Author: garvigujrat

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારને ચેલેન્જ આપતા જણાવ્યુ હતું કે, આજકાલ ભાજપવાળા પંજાબની શાળાઓને બદનામ કરવામાં લાગેલા છે. 30 વર્ષથી તમારી ગુજરાતમાં સરકાર છે અને 4.5 વર્ષથી અમારી પંજાબમાં સરકાર છે. હું પંજાબની 1000 શાળાઓનું લિસ્ટ આપું છું, તમે ગુજરાતની 1000 શાળાઓનું લિસ્ટ આપો. આપણે બધા, તમે પણ આવો અને અમે પણ આવીએ. તમારા ગુજરાતની 1000 શાળાઓનું ઇન્સ્પેક્શન કરીએ અને સાથે મળીને પંજાબની 1000 શાળાઓનું ઇન્સ્પેક્શન કરીએ. કઈ શાળાઓ સારી છે? બધી મીડિયાને સાથે લઈને જઈશું. ભાજપવાળા પણ આવે અને અમે પણ આવીએ, બંને રાજ્યોની શાળાઓનું ઇન્સ્પેક્શન કરીએ. CJP એ ભાજપ શાસિત…

Read More

​(નીડર ,નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ​ ગુજરાત રાજ્યમાં કોઈપણ સમસ્યાનું સમાધાન માટે આંદોલન ફરજીયાત થઈ ગયું છે. આંદોલન વગર કોઈપણ સમસ્યાનું સમાધાન થતું નથી અને આંદોલન કર્યા બાદ આંદોલનકારીઓ એ આંદોલન થી માત્ર ને માત્ર સંતોષ અનુભવવાનો છે. જે સમસ્યા છે એનું જડમૂળથી નિરાકરણ થતું જ નથી એ પછી ગુજરાત ના ખેડૂતોનું આંદોલન હોય,યુવા વિદ્યાર્થીઓનું આંદોલન હોય, નીટ માટે વિદ્યાર્થીઓનું આંદોલન હોય, મેડીકલ કોલેજના સ્ટુડન્ટોનું આંદોલન હોય, આશા વર્કર બહેનોનું આંદોલન હોય, વેપારીઓનું આંદોલન હોય ઉપરોક્ત તમામે તમામ લોકોએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે રોડ ઉપર ઉતરી સરકારના, જિલ્લાના પ્રતિનિધિ કલેકટર ને આવેદન પત્ર આપી સંતોષ માનવાનો હોય છે.…

Read More

​(છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ​સુરત ની નવી સિવિલ હોસ્પિટલ ના આશાસ્પદ યુવાન ડો. હર્ષ પંડ્યા એ રેગિંગ નો ભોગ બન્યા પછી કરેલી આત્મહત્યાની ઘટનાનો પડઘો હજુ શમ્યો નથી ત્યાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તાર માં આવેલી સરદાર પટેલ સ્કૂલ નજીકની માધવ બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા ૧૪ વર્ષના ધોરણ-૯ ના વિદ્યાર્થી પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવતા ફરી વાલીઓમા ગભરાટ ફેલાયો છે. ભોગ બનનાર વિદ્યાર્થીના ​વાલી દ્વારા કરાયેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ ફરિયાદી નો ૧૪ વર્ષનો પુત્ર ધોરણ ૯ માં ભણે છે. અને માધવ બોયઝ હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલ માં તેની સાથે રૂમ માં રહેતા અને નીટની તૈયારી કરતા…

