- નીરજ ચોપડાનો મહારેકોર્ડ, કોમનવેલ્થમાં જેવલિનના 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
- IRCTCની FTR સેવા શરૂ: લગ્ન, પ્રવાસ કે યાત્રા માટે હવે આખો કોચ અથવા ટ્રેન ભાડે બુક કરો
- પાકિસ્તાનમાં ‘કોકરોચ પાર્ટી’થી સરકાર ચિંતિત, Gen Zના અભિયાનથી રાજકારણમાં ખળભળાટ
- ₹500ના ઇનામથી બદલાયું જીવન, જાદુમણિ સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં જીત્યો સિલ્વર મેડલ
- પ્રીતિ પવાર બાદ જાસ્મીન લંબોરિયાનો ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દીકરીઓની ધમાકેદાર સિદ્ધિ
- જુલાઈમાં GST કલેક્શન 15.4% વધીને ₹2.11 લાખ કરોડ, આયાત અને ઘરેલુ આવકમાં જોરદાર ઉછાળો
- સુપ્રીમ કોર્ટે ભોજશાળા પાસે નમાઝને મંજૂરી આપી, પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇનકાર
- એવરેસ્ટ નજીક ચીનનું હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોન સેન્ટર, સરહદ સુરક્ષા વચ્ચે ભારતની ચિંતા વધી
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુદ્દે જે નિવેદન આપ્યું છે તેનાથી સમગ્ર આદિવાસી સમાજમાં રોષ છે. જ્યારે એક ધારાસભ્ય રોડ, રસ્તા, પાણી અને પોતાના હક અધિકારની વાતો કરે છે તો તેમને જેલમાં નાખવામાં આવે છે, અત્યાર સુધી એવું લાગતું હતું કે અહીંયાના લોકલ ધારાસભ્યો અને સાંસદો આ કેસમાં જોડાયેલા હતા, પરંતુ ગઈકાલે દેશના વડાપ્રધાને જે નિવેદન આપ્યું એ જોઈને એવું લાગી રહ્યું છે કે કદાચ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ આ કેસમાં ઇન્વોલ્વ છે અને તેઓ…
આમ આદમી પાર્ટીના દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે એક વીડિયો દ્વારા એક ગંભીર મુદ્દે પોતાની વાત મૂકતા જણાવ્યું કે, હમણાં જ જંતર-મંતરથી સમાચાર આવી રહ્યા છે કે દેશના યુવાનોના ભવિષ્યને વધુ સારું બનાવવા માટે છેલ્લા ૨૦ દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચુકજીને પોલીસે બળજબરીપૂર્વક ત્યાંથી ઉઠાવી લીધા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું કે, સૌને આશા હતી કે કદાચ સરકાર તેમની સાથે સંવાદ કરશે. પરંતુ 20 દિવસ પછી પણ સરકારે સંવાદ કરવાના બદલે સત્તાના અહંકારમાં પોલીસના જોરે બળજબરી કરવાનો નિર્ણય લીધો. પરંતુ દેશ જાગી રહ્યો છે, સત્તાના અહંકારમાં ડૂબેલી સરકારની તાનાશાહીને…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબમાં જઈને ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર જે નિવેદનો કર્યા છે, તેનાથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. આદિવાસી સમાજે વર્ષો સુધી ભાજપના લોકલ નેતાઓને જોઈને નહીં પરંતુ નરેન્દ્રભાઈ મોદીને જોઈને ભાજપને વોટ આપ્યા છે. પરંતુ એમણે ગઈકાલે કહ્યું કે “આદિવાસી યુવાન ચૈતર વસાવાને ખંડણી અને અધિકારીઓને ધમકાવવાના કેસમાં કોર્ટે સજા કરી.” અગાઉ લાગતું હતું કે આ સજા ભાજપના લોકલ નેતાઓએ કરાવી હોય એવું હોઈ શકે છે પરંતુ હવે લાગી રહ્યું છે કે…
સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે ઐતિહાસિક ચુકાદો સેકન્ડ ક્લાસ મુસાફર શબ્દ બંધારણ વિરોધી સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે હવે મુસાફરોને બદલે ટ્રેનના કોચના આધારે શ્રેણી નક્કી કરવી જાેઈએ સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેમાં સુધારો અને મુસાફરોની સુરક્ષા અંગે મોટો ર્નિણય સંભળાવ્યો છે. જસ્ટિસ સંય કરોલ અને જસ્ટિસ એન.કોટિશ્વર સિંહની બેંચે રેલવેના દસ્તાવેજાેમાં લખાયેલ સેકન્ડ ક્લાસ મુસાફર શબ્દથી તીવ્ર વાંધો ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ભારતના ઈતિહાસમાં વર્ગ વિભાગને ધ્યાને રાખીને કોઈપણ વ્યક્તિનો સેકન્ડ ક્લાસ મુસાફર તરીકે ઉલ્લેખ કરવો તે બંધારણ વિરોધી છે, તેથી મુસાફરના બદલે રેલવે કોચ કે ડબ્બા માટે શ્રેણીનો ઉલ્લેખ કરવો વધુ યોગ્ય રહેશે. કોર્ટે આદેશ આપ્યો…
ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો પર ૧૦૦ ટકા ટેરિફની ધમકી ૬૦થી વધુ સેનેટર્સના જૂથે બિલને ટેકો આપતા ટૂંક સમયમાં કાયદો બનશે : કાયદાની સીધી અસર ભારત-ચીન જેવા દેશો પર પડશે યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાની આર્થિક કમર તોડવા માટે અમેરિકાએ વધુ એક મોટો અને અત્યંત કડક દાવ ખેલ્યો છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ (કચ્ચું તેલ) અને નેચરલ ગેસ ખરીદવાનું ચાલુ રાખનારા દેશો પર ૧૦૦% સુધીનો ટેરિફ (આયાત ડ્યુટી) લગાવવા માટેના એક બિલને અમેરિકન સેનેટર્સનું ભારે સમર્થન મળ્યું છે. ૬૦થી વધુ સેનેટર્સના જૂથે આ બિલને સપોર્ટ જાહેર કર્યો હોવાથી હવે આ કાયદો ટૂંક સમયમાં જ પસાર થઈ જાય તેવી…
