Author: garvigujrat

અમદાવાદમાં વધતી મોંઘવારી અને ખાંડના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વટવા વિધાનસભા વિસ્તારમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાંડના ભાવ ₹70 પ્રતિ કિલોથી પણ વધુ પહોંચી જતા AAP ના કાર્યકર્તાઓએ રસ્તા પર ખાંડ વહેંચીને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન નિશાંત ઠક્કર અને જતીન પટેલ સહિતના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ખાદ્ય ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી AAPએ તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવા અને સામાન્ય લોકોને રાહત આપવા માંગ કરી હતી. AAP ના કાર્યકર્તાઓએ જણાવ્યું…

Read More

કેદારનાથ ધામ અને જ્યોતિર્લિંગનું મહાત્મ્ય સનાતન ધર્મમાં કેદારનાથને અદભૂત ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે.જે ભક્તો બાબા કેદારનાથના દર્શન કરે છે તેમના રોગ,દોષ અને પાપ નાશ પામે છે.હિમાલય ચડતાં ચડતાં આગળ વધીએ ત્યારે દૂરથી જ કેદારનાથ જ્યોતિર્લિંગનું શિખર દેખાય છે.શિખરના દર્શન બાદ આગળ ચાલતાં ભવ્ય શિવલિંગના દર્શન થાય છે.ભગવાન શંકરને સમર્પિત આ હિંદુઓનું અત્યંત પવિત્ર સ્થાન છે. આ ધામ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીના કિનારે આવેલું છે.કેદારનાથ સમુદ્ર સપાટીથી ૩૫૮૩ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. અહીંના હવામાનની વિષમતા અને દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે આ મંદિર વર્ષ દરમ્યાન અખાત્રીજ-અક્ષય તૃતીયાથી શરૂ કરીને કારતક સુદ પૂર્ણિમા સુધી જ…

Read More

સમાન યુનિફોર્મ અને શિસ્ત પર કોર્ટનો ભાર સ્કૂલમાં હિજાબ પહેરવાની માગ પર અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો કોર્ટે જણાવ્યું કે માત્ર દાવો કરવાના આધારે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર હેઠળ શાળાના નિયમોમાં છૂટ આપી શકાય નહીં પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ શાળાના નિર્ધારિત યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની મંજૂરી માગતી અરજી કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ ઇન્દ્રજીત શુક્લાની બેન્ચે જણાવ્યું કે અરજદાર હિજાબ પહેરવો ઈસ્લામની અનિવાર્ય ધાર્મિક પ્રથા છે તે સાબિત કરવા માટે પૂરતો ધાર્મિક અથવા કાનૂની આધાર રજૂ કરી શકી નથી. સુનાવણી દરમિયાન અદાલતે નોંધ્યું કે હિજાબ…

Read More

કાંચ તોડી બહાર નીકળી યાત્રીઓએ જીવ બચાવ્યા ગુજરાતથી કાનપુર જતી બસ ભડભડ કરતી સળગી આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે મોટાભાગના મુસાફરોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે સુરતથી ઉત્તર પ્રદેશના કાનપુર જઈ રહેલી એક ખાનગી મુસાફર બસમાં મધ્ય પ્રદેશના સરદારપુર નજીક અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાંથી ધુમાડો નીકળતો જાેઈને ચાલકે બસ રસ્તા પર ઊભી રાખી દીધી હતી અને પોતે સ્થળ પરથી ભાગી ગયો હતો. ધુમાડા અને આગના કારણે બસમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના મધ્ય પ્રદેશના સરદારપુર નગર સ્થિત ભોપાવર ચોકી નજીક મોડી…

Read More

ઇરાનની જવાબી ધમકી અને તેલ પુરવઠા પર સંકટ હોર્મુઝમાંથી પસાર થતા જહાજાેને અમેરિકાની ધમકી ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું અમેરિકા અને ઇરાન વચ્ચે પર્શિયન ગલ્ફમાં આવેલા વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ‘ (Strait of Hormuz)ને લઈને તણાવ વધુ ઘેરો બન્યો છે. યુએસ ટ્રેઝરી વિભાગના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) દ્વારા વિશ્વભરના જહાજાે અને શિપિંગ કંપનીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાે તેઓ હોર્મુઝ સ્ટ્રેટ સંબંધિત બાબતોમાં કોઈપણ ઇરાની સંગઠનો સાથે માહિતી શેર કરશે, તો તેમની સામે કડક અમેરિકી પ્રતિબંધો લાદવામાં આવશે. અમેરિકી તંત્ર અનુસાર, ઇરાની સંસ્થાઓ દ્વારા માંગવામાં આવેલી માહિતી આપવા બદલ જહાજાે પર…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ધીરે-ધીરે વધુ મજબૂત બની રહી છે અને સંગઠનના વિસ્તરણનું કામ સતત આગળ વધી રહ્યું છે. ગુજરાતના 50 હજારથી વધુ બૂથો પર મજબૂત સંગઠન ઊભું કરવાના સંકલ્પ સાથે પાર્ટી સતત મહેનત કરી રહી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ સ્તરે જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. આજે કેટલાક જિલ્લા પ્રમુખો, લોકસભા ઇન્ચાર્જ, લોકસભા સંગઠન મંત્રીઓ તેમજ પ્રદેશ સ્તરની મહત્વની જવાબદારીઓ માટે સાથીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી સંગઠનને વધુ મજબૂત…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયા, મેંદરડા તાલુકા પ્રમુખ કિશોરભાઈ પાનસુરીયા, મેંદરડા તાલુકા સંગઠન મંત્રી ભરતભાઈ બેરીયા, મહિલા પ્રમુખ જૂનાગઢ લોકસભા આરતીબેન ઢોલરીયા, શૈલેષભાઈ પરમાર, યુવા સંગઠન મંત્રી ધ્રુવીન મહેતા, જૂનાગઢ વિધાનસભા સંગઠન મંત્રી પ્રવીણભાઈ મકવાણા અને કિશોરભાઈ સાવલિયાની ઉપસ્થિતિમાં મેંદરડા તાલુકાના સાસણ ક્લસ્ટર અંતર્ગત આવેલી શ્રી ભગવતી આદિજાતિ આશ્રમશાળામાં કથિત બોગસ એલ.સી., વયપત્રક, હાજરી પત્રક અને અન્ય દસ્તાવેજોના આધારે સરકારી ગ્રાન્ટની ઉચાપત અંગે ગંભીર બાબત સામે આવી છે. તેમણે જણાવ્યુ હતુ કે શાળાના ચોપડા અને ઓનલાઈન રેકોર્ડમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવામાં આવે છે, પરંતુ સ્થળ પર વાસ્તવિક વિદ્યાર્થીઓની સંખ્યા અંગે ગંભીર સવાલો ઊભા થાય…

