- નીરજ ચોપડાનો મહારેકોર્ડ, કોમનવેલ્થમાં જેવલિનના 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
- IRCTCની FTR સેવા શરૂ: લગ્ન, પ્રવાસ કે યાત્રા માટે હવે આખો કોચ અથવા ટ્રેન ભાડે બુક કરો
- પાકિસ્તાનમાં ‘કોકરોચ પાર્ટી’થી સરકાર ચિંતિત, Gen Zના અભિયાનથી રાજકારણમાં ખળભળાટ
- ₹500ના ઇનામથી બદલાયું જીવન, જાદુમણિ સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં જીત્યો સિલ્વર મેડલ
- પ્રીતિ પવાર બાદ જાસ્મીન લંબોરિયાનો ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દીકરીઓની ધમાકેદાર સિદ્ધિ
- જુલાઈમાં GST કલેક્શન 15.4% વધીને ₹2.11 લાખ કરોડ, આયાત અને ઘરેલુ આવકમાં જોરદાર ઉછાળો
- સુપ્રીમ કોર્ટે ભોજશાળા પાસે નમાઝને મંજૂરી આપી, પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇનકાર
- એવરેસ્ટ નજીક ચીનનું હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોન સેન્ટર, સરહદ સુરક્ષા વચ્ચે ભારતની ચિંતા વધી
Author: garvigujrat
ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામની સિંચાઈ યોજના આજે માત્ર શોભાના ગઠિયા સમાન બની ગઈ છે. નર્મદાના સિંચાઈના પાણી માટે હીરાસર, મોરસલ, અકાળા, હબીયાસર અને કાંધાર વગેરે ગામોના ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ૧૫ વર્ષથી દર ચૂંટણી સમયે ખેડૂતોને ખોટા વાયદા કરવામાં આવે છે અને ખેડૂતોને ‘મામુ’ બનાવીને ભાજપ મતો લઈ જાય છે. દરેક ચૂંટણી પહેલાં નર્મદાની લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે, પરંતુ આ કેવું કામ છે કે જે હજી સુધી પૂરું જ થતું નથી! આ ગંભીર મામલે સ્થળ પર મુલાકાત લઈને વાત કરતા આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રમેશ મેરએ જણાવ્યું હતું કે, અમે અત્યારે નાની…
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરત પૂરના મુદ્દે સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ભાજપ શાસિત તંત્રની નિષ્ફળતાના કારણે સર્જાયેલી ખાડીપૂરની હોનારતને આજે સાત દિવસ વીતી ગયા છે. સાત દિવસ બાદ રાજ્ય સરકારે વેપારીઓ અને કારખાનેદારો માટે એક સહાય પેકેજની જાહેરાત કરી ખરી, પરંતુ આ પેકેજ જોઈને મને આપણી જૂની કહેવત યાદ આવી ગઈ કે – ‘અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા’. જ્યારે અણસમજુ નેતાઓ પ્રજા પર શાસન કરતા હોય ત્યારે કેવાં ગંભીર દુષ્પરિણામો આવે છે, તે આપણી નજર સામે છે. છેલ્લા ચાર દિવસથી જે પેકેજની મોટી-મોટી વાતો…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટ, પ્રદેશ ઉપપ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિતના પ્રદેશ નેતાઓ તેમજ અમદાવાદ શહેરના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકર્તાઓ જતિન પટેલ, યાત્રિક પટેલ, મુકેશ ચૌહાણ, ભરત પ્રજાપતિ, સંદીપ શર્મા, પારસ શાહ, રીના પંચાલ અને હર્ષિલ પ્રજાપતિ સહિતના આગેવાનોએ રથયાત્રા અગાઉ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને ગુજરાત સહિત સમગ્ર દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.