Author: Garvi Gujarat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા શનિવારે વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી લેખિત નોટિસ આપ્યા વિના જ અચાનક બુલડોઝર ઉતારી દેવામાં આવ્યા હતા. એને લઈને સ્લમ વિસ્તારના ૧૫૦ થી વધુ પરિવારો ધોમધખતા તાપમાં ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. આ અચાનક થયેલી કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઇ હતી. નાસિરનગર વિસ્તારમાં વસતા સ્થાનિક શ્રમિકો અને મહિલાઓનું કહેવું છે કે તેઓ અહીં છેલ્લા ૪૦ થી ૫૦ વર્ષથી વસવાટ કરે છે અને તેમની પાસે રહેઠાણના કાયદેસરના…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેરના ઉમરવાડા સીટી સર્વે નં. ૨૧૭૭ ટીપી સ્કીમ નં.૮ (ઉમરવાડા) ફાયનલ પ્લોટ નં. ૮૩ જેનું ક્ષેત્રફળ ૧૧૨૦૯ ચો.મી જગ્યાના મૂળ માલિક કબજેદારો ઝારાવાડ મુલતાની પંચ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તા.૩/૧૨/૨૦૧૪ ના રોજ સુરત શહેરના છગનલાલ મેવાડાને વેચાણ કરી જગ્યાનો કબજો સુપ્રત કરેલ છે. અને આ જગ્યામાં છગનલાલ મેવાડા પાર્કિંગના નામે મેવાડા પાર્કિંગનો વ્યવસાય કરે છે. અને તેઓનો આ વ્યવસાય હાલ ચાલુ છે. ઉપરોક્ત જગ્યા અંગે કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, હેમંત નરેશ અગ્રવાલ, નટવરલાલ હરલાલકા વિગેરે એ ખોટા ડોકયુમેન્ટ તૈયાર કરી આ જગ્યા પચાવી પાડવા માટે કાવતરું કરેલ છે.પ્રથમ તો આ જગ્યામાં તેઓનું આજદિન સુધી ક્યારે કબજો…

Read More

૧૫ જૂને પૂછતાછ માટે બોલાવાયા શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને ED નું સમન્સ મામલો પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં થયેલી કથિત ગેરરીતિઓ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો સાથે જાેડાયેલો છે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ મચી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અભિષેક બેનર્જીના નિવાસ્થાને પહોંચી હતી. ઈડીના અધિકારીઓએ પ્રાથમિક શિક્ષક ભરતી કૌભાંડ સાથે જાેડાયેલા મની લોન્ડરિંગના કેસમાં તેમને સત્તાવાર રીતે સમન્સ પાઠવ્યું છે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર, અભિષેક બેનર્જીને આગામી ૧૫ જૂનના રોજ તપાસમાં જાેડાવા માટે બોલાવવામાં આવ્યા છે. આ દિવસે તેમણે કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થઈને અધિકારીઓના સવાલોના જવાબ આપવા પડશે. આ…

Read More

પટણાના કોચિંગ ક્લાસ પર હુમલા બાદ આરોપ ફૈઝલ ખાન સરે ઓછી ફીમાં ભણાવવાની કિંમત ચૂકવવી પડી આ હુમલાનું કનેક્શન બિહાર પોલીસ ભરતીના પરિણામો સાથે હોવાની ખાન સરે આશંકા વ્યક્ત કરી છે ખાન સરના તરીકે દેશભરમાં જાણીતા બિહારના ફૈઝલ ખાન સરના કોચિંગ સેન્ટરમાં તોડફોડ કરીને ગાર્ડ પર હુમલો કરાતા હોબાળો મચી ગયો છે. આ હુમલાનું કનેક્શન બિહાર પોલીસ ભરતીના પરિણામો સાથે હોવાની ખાન સરે આશંકા વ્યક્ત કરી છે. પટણા પોલીસે જણાવ્યું છે કે, કદમકુઆં પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર ૨ જૂનની રાત્રે લગભગ ૧૦:૧૦ વાગ્યે પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચીને…

Read More

ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવાની તૈયારી પાકિસ્તાને કર્યું મસ્જિદનું લોકાર્પણ તો ભડક્યું જાપાન! ફોરેસ્ટ લૅન્ડ પર મંજૂરી વગર ઊભી કરી દીધી મસ્જિદ જાપાનના સાયતામા પ્રાંતના કાવાગોએ શહેરમાં કાનૂની મંજૂરી વિના એક મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો વિવાદ સામે આવ્યો છે. આ મામલે જાપાન સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર ભારે નારાજ હોવાના અહેવાલો છે. વિવાદ એટલા માટે વધુ વકર્યો છે કારણ કે આ વર્ષની શરૂઆતમાં જાપાનમાં પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ હમીદ પોતે આ મસ્જિદના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જાપાની મીડિયામાં આ અંગે તીખા અહેવાલો આવ્યા બાદ, પાકિસ્તાની દૂતાવાસે આ પ્રોજેક્ટથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી દીધું છે. શહેરી પ્રશાસનના જણાવ્યા…

Read More

હરમનપ્રીત કૌરના નામે વધુ એક રેકોડ હરમનપ્રીત સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ખેલાડી બની ગઈ હરમન હવે ૨૦૨૬ના ICC T20 વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતરશે, જ્યાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભલે ઇંગ્લેન્ડ સામે ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ હારી ગઈ હોય, પરંતુ હરમનપ્રીત કૌરે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સને પાછળ છોડીને, કૌર હવે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી મહિલા ખેલાડી બની ગઈ છે. હરમન હવે ૨૦૨૬ના ICC T20 વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતરશે, જ્યાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ૬…

Read More

અમરનાથ યાત્રા આજથી શરૂ અમરનાથ યાત્રા ૨૦૨૬ને લઈ શિવ ભક્તોમાં ખુબ ઉત્સાહ અમરનાથ યાત્રા ૩ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ સુધી ૫૭ દિવસ સુધી ચાલશે : હેલીકોપ્ટર સેવા બંધ કરી દેવાઈ અમરનાથ યાત્રા ૨૦૨૬ને લઈ શિવ ભક્તોમાં ખુબ ઉત્સાહ છે અને બાબા બરફાનીના દર્શન કરવા આતુર છે. અમરનાથ યાત્રા ૨૦૨૬ ૩ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ સુધી ૫૭ દિવસ સુધી રક્ષાબંધન સુધી ચાલશે.જેને લઈ લુધિયાણાથી હજારો શિવભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અમરનાથ યાત્રા માટે શિવ ભક્તોને ૧૪ કિલોમીટર સુધી પગપાળા જવાનું હોય છે. અમરનાથ યાત્રા માટે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના અને ૭૦ વર્ષની ઉંમરના શ્રદ્ધાળુઓને આ યાત્રામાં સામેલ થવાની પરવાનગી નથી. આ વર્ષે,…

Read More

રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવાઈ વિદેશીઓ માટે ભારતમાં રહેવાના નિયમો બદલાયાં ૧૮૦ દિવસ પહેલા રજિસ્ટ્રેશન કરાવવાની છૂટ, પ્રથમ વખત ઓનલાઈન અપીલની સુવિધાનો પણ અમલ શરૂ કરાયો કેન્દ્ર સરકારે વિદેશી નાગરિકો માટે ભારતમાં રહેવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ગૃહ મંત્રાલયે ‘ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (સંશોધન) નિયમ, ૨૦૨૬’નું નોટિફિકેશન બહાર પાડીને રજિસ્ટ્રેશન અને અપીલ પ્રક્રિયાને સરળ બનાવી છે. નવા નિયમો અનુસાર, વિદેશી નાગરિકો હવે ભારતમાં તેમના રોકાણના ૧૮૦ દિવસ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ સમયે રજિસ્ટ્રેશન કરાવી શકશે. અગાઉ ૧૮૦ દિવસ પૂરા થયાના ૧૪ દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું. હવે નિર્ધારિત સમય મર્યાદા પછી રજિસ્ટ્રેશન માત્ર ખાસ સંજાેગોમાં જ કરવામાં આવશે.સરકારે પ્રથમ…

Read More

પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી લખનઉમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ મુખ્ય આરોપીની ધરપકડ સાથે પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય અજાણ્યા શંકાસ્પદોની શોધ શરૂ કરી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના જાનકીપુરમ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર ૧૫ વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. પીડિતા દિવ્યાંગ છે અને માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી અને મુખ્ય આરોપી દિનેશ કશ્યપની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ઘણા શંકાસ્પદોની પણ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના જાનકીપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.…

Read More

અન્ય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો દ્વારા તોડફોડ ‘ખાન સર’ ના કોચિંગ સેન્ટર પર હુમલો, ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી સીસીટીવી ફૂટેજમાં ખાન સરના કોચિંગ સેન્ટરમાં કોઈ ફાયરિંગ થયાની પુષ્ટિ થઈ નથી બિહારની રાજધાની પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર મંગળવારે(૨ જૂન) રાત્રે ગોળીબારના સમાચાર સામે આવ્યા હતા. કોચિંગ સેન્ટર પર થયેલા હુમલો મામલે જાણીતા શિક્ષક ખાન સરે પોતે આ માહિતી આપી હતી. સમગ્ર મામલે પટના પોલીસનું નિવેદન આવ્યું છે. જેમાં પટના પોલીસે જણાવ્યું છે કે, ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર કોઈ ફાયરિંગ થયું નથી.પટણા પોલીસે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે કદમકુઆં પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર…

Read More