- અંબાજી ગબ્બર દર્શન 22-23 એપ્રિલે બંધ, મધપૂડા દૂર કરવાની કામગીરી માટે રોપવે પણ બંધ રહેશે
- સંજય રાઉતનો ગુજરાત પર કટાક્ષ: સુરતમાં શ્રમિક પલાયન મુદ્દે સરકાર પર નિશાન, રાજકીય ગરમાવો
- બંગાળમાં મતદાર યાદી ડરની અફવા: હજારો શ્રમિકોની ઘરવાપસી, રેલવે સ્ટેશનો પર ભારે ભીડ
- વિરાટ કોહલી-અનુષ્કા શર્મા વૃંદાવન મુલાકાત: પ્રેમાનંદ મહારાજ સાથે આધ્યાત્મિક ચર્ચા, પાંચ મહિનામાં ત્રીજી મુલાકાત
- ટ્રમ્પની કેનેડાને ચેતવણી: ચીન ડીલ ખતમ કરો નહીં તો 100% ટેરિફ લગાવશું
- અમેરિકા-ઈરાન તણાવ વધ્યો: જહાજ જપ્ત બાદ ડ્રોન હુમલાની આશંકા, સીઝફાયર પર સંકટ
- જમ્મુ-કાશ્મીરમાં બસ દુર્ઘટના: 21ના મોત, 30થી વધુ ઘાયલ, CM ઓમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો
- કેપિટોલ હિલ પર 22 એપ્રિલે આતંકવાદ પર પ્રદર્શન, પાકિસ્તાનની પોલ ખોલશે ભારત
Author: Garvi Gujarat
પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અમદાવાદ, રાજકોટ,વડોદરા RTO બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી અમદાવાદ, રાજકોટ અને વડોદરા RTO બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બપોરે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. ધમકી મળતા તમામ ઇ્ર્ં ખાલી કરાવવામાં આવ્યા હતા. અધિકારીઓ-કર્મચારી, અજરદારોને બહાર કઢાયા હતા. હાલમાં તમામ RTO પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ટેસ્ટ માટે આવેલા અરજદારોને બહાર કઢાયા હતા. પોલીસે અફવાથી દૂર રહેવા…
દીકરી મેદાને ઉતરવા તૈયાર ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના ૪ સભ્યો ચૂંટણી લડશે! રિપોર્ટ મુજબ બૃજભૂષણની પુત્રી શાલિની ‘ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૭’માં એન્ટ્રી કરી શકે છે ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણીતા બાહુબલી નેતા અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ સિંહ ફરી ચર્ચામાં આવ્યા છે. રાજ્યના મધ્યથી લઈને પૂર્વ સુધી રાજકીય આધાર વધારવાનો પ્રયાસ કરી રહેલા બૃજભૂષણ સિંહના બંને પુત્ર પ્રતિક અને કરણ બાદ હવે તેમની પુત્રી શાલિની સિંહ પણ રાજકારણમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ મુજબ બૃજભૂષણની પુત્રી શાલિની ‘ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૭’માં એન્ટ્રી કરી શકે છે અને તેઓ નોઈડાથી ચૂંટણી લડવાની તૈયારીમાં હોવાની ચર્ચાઓ સામે આવી છે. એકતરફ…
લોકો સસ્તા ફ્લેટ ખરીદીને અસ્થિઓ મૂકવા મજબૂર ચીનમાં મોત બાદ પણ સંકટ ! કબ્રસ્તાન ખૂટ્યા કબ્રસ્તાનમાં જગ્યા ન હોવાથી અને દફનાવાવનો ખર્ચ વધી ગયા ચીનમાં તાજેતરમાં એક અનોખી અને ગંભીર મુસીબત ઉભી થઈ છે. અહીં અનેક મોટા શહેરોમાં મૃતદેહોને દફનાવવા માટે કબ્રસ્તાનની ભારે અછત સર્જાઈ છે. આ કારણે હવે અનેક પરિવારજનો મૃતદેહને દફનાવવામાં અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બીજીતરફ દફનાવાવનો ખર્ચ પણ વધી જતા પરેશાની વધી ગઈ છે. રિપોર્ટ મુજબ, કબ્રસ્તાનમાં જગ્યા ન હોવાથી અને દફનાવાવનો ખર્ચ વધી ગયો હોવાના કારણે હવે સ્થિતિ એવી ઉભી થઈ છે કે, પરિવારજનો પોતાના પ્રિયજનને અંતિમ વિદાય આપવા માટે રહેણાંક વિસ્તારમાં નાના અને…
