Author: garvigujrat

વિદર્ભના યશ ઠાકુર પણ એક વિકલ્પ શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા બુમરાહ થયો બહાર જમ્મુ-કાશ્મીરનો ફાસ્ટ બોલર આકિબ નબી આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યો છે ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજાના કારણે શ્રીલંકાની બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ચૂક્યો છે. બુમરાહના ઘૂંટણનો સોજાે શરૂઆતમાં જેટલો સામાન્ય લાગી રહ્યો હતો તેનાથી ઘણો ગંભીર છે. એવામાં બેંગલુરુમાં આવેલા સેન્ટર ઓફ એક્સિલેન્સની મેડિકલ ટીમ આ અનુભવી ફાસ્ટ બોલર સાથે કોઈપણ પ્રકારની ઉતાવળ કરવા માગતી નથી અને તેને મેદાનમાં ઉતારવાના પક્ષમાં નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે, તેની જગ્યા ટીમ ઇન્ડિયામાં કોણ લેશે. આ રેસમાં જમ્મુ કાશ્મીરનો પેસર…

Read More

બોલિવૂડ કલાકારોને રાજ ઠાકરેનો સવાલ મોદી દેશનો વિકાસ કરી રહ્યા હોય તો તમે વિદેશમાં કેમ રહો છો? મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ મુંબઈમાં બોલિવૂડ અભિનેતાઓ વિવેક ઓબેરોય અને આર. માધવન પર પ્રહારો કર્યા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ બોલિવૂડના અભિનેતાઓ પર સવાલ ઉભા કરી દીધા છે. બન્ને અભિનેતાઓના વિદેશ વસવાટને લઈને રાજ ઠાકરેએ આકરા પ્રહારો કર્યા અને ભારતની વર્તમાન સ્થિતિ મુદ્દે પણ ટિપ્પણી કરી. રાજ ઠાકરેએ કહ્યુ કે, જાે અભિનેતા વિવેક ઓબેરોય અને આર માધવનને લાગે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ભારતમાં બધું જ સરસ કરી દીધું છે, તો તેઓ દુબઈમાં કેમ વસી ગયા છે. મુંબઈમાં સ્દ્ગજીના વિદ્યાર્થી…

Read More

દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યા ભારત દ્વારા શ્રીલંકાને અપાતી સહાય ૭.૫ મિલિયન ડોલર વટાવી ગઈ શ્રીલંકાના તમામ પચ્ચીશે પચ્ચીશ પ્રાંતોમાં આ સહાય પહોંચશે શ્રીલંકાના વિકાસ કાર્યો માટે ભારત તરફથી અપાતી સહાય ૭.૫ બિલિયન ડોલર વટાવી ગઇ છે. શ્રીલંકાના તમામ પચ્ચીશે પચ્ચીશ પ્રાંતોમાં આ સહાય પહોંચશે. ભારતના શ્રીલંકા સ્થિત હાઈ કમિશનર સંતોષ ઝાએ શ્રીલંકાના મઝદૂર અને વિદેશ રોજગારી વિભાગના મંત્રી, અનિલ જયન્થા ફર્નાન્ડોની ઉપસ્થિતિમાં (શનિવારે) પત્રકાર પરિષદમાં આજે આ માહિતી આપી હતી. તેઓએ આગળ કહ્યું હતું કે આ પૈકી ૮૫૦ મિલિયન ડૉલરની સહાય તો ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે. જે શ્રીલંકાના ૨૫ પ્રાંતોમાં ભારતે હાથ ધરેલી વિવિધ પરિયોજનાઓ જેવી કે રેલવે, હાઉસિંગ,…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના વિવિધ ફ્રન્ટલ સંગઠનોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં યોજાઈ હતી. આ બેઠકમાં ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ અધ્યક્ષ અને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ પ્રમુખ યોગેશ જાદવાણી, લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર તથા છાત્ર વિંગના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકીયા સહિત વિવિધ ફ્રન્ટલ સંગઠનોના પ્રદેશ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પ્રદેશ પ્રભારી ગોપાલ…

Read More

ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે દર્શન કરવા પહોંચ્યા હાર્દિક પંડ્યા ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લીધા અને પૂજા-અર્ચના કરી : મંદિરની પ્રસિદ્ધ સુપ્રભાતમ સેવામાં જાેડાયા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં એક અલગ જ કારણસર ચર્ચામાં છે. ક્રિકેટના મેદાનથી દૂર રહીને તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. ૨ ઓગસ્ટની સવારે હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે આંધ્ર પ્રદેશના તિરુમલા ખાતે આવેલા પ્રસિદ્ધ ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરે દર્શન કરવા પહોંચેલા હાર્દિક પંડ્યા અને માહિકા શર્માના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા…

Read More

વડાપ્રધાન મોદીએ દેશના યુવાઓને લેવડાવ્યો સંકલ્પ વિકસિત ભારત માટે યુવાઓનું નશા મુક્ત હોવું જરૂરી છે : મોદી વડાપ્રધાને નશા મુક્ત યુવા-વિકસિત ભારત સંકલ્પ અભિયાનની શરૂઆત કરી, આ કાર્યક્રમમાં ૨૮ હજારથી વધુ સ્થળોએથી ૧ કરોડથી વધુ યુવાનો જાેડાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નશા મુક્ત યુવા, વિકસિત ભારત અભિયાનની શરૂઆત કરી છે. દેશભરમાં આયોજીત આ કાર્યક્રમમાં ૨૮ હજારથી વધુ સ્થળોથી એક કરોડથી વધુ યુવાનો જાેડાયા હતા. પ્રધાનમંત્રીના સંબોધન પહેલા દેશભરના યુવાઓએ એક સાથે નશા મુક્ત ભારત બનાવવાના શપથ લીધા. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે આપણે એક મહાન સંકલ્પ માટે એકત્ર થયા છીએ. બધા સંત, બધા રાજ્યપાલ, બધા મુખ્યમંત્રી અને જનપ્રતિનિધિ,…

Read More

ગુજરાત સરકાર દ્વારા વડનગર ખાતે યોજાનારા શ્રાવણોત્સવ-2026ને વધુ વ્યાપક લોકભાગીદારી અને ડિજિટલ માધ્યમ દ્વારા વૈશ્વિક ઓળખ અપાવવા માટે ‘શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ખાસ કરીને યુવાનો સહિત તમામ નાગરિકોને વડનગરના સાંસ્કૃતિક વૈભવ, આધ્યાત્મિક મહત્ત્વ, પ્રવાસન ક્ષમતા, લોકકલાઓ અને શ્રાવણોત્સવની ભવ્ય ઉજવણીને સર્જનાત્મક ટૂંકા વિડિયો (રીલ્સ) દ્વારા રજૂ કરવા પ્રોત્સાહિત કરશે. સ્પર્ધાનું આયોજન 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ, 2026 દરમિયાન MyGov ગુજરાત પોર્ટલ પર કરવામાં આવશે. સ્પર્ધકોને ‘અનંત, અનાદિ વડનગર’ વિષય પર 1થી 3 મિનિટની મૌલિક (Original) રીલ તૈયાર કરીને ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. રીલ MP4, AVI અથવા MOV ફોર્મેટમાં અને ઓછામાં ઓછા 720p રિઝોલ્યુશનમાં હોવી જરૂરી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતનું બંધારણ દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. એ મુજબ કોઈપણ વ્યક્તિ મૌખિક,લેખિત, કલાત્મક અને ડિજિટલ માધ્યમો દ્વારા શાંતિપૂર્ણ રીતે પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. આ લોકશાહી વ્યવસ્થાનો પાયો છે અને કોઈપણ દેશના સર્વાંગી વિકાસ માટે તે જરૂરી છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું સરકારી નીતિઓ અથવા નિર્ણયો નો વિરોધ કરવો એ ગુનો છે? અદાલતોએ સમયાંતરે આ સ્થિતિ સ્પષ્ટ કરી છે અને હવે એક મહત્વપૂર્ણ ચુકાદામાં બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે કે નાગરિકોને સરકાર દ્વારા ગુલામ બનાવી શકાય નહીં. કોઈપણ વ્યક્તિને ફક્ત એટલા માટે હાંકી કાઢવાનો કે તડીપાર કરવાનો આદેશ આપી શકાતો નથી કે…

Read More

કોમનવેલ્થમાં બનાવ્યો મહારેકોર્ડ નીરજ ચોપડાને ગોલ્ડ મેડલ ન મળ્યો છતાં રચ્યો ઇતિહાસ નીરજ ચોપડાએ ૨ મેડલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય જેવલિન થ્રોઅર્સે મેદાન પર અદભુત પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. ગ્લાસગોમાં રમાઈ રહેલી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં પ્રતિકૂળ અને પડકારજનક હવામાન વચ્ચે પણ ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ગોલ્ડ મેડલ ભલે ચૂકી ગયા હોય, પરંતુ આ સિલ્વર મેડલની સાથે જ નીરજ ચોપડાએ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં એક મોટો અને અભૂતપૂર્વ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે. તે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં જેવલિન થ્રો સ્પર્ધામાં ભારત તરફથી ૨ મેડલ…

Read More

IRCTC એ FTR સેવા લોન્ચ કરી લગ્ન કે પ્રવાસ માટે સંપૂર્ણ કોચ કે ટ્રેન ભાડે કરી શકાશે લગ્ન, શૈક્ષણિક પ્રવાસ કે ધાર્મિક યાત્રા માટે ૧૦૦-૫૦૦ લોકોનું જૂથ હવે અલગ-અલગ ટિકિટ બુક કરાવ્યા વગર ટ્રેન બુક કરી શકશે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, મોટી ધાર્મિક યાત્રાએ જવાનું હોય કે ૧૦૦, ૨૦૦ કે ૫૦૦ વિદ્યાર્થીઓને લઈને શૈક્ષણિક પ્રવાસ જવાનો હોય, તો હવે ટ્રેનમાં દરેક વ્યક્તિ માટે અલગ-અલગ ટિકિટ બુક કરાવવાની જરૂર રહેશે નહીં. ભારતીય રેલવે દ્વારા ફૂલ ટેરિફ રેટ (FTR) હેઠળ આવા ખાસ પ્રસંગો અને પ્રવાસો માટે આખો કોચ કે જરૂરિયાત મુજબ સંપૂર્ણ ટ્રેન બુક કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ…

Read More