Author: garvigujrat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત જિલ્લા હરીજન સેવા મંડળના ઉપપ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના ઉપપ્રમુખ અને સેવાભાવી વાલ્મિકી સમાજના આગેવાન અમૃતભાઈ સોલંકી ના પુત્ર શશીકાંત સોલંકી નું તા.૨૮/૦૨/૨૦૨૬ ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. શશીકાંત સોલંકી D.E સિવિલ થયો હતો અને બાંધકામ ક્ષેત્રે સારી કામગીરી કરી રહેલ હતા. તેઓ તા.૦૯/૦૨/૨૦૨૬ ના રોજ થી કમળાની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓના પિતા અમૃતભાઈ સોલંકીએ સુરત શહેરની મોટી મોટી હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. પરંતુ શશીકાંત ને બચાવી શક્યા નથી. શશીકાંત સોલંકીની બેસણાની વિધિ ૦૬/૦૩/૨૦૨૬ ના રોજ સાંજના ૪:૦૦ કલાકે ઓરણા મુકામે રાખવામા આવેલ છે. ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજના આધુનિક યુગમાં પરણવા જનારા પોત પોતાની હેસિયત મુજબ જાન લઈને જતાં હોય છે. જેમાં સ્પેશિયલ હેલિકોપ્ટર થી લઈને પ્લેનમાં પણ જાન ગઈ હોવાના સમાચારો અખબારોમાં ચમકી ચૂકયા છે. ત્યારે આજે આ મોર્ડન યુગમાં પણ પ્રાચીન પરંપરા જેવી જૂની યાદોને તાજી કરનારા વિરલાઓ પડયા છે. અને આવો જ વિરલો છે ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાના ગુડા ગામનો. જેનું નામ છે મોહિત ધ્વિવેદી આ ગુડા ગામનો રહેવાસી તેના લગ્નમાં બળદ ગાડામાં જાન લઈ જવાની જૂની પરંપરાને અનુસરીને તેણે જ્યાં તેના લગ્ન થવાના હતા એ જલાલપુર ગામની મોહિની પાઠક સાથે થવાના હતા. એટલે આ દુલ્હાએ અને કન્યાએ આધુનિકીકરણ ને કારણે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની સુપ્રીમકોર્ટ જેવી સર્વોચ્ચ અદાલતે પણ જે રીતે તપાસ એજન્સીઓ CBI, ED, IT વિગેરે સંસ્થાઓની સમયાંતરે ઝાટકણી કાઢી છે તે ખરેખર સદર સંસ્થાઓ માટે ઢાંકણીમાં પાણી લઈ ને ડૂબી મરવા જેવી બાબત છે. પરંતુ કોને ખબર કેમ આવી ટોચની એજન્સીઓ સુધરવાનું નામ નથી લઈ રહી. પોતાની કામગીરી સુધારવાને બદલે ઉલ્ટાની વધારે બગાડી રહી હોવાનો વધુ એક ઘટનાક્રમ છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ તેમના વરિષ્ઠ નેતાઓનો એકસાઇઝ કેસમાં જે રીતે નિર્દોષ છુટકારો થયો છે. એ જોતાં જ તપાસનિશ એજન્સીઓ શંકાના ઘેરામાં આવી જાય છે. એવા દેશના રાજકારણમાં ભારે હલચલ મચાવી દેનારા…

Read More

જ્યાં રોકાય છે દુનિયાભરના અમીરો દુબઈની વર્લ્ડ ફેમસ બુર્જ અલ અરબ હોટલ પર ઈરાને કર્યો હુમલો ઈરાનના હુમલાએ આ સ્થળને દહેશતમાં મૂકી દીધું છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના જવાબમાં મધ્ય પૂર્વના દેશો પર વળતા પ્રહાર કર્યા છે. આ હુમલાઓમાં મુખ્યત્વે અમેરિકી સૈન્ય મથકો નિશાને રહ્યા હતા, પરંતુ કેટલાક હુમલા રહેણાંક વિસ્તારોમાં પણ થયા છે. ઈઝરાયેલે ખાડીના ૮ દેશો પર હુમલો કર્યો હોવા છતાં, ઈરાનના નિશાને સૌથી વધુ ેંછઈ જાેવા મળી રહ્યું છે. દુબઈ અને અબુ ધાબી પર ઈરાનની મિસાઈલો અને ડ્રોન દ્વારા ભારે તબાહી મચાવી રહ્યા છે. દુબઈ પર થયેલા હુમલાઓમાં એક હુમલો અહીંની સૌથી પ્રખ્યાત હોટલ બુર્જ અલ…

Read More

વેપારીઓને મોટું નુકસાન શિપમેન્ટ અટકતા ભારતના ચોખા નિકાસકારોના કરોડો રૂપિયા ફસાયા અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે જેથી ક્રૂડ સહિત અનેક વસ્તુઓની અવરજવર અટકી પડી છે. ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધ કારણે મધ્ય-પૂર્વમાં ટેન્શન હાઇ થઈ ગયું છે. જેની અસર ભારતના ચોખાના નિકાસકારો પર દેખાઈ રહી છે. મજબૂરીમાં શિપમેન્ટ અટકી જવાને કારણે, ચૂકવણીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. મહત્વનું છે કે અમેરિકા અને ઈઝરાયલે ૨૮ ફેબ્રુઆરીના શનિવાર રોજ ઈરાન પર મોટો હુમલો કર્યો છે જેથી ક્રૂડ સહિત અનેક વસ્તુઓની અવરજવર અટકી પડી છે. રિપોર્ટ પ્રમાણે, હરિયાણામાં ચોખાના નિકાસકારો ઈરાન અને અફઘાનિસ્તાન જનારા શિપમેન્ટ તેમજ પેમેન્ટમાં વિલંબનો સામનો કરી…

