- નીરજ ચોપડાનો મહારેકોર્ડ, કોમનવેલ્થમાં જેવલિનના 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
- IRCTCની FTR સેવા શરૂ: લગ્ન, પ્રવાસ કે યાત્રા માટે હવે આખો કોચ અથવા ટ્રેન ભાડે બુક કરો
- પાકિસ્તાનમાં ‘કોકરોચ પાર્ટી’થી સરકાર ચિંતિત, Gen Zના અભિયાનથી રાજકારણમાં ખળભળાટ
- ₹500ના ઇનામથી બદલાયું જીવન, જાદુમણિ સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં જીત્યો સિલ્વર મેડલ
- પ્રીતિ પવાર બાદ જાસ્મીન લંબોરિયાનો ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દીકરીઓની ધમાકેદાર સિદ્ધિ
- જુલાઈમાં GST કલેક્શન 15.4% વધીને ₹2.11 લાખ કરોડ, આયાત અને ઘરેલુ આવકમાં જોરદાર ઉછાળો
- સુપ્રીમ કોર્ટે ભોજશાળા પાસે નમાઝને મંજૂરી આપી, પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇનકાર
- એવરેસ્ટ નજીક ચીનનું હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોન સેન્ટર, સરહદ સુરક્ષા વચ્ચે ભારતની ચિંતા વધી
Author: garvigujrat
આવતા વર્ષે સલમાન ખાનની બે ફિલ્મ રિલીઝ થઈ શકે છે સલમાન ખાનની ‘માતૃભૂમિ’ ફિલ્મ હવે ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છે સલમાન હાલમાં સમાન વામશી પૈડીપલ્લીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે નયનતારા લીડ રોલમાં છે સલમાન ખાનની ગલવાન વેલી પરની ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. જાે બધું યોગ્ય ગતિએ ચાલ્યું હોત તો સલમાન ખાનની ‘માતૃભૂમિ’ ત્યાર સુધીમાં રિલીઝ થઈ ચુકી હોત. આ ફિલ્મની જાહેરાત તો ‘બેટલ ઓફ ગલવાન’ તરીકે થઈ હતી. જે ૨૦૨૦માં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણ પર આધારીત હતી. પરંતુ ત્યાર બાદ બંને દેશોના સંબંધોમાં સુધારો થયો અને થોડાં વખત પહેલાં સુરક્ષા મંત્રાલયે ફિલ્મના વિષય…
અંજલી આનંદે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થતાં બૉડી શેમિંગ વિશે વાત કરી ‘બેલ બોટમ’માં તો માત્ર મારા ભારે શરીરના કારણે જ મારું કાસ્ટિંગ થયું હતું : અંજલી આનંદ અંજલીને ‘ધમાલ ૪’માં બૉડી શેમિંગ આધારિત કેટલાક જાેક્સને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી અંજલી આનંદ હાલમાં ‘ધમાલ ૪’માં જાેવા મળી રહી છે, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્લસ-સાઇઝ કલાકારો સાથે થતા ભેદભાવ અને બૉડી શેમિંગ અંગે ખુલીને વાત છે. એક વિશેષ ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેની ઊંચાઈ અને ભારે શરીરનાં કારણે તેને ઘણીવાર માત્ર કોમિક પાત્રો જ ઓફર કરવામાં આવે છે. ટેલિવિઝન બાદ અંજલીની પ્રથમ ફિલ્મ અક્ષય કુમારની ‘બેલ બોટમ’ હતી. તે…
આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી આઘાતજનક ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ટાઉનમાં એક ખેડૂતે પાકમાં નુકસાની જવાના કારણે આત્મહત્યા કરી છે. આ મૃતક ખેડૂતના પરિવારને હું સાંત્વના પાઠવું છું અને એમને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરું છું. હું ગુજરાતના ખેડૂતોને અપીલ કરું છું કે આ કોઈ નિરાકરણ નથી. ભાજપના રાજમાં ખેડૂતોની સ્થિતિ દયનીય છે, એ અમે સમજીએ છીએ. ભાજપની સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમારા રાજમાં ખેડૂતોની આવક બમણી થઈ છે. જો વાસ્તવમાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી…
આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહ સરકારને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા ખૂંચી રહી છે. ચૈતરભાઈ ધારાસભ્ય બન્યા ત્યારથી જનતાના પ્રશ્નો, દરેક સમાજના પ્રશ્નો, રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય, સનદની જમીન, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને GIDCના પ્રશ્નો ઉઠાવીને મજબૂતાઈથી સરકાર સામે લડે છે અને લોકોને ન્યાય અપાવે છે. આ જ બાબત ભાજપના નેતાઓને અને આ સરકારને ગમતી નથી. એના જ ભાગરૂપે ચૈતરભાઈ સામે તદ્દન ખોટી એફ.આઈ.