
- Gir Somnathમાં 8800 લિટર ડીઝલ જપ્ત, ગેરકાયદે હેરાફેરીમાં ત્રણ ઝડપાયા
- Navsari Civil Hospitalના ઇમરજન્સી વોર્ડમાં ગટરના પાણી ફરી વળતા હાહાકાર
- Madhavpur Ghed Fairમાં 650થી વધુ ખેલાડીઓ સાથે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે
- Vladimir Putinની ચેતવણી: મધ્ય પૂર્વ યુદ્ધના પરિણામો કોવિડ જેટલા ગંભીર થઈ શકે
- જામનગરમાં AAPની ‘વિજય વિશ્વાસ સભા’: કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર નિશાન, બદલાવની અપીલ
- રાજસ્થાનમાં વેપારીએ ઘઉંમાં મળેલા 15 લાખના ઘરેણા ખેડૂતને પરત આપ્યા, ઈમાનદારીની મિસાલ
- શશિ થરૂર નારાજ: પાકિસ્તાન ઈરાન-અમેરિકા યુદ્ધમાં મધ્યસ્થી, ભારતની ભૂમિકા ઓછા નજરે
- રાહુલ ગાંધી ભાવુક: કેરલમની નર્સે સોનિયા ગાંધીને હાથ પકડીને સંભાળ આપી, હાલ તબિયત સ્થિર
Author: Garvi Gujarat
ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર તમિલનાડુ વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું વિજયને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટી કડગમ (TVK) અને ભાજપ (BJP) વચ્ચે ગઠબંધન માટેની વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું મનાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે વિજયને NDA માં સામેલ કરવા માટે એક આકર્ષક ઓફર આપી છે. ભાજપે વિજયની પાર્ટીને ગઠબંધનમાં ૮૦ બેઠકો આપવાની તૈયારી દર્શાવી છે. વિજયને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર (ઉપમુખ્યમંત્રી) બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો…
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા નકલી લૂંટનો કેસ અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર ૧૧ ગુજરાતીની ધરપકડ ફેક લૂંટ ચલાવીને પોતાને જ તેના પીડિત કહેનાર ૧૧ ગુજરાતીઓની એફબીઆઇ દ્વારા ધરપકડ કરાઈ અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે લોકો કેવા કેવા તરકટ રચે છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ફેક લૂંટ ચલાવીને પોતાને જ તેના પીડિત કહેનાર ૧૧ ગુજરાતીઓની એફબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, આ ૧૧ લોકો જેલ સહિત આશરે ૨ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યાં છે. જાણીએ આખરે સમગ્ર મામલો શું છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા નકલી લૂંટનો કેસ સામે આવ્યો છે. લૂંટનો કારસો રચનારા ૧૧ ગુજરાતીઓની ધરપકડ…
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું સંજુને પ્લેઇંગ ૧૧માં જગ્યા આપવાનો ર્નિણય આક્રમક વિચારથી પ્રેરિત હતો ગૌતમ ગંભીરે કહ્યું કે, સંજુ સેમસન પાસે પાવર પ્લેમાં મેચને પોતાની ટીમના પક્ષે ઝૂકાવવાની ક્ષમતા છે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ દરમિયાન સંજુ સેમસનને પ્લેઇંગ ૧૧માં જગ્યા આપવાનો ર્નિણય આક્રમક વિચારથી પ્રેરિત હતો. કોઈ ટેકનિકલ ખામીના કારણે તેને ટીમમાં લાવવામાં આવ્યો નહોતો. ગંભીરે કહ્યું કે, સંજુ પાસે પાવર પ્લેમાં મેચને પોતાની ટીમના પક્ષે ઝૂકાવવાની ક્ષમતા છે. ગંભીરે જિયોસ્ટાર પર કહ્યું કે, મને ખબર છે કે, ઘણાં લોકો આ વિષય પર વાત કરશે કે, અમે…
મહાજંગ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો ર્નિણય અબુ ધાબીની તમામ અને દુબઈની ૫ ફ્લાઈટ્સ રદ વૈશ્વિક અશાંતિને કારણે અનેક દેશોએ તેમના એરસ્પેસ બંધ કરી દીધા છે અથવા કડક નિયંત્રણો લાદ્યા છે મધ્ય પૂર્વ (Middle East) માં યુદ્ધના ઘેરાતા વાદળોની અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર સ્પષ્ટપણે જાેવા મળી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એરપોર્ટ ઓથોરિટીના નવા નિર્દેશોને પગલે, ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની અબુ ધાબી અને દુબઈ જતી મોટાભાગની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. વૈશ્વિક અશાંતિને કારણે અનેક દેશોએ તેમના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધા છે અથવા કડક નિયંત્રણો લાદ્યા છે. આ ફેરફારોને…
