Author: Garvi Gujarat

જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ગુજરાત તરફ આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત ૧૧મી માર્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈલેન્ડના ધ્વજ ધરાવતા ‘મયુરી નારી’ નામના જહાજ પર ઈરાની સુરક્ષા દળો દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું મિડલ ઈસ્ટમાં વધી રહેલા લશ્કરી સંઘર્ષની અસર હવે સીધી રીતે ભારતના દરિયાઈ વ્યાપાર અને નાગરિકો પર પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા થાઈ કાર્ગાે જહાજ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારત સરકારે વિરોધ નોંધાવ્યો છે. આ હુમલામાં બે ભારતીયોના મોત થયાના અહેવાલથી વિદેશ મંત્રાલયે ચિંતા અને રોષ વ્યક્ત કર્યાે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, ૧૧મી માર્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં…

Read More

૧૧મી જૂનથી ૧૯મી જુલાઈ દરમિયાન ફિફાનું આયોજન અમેરિકામાં વર્લ્ડ કપ ફૂટબોલમાં ભાગ લેવા ઇરાનને ટ્રમ્પની મંજૂરી: ફિફાનો દાવો બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવા છતાં જૂનમાં ફિફા વર્લ્ડ કપમાં ઇરાનની ટીમને અમેરિકામાં પ્રવેશ મળશે વિશ્વ ફૂટબોલની વડી સંચાલન સંસ્થા ફિફાએ દાવો કર્યાે હતો કે અમેરિકા અને ઇરાન બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવા છતાં ઈરાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં આવશે અને આશરે ત્રણ મહિનામાં શરૂ થનારા વર્લ્ડ કપમાં ભાગ લેવાની મંજૂરી અપાશે તેવી તેઓ અપેક્ષા રાખે છે. આ અંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંજૂરી આપી દીધી હોવાનો પણ ફિફાએ દાવો કર્યાે હતો.ફિફાના પ્રમુખ જિયાની ઈન્ફાન્ટિનોએ ટ્રમ્પ…

Read More

ફિલ્મ ‘બાહુબલી’, ‘એનિમલ’ અને ‘આરઆરઆર’ના રેકોર્ડ તોડવા તૈયાર ધુરંધર ૨ માટે અમેરિકામાં એડવાન્સ બુકિંગ ૨ મિલિયન ડોલરને પાર ભારતમા માત્ર પેઈડ પ્રિવ્યુ માટે એડવાન્સ બૂકિંગ શરૂ થયા છતાં ફિલ્મે ૩.૫ લાખથી વધુ ટિકિટ વેચી દીધી રણવીર સિંહની ધુરંધર: ધ રિવેન્જ માટે વિશ્વભરમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર શનિવારે રિલીઝ થયું હતું, ત્યારબાદ તરત જ પેઈડ પ્રિવ્યુ માટે એડવાન્સ બૂકિંગ શરૂ કરવામાં આવ્યા હતા.જિયો સ્ટુડિયોઝ અને બી૬૨ સ્ટુડિયોઝ દ્વારા રજૂ કરાયેલાં ૪ મિનિટના ટ્રેલરે દર્શકોને જસ્કીરત સિંહ રંગી નામના પાત્રની દુનિયાની ઝલક આપી હતી. ટ્રેલર બાદ ઉત્તર અમેરિકામાં એડવાન્સ બૂકિંગમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો છે.ટ્રેડ અંદાજ મુજબ મંગળવાર…

Read More

ફિલ્મમાં લવ ટ્રાયએંગલ પર આધારિત કહાની હશે ભણસાલીએ કહ્યું ‘લવ એન્ડ વોર’નું ૯૦% શૂટિંગ પૂર્ણ નિવેદન સાથે ફિલ્મના શૂટિંગમાં વિલંબ અને અન્ય સમસ્યાઓ અંગે ચાલી રહેલી અટકળોને પૂર્ણવિરામ મળ્યો ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની તબિયત અંગે ચાલી રહેલી ચિંતાજનક અફવાઓ અને તેમની આગામી ફિલ્મ લવ એન્ડ વોરના શૂટિંગમાં વારંવાર વિલંબ થવાની વાતો સામે હવે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ તમામ અહેવાલો ખોટા હોવાનું જાણવા મળ્યું છે. એક ખાસ વાતચીત દરમિયાન સંજય લીલા ભણસાલીએ જણાવ્યું કે તેમની ફિલ્મ ‘લવ એન્ડ વોર’નું લગભગ ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બાકી રહેલું ૧૦ ટકા શૂટિંગ આગામી બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.આ ફિલ્મમાં રણબીર…

Read More

રશ્મિકા મંધાના અને વિજય દેવરકોંડાનાં લગ્નના દરેક લૂક ચર્ચામાં રહ્યાં રશ્મિકા મંધાનાનાં મહેંદી લૂક પર છેડાયો વિવાદ ઓઢણીમાં લક્ષ્મી માતાની છબીના વિવાદમાં સોશિયલ મીડિયા પર લોકો બે જૂથમાં વહેંચાયાં. રશ્મિકા મંધાના અને વિજય દેવરકોંડાનાં લગ્નના દરેક લૂક ચર્ચામાં રહ્યાં છે અને તેના ભરપુર વખાણ થયાં છે. સમયાંતરે રશ્મિકા અને વિજય તેમનાં લગ્નની વિવિધ સેરેમનીના ફોટો શેર કરતાં રહ્યાં છે. હવે તેમણે સોશિયલ મીડિયા પર તેમની મહેંદી સેરેમનીની તસવીરો શેર કરી હતી. ઘણા ચાહકોને તેમનો આ લૂક ખુબ પસંદ આવ્યો, પરંતુ સોશિયલ મીડિયામાં કેટલાક યુઝર્સે તેમના આઉટફિટને લઈને ટીકા પણ કરી છે.એક તરફ રશ્મિકાની મહેંદીમાં ઓમ, શક્તિ, સ્વસ્તિક, ચંદ્ર સહિત શક્તિ…

