- Goldbet Kod Promocyjny dla polskich graczy – Bonusy i promocje dla nowych użytkowników
- Casino Yonibet pour les joueurs français – Catalogue de jeux et principales catégories disponibles
- કચ્છમાં માલધારીઓ માટે તાત્કાલિક ઘાસચારો, પાણી અને પશુ સારવારની AAPની સરકારને માંગ
- હોર્ડિંગ્સમાં ભગવાન જગન્નાથ સાથે નેતાઓના ફોટા સામે AAP નેતા હિમાંશુ ઠક્કરનો વિરોધ
- મૌલવી જરજિસ અંસારીના શ્રીકૃષ્ણ અંગેના નિવેદનથી વિવાદ, હિન્દુ સંગઠનોમાં ભારે રોષ
- સરકાર કે મુખ્યમંત્રીની ટીકા રાષ્ટ્રદ્રોહ નથી: પૂણે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
- અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ, હોર્મુઝ સ્ટ્રેટ પર હુમલા બાદ અનેક ઈરાની સૈન્ય ઠેકાણાં તબાહ
- સુરતના DCP રાજદીપ નકુમના વર્તન સામે આક્ષેપો, ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવાની જાહેરાત
Author: garvigujrat
દુબઇ અને મધ્યપૂર્વના બીજા એરપોર્ટ પર સેંકડો ભારતીયો ફસાયા ઈરાનમાં ૨૦૦૦ કાશ્મીરી સહિત ૩૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા પીડિત વિદ્યાર્થીઓની વ્યથા: દૂતાવાસે ઈરાન છોડવા સલાહ આપી ત્યારે યુનિવર્સિટીએ સહકાર ન આપ્યો યુએસ-ઈઝરાયેલની સંયુક્ત સેનાએ શરૂ કરેલા હુમલામાં ઈરાનની હાલત કફોડી થઈ છે. સર્વાેચ્ચ નેતા અયાતુલ્લાહ ખામેનેઇના મોત બાદ ઈરાનમાં અરાજકતા અને અજંપાનો માહોલ છે. ઈરાનમાં ચારે તરફ બોમ્બ ધડાકાના અવાજ સંભળાઈ રહ્યા છે ત્યારે ૩૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ અને પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા છે. યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાંથી ૨૦૦૦ કાશ્મીરના છે. ભારત સહિત અનેક દેશોએ ઈરાન, યુએઈ, ઈઝરાયેલ સહિતના અખાતી દેશોમાં વસતા પોતાના નાગરિકોને સાવચેતી રાખવા જણાવ્યું છે અને આ દેશોમાં…
ખામેનેઈના ઠેકાણાની ઓળખ થતા જ ઇઝરાયેલે ૩૦ બોમ્બ ફેંક્યા અમેરિકાની CIAની મહિનાઓથી ખામેનેઈની હિલચાલ પર નજર હતી ઈરાને યુદ્ધની તૈયારી કરી રાખી હતી, તેમ છતાં ઇઝરાયેલ આ હુમલામાં ‘ટેક્ટિકલ સરપ્રાઈઝ’ મેળવવામાં સફળ રહ્યું. અમેરિકાની કેન્દ્રીય ગુપ્તચર એજન્સી સીઆઈએ ઘણા મહિનાઓથી અયાતુલ્લા ખામેનેઈની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. આ સમયમાં સીઆઈએ એ ખામેનેઈની દિનચર્યાની પેટર્ન સમજી લીધી હતી. સીઆઈએને જાણવા મળ્યું કે શનિવારની સવારે તેહરાનના મહત્વપૂર્ણ સંકુલમાં ઈરાનના ટોચના અધિકારીઓની બેઠક યોજાવાની છે અને તેમાં ખામેનેઈ પોતે હાજર રહેવાના હતા. આ ઇનપુટ સીઆઈએ દ્વારા ઈઝરાયેલને આપવામાં આવ્યો હતો. સીઆઈએની નજરમાં આ માહિતી ‘સંપૂર્ણપણે સચોટ’ હતી.મૂળ યોજના મુજબ, અમેરિકા અને ઇઝરાયેલ…
અભય વર્મા શનાયાનો હિરો હશે શનાયા કપૂરની નવી ફિલ્મનું ટાઈટલ જેકોબ કાર્ડાેસો નક્કી થયું શનાયાની આ પહેલાંની ‘આંખો કી ગુસ્તાખિયાં’ તથા ‘તુ યા મૈ’ બંને ફિલ્મો નબળી સાબિત થઈ હતી શનાયા કપૂરની નવી રોમાન્ટિક કોમેડી ફિલ્મનું ટાઈટલ ‘જેકોબ કાર્ડાેસો’ નક્કી થયું છે. આ ફિલ્મમાં અભય વર્મા તેનો હિરો હશે. ફિલ્મમાં ૧૯૮૭નાં અરસાના ગોવાની વાત હશે. ફિલ્મનું શૂટિંગ ઓલરેડી પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે પોસ્ટ પ્રોડક્શનનું કામ શરુ થયું છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પણ ગોવામાં જ થયું છે. શુજાત સૌદાગરે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મની રીલિઝ ડેટ હજુ નક્કી થઈ નથી. શનાયાની આ પહેલાંની ‘આંખો કી ગુસ્તાખિયાં’ તથા ‘તુ…
