Author: garvigujrat

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. સુરતના પરવત પાટિયા, પુણા કુંભારિયા રોડ ઉપર શિવશક્તિ માર્કેટનો આજથી ૯ થી ૧૦ વર્ષ પહેલા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલ એની રજા ચિઠ્ઠી (પ્લાન મંજૂરી) જેતે સમયે મેળવેલી હોવા છતાં આજ દિન સુધી એ પ્રોજેક્ટ આજે પણ ખંડેર હાલતમાં છે. આશરે ૦૯ થી ૧૦ વર્ષ પહેલા બિલ્ડર દામોદર કચ્છીએ ભુપત પોપટ ઠક્કર,પિનલ ઠક્કર સાથે મળીને આ લોકોએ શિવશક્તિ માર્કેટના નામે પ્રોજેક્ટ ચાલુ કરેલો અને શિવ શક્તિ માર્કેટના બુકિંગ પેટે જરૂરિયાત મંદો પાસેથી 35% થી 40% નાણાં એડવાન્સ લીધેલા અને બ્રોકરોના માધ્યમથી ડાયરીઓ બનાવેલી. જેમાં આજદિન સુધી રકમ પાછી આપવામાં આવી નથી એટલે કે છેલ્લા દસ…

Read More

ભારતીયોને ઈબી-૨ વિઝા માટે વધારે રાહ જાેવી પડશે અમેરિકામાં ભારતીયોને રોજગાર આધારિત ગ્રીનકાર્ડ હાલ મળશે નહીં મલ્ટિનેશનલ કંપનીઓમાં કાર્યરત ભારતીયો સહિત વિદેશી નાગરિકોના વિઝા માટે કેનેડાએ કડક નિયમો બનાવ્યાં ઈબી-૨ કેટેગરીના વિઝા મેળવીને અમેરિકા જતાં ઉચ્ચ ડિગ્રીધારક ભારતીયો સહિત તમામ વિદેશી નાગરિકોને હવે વધુ એક વર્ષની રાહ જાેવી પડશે. અમેરિકન સરકારે આ વર્ષે આ કેટેગરીના વિઝા અવેલેબલ ન હોવાની જાહેરાત કરી દીધી છે. કેનેડાએ પણ અમેરિકાની જેમ અમુક કેટેગરી વિઝાના નિયમો કડક બનાવી દેતાં હજારો ભારતીયો માટે કેનેડાના વિઝા મેળવવાનું મુશ્કેલ બનશે.અમેરિકન સરકારના કહેવા પ્રમાણે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીનકાર્ડ મેળવવા માટેની ઈબી-૨ કેટેગરી છે તેમાં આ વર્ષે જગ્યા નથી એટલે હવે…

Read More

રોડની બાજુમાં ચાલવા જગ્યા ફાળવવા કેન્દ્રને આદેશ દેશભરમાં તમામ રોડની બાજુમાં ફૂટપાથ દબાણ મૂક્ત કરો : સુપ્રીમ લોકો ફૂટપાથ પર ભયથી મૂક્ત રહીને ચાલી શકે તેવી વ્યવસ્થા કરો, સુપ્રીમે કેન્દ્રને યોગ્ય પગલાં માટે બે સપ્તાહનો સમય આપ્યો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે દેશમાં તમામ મહત્વના રોડ દબાણ મૂક્ત હોવા જાેઇએ, નાગરિકોને ચાલવા માટે રોડની બાજુમાં જે જગ્યા ફાળવવામાં આવી છે ત્યાં પણ કોઇ પણ પ્રકારનું દબાણ ના થાય તેની તકેદારી રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં પણ રોડ હોય ચાલવા માટે અલગથી જગ્યા ફાળવવી પણ જરૂરી છે. પગપાળા ચાલનારાઓ ભયમૂક્ત બનીને ચાલી શકે તેવી વ્યવસ્થા…