આર. (FIR) કરવામાં આવી અને તેમને સાત વર્ષ જેટલી સજા ફટકારવામાં આવી છે. સરકારના આ અન્યાય સામે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા તમામ ગામડાઓમાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતની વિવિધ ખાડીઓમાં થયેલા ગેરકાયદે બાંધકામોને લઈને થયેલા ખાડી પુરાણને કારણે સુરતમાં ભારે વરસાદ અને ખાડી પુરની વિકટ પરિસ્થિતિ માંથી માંડ નીકળેલી પ્રજા માટે હવે આરોગ્ય સંબંધિત ચિંતા ઓ વધવા લાગી છે. પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી,કાદવ અને દુષિત પાણીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ચામડીના રોગના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં શરૂ કરાયેલા આરોગ્ય કેમ્પોમાં અત્યાર સુધી સારવાર માટે આવેલા દર્દીઓમાં સૌથી વધુ ચર્મ રોગના દર્દીઓ નોંધાયા છે. પૂરની સ્થિતિ સામાન્ય બન્યા બાદ પાલિકા એ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચારો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા આપી છે. ઉપરાંત નાગરિકોને હોસ્પિટલ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજે જે પ્રમાણે પોલીસ વિવાદોમાં સપડાઈ રહીને જન માનસમાં એક અલગ પ્રકારના ડરથી અંકિત થઈ રહી છે. એ વાત આજથી બરાબર ૬૫ વર્ષ પહેલા એટલેકે સને ૧૯૬૧ ના એક કેસમાં ભારતીય પોલીસ ગેરબંધારણીય, ગેરકાયદેસર અથવા અસંસ્કારી રીતે વર્તે છે. ત્યારે સરકાર વિરુદ્ધ મોહમ્મદ નઇમના કેસમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા પ્રખ્યાત કવિ અને અલ્હાબાદ હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આનંદ નારાયણ મુલ્લાએ ૧૯૬૧ માં ભારતીય પોલીસ વ્યવસ્થા પર એક ટીકાત્મક આદેશ લખ્યો હતો. જેનો પડઘો આજે પણ ગુંજતો રહ્યો છે. આ બાબતે પત્રકાર અરુણકુમાર ત્રિપાઠીનું યુપી, બિહાર અને પંજાબના પોલીસ દમન અને કાયદેસર વર્તનનું વિશ્લેષણ છે. જ્યારે જસ્ટિસ આનંદ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. બિહારના એક સ્ટેશન પર બારીમાંથી મોબાઈલ ખૂંચવી લેવાની ચાલાકી કરવાનું એક ચોરને ભારે પડી ગયું હતું. ટ્રેન જસ્ટ શરૂ થવાની હતી ત્યારે જ એક મોબાઈલ ચોરે બારીમાં હાથ નાંખ્યો હતો. પરંતુ બારી પાસે બેઠેલા પેસેન્જરોએ સતર્કતા દાખવીને પેલાનો હાથ મોબાઇલ સુધી પહોંચ્યો એવો તરત જ પકડી લીધો હતો. બારીની બહાર ચોર હતો અને અંદરથી પેસેન્જરોએ તેનો હાથ પકડી લીધો અને એ જ સમયે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં યુવક બારીની બહાર લટકી રહ્યો છે. તે વિનવણી કરે છે કે મારો હાથ પ્લીઝ છોડી દો, પણ પેસેન્જરો ટસના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ચૂંટણી પંચ (Election Commission) ધ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા માંગતા નવા અરજદારો માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવેથી મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે ફોર્મ-૬ (FORM-6) સબમિટ કરવાની સાથે જ અરજદારોએ તેમના માતા- પિતાની “સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન” (એટલેકે SIR) ની વિગતો આપવી ફરજિયાત રહેશે. અહી રસપ્રદ વાત એ છે કે, આ નવી જોગવાઈ માટે મુખ્ય કાયદાકીય ફોર્મ-૬ માં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. પરંતુ વહીવટી સૂચનાઓ ધ્વારા જ આ ડિકલેરેશન જોડવામાં આવ્યું છે. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, જો કોઈ વ્યક્તિ ઓનલાઈન પોર્ટલ…
લોર્ડ્સમાં ભારતની દીકરીઓએ રચ્યો ઇતિહાસ ભારતે ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ ભારતે ઇંગ્લેન્ડને ૪૫૭ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો : ચોથા દિવસે ટાર્ગેટનો પીછો કરતી વખતે ઇંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી લોર્ડ્સને તેની પહેલી મહિલા ટેસ્ટ મેચનું આયોજન કરવામાં ૧૪૨ વર્ષ લાગ્યા અને ભારતીય મહિલા ટીમે આ ઐતિહાસિક સ્થળે ઇંગ્લેન્ડની મહિલા ટીમને ૨૭૦ રનથી હરાવીને આ મેચને અવિસ્મરણીય બનાવી. હરમનપ્રીત કૌર અને તેની ટીમે બેટિંગ, બોલિંગ કે ફિલ્ડિંગ દરેક પાસામાં ઇંગ્લેન્ડ કરતાં સારું પ્રદર્શન કર્યું. આ સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રતિષ્ઠિત લોર્ડ્સના મેદાન પર ઇતિહાસ રચ્યો છે. લોર્ડ્સના મેદાન પર રમાયેલી પહેલી મહિલા ટેસ્ટ મેચમાં ભારતીય…
આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પંકજ રાણસરીયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે મોરબીના જેતપર ખાતે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાના હક માટે આંદોલન કરી રહ્યા છે અને ત્યાંના સ્થાનિક વતની કાળુભાઈ અમૃતીયા કોઈપણ રાજકીય સ્વાર્થ વગર ખેડૂતોને સહયોગ આપી રહ્યા હતા. તેઓ 17-18 દિવસ સુધી ખેડૂતોના હક માટે ભૂખ હડતાલ પર પણ બેઠા હતા. હાલ ભાજપમાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ આ કાળુભાઈ અમૃતીયાના અવાજને દબાવાની કોશિશ કરી રહ્યા છે, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ભાજપના લેભાગુ તત્વો દ્વારા તંત્રને હાથો બનાવીને ખેડૂતોના અવાજની દબાવવાની કોશિશ થઈ રહી છે. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



