક ‘ખોટું કાર્ય’ છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે આ કોઈ ભૂલથી થયેલું કામ નથી.જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને આલોક અરાધેની બેંચે જણાવ્યું કે તેઓ આના પરિણામો અને જવાબદારીની તપાસ કરવા માંગે છે, કારણ કે તેની સીધી અસર…
સ્ટાઈલિશના ઘટસ્ફોટ બાદ હોલિવૂડ ફેન્સ ચોંક્યા ‘સ્પાઈડરમેન’ ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાના સિક્રેટ વેડિંગ! ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાએ હજું સુધી આ મુદ્દે કોઈ ઓફિશિયલ અનાઉસમેન્ટ અથવા પોસ્ટ કરી નથી. ભારતમાં લગ્નની સીઝન પૂરજાેશમાં ચાલી રહી છે. લાંબા સમયથી એક-બીજાને ડેટ કરી રહેલા સાઉથ સ્ટાર્સ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ત્યારે આ વચ્ચે હવે હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાના સિક્રેટ વેડિંગે ચાહકોને ચોંકાવી દીધા છે. ટોમ હોલેન્ડ અને ઝેન્ડયા જે માર્વેલની ‘સ્પાઈડરમેન’ના પોપ્યુલર પીટર અને એમજે છે, તેમના ફાઈનલી લગ્ન થઈ ચૂક્યા છે. તેમના લગ્નનો ઘટસ્ફોટ એક્ટ્રેસના સ્ટાઈલિસ્ટ લૉ રોચે લોસ એન્જલસમાં આયોજિત ૨૦૨૬ એક્ટર્સ એવોર્ડ્સ…
ફિલ્મ માટે રિતેશ દેશમુખ, પરેશ રાવલ, રાજપાલ યાદવનો સંપર્ક કરાયો ‘માલામાલ વિકલી’ ફિલ્મની સિક્વલ પર કામ ચાલુ ‘માલામાલ વિકલી’ ફિલ્મમાં રીમા સેન, શક્તિ કપૂર, સુધા ચંદ્રન તેમજ સ્વર્ગસ્થ અસરાની, રસિકા જાેષી અને ઇનોસન્ટ પણ મહત્વની ભૂમિકામાં હતાં. વર્ષ ૨૦૨૫માં ‘સૈયારા’, ‘એક દીવાને કી દીવાનિયત’ અને ‘તેરી ઇશ્ક મેં’ જેવી ફિલ્મોથી રોમેન્ટિક જાેનરની લહેર ફરી જીવંત બની હતી. હવે ૨૦૨૬ અને ૨૦૨૭માં કોમેડી ફિલ્મો બોક્સ ઓફિસ પર રાજ કરે તેવી શક્યતા છે. આગામી બે વર્ષમાં ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’, ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘ધમાલ ૪’, ‘ભાગમ ભાગ ૨’, ‘હેરા ફેરી ૩’ અને ‘ગોલમાલ ૫’ જેવી રસપ્રદ ફિલ્મો રિલીઝ થવાની…
ધુરંધર ૨ – ધ રિવેન્જ પણ ઘણી લાંબી ફિલ્મ ધુરંધર ૨ અને ટોક્સિકના ક્લેશ સાથે લંબાઈથી પણ સિનેમાલિકો પરેશાન જાે ફિલ્મના બીજા ભાગની લંબાઈ ૩.૫૫ કલાકની હોય, તો તે હિન્દી સિનેમાની સૌથી લાંબી ફિલ્મમાંની એક બની જશે લાંબા સમયથી ઇદની રિલીઝી રાહ જાેવાઈ રહી છે, ભારતીય સિનેમાની આ સૌથી મોટી ટક્કર રહેવાની છે, જેમાં રનવીર સિંહની ધુરંધર ૨- ધ રિવેન્જ અને યશની ટોક્સિક રિલીઝ વચ્ચે ટક્કર થવાની છે. ધુરંધર સિરીઝની પહેલી ફિલ્મ પણ લાંબી હતી, તેથી જ આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવાનોન ર્નિણય લેવાયો હતો. પરંતુ પહેલી ફિલ્મ સાડા ત્રણ કલાકથી પણ લાંબી હોવાને કારણે એવો અંદાજ હતો કે…
સોહમ શાહ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પેન મુવીઝ સાથે એક તસવીર શેર કરી તુંબાડ ૨માં સોહમ શાહ સાથે નવાઝુદ્દીનની એન્ટ્રી પાક્કી તુંબાડની ઓરિજિનલ સ્ટોરી અને તેની વાર્તા કહેવાની શૈલી માટે હું હંમેશા તેનો પ્રસંશક રહ્યો છું : નવાઝુદ્દીન યશ સોહમની ક્લાસિક હોરર ફિલ્મ તુંબાડની સિક્વલમાં નવાઝુદ્દીન સિદ્દીકીના નામની ચર્ચા થોડાં સમયથી હતી, હવે તેની એન્ટ્રી આ ફિલ્મમાં કન્ફર્મ થઈ ગઈ છે. આ લોકકથાઓ આધારીત ફ્રેન્ચાઇઝીમાં નવાઝુદ્દીનની એન્ટ્રી મહત્વની બની ગઈ છે. હજુ આ ફિલ્મની વાર્તા વિશે કોઈ માહિતી જાહેર થઈ નથી, પરંતુ નવાઝ આ ફિલ્મમાં મહત્વના રોલમાં હશે, તે નક્કી છે. સોહમ શાહ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પેન મુવીઝ સાથે એક તસવીર…
