Author: Garvi Gujarat

આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ વિડીયોના માધ્યમથી ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, મનસુખ વસાવા મીડિયામાં આવીને ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરી રહ્યા છે, તે તદ્દન પાયાવિહોણા છે. એમને હું એટલું જ કહેવા માગું છું કે ચૈતરભાઈ વસાવા સાડા ત્રણ વર્ષથી ધારાસભ્ય છે અને તેમણે અત્યાર સુધી જીઆઇડીસીના પ્રશ્નના મુદ્દે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રશ્નના મુદ્દે, શિક્ષણના પ્રશ્નના મુદ્દે, આરોગ્યના પ્રશ્નના મુદ્દે, શિષ્યવૃત્તિના પ્રશ્નના મુદ્દે, કોરિડોરના પ્રશ્નના મુદ્દે કે પછી સનદની જમીનના પ્રશ્નના મુદ્દા સહિત બીજા અનેક મુદ્દાઓ પર તેઓ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બની ટોક ઓફ ધ ટાઉન બનેલા સુરતના નાસિર નગર ડિમોલિશન મામલામાં સત્તાધારીઓએ મનમાની કરી ગરીબોને ઘરથી બેઘર કરતા હવે હાઇકોર્ટે આકરું વલણ અપનાવતા SMC સહિત પોલીસ ખાતામાં ખડભડાટ મચી જવા પામ્યો છે. ગુજરાત હાઇકોર્ટે વેધક સવાલ કરતાં જણાવ્યું કે ડિમોલિશન અંગે સુરત પોલીસ કમિશનરે ફરિયાદ કેમ ન લીધી? આ ગંભીર બાબત માટે રાજ્ય સરકાર પણ જવાબદાર બને છે. સાથે ટોરેન્ટ પાવર અને DCP નકુમ પણ એટલા જ જવાબદાર છે. નાસિનગર ડિમોલિશન મામલે 26 અરજદારો ધ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય,SMC, સુરત પોલીસ કમિશનર, SOG ના DCP રાજદીપસિંહ નકુમ,પોલીસ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં રોજ સવાર પડે અને પ્રજાનું ટેન્શન વધે છે કારણ કે ભાજપ સરકારના રાજમાં રોજ નવા નવા ગતકડા પેદા થતા દેશના નાગરિક હવે ગર્ભિત ભયથી જાણે કે પીડાઈ રહ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે સરકારી સૂત્રોએ ગુરુવારે PTI ને જણાવ્યું કે, પાસપોર્ટ ક્યારેય નાગરિકતા નો પુરાવો રહ્યો નથી. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ એક પ્રેસ બ્રિફિંગમાં આ જ વાત કહી હતી. પાસપોર્ટ એક્ટ 1967 મુજબ, પાસપોર્ટ બિન- નાગરિકોને પણ આપી શકાય છે. સૂત્રોએ જણાવ્યું કે ગઈકાલે એવું નક્કી કરવામાં આવ્યુ ન હતું કે પાસપોર્ટ નાગરિકતા નો પુરાવો નથી. છેલ્લા બાર વર્ષમાં પણ એવું નક્કી…

Read More

મેડિસન સ્ક્વેરમાં ૧ હજારથી વધુ VVIP મહેમાનો આપશે હાજરી ૧૮ હજાર કરોડની નેટવર્થ ધરાવતી ટેલર સ્વિફ્ટના લગ્નની તડામાર તૈયારીઓ! મેડિસન સ્ક્વેર ગાર્ડનની આસપાસના કેટલાક રસ્તાઓને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે વિશ્વભરના લોકપ્રિય પોપ સિંગર્સમાંની એક સિંગર ટેલર સ્વિફ્ટ વર્તમાન સમયમાં પોતાના લગ્નના સમાચારોને લઈને ભારે ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, ટેલર સ્વિફ્ટ અને તેમના મંગેતર ટ્રેવિસ કેલ્સ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલો મુજબ, સિંગર ટૂંક સમયમાં ન્યૂયોર્કના પ્રખ્યાત મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં પોતાના વેડિંગ ફંક્શન્સ સેલિબ્રેટ કરતી જાેવા મળી શકે છે. આ કોઈ સામાન્ય લગ્ન નહીં હોય, પરંતુ કેટલાય દિવસો સુધી ચાલનારું એક ગ્રાન્ડ…

