Author: garvigujrat

ગુજસીટોકનો નોંધાયો છે ગુનો દક્ષિણ ગુજરાતમાં દારૂનો ગેરકાયદે કારોબાર કુખ્યાત નિલ્યો ઘોડો સહિત બે ઝડપાયા પારડી પોલીસ મથકે પ્રથમ વખત ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતાં જ સમગ્ર બુટલેગર લોબીમાં ભારે ખળભળાટ મચી ગયો છે દક્ષિણ ગુજરાતમાં દારૂના ગેરકાયદે કારોબાર અને સંગઠિત ગુનાખોરી સામે વલસાડ જિલ્લા પોલીસે લાલ આંખ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે. દમણ, દાદરા અને નગર હવેલી તેમજ મહારાષ્ટ્રની સરહદ મારફતે ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી કરતી આખી સિન્ડિકેટ સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે. પારડી પોલીસ મથકે પ્રથમ વખત ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતાં જ સમગ્ર બુટલેગર લોબીમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશી…

Read More

ક્રૂડ ઓઈલ આયાતના રેકોર્ડ તૂટ્યા અમેરિકાની ટેરિફની ધમકી છતાં રશિયા બન્યું ભારતનું નંબર-૧ પાર્ટનર! ભારતને ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડવામાં યુએઈ અને સાઉદી અરેબિયા અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવે છે ભારતે અમેરિકાની ટેરિફની ધમકી છતાં રશિયા પાસેથી જુલાઈ મહિનામાં વિક્રમજનક ક્રૂડ ઓઇલની આયાત કરી છે. ભારતની જુલાઈમાં ક્રૂડ ઓઇલની કુલ આયાત પ્રતિ દિન લગભગ ૫૦ લાખ બેરલ હતી, તેમાંથી રશિયા પાસેથી પ્રતિ દિન ૨૭ થી ૨૮ લાખ બેરલની આયાત કરવામાં આવી હતી. આમ, પહેલી વખત ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ૫૦ ટકાને વટાવી ગઈ છે.ભારતને ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડવામાં યુએઈ અને સાઉદી અરેબિયા અનુક્રમે બીજા અને ત્રીજા…

Read More

આયાતે તોડ્યો નવો રેકોર્ડ અમેરિકાની ટેરિફની ધમકી છતાં રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર જુલાઈમાં કુલ આયાતનો ૫૦%થી વધુ હિસ્સો રશિયાનો; ડિસ્કાઉન્ટેડ ઓઇલથી ભારતને આર્થિક ફાયદો અમેરિકાની સંભવિત ટેરિફની ચેતવણી છતાં ભારતે જુલાઈ ૨૦૨૬ દરમિયાન રશિયા પાસેથી રેકોર્ડ સ્તરે ક્રૂડ ઓઇલની આયાત કરી છે. અંદાજે દરરોજ ૫૦ લાખ બેરલની કુલ આયાતમાંથી ૨૭થી ૨૮ લાખ બેરલ ક્રૂડ રશિયાથી આવ્યું, જેના કારણે પ્રથમ વખત ભારતની કુલ ક્રૂડ આયાતમાં રશિયાનો હિસ્સો ૫૦ ટકાથી વધુ નોંધાયો છે. આંકડાઓ મુજબ રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર બની રહ્યો છે, જ્યારે યુએઈ અને સાઉદી અરેબિયા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે. બંને દેશોનો સંયુક્ત પુરવઠો…

Read More

પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો મધ્ય પૂર્વના તણાવ અને યુરોપની વધતી માંગ વચ્ચે ભારતની ઇંધણ નિકાસ એક વર્ષની ટોચે વર્ષ ૨૦૧૭થી કેપ્લર દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે અને ત્યારથી જુલાઈ ૨૦૨૬નો આ આંકડો સૌથી ઊંચો નોંધાયો છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ, યુરોપમાં વધતી ઇંધણની માંગ અને વૈશ્વિક પુરવઠામાં સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારતના રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. જુલાઈ ૨૦૨૬ દરમિયાન ભારતે ડીઝલ અને અન્ય રિફાઇન્ડ ઇંધણની નિકાસ છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચાડી છે, જે ભારતીય રિફાઇનિંગ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. શિપિંગ અને એનાલિટિક્સ ફર્મ કેપ્લરના આંકડા અનુસાર, જુલાઈ…

Read More

સુપ્રીમ કોર્ટમાં CBSE ની પોલિસી વિરુદ્ધ અરજી ધોરણ ૯ના વિદ્યાર્થીઓ પર ૩ ભાષાઓ ન થોપો બંગાળમાં વિકલ્પો હોવા છતાં શિક્ષકો નથી આ નીતિ ૨૦૩૦માં લાગુ થવાની હતી, પરંતુ વહેલા લાગુ થતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે સુપ્રીમ કોર્ટમાં CBSEની ધોરણ-૯ની ત્રણ ભાષા નીતિ સામે અરજીઓ પર સુનાવણી થઈ. અરજદારોના વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરી. તેમણે જણાવ્યું કે, ઘણી શાળાઓમાં પસંદ કરેલી ભાષાના શિક્ષકો કે પુસ્તકો નથી. બંગાળમાં વિકલ્પો હોવા છતાં શિક્ષકો નથી. આ નીતિ ૨૦૩૦માં લાગુ થવાની હતી, પરંતુ વહેલા લાગુ થતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. CJI એ આવતીકાલે સુનાવણીનું આશ્વાસન આપ્યું. સીબીએસઈના ધોરણ-૯ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષા…

