- ઈરાન ડીલ નિષ્ફળ જશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ટોલ: ટ્રમ્પ
- ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટીમ જાહેર: બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર
- NEET પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે મોદી 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા
- નર્મદામાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો AAPમાં જોડાયા, ચૈતર વસાવાએ કર્યો સ્વાગત
- મિશન 2027 માટે AAP સક્રિય: દરેક વિધાનસભામાં સંગઠન મંત્રીઓની નિમણૂક
- પુસ્તકો વિના ભણતર? ગોપાલ ઇટાલિયાનો સરકારના શાળા પ્રવેશોત્સવ પર સવાલ
- 5 વર્ષથી સતત ઊભા? દુલાલગીરી મહારાજની ખડી તપસ્યાનો દાવો વાયરલ
- 2020-26માં મોદી પ્રચાર પર ₹2586 કરોડ ખર્ચ: શું મીડિયા પર સરકારનો પ્રભાવ વધ્યો?
Author: Garvi Gujarat
અન્ય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો દ્વારા તોડફોડ ‘ખાન સર’ ના કોચિંગ સેન્ટર પર હુમલો, ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી સીસીટીવી ફૂટેજમાં ખાન સરના કોચિંગ સેન્ટરમાં કોઈ ફાયરિંગ થયાની પુષ્ટિ થઈ નથી બિહારની રાજધાની પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર મંગળવારે(૨ જૂન) રાત્રે ગોળીબારના સમાચાર સામે આવ્યા હતા. કોચિંગ સેન્ટર પર થયેલા હુમલો મામલે જાણીતા શિક્ષક ખાન સરે પોતે આ માહિતી આપી હતી. સમગ્ર મામલે પટના પોલીસનું નિવેદન આવ્યું છે. જેમાં પટના પોલીસે જણાવ્યું છે કે, ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર કોઈ ફાયરિંગ થયું નથી.પટણા પોલીસે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે કદમકુઆં પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં તાજેતરના NEET પરીક્ષાના પેપર લીક કૌભાંડ પછી તરત જ CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમમાં ગેરરીતિઓ અંગેનો વિવાદ પ્રકાશમાં આવ્યો હતો. આ બે વિવાદો શાંત થાય તે પહેલા જ CUET પરીક્ષામાં વિલંબ અને અંધાધૂંધી નું વાતાવરણ જોવા મળ્યું. જે અંડર ગ્રેજ્યુએટ કોલેજ પ્રોગ્રામમાં પ્રવેશ માટે લેવામાં આવે છે વિરોધ દરમિયાન ઘણા વિદ્યાર્થી કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને કાપશેરા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી રાખવામાં આવ્યા હતા અને તેમની અટકાયત અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં ગેરરીતિઓના સતત ખુલાસા બાદ સોમવારે દિલ્હીમાં શિક્ષણ મંત્રાલયની બહાર અનેક વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શન દરમિયાન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરતના વેડ દરવાજા પાસે વર્ષો જૂની મુસ્લિમ વિસ્તારની વસ્તી ધરાવતી નાસિર નગર નામની ઝુંપડપટ્ટીના ૨૦૦ ઘરોને ચાર દિવસ પહેલા જ કોઈપણ પ્રકારની આગોતરી જાણ કે કોઈ પણ પ્રકારની મૌખિક કે લેખિત નોટિસ આપ્યા વગર એકાએક પોલીસ કાફલા સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જેસીબી મશીન લઈને નાસિર નગર ઝુંપડપટ્ટી પાસે પહોંચીને એકાએક તોડફોડની કામગીરી શરૂ કરતાં ર૦૦ ઘરોના હજાર ઉપરાંત રહીશોમાં ગભરાટ ફેલાવવાની સાથે સાથે ભાગદોડ મચી ગઈ હતી. ત્યારે નાસિર નગરમાં એકાએક કરાયેલા આ ડિમોલિશન પાછળ ઊભા થયેલા જે પેચીદા સવાલો છે એ સવાલો આજે પણ અનુત્તર રહ્યા છે. જેનો ચાર-ચાર દિવસથી કોઈ પણ પ્રકારનો…
