- ગુજરાતમાં ફરી ‘વર્ક ફ્રોમ હોમ’ પર વિચારણા, ઈંધણ બચત માટે સરકાર એક્શનમાં
- RBI ગવર્નરની ચેતવણી : યુદ્ધ લાંબું ચાલશે તો ઈંધણના ભાવ વધવાની શક્યતા
- સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, તબિયત લથડતા રાહુલ-પ્રિયંકા પહોંચ્યા સાથે
- પીએમ મોદીની અપીલ બાદ પાટીલ સહિત મંત્રીઓએ પાયલોટિંગ કારનો ત્યાગ કર્યો
- સુપ્રીમ કોર્ટનું અવલોકન : હિન્દુત્વ જીવનશૈલી, શ્રદ્ધા માટે દીવો પ્રગટાવવો પણ પૂરતો
- ડેઈલી માર્કેટ રિપોર્ટ
- અંજનાદ્રી મંદિરમાં ૨.૫ કરોડના ‘સોનાના’ દાગીના નીકળ્યા તાંબાના, દાન પર વિવાદ
- પ્રજાને કરકસરની સલાહ, નેતાઓની ફિજુલખર્ચી પર સવાલ
Author: Garvi Gujarat
લયકી લયકા’નું શૂટિંગ દિલ્હીમાં શરૂઅભિનