- ગુજરાત ATSનો મોટો ખુલાસો: ભરૂચમાં આતંકી નેટવર્કના આરોપમાં પાંચની ધરપકડ, તપાસ તેજ
- રીલ્સ બનાવો અને જીતો ₹3 લાખ: બિહાર ટુરિઝમની શ્રાવણી મેળા વીડિયો સ્પર્ધાની અનોખી પહેલ
- ટ્રમ્પના નવા પ્લાનથી અમેરિકામાં ભારતીય ટ્રક ડ્રાઇવરોની નોકરી પર સંકટ, 1.5 લાખ લોકો અસરગ્રસ્ત
- પ્રિયંકાનો ખુલાસો: નિક જોનાસને બોલિવૂડ ગોસિપની વધુ ખબર, લવસ્ટોરીની રસપ્રદ વાતો કરી શેર
- અર્જુન બિજલાનીએ મૌની રોય સાથે ડેટિંગની અફવા ફગાવી, કહ્યું- મિત્રતાને પ્રેમનો રંગ ન આપો
- સોહેલ ખાનનો ખુલાસો: બાળપણમાં જાતીય સતામણીનો ભોગ બન્યો, વર્ષો સુધી કોઈને વાત કરી નહોતી
- પરેશ રાવલનો ખુલાસો: રાજકારણ મારું ક્ષેત્ર નહોતું, સુશાંત કેસના મીડિયા કવરેજથી પણ હતા નારાજ
- ગુજરાત પોલીસની કામગીરી પર સવાલ: ગુનેગારોના જાહેર સરઘસ કરતાં કડક કાયદાકીય કાર્યવાહી વધુ જરૂરી
Author: garvigujrat
૧ ગુણના હેતુલક્ષી અને ૨ ગુણના પ્રશ્નોની સંખ્યા વધારાઈ.શિક્ષક બનવા માટેની મુખ્ય પરીક્ષામાં પેપર-૨ની પેટર્નમાં ધરખમ ફેરફાર.ધો.૯થી ૧૨ના શિક્ષક માટેની મુખ્ય પરીક્ષાના પેપર-૨માં ૬ અને ૮ ગુણના પ્રશ્નોને હટાવી દેવાયા છે.રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોના શિક્ષક માટેની પરીક્ષાના પેપરની પેટર્નમાં ફેરફાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ધો.૯થી ૧૨ના શિક્ષક માટેની મુખ્ય પરીક્ષાના પેપર-૨માં ૬ અને ૮ ગુણના પ્રશ્નોને હટાવી દેવાયા છે. વધુ ગુણના પ્રશ્નોના મૂલ્યાંકન વખતે કોઈને લાભ તો કોઈને અન્યાય થવાની શક્યતાના પગલે આ ર્નિણય કરાયો છે. પેપરની પેટર્નમાં કરવામાં આવેલા ફેરફારના પગલે હવે ૧ ગુણના હેતુલક્ષી અને ૨ ગુણના પ્રશ્નોની સંખ્યા વધારી દેવાઈ છે. સરકારી અને ગ્રાન્ટેડ…
પાકિસ્તાની બેટરની મોટી ‘ફજેતી’.ક્રિકેટ જગતના બે સ્ટાર ખેલાડી વચ્ચે મેદાનમાં ઝઘડો.બંને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે તણાવની શરૂઆત મેચની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે થઈ હતી.ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ દરમિયાન એક જ ટીમના સાથી ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને બાબર આઝમ વચ્ચે મેદાન પર થયેલી તણાવભરી ક્ષણોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટનાઓએ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા, કારણ કે બંને ખેલાડીઓ એક જ ટીમ (સિડની સિક્સર્સ) માટે રમી રહ્યા હતા. હવે આ સમગ્ર મામલે સ્ટીવ સ્મિથે પોતાનું મૌન તોડ્યું છે અને ખાસ કરીને બાબરને સિંગલ લેવાની ના પાડવા પાછળનું અસલી કારણ જણાવ્યું છે.ફિલ્ડિંગમાં થઈ હતી તકરારની શરૂઆતઆ બંને…
ઇરાનમાં માદુરો જેવી કાર્યવાહી કરવી શક્ય નથી.ઇરાન હોર્મુઝની ખાડી બંધ કરશે તેવા ડરથી ટ્રમ્પ આક્રમણ કરતાં નથી.હોર્મુઝનો અખાત એક મહિનો બંધ રહે તો ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૧૦ ડોલરને આંબી જાય.ઇરાનમાં ઇસ્લામિક કટ્ટરવાદી સરકાર સામે પ્રજાનું જબરદસ્ત વિરોધ પ્રદર્શન છે અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તેમને ધમકીઓ પર ધમકીઓ આપે છે. આમ છતાં વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો જેવી કોઈ કાર્યવાહી કેમ કરતા નથી કે ઇરાન પર કેમ હુમલો કરતાં નથી તે સવાલ બધાને થાય તેમ છે. ટ્રમ્પ આમ કરતાં ખચકાઈ રહ્યા છે તેનું કારણ છે હોર્મુઝની ખાડી.કોઈને પણ સવાલ થાય કે હોર્મુઝની ખાડીમાં વળી એવો તે શું છે કે તેના…
એ.આર. રહેમાનનું નિવેદન: ‘હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાંપ્રદાયિકતા વધી’, રામાયણને ધર્મથી ઉપર ગણાવ્યું
દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાનનું ચોંકાવનારૂ નિવેદન.‘છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યો છે‘.‘રામાયણ’ના સંગીતકાર કહે છે – મારો સહયોગી હંજ જિમર યહુદી છે, હું મુસલમાન છું અને રામાયણ હિન્દુ ગ્રંથ છે.જન્મે હિન્દુ પણ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનેલા ટેલેન્ટેડ મ્યુઝીક ડાયરેકટર એ.આર. રહેમાને ચોંકાવનારી વાત એક ઈન્ટરવ્યુમાં કહી છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોમ્યુનલ (કોમવાદી) બની ગઈ છે, એક ઓસ્કાર વિનર સંગીતકારને કામ નથી મળી રહ્યું.એ.આર. રહેમાન નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં સંગીત આપી રહ્યા છે. રહેમાને તેની પાછળની ધાર્મિક સોચના બારામાં વાત કરી છે. તેણે જણાવ્યું હતું કે તે ખુદ એક બ્રાહ્મણ સ્કૂલમાં ભણ્યા છે.એ.આર. રહેમાનનું કહેવું છે કે તેને…
