Author: garvigujrat

ગયા મહિના કરતાં ૩૪ ટકાની વૃદ્ધિ થઈ ભારતે જૂનમાં રશિયા પાસેથી રૂ. ૪૯ હજાર કરોડના ક્રૂડની ખરીદી કરી ભારત પેટ્રોલિયમની કોચ્ચી રીફાઈનરીની આયાત ૮૨ ટકા અને નાયરા એનર્જીની વાડિનાર રિફાઈનરીમાં આયાતમાં ૪૫ ટકાની વૃદ્ધિ થઈ અમેરિકાએ ફરી એક વખત ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ૫૦૦ કરોડના ટેરિફની ધમકી આપી છે ત્યારે આ ધમકીની ઐસી તૈસી કરીને ભારતે રશિયા પાસેથી વિક્રમી પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખી છે. ભારતે જૂન મહિનામાં રશિયા પાસેથી અંદાજે રૂ. ૪૯,૦૦૦ કરોડ (૪.૫ અબજ યુરો)ના મૂલ્યના ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે, જે ગયા મહિના કરતાં ૩૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.રશિયન ક્રૂડ ખરીદી ભારત સહિત…

Read More

સર્જકોએ તેને અગાઉ ક્યારેય ન જાેયેલો સિનેમેટીક અનુભવ ગણાવ્યો રશ્મિકાએ જાતે ૨૦ કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં કેફિલ્મના પ્રોડયુસરોએ સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમ્યાનની તસવીરો અને દ્રશ્યની એક ઝલક શેર કરી રશ્મિકા મંદાનાએ આગામી ભાવનાત્મક એક્શન થ્રિલર ‘માયસા’ માટે પાણીની અંદર થતી ફાઈટ સીનનું શૂટિંગ પૂરુ કરી લીધું છે. સર્જકોના જણાવ્યા અનુસાર આ ભારતની પ્રથમ ફિલ્મ છે જેમાં કોઈ મહિલા કલાકાર પાણીની અંદર ફાઈટ સીન કરે છે. કોઈપણ બોડી ડબલની મદદ વિના પોતે જ મુશ્કેલ સ્ટન્ટ કર્યાં હતાં. રશ્મિકાએ બે દિવસમાં લગભગ વીસ કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં હતાં. આ પ્રકારનું કીર્તિમાન સ્થાપનારી તે પહેલી ભારતીય…

Read More

વિવાદ મુક્ત અને વ્યાવસાયિક છબી જાળવી છતાં શ્રીલીલા ટ્રોલિંગનો ભોગ બની લેનિન રજૂ થયા પછી શ્રીલીલા ઓનલાઈન ટ્રોલિંગનો ભોગ બની અગાઉ આ રોલ માટે શ્રીલીલા કાસ્ટ થઈ હતી અને પ્રોજેક્ટ છોડી દેવા અગાઉ લગભગ એક અઠવાડિયાનું શૂટિંગ પણ કર્યું હતું તેલુગી અભિનેત્રી શ્રીલીલા ‘લેનિન’ની સફળતા પછી ઓનલાઈન આલોચનાનો ભોગ બની છે, જેમાં ભાગ્યશ્રી બોર્સેએ દર્શકોને અખિલ અક્કીનેનીની મુખ્ય નાયિકા કરતા વધુ પ્રભાવિત કર્યા. અગાઉ આ રોલ માટે શ્રીલીલા કાસ્ટ થઈ હતી અને પ્રોજેક્ટ છોડી દેવા અગાઉ લગભગ એક અઠવાડિયાનું શૂટિંગ પણ કર્યું હતું.સર્જકોએ આ બાબતે કોઈ સ્પષ્ટતા ન કરી, પણ અહેવાલ મુજબ શ્રીલીલા શૂટિંગ માટે અનુકૂળ તારીખો ન આપી શકતાં…