૨૩ એપ્રિલે ઉમરેઠમાં મતદાન થશે ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ વાગ્યો, ઉમરેઠની પેટાચૂંટણીની તારીખ જાહેર ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં, કેરળ, આસામ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ચૂંટણીની તારીખો આવી ગઈ છે. તો પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામ ૪મેના રોજ આવશે. આ સાથે ગુજરાતની એક બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત પણ થઈ ગઈ છે. MLA ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આણંદની ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ૨૩ એપ્રિલે ઉમરેઠમાં મતદાન થશે. તો ૪ મેએ મતગણતરી થશે. MLA ગોવિંદ પરમારના નિધનથી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અખબાર જેને સામાજિક અરીસો કહેવાય છે એવા અખબાર માટે એક લેખકે લખ્યું હતું કે “સરકાર વગરનું અખબાર હોઈ શકે પણ અખબાર વગરની સરકાર ક્યારેય નહીં”. કારણ કે સરકાર ગમે તે પક્ષની હોય એની સાથે અખબાર ને કોઈ નિસ્બત હોતી નથી. પરંતુ જો અખબાર જ ના હોય તો સરકારની સારા-નરસા કામોની પ્રજાને ખબર જ કેવી રીતે પડે? એટલે અખબારને વિશ્વની ચોથી જાગીર કહેવાય છે. અખબારી જગત એટલે પત્રકારત્વજગત જેમાં પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રો નિક મીડિયા કેમ ના હોય? એવા પત્રકારત્વ જગત ઉપર હમણાં હમણાં ગંભીર હુમલાઓથી લઈ જાન લેવા સુધીના બનાવો બની રહ્યા છે અને એનું…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત નગરપાલિકા ના મ્યુ. કમિશનર તરીકે એમ.નાગરાજન ફરજ ઉપર હાજર થતાંજ શહેર ની સ્વચ્છતાને પ્રાધાન્ય આપી પોતે સફાઈ કામગીરી અંગે કડક વલણ અપનાવેલ હતું અને વહેલી સવારથી જ સફાઈ ની કામગીરી માટે જાત નિરીક્ષણ માટે નીકળી પડતાં હતાં. એવામાં સેન્ટ્રલ ઝોન ના સફાઈ કામગીરીના રાઉન્ડ દરમ્યાન અગાઉથી જાણ હોવા છતાં ડો. અજીત ભટ્ટ નાયબ આરોગ્ય અધિકારી કે તેમના હાથ નીચેના કર્મચારીઓ સ્થળ ઉપર હાજર ના રહ્યા. ડો .અજિત ભટ્ટે ફોન ઉપાડવાની પણ તસ્દી ના લીધી .જેથી મ્યુ. કમિશનરે નારાજ થઈ ડો.અજિત ભટ્ટ ને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો. સુરત મહાનગરપાલિકા ના કેટલાક અધિકારીઓ ડો. અજિત ભટ્ટ ને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેરમાં આવેલ ઉમરવાડા સીટી સર્વે નં. ૨૧૭૭ ટીપી સ્કીમ નં.૮ (ઉમરવાડા) ફાયનલ પ્લોટ નં. ૮૩ જેનું ક્ષેત્રફળ ૧૧૨૦૯ ચો.મી જગ્યાના મૂળ માલિક કબજેદારો ઝારાવાડ મુલતાની પંચ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તા.૩/૧૨/૨૦૧૪ ના રોજ સમજૂતી કરાર થી છગનલાલ ડી. મેવાડાને માલિકી હક્ક આપેલ અને ત્યારથી છગનલાલ મેવાડા એ જગ્યાના માલિક વહીવટદાર તરીકે વહીવટ કરી રહેલ છે. આ જગ્યા પચાવી પાડવા નરેશ અગ્રવાલ નામના ઇસમે ધમપછાડા કરી યેનકેન પ્રકારે જગ્યા પચાવી પાડવા છગનલાલ મેવાડા વિરુધ્ધ હાલના સુરત શહેરના કલેક્ટર સૌરભ પારધી અને ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ ની જોગવાઈઓ મુજબ તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ લેન્ડ ગ્રેબીંગ કમિટીએ…
TDO સામે લગાવ્યા ગંભીર આક્ષેપો.મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખનું સનસનાટી ભર્યું રાજીનામુ.તેમના રાજીનામા પાછળ વહીવટી તંત્ર સાથેના ઘર્ષણને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે.જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજકારણમાં આજે મોટો ઉથલપાથલ જાેવા મળ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માકડીયાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક અસંતોષ બાદ પ્રમુખે રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જાેકે, તેમના રાજીનામા પાછળ વહીવટી તંત્ર સાથેના ઘર્ષણને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. જયકિશન માકડીયાએ તાલુકા વિકાસ અધિકારી (TDO) પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે,TDO દ્વારા તેમની સાથે સતત ભેદભાવભર્યું વર્તન…
અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા રહેશે યથાવત્.ગેસની વધુ અછત સર્જાશે તો ચુલા પર લાકડાની મદદથી યાત્રિકોને નિ:શુલ્ક જમાડવામાં આવશે.અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં તેલની અને ગેસની કટોકટી સર્જાઈ છે. જેની અસર હવે ભારત પર પણ પડવાની શરૂ થઈ ગઈ છે. દેશમાં હાલ તો પૂરવઠો જાળવી રાખવા અને ડોમેસ્ટિક ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે કોમર્શિયલ ગેસ પર કાપ મુક્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં હાલ તો ગેસની કોઈ અછત જણાતી નથી. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ ૫ હજાર જેટલા ભક્તો બંને ટાઈમ નિશુલ્ક જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ તો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