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો વોશિંગ્ટન સુંદરની ઈજાએ ટેન્શન વધારી દીધું છે હવે વોશિંગ્ટનની ઈજાએ ચિંતામાં વધારો કર્યો છે : ત્રીજી અને નિર્ણાયક વનડેમાંથી વોશિંગ્ટન સુંદર બહાર થઈ શકે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી ત્રીજી વનડે ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ સિરીઝનો નિર્ણાયક મુકાબલો છે. સિરીઝ અત્યારે ૧-૧ થી બરાબર છે. શુભમન ગિલ એન્ડ ટીમે પહેલી મેચમાં જીત મેળવી હતી, જ્યારે બીજી મેચમાં યજમાન ટીમે બાજી મારી હતી. હવે ત્રીજી મેચ સિરીઝ ડિસાઇડર છે, જેના પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પહેલી મેચમાં અડધી સદી ફટકારનારા વોશિંગ્ટન સુંદરની ઈજાએ ટેન્શન વધારી દીધું છે. વોશિંગ્ટન સુંદર બીજી વનડેમાં પણ ઈજાથી ઝઝૂમતો જાેવા…
ચોમાસું સત્રમાં મોદી સરકાર લાવશે નવો કાયદો વંદે માતરમ ગાતા અટકાવશો તો હવે થશે ત્રણ વર્ષની જેલ આ પહેલા મોદી સરકાર તમામ સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ્ ગાવું ફરજિયાત કરી ચૂકી છે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમના સન્માનને લઈને મોટો ર્નિણય લેવાની તૈયારીમાં છે. સંસદના ચોમાસુ સત્રમાં સરકાર એક નવું બિલ રજૂ કરશે, જેમાં રાષ્ટ્રીય ગીત ગાતા અટકાવનાર વ્યક્તિને ૩ વર્ષ સુધીની જેલની સજાની જાેગવાઈ હશે. અત્યાર સુધી આ નિયમ માત્ર રાષ્ટ્રગાન જન-ગણ-મન માટે જ લાગુ હતો, જે હવે રાષ્ટ્રીય ગીત માટે પણ અમલી બનશે. તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ નવા ખરડા મુજબ,…
ઓર્ગન ફેલ્યોરને લઈને ડોક્ટરોએ વ્યક્ત કરી ચિંતા ‘ભૂત બનીને પાછો આવીશ’, અનશન પર અડગ સોનમ વાંગચુકનું નિવેદન મેડિકલ ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ વાંગચુકનું વજન ઘટીને ૫૬.૬૫ કિલોગ્રામ થયું દિલ્હીના જંતર-મંતર પર નીટ-યુજી પેપર લીક વિરુદ્ધ અનશન કરી રહેલા સોનમ વાંગચુકની ભૂખ હડતાળને ૨૦ દિવસ પૂરા થવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર સોનમના અનશનને લઈને ઘણા લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક લોકો મીમ બનાવીને મજાક ઉડાવી રહ્યા છે. જાેકે મજાક કરવાના મામલે સોનમ વાંગચુક પણ કંઈ ઓછા નથી, અત્યંત નબળી હાલતમાં પણ તેમણે કંઈક એવું કહી દીધું કે સાંભળનારાઓ હસી…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત સરકાર ધ્વારા અશાંતધારા અંતર્ગત એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવે અશાંતધારાને બદલે સ્પેસિફાઇડ એરિયા (નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. આ વિસ્તારો નક્કી કરવા માટે એક મોનિટરિંગ એન્ડ એડવાઇઝરી કમિટીની રચના કરવામાં આવશે. જેની સલાહના આધારે જે વિસ્તારોમાં કોમી તણાવ હોય અને ભવિષ્યમાં સ્થળાંતરની સંભાવના જણાય ત્યાં આ કાયદો લાગુ કરાશે. જ્યારે મિલકત વેચાણની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કલેક્ટર કક્ષાએ તપાસ કરવામાં આવશે. અને આ માટે એક સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવામાં આવશે. અને તપાસ બાદ જ વેચાણની મંજૂરી મળશે, અને જો ગેરકાયદેસર રીતે મિલકત ટ્રાન્સફર…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં દર વર્ષે આવતા ખાડીપૂરને કારણે જાન-માલના થતાં નુકશાન અંગે હજુ સુધી તંત્ર ધ્વારા કોઈ નિર્ણાયક અને કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવાના કારણે આ વર્ષે પણ ખાડી પૂરના પાણીની વરાછા સહિત લિંબાયત અને ઉધના ઝોનમાં ખાડી કિનારાના વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ આ વર્ષે ૦૭મી જુલાઈના રોજ અનરાધાર વરસાદને કારણે શહેરમાં ભારે પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને એમાં ખાસ કરીને શોપિંગ સેન્ટર અને ટેક્ષટાઇલ માર્કેટોના બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. ટેક્ષટાઇલ નગરી તરીકે વૈશ્વિક ઓળખ ધરાવતા સુરત શહેરમાં વરસાદી પૂરને કારણે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



