Author: Garvi Gujarat

અરજદારે ભૂકંપ ઝોન અંગે પગલા લેવા આદેશ કરવા માંગ કરી હતી.ભૂકંપના ડરથી શું આપણે ચંદ્ર પર જતા રહેવાનું ? : સુપ્રીમ કોર્ટ.અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની ૭૫ ટકા વસ્તી ઉચ્ચ ભૂકંપ ઝોનમાં આવે છે. સુપ્રીમ કોર્ટે ભૂકંપની સમસ્યા સંબંધિત એક અરજી ફગાવી દેતા વેધક સવાલ કર્યાે હતો કે “તો શું આપણે લોકોનું ચંદ્રપર સ્થળાંતર કરી દેવું જાેઇએ?” અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની ૭૫ ટકા વસ્તી ઉચ્ચ ભૂકંપ ઝોનમાં આવે છે તેથી ભૂકંપથી નુકસાન ઓછું કરવા માટે સર્વાેચ્ચ અદાલતે દેશની સરકારને ચોક્કસ દિર્શાનિદેશ આપવો જાેઇએ. અરજદાર, જે પોતે જ હાજર થયા હતા, તેમણે ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને…

Read More

ક્રિસમસ સુધીમાં શાંતિ કરાર કરાવવાની ટ્રમ્પની ઈચ્છા.રશિયા-યુક્રેન યુદ્ધ લાંબુ ચાલશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે: ડોનાલ્ડ ટ્રમ્પ.અમેરિકા છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં મુખ્ય મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે, પરંતુ તેમાં માત્ર વાતો જ થઈ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા સમયથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જવાની આશંકા વ્યક્ત કરી છે. સ્ટેટ લેવલ આર્ટિફિશિયલ રેગ્યુલેશનના પેચવર્કને રોકવાના હેતુથી એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કર્યા પછી વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યુ હતું કે, છેલ્લાં એક મહિનામાં માત્ર યુદ્ધમાં ૨૫,૦૦૦ લોકો માર્યા ગયા છે અને તેમાં મોટા ભાગના સૈનિકો હતા. વિશ્વમાં વધી રહેલી હિંસા…

Read More

દીકરીનાં જન્મ બાદ બ્રેક લીધો હતો.રિચા ચઢ્ઢાએ બે વર્ષના બ્રેક બાદ ફરી કામ શરૂ કર્યું.દીકરી ઝુની રિચાને મેક અપ લગાવી દેવાનો પ્રયાસ કરતી હોય તેવી તસવીરનું ચાહકોએ ખાસ ધ્યાન ખેંચ્યું.રિચા ચઢ્ઢાએ બે વર્ષ પછી ફરી કામ શરુ કરી દીધું છે. તેણે એક સેટ પરથી પોતાની તસવીરો શેર કરી હતી. દીકરી ઝુની રિચાને મેક અપ લગાવી દેવાનો પ્રયાસ કરતી હોય તેવી તસવીરનું ચાહકોએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. રિચાએ દીકરી ઝુનીના જન્મ બાદ બે વર્ષનો બ્રેક લીધો હતો. પુનરાગમનની પોસ્ટ કરતાં રિચાએ જણાવ્યું હતું કે પોતે બહુ વહેલી તકે કામ પર પાછી ફરવા માગતી હતી. પરંતુ, પોતે તે માટે શારીરિક અને માનસિક…

Read More

ફિલ્મના સેટ પરથી તસવીરો શેર કરી.દીલજીત દોસાંઝે ફરી ઈમ્તિયાઝ અલી સાથે ફિલ્મ શરૂ કરી.દિલજીત દોસાંઝ અગાઉ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘અમરસિંઘ ચમકીલા’માં કામ કરી ચૂક્યો છે.દિલજીત દોસાંઝ ફરી ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીની એક ફિલ્મ કરી રહ્યો છે. ખુદ દિલજીતે આ વાત કન્ફર્મ કરી હતી. દિલજીતે પંજાબમાં ચાલી રહેલાં શૂટિંગની તસવીરો શેર કરીને આ જાહેરાત કરી હતી. જાેકે, આ ફિલ્મના અન્ય કલાકારો કે વાર્તા વિશે તેણે વધારે વિગતો આપી ન હતી. તેણે સેટ પરની પોતાની દિનચર્યા વિશે એક વ્લોગ જ રજૂ કર્યાે હતો. તેના તથા ઈમ્તીયાઝના બંનેના ચાહકોએ આ જાહેરાતને વધાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે દિલજીત અંગાઉ ઈમ્તિયાઝ અલીની ‘અમરસિંઘ ચમકીલા’માં કામ…

Read More

સિક્રેટ મિશન પરની ફિલ્મને સ્થાનિક તંત્રએ પાક વિરોધી ગણાવી.‘ધુરંધર’ પાકિસ્તાન વિરોધી ફિલ્મ! સાઉદી અરેબીયા સહિત ગલ્ફમાં પ્રતિબંધ મુકાયા.ગલ્ફમાં લાખો ભારતીયો વસતા હોવાથી બોલીવુડની ફિલ્મ અહી મોટુ કલેકશન મેળવે છે અને તેથી ધુરંધરને થોડો ફટકો પડશે.દેશમાં સુપર ડુપર હીટ બની રહેલી રણવીરસિંઘની ફિલ્મ ધુરંધર પર હવે સાઉદી અરેબીયા અને અન્ય ગલ્ફના દેશોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફિલ્મની કથા પાકિસ્તાન અને આઈએસઆઈ જાસૂસી એજન્સી આસપાસની છે અને તેમાં અન્ડરકવર એજન્ટ પાકિસ્તાન મોકલીને આઈએસઆઈના સિક્રેટ મિશન અને એજન્ડાને ખુલ્લો પાડવાની સ્ટોરી છે.તા.૫ ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂા.૩૦૦ કરોડનો બીઝનેસ કરી લીધો છે. પરંતુ ફિલ્મને પાકિસ્તાન વિરોધી ગણાવીને મધ્યપુર્વમાં સાઉદીઅરેબીયા સહિતના…

Read More

રાજકોટની પ્રખ્યાત શાળામાં મોટું કૌભાંડ.શાળાના સિનિયર અધિકારીએ આચાર્ય-શિક્ષકની બોગસ સહીથી લાખોનું કરી નાખ્યું.આ મામલે ફરિયાદ નોંધાતા આરોપી સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે.રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી પ્રતિષ્ઠિત કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષણ જગતને શર્મસાર કરતું એક મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. જ્યાં શાળામાં જ ફરજ બજાવતા સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટ દ્વારા આચાર્ય અને અન્ય શિક્ષકની બોગસ સહીઓ કરી, સરકારી ચોપડે ખોટા ચેક અને એડવાઈઝરી સ્લીપ બનાવી કુલ રૂ. ૨૩,૮૩,૮૩૯ ની ઉચાપત કરવામાં આવતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ફરિયાદ નોંધાતા આરોપી સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે આચાર્ય ગંગારામ મીણાએ આપેલી પોલીસ ફરિયાદમાં…

Read More

આ દારૂનો જથ્થો રાજ્યના અન્ય ભાગોમાં સપ્લાય થવાનો હતો.અમદાવાદમાં સંતરાની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ.આ કેસનો મુખ્ય સૂત્રધાર અને શહેરનો લિસ્ટેડ બુટલેગર રાસીદ ઉર્ફે રાનુ સહિત કુલ છ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા.અમદાવાદમાં પ્રોહિબિશન કાયદાનું ઉલ્લંઘન કરીને દારૂની હેરાફેરી કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસ કંટ્રોલ બોર્ડ દ્વારા શહેરકોટડા વિસ્તારમાં એક મિલના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં સંતરાની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવવામાં આવ્યો હતો.PCB બાતમી મળી હતી કે, શહેરકોટડા વિસ્તારમાં આવેલા સીયા રોડલાઇન્સના ગોડાઉનનો ઉપયોગ દારૂના સંગ્રહ અને વિતરણ માટે કરવામાં આવી રહ્યો છે. દરોડા દરમિયાન, પોલીસે ફળોના કાર્ટૂનની પાછળ છુપાવવામાં આવેલો રૂ. ૭૭ લાખથી…

Read More

૨ કરોડથી વધુનો જથ્થો જપ્તબાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી થઇ.પોલીસે બાતમીના આધારે રેડ કરતા ખેતરમાંથી ૨૫૮ ગાંજાના છોડ મળી આવ્યા હતા.મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના વડદલા ગામમાંથી પોલીસે ગાંજાની મોટા પાયે ખેતીનો પર્દાફાશ કર્યો છે. એરંડાની આડમાં ગાંજાના છોડ વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે ૨ કરોડ રૂપિયાના જથ્થા સાથે એક આરોપીને ધરપકડ કરી છે. બાલાસિનોર પોલીસને બાતમી મળી હતી કે વડદલા ગામના રત્નાજીના મુવાડા વિસ્તારમાં ગેરકાયદે રીતે ગાંજાની ખેતી કરવામાં આવી રહી છે. ખેતરમાં એરંડાની ખેતીની આડમાં અને મોટા છોડની વચ્ચે મોટા પ્રમાણમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસે બાતમીના આધારે રેડ કરતા ખેતરમાંથી ૨૫૮ ગાંજાના છોડ મળી…

Read More

ગરીબોને રૂ.૨૦,૦૦૦ નું ત્રણ વર્ષનું કુલ વ્યાજ પણ ગુમાવવું પડ્યું.વડોદરામા ઈઉજીના મકાનો નહીં મળતા વિવાદ સર્જાયો.આવાસના મકાનો માટે ૨૦૨૨માં પ્રત્યેક અરજદાર પાસેથી રૂ.૨૦,૦૦૦ ભરાવાયા હતા.વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા EWS ના મકાનો અંગે શહેરના પશ્ચિમ વિસ્તાર વિસ્તારમાં સયાજી નગર ગૃહ ખાતે મોકૂફ રખાયેલ ડ્રો અંગે અરજદારોને મોબાઈલ પર જાણ કરી બોલાવાયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ અચાનક ડ્રો કેન્સલ કરીને બીજા દિવસે પૂર્વ વિસ્તારમાં પં. દિન દયાલ ઉપાધ્યાય ગૃહ ખાતે યોજાયો હતો. સયાજી નગર ગૃહનો ડ્રો કેન્સલ કરવા અંગે કોઈ નેતા ઉપલબ્ધ નહીં હોવાના કારણે કેન્સલ કરાયો હોવાનો ચોકાવનારો આક્ષેપ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ ડ્રો બીજા દિવસે યોજીને સેકડો…

Read More

ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો ર્નિણય.ભારત ચીની પ્રોફેશનલ્સને હવે આપશે ફટાફટ વિઝા.ભારતે દેશના ઉદ્યોગોની ગતિ વધારવા માટે ચીનના પ્રોફેશનલ્સને ફટાફટ વિઝા આપવાનો ર્નિણય કર્યો છ.અમેરિકા મસમોટો ટેરિફ ઝિંકીને ભારત પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભારતે દેશના ઉદ્યોગોની ગતિ વધારવા માટે ચીનના પ્રોફેશનલ્સને ફટાફટ વિઝા આપવાનો ર્નિણય કર્યો છે. વિઝાની ખરાઈ અને તપાસ કરવામાં ઘણો સમય લાગતો હોવાથી વિઝામાં વિલંબ થાય છે. જાેકે ભારતે આ સમય ઘટાડીને ચીનની કંનપીઓને બિઝનેસ વિઝા આપવાની યોજના બનાવી દીધી છે. ભારતે ચીનથી આવતા પ્રોફેશનલ્સને ફટાફટ વિઝા આપવાનો ર્નિણય કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, બે અધિકારીઓએ નામ ન જણાવવાની શરતે વિઝા અંગે કહ્યું…

Read More