Author: Garvi Gujarat

જામનગરના વિહાને રચ્યો ઇતિહાસ ૯ વર્ષીય વિહાને ૫,૨૮૯ મીટર ઊંચું ફ્રેન્ડશીપ શિખર સર કર્યું હિમાલય ક્ષેત્રમાં આવેલા ફ્રેન્ડશીપ પિક તકનીકી રીતે પડકારજનક અને જાેખમી શિખરોમાં સ્થાન ધરાવે છે જામનગર શહેરના પ્રતિભાશાળી બાળ પર્વતારોહક વિહાન ચેતરીયાએ હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલા અતિ દુર્ગમ અને પડકારજનક ફ્રેન્ડશીપ શિખરનું સફળતાપૂર્વક આરોહણ કરીને નવો રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપ્યો છે. ૫૨૮૯ મીટરની ઊંચાઈ ધરાવતા આ શિખરને સર કરીને વિહાને દેશભરમાં જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માત્ર ૯ વર્ષ અને ૪ મહિનાની નાની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરનાર વિહાને અગાઉનો ૧૦ વર્ષ અને ૨ મહિનાની ઉંમરનો કીર્તિમાન પાછળ છોડી દીધો છે. આ સાથે તે ફ્રેન્ડશીપ શિખર…

Read More

વિદ્યાર્થીઓએ કહ્યું,-પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ અઘરું NEET-UG પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન ગુજરાતની વાત કરીએ તો ૨૧૧ પરીક્ષા કેન્દ્રો પર ૭૯,૪૧૧ ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું NEET-UG પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઇ હતી જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ગુજરાતની વાત કરીએ તો ૨૧૧ પરીક્ષા કેન્દ્રો પર ૭૯,૪૧૧ ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ૧૧ વાગ્યાથી ૧:૩૦ વાગ્યા સુધી પ્રવેશ અપાયો હતો. બપોરે ૨ કલાકથી ૫:૧૫ કલાક સુધી પરીક્ષાનો સમય હતો, આ વખતે ૧૫ મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. દેશમાં કુલ…

Read More

ઓપનર વૈભવ સૂર્યવંશીએ અદભુત પ્રદર્શન કર્યું ટ્રાય સિરીઝ ફાઈનલમાં ઈન્ડિયા-A ચેમ્પિયન, શ્રીલંકાને ૬૬ રનથી હરાવ્યું ભારતીય ટીમના ૩૭૭ રનના વિશાળ સ્કોર સામે શ્રીલંકાની આખી ટીમ ૩૧૧ રન બનાવીને ઓલઆઉટ દામ્બુલાના રણગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટ્રાય સિરીઝની રોમાંચક ફાઈનલ મેચમાં ઈન્ડિયા-A ટીમે શ્રીલંકા-A સામે ૬૬ રને શાનદાર વિજય મેળવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૯ વિકેટે ૩૭૭ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ ૪૭.૧ ઓવરમાં ૩૧૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે જ ભારતે ટુર્નામેન્ટમાં પોતાની તાકાતનો પરિચય આપ્યો છે. ભારતની આ ઐતિહાસિક…

Read More

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ડીલ તૂટશે તો હોર્મુઝમાંથી પસાર થતાં જહાજાે પાસેથી ડોલર વસૂલ કરશે અમેરિકા ટ્રમ્પે આ સંભવિત શુલ્કને મધ્યપૂર્વમાં અમેરિકી સેના દ્વારા આપવામાં આવતી સુરક્ષા સેવાઓની ચુકવણી ગણાવ્યો મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાનની સાથે અંતિમ શાંતિ સમજુતિ નિષ્ફળ રહે છે તો અમેરિકા સૌથી મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનાર વાણિજ્યિક જહાજાે પર ટોલ ટેક્સ લગાવી શકે છે. ટ્રમ્પે આ સંભવિત શુલ્કને મધ્યપૂર્વમાં અમેરિકી સેના દ્વારા આપવામાં આવતી સુરક્ષા સેવાઓની ચુકવણી ગણાવ્યો છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઈરાને લેબનાનમાં…