સોનાના વાયદામાં રૂ.4149 અને ચાંદીના વાયદામાં રૂ.10805નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.584નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.8949.42 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41420.9 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6795.15 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર હોળી (ધૂળેટી) નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલા બીજા સત્રમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.50370.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8949.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.41420.9 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1804.88 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6795.15 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.161995ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.162999 અને નીચામાં રૂ.159649ના મથાળે અથડાઈ, રૂ.166074ના આગલા બંધ સામે રૂ.4149 ઘટી રૂ.161925ના ભાવે ટ્રેડ થઈ…
ગૌહત્યારાઓ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદન પર આમ આદમી પાર્ટીના માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈએ એક વીડિયોના માધ્યમથી સરકારને કર્યા સવાલ કરતા જણાવ્યું હતું કે આજે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાય માતાની યાદ આવી. ભાજપને ગાય માતાના નામે રોટલા શીખવાની ટેવ પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ જ રીતે કહેતા હતા કે “ગાયમાતાનું લોહી આ ધરતી પર વહેવા નહીં દઈએ.” ગુજરાતમાં આપણે હાલ જોઈ રહ્યા છીએ કે કસાઈઓ ગાડીમાં આવીને ગાય માતાની હત્યા કરે છે અને તેને લઈ જાય છે. ગૃહમંત્રીને હું કહેવા માંગીશ કે તમે તમારી પોલીસને પૂછો કે આ…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી હનુમાનજીના પરમ ભક્ત છે અને તેઓ હનુમાનજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. અરવિંદ કેજરીવાલજી પર ખોટા આરોપો લગાવીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને તેમની ઈમેજ ખરાબ કરવાની ખૂબ જ કોશિશ કરવામાં આવી હતી છતાં પણ આખરે તેઓ નિર્દોષ જાહેર થયા. કોર્ટે અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયા સહિત તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા અને એની સાથે જ તેમના વિરુદ્ધ કરવામાં આવેલા તમામ કાવતરા નિષ્ફળ સાબિત થયા. આમ આદમી પાર્ટીનું માનવું છે કે અરવિંદ કેજરીવાલજીને હનુમાનજી પ્રત્યે જે અતૂટ શ્રદ્ધા છે તેના કારણે હનુમાનજીએ કેજરીવાલજી સહિત તમામનું રક્ષણ કર્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