ઈરાનમાં ઘૂસી પોતાના દેશના પાઈલટને બચાવ્યો જેણે પાકિસ્તાનમાં જઈ લાદેનનો ઘડો લાડવો કર્યો, તેણે પાઈલટને બચાવ્યો ૨૦૧૧માં પાકિસ્તાનના એબટાબાદમાં તેના નાક નીચેથી ઓસામા બિન લાદેન પર ત્રાટકીને ખાતમો કર્યો હતો ઈરાન અને ઈઝરાયેલ અમેરિકા વચ્ચે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં અમેરિકાએ એક મોટી સિદ્ધિ મેળવી. ઈરાને અમેરિકી વિમાન તોડી પાડતા તેનો પાઈલટને બચી તો ગયો પરંતુ ઈરાનમાં પહોંચી ગયો. હવે યુદ્ધના સમયે દુશ્મનની ધરતી પરથી પોતાના પાઈલટને જીવતો લાવવો એ અમરિકા માટે એક મોટો પડકાર બની ગયો હતો. કારણ કે ઈરાને પણ આ પાઈલટને જીવતો પકડવા માટે ખુબ ધમપછાડા કર્યા હતા. એટલે સુધી કે ઈનામ પણ જાહેર કર્યું…
કહ્યું- ભારતની કૂટનીતિ ખુબ સારી ઈરાને ભારતીય વિદેશ નીતિના પેટછૂટા વખાણ કર્યા ભારત વધુ મોટી ભૂમિકા ભજવી શકે : ઈરાનના ભારતમાં પ્રતિનિધિ અબ્દુલ માજિદ કહીમ ઈલાહીનું નિવેદન એક જ સમયે અમેરિકા, ઈરાન, ઈઝરાયેલ અને અન્ય દેશો સાથે સકારાત્મક સંબંધ રાખવાના ભારતના વલણની વિશ્વમાં ચર્ચા છે. હવે ઈરાને પણ ભારતની કૂટનીતિના પેટછૂટા વખાણ કર્યા. ઈરાનના સુપ્રીમ લીડરના ભારતમાં પ્રતિનિધિ અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ કહ્યું કે ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનને અલ્ટીમેટમ આપીને ખળભળાટ મચાવેલો છે. જેને પગલે યુદ્ધ વધુ ભીષણ થવાના સંકેત મળી રહ્યા છે. જાે કે ટ્રમ્પનો…
ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યાઃ સોનાના વાયદામાં રૂ.1367 અને ચાંદીના વાયદામાં રૂ.3000નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.25429.55 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.93532.62 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16356.34 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36072 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.118963.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25429.55 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.93532.62 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36072 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2977.89 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16356.34 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેરમા રાતોરાત બિલ્ડરો બની જતાં હોય છે. ખેડૂતોની જગ્યાના સાટાખત કે કબજા રસીદ લખાવી તેના ઉપર માર્કેટોના બાંધકામના બોર્ડ મૂકી અનેક લોકોને છેતરતા હોવાના અનેક બનાવો સુરત શહેરમા બનતા આવ્યા છે. મોટાભાગે સુરત