- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
- મોંઘવારીનો માર: ડુંગળી, ખાંડ, દાળ અને ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો
- ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં AAPનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
- સુરતમાં ‘નારી હુંકાર’ સંમેલન, 2700થી વધુ મહિલાઓએ પરિવર્તનનો સંકલ્પ લીધો
- મિચેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ, બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ
- અમદાવાદના સરખેજમાં 291 લિટર દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
- રાજકોટની મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જંતર-મંતર પર થયેલા સીજેપીના પ્રદર્શનમાં સામેલ એક સગીર બાળકી પાસે માફી મંગાવવાનો વીડિયો જાહેર કરાવવા બદલ પ્રધાનમંત્રી પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જંતર-મંતર પર વીડિયો બનાવનારી બાળકીઓને પોલીસના દમ પર ડરાવવાનું બંધ કરે. એક તરફ પ્રધાનમંત્રી બાળકોને માફ કરવાની વાત કરે છે અને બીજી તરફ 15 વર્ષની બાળકી પાસે માફી મંગાવી રહ્યા છે. આ પ્રધાનમંત્રીને શોભતું નથી. આજે ઘણી બધી બાળકીઓ મોદીજી વિરુદ્ધ વીડિયો પોસ્ટ કરી રહી છે. મોદીજી કોને કોને ડરાવશે અને ઝુકાવશે? અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે રીતે તે બિચારી હાથ જોડીને, આંખો નીચી કરીને આખા દેશની…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, બિહારમાં બાંકીપુર સીટના પરિણામ સાથે ‘ભાજપ તારા વળતા પાણી’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે અને આવનારા દિવસોમાં આખું પિક્ચર દેશની જનતા સમક્ષ આવવાનું છે. ૧૯૯૫થી લઈને ૨૦૨૬ સુધી સતત દોઢ-દોઢ લાખ મતોની મોટી સરસાઈથી ભાજપ જે બિહારની બાંકીપુર સીટ જીતતું આવ્યું હતું, તે સીટ પર અત્યારે વિસાવદર જેવો માહોલ સર્જાયો છે. ક્રાંતિના મહિના ગણાતા ઓગસ્ટ મહિનામાં, વિશ્વની કહેવાતી સૌથી મોટી અને ટેન્ડર-બેઝ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ (જેઓ આ સીટ પરથી છેલ્લા ૨૦ વર્ષથી ધારાસભ્ય રહ્યા હતા અને રાજ્યસભાના સાંસદ બનતા સીટ ખાલી પડી હતી), તેમની એ…
શ્રેયસ ઐયરના સાથી ખેલાડીએ છોડ્યો ટીમનો સાથ શશાંક સિંહ પોતાની ઘરેલુ ટીમ છત્તીસગઢથી અલગ થઈ ગયો શશાંક સિંહ કહેવું છે કે તેને એવું કહીને બદનામ કરવામાં આવ્યો કે તે ફક્ત IPL રમવા માંગે છે અને ઘરેલુ ક્રિકેટમાં કોઈ રસ નથી IPL પંજાબ કિંગ્સ તરફથી રમતા સ્ટાર ઓલરાઉન્ડર શશાંક સિંહે એક મોટો ર્નિણય લીધો છે. શશાંકે તેની ઘરેલુ ટીમ છત્તીસગઢથી અલગ થઈ ગયો છે. તે હવે ૨૦૨૬-૨૭ સિઝનથી પુડુચેરી માટે રમશે. ક્રિકેટ એસોસિએશન ઓફ પુડુચેરીના ભૂતપૂર્વ પ્રમુખ પી. દામોદરને પણ શશાંકના ટીમમાં સમાવેશની પુષ્ટિ કરી છે. મુંબઈનો વિકેટકીપર-બેટ્સમેન પ્રસાદ પવાર પણ તેની સાથે પુડુચેરી ટીમમાં જાેડાયો છે. ટીમ છોડ્યા પછી શશાંકે…
ભારતે સ્વદેશી ટર્બોજેટ એન્જિન વિકસાવ્યું મિસાઇલ અને ડ્રોન ટેક્નોલોજીમાં આર્ત્મનિભરતા તરફ ઐતિહાસિક પગલું DRDO નું ૩૫૦ કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ ટર્બોજેટ એન્જિન તૈયાર; ક્રૂઝ મિસાઇલ અને હાઈ-સ્પીડ ડ્રોનને મળશે નવી શક્તિ ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતાં સ્વદેશી ૩૫૦ કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક વિકસાવ્યું છે. આ એન્જિનના વિકાસ સાથે ભારત હવે એવા પસંદગીના દેશોમાં સામેલ થયું છે, જે મિસાઇલ અને ડ્રોન માટે આધુનિક જેટ એન્જિનનું ડિઝાઇન અને ઉત્પાદન સ્વદેશમાં કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિદ્ધિ દેશની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની સાથે ‘આર્ત્મનિભર ભારત’ અભિયાનને પણ નવી દિશા આપશે. આ એન્જિનનું ડિઝાઇન DRDO ની બેંગલુરુ સ્થિત ગેસ…
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીની ભાજપ સરકાર દ્વારા દિલ્હી લક્ષ્મી યોજના હેઠળ મહિલાઓની સંખ્યા મર્યાદિત કરવા માટે લાદવામાં આવેલી કડક શરતોનો વિરોધ કર્યો હતો. પંજાબની માંવાં-ધીયાં સત્કાર યોજનાની સરખામણી કરતાં તેમણે કહ્યું કે પંજાબમાં AAP સરકારે આવી કોઈ શરતો લાદી નહોતી, જ્યારે રેખા ગુપ્તા સરકારે અરજદારો માટે 10 વર્ષના રહેઠાણની શરત અને સાંસદ અથવા ધારાસભ્યની મંજૂરી ફરજિયાત બનાવી છે.https://www.facebook.com/share/v/1Y24vpMGbG/ AAP ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે જણાવ્યું કે જો BJP સરકારની નીતિ ખરેખર સારી હોત, તો તેમણે કડક શરતો લાદવાને બદલે તમામ પાત્ર મહિલાઓને યોજનાનો લાભ આપ્યો હોત. દિલ્હી લક્ષ્મી યોજના હેઠળની મનસ્વી પાત્રતા શરતો અને સાંસદો…
ઈરાનનો આકરો પલટવાર અને દાવો ઈરાન પર હુમલા અટકાવવાના ર્નિણય બાદ મીડિયાએ ટ્રમ્પની મજાક ઉડાવી મધ્ય પૂર્વીય દેશો અને ઈરાનની વિનંતી તેમજ સોદાની શરતો પર સહમતિ સાધ્યા બાદ હુમલા રોકવાનો ર્નિણય લીધો : ટ્રમ્પનો દાવો ઈરાન સામે સંભવિત સૈન્ય હુમલાઓ સ્થગિત કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાની મીડિયાએ તેમના પર તીખા પ્રહારો કર્યા છે અને તેમની મજાક ઉડાવી છે. ટ્રમ્પે દાવો કર્યાે હતો કે મધ્ય પૂર્વીય દેશો અને ઈરાનની વિનંતી તેમજ સોદાની શરતો પર સહમતિ સાધ્યા બાદ તેમણે હુમલા રોકવાનો ર્નિણય લીધો છે.ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઈટ ‘ટ્રુથ’ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, પ્રાદેશિક દેશોની વિનંતી બાદ…
જામખંભાળિયામાં જીએસપીએલની કામગીરી વિરુદ્ધ ધરણા પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં આવીને AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હું આજે જામખંભાળિયાની મુલાકાતે આવ્યો છું અને અહીંયા જે ખેડૂતો જીએસપીએલની પાઇપલાઇનની કામગીરીના વિરોધમાં અનશન અને ધરણા પર બેઠા છે, એ ખેડૂતોની મેં મુલાકાત લીધી. ખેડૂતોને અહીંયા માત્ર વીઘે સવા લાખનું વળતર આપવામાં આવી રહ્યું છે, ગેસની લાઈન ઓખા સુધી જઈ રહી છે જેના કારણે 32 જેટલા ગામોને અસર થવાની છે. ભાજપે કેટલાક ગામમાં ઠરાવ ન હતા તો સરપંચો ઉપર દબાણ પણ કરાવ્યું છે અને લોકોને ડરાવવાની પણ કોશિશ કરવામાં આવી છે, અધિકારીઓ વાત સાંભળતા…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક રસપ્રદ બાબત સામે લાવતા જણાવ્યું હતું કે, નર્મદામાં વન વિભાગના કર્મચારીઓની દાદાગીરી અને ઉદ્ધત વર્તન ખુલ્લું પડી ગયું છે. ભાજપના જ સાંસદ મનસુખ વસાવા સાથેની વાતચીત દરમિયાન વનકર્મીઓએ જે ગાળાગાળી કરી છે, તે એ વાતની સાબિતી છે કે તેમની હિંમત કેટલી વધી ગઈ છે. આ ઘટના પરથી ચોક્કસ સાબિત થાય છે કે આદિવાસી વિસ્તારોમાં આ વનકર્મીઓનું સામાન્ય જનતા સાથેનું વર્તન કેટલું ખરાબ અને દાદાગીરી ભર્યું હશે. ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના હિત માટે વન વિભાગ અને વનકર્મીઓ સામે અનેક લડાઈઓ લડી છે. આ ઘટનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે ચૈતર વસાવા…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. ભાજપના વધુ એક નેતાની પુત્રી CJP ના આંદોલનના સમર્થનમાં આવતા ભાજપ નેતાઓમાં હડકંપ મચી ગયો છે. યજસ્વીની રાજ સિંહે દિલ્હીના જંતર મંતર ખાતે cjp ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો અને આંદોલનને ટેકો આપ્યો તેમણે પોતાના રાજીનામાના પત્રમાં પ્રદર્શનકારીઓ પ્રત્યે વાપરેલી ભાષા માટે ધર્મેન્દ્ર પ્રધાનની ટીકા કરી. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવી રહેલા વિશાળ વિરોધ પ્રદર્શનને ભાજપના અનેક નેતાઓની પુત્રીઓ તરફથી સમર્થન મળી રહ્યું છે. જેમાં હવે વધુ એક નામ યશસ્વીની રાજસિંહનું ઉમેરાયુ છે. ઉત્તર પ્રદેશની ફતેહપુર સદર બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા વિક્રમસિંહની પુત્રી તથા કન્ટેન્ટ ક્રિએટર યશસ્વીનીએ દિલ્હીના જંતર…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત સુરતમાં છેલ્લા 15 દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે આવેલા ખાડીપૂરથી ખાડીની આજુબાજુના વિસ્તારના લોકો અને માર્કેટના વેપારીઓને જે કરોડોનું નુકસાન થયું છે ત્યારે એવી જ પરિસ્થિતિ જેવી ભારે વરસાદના કારણે સુરત શહેરની તમામ ગલીઓ,શેરીઓ અને ચોક બજાર થી લઈને શહેરના તમામ રોડ-રસ્તાઓ ભ્રષ્ટાચારીઓ ના પાપે તકલાદી સાબિત થઈ તૂટી ગયા છે. જેનો ભોગ રસ્તે ચાલનારાથી લઈને વાહન ચાલકો બની રહ્યા છે. છતાં સત્તાના મદમાં રહેલા SMC ના અધિકારીઓ અને પદાધિકારીઓ કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે. જે રીતે વર્ષો વર્ષના વરસાદથી ખાડી પૂર આવે છે અને લોકોને નુકસાન થાય છે છતાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