અક્ષયનો વીડિયો જાેઈને ચોંક્યા ફેન્સ માથા વગરનાં ભૂત સાથે જાેવા મળ્યો અક્ષય કુમાર ભૂત બંગલા’ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન, જયપુર અને હૈદરાબાદ જેવી ઘણી શાનદાર જગ્યાઓ પર કરવામાં આવ્યું છે ૧૪ વર્ષ પછી બોલિવૂડની ફેમસ જાેડી અક્ષય કુમાર અને પ્રિયદર્શન ‘ભૂત બંગલા’થી વાપસી કરી રહ્યાં છે. ફેન્સ આ ફિલ્મને લઈને સુપર એક્સાઇટેડ છે. જાે કે લેટેસ્ટમાં એક્ટરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યાે છે જે મિનિટોમાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.ફિલ્મનાં પ્રમોશનની વચ્ચે અક્ષય કુમારે લેટેસ્ટમાં એક ડરામણો અને મજેદાર વીડિયો શેર કર્યાે છે. આ વીડિયોએ માહોલ ગરમ કરી દીધો છે. વીડિયોમાં એક માથા વગરનું ભૂત જાેવા મળી…
શોભા ડેએ ‘ધુરંધર’ના પ્રમોશન પર પ્રશ્નો ઉઠાવ્યા ‘અક્ષય ખન્ના રણવીર સિંહથી મોટો સ્ટાર છે?’: શોભા ડે અક્ષય ખન્નાના રોલ અને ડાન્સ મૂવ્સને ખૂબ જ વધારી-ચઢાવીને બતાવવામાં આવ્યા છે : શોભા ડે લેખિકા-કૉલમિસ્ટ શોભા ડે એ ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાના રોલને લઈને થઈ રહેલી હાઈપ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. એક પોડકાસ્ટમાં તેમણે કહ્યું કે, અક્ષય ખન્નાના રોલ અને ડાન્સ મૂવ્સને ખૂબ જ વધારી-ચઢાવીને બતાવવામાં આવ્યા છે.શોભા ડે એ ‘રેડિફ ઓરિજિનલ્સ પોડકાસ્ટ’માં ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય શેર કરતા કહ્યું, ‘મને લાગ્યું કે જે પ્રકારનું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું, તે થોડું મેનિપ્યુલેટિવ હતું. એવું બતાવવામાં આવ્યું જાણે અક્ષય ખન્ના રણવીર કરતાં મોટા સ્ટાર…
‘નૌટંકી બંધ કરો’ કહીને સંભળાવ્યું અમિતાભ બચ્ચનની રહસ્યમય ટ્વિટ પર ભડક્યા યુઝર્સ અમિતાભ બચ્ચન હાલમાં પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ના સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પરની અજીબોગરીબ પોસ્ટ માટે પણ જાણીતા છે. જાેકે, હાલમાં જ તેમણે કરેલી એક ટૂંકી ટ્વિટને કારણે નેટિઝન્સનો પિત્તો ગયો છે. 83 વર્ષીય બિગ બી અવારનવાર ‘નંબર ગેમ‘ અને કોયડા જેવી વાતો લખતા હોય છે, પરંતુ આ વખતે યુઝર્સની ધીરજ ખૂટી હોવાની વાત કહી અભિનેતાને આડે હાથ લીધા હતા. સોશિયલ મીડિયા પર લોકો આ ટ્વિટને વર્તમાન વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ સાથે જાેડીને અલગ-અલગ અર્થ કાઢી રહ્યા છે.આજે…
આમ આદમી પાર્ટી ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે જસદણમાં ખેડૂતો સાથે કંઈક અલગ રીતે હોળી મનાવી હતી.AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે અત્યારે જે “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહી છે, સોમનાથથી શરૂ થઈ યાત્રા આજે રાજકોટ જિલ્લાના જસદણ ગામના આંબડી ગામે પહોંચી છે. આજે હોળીનો તહેવાર છે. આ ગામમાં અમારી એક ચૌપાલ બેઠક હતી. આ ચૌપાલ બેઠકની અંદર ગામના અમુક ખેડૂતોએ અમારી સામે એવી ઇચ્છા વ્યક્ત કરી કે, ગમે તે પાક વાવીએ પરંતુ કંઇ વળતર મળતું નથી. આ સરકારમાં ભાવ વધતા નથી. ગમે તે કરીએ, અંતે સરવાળે બધું હતું ત્યાં જ રહે છે. એક-બે…
