- અંબાજી ગબ્બર દર્શન 22-23 એપ્રિલે બંધ, મધપૂડા દૂર કરવાની કામગીરી માટે રોપવે પણ બંધ રહેશે
- સંજય રાઉતનો ગુજરાત પર કટાક્ષ: સુરતમાં શ્રમિક પલાયન મુદ્દે સરકાર પર નિશાન, રાજકીય ગરમાવો
- બંગાળમાં મતદાર યાદી ડરની અફવા: હજારો શ્રમિકોની ઘરવાપસી, રેલવે સ્ટેશનો પર ભારે ભીડ
- વિરાટ કોહલી-અનુષ્કા શર્મા વૃંદાવન મુલાકાત: પ્રેમાનંદ મહારાજ સાથે આધ્યાત્મિક ચર્ચા, પાંચ મહિનામાં ત્રીજી મુલાકાત
- ટ્રમ્પની કેનેડાને ચેતવણી: ચીન ડીલ ખતમ કરો નહીં તો 100% ટેરિફ લગાવશું
- અમેરિકા-ઈરાન તણાવ વધ્યો: જહાજ જપ્ત બાદ ડ્રોન હુમલાની આશંકા, સીઝફાયર પર સંકટ
- જમ્મુ-કાશ્મીરમાં બસ દુર્ઘટના: 21ના મોત, 30થી વધુ ઘાયલ, CM ઓમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો
- કેપિટોલ હિલ પર 22 એપ્રિલે આતંકવાદ પર પ્રદર્શન, પાકિસ્તાનની પોલ ખોલશે ભારત
Author: Garvi Gujarat
એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે ૧૭ વખત ફોન પર વાતચીત થયાનો દાવો અશોક ખરાત સામે અત્યાર સુધીમાં કુલ ૧૦ કેસ નોંધાયેલા છે, જેમાંથી ૮ કેસ ‘દૈવી શક્તિ’ના બહાને મહિલાઓના જાતીય શોષણના છે મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ એક મોટો વિવાદ છેડાયો છે. સામાજિક કાર્યકર અંજલિ દામણિયાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. દામણિયાનો દાવો છે કે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાયેલા સ્વયંભૂ ધર્મગુરુ અશોક ખરાત સાથે રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓ સંપર્કમાં હતા. તેમણે દાવો કર્યાે હતો કે એકનાથ શિંદેના મોબાઈલ પરથી ખરાતને ૧૭ વખત કોલ કરવામાં આવ્યા હતા, જેમાંથી સૌથી લાંબી વાતચીત…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓના કાર્યાલયો પણ ધમધમવા માંડયા છે. અને એમાં ભાજપના કાર્યાલયમાં તો જાણે કે રાફડો ફાટયો હોય એમ એક એક વોર્ડમાં અધધ!! ઉમેદવારો ઉમેદવારી કરવા ઉમટી પડયા છે. ત્યારે અન્ય પક્ષોને ઉમેદવારો શોધવા માટે ફાંફા મારવા પડે એવો ઘાટ હાલમાં ચાલી રહ્યો છે. ત્યારે પાર્ટી કોઈપણ હોય આપણે જનરલ વાત કરીએ તો એક વાત ચોક્કસ છે કે જે પાર્ટીએ લાંબાગાળાનું શાસન ચલાવ્યું છે. અને એમાં જે ચહેરાઓ બબ્બે ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાઈને આવે છે એમને હવે પાણીચું આપી નવા ચહેરાઓ ને સ્થાન આપવું…
તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ પિંક સાડીમાં શ્રૃતિ હસને કરાવ્યું મસ્ત ફોટોશૂટ કરાવ્યું શ્રૃતિ કોલ મી બે નામની વેબસીરિઝમાં જાેવા મળશે. આ સીરિઝમાં તે અનન્યા સાથે સ્ક્રિન શેર કરી રહી છે અભિનેત્રી શ્રુતિ હાસન વારંવાર તેના લુક માટે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેના પરંપરાગત અવતારથી બધાનું ધ્યાન ખેંચ્યું. શ્રુતિએ ગુલાબી સાડીમાં પોતાની અદભુત તસવીરો શેર કરી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શ્રૃતિ પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. એક્ટ્રેસે તાજેતરમાં સાડી લૂક ધરાવતી કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.આ ફોટોમાં શ્રૃતિ પિંક સાડીમાં જાેવા મળી રહી છે. સાડીમાં પણ તેણે મનમોહક…
સાજિદના પુત્ર સુભાનની હિરોઈન બનશે રોહિત રોયની પુત્રી કિયારાનું હિરોઈન તરીકે ડેબ્યૂ બોલિવુડમાં ઓલરેડી એક કિયારા હોવાથી તે પોતાનું નામ બદલીને એરાહ બોઝ રાખે તેવી ચર્ચા રોહિત રોયની દીકરી કિયારા હિરોઈન બનવાની છે. સાજિદ નડિયાદવાલાના દીકરા સુભાનની ફિલ્મ ‘ઐસી દિવાનગી’માં તેને લીડ હિરોઈન તરીકે સિલેક્ટ કરવામાં આવી છે. બોલિવુડમાં કિયારા અડવાણી ઓલરેડી જાણીતી હિરોઈન હોવાથી રોહિતની દીકરી પોતાનું સ્ક્રીન નેમ બદલીને એરાહ બોઝ રાખે તેવી ચર્ચા છે. જાેકે, તેને કોઈ સત્તાવાર કન્ફર્મેશન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ ઓલરેડી શરુ થઈ ગયું છે. શશાંક ખૈતાન આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે.
૨૮ માર્ચે મુંબઈમાં એક શોની ઘટના હની સિંહનાં ગીતો બીભત્સ અને વાંધાજનક: પોલીસને ફરિયાદ દિલ્હી હાઈ કોર્ટે ૨૦૦૬માં યો યો હની સિંહ અને બાદશાહ દ્વારા જારી બીભત્સ અને તિરસ્કારભર્યાં ગીતો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો રૅપર યો યો હની સિંહના ગીતોમાં શરાબ, ડ્રગ્સ અને ગન કલ્ચરને પ્રાત્સાહિત કરવા સાથે અશ્ર્લીલ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, જે ચિંતાજનક હોવાની ફરિયાદ પુણેના જિલ્લાના ચાઈલ્ડ પ્રોટેક્શન ઑફિસર મંગેશ જાધવે શહેરના પોલીસ કમિશનર અમિતેષ કુમારને પત્ર લખીને કરી છે. પત્રમાં જાધવે પોલીસને વિભાગને કહ્યું હતું કે હની સિંહનો કાર્યક્રમ યોગ્ય, સામાજિક રીતે જવાબદાર અને બાળ રક્ષણ તથા કાનૂની સલામતીઓના દાયરામાં રહે તેવી પોલીસે ખાતરી…
આવારાપન ૨નું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે આવારાપન ૨માં ઇમરાન હાશમી ફરીથી શિવમ તરીકે પરત ફરશે આવારાપન ફિલ્મે વર્ષાેથી કલ્ટ સ્ટેટસ મેળવ્યું છે અને તેનાં ગીતો દર્શકો માટે એવરગ્રીન બની ગયાં છે ઇમરાન હાશમી અને દિશા પટ્ટણીની ફિલ્મ આવારાપન ૨ હવે ૨૦૨૬માં રિલીઝ થઈ રહી છે. આવારાપનની સિક્વલ તરીકે, આ ફિલ્મ બૂક માય શો અને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરી રહી છે કારણ કે નિર્માતાઓએ અગાઉ ૩ એપ્રિલની રિલીઝ ડેટ જાહેર કરી હતી. શૂટિંગ હજુ બાકી હોવાથી એવા અહેવાલ છે કે આવારાપન ૨ માટે નવી રિલીઝ તારીખ નક્કી કરવામાં આવી છે.વિશ્વસનીય સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આવારાપન ૨ હવે સ્વતંત્રતા…
૪૦ થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે અમદાવાદ પાલિકામાં ભાજપના જ નિયમોથી ભૂકંપ આવશે! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વય મર્યાદા, ત્રણ ટર્મ પૂરી થવી અને ગેરશિસ્ત જેવા કારણોસર આ ર્નિણય લેવાઈ શકે છે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા જ ભાજપ સક્રિય થઈ ગયું છે. ગઈકાલથી વિવિધ શહેરોમાં બે દિવસ સેન્સ પ્રક્રિયા યોજાશે. વિધાનસભા મુજબ આવતા વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. બે દિવસમાં amc ના તમામ ૪૮ વોર્ડ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપે નક્કી કરેલા નિરીક્ષકો ટિકિટના દાવેદારો અને કાર્યકરોને સાંભળશે. શહેરમાં જુદા જુદા સ્થળોએ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટિકિટ વાંછુકોને સાંભળીને રિપોર્ટ ચૂંટણી સમિતિ તરફ મોકલાશે. પરંતું ભાજપના ટિકિટના…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે સરકારે બદલ્યો ર્નિણય રાજ્યમા શરૂ થનારી વસ્તી ગણતરી હાલ નહિ થાય ચૂંટણી બાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે : એટલે કે, હાલ પૂરતી ગુજરાતમાં વસ્તી ગણતરીના કાર્યક્રમ પર બ્રેક ગાંધીનગરથી મોટી ખબર આવી છે. રાજ્યમા શરૂ થનારી વસ્તી ગણતરી હાલ નહિ થાય. કારણ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે હાલ મોકુફ રાખવાનો ર્નિણય લેવાયો છે. ચૂંટણી બાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે. એટલે કે, હાલ પૂરતી ગુજરાતમાં વસ્તી ગણતરીના કાર્યક્રમ પર બ્રેક મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં ૧૬ વર્ષ પછી વસ્તી ગણતરી (Census 2027) ના પ્રથમ તબક્કાનો ૧ એપ્રિલથી સત્તાવાર પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ…
હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મુક્ત જળમાર્ગના સમર્થનમાં ભારત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે લાંબા સમયથી બંધ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે બ્રિટનની આગેવાનીમાં એક અત્યંત મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં ભારત સહિત ફ્રાન્સ, જર્મની, ઈટાલી, કેનેડા અને યુએઈ જેવા દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ બેઠકમાં ભાગ લીધો હતો અને ભારતે સ્પષ્ટ શબ્દોમાં પોતાનું વલણ રજૂ કર્યું હતું. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે એકમાત્ર એવો દેશ છીએ જેણે આ સંઘર્ષમાં પોતાના નાવિકો ગુમાવ્યા છે, તેથી આ દરિયાઈ માર્ગને…
કરા સાથે વરસાદની આગાહી ભારતના આકાશમાં દેખાયા ૧૦૦૦ કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ આગામી ૪૮થી ૭૨ કલાકમાં ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરોએ ચિંતામાં વધારો કર્યો છે. ઉત્તર ભારત અને પાકિસ્તાન પર લગભગ ૧૦૦૦ કિલોમીટર લાંબો અને અત્યંત ઘટ્ટ વાદળોનો પટ્ટો દેખાઈ રહ્યો છે. સક્રિય થયેલા શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી ૪૮થી ૭૨ કલાકમાં ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે. IMD ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિશાળ ક્લાઉડ ફોર્મેશન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ભાગો સુધી ફેલાયેલું છે. આ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



