- જામનગરના 9 વર્ષીય વિહાને 5289 મીટર ફ્રેન્ડશીપ પિક સર કરી ઇતિહાસ રચ્યો
- NEET-UG પુન:પરીક્ષા શાંતિપૂર્ણ, વિદ્યાર્થીઓએ કહ્યું ફિઝિક્સ-કેમેસ્ટ્રી અઘરું
- India-A ચેમ્પિયન: શ્રીલંકાને 66 રને હરાવી ટ્રાય સિરીઝ જીતી
- ઈરાન ડીલ નિષ્ફળ જશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ટોલ: ટ્રમ્પ
- ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટીમ જાહેર: બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર
- NEET પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે મોદી 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા
- નર્મદામાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો AAPમાં જોડાયા, ચૈતર વસાવાએ કર્યો સ્વાગત
- મિશન 2027 માટે AAP સક્રિય: દરેક વિધાનસભામાં સંગઠન મંત્રીઓની નિમણૂક
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. નાસિક,મહારાષ્ટના ભોંદુંરામ અશોક ખેરાતનો જાણીતો કિસ્સો છે. જેણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પરિવારની પૂજા-વિધિ કરાવતો ફોટો વાયરલ કરી IPS અધિકારીઓથી લઈ ભલભલાને આંજી નાંખી કરોડોની મિલકતો બનાવી હતી. એવું જ કંઈક હાલમાં પણ જોવા મળી રહ્યું છે. આજે સામાન્ય કાર્યકર પછી એ કોઈપણ પાર્ટીનો કેમ ના હોય? અને જે તે પાર્ટી જ્યારે સત્તા ઉપર આવે છે ત્યારે ચૂંટાયેલા નેતાઓ કે મંત્રીઓ હોય કે રાજકીય વગ ધરાવતો પાર્ટીનો ઉચ્ચ કક્ષાનો નેતા હોય એનો જન્મદિન હોય કે અન્ય કોઈના લગ્ન પ્રસંગે કે કોઈ સામાજિક સંસ્થાના કાર્યક્રમમાં કે દિવાળી પ્રસંગે ,નવાવર્ષની શુભકામના આપવા ઉપસ્થિત રહેતા મંત્રીઓ અને ઉચ્ચ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આ હળહળતા કળીયુગમાં સગા સૌ સ્વાર્થના પણ અહીંતો મા-જાણ્યા બંને સગા ભાઈએ માની મિલકતમાં ભાગ લેવા મૃત્યુ પામેલી માતાનો મલાજો પણ ના જાળવી કાંધ આપવાની ચોખ્ખી ના પાડતા આખરે પોલીસે આવી મૃત માતાને કાંધ આપી કર્યા અગ્નિસંસ્કાર. આ શરમજનક ઘટના ઓડિશાના બાલેશ્વરમાં બની હતી. બંસીધરદાસ અને તેમની પત્ની તુલસીદાસને ત્રણ દીકરાઓ હતા. મોટો દીકરો તો ઘણા સમયથી ગાયબ થઈ ગયો હતો, પણ બે દીકરાઓએ માતા-પિતાની જવાબદારી વહેંચી લીધી હતી. વચલા દીકરાએ પિતાની પાસે રાખ્યા જ્યારે નાના દીકરાએ માને રાખવાની જવાબદારી લીધી હતી. થોડા સમય પહેલા બંસીધરદાસનું મૃત્યુ થઈ ગયું. મંગળવારે ૨૬ મે માં એ પણ અંતિમ…
લગ્ન કરીને તમે શું વાઘ માર્યાે એવો સવાલ.૪૭ વર્ષની શમિતા શેટ્ટીને લગ્ન વિશે પૂછાતાં છંછેડાઈ.સમયસર પરણી ગઈ હોત તો આજે છોકરાં મોટાં થઈ ગયાં હોત તેવી કોમેન્ટથી ભડકી. હજુ ૪૭ વર્ષે પણ કુંવારી રહેલી શમિતા શેટ્ટીને લગ્ન વિશે પૂછાતાં તે ભડકી ગઈ હતી. એક વ્યક્તિએ એવી કોમેન્ટ કરી હતી કે હવે તું પહેલા જેવી દેખાતી નથી. શમિતાએ તેનો જવાબ આપ્યો હતો કે હા, સમય જતાં વ્યક્તિ અલગ દેખાવા માંડે એ સાહજિક છે. અન્ય વ્યક્તિએ કોમેન્ટ કરી હતી કે તું સમયસર પરણી ગઈ હોત તો આજે છોકરાં પણ મોટાં થઈ ગયાં હોત. શમિતા આ કોમેન્ટથી ભારે નારાજ થઈ હતી. તેણે પૂછ્યું…
