Author: Garvi Gujarat

વૈભવ સૂર્યવંશીની ઉંમર અંગે ઉઠ્યા સવાલ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે દાવો કર્યો છે કે વૈભવ કદાચ ૨૧ કે ૨૨ વર્ષનો છે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર તનવીર અહેમદે દાવો કર્યો છે કે બિહારનો આ ખેલાડી ખરેખર ૨૧ કે ૨૨ વર્ષનો છે માત્ર ૧૫ વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી તેની વિસ્ફોટક બેટિંગને કારણે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેણે ભારતીય T20 ટીમમાં સ્થાન મેળવ્યું છે અને હાલમાં તે ટીમ સાથે આયર્લેન્ડના પ્રવાસે છે. સૂર્યવંશીએ તાજેતરમાં ત્રિકોણીય શ્રેણીમાં શ્રીલંકા A સામે માત્ર ૧૧ બોલમાં અડધી સદી ફટકારી હતી. તેની ઉંમર અંગે વારંવાર પ્રશ્નો ઉભા થયા છે અને હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર તનવીર અહેમદે દાવો કર્યો છે…

Read More

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી રેશન સિસ્ટમમાં પરિવાર દીઠ ૩૫ કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રેશનિંગ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા વિધેયક-૨૦૨૬નો મુસદ્દો જાહેર કર્યો દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રેશનિંગ વ્યવસ્થામાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સંશોધન) વિધેયક-૨૦૨૬નો મુસદ્દો જાહેર કર્યો છે. આ નવા ખરડામાં અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અનાજ વિતરણની પદ્ધતિ બદલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાનો મુખ્ય હેતુ ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત અને ન્યાયસંગત બનાવવાનો છે. નવા મુસદ્દા પ્રમાણે, અત્યાર સુધી અંત્યોદય અન્ન યોજના…

Read More

આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં ઈડી પાર્ટીના દમનનો અંત લાવવાનો નિશ્ચય કર્યો છે. આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી હોવાના વિરોધમાં પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 26 જૂનથી શરૂ થનારા આંદોલનની માહિતી આપતાં ‘‘આપ’’ ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું કે 26 જૂને તમામ જિલ્લાઓમાં, 28 જૂને તમામ વિધાનસભાઓમાં અને 30 જૂને તમામ વોર્ડ-જિલ્લા પંચાયતોમાં ચૈતર વસાવાના સમર્થનમાં માર્ચ કાઢવામાં આવશે. ગોપાલ રાયે કહ્યું કે મંગળવારે બે નિર્ણયો આવ્યા. એકમાં ઈડી પાર્ટીએ પોતાના ધારાસભ્ય હાર્દિક પટેલ પર લાગેલો કેસ પાછો ખેંચી લીધો અને બીજામાં મારપીટના કેસમાં…

Read More

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજા મુદ્દે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ ડેડીયાપાડામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ તકે મીડિયાને સંબોધન કરતા ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડામાં તમામ કાર્યકર્તાઓની એક સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ચૈતરભાઈ વસાવા અને તેમના નવ જેટલા સાથીદારોને એક કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. સામાન્ય રીતે કોર્ટમાં કેસો દસ-દસ વર્ષ સુધી ચાલતા હોય છે, પરંતુ આ કેસમાં રાજકીય પૂર્વગ્રહ રાખીને કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાય છે. જ્યારે આ કેસની સુનાવણી થઈ ત્યારે અનેક બાબતો એવી સામે…

Read More

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સાથે સાથે નર્મદા જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અંજના વસાવા, તાલુકા અને જિલ્લા સ્તરના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનહિતના મુદ્દાઓને લઈને આગામી કાર્યક્રમો તથા પાર્ટીની આગળની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ચૈતરભાઈ જે લડાઈ લડી રહ્યા છે એ કોઈ સામાન્ય લડાઈ નથી.…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનોનું કાયમી ધોરણે આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. મને એવી માહિતી મળી છે કે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનોને મળતું ઇન્સેન્ટિવ પણ ચૂકવવામાં આવ્યું નથી. એક તરફ નજીવું વેતન આપવામાં આવે છે, બીજી તરફ તેમની પાસેથી વધુ કામ લેવામાં આવે છે અને તેના બદલામાં યોગ્ય વેતન પણ આપવામાં આવતું નથી. એટલું જ નહીં, જે વેતન અને ઇન્સેન્ટિવ મળવું જોઈએ તે પણ સમયસર ચૂકવવામાં આવતું નથી. ત્રણ-ત્રણ અને ચાર-ચાર મહિનાથી તેમને વેતન…

