- અફઘાન મંત્રીનો ભારત સાથે મજબૂત સંબંધોનો સંદેશ, કહ્યું- ‘અમારો અને ભારતનો DNA એક છે’
- હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો, ત્રણેય ફોર્મેટમાં ફિફ્ટી ફટકારનારી પ્રથમ ભારતીય
- નીતિ આયોગના અહેવાલમાં દાવો: 10 વર્ષમાં 94 હજાર સરકારી શાળાઓ બંધ, શિક્ષણ પર ગંભીર ચિંતા
- રશિયન ઓઈલ ખરીદતા ભારત પર અમેરિકાના નવા બિલથી ભારે ટેરિફ અને પ્રતિબંધોનું જોખમ
- ન્યુઝીલેન્ડમાં મોદીએ 25-30 વર્ષ જૂનું ભેટમાં મળેલું મફલર યાદ કરી ભારતીયોને ભાવુક કર્યા
- E20 પેટ્રોલ વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, E10 વિકલ્પ, વીમા અને સ્પષ્ટ લેબલિંગની માંગ
- ચીને લોંગ માર્ચ-10A રોકેટ સમુદ્રમાંથી સફળતાપૂર્વક રિકવર કરી સ્પેસ ટેકનોલોજીમાં ઈતિહાસ રચ્યો
- ખાડીપૂર મુદ્દે PIL છતાં કાર્યવાહી નહીં, અધિકારીઓની બેદરકારીથી સુરતને નુકસાન: છગનલાલ મેવાડા
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત દેશમાં દર વર્ષે વડાપ્રધાનના પ્રચાર પર ખર્ચવામાં આવતા જાહેર નાણાંના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. એક માહિતી અધિકારના જવાબમાં જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારે 2020 થી 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર માટે જાહેરાતોમાં લગભગ 2586 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ રકમનો કુલ ખર્ચ કરાયેલ રકમ કરોડો રૂપિયાની છે. રૂપિયા ૨૫,૮૬,૦૦,૦૦,૦૦૦/-છે. અને ભારતીય કર દાતાઓના નાણાં માંથી આ ખર્ચ થયો હતો. તૃણમુૂલ કોંગ્રેસ TMC ના સાંસદ સાકેત ગોખલે આ જણાવ્યું હતું અને તેમણે જ આ આરટીઆઇ દાખલ કરી હતી ગોખલે એ 1…
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે કુબા (રાવણી) ગામના ખેડૂતોને છેલ્લા બે દાયકાથી સતાવતો ગંભીર પ્રશ્ન હવે ઉકેલ તરફ આગળ વધ્યો છે. વર્ષ 2006 દરમિયાન કુબા (રાવણી) ગામના હક્કપત્રક (હકપત્રક નંબર-6)નો મહત્વપૂર્ણ રેવન્યુ રેકોર્ડ નાશ પામ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ગામના ખેડૂતોને છેલ્લા 20 વર્ષથી જમીન સંબંધિત વિવિધ નોંધો, ઉત્તરોત્તર નોંધ, વારસાઈ નોંધ અને અન્ય રેવન્યુ પ્રક્રિયાઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આટલા લાંબા સમયગાળા દરમિયાન ખેડૂતોને સતત હાલાકી ભોગવવી પડી હોવા છતાં પ્રશ્નના નિરાકરણ માટે કોઈ અસરકારક કાર્યવાહી થઈ નહોતી. પરંતુ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આ મુદ્દો વારંવાર જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ઉઠાવ્યો…
અમેરિકા-ઈઝરાયલે કરારનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કરવાની કરી જાહેરાત કરારના ઉલ્લંઘન પર ઈરાનની આગામી ચેતવણી અમેરિકા ઈરાન વચ્ચેના શાંતિ કરારના થોડા જ દિવસો બાદ ઈરાનની સંયુક્ત મિલિટરી કમાન્ડે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)થી જહાજાેની અવરજવર બંધ કરવાની જાહેરાત કરી છે. તેની પાછળ તેમણે યુદ્ધ ખતમ કરવાવાળા કરાર (MOU)નું અમેરિકા દ્વારા ઉલ્લંઘન, દક્ષિણ લેબેનોનથી સેના ન હટાવવી અને ઇઝરાયલ દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનું કારણ જણાવ્યું છે. ઈરાને આ ર્નિણયને પ્રથમ પગલું ગણાવ્યું છે અને ચેતવણી આપી છે કે જાે ઉલ્લંઘન ચાલુ રહેશે, તો વધુ પગલાં લેવામાં આવશે. જણાવી દઈએ કે, અમેરિકા અને ઈરાને…
રાજકોટના શાપરમાં કરોડોની લૂંટ ૫ બુકાનીધારી શખ્સોએ બંધક બનાવી રોકડ, દાગીનાની ચલાવી લૂંટ લૂંટારુઓ અંદાજે ૨ કરોડ ૪૭ લાખ રૂપિયાની રોકડ તેમજ ૫થી વધુ તોલા સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડો રૂપિયાની લૂંટની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મોડી રાત્રે અજાણ્યા બુકાનીધારીઓએ એક વૃદ્ધને બંધક બનાવી કરોડો રૂપિયાની રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે લગભગ એક વાગ્યાના સમયે ફિલ્મી ઢબે કરોડો રૂપિયાની લૂંટની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ પાંચથી વધુ બુકાનીધારીઓએ જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી…
ચીને સમુદ્રમાં શરૂ કરી લોખંડી ઘેરાબંધી ઈરાન યુદ્ધ પૂરું થતાં જ તાઈવાન ઉપર સંકટ હવે લગભગ દરેક સમયે ચીની નૌસેનાના ૫થી ૬ યુદ્ધ જહાજ તાઈવાનને ચારેય તરફથી ઘેરીને રાખે છે ઈરાન યુદ્ધ બાદ હવે સમગ્ર વિશ્વની નજર તાઈવાન પર વધી રહેલા તણાવ પર ટકેલી છે. ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં તાઈવાનની આસપાસ પોતાની સૈન્ય હાજરીમાં સતત વધારો કર્યો છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે હવે લગભગ દરેક સમયે ચીની નૌસેનાના ૫થી ૬ યુદ્ધ જહાજ તાઈવાનને ચારેય તરફથી ઘેરીને રાખે છે. મે ૨૦૨૬ના અંતમાં પણ ચીનના મોટા ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર સહિત અનેક યુદ્ધ જહાજ તાઈવાનના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને તાઈવાન સ્ટ્રેટમાં…
એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા મહારાષ્ટ્રના રાજકારણમાં એકવાર ફરીથી શાબ્દિક યુદ્ધ તેજ થઈ ગયું છે. શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. શિંદેએ સ્ટેજ પરથી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મહાયુતિ ગઠબંધન સંપૂર્ણપણે મજબૂત છે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના સંબંધોમાં તિરાડ હોવાની વાતો માત્ર અફવા છે. ટીકાકારોને આકરો જવાબ આપતા શિંદેએ સિંહગર્જના કરી હતી કે, કૂતરા ભસતા રહે છે, પરંતુ…
કિંમત હજારો કરોડોમાં ઉપજશે ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, ૪ જગ્યાએ કરાશે માઇનિંગ રૂપિયા ૭,૫૦૦ કરોડથી વધુની કિંમતનું સોનું હોવાનો અંદાજ, જાેન્નાગિરી ઉપરાંત અન્ય ૪ સંભવિત જગ્યાઓ મળી સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આકાશને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જાેન્નાગિરી ગામમાં અંદાજે ૫૦ ટન સોનાનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. આ મોટી શોધ બાદ આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાનો સૌથી મોટો સપ્લાયર પક્ષ બનીને ઉભરી શકે છે. આનાથી દેશમાં ન માત્ર સોનાનું સ્થાનિક ઉત્પાદન વધશે, પરંતુ સોનાની આયાત(ઇમ્પોર્ટ) પર ભારતની ર્નિભરતા પણ ઘણી ઓછી…
ભારતીય ટીમને મોટો ઝટકો ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી હાર્દિક પંડ્યા બહાર, કોહલી માટે કપરાં ચઢાણ! કોહલીની પસંદગી ફિટનેસ ટેસ્ટના પરિણામ પર ર્નિભર ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે (ODI) સીરિઝ રમી રહી છે, પરંતુ તે પૂરી થાય તે પહેલાં જ આગામી ઈંગ્લેન્ડ પ્રવાસને લઈને મોટા અહેવાલો સામે આવ્યા છે. ભારતી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાના કારણે ઈંગ્લેન્ડ સામેની આગામી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. બીજી તરફ, વિરાટ કોહલીની પસંદગી પણ તેના ફિટનેસ ટેસ્ટના પરિણામ પર ર્નિભર રહેશે. અહેવાલો અનુસાર, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ફિટનેસ સમસ્યાઓના કારણે તે…
હવામાન વિભાગે કરી દીધી મોટી આગાહી ૨૩ જૂનની આસપાસ હવામાનમાં મોટો ફેરફાર જાેવા મળી શકે છે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થઈને અનેક રાજ્યોમાં આગળ વધી શકે છે : ચોમાસું સામાન્ય કરતાં થોડું ધીમું છે જૂન મહિનાનું ત્રીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, છતાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજુ પોતાની રફ્તાર પકડી શક્યું નથી. આ કારણે દેશના અનેક વિસ્તારોમાં હવામાન વિચિત્ર બની ગયું છે. ક્યાંક વાદળછાયું આકાશ છે પણ વરસાદ નથી, ક્યાંક તોફાન આવે છે પણ ગરમી ઓછી થતી નથી અને ક્યાંક ચોમાસું પહોંચી ગયું છે તો ક્યાંક લોકો હજુ પ્રથમ સારા વરસાદની રાહ જાેઈ રહ્યા છે. હવામાન વિભાગ (IMD)ની લેટેસ્ટ આગાહી મુજબ,…
ફટકારી ચૂક્યો છે ત્રેવડી સદી ૩૨ વર્ષની ઉંમરે નિવૃત્તિ, ભારતીય ક્રિકેટરે કારકિર્દી માટે છોડ્યો દેશ આંધ્ર પ્રદેશનો ૩૨ વર્ષીય ક્રિકેટર હાલમાં મધ્ય પૂર્વીય દેશમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળાની તકો શોધી રહ્યો છે ભારતીય વિકેટકીપર-બેટ્સમેન કેએસ ભરત તાજેતરમાં ક્રિકેટની તકોની શોધમાં દેશ દુબઈ ગયો છે. ક્રિકબઝના એક અહેવાલમાં, અમીરાત ક્રિકેટના એક અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આંધ્ર પ્રદેશનો ૩૨ વર્ષીય ક્રિકેટર હાલમાં મધ્ય પૂર્વીય દેશમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળાની તકો શોધી રહ્યો છે. કેએસ ભરતને ટીમ સ્ટેલિયન્સમાં સામેલ કરવામાં આવ્યો છે, જે અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત ૪ ટીમોની ટુર્નામેન્ટમાં ભાગ લેતી સ્થાનિક ટીમ છે. અમીરાત ક્રિકેટના એક…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