Read More

ઈરાનમાં ટેક્સી ડ્રાઈવરના ઘર પર બોમ્બ હુમલાનો દાવો કેશ્મ ટાપુ પર હુમલામાં પરિવારના ત્રણ સભ્યોના મોતનો દાવો હોર્મુઝ નજીકની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ, અનેક પરિવારોનું સ્થળાંતર ઈરાનના કેશ્મ ટાપુ પર થયેલા એક હવાઈ હુમલાને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ છે. અહેવાલો અનુસાર, ગયા અઠવાડિયે અમેરિકી હુમલા દરમિયાન એક સ્થાનિક ટેક્સી ડ્રાઈવરના ઘર પર ભારે બોમ્બ પડ્યો હતો, જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ તપાસ શરૂ કરવાની વાત કહી છે. જાેકે, હુમલાનું ચોક્કસ કારણ અને લક્ષ્ય અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર થયો નથી. મૃતકની ઓળખ કૈસર જાફરી તરીકે…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, સરકારની સાથે સાથે કુદરત પણ ખેડૂતોથી રૂઠ્યો છે. સરકારના નોર્મ્સ પ્રમાણે જો 8 તારીખ સુધી યોગ્ય વરસાદ નહીં પડે તો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. ગત વર્ષે આ જ જગ્યાએ દેવભૂમિ દ્વારકાના ગામોમાં લગભગ બધા તળાવ ભરેલા હતા પણ હાલ પાણી નથી. હું મુખ્યમંત્રીને અપીલ કરીશ કે એક વખત હેલિકોપ્ટર લઈને આ બાજુ ચક્કર મારવા આવો, અને જો તમારી પાસે સમય ન હોય તો તમે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. કારણ કે હાલ પાક વીમા યોજના બંધ છે. હું ખંભાળિયાના ઘણા ગામોમાં ફર્યો અને લોકો ખૂબ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર જણાવ્યું હતું કે આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી 100 જેટલા ગાડીઓના માલિકોને લઈને પ્રધાનમંત્રી આવાસ ગયા હતા, આ ગાડીઓના માલિક એવા લોકો છે જેમની ગાડી E20 પેટ્રોલના કારણે ખરાબ થઈ હોય અથવા તો કોઈને કોઈ રીતે નુકસાની ભોગવી રહ્યા છે. સાથે સાથે 2 લાખ 30 હજાર પીટીશન લઈને અરવિંદ કેજરીવાલજી આ ગાડીઓના માલિક સાથે પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા હતા. પોલીસે કેજરીવાલજીને પ્રધાનમંત્રીને મળવાથી રોક્યા હતા પરંતુ કેજરીવાલજીએ પોતાની પિટિશનો પ્રધાનમંત્રીને મોકલી આપી છે. આ દેશમાં 33 કરોડ ગાડીઓ એવી છે જે 2023 પહેલાની…

Read More

આમ આદમી પાર્ટીના ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પિયુષ પરમારે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જામવાડી ગામેથી એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, અહીંયા પાંચ વર્ષ પહેલા ખેડૂતોએ પોતાના સ્વખર્ચેથી એક પુલ બનાવ્યો હતો. પરંતુ ભાજપના ગુંડાઓ દ્વારા એને તોડવાની અરજી કરવામાં આવી છે અને ધારાસભ્ય ભગવાનજી કરગથીયા પણ તેમને સહકાર આપી રહ્યા છે. આ પુલના કારણે કોઈ ખેડૂતોને એક પણ રૂપિયાની નુકસાની થઈ નથી. આ પૂલથી 29 ખેડૂતોને જવા માટેનો રસ્તો બન્યો છે. ખેડૂતોએ અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે આ પુલના કારણે જો કોઈના પણ ખેતરમાં પાણી જાય અને નુકસાની થાય તો જવાબદારી ખેડૂતોની રહેશે. આ…

Read More

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ભારતના કેટલાય રાજ્યોમાં તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજસ્થાનના મેવાડ વિસ્તારમાં હજી જોઈએ એવો વરસાદ આવ્યો નથી. એવામાં મહિલાઓએ ઈન્દ્રદેવ ને રિઝવવા માટે સદીઓ જૂની અનોખી પરંપરા નિભાવી હતી. શુક્રવારે સાંજે ભોઈવાડા ના રાજ માળી સમાજની મહિલાઓએ ઘરેથી પાણી ભરેલા માટલા લઈને રસ્તામાં સરઘસ કાઢયુ હતું. માટલા લઈને ગણગૌર ઘાટ પહોંચેલી મહિલાઓએ પહેલા ત્યાં આવેલા સરોવરની પૂજા અર્ચના કરી અને ઘૂઘરી નામની વાનગી નો ભોગ ધરાવ્યો. એ પછીથી ઘરે પાછા ફરતી વખતે એ માટલા મંદિરો અને દુકાનોની ચોખઠ પર ફેંકીને ફોડ્યા હતા. આ પરંપરા પાછળ માન્યતા છે કે દુકાનદારો આ માટલા…

Read More