- અંબાજી ગબ્બર દર્શન 22-23 એપ્રિલે બંધ, મધપૂડા દૂર કરવાની કામગીરી માટે રોપવે પણ બંધ રહેશે
- સંજય રાઉતનો ગુજરાત પર કટાક્ષ: સુરતમાં શ્રમિક પલાયન મુદ્દે સરકાર પર નિશાન, રાજકીય ગરમાવો
- બંગાળમાં મતદાર યાદી ડરની અફવા: હજારો શ્રમિકોની ઘરવાપસી, રેલવે સ્ટેશનો પર ભારે ભીડ
- વિરાટ કોહલી-અનુષ્કા શર્મા વૃંદાવન મુલાકાત: પ્રેમાનંદ મહારાજ સાથે આધ્યાત્મિક ચર્ચા, પાંચ મહિનામાં ત્રીજી મુલાકાત
- ટ્રમ્પની કેનેડાને ચેતવણી: ચીન ડીલ ખતમ કરો નહીં તો 100% ટેરિફ લગાવશું
- અમેરિકા-ઈરાન તણાવ વધ્યો: જહાજ જપ્ત બાદ ડ્રોન હુમલાની આશંકા, સીઝફાયર પર સંકટ
- જમ્મુ-કાશ્મીરમાં બસ દુર્ઘટના: 21ના મોત, 30થી વધુ ઘાયલ, CM ઓમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો
- કેપિટોલ હિલ પર 22 એપ્રિલે આતંકવાદ પર પ્રદર્શન, પાકિસ્તાનની પોલ ખોલશે ભારત
Author: Garvi Gujarat
‘ધુરંધર’ જાેઈને પરેશ રાવલે ખૂબ વખાણ કર્યા ‘પહેલીવાર કોઈ ફિલ્મ જાેઈને લાગ્યું કે તેમાં મને કાશ ભૂમિકા મળી હોત’ ‘ધુરંધર: ધ રિવેન્જ’ ભારતમાં સૌથી ઝડપથી ૧૦૦૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ ર્નિદેશક આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર અને તેની સિક્વલની જબરદસ્ત સફળતા વચ્ચે એક્ટર પરેશ રાવલનું એક નિવેદન ચર્ચામાં છે. પરશે રાવલે કહ્યું છે કે તેને આ ફ્રેન્ચાઇઝીનો ભાગ હોવું જાેઈતું હતું.પરેશ રાવલે તાજેતરમાં ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં ધુરંધર અને ધુરંધર: ધ રિવેન્જની ખૂબ પ્રશંસા કરી. તેણે જણાવ્યું કે તેણે ફિલ્મનો પહેલો ભાગ બે વાર જાેયો છે, જ્યારે બીજાે ભાગ પણ જાેઈ ચૂક્યા છે અને ફરીથી જાેવાની…
રાઘવ જુયાલને ઓફર કરાયાછઝ્રની અટકળો રેમો ફનાર્ન્ડિઝ ૧૧ વર્ષ બાદ એબીસીડી થ્રી બનાવશે પહેલા બે ભાગમાં વરુણ ધવન તથા શ્રદ્ધા કપૂરે કામ કર્યું હતું. ત્રીજા ભાગમાં રેમો નવી પેઢીના કલાકારોને પસંદ કરે તેવી સંભાવના છે રેમો ડિસોઝાએ પોતાની ડાન્સ ફિલ્મની ત્રીજી ળેન્ચાઇઝી ‘એની બડી કેન ડાન્સ ૩’ પર કામ શરૂ કરી દીધુ છે. હાલ આ ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ પહેલા એવા સમાચાર હતા કે, રેમો આ ફ્રેન્ચાઇઝીના ૩જા ભાગ માટે અભિનેતા-ડાનસર રાઘવ જુયાલ સાથે ફરી કામ કરશે. જાેકે રાઘવ જુયાલે હજુ સુધી આ વિશે કન્ફર્મ કર્યું નથી. આ ફિલ્મનો…
મુંબઈમાં એક શૂટિંગ શિડયૂલ પૂર્ણ થયું સની દેઓલની એન્ટનીનાં ફાઈટ સીન્સનું શૂટિંગ ગોવામાં થશે સાઉથના જ એ આર મુર્ગાદોસ અને ફરહાન અખ્તર સાથે મળીને આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યા છે સની દેઓલે પોતાની આગામી એકશન ફિલ્મ ‘એન્ટની’નું મુંબઇનું શૂટિંગ પુરુ કરી લીધું છે. હવે તે વધુ શૂટિંગ માટે ગોવા રવાના થશે.આ શૂટિંગ એક મહિના સુધી ચાલશે . ગોવામાં કેટલીક ફાઈટ સીકવન્સનું શૂટિંગ થવાનું છે. આ ફિલ્મમાં સની સાથે જ્યોતિકા છે. આ ઉપરાંત વિજય વર્મા નેગેટિવ રોલમાં છે. સાઉથનો બાલાજી ગણેશ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે. આ ફિલ્મ મોટાભાગે આવતાં વર્ષની શરુઆતમાં રીલિઝ થાય તેવી સંભાવના છે. સાઉથના જ એ…