Read More

ઇઝરાયેલનો સ્પષ્ટ ઇનકાર: ટ્રમ્પે કરેલા નિ:શસ્ત્રીકરણ કરાર સામે વાંધો હમાસ શસ્ત્રો હેઠાં મૂકે તે પછી જ ગાઝામાંથી સૈન્ય પાછું ખેંચાશે ટ્રમ્પની ૨૦ મુદ્દાની યુદ્ધવિરામ યોજના મુજબ હમાસ પોતાના હથિયારો હેઠા મૂકશે અને તેની વિશાળ સુરંગ વ્યવસ્થાને નાશ કરશે અને ઇઝરાયેલી મિલિટરી ગાઝામાં પીછેહટ કરશે હમાસ સાથે સૂચિત નિ:શસ્ત્રીકરણ કરાર અંગે અમેરિકા સમક્ષ ગંભીર સુરક્ષા ચિંતા વ્યક્ત કરતાં ઇઝરાયેલે જણાવ્યું છે કે ગુપ્તચર માહિતી મુજબ હમાસ નિ:શસ્ત્રીકરણ કરવાને બદલે પોતાની મિલિટરી તાકાત ફરીથી ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે. હમાસનું સંપૂર્ણપણે નિ:શસ્ત્ર નહીં થાય ત્યાં સુધી ઇઝરાયેલી આર્મી ગાઝામાંથી પીછેહઠ નહીં કરે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ સપ્તાહની શરૂઆતમાં આ કરારની જાહેરાત કર્યા…

Read More

વર્ષ ૨૦૧૧માં અરૂણાનું કરિયર એકદમ પીક પર હતું વિવેક ઓબેરોયની હિરોઈને ગ્લેમર છોડી કેમ અપનાવ્યો અધ્યાત્મનો માર્ગ? અરૂણા એક અત્યંત પ્રાચીન સિદ્ધ પરંપરા સાથે જાેડાયેલી છે, જેનો ઇતિહાસ ઈ.સ. પૂર્વે ૩૧૪૩ જેટલો જૂનો માનવામાં આવે છે ૨૦૧૦માં આવેલી બોલીવૂડ ફિલ્મ ‘પ્રિન્સ’નું સુપરહિત ગીત ‘તેરે લિયે’ અને એક્ટર વિવેક ઓબેરોય સાથે પોતાની બોલ્ડનેસ અને કિલર અદાઓથી દર્શકોના દિલ પર રાજ કરનાર એક્ટ્રેસ અરૂણા શીલ્ડ્સ આજે ગ્લેમરની દુનિયાથી તદ્દન દૂર એક અલગ જ જીવન જીવી રહી છે. પોતાની પહેલી જ ફિલ્મથી દેશભરમાં ચર્ચામાં આવેલી અરૂણા જ્યારે કરિયરના પીક પર હતી, ત્યારે જ તેણે અચાનક ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. આજે તે…

Read More

ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થશે આર ડી બર્મનની બાયોપિકમાં અક્ષય કુમારનો કેમિયો કરશે ફિલ્મમાં ફરહાન અખ્તર આરડી બર્મન ઉપરાંત એક ઓર દિગ્ગજ સંગીતકાર પંડિત રવિશંકરની પણ ભૂમિકા હશે ફરહાન અખ્તરની મુખ્ય ભૂમિકા ધરાવતી આર ડી બર્મનની બાયોપિકમાં હવે અક્ષય કુમાર પણ એક ખાસ કેમિયો કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. નીરજ પાંડે અને અક્ષય કુમાર અગાઉ પાંચ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા હોવા છતાં એક દાયકા બાદ તેઓ આ ફિલ્મમાં ફરી સાથે કામ કરશે.અક્ષય કુમારની ભૂમિકા નાની છે પણ તે સ્ટોરી માટે ખૂબ મહત્વની છે. નીરજ પાંડેએ આ રોલ નેેરેટ કર્યાે તે સાથે જ અક્ષયકુમાર તે ભજવવા માટે તૈયાર થઇ ગયો…