Read More

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરીને આજે ગુજરાતની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાર્ટી તમામ સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. આ બાબતે આમ આદમી પાર્ટીની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગત 10મી માર્ચથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ વેસ્ટ ખાતે મહાનગરપાલિકા સીટો માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ડૉ જ્વેલ વસરા મધ્ય ઝોન અધ્યક્ષ,આફતાબ ભાઈ, હિરેન ગોહિલ, નીતિન બારોટ,જતીન પટેલ,યાત્રિક પટેલ વિપુલ પટેલ સહિતના પદાધિકારીઓ જોડાયા…

Read More

આજે વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં આદિજાતિ વિકાસ મંત્રી માંગણીઓ લઈને આવ્યા હતા તો એ ચર્ચામાં મેં ભાગ લીધો હતો. મેં આ દરમિયાન સરકારનું ધ્યાન દોર્યું કે ગુજરાતમાં 1 કરોડ 25 લાખ આદિવાસી લોકો વસી રહ્યા છે અને એમણે પોતાનો પરસેવો પાડીને ગુજરાતના વિકાસમાં યોગદાન આપ્યું છે પરંતુ જ્યારે બજેટની વાત આવી ત્યારે ફક્ત 5425 કરોડની આદિજાતિ વિકાસ ફંડની જોગવાઈ કરવામાં આવી છે, જે ખૂબ જ ઓછી છે. કેન્દ્રીય આયોજન પંચ એવું કહે છે કે 15 ટકા આદિજાતિ વસ્તી સામે 17.57 ટકા ફંડની જોગવાઈ હોવી જોઈએ એની જગ્યાએ ફક્ત…

Read More

ધુરંધર-૨ને પડશે ફટકો! મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે FA9LA સિંગર ફ્લિપરાચીનો શૉ ભારતમાં કેન્સલ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાની વિલન તરીકેની એન્ટ્રી સમયે બેકગ્રાઉન્ડમાં વાગતા FA9LA ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. બહેરીની રેપર ફ્લિપરાચી, જેણે ૨૦૨૫ની ફિલ્મ ‘ધુરંધર’ના ગીત હ્લટ્ઠ૯ઙ્મટ્ઠ દ્વારા ભારતમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે, તેણે તેના આગામી તમામ ભારતીય પર્ફાેર્મન્સ રદ કર્યા છે. ફ્લિપરાચી આગામી ૧૪-૧૫ માર્ચના રોજ બેંગલુરુમાં UN40 મ્યુઝિક એન્ડ બિયોન્ડ’ ફેસ્ટિવલમાં અને ૧૩ માર્ચે મુંબઈમાં એક ખાસ કાર્યક્રમમાં પરફોર્મ કરવાનો હતો. જાેકે, હાલમાં મિડલ ઈસ્ટ અને ખાસ કરીને બહેરીનમાં પ્રવર્તી રહેલી અસ્થિર પરિસ્થિતિને કારણે તેને મુસાફરી કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેના લીધે ભારતીય ચાહકોએ…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશભરમાં મંડરાઇ રહેલા એલપીજી ગેસ સંકટને લઈને પ્રધાનમંત્રી પર આકરા પ્રહાર કર્યા છે. તેના માટે પ્રધાનમંત્રીની ભૂલોને જવાબદાર ગણાવતા તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં એલપીજી ગેસની ભારે અછત છે. તેના કારણે એક કરોડથી વધુ લોકોના બેરોજગાર થવાનો ડર છે. મોદીજીએ ટ્રમ્પ આગળ દેશને અમેરિકાની કોલોની બનાવી દીધી છે. આખરે મોદીજીની આવી શું મજબૂરી છે? ટ્રમ્પના દબાણમાં મોદીજીને યુદ્ધ શરૂ થવાના એક દિવસ પહેલાં ઇઝરાયેલ જવાની શું જરૂર હતી? પ્રધાનમંત્રીએ જૂના મિત્ર ઇરાનને નારાજ કરીને સમગ્ર દેશને એલપીજી ગેસના ભારે સંકટમાં નાખી દીધો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારતની વિદેશ નીતિ હંમેશા નિરપેક્ષ રહી…

Read More

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ પોલીસ, જેલ અને કાયદા વિભાગની માંગણીઓને લઈને ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે મને મારા વિચારો રજૂ કરવાની તક મળી. ગુજરાતના સવા છ કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી ગૃહ વિભાગની છે અને આના માટે તેઓ શપથ પણ લે છે. આજે ગૃહ વિભાગમાં બે પ્રકારના અધિકારીઓ બની ગયા છે. એક અધિકારીઓ એવા છે જે પોતાના જીવના જોખમે પણ ગુજરાતના લોકોને સલામત રાખવાનું કામ કરે છે અને આવા અધિકારીઓને અમે સલામ કરીએ છીએ. પરંતુ બીજા પ્રકારના અધિકારીઓ નીતિ નિયમ અને કાયદા…

Read More