- વંદે માતરમ બિલ શું છે? અમિત શાહ રાજ્યસભામાં કરશે રજૂ, અપમાન પર 3 વર્ષની સજાની જોગવાઈ
- અદાણી CNGના ભાવમાં ફરી રૂ.2નો વધારો, અમદાવાદમાં કિલો દીઠ ભાવ રૂ.90ને પાર, વાહનચાલકો પર ભારણ
- જોર્ડનમાં 2 અમેરિકી સૈનિકોના મોત બાદ અમેરિકા ઈરાન પર ભયાનક એરસ્ટ્રાઈક, પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો
- રાહુલ-ખડગેએ મોદીને લખ્યો પત્ર, રામ મંદિર દાન મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારીની કરી માંગ
- પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 જીતી ઇતિહાસ રચ્યો, અકાને યામાગુચીને હરાવી બની પ્રથમ ભારતીય
- मसूर की दाल से प्राकृतिक गुलाबी निखार: शहनाज़ हुसैन के आसान और असरदार घरेलू फेस पैक
- સુરત પૂરથી ટેમ્પો ચાલકો-માલિકોને ભારે નુકસાન, રાહત પેકેજની માંગ ઉઠી
- નેપાળમાં બદમાશ હાથીએ 14 વર્ષમાં એક જ પરિવારના ચાર સભ્યોને માર્યા, 25 મોત માટે જવાબદાર
Author: garvigujrat
ભાદર નદીમાં ઠાલવ્યું ઝેરી કેમિકલ.રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા.ભાદર નદીમાં ઝેરી કેમિકલ ઠાલવતા સફેદ ફીણની ચાદર પથરાઈ, ખેતી અને પીવાના પાણી પર જાેખમ.રાજકોટ જિલ્લાની જીવાદોરી સમાન ભાદર નદી અત્યારે Pollution માફિયાઓના પાપે અંતિમ શ્વાસ લઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેતપુરના કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડાતા નદી પર સફેદ ફીણની ચાદર પથરાઈ ગઈ છે. દ્રશ્યો જાેતા એવું લાગે જાણે ભરશિયાળે બરફ વર્ષા થઈ હોય, પરંતુ આ કુદરતી સુંદરતા નથી, પણ ઉદ્યોગો દ્વારા ઠાલવવામાં આવેલું ઝેર છે. નવાઈની વાત તો એ છે કે જેતપુરમાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની કચેરી…
વિકાસના નામે ગુજરાત કનેક્શન વધાર્યાનો ઉદ્ધવ ઠાકરેનો આક્ષેપ.મુંબઈની ઓળખ ભૂંસવાનો પ્રયાસ થઈ રહ્યો છે: રાજ ઠાકરે.જમીન અને ભાષા એ જ તમારી ઓળખ છે, જાે એ જશે તો મરાઠી માણસનું અસ્તિત્વ ખતમ થઈ જશે.બૃહદ મુંબઈ મહા નગરપાલિકા (BMC)ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઠાકરે બંધુઓએ મરાઠી અસ્મિતાના નામે ફરી એકવાર રાજકીય મોરચો ખોલ્યો છે. લગભગ બે દાયકા પછી યોજાયેલી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની પ્રથમ સંયુક્ત રેલીમાં એ જ સૂર સાંભળવા મળ્યો કે, ‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરીને ગુજરાતને સોંપવાનું કાવતરું થઈ રહ્યું છે.’ મુંબઈમાં રવિવારે રાત્રે યોજાયેલી રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આક્રમક અંદામાં કહ્યું કે, ‘મુંબઈને મહારાષ્ટ્ર…
વૃદ્ધ માતા-પિતાના પક્ષમાં એક મહત્ત્વનો કાયદો.વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો ૧૦ ટકા સેલેરી કપાશે.પગારના ૧૦ ટકા સીધા તેમના માતા-પિતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે.તેલંગાણા સરકાર વૃદ્ધ માતા-પિતાના પક્ષમાં એક મહત્ત્વનો કાયદો લાવવા જઈ રહી છે. આ કાયદા હેઠળ વૃદ્ધ માતા-પિતાને તરછોડતા સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મુકવામાં આવશે. તેલંગાણા સરકાર એક એવો કાયદો બનાવવા જઈ રહી છે જે હેઠળ એવા સરકારી કર્મચારીઓના પગારમાંથી ૧૦ ટકા કાપ મૂકવામાં આવશે જેઓ પોતાના વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નથી રાખતા. આ પૈસા માતા-પિતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ સોમવારે કહ્યું કે, વૃદ્ધ માતા-પિતા દ્વારા તેમના પુત્રો સામે કરવામાં આવેલી ફરિયાદોને ગંભીરતાથી…
ઇમિગ્રેશન નીતિ હેઠળ રદ કરાયા વિઝા.અમેરિકાએ ૧૦૦૦૦૦ વિઝા કર્યા રદ, ૮,૦૦૦ વિદ્યાર્થીઓને ઝટકો.ટ્રમ્પ વહીવટીતંત્રે કાયદેસર અને ગેરકાયદેસર ઇમિગ્રેશન બંનેની તપાસ વધુ તીવ્ર બનાવી છે.અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે ૨૦૨૫ માં વિઝાને લઈને ભારત સહિત વિશ્વના ઘણા દેશોને મોટો ફટકો આપ્યો છે. અમેરિકન સરકારે ૨૦૨૫માં ૧૦૦૦૦૦ થી વધુ વિઝા રદ કર્યા હતા, જેમાં ૮,૦૦૦ વિદ્યાર્થી વિઝાનો સમાવેશ થાય છે. ૨૦૨૪ ની તુલનામાં અમેરિકન સરકારે ૨૦૨૫ માં ૪૦,૦૦૦થી બમણા વિઝા રદ કર્યા છે, જ્યારે અમેરિકન સરકારે ઇમિગ્રેશન નીતિની તપાસ બાદ આ ર્નિણય લીધો હતો, ત્યારે આ ર્નિણયની સૌથી વધુ અસર ભારતીયો પર પડી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્દેશ મુજબ ઇમિગ્રેશન નીતિ હેઠળ જાહેર કરાયેલા વિઝાનું…
સરકારનો મોટો ર્નિણય.હિમાચલ પ્રદેશમાં ગેરેજમાંથી રસ્તા પર આવશે વિન્ટેજ કાર.આ પગલાંથી માત્ર કારના શોખીન લોકોને જ નહીં, પરંતુ પ્રવાસન અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે.હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે, જેના કારણે વિન્ટેજ અને ક્લાસિક કારના શોખીન લોકોમાં ખુશી જાેવા મળી રહી છે. ૫૦ વર્ષથી વધુ જૂની કાર અને મોટરસાયકલો, જેમની ઇ.ઝ્ર. (રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ) સમાપ્ત થઈ ગઈ હતી, હવે ફરીથી નોંધણી કરાવીને રસ્તા પર ચલાવી શકાશે. નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. ઘણા લોકો પાસે એવી કાર છે જે વર્ષો પહેલાં તેમના પૂર્વજાે દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. સમય જતાં આ વાહનો…
તંત્રની કડક કાર્યવાહીની ચેતવણી.મહારાષ્ટ્રમાં ચૂંટણીને પગલે બાર અને વાઇન શોપ્સના શટર પડ્યા.આ આદેશનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના લાયસન્સ પણ રદ થઈ શકે છે.મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ વાઇન શોપ્સ, બાર, પરમિટ રૂમ અને રેસ્ટોરન્ટ્સ જ્યાં દારૂ પીરસવામાં આવે છે, તે તમામ ચાર દિવસ સુધી બંધ રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના લાયસન્સ પણ રદ થઈ શકે છે. પોલીસ અને એક્સાઈઝ વિભાગની ટીમો સતત પેટ્રોલિંગ કરશે જેથી ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવી શકાય. ચૂંટણી દરમિયાન મતદારોને લલચાવવા માટે ઘણીવાર દારૂનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. આ ઉપરાંત, દારૂના…
રખડતા શ્વાનોના આતંક હવે નહીં ચાલે.સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને શ્વાન પ્રેમીઓને લીધા આડેહાથ.જાે શ્વાન કરડવાથી કોઈનું મોત થશે અથવા કોઈ ઇજાગ્રસ્ત થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે અને સરકારે ભારે વળતર ચૂકવવું પડશે. દેશમાં રખડતા શ્વાનોના વધતા આતંક અને હુમલાની ઘટનાઓ પર Supreme Court એ આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાે શ્વાન કરડવાથી કોઈનું મોત થશે અથવા કોઈ ઇજાગ્રસ્ત થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે અને સરકારે ભારે વળતર ચૂકવવું પડશે.જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, જે લોકો રસ્તા…
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબીશનમાં ભાગ લઈ રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને વેગ આપવા માટે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસોની એવી ઝલક AAIના પેવેલિયનમાં મૂકવામાં આવી છે. યુવાપેઢી ભારતના એવિએશન ક્ષેત્રથી માહિતગાર થાય તેમ જ તેમાં રૂચી ધરાવતી થાય તે માટે ખાસ એવિએશનમાં કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યો છે. ખાસ કરીને એવિએશન ક્ષેત્રમાં જ્યાં 2014માં માત્ર 74 એરપોર્ટ કાર્યરત હતા…
સરકારે નિયમ કડક કર્યાં.ગુજરાતમાં ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો ઝડપાયા તો ૩૦ દિવસ સુધી નહીં છૂટે.એક વખત વાહન ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો ર્નિણય લેવાયો.રાજ્યભરમાં ખનિજનું ગેરકાયદે અથવા ઓવરલોડ વહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. એક વખત વાહન ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો ર્નિણય લેવાયો છે.વર્ષે ૨૦૨૫ પૂર્ણ થતાની સાથે નવુ વર્ષ ૨૦૨૬ બેસતાં જ પહેલા અઠવાડિયામાં ખનિજ વિભાગ દ્વારા મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી એમ હતું…
નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા આદેશ.ઈરાન પર અમેરિકાની આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક વેપાર પર ૨૫ ટકા ટેક્સ લાદવાની જાહેરાત.ઈરાન છેલ્લા કેટલાય અઠવાડિયાથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોની લપેટમાં છે. આ વિરોધ પ્રદર્શનો ૨૮ ડિસેમ્બરના રોજ વધતી જતી મોંઘવારીને કારણે શરૂ થયા હતા.ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે ઈમરજન્સી એલર્ટ જાહેર કરીને તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા કહ્યું છે. ઈરાનમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલા ભીષણ વિરોધ પ્રદર્શન બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૫૦૦થી વધારે લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ૨૫ ટકા ટેક્સ લાદવાની જાહેરાત કરી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