સોશિયલ મીડિયા અને પાપરાઝીના કન્ટેન્ટથી અટેન્શન ઇકોનોમી ઉભી થઈ.નવી પેઢીની એક્ટ્રેસ માત્ર કપડાંથી નહીં, સ્ટાઇલથી ઇન્ફ્લ્યુઅન્સ કરવામાં માને છે.સતત લોકોની અને કૅમેરેની નજરમાં રહેવાને કારણે તેમને પોતાનાં દરેક કપડાં કે એરપોર્ટ આઉટફિટ હવે ખુબ કાળજીથી પસંદ કરવાં પડે છે.આજની પેઢીની એક્ટ્રેસ માટે સ્ટાઇલ હવે માત્ર કપડાં પહેરવાની બાબત રહી નથી. તેમની સ્ટાઇલ હવે ઓળખ, પ્રભાવ અને સેલિબ્રિટી પાવરનું સૌથી મોટું હથિયાર બની ગઈ છે. એક સમય હતો જ્યારે સ્ટારની તેમના ફૅન્સ પરની અસરનું માપદંડ બોક્સ ઓફિસની કમાણીનાં આંકડા, ટેલિવિઝન રેટિંગ્સ અથવા મેગેઝિન કવરને ગણવામાં આવતું હતું. પરંતુ આજે પ્રભાવ ઇન્સ્ટાગ્રામ રીલ્સ, પાપારાઝીના વિડિઓઝ, એરપોર્ટ લૂક્સ, રેડ કાર્પેટ દેખાવ અને જિમ…
લગ્નની વર્ષગાંઠની ઉજવણી પછી રેણુકા શહાણેએ જાહેરાત કરી.રેણુકા શહાણે પહેલી વખત પતિ આશુતોષ રાણાની શોર્ટફિલ્મ ડિરેક્ટ કરશે.તાજેતરમાં રેણુકા અને આશુતોષે એકબીજાને હાર પહેરાવીને લગ્નની ૨૫મી વર્ષગાંઠ ઉજવી હતી, જેના વીડિયો વાયરલ થયા હતા.રેણુકા શહાણે અને આશુતોષ રાણાએ તાજેતરમાં પોતાનાં લગ્નજીવનની ૨૫મી વર્ષગાંઠ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી હતી. હવે આ ખાસ વર્ષમાં તેમના માટે ઉજવણીનું વધુ એક ખાસ કારણ જાેડાયું છે, કારણ કે બંને પહેલી વાર અભિનેતા-દિગ્દર્શક તરીકે સાથે કામ કરવાના છે.રેણુકા શહાણેએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે કે તે આ વર્ષે એક શોર્ટ ફિલ્મ માટે પહેલી વાર પોતાના પતિ આશુતોષ રાણાને ડિરેક્ટ કરશે. તેમણે કહ્યું, “દિગ્દર્શન કરતી વખતે…
મેં ૨૦૧૪માં ડ્રગ્ઝ લેવાનું બંધ કરી દીધું.હું તો વીગ પહેરું છું, મારા માથે સંપુર્ણ ટાલ છે : હની સિંઘ.મારું વજન ૧૦૫ કિલો થઈ ગયું હતું, મારા માથામાં દવાઓને કારણે ટાલ પડી ગઈ હતી : હની સિંઘ.હની સિંઘ વ્યસન અને ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો અને તેના કારણે તે લાંબા સમય સુધી લાઇમલાઇટથી દુર થઈ ગયો હતો. તાજેતરમાં તેણે ઇન્ટરવ્યુમાં તેના જીવનના સૌથી ખરાબ સમયની વાત તાજી કરી છે. તેણે આ ઇન્ટરવ્યુમાં વ્યસન અને બાયપોલર ડિસઓર્ડર સાથે સંઘર્ષની વાત કરી હતી. તેણે કહ્યું કે તે કઈ રીતે કૅરિઅરની ટોચ પર હતો ત્યારે તેણે માનસિક આરોગ્ય સાથે લડવું પડ્યું અને વર્ષાે સુધી…