Read More

૪૭ વર્ષે અમેરિકાની મુસ્લિમ દેશને મોટી ભેટ અમેરિકાએ સીરિયાને આતંકવાદની બ્લેક લિસ્ટમાંથી હટાવ્યું આતંકવાદ પ્રાયોજિત દેશનો ટેગ હટવાથી સીરિયામાં વિદેશી રોકાણ અને ખાનગી કંપનીઓ માટે નવા દરવાજા ખુલશે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સીરિયાને આતંકવાદને પ્રાયોજિત કરનારા દેશોની યાદી માંથી ઔપચારિક રીતે હટાવી દીધું છે. અમેરિકાના આ ઐતિહાસિક ર્નિણયથી સીરિયા પર દાયકાઓથી લાદવામાં આવેલા કડક આર્થિક અને વ્યાપારી પ્રતિબંધોમાંથી મુક્તિ મળવાનો રસ્તો સાફ થયો છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા સીરિયાને સૈન્ય મદદ આપવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કાે રૂબિયોએ આ ર્નિણયને સીરિયાના નાગરિકોના સારા ભવિષ્ય અને આર્થિક પ્રગતિ માટેનું એક મહત્ત્વપૂર્ણ કદમ ગણાવ્યું છે.અમેરિકાએ આ ર્નિણય સાથે…

Read More

ગુરુગ્રામમાં સ્કૂલો, ઓફિસોને વર્ક ળોમ હોમની સલાહ દિલ્હી-ગુરુગ્રામમાં જળબંબાકાર: ૨૬ ફ્લાઇટ રદ, ૩૮૦થી વધુના શિડયુલ ખોરવાયા હિમાચલમાં પણ ભારે વરસાદના પગલે ૯૮ જેટલાં રોડ બંધ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ધોધમાર વરસાદ સોમવારે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ફ્લાઇટ ડાયવર્ઝન, જળબંબાકાર અને મોટા પાયે ટ્રાફિંક જામની ઘટનાઓ સામે આવી હતી, રાજધાની દિલ્હીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન વરસાદ પડયો. આ દરમિયાન ગુરુગ્રામમાં ટ્રાફિકની સ્થિતિ સૌથી ખરાબ જાેવા મળી હતી. દિલ્હી એરપોર્ટ પર ૩૮૦ જેટલી ફ્લાઇટ્સ વરસાદને કારણે મોડી ચાલી રહી હતી. જ્યારે ૨૬ ફ્લાઇટો રદ…

Read More

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર આવું થશે! ટ્રમ્પ સરકાર ૨ લાખ વિદેશીઓના વિઝા રદ કરવાની તૈયારીમાં વીઝા રદ્દ થવાનો અર્થ એવો નથી કે તે લોકોને તાત્કાલિક દેશમાંથી હાંકી કાઢવામાં આવશે : અધિકારીઓની સ્પષ્ટતા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં શરણ માટે અરજી કરનારા અથવા શરણ મેળવવાનો પ્રયાસ કરી રહેલા આશરે ૨ લાખ વિદેશી નાગરિકોના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવા માટેની મોટી તૈયારી કરી રહ્યું છે. જાે આ યોજનામાં કોઈ ફેરફાર કે કાનૂની પડકાર નહીં આવે, તો વિદેશ વિભાગ દ્વારા આગામી સપ્તાહોમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. અમેરિકી ઇતિહાસમાં એક જ સમયે આટલી મોટી સંખ્યામાં વીઝા રદ્દ કરવાનો આ સર્વપ્રથમ અને મોટો…

Read More

બાબા રામદેવ અને બોલિવૂડ સેલેબ્સ પર કંગનાની આકરી ટિપ્પણી ‘મારી ૧% સફળતા પણ મેળવી નથી, તો જ્ઞાન ન આપો’ બાબા રામદેવ સનાતનના કપડાં પહેરે છે, છતાં મહિલાઓ પ્રત્યે આવી વિવાદિત ટિપ્પણીઓ કરે છે, જે આશ્ચર્યજનક અને શરમજનક છે’ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણૌતે બાબા રામદેવ પર ફરી એકવાર તીખા પ્રહારો કર્યા છે. ‘જેન જી’ (ય્ીહ ઢ) આંદોલન અંગે કંગનાએ કરેલી ટીપ્પણી બાદ બાબા રામદેવે નિવેદન આપ્યું હતું, ત્યારથી બંને વચ્ચે આરોપ-પ્રત્યારાપનો દૌર ચાલી રહ્યો છે. બાબા રામદેવે રવિવારે કહ્યું હતું કે ‘હું શું છું, તે આખો દેશ જાણે છે.’ આ નિવેદન પર કંગનાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, બાબા…