Read More

ફરહાનના સ્થાને સિદ્ધાંત ગુપ્તા ગોઠવાઈ ગયો ફરહાને લાલા અમરનાથની બાયોપિક લલકાર છોડી દીધી આમિરખાન આ ફિલ્મમાં સ્વતંત્ર ભારતના પ્રથમ ક્રિકેટ કેપ્ટન લાલા અમરનાથની ભૂમિકા ભજવવાનો છે ફરહાન અખ્તરે આમિરખાન અને આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘લલકાર’ છોડી દેતાં તેના સ્થાને ‘જ્યુબિલિ’ સીરિઝ ફેમ સિદ્ધાંત ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે.આર.ડી. બર્મનની બાયોપિકમાં ડેટ્સ આપી દીધી હોઇ ફરહાન માટે આ ફિલ્મની તૈયારીઓ માટે પૂરતો સમય કાઢવાનું મુશ્કેલ હોઇ તેણે લાલા અમરનાથની કહાની કહેતી સ્પોર્ટસ ફિલ્મ ‘લલકાર’ છોડી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જાે કે ફરહાન સહનિર્માતા તરીકે તો આ ફિલ્મ સાથે સંકળાયેલો રહેશે.આમિરખાનની આ ફિલ્મનું શૂટિંગ પહેલી ઓક્ટોબરથી મુંબઇમાં શરૂ કરવામાં આવશે. સિદ્ધાંત ગુપ્તા…

Read More

‘સ્થિતિ ખૂબ ખરાબ હતી’ ભાઈ સોહેલને સપોર્ટ કરવા પહોંચેલા સલમાને યાદ કર્યા જેલના દિવસો ૧૯૯૮ના કાળિયાર શિકાર અને ચિંકારા શિકાર કેસમાં સલમાન ખાનને કુલ ચાર વખત જેલ અથવા કસ્ટડીમાં રહેવું પડ્યું હતું સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન હાલમાં રિયાલિટી શો ‘એલાયન્સ’નો કન્ટેસ્ટન્ટ્સ છે. એક મુશ્કેલ સપ્તાહ બાદ તેને સપોર્ટ કરવા માટે સલમાન ખાન શોમાં એન્ટ્રી કરે છે. તાજેતરના એપિસોડના સામે આવેલા એક વીડિયોમાં સલમાને જેલમાં વિતાવેલા સમયને યાદ કરીને કેટલીક વાતો શેર કરી.સલમાન ખાને જેલના દિવસો યાદ કર્યાસલમાન ખાને કહ્યું કે, ‘ઘણા વર્ષાે પહેલા જ્યારે હું જેલમાં ગયો હતો, ત્યારે અમારી સામે લોખંડના સળિયા હતા. એક નાના રૂમમાં ૫૦-૬૦-૭૦ લોકો…

Read More

ક્રૂરતા સામે કાનૂની રક્ષણનો અધિકાર માન્ય લિવ-ઇન સંબંધોને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ર્નિણય બદલાતા સામાજિક સંજાેગોને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતની નોંધ; લિવ-ઇન સંબંધોમાં પણ કાનૂની સુરક્ષા પર ભાર લિવ-ઇન સંબંધોમાં રહેતા લોકોના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ર્નિણય આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે લાંબા સમયથી સાથે રહેતા સંબંધોમાં જાે કોઈ વ્યક્તિને પોતાના સાથી અથવા તેના પરિવારજનો તરફથી ક્રૂરતા કે ઉત્પીડનનો સામનો કરવો પડે, તો તેને કાનૂની રક્ષણથી વંચિત રાખી શકાય નહીં. અદાલતે બદલાતા સામાજિક માળખાને ધ્યાનમાં રાખીને કાયદાની વ્યાખ્યા સમયાનુકૂળ હોવી જાેઈએ તેવી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ર્નિણયમાં જણાવ્યું કે કાયદાનો હેતુ માત્ર ઔપચારિક લગ્નસંબંધો…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ વાત કરતા જણાવ્યું હતું કે, આજે બિહારમાં પણ વિસાવદરવાળી થઈ છે. બિહારમાં એક વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી હતી. આ બાંકીપુર વિધાનસભા સીટ 30 વર્ષથી ભાજપનો ગઢ કહેવાતી હતી, ત્યાં ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટાઈને આવતી હતી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નવીનની સાથે સાથે બીજા દિગ્ગજ નેતાઓ પણ એ વિધાનસભા બાજુથી આવે છે, ત્યાં ભાજપની હાર થઈ છે. તો આપણા ગુજરાતના લોકો માટે પણ ખૂબ જ ખુશીની બાબત છે કે બિહારની આ પેટા ચૂંટણીમાં પણ વિસાવાદરવાળી થઈ છે. ગુજરાતની વિસાવદર સીટમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા…

Read More