રથયાત્રા અગાઉ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને ગુજરાત સહિત સમગ્ર દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ શુભ પ્રસંગે વાત કરતા ‘આપ’ નેતા ડો. કરન બારોટે જણાવ્યું હતું કે, “જય…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના અલગ અલગ વિભાગોમાં અંદાજિત ૬૦ હજાર કર્મીઓ છે કે જેઓની ભરતી પ્રક્રિયા ૨૦૦૫ પહેલા થઈ હતી. પરંતુ વહીવટી કારણોસર કે કાનૂની વિવાદના કારણે નિમણૂંક ૨૦૦૫ બાદ થઈ હતી. આ તમામ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન સ્કીમ (OPS) ની માંગ કરી રહ્યા છે. ત્યારે સરકારે આ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારીઓ શરૂ કરી છે. પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ તમામ વિભાગો પાસેથી નાણાં વિભાગના વર્ષ ૨૦૨૪ના ઠરાવ મુજબ જે કર્મચારીઓ OPS માં જોડાવવા પાત્ર છે તેઓની વિગત મંગાવવામાં આવી છે. રાજય સરકારના નાણાં વિભાગે વર્ષ ૨૦૦૫ બાદ ભરતી થયેલા કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓને જૂની…
(સુરતના નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેર અને સમગ્ર ગુજરાતમાં અશાંતધારાનો રાજહંસ ગ્રુપ ધ્વારા ભારે લાભ ઉઠાવવામાં આવે છે. અને અશાંતધારા વિસ્તારમાં જ્યાં સામાન્ય જનતાને એક નાનું સરખું બાંધકામ માટે પણ મંજૂરી મળતી નથી. ત્યાં રાજકારણીના આશીર્વાદ અને ભ્રષ્ટ અધિકારીઓના પાપે અશાંતધારા વિસ્તારમાં સહેલાયથી બાંધકામની મંજૂરી મળતી હોય છે. રાંદેરનો ગોરાટ વિસ્તારમાં જે અશાંતધારામાં આવે છે ત્યાં ૧૧ હાઈરાઇઝ બિલ્ડીંગો બની ગઈ છે અને બની રહી છે. એક વ્યક્તિને પોતાના મકાન પૂરતું અશાંતધારાની મંજૂરી મેળવતા નાકે દમ આવી જાય છે. પરંતુ રાજહંસ ગ્રુપનો એટલો મોટો પ્રભાવ છે કે દેશના પ્રધાનમંત્રીની સાથે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ સાથે…
પ્રવાસીઓ ઘટતાં થાઈલેન્ડ સરકાર ઝૂકી! થાઈલેન્ડમાં ભારતીયો માટે વિઝાના નિયમોમાં ફરી મોટો ફેરફાર કરાયો થાઈલેન્ડે ભારતીય પ્રવાસીઓ માટે વિઝા-ફ્રી એન્ટ્રી ચાલુ રાખી થાઈલેન્ડ ફરવા જવાની યોજના બનાવી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. થાઈ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય નાગરિકો માટે વિઝા-ફ્રી એન્ટ્રી (વિઝા વિના પ્રવેશ)ની સુવિધા હાલ પૂરતી ચાલુ રહેશે. જાે કે, આ સુવિધા હેઠળ ત્યાં રહેવાની મહત્તમ મર્યાદા હવે ૬૦ દિવસથી ઘટાડીને ૩૦ દિવસ કરી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, આ ર્નિણય ભારતીય પ્રવાસીઓની મુસાફરીની પેટર્ન અને પર્યટન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. થાઈલેન્ડના પર્યટન મંત્રી સુરાસાક ફાનચારોએનવોરાકુલે જણાવ્યું કે, ભારતીય નાગરિકો પહેલાની…
હૈયે હરખ ન સમાય તેવી રૂડી અષાઢી બીજ આવી પહોંચી આજે નગરચર્યાએ નીકળશે જગતનો નાથ; ૧૪૯મી રથયાત્રા માટે અમદાવાદ સજ્જ અમદાવાદમાં યોજાનારી ૧૪૯મી રથયાત્રાને લઈ ભક્તિમય માહોલ છવાયો છે : પ્રભુના સોના વેશના દર્શન કરવા જમાલપુર મંદિરે ભક્તોનું ઘોડાપૂર હૈયે હરખ અને આંખોમાં હેતની હેલી… અષાઢી બીજની એ પાવન સવાર, જ્યારે જગતનો નાથ સ્વયં ભક્તોના દુ:ખ હરવા નીજ મંદિર છોડીને નગરે નીકળશે. અમદાવાદની ઐતિહાસિક જમાલપુર નગરીમાં કાલે ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણની ૧૪૯મી રથયાત્રા પ્રસ્થાન કરવા જઈ રહી છે. પ્રભુ જગન્નાથની સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી પણ અલગ-અલગ રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળશે. ભગવાન સ્વયં ભક્તોને સાક્ષાત દર્શન આપવા માટે…
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત ૨૩ વર્ષ બાદ ઇરાકમાંથી સંપૂર્ણપણે બહાર નીકળશે અમેરિકન સેના ઇરાન લાંબા સમયથી અમેરિકાને ઇરાક સહિત સમગ્ર મિડલ ઇસ્ટમાંથી પોતાનું સૈન્ય હટાવવા દબાણ કરી રહ્યું હતું પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) ના રાજકારણમાં એક બહુ મોટો અને ઐતિહાસિક બદલાવ આવી રહ્યો છે. વર્ષ ૨૦૦૩માં સદ્દામ હુસૈનના શાસનનો અંત લાવવા માટે ઇરાકમાં પ્રવેશેલી અમેરિકન સેના હવે આગામી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ત્યાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદી વચ્ચે વ્હાઇટ હાઉસમાં મળેલી બેઠક બાદ આ ઐતિહાસિક સૈન્ય વાપસીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.વ્હાઇટ હાઉસમાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે…
ટ્રમ્પે કહ્યું- આવતા અઠવાડિયે પાવર પ્લાન્ટ અને પુલને ટાર્ગેટ કરીશું, જાે કરાર નહીં થાય તો કંઈ બચશે નહીં અમેરિકાની સતત ચોથા દિવસે ઈરાન પર એરસ્ટ્રાઈક કતારના અલ-ઉદીદ એરબેઝની સેટેલાઇટ તસવીરોમાં અમેરિકી સેનાના એક વેરહાઉસને નુકસાન થયાના સંકેત મળ્યા છે અમેરિકી સેનાએ મંગળવારે રાત્રે સતત ચોથા દિવસે ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. આ સાથે જ ઈરાની બંદરોની દરિયાઈ નાકાબંધી પણ શરૂ કરી દીધી છે. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી ઈરાન પર દબાણ વધારવા માટે કરવામાં આવી રહી છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, “અમે મંગળવારે રાત્રે પણ હુમલો કરીશું, તેના પછીના દિવસે પણ કરીશું. આવતા…
ફિલ્મે અત્યાર સુધીમાં ૯૨.૭૫ કરોડથી વધુની કમાણી કરી ‘આલ્ફા’માં બોબી દેઓલને AI અને VFX ટેન્કોલોજીથી યુવાન બનાવાયો ટેન્કોલોજીનો ઉપયોગ માત્ર દર્શકોને ચોંકાવવા માટે નહીં, પરંતુ વાર્તાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો : શિવ આલિયા ભટ્ટ અને શર્વરીની યશ રાજ ફિલ્મ્સની સ્પાય થ્રિલર ‘આલ્ફા’ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. વિશ્વભરમાં ફિલ્મે અત્યાર સુધીમાં ૯૨.૭૫ કરોડથી વધુની કમાણી કરી છે. હવે ફિલ્મનાં સૌથી ચર્ચિત સીનમાંથી એક પાછળની ટેન્કોલોજી અંગે વાયએફએક્સ સ્ટુડિયોએ રસપ્રદ ખુલાસો કર્યાે છે. ફિલ્મમાં એક મહત્વના સીન દરમિયાન બોબી દેઓલના પાત્રને AI અને VFX ની મદદથી યુવાન દેખાડવામાં આવ્યું છે, જેમાં તેનો લૂક તેની ‘સોલ્જર’, ‘ગુપ્ત’ અને ‘બરસાત’…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