Read More

ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ યુકેમાં થશે અક્ષય કુમારની સવાર્ીવલ થ્રીલર સમુકનું શૂટિંગ શરૂ વિદેશના અનેક ક્રૂ મેમ્બર્સ હોવાથી આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ યુકેમાં થવાનું છે. તેનો થોડો હિસ્સો મુંબઈમાં શૂટ થશે અક્ષય કુમારે લંડનમાં તેની આગામી ફિલ્મ ‘સમુક’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અક્ષય કુમાર ખુદ આ ફિલ્મનો સહ નિર્માતા પણ છે. આ ફિલ્મમાં લશ્કરી શિસ્ત સાથે એલિયન પ્રાણીથી જીવ બચાવવાની કહાની રજૂ કરવામાં આવશે.ફિલ્મમાં કોઇ કસર બાકી ન રહે તે માટે એલિયન બનાવવા માટે હોલિવૂડના ક્રિયેચર ઇફેક્ટસ ડિઝાઇનર એલેક ગિનીસની સેવાઓ લેવામાં આવશે. આ ઉપરાંત બ્રિટિશ એક્શન ડાયરેક્ટર લુક ટુમ્બર પણ એક્શન ડિઝાઇન પર દેખરેખ રાખશે. એલેક ગિનીસે ‘એલિયન’ ફિલ્મમાં…

Read More

હવે ‘પુષ્પા ૨’ પર નજર યશની ‘ટોક્સિક’ નો એડવાન્સ બુકિંગે ‘જવાન’ અને ‘એનિમલ’નો રેકોર્ડ તોડ્યો ભારતમાં ‘ટોક્સિક’ ફિલ્મે એડવાન્સ બુકિંગના ઓપનિંગના પ્રથમ ૨૪ કલાકમાં જ ૨.૫ લાખથી વધુ ટિકિટો વેચીને વિરોધીઓને ચોંકાવી દીધા મુંબઈ: સાઉથના રોકિંગ સ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા હતા અને હવે તેનો ક્રેઝ બોક્સ ઓફિસના એડવાન્સ બુકિંગ પર સ્પષ્ટપણે જાેવા મળી રહ્યો છે. ‘ટોક્સિક’ એડવાન્સ ટિકિટ સેલમાં એક પછી એક મોટા રેકોર્ડ તોડી રહી છે અને બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચવાની દિશામાં આગળ વધી રહી છે. ચાલો વિગતે જાણીએ…હાલમાં ‘ટોક્સિક’ જે ફિલ્મનો એડવાન્સ બુકિંગ…

Read More

અણબનાવ અને છૂટાછેડાની અફવાઓ વચ્ચે ગોવિંદા અને સુનિતાએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફૉલો કર્યા ભૂતકાળમાં નીલમ કોઠારીથી લઈને રાની મુખર્જી સુધીના કલાકારો સાથે ગોવિંદાનું નામ જાેડાઈ ચૂક્યું છે બૉલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચેનો વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. બંને પોતાના સંબંધોમાં વધી રહેલી તિરાડના કારણે સતત ચર્ચામાં છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફૉલો કરી દીધા છે.તાજેતરમાં સુનિતા આહુજાએ અભિનેત્રી રાખી સાવંત સાથેની વાતચીતમાં દાવો કર્યાે હતો કે ગોવિંદા, કોમલ રાની સ્વર્ણકાર સાથે લગ્ન કરવાના હતા અને આ જ કારણે તેમણે છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો હતો. બીજી તરફ,…

Read More