અમદાવાદની સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન હોવાનો પુરાવો આપ્યો છે. કચ્છના એક શ્રમિક પરિવારની નવજાત બાળકી, જે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ નામની અત્યંત દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી સાથે જન્મી હતી, તેનું સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગ દ્વારા સફળ ઓપરેશન કરીને નવજીવન આપવામાં આવ્યું છે. આમ, ગુજરાત સરકારની વિવિધ સિવિલ હોસ્પિટલો ગરીબો અને અંત્યોદય પરિવારો માટે આશાનું સાચું કિરણ બની છે, તેમ આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું. આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પાનશેરીયાએ આ ભગીરથ કાર્યને બિરદાવતા કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે થતી આવી અત્યંત જટિલ…
દિલ્હીના એક સાયબર ઠગની પોલીસે ધરપકડ કરી યુવતીના અશ્લીલ ફોટો બનાવીને બ્લેકમેલ કરતો દિલ્હીનો ધર્મગુરુ પકડાયો આરોપીના ફોનમાંથી ભોગ બનનાર યુવતીના નામના અલગ-અલગ ૮ થી ૧૦ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યા યુવતીના ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી અને યુટ્યુબ ચેનલ બનાવી બિભત્સ ફોટા અપલોડ કરનાર આરોપી સુમિત શર્મા અમદાવાદ સાયબર ક્રાઈમના હાથે ઝડપાયો છે. ઇસ્કોન હરેકૃષ્ણ સંપ્રદાયમાં જાેડાયેલી યુવતીએ મિત્રતાની ના પાડતા આરોપીએ ઈન્ટરનેટના માધ્યમથી તેને બ્લેકમેલ કરી હતી. આરોપીએ ગુગલ પર AI Remove ClOhes સર્ચ કરી અલગ-અલગ વેબસાઇટ્સ દ્વારા યુવતીના ૧૦૦થી વધુ ન્યૂડ ફોટા-વીડિયો મોર્ફ કર્યા. દિલ્હીના ઉસ્માનપુરનો રહેવાસી આરોપી સુમિત શર્મા સોશિયલ મીડિયા પર ધાર્મિક ઉપદેશો આપવાના વીડિયો અપલોડ…
અદ્ભુત નજારો રાત્રે આકાશમાં જાેવા મળશે ૩૧મી મેના રોજ આખા ગુજરાતમાં દેખાશે ‘બ્લુ મૂન’ આ બ્લુ મૂન અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં દરેક જગ્યાએ દેખાશે અંગ્રેજીમાં એક પ્રખ્યાત રૂઢિપ્રયોગ છે –”Once in a blue moon”, જેનો અર્થ થાય છે ક્યારેક જ બનતી અતિ દુર્લભ ઘટના. આ રૂઢિપ્રયોગ જે ખગોળીય ઘટના પરથી આવ્યો છે, તે અદ્ભુત નજારો આગામી ૩૧ મેના રોજ રાત્રે આકાશમાં જાેવા મળવાનો છે. અધિક જ્યેષ્ઠ મહિનાની પૂનમના દિવસે આકાશમાં બ્લુ મૂન (Blue Moon) નો અનોખો નજારો જાેવા મળશે. ખગોળપ્રેમીઓ માટે સારા સમાચાર એ છે કે આ અદ્ભુત નજારો જાેવા માટે કોઈ ખાસ જગ્યાએ જવાની…
મમતાને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું પૂર્વ સાંસદ ડૉ. શાંતનુ સેને ગુરુવારે પાર્ટીના સત્તાવાર પ્રવક્તા પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ ડૉ. શાંતનુ સેને ગુરુવારે પાર્ટીના સત્તાવાર પ્રવક્તા પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે. તેમણે તાજેતરમાં બનેલી આરજી કર હૉસ્પિટલની ઘટના અને પાર્ટી વિરુદ્ધ સતત લાગી રહેલા ભ્રષ્ટાચારના મોટા આરોપોથી દુ:ખી થઈને આ પગલું ઉઠાવ્યું છે. ડૉ. શાંતનુ સેને રાજીનામું આપતાં જણાવ્યું કે, આરજી કર હૉસ્પિટલના મામલા અને પાર્ટી વિરુદ્ધ લાગી રહેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોના વર્તમાન સંદર્ભમાં, તેઓ હવે પાર્ટીના સત્તાવાર પ્રવક્તા તરીકે પોતાની ભૂમિકા ભજવવાની સ્થિતિમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