નેપાળના પીએમ બાલેન શાહના નિવેદન પછી ભારત સરકારની સ્પષ્ટ વાત ભારત-નેપાળ સીમા વિવાદમાં ત્રીજા પક્ષની ભૂમિકા અસ્વીકાર્ય: ભારત વિદેશ મંત્રાલયે વધુમાં સ્પષ્ટ કર્યું કે, સરહદી વિસ્તારોમાં દબાણ અને ‘નો મેન્સ લેન્ડ’ પર કબજાના જે કેસ સામે આવ્યા છે, તેની સંયુક્ત રીતે મેપિંગ કરવામાં આવી રહી છે ભારતે નેપાળના વડાપ્રધાન બલેન શાહને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત અને નેપાળ વચ્ચેના સીમા વિવાદમાં કોઈપણ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા રહેશે નહીં. બંને દેશો આ મુદ્દાને પરસ્પર સહમતિથી જ ઉકેલશે. ભારતનું આ નિવેદન બાલેન શાહના તે દાવા બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે નેપાળે પણ ભારતના કેટલાક વિસ્તારો પર કબજાે કરી…
એનિમલ માટે ચાર કરોડ વસૂલ્યા હતા રશ્મિકા મંદાનાની ફી ૩ વર્ષમાં ૪ કરોડથી વધીને ૧૫ કરોડ પુષ્પા ટુ માટે ૧૦ કરોડ મળ્યા હતા : હવે કોકટેલ ટુનાં બોક્સ ઓફિસ કલેક્શન પર નજર બોલિવુડમાં છેલ્લાં કેટલાંક વર્ષાેમાં ફીમાં સતત વધારો મેળવનારા કલાકારોમાં રશ્મિકા મંદાના મોખરે છે. હજુ ત્રણ વર્ષ પહેલાં ચાર કરોડ રુપિયા ફી વસૂલનારી રશ્મિકા હાલ ફિલ્મ દીઠ ૧૫ કરોડ રુપિયા વસૂલી રહી હોવાની ચર્ચા છે. રશ્મિકાએ ‘એનિમલ’ તથા ‘છાવા’ બંને માટે ચાર કરોડ રુપિયા લીધા હતા. ‘પુષ્પા ટુ’ માટે તેને ૧૦ કરોડ મળ્યા હોવાનું કહેવાય છે. હવે નવી ચર્ચા એવી છે કે ‘કોકટેલ ટુ’માં તેણે ૧૫ કરોડ રૂપિયા ચાર્જ…
આ પહેલાં ફિલ્મને બાફ્ટા એવોર્ડ પણ મળ્યો છે મણિપુરી ફિલ્મ બૂંગને ન્યુયોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં ૩ એવોર્ડ મળ્યા ફેસ્ટિવલના સમાપન સમારોહમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણીઓ, ફિલ્મમેકર્સ અને સિનેપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (NYIFF) ૨૦૨૬માં મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ સૌથી મોટી વિજેતા બની છે. મ્છહ્લ્છ એવોર્ડ વિજેતા આ ફિલ્મે ત્રણ મહત્વની કેટેગરીના એવોર્ડ પોતાના નામે કર્યા, જેમાં શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ બાળ અભિનેતાનો એવોર્ડ સામેલ છે.૨૮થી ૩૧ મે દરમિયાન યોજાયેલા ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬નું સમાપન રવિવારે એવોર્ડ સમારોહ સાથે થયું. ચાર દિવસ ચાલેલા આ ફેસ્ટિવલમાં ૧૫ ભાષાઓની વિવિધ ફિલ્મો રજૂ કરવામાં આવી હતી. જે આજના…