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી તેમજ આપ નેતા જીગીશાબેન પટેલ દ્વારા જસદણમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પત્રકાર પરિષદને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે આજે મને આનંદ છે કે સોમનાથથી શરૂ કરેલી “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”, આજે ઘેલા સોમનાથમાં દર્શન કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે હોળી- ધૂળેટીને સૌને શુભકામના પાઠવું છું. પરંતુ દુ:ખની વાત એ છે કે ભાજપના ઘરે દિવાળી છે અને ખેડૂતોના ઘરે હોળી છે. ભાજપના લોકોના કેટલાકના ઘરમાં ભ્રષ્ટાચારથી પૈસાના ખિસ્સા ભરેલા છે, જ્યારે મારા ખેડૂતના…
AAP ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવિણ રામના ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસના જેલવાસ બાદ શરૂ થયેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” આજે રાજકોટ અને ગોંડલ ખાતે પહોંચી હતી. ત્યાં રાજકોટ અને ગોંડલમાં સ્થાનિકોની ઉપસ્થિતિમાં વિશાળ સભાઓ યોજાઈ હતી. આ સભામાં રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, AAP નેતા રાહુલ ભુવા અને મહિલા નેતા જિગીષા પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ગોંડલ ખાતે સભામાં આમ આદમી પાર્ટીના યુવા અને કિસાન નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે સોમનાથની ધરતી પરથી શરૂ કરીને આજે અમે ખેડૂતોની યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છીએ. અમે ખેડૂતો માટે લડત લડતા હતા, આંદોલન ચલાવતા હતા અને એના…
ક્રૂડ તેલના વાયદામાં રૂ.510નો ઉછાળોઃ સોનાનો વાયદો રૂ.1.69 લાખ અને ચાંદીનો વાયદો રૂ.3.02 લાખના સ્તરને પાર કોમોડિટી વાયદાઓમાં રૂ.49235.86 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.139662.27 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 39241.49 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 41670 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.188898.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.49235.86 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.139662.27 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 41670 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5030.82 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 39241.49 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.165501ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.169679 અને નીચામાં રૂ.165217ના મથાળે અથડાઈ, રૂ.162104ના આગલા બંધ સામે રૂ.6914 વધી રૂ.169018ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.6497 વધી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