Read More

ઓસ્ટ્રેલિયા કોર્ટનો મોટો ર્નિણય બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી કોર્ટે ઓસ્ટ્રેલિયાના ટ્રેડ માર્ક્સ એક્ટ, ૧૯૯૫ની જાેગવાઈઓ, ખાસ કરીને સેક્શન ૧૭૭(૨),ને ધ્યાનમાં લીધી હતી ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે બાસમતી ચોખા અંગે ભારતીય નિકાસકારોને મોટો ઝટકો આપતાં ઓસ્ટ્રેલિયામાં બાસમતી માટે વિશેષ સર્ટિફિકેશન ટ્રેડમાર્ક મેળવવા ભારતની અપીલ ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ર્નિણયમાં નોંધ્યું કે ‘બાસમતી’ માત્ર ભારતની વિશેષ સંપત્તિ નથી, પરંતુ ભારત અને પાકિસ્તાન બંનેના સિંધુ-ગંગાના મેદાની વિસ્તારોમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતો ચોખાનો પ્રકાર છે. આ ર્નિણયની સૌથી વધુ અસર પંજાબ અને હરિયાણાના બાસમતી નિકાસકારો પર થવાની શક્યતા છે. ભારતના કુલ બાસમતી નિકાસમાં પંજાબનો હિસ્સો આશરે ૪૦ ટકા હોવાનું જણાવાય છે.…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારને ચેલેન્જ આપતા જણાવ્યુ હતું કે, આજકાલ ભાજપવાળા પંજાબની શાળાઓને બદનામ કરવામાં લાગેલા છે. 30 વર્ષથી તમારી ગુજરાતમાં સરકાર છે અને 4.5 વર્ષથી અમારી પંજાબમાં સરકાર છે. હું પંજાબની 1000 શાળાઓનું લિસ્ટ આપું છું, તમે ગુજરાતની 1000 શાળાઓનું લિસ્ટ આપો. આપણે બધા, તમે પણ આવો અને અમે પણ આવીએ. તમારા ગુજરાતની 1000 શાળાઓનું ઇન્સ્પેક્શન કરીએ અને સાથે મળીને પંજાબની 1000 શાળાઓનું ઇન્સ્પેક્શન કરીએ. કઈ શાળાઓ સારી છે? બધી મીડિયાને સાથે લઈને જઈશું. ભાજપવાળા પણ આવે અને અમે પણ આવીએ, બંને રાજ્યોની શાળાઓનું ઇન્સ્પેક્શન કરીએ. CJP એ ભાજપ શાસિત…

Read More

​(નીડર ,નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ​ ગુજરાત રાજ્યમાં કોઈપણ સમસ્યાનું સમાધાન માટે આંદોલન ફરજીયાત થઈ ગયું છે. આંદોલન વગર કોઈપણ સમસ્યાનું સમાધાન થતું નથી અને આંદોલન કર્યા બાદ આંદોલનકારીઓ એ આંદોલન થી માત્ર ને માત્ર સંતોષ અનુભવવાનો છે. જે સમસ્યા છે એનું જડમૂળથી નિરાકરણ થતું જ નથી એ પછી ગુજરાત ના ખેડૂતોનું આંદોલન હોય,યુવા વિદ્યાર્થીઓનું આંદોલન હોય, નીટ માટે વિદ્યાર્થીઓનું આંદોલન હોય, મેડીકલ કોલેજના સ્ટુડન્ટોનું આંદોલન હોય, આશા વર્કર બહેનોનું આંદોલન હોય, વેપારીઓનું આંદોલન હોય ઉપરોક્ત તમામે તમામ લોકોએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે રોડ ઉપર ઉતરી સરકારના, જિલ્લાના પ્રતિનિધિ કલેકટર ને આવેદન પત્ર આપી સંતોષ માનવાનો હોય છે.…

Read More