સાંઈ પલ્લવીનું બોલીવૂડમાં ડેબ્યૂ.ફિલ્મ ‘એક દિન’નું શાનદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું.આ ટિજરની શરૂઆત જુનૈદ ખાનના વોઇસઓવરથી થાય છે, જેમાં તેનું પાત્ર સપનાઓ, આશાઓ અને પ્રેમ વિશે વાત કરે છે.મુંબઈ: કાજલ અગ્રવાલ, પ્રિયામણી, નયનતારા, તાપસી પન્નુ અને રસ્મિકા મંદાના બાદ હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વધુ એક અભિનેત્રી બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જીહા, હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વધુ એક અભિનેત્રી હિન્દી ફિલ્મોમાં જાેવા મળશે. જેનું નામ છે સાંઈ પલ્લવી. આમિર ખાનના દીકરા જુનૈદ ખાન સાથે સાંઈ પલ્લવીની નવી ફિલ્મ આગામી સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.સાંઈ પલ્લવીની ડેબ્યુ ફિલ્મ ‘એક દિન’નું આજે…
વીડિયો શેર કરીને જણાવી વ્યથા.વર્લી મેટ્રો સ્ટેશન પર દિવ્યાંગ કોમેડિયનને થયો કડવો અનુભવ.દિવ્યાંગ કોમેડિયન કર્ણ શાહને પડેલી હાલાકીના વીડિયોને લઈને યુઝર્સે કર્ણ પ્રત્યે સંવેદના અને તંત્ર પર રોષ વ્યક્ત કર્યો છે.માયાનગરી મુંબઈની મેટ્રો ટ્રેનની સુવિધાનો અનેક મુંબઈગરાઓ ઉપયોગ કરે છે. પરંતુ તાજેતરમાં મુંબઈના એક મેટ્રો સ્ટેશન પર પાયાની સુવિધાનો અભાવ જાેવા મળ્યો છે. પાયાની સુવિધાના અભાવના કારણે કર્ણ શાહ નામના દિવ્યાંગ કોમેડિયનને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.વર્લી મેટ્રો સ્ટેશન પર કોમેડિયન કર્ણ શાહને કડવો અનુભવ થયો છે. પોતાના અનુભવને કર્ણ શાહે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને શેર કર્યાે છે. આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર…
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદના ચંડોળા મુકામે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના નેતૃત્વમાં એસ.ટી. નિગમ હાલ ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. નાગરિકોની સુવિધા માટે નિગમ દ્વારા અત્યાધુનિક વોલ્વો જેવી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બસોના સુચારુ સંચાલન માટે શ્રેષ્ઠ સર્વિસિંગ અને જાળવણી પણ તેટલી જ અનિવાર્ય છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે હેતુથી ચંડોળા ખાતે…
પાન-મસાલાની જાહેરાત મામલે જયપુર કોર્ટની કાર્યવાહી.અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર.પાન મસાલા અને સરોગેટ એડવર્ટાઇઝિંગ મામલે અગાઉ પણ અજય દેવગન, અક્ષય કુમાર અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજ કલાકારો વિવાદમાં આવી ચૂક્યા છે.બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો છે. આ વખતે મામલો કોઈ ફિલ્મી વિવાદ કે શિકારનો નથી, પરંતુ પાન મસાલાની જાહેરાતનો છે. જયપુરની એક કોર્ટે સલમાન ખાન વિરુદ્ધ ૧૦,૦૦૦ રૂપિયાનું જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.રાજસ્થાનના જયપુરમાં એડવોકેટ શાલીની શર્મા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સલમાન ખાન પાન મસાલા જેવી હાનિકારક વસ્તુઓનું પ્રમોશન કરી રહ્યો છે. જે સમાજ…
આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના બાળકો માટે ૭૪ હજારથી વધુ “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારાનો રાજ્યના ૧૨.૩૫ લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ મળશે. દેશના બાળકો ગોખણિયું શિક્ષણ છોડી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “જાદુઈ પીટારા”ની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારા ગુજરાતની તમામ…
સોનું એપ્રિલ રૂ.1.47 લાખ અને ચાંદી જુલાઇ, ચાંદી-મિની તથા ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદા રૂ.3 લાખના ઊંચા સ્તરને પાર ક્રૂડ તેલના વાયદામાં રૂ.83ની તેજીઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.40110.56 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.108912.9 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.33023.16 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38970 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.149028.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.40110.56 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.108912.9 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 38970 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2688.48 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.33023.16 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.142589ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.143296 અને નીચામાં રૂ.142400ના મથાળે અથડાઈ, રૂ.143121ના આગલા બંધ સામે રૂ.31 વધી રૂ.143152 થયો હતો.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