જેનિફર એનિસ્ટન અને એડમ સેન્ડલર જેવી મર્ડર મિસ્ટ્રીમાં કરીના સાથે કામ કરવું છે : સૈફ કરીના સાથે ફરી કામ કરવાની શક્યતા હજુ પણ છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે પાત્રો અને તેમની જાેડી કંઈક નવી અને અનપેક્ષિત લાગે સૈફ અલી ખાન અને કરીના કપૂરે ટશન, એજન્ટ વિનોદ અને કુર્બાન જેવી ફિલ્મોમાં પોતાની કેમિસ્ટ્રીથી દર્શકોને પ્રભાવિત કર્યાં છે. જાેકે, બંનેએ છેલ્લે એકસાથે સ્ક્રીન શેર કરી તેને હવે એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. એક ઇન્ટરવ્યુમાં સૈફે ખુલાસો કર્યાે કે તે અને કરીના સાથે ફિલ્મો કેમ નથી કરતદાં અને કયા પ્રકારની ફિલ્મ તેમને ફરી એકસાથે લાવી શકે છે.સૈફે જણાવ્યું કે સાથે…
આવતા અઠવાડિયે શૂટિંગ શરૂ થશે આદર્શ ગૌરવ એલિયન અર્થ સીઝન ૨માં પીટર ડિંકલેજ સાથે કામ કરશે સિરિઝમાં સિડની ચેન્ડલર, એલેક્સ લોથર, એસી ડેવિસ, સેમ્યુઅલ બ્લેન્કિન અને બાબૂ સીસે સહિતના કલાકારો છે આદર્શ ગૌરવ ફરી એક વખત હોલિવૂડ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે. તે હવે એલિયન અર્થ સીઝન ૨માં કામ કરશે, આ શોનું શૂટિંગ જૂન ૨૦૨૬માં શરૂ થવાનું છે. તેના માટે શૂટિંગ પહેલાં આદર્શ જૂનના પ્રથમ અઠવાડિયામાં એક આંતરરાષ્ટ્રીય લોકેશન પર જશે. આદર્શ ગૌરવ સીઝન ૧માં ભજવેલા પોતાનાં પાત્ર “સ્લાઇટલી” તરીકે ફરી પરત ફરશે. એમી એવોર્ડ વિજેતા ગેમ ઓફ થ્રોન્સ ફેમ એક્ટર પીટર ડિંકલેજ સત્તાવાર રીતે આગામી સીઝનની કાસ્ટમાં જાેડાયાં…
કૃત્યોને ડામવા માટે કાયદાનો અસરકાર અમલ જરૂરી જાતિય શોષણ માટે તસ્કરીના કેસમાં પોક્સો લાગે: સુપ્રીમ સેક્સ વર્કર્સ અને તસ્કરીના ભોગ બનેલા લોકોના હિતોને ધ્યાનમાં રાખીને ર્નિદેશો જારી કર્યાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે વ્યવસાયિક જાતીય શોષણનો ભોગ બનેલી વ્યક્તિ સગીર હોય તો આરોપી પર ભારતીય દંડ સંહિતા (IPC) અને અનૈતિક ટ્રાફિક (નિવારણ) ધારા (ITPA) ઉપરાંત આકરા પોક્સો ધારા હેઠળ કાર્યવાહી કરી શકાય છે. સર્વાેચ્ચ અદાલતે સેક્સ વર્કર્સ અને માનવ તસ્કરીના ભોગ બનેલા લોકોના હિતોને ધ્યાનમાં રાખીને અનેક દિર્શાનિદેશો જારી કર્યાં હતાં. ન્યાયાધીશ જે બી પારડીવાલા અને આર મહાદેવનની ખંડપીઠે શુક્રવારે જણાવ્યું હતું કે જાે કોઈ સગીર વયની વ્યક્તિને…
NEET વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન
‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ’ કોકરોચ જનતા પાર્ટીએ સરકાર સામે માંડ્યો મોરચો દિપકનો આરોપ છે કે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ અને વિવાદોના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દિપકેએ કેન્દ્ર સરકાર સામે મોરચો માડી દીધો છે. દિપકે કહ્યું છે કે તેઓ ૬ જૂને ભારત પરત આવશે અને દિલ્હીમાં એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે. તેમની માંગ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જાેઈએ. કારણ છે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ, જેનાથી લાખો વિદ્યાર્થીઓ પરેશાન છે.અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યાે. તેમાં તેમને તેમના સમર્થકો અને વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ તેમની સાથે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