પોણા બે કરોડ સ્ટેમ્પ ડયૂટી ભરી સિંગર શ્રેયા ઘોષાણે મુંબઈના વરલીમાં ૩૦ કરોડનો ફલેટ લીધો ફલેટના વેચાણ ખત પેટે ૧.૭૮ કરોડ રૂપિયાની સ્ટેમ ડયુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશનના ચુકવવામાં આવ્યા પ્લેબક સિંગર શ્રેયા ઘોષાલે પોતાના પેરન્ટસ સાથે મુંબઇના વરલીમાં ૨૯.૭૦ કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો છે. ગાયિકાનો આ ફ્લેટ ૨,૭૫૦ ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે. શ્રેયાને ફલેટ સાથે ત્રણ કાર પાર્કિંગ એલોટ થયાં છે. દસ્તાવેજાે અનુસાર ફલેટના વેચાણ ખત પેટે ૧.૭૮ કરોડ રૂપિયાની સ્ટેમ ડયુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશનના ચુકવવામાં આવ્યા છે. ગત પહેલી એપ્રિલે આ ફલેટના સોદાનું રજિસ્ટ્રેશન થયું હતું. મુંબઈમાં મોટાભાગના સેલિબ્રિટીઓ બાન્દ્રા, જૂહુ તથા પાલી હિલ જેવા વિસ્તારોમાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. અને એટલે જ શ્રધ્ધા રાખનારા અંધશ્રધ્ધાનો શિકાર બને છે. આમ તો કહેવાય છે કે શ્રધ્ધા ને પુરાવાની શું જરૂર છે? પરંતુ હવે કળિયુગમાં જો શ્રધ્ધાની વાત કરો તો શંકા ઉત્પન્ન કરી સામે આપણને પૂછે કે હોય? આવું બનતું હશે? એટલે એમ કહેવાય કે શ્રધ્ધા ને પુરાવાની જરૂર છે. અંધશ્રધ્ધાને નહીં? એનો તાજો દાખલો એટલે મહારાષ્ટ્રના નાસિકનો અશોક ખરાત. આમ પણ અંધશ્રધ્ધા એક એવી બીમારી છે જેનો ઈલાજ હાથવગો હોવા છતાં એ એક મહામારીનું રૂપ ધારણ કરીને બેઠી છે. વ્યક્તિને પોતાની ક્ષમતા કરતાં કોઈ ચમત્કાર પર વધુ ભરોસો…
(છગન લાલ મેવાડા ધ્વારા) સુરત. દક્ષિણ ગુજરાત ના વાલ્મિકી સમાજ ના આગેવાનોની એક મીટીંગ તા.૦૭/૦૪/૨૦૨૬ ના રોજ સુરત ઓપેરા હાઉસ ખાતે શ્રી ડી.સી.સોલંકી સિનિયર એડવોકેટ અને ઉધોગપતિ ના પ્રમુખ સ્થાને સાંજના ૫:૦૦ કલાકે રાખવામાં આવી હતી. જેમાં વાલ્મિકી સમાજ ના પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વાલ્મિકી સમાજ માં લગ્ન બાદ ઘરેલું ઝઘડાઓનું પ્રમાણ વધી રહેલ છે અને સામાન્ય બાબતોમાં કોર્ટનો આશરો લેવામાં આવે છે. અને વર્ષો સુધી ઝઘડાં ના નિરાકરણ થતાં નથી. એક તો સમાજ પ્રથમથી આર્થિક,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તેમાં કોઈ કોર્ટ કચેરી થાય તો લાંબો સમય સુધી બંને પક્ષકારોએ યાતનાઓ ભોગવવી પડે છે અને…
કોટનના વાયદામાં રૂ.820નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.151 અને ચાંદીના વાયદામાં રૂ.1623ની નરમાઇ મેન્થા તેલ, એલચીમાં સુધારોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.29176.08 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.99694.41 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17864.66 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 35792 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.128871.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29176.08 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.99694.41 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 35792 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3254.12 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17864.66 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ…
સોશિયલ મીડિયા પર અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે કે પુરુષ સ્ત્રી કરતાં મહાન છે! પણ એમની સંવેદનાને કોઈ સમજતું નથી! બધાં સ્ત્રી, કે મા જ મહાન છે, એવી વાતો કરે છે! હકીકતમાં પુરુષ પોતાની લાગણી કે વિચારોને એટલી હદે પ્રસ્તુત કરી શકતો નથી! અથવા તો કરતો નથી! અને એટલે એને અન્યાય થાય છે! પણ કોઈ એક મહાન અને બીજું ઉતરતું એવું શું કામ? મારી રીતે તો સ્ત્રી અને પુરુષ બંને ગૃહસ્થીની ગાડીની સમાંતરે ચાલતાં છેડાઓ છે, અને એટલે જીવનની ગાડી ગમે તે મોડ પર વળાંક લે, તો બંને છેડાએ વળાંક લેવો પડે! અને જો એક છેડો વળાંક લેવાનો ઈન્કાર કરે…
સરકારી યોજનાનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા આવાસ યોજના હેઠળ કન્સલ્ટન્ટ દ્વારા લાભાર્થીઓ પાસેથી મોટી રકમ વસૂલવામાં આવી હોવાનો આક્ષેપ સાથે મામલો ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે જામજાેધપુર નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કન્સલ્ટન્ટ દ્વારા લાભાર્થીઓ પાસેથી મોટી રકમ વસૂલવામાં આવી હોવાનો આક્ષેપ સાથે મામલો ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કન્સલ્ટન્ટ મનીષ રૂપારેલિયા વિરુદ્ધ ખુશાલ સુરેશભાઈ વડાલીયા દ્વારા રાજકોટ નગરપાલિકા પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે યોજનાના લાભાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની વસુલાત કરીને સરકારી યોજનાનો…
૭-૮ એપ્રિલે કરા સાથે વરસાદ પડવાની ચેતવણી પશ્ચિમી વિક્ષોભ ઉત્તર-પશ્ચિમ ભારતને પ્રભાવિત કરશે દિલ્હી, પંજાબ, યુપીમાં તાપમાન સામાન્યથી વધુ ઘટી જશે ઉત્તર ભારત અને ગુજરાતમાં ગરમીની શરૂઆત બાદ ફરી હવામાનમાં પલટો આવ્યો છે. માર્ચની બીજા સપ્તાહમાં શરૂ થયેલો હવામાનનો ઉતાર-ચઢાવ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પણ યથાવત છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ અનુસાર એક બાદ એક આવી રહેલા પશ્ચિમી વિક્ષોભ ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાન સંપૂર્ણ રીતે બદલવાનું છે. તેની સૌથી વધુ અસર ૭ અને ૮ એપ્રિલે જાેવા મળશે, જેમાં ગરમી વચ્ચે ફરી હળવી ઠંડીનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આ સપ્તાહે બે પશ્ચિમી વિક્ષોભ ઉત્તર-પશ્ચિમ ભારતને પ્રભાવિત કરશે. તેની સક્રિયતા ૭…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