Read More

બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કોહલીની વાપસી બાદ યશસ્વીને ટીમમાંથી બહાર કરાયો ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જાેકે તે હાલમાં સંપૂર્ણપણે ફિટ નથી. તેની ઉપલબ્ધતા ફિટનેસ ક્લિયરન્સને આધીન છે, એટલે કે જાે તે ફિટનેસ ટેસ્ટ પાસ કરે તો જ તે રમી શકે છે. ટીમ પસંદગીની એક મુખ્ય હાઇલાઇટ જસપ્રીત બુમરાહની ODI માં વાપસી છે. બુમરાહ છેલ્લે ૨૦૨૩ વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન ભારત માટે વનડેમાં રમ્યો હતો. ઓલરાઉન્ડર અક્ષર પટેલની પણ ODI ટીમમાં વાપસી થઈ છે. અક્ષર અફઘાનિસ્તાન સામેની…

Read More

લાખો વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપી રહ્યા હતા વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે ૪૫ મિનિટ એરપોર્ટ પર જ રોકાયા મોદી પરીક્ષાર્થીઓનો સેન્ટર પર પહોંચવાનો સમય પૂરો થયા બાદ પીએમ એરપોર્ટથી નિવાસસ્થાન માટે રવાના થયા દેશભરમાં આજે લાખો વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાને લઈને દરેક જગ્યાએ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. પેપર લીક થવાની આશંકાઓ વચ્ચે ચેકિંગની વ્યવસ્થાથી લઈને સુરક્ષાની ચુસ્ત દેખરેખ રાખવામાં આવી છે. આ દરમિયાન NEET પરીક્ષાર્થીઓની સુવિધાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વિશેષ પહેલની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ, બંગાળના પ્રવાસે ગયેલા પીએમ મોદી આજે દિલ્હી પહોંચ્યા બાદ અંદાજિત ૪૫ મિનિટ સુધી એરપોર્ટ…

Read More

આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાગત સન્માન સમારંભ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા અને AAPના નર્મદા જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, સાથે સાથે સામાજિક આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મુખ્યત્વે, કોંગ્રેસ પાર્ટીમાંથી મહેન્દ્રભાઈ રમણભાઈ બારીયા – OBC જિલ્લા પ્રમુખ, ⁠હિરેનભાઈ ભીખાભાઈ પરમાર – જલોદરા તાલુકા સદસ્ય, દિલીપભાઈ જશુભાઈ બારીયા – મહામંત્રી, તિલકવાડા, ⁠જયદીપભાઈ કનુભાઈ બારીયા…

Read More

આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં સૌથી વધુ વિકાસ પામતી અને સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતી પાર્ટી બની રહી છે. 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ‘મિશન 2027’ અંતર્ગત દરેક વિધાનસભા વિસ્તારમાં સંગઠનને મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન મંત્રીઓની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સંગઠન મંત્રીઓ પાર્ટીના પાયા મજબૂત કરવાની જવાબદારી સંભાળશે અને દરેક બૂથ સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડીને સંગઠનને વધુ મજબૂત બનાવશે. ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટીની વાત અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે તેઓ સતત કાર્યરત રહેશે.…

Read More

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય તરીકે મેં એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જૂનાગઢ જિલ્લાની સરકારી શાળાઓને સરકાર તરફથી આપવામાં આવતા મફત પાઠ્યપુસ્તકોમાંથી કેટલાં પુસ્તકો પહોંચ્યા છે, કેટલાં હજુ બાકી છે અને બાકીનાં પુસ્તકો ક્યારે મળશે? સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગુજરાતી, વિજ્ઞાન, પર્યાવરણ, ભૂગોળ સહિત વિવિધ વિષયોના પુસ્તકો બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે છપાવે છે. સમિતિની બેઠક દરમિયાન મેં આ મુદ્દે પ્રશ્ન પૂછ્યો હતો. શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા. મને લેખિતમાં જે જવાબ આપવામાં આવ્યો…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દુલાલગીરી મહારાજના નામે જાણીતા એક સાધુની કેટલીક તસવીરો અને વિડિયો છેલ્લા થોડાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે એમાં દાવો કરવામાં આવે છે કે આ મહારાજ શિવજીની અત્યંત કઠિન સાધના કરી રહ્યા છે એ માટે તેમણે નહીં બેસવાનું નક્કી કર્યું છે.             સામાન્ય રીતે તપ અને ધ્યાન બેસીને કરવાના હોય, પણ આ મહારાજે ઉભા રહેવાની સાધના આદરી છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મહારાજ ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઉભા જ છે. તેઓ આરામ પણ ઉભા  ઉભા જ  કરે છે. એ માટે તેઓ ઝુલા પર શરીરનો આગળનો ભાગ ટેકવીને…

Read More