શહેરમા માર્કેટના વધુ બાંધકામ થતાં હોય છે. અને બિલ્ડરો પણ રાતોરાત બની જતાં હોવાથી છેતરપિંડીના અનેક બનાવો બની રહયા છે. એવો જ એક કિસ્સામા સુરત શહેરના ગોડાદરા વિસ્તારમા આવેલ ITM માર્કેટના બાંધકામની વર્ષ ૨૦૧૭ મા જાહેરાત થતાં જ પર્વતપાટિયા, ડુંભાલ સુરતના અને મૂળ રહેવાસી રાજસ્થાનના નરેશે ૨૭૦૦ સ્કેવર ફીટ પાંચમો માળ બ્રોકરોના માધ્યમથી બુક કરાવેલો હતો. અને તે પેટે ત્રણેક ટુકડે રૂપિયા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમા મોંધવારી, બેકારી અને ગુન્હાખોરીની સાથે સાથે પેટ્રોલ, ડીઝલ, ગેસ ના વધેલા ભાવો અને સર્જાયેલી અછત થી કંટાળેલી જનતા ના વિરોધ વંટોળ વચ્ચે આવનારી SMC ની ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટી ધ્વારા બબ્બે ટર્મથી ચૂંટાયેલા વિજય ચૌમાલ ને બદલવામાં નહીં આવે તો ચૂંટણીનું આવનારું પરિણામ કદાચ ભારતીય જનતા પાર્ટી માટે આશ્ચર્યજનક બની રહે તો નવાઈ નહીં રહે? અને એવો જ એક વિવાદાસ્પદ BJP નો ચહેરો એટલે વોર્ડ નં.૧૯ આંજણા-ડુંભાલમા છેલ્લા બે ટર્મથી ચૂંટાતો વિજય ચૌમાલ. આ વિજય ચૌમાલ BJP ની ટિકિટ ઉપર છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી ચૂંટાઈને સુરત મ.ન.પા મા વોર્ડ નં. ૧૯ ના મતદારોનું પ્રતિનિધિત્વ કરી…
ભાજપના સ્થાપના દિવસ પર મોદીએ કહ્યું દરેક પડકારનો સામનો કરવા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે યુનિફોર્મ સિવિલ કોડ, વન નેશન વન ઇલેક્શન – આવા તમામ વિષયો પર આજે દેશમાં ચર્ચા થઈ રહી છે : મોદી ભારતીય જનતા પાર્ટીનો આજે ૪૭મો સ્થાપના દિવસ છે. આ અવસરે ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના આગામી બે સૌથી મોટા ટાર્ગેટ જણાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ત્રિપલ તલાકનો કાયદો, CAA અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જેવા મોટા લક્ષ્યો હાંસલ કરી ચૂકી છે. આના પછીનો નંબર યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન વન ઇલેક્શનનો છે. તેમણે…
સ્પીકરની ગાડી પર શાહી ફેંકી શખસ ફરાર દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક: ગેટ તોડી અંદર ઘૂસી કાર ઉત્તરપ્રદેશ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી સફેદ રંગની ટાટા સિયેરા કાર બપોરે ૨:૦૫ વાગ્યે ગેટ નંબર ૨ને તોડીને વીઆઈપી એન્ટ્રીથી અંદર પ્રવેશી હતી દિલ્હી વિધાનસભામાં સુરક્ષાની ગંભીર બેદરકારી સામે આવી છે. આજ (૬ એપ્રિલ) રોજ એક અજ્ઞાત કાર વિધાનસભાનો ગેટ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં હડકંપ મચી ગયો છે. ઉત્તરપ્રદેશ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી સફેદ રંગની ટાટા સિયેરા કાર બપોરે ૨:૦૫ વાગ્યે મોલ રોડ પર આવેલા અને સામાન્ય રીતે બંધ રહેતા ગેટ નંબર ૨ને તોડીને વીઆઈપી એન્ટ્રીથી અંદર પ્રવેશી હતી. પ્રાથમિક માહિતી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