Read More

એસ. જાનકીનાં હજારો ગીતો સંગીતપ્રેમીઓનાં હૃદયમાં ગુંજે છે દક્ષિણની ફિલ્મોનાં ગાનકોકિલા “જાનમ્મા” નાદબ્રહ્મમાં વિલીન એસ. જાનકી અને મહાન ગાયક એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમની જાેડીએ દક્ષિણ ભારતીય સિનેમાને સેંકડો સદાબહાર રોમેન્ટિક ગીતો આપ્યા દક્ષિણ ભારતીય સિનેમાના સંગીત જગતમાં એસ. જાનકી (શિષ્તલા જાનકી)ના નિધન સાથે દક્ષિણભારતીય ફિલ્મ સંગીત જાણે રાંક બન્યું છે. તેમના અવાજ વગર દક્ષિણનું સંગીત અધૂરું ગણાય છે. તેમને આદરપૂર્વક “જાનમ્મા” અને “દક્ષિણ ભારતની નાઇટીંગેલ” (ગાનકોકિલા) તરીકે ઓળખવામાં આવે છે. સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર (પાર્શ્વ ગાયિકા) એસ. જાનકીના રવિવારે સાંજે અહીં તેમના કનિયાનહુંડી ફાર્મહાઉસ ખાતે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શનિવારે સાંજે શ્વાસની તકલીફ બાદ ૮૮ વર્ષની વયે…

Read More

૫૯ વર્ષની ઉંમરે પત્ની સુનીતા પણ કરશે એક્ટિંગ ડેબ્યૂ એકતા કપૂરની ફિલ્મથી ગોવિંદાનો પુત્ર લોન્ચ થશે ઘણા લોકો મારા પુત્ર યશવર્ધનને ‘હર્ષવર્ધન’ કહીને બોલાવે છે, જે અનિલ કપૂરજીના દીકરાનું નામ છે : સુનિતા એક સમય હતો જ્યારે સુપરસ્ટાર ગોવિંદા બોલિવૂડ પર રાજ કરતા હતા અને તેમની ફિલ્મો થિયેટરોમાં અઠવાડિયાઓ સુધી ધૂમ મચાવતી હતી. લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલા ગોવિંદાના ફેન્સ માટે હવે એક ખુશીના સમાચાર આવ્યા છે. ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજા હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાલમાં જ રિયાલિટી શો ‘લોક અપ ૨’ માંથી બહાર આવ્યા બાદ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે છે…

Read More

ટ્રમ્પની તબાહ કરી દેવાની ધમકી પર ઈરાનનો પલટવાર ઈરાને અમેરિકા સાથે કોઈપણ વાતચીતનો સ્પષ્ટ ઇનકાર કર્યો ઈરાન કહે છે કે જ્યાં સુધી અમેરિકા તેની કાર્યવાહી બંધ ન કરે ત્યાં સુધી તે કોઈપણ કરાર માટે તૈયાર નથી ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેની, જે ૨૮ ફેબ્રુઆરીના રોજ હવાઈ હુમલામાં માર્યા ગયા હતા, તેમને દફનાવવામાં આવ્યા છે. આ પહેલા, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ થયો હતો, અને બધાને આશા હતી કે બાબતોનો ઉકેલ આવશે. જાે કે, યુદ્ધનો ભય લાગી રહ્યો હોય તેવું લાગે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને વારંવાર ધમકીઓ આપી રહ્યા છે. તાજેતરમાં, તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈરાન સામે…

Read More

ઈન્સ્પેક્શન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એક માણસે રાત્રે ૧૨.૧૩ વાગ્યે નવી મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરીને જણાવ્યું, “દાઉદે તાજ હોટેલમાં બોમ્બ રાખ્યો છે મુંબઈની તાજ હોટેલમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે. રવિવારે (૧૨ જુલાઈ) અડધી રાત્રે મુંબઈની પ્રખ્યાત તાજ હોટેલમાં બોમ્બની ધમકી મળ્યા બાદ કંટ્રોલ રૂમમાં પોલીસની તપાસ તેજ કરી દેવામાં આવી છે. એક માણસે રાત્રે ૧૨.૧૩ વાગ્યે નવી મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરીને જણાવ્યું, “દાઉદે તાજ હોટેલમાં બોમ્બ રાખ્યો છે.” ત્યારબાદ આ માહિતી મુંબઈ મેઈન કંટ્રોલ રૂમને આપવામાં આવી. માહિતી મળતાની સાથે જ કોલાબા પોલીસ, ક્રાઈમ સીન ઈન્વેસ્ટિગેશન…

Read More

ધોળકા તાલુકાના સરગવાળા ગામમાં ખેડૂતોની સંમતિ વગર નાંખવામાં આવેલી ગેસ પાઇપલાઇનના વિરોધમાં ચાલી રહેલા આંદોલનનો આજે નવમો દિવસ રહ્યો. આંદોલનને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સતત નવમા દિવસે પણ ખેડૂતોની વચ્ચે હાજર રહ્યા અને ખેડૂતોની લડતને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું. આ પ્રસંગે બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને લેખિતમાં કોઈ બાંહેધરી આપવામાં આવતી નથી. જ્યાં સુધી સરકાર લેખિતમાં ખેડૂતોના હિતોની ખાતરી આપશે નહીં, ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે અડીખમ ઊભી રહેશે અને તેમની લડતમાં ખભેખભા મિલાવીને લડશે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે આજે ચોમાસાની વાવણીના સૌથી મહત્વના સમયે ખેડૂતોને પોતાના ખેતરમાં કામ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકામાં મહાનગરપાલિકાના અધિકારીઓના અણધડ વહીવટને કારણે સુરત શહેર રોગચાળાની ભીતિ સેવી રહેલ છે. તા.૦૬/૦૭/૨૦૨૬ અને ૦૭/૦૭/૨૦૨૬ ના રોજ પડેલ ભારે વરસાદને કારણે સુરત શહેરનો કોઈ વિસ્તાર પાણી ભરાવાથી બાકી રહેલ નથી અને બે દિવસના સતત વરસાદના કારણે પાણી ભરાઈ રહેવાથી કાદવ કીચડ જામી ગયેલ તેમજ સમયસર સફાઈ કામગીરી નહીં થતાં શહેર માટે વિકટ સમસ્યા ઊભી થયેલ છે. અને સુરત મહાનગરપાલિકાએ પ્રથમવાર બહારથી કર્મચારીઓને બોલાવવાની ફરજ પડેલ છે. સુરત મહાનગરપાલિકામાં ૭૦૦૦ જેટલા સફાઈ કામદાર, બેલદારોની જગ્યા ખાલી છે. એ જગ્યાઓ સમયસર ભરવામાં આવી હોત તો સુરત મહાનગરપાલિકાએ બહારથી કર્મચારીઓને બોલાવવાની નોબત ના આવત.      …

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેરમાં હાલના કલેક્ટર કે સને ૨૦૦૦ ના વર્ષથી ફરજ બજાવી ગયેલા કલેક્ટરોએ શહેરહિતમાં કયારેય પણ શહેરની દિશા કે દશા અંગે વિચારેલ નથી. સુરત શહેરમાં દર વર્ષે પાણીની રેલ આવે છે. પરંતુ આ દિશામાં કોઈ અધિકારી કે શહેરના કોઈ મોટા રાજકારણીએ આ અંગે ક્યારેય પણ વિચાર્યું નથી. સુરત શહેરની વાત કરીએતો સુરત શહેરમાંથી ખાડીઓ પસાર થાય છે અને આ ખાડીઓમા દર વર્ષે પૂર આવે છે. આ પૂર પાછળનું મુખ્ય કારણ ખાડીઓના બંને બાજુના ગેરકાયદેસરના બાંધકામોથી થયેલા દબાણો જેના કારણે ખાડીઓના પ્રવાહ પર માઠી અસર થાય છે આને પ્રવાહ અવરોધાતા એ પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાય છે. એના…

Read More