- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
- Betify Casino en Ligne | Jouez sur Betify avec 1000 €
Author: garvigujrat
ભાજપે પણ કર્યો વળતો પ્રહાર સત્યેન્દ્ર જૈનની ધરપકડ: કેજરીવાલે કહ્યું- આ કેસ પણ ફેક સાબિત થશે અરવિંદ કેજરીવાલે આ કેસને બોગસ ગણાવ્યો, જ્યારે ભાજપે AAP ના ‘ઈમાનદાર‘ મોડેલને બેનકાબ ગણાવ્યું દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈનની મંગળવારે (૧૮ ઓગસ્ટ) એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન દિલ્હી જલ બોર્ડમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ટેન્ડર કૌભાંડ મામલે ACB દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (BJP) સામસામે આવી ગયા છે અને રાજકીય નિવેદનબાજી…
આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ વિડીયોના માધ્યમથી રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર વારંવાર સાબિત કરી રહી છે કે તે તદ્દન વિદ્યાર્થી વિરોધી સરકાર છે. ગુજરાતમાં ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) હેઠળ જે વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાં એડમિશન લીધું છે, તેમને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ૩,૦૦૦ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાયની રકમમાંથી વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ, યુનિફોર્મ અને જરૂરી સ્ટેશનરી જેવી વસ્તુઓ ખરીદતા હોય છે. પરંતુ હાલમાં શાળાનું નવું સત્ર શરૂ થઈ ગયું છે અને ઘણો સમય વીતી ગયો હોવા છતાં, આજદિન સુધી સરકારે RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ ત્રણ…
ગુજરાતના વિકાસની વરવી વાસ્તવિકતા છતી કરતાં પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો પછી પણ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના છેવાડાના ગામો આજે પણ મૂળભૂત વિકાસથી વંચિત છે. ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા મુરડદ ગામના ‘માવલી ફળિયા’માં ૧૫ થી ૨૦ ઘરો આવેલા છે, જ્યાં ૬૦ થી ૭૦ લોકોની વસ્તી વસવાટ કરે છે. પરંતુ અત્યાર સુધી ત્યાં વિકાસનું કોઈ કામ થયું નથી. ફળિયાના રસ્તાઓ આજે પણ અત્યંત ખરાબ, ખાડા ટેકરા વાળા અને કાદવ-કીચડથી ભરેલા છે. ગામમાં જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે કે નાના બાળકોને શાળાએ ભણવા જવું હોય, ત્યારે પાકા રસ્તાના અભાવે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડીયોના માધ્યમથી સત્તાધારી પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સત્તામાં બેઠેલા લોકો યા તો ખૂબ શાતીર છે અથવા તો ખૂબ મૂરખ છે, અને તેઓ ગુજરાતના લોકોને પણ મૂરખ સમજી રહ્યા છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં કેટલાક લોકોના મૃત્યુ થયા બાદ હવે સરકાર પોતાની ઈજ્જત બચાવવા માટે ખૂબ મોટા નાટકો આદરી રહી છે અને લોકોને છેતરવાનું કામ કરે છે. સરકારની આ નીતિ “ચોરને કહે છે ચોરી કર, અને વોચમેનને કહે છે જાગતો રહેજે” જેવી છે. જો સરકારે ખરેખર દારૂના દૂષણને દૂર કરવું હોય તો આ નાટકો બંધ કરવા જોઈએ. સરકારે જાહેરાત કરીને નોટિફિકેશન બહાર…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને સુરત મનપાના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગઈકાલે સુરતમાં જે ફૂડ પોઇઝનિંગની ઘટના ઘટી એના સાત દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ પત્ર લખીને માંગ કરી હતી કે સુરત શહેરના તમામ નવ ઝોનમાં ફૂડ ટેસ્ટ લેબોરેટરી શરૂ કરવામાં આવે. જેથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સામાન્ય દરે ફૂડ ટેસ્ટ લેબોરેટરીમાં જઈને કોઈપણ ખાદ્ય પદાર્થનો ટેસ્ટ કરાવી શકે. ગઈકાલે સુરતના મેયરના વોર્ડમાં એક ઘટના બની. એક પરિવારે હોટલમાંથી જમવાનું મંગાવ્યું અને તેઓ ફૂડ પોઈઝનિંગના ભોગ બન્યા અને પાંચ વર્ષની દીકરીનું મૃત્યુ થયુ. અમે…
આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, હાલ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત પોલીસે અને ગુજરાતની સરકારે ડ્રગ્સ માફિયા વિરુદ્ધ 1649 નોંધ્યા પરંતુ એમાંથી ફક્ત 76 લોકોને જ દોષિત ઠેરવ્યા. એક બાજુ હર્ષ સંઘવી અને ગુજરાતની પોલીસ મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવી રહી છે, જાણે કે ગુજરાતમાંથી ડ્રગ્સને પકડીને ખતમ કરી રહી છે. બીજી બાજુ પોલીસ જ કોર્ટને પુરાવા નથી આપી શકતી, આરોપીઓને સામે નથી લાવી શકતી, આ આજની હકીકત છે. આજે હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસનો પર્દાફાશ થયો છે. શું આ લોકોની ડ્રગ્સ માફિયા સાથે મિલીભગત છે? ગુજરાતમાંથી 65000…
આજે આમ આદમી પાર્ટીના જુનાગઢ સંગઠન દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાની આગેવાનીમાં જૂનાગઢમાં પરિવહન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરીયાએ જણાવ્યું હતું કે આજે અમે જુનાગઢ પરિવહન કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં અમે જણાવ્યું છે કે હમણાં જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારો આવી રહ્યા છે. અને મેં ગત વર્ષે પણ આ તહેવારોની આસપાસ અનેક લોકોની ફરિયાદો સાંભળી હતી અને મેં પોતે પણ બસમાં બેસીને અમુક ગંભીર સમસ્યાઓનો અનુભવ લીધો હતો કે જે લોકલ બસો કાયમી માટે ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા લોકો મુસાફરી કરતા હોય છે, એ બસોમાં…
સીએજી રિપોર્ટમાં ધડાકો અમદાવાદ-સુરતે રેલવેની તિજાેરી ભરી પણ સ્ટેશન પર સુવિધાના નામે મીંડું! ૮૯% સ્ટેશનો પર પંખા, વોટર કૂલર, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, બેઠક વ્યવસ્થા અને શેલ્ટર જેવી પ્રાથમિક સુવિધાઓ જ ઉપલબ્ધ નથી ભારતીય રેલવે દેશના કરોડો સામાન્ય નાગરિકો માટે લાઇફલાઇન સમાન છે, પરંતુ તાજેતરમાં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ના ઓડિટ અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ‘અમૃત સ્ટેશન’ ના મોટા મોટા દાવાઓ વચ્ચે રેલવે સ્ટેશનો પર મુસાફરો માટે મૂળભૂત માળખાકીય સુવિધાઓનો ભારે અભાવ જાેવા મળી રહ્યો છે. વાર્ષિક ૫૩૦ કરોડની કમાણી કરી આપતું અમદાવાદ રેલવે સ્ટેશન અને ૩૪૦ કરોડની આવક રળી આપતું સુરત રેલવે સ્ટેશન પણ આ કુરચના અને દુરવ્યવસ્થાનો…
મદ્રાસ હાઇકોર્ટની સ્પષ્ટતા તમિલ ગીતને વંદે માતરમ પહેલા રાખવા પર કોઈ પ્રતિબંધ નથી તાજેતરમાં જ ૮૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ વંદે માતરમ ગીત ગાવા મુદ્દે વિવાદ સર્જાયો છે તાજેતરમાં જ ૮૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ વંદે માતરમ ગીત ગાવા મુદ્દે વિવાદ સર્જાયો છે, તેની આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ચેન્નઈમાં સરકારી અને સાર્વજનિક સમારોહમાં પ્રખ્યાત તામિલ ગીત ‘તમિલ થાઈ વાઝથુ’ના ગાનના ક્રમ અંગે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકારના પરિપત્રમાં રાજ્યના ગીતને પાછળના ક્રમે રાખવા અંગે કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો…
૨૯ યુએસ રાજ્યોએ તેના પર માહિતી છુપાવવાનો લગાવ્યો આરોપ ‘મેટાને ઇન્સ્ટાગ્રામની બાળકો પર થતી અસરની જાણ હતી’ જાે મેટા દોષિત સાબિત થશે, તો તેને $૨૦૦ બિલિયન સુધીના નુકસાનનો સામનો કરવો પડી શકે છે એક અહેવાલ મુજબ, ૨૯ યુએસ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ મેટા પર આંતરિક સંશોધન છુપાવવાનો આરોપ લગાવ્યો છે જેમાં કથિત રીતે જાણવા મળ્યું છે કે ઇન્સ્ટાગ્રામ કિશોરો માટે વ્યસનકારક હોઈ શકે છે. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ફેડરલ કોર્ટમાં મેટા સામે મોટી કાનૂની લડાઈ શરૂ થઈ રહી છે ત્યારે આ આરોપો સામે આવ્યા છે. આ ટ્રાયલ છ થી આઠ અઠવાડિયા સુધી ચાલવાની ધારણા છે.મુકદ્દમા મુજબ, મેટાએ ઇરાદાપૂર્વક ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