Read More

અહેમદ ખાને શેર કર્યાે વિશાળ કાસ્ટ સાથે ફિલ્મ શૂટ કરવાનો અનુભવ ૩૦ એક્ટર્સ, ૫૦ વેનિટી વૅન અને ૨૫૦ કાર વચ્ચે શૂટ થઈ ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, અર્શદ વારસી, જેકલિન ફનાર્ન્ડિઝ, દિશા પટ્ટણી, રવીના ટંડન વિગેરે હશે અક્ષય કુમાર સહિતની વિશાળ કાસ્ટ સાથેની ને જેની લાંબા સમયથી રાહ જાેવાય છે એવી કોમેડી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ તેની વિશાળ સ્ટારકાસ્ટને કારણે સતત ચર્ચામાં છે. ફિલ્મનાં ડિરેક્ટર અહેમદ ખાને તાજેતરમાં ખુલાસો કર્યાે કે આ ફિલ્મનું શૂટિંગ કોઈ સામાન્ય ફિલ્મ સેટ જેવું નહોતું, આટલા કલાકારો અને તેમની ટીમના કાફલા સાથે કામ કરવું એક મોટો પડકાર હતો.એક…

Read More

રિતિકનો કેમિયો બનશે ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ રિતિકે રજનીકાંત સાથે ‘જેલર ૨’નું શૂટિંગ પૂરું કર્યું શૂટિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની માહિતી અથવા તસવીરો લીક ન થાય તે માટે સેટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’માં શાહરુખના બદલે કિમિયો રિતિક કરશે એવી ચર્ચાઓ વચ્ચે હવે એવા અહેવાલ છે કે રિતિકે શૂટિંગ પૂરું પણ કરી લીધું છે. રિતિક રોશને ફિલ્મમાં પોતાના ખાસ કેમિયો માટેનું શૂટિંગ પૂરું કરી દીધું છે. ચેન્નાઈમાં બે દિવસના શીડ્યુલ દરમિયાન રિતિક અને રજનીકાંતે સાથે મહત્વના સીનનું શૂટિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મનાં ડિરેક્ટર નેલ્સન દિલીપકુમારે હૃતિક માટે એક ભવ્ય અને મોટા…

Read More

પ્રિયંકાએ પોતાનાં વ્યક્તિગત જીવન વિશે વાત કરી હોલિવૂડમાં હજુ બોલિવૂડ જેવી જગ્યા બનાવી નથી : પ્રિયંકા ચોપરા ભારતમાં સુપરસ્ટાર તરીકે સ્થાપિત થયા બાદ પણ હોલિવૂડમાં તેને એક નવા કલાકાર તરીકે પોતાની ઓળખ બનાવવી પડી હતી વૈશ્વિક મંચ પર પોતાની આગવી ઓળખ ઉભી કરનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જાેનાસે સ્વીકાર્યું છે કે હોલિવૂડમાં સફળતા મેળવ્યા છતાં તે હજુ પોતાની બોલિવૂડ કારકિર્દી જેટલી મજબૂત જગ્યા બનાવી શકી નથી. પ્રિયંકાએ આ વાત તાજેતરમાં યોજાયેલી કાન લાયન્સ કોન્ફરન્સ દરમિયાન કરી હતી.પ્રિયંકાએ જણાવ્યું કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેને અનેક શ્રેષ્ઠ ડિરેક્ટર્સ અને કલાકારો સાથે કામ કરવાની તક મળી હતી અને વિવિધ પ્રકારની ફિલ્મોમાં પોતાની પ્રતિભા સાબિત…

Read More

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સામે ષડયંત્રના ભાગરૂપે એક કેસ કરવામાં આવ્યો અને તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ નવ લોકોને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી. જેથી આમ આદમી પાર્ટીએ આજે આ સજાના વિરોધમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં “સપોર્ટ માર્ચ” પદયાત્રાનું આયોજન કર્યું હતું. અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલયથી ઇન્કમટેક્સ સર્કલ સુધી આમ આદમી પાર્ટી દ્વારા આ સપોર્ટ માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા તેમજ પ્રદેશ સંગઠન મંત્રી ડોક્ટર કરન બારોટ, આમ આદમી પાર્ટી…

Read More