Read More

https://www.facebook.com/share/v/18oDrSLqMa/ વિસાવદર તાલુકાના બરડીયા ગામે આવેલ શ્રી વિનય મંદિર માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં આજુબાજુના ૧૫ જેટલા ગામોના વિદ્યાર્થીઓ ઉત્તમ શિક્ષણ મેળવવા માટે આવે છે. શાળાના ટ્રસ્ટીગણ, ગામની યુવા ટીમ અને શિક્ષકોની સંયુક્ત મહેનતથી આ શાળા ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહી છે. જોકે, આજુબાજુના ગામડાઓમાંથી આવતી દીકરીઓને શાળાએ પહોંચવામાં ટ્રાન્સપોર્ટેશનની ભારે તકલીફ પડતી હતી અને તેઓએ ખાનગી વાનનો સહારો લેવો પડતો હતો. આ સમસ્યા અંગે શાળાના ટ્રસ્ટીગણ વતી ગામના યુવા આગેવાન મનીષભાઈ વઘાસિયાએ આમ આદમી પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને રજૂઆત કરી હતી. દીકરીઓની ભણતરની આ મુશ્કેલીને સમજીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ત્વરિત નિર્ણય લઈ પોતાના ધારાસભ્ય તરીકેના પગારમાંથી ₹૧,૦૦,૦૦,૦ (એક લાખ…

Read More

ઉઝબેકિસ્તાનને ૫-૦થી હરાવ્યું.રોનાલ્ડો ૬ વર્લ્ડકપમાં ગોલ કરનાર પહેલો ફૂટબોલર.વર્તમાન ટુર્નામેન્ટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ૨ ગોલ થઈ ચૂક્યા છે. તે પ્રથમ મેચમાં ડીઆર કોંગો સામે ગોલ કરી શક્યો નહોતો.પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ૬ ફૂટબોલ વર્લ્ડકપમાં ગોલ કરનાર દુનિયાના પ્રથમ ખેલાડી બની ગયો છે. ૪૧ વર્ષના રોનાલ્ડોએ હ્યુસ્ટન સ્ટેડિયમમાં ઉઝબેકિસ્તાન સામે છઠ્ઠી મિનિટે ગોલ કરીને આ રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ તેણે ૩૯મી મિનિટે બીજાે ગોલ પણ કર્યાે. આ જ ગોલની મદદથી પોર્ટુગલે ૫-૦થી જીત મેળવી.રોનાલ્ડો પોર્ટુગલ માટે વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ બન્યો. તેના નામે ૧૦ ગોલ છે. તેણે પોર્ટુગલના સ્ટ્રાઈકર યુસેબિયોના ૯ ગોલને પાછળ છોડ્યા.રોનાલ્ડોએ ૨૦૦૬, ૨૦૧૦, ૨૦૧૪, ૨૦૧૮, ૨૦૨૨ અને…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પે આપી વાતચીત બંધ કરવાની ધમકી.પરમાણુ ઠેકાણાઓની તપાસ મુદ્દે અમેરિકા અને ઈરાન ફરી સામસામે.ઈરાનનો દાવો છે કે યુએન અધિકારીઓ માટે બોમ્બમારો કરાયેલી પરમાણુ સાઇટ્સની મુલાકાતનો કોઈ સમય કે કાર્યક્રમ નક્કી નથી થયો.ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ તપાસ મુદ્દે ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. બંને દેશો વચ્ચે સર્જાયેલા આ સત્તાસંગ્રામને કારણે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઈરાનનો દાવો છે કે યુએન અધિકારીઓ માટે બોમ્બમારો કરાયેલી પરમાણુ સાઇટ્સની મુલાકાતનો કોઈ સમય કે કાર્યક્રમ નક્કી નથી થયો. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેસ્પષ્ટ ચેતવણી આપી છે કે જાે ઈરાન આ તપાસ માટે તૈયાર નહીં થાય, તો અમેરિકા વાટાઘાટો તાત્કાલિક…

Read More

જયપુર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પ્રશાસન વધુ સતર્ક બન્યું.લખનઉ અગ્નિકાંડ બાદ અનેક કોચિંગ સીલ, ૧૦૦થી વધુ સેન્ટર પર તપાસતમામ સંસ્થાઓ સામે ફાયર સેફ્ટી નિયમોમાં ખામીઓ જણાતા તેમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોચિંગ સંસ્થામાં લાગેલી આગની દુર્ઘટના બાદ સ્થાનિક તંત્રએ શહેરના વિવિધ કોચિંગ સેન્ટરો અને અભ્યાસ કેન્દ્રોમાં સુરક્ષા વ્યવસ્થાની વિશેષ તપાસ શરૂ કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો અને આગ જેવી આપત્તિ દરમિયાન જાનહાનિ ટાળવાનો છે.નગર નિગમ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ અભિયાન દરમિયાન અનેક કોચિંગ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની…

Read More