- અફઘાન મંત્રીનો ભારત સાથે મજબૂત સંબંધોનો સંદેશ, કહ્યું- ‘અમારો અને ભારતનો DNA એક છે’
- હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો, ત્રણેય ફોર્મેટમાં ફિફ્ટી ફટકારનારી પ્રથમ ભારતીય
- નીતિ આયોગના અહેવાલમાં દાવો: 10 વર્ષમાં 94 હજાર સરકારી શાળાઓ બંધ, શિક્ષણ પર ગંભીર ચિંતા
- રશિયન ઓઈલ ખરીદતા ભારત પર અમેરિકાના નવા બિલથી ભારે ટેરિફ અને પ્રતિબંધોનું જોખમ
- ન્યુઝીલેન્ડમાં મોદીએ 25-30 વર્ષ જૂનું ભેટમાં મળેલું મફલર યાદ કરી ભારતીયોને ભાવુક કર્યા
- E20 પેટ્રોલ વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, E10 વિકલ્પ, વીમા અને સ્પષ્ટ લેબલિંગની માંગ
- ચીને લોંગ માર્ચ-10A રોકેટ સમુદ્રમાંથી સફળતાપૂર્વક રિકવર કરી સ્પેસ ટેકનોલોજીમાં ઈતિહાસ રચ્યો
- ખાડીપૂર મુદ્દે PIL છતાં કાર્યવાહી નહીં, અધિકારીઓની બેદરકારીથી સુરતને નુકસાન: છગનલાલ મેવાડા
Author: Garvi Gujarat
નર્મદાના સાગબારામાં ૩.૩૫ ઈંચ વરસાદ ખાબક્યો નર્મદા જિલ્લામાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધીને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે ગુજરાતમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. ચોમાસાના પ્રારંભિક આગમનની સાથે જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘમંડાણ શરૂ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના જુદા જુદા ૧૬ તાલુકાઓમાં નોંધપાત્ર મેઘમહેર જાેવા મળી છે, જેમાં દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવીને સર્વત્ર પાણી-પાણી કરી દીધું છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે પણ આકાશી આફત અને રાહતના સંકેતો આપતી…
ઓસ્કર પેનલમાં ભારતીય ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજ સહિત ૬ લોકોની એન્ટ્રી ઓસ્કર એવોર્ડની વોટિંગ પેનમાં આ વર્ષે દુનિયાભરના ૫૨૯ નવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓસ્કર એવોર્ડની પેનલ માટે દર વર્ષે દુનિયાભરના દેશોમાંથી ખાસ લોકોની પસંદગી એવોર્ડની પેનલ માટે કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એકેડમી ઓફ મોશન પિક્સર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા ૫૨૯ લોકોને વોટિંગ પેનમાં સામેલ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં ૬ ભારતીયોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ૬ લોકોમાંથી એક ફિલ્મ મેકર વિશાલ ભારદ્વાજ છે. આ વખતે ઓસ્કર પેનલ માટે જે લોકોની પસંદગી કરવામાં આવી છે તેમાં જેકબ એલોર્ડી,…
ઉદ્ધવ ઠાકરેનું દર્દ છલકાયું MVA ની બેઠકમાં ૨૩ ધારાસભ્યો ગુમ, શરદ પવાર પણ ન આવ્યા મહારાષ્ટ્રમાં સ્ફછ ગઠબંધનમાં ભંગાણના સંકેતો મળ્યા મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ તેમને પોતાની પાર્ટીના ૬ સાંસદોના બળવાનો સામનો કરવો પડ્યો છે, ત્યાં હવે મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં પણ ભંગાણના સંકેતો દેખાઈ રહ્યા છે. બુધવારે મોડી સાંજે મહાવિકાસ અઘાડીના ધારાસભ્યોની એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કુલ ૬૦માંથી માત્ર ૩૭ ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. આમ, પૂરા ૨૩ ધારાસભ્યો ગેરહાજર રહેતા રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે. આટલું…
રામ મંદિરમાં દાનની ચોરીના મામલે તપાસ ચાલી રહી છે PMO એ રામ મંદિરના દાનનો હિસાબ માગ્યો તો ટ્રસ્ટે તપાસનો હવાલો આપી ઈનકાર કરી દીધો PMO એ ભાજપ નેતા રજનીશ સિંહના પત્ર પર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રામ મંદિર ટ્રસ્ટ પાસે આવક-ખર્ચ, દાન અને બેંક ખાતાઓ અંગેની માહિતી માગી હતી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા કરોડો રૂપિયાનું રોકડ દાન અને સોના-ચાંદીના દાગીનામાં હેરાફેરીનો મામલો હવે દેશના સૌથી મોટા નાણાકીય વિવાદો પૈકીનો એક બનતો જઈ રહ્યો છે. આ વચ્ચે હવે અયોધ્યાના રામ મંદિરમાં દાન અને ચઢાવામાં હેરાફેરી અને ચોરી મામલે નવો ખુલાસો થયો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે…
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેવો આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારનો અવાજ મજબૂતી ઉઠાવતા આવ્યા છે, જળ જંગલ અને જમીન માટે લડી રહ્યા છે, આવા મજબૂત નેતાની સામે ભાજપે દમન કરીને કેસ નોંધ્યો હતો અને હવે એ કેસમાં એમને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બીજી બાજુ હાર્દિક પટેલનો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, આ સરકારના બેવડા ધોરણો દર્શાવે છે અને આ લોકતંત્ર પર પ્રહાર છે. વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ જણાવ્યું હતું…
ખાણીપીણીજન્ય રોગચાળામાં ધરખમ વધારો : તાવનાં કેસો અંકુશમાં.શહેરમાં ૨૧ દિવસમાં ૫૯ જગ્યાએ પાણીમાં પ્રદૂષણ ભળી ગયાનો રિપોર્ટ.છેલ્લા ૨૧ દિવસમાં ૫૭૯૪ નમૂના લેવાયાં હતા, તેમાંથી ૫૯ નમૂના અનફીટ એટલે કે પાણી પીવાલાયક નથી તેવા રિપોર્ટ આવ્યા.સ્માર્ટ સિટીનાં દાવા કરતાં મ્યુનિ.તંત્રનાં શાસનમાં શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ૨૧ દિવસમાં ૫૯ જગ્યાએ પ્રદૂષિત પાણી પહોંચ્યું હોવાનાં ચોંકાવનારા રિપોર્ટ જાહેર થયાં છે.શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી કાળઝાળ ગરમી બાદ હાલ ગરમીનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં ઉકળાટ અને બાફ અનુભવતાં શહેરીજનો વધુને વધુ પાણીનો વપરાશ કરવા માટે ગેરકાયદે કનેકશન અને મોટર-પંપનો ઉપયોગ કરે છે. તદઉપરાંત શહેરી ગટર લાઇનોની સફાઇમાં ચાલતી લાલિયાવાડીનાં કારણે અને ગટર લાઇનોમાં ભંગાણ…
ખંભાતના પિપળોઇ ગામે.રૂપિયા ૬ હજારની લાંચ લેતા તલાટી અને ઓપરેટર ઝડપાયા.પેઢીનામું બનાવવા માટે ૧૦ હજારની લાંચની માંગ કરી હતી : આણંદ એસીબીના છટકામાં તલાટી વતી ઓપરેટરે લાંચની રકમ સ્વીકારી હતી.આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઇ ગ્રામ પંચાયત ખાતે આણંદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ટ્રેપ ગોઠવીને તલાટી અને VCE ઓપરેટરને રૂ.૬ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જેથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.ખંભાત તાલુકાના પિપળોઇ ગામે રહેતા એક ખેડૂતની વડીલોપાર્જિત જૂની શરતની ખેતીની જમીનમાં વારસદારોના નામ દાખલ કરવા માટે પેઢીનામાની જરૂરિયાત હતી. આ કામ માટે પીપળોઇ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કૈવન બીપીનભાઈ શાહ દ્વારા વીસીઈ શૈલેષ રામભાઈ…
‘દેશને ડૉક્ટરોની જરૂર છે’.જીઝ્રએ મેડિકલ કોલેજાેની ઊંચી ફી વિરુદ્ધની અરજી ફગાવી.ર્સ્વનિભર સંસ્થાઓએ સરકાર સંચાલિત સંસ્થાઓ જેટલી જ ફી વસૂલવી જાેઈએ એવું કહી શકાય નહીં : એસસી.રાજસ્થાનની ખાનગી મેડિકલ કોલેજાેમાં ફી અતિશય ઊંચી હોવા અંગેની એક અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે આ દેશને ડૉક્ટરોની જરૂરિયાત છે. ર્સ્વનિભર સંસ્થાઓએ સરકાર સંચાલિત સંસ્થાઓ જેટલી જ ફી વસૂલવી જાેઈએ એવું કહી શકાય નહીં. વિદ્યાર્થીઓ પાસે શિષ્યવૃત્તિ મેળવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ન્યાયમૂર્તિ બી વી નાગરત્ના અને જાેયમાલ્યા બાગચીની બનેલી ખંડપીઠે રાજસ્થાન હાઇકોર્ટના આદેશને પડકારી અરજીની સુનાવણી કરી રહી હતી. હાઇકોર્ટે એક મેડિકલ ઉમેદવારની અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં આરોપ…
વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા.માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું.ભારતીય નાગરિકો માટે વિઝા વગર એન્ટ્રી આપતા દેશોની સંખ્યા વધીને ૨૭ થઈ ગઈ છે, જે વર્ષ ૨૦૧૯માં માત્ર ૧૬ હતી.જાે તમે પાસપોર્ટને ભારતની નાગરિકતાનો પાકો પુરાવો સમજતા હો, તો વિદેશ મંત્રાલયનું આ તાજું નિવેદન ખાસ વાંચવા જેવું છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પાસપોર્ટ મુખ્ય રૂપે વિદેશ પ્રવાસ કરવા માટેનું એક માધ્યમ કે દસ્તાવેજ છે, તે નાગરિકતાનો આખરી પુરાવો નથી. મંત્રાલયે આંકડા જાહેર કરતા ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૫માં ૧.૫ કરોડથી વધુ પાસપોર્ટ અને તેને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં એકલા પાસપોર્ટની સંખ્યા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં મોટાભાગની હોટલ- રેસ્ટોરન્ટોમાં ફ્રીમાં સ્વચ્છ પાણી આપવાનું જાણે કે બંધ કરી દેવાયું હોય એમ ફરજિયાત પણે ઠંડા પાણીની બોટલો બીલમાં એડ કરીને આપવામાં આવતી હોય છે. ત્યારે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંઢેએ બુધવારે આદેશ બહાર પાડીને હોટલ-રેસ્ટોરન્ટ તથા ખાવા પીવાની આઈટમ વેચતા બધા જ ફૂડ જોઈન્ટસને કસ્ટમર્સ ને મફતમાં પીવાનું પાણી આપવા અને એ માટે કોઈ એકસ્ટ્રા ચાર્જ ન લેવા જણાવ્યું હતું. કસ્ટમર્સ પાસેથી પીવાના પાણીના અલગથી ચાર્જ વસૂલ કરવામાં આવતા હોવાની વાત ધ્યાનમાં લઈને આ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આદેશમાં જણાવ્યું હતું કે “કસ્ટમર્સ ને સ્વચ્છ પીવાનું પાણી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