Read More

બોર્ડની પરીક્ષામાં કેમેસ્ટ્રીનું પેપર ખરાબ ગયું હતું પેપર ખરાબ જતાં ધો. ૧૨ની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું કેમેસ્ટ્રીનું પેપર ખરાબ જતાં આ વિદ્યાર્થીનીએ પોતાના ઘરે બેડરૂમમાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલમાં ચાલી રહેલી બોર્ડ પરીક્ષામાં પેપર સારું ન જતાં એક ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું હોવાની કરુણ ઘટના બારડોલી ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી રહી છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં ગઈકાલે સાયન્સ વિભાગમાં કેમેસ્ટ્રીનું પેપર ખરાબ જતાં આ વિદ્યાર્થીનીએ પોતાના ઘરે બેડરૂમમાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે, ત્યારે આ ઘટનાને કારણે મૃતક વિદ્યાર્થિનીનો પરિવાર શોકાતુર બન્યો છે. ઘટનાની મળતી માહિતી મુજબ,…

Read More

કોચ પદ છોડવાના સંકેત આપ્યા T20 વર્લ્ડ કપથી બહાર ફેંકાતા જ શ્રીલંકન દિગ્ગજ જયસૂર્યા દુ:ખી જયસૂર્યાના નિવેદનથી એ સંકેત મળે છે કે હેડ કોચ તરીકેનો તેમનો કાર્યકાળ હવે નિર્ણાયક મોડ પર પહોંચી ગયો છે. ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં શ્રીલંકન ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ સનથ જયસૂર્યાએ પોતાના ભવિષ્ય અંગે એક મોટો સંકેત આપ્યો છે. શ્રીલંકાના હેડ કોચ જયસૂર્યાએ સ્પષ્ટ કર્યું છે કે, હું હાલમાં પદ નથી છોડી રહ્યો, પરંતુ જાે શ્રીલંકા ક્રિકેટ (SLC)ને યોગ્ય વિકલ્પ મળે તો હું જવાબદારી સોંપવા માટે તૈયાર છું. જયસૂર્યાના નિવેદનથી એ સંકેત મળે છે કે હેડ કોચ તરીકેનો તેમનો કાર્યકાળ હવે નિર્ણાયક મોડ પર પહોંચી…

Read More

ઈરાનમાં યુદ્ધ મુદ્દે અમેરિકા ફજી રશિયા-ચીન! ખામેનેઈની હત્યા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન : પુતિન મિલિટ્રી ઓપરેશન રોકી દેવામાં આવે : ચીન અમેરિકા અને ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે. મિડલ ઈસ્ટ હાલ બોમ્બ-ધડાકાથી ગુંજી રહ્યું છે. તેવામાં રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને ખામેનેઈના મોતને હત્યા ગણાવી કહ્યું છે કે, માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ ધોરણોનું ઉલ્લંઘન થયું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ ખામેનેઈના મોતને હત્યા કરાર આપતા કહ્યું છે કે, ઈરાનના સુપ્રીમ લીડર પર હુમલો અને તેમની હત્યા ઈરાનની સંપ્રભુતા અને સુરક્ષાનું ઘોર ઉલ્લંઘન છે. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના નિયમો અને આંતર રાષ્ટ્રીય સંબંધોના…

Read More

લાખો પ્રવાસી અટવાયા ભારતની ૪૪૪ ફ્લાઇટ્સ રદ્દ, ૧૧ દેશોના એરસ્પેસ બંધ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે, જેના કારણે ઘણા દેશોએ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કર્યા છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના લશ્કરી હુમલા બાદ, મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે, જેના કારણે ઘણા દેશોએ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે. આના કારણે વૈશ્વિક હવાઈ ટ્રાફિકમાં ભારે વિક્ષેપ પડ્યો છે અને ભારતમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર નોંધપાત્ર અસર પડી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈરાન અને મધ્ય પૂર્વના ભાગોમાં લાદવામાં આવેલા હવાઈ ક્ષેત્ર પ્રતિબંધોને કારણે શનિવારે ૪૧૦ ભારતીય સ્થાનિક એરલાઇન ફ્લાઇટ્સ રદ કરવામાં…

Read More

૧૮થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત નાગપુરમાં વિસ્ફોટક ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ : ૧૭નાં મોત કાટોલ તહસીલના રાઉલગાંવમાં સ્થિત વિસ્ફોટકો બનાવતી કંપની SBL એનર્જી લિમિટેડમાં મોટો વિસ્ફોટ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી એક ખાસ કરીને દુ:ખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. નાગપુર ગ્રામીણના કાટોલ તહસીલના રાઉલગાંવમાં સ્થિત વિસ્ફોટકો બનાવતી કંપની SBL એનર્જી લિમિટેડમાં આજે સવારે એક મોટો વિસ્ફોટ થયો. નાગપુર ગ્રામીણ પોલીસ અધિક્ષક (SP) હર્ષ પોદ્દારે પુષ્ટિ આપી કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૭ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૮ થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સવારે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે, જ્યારે કંપની ખાણકામ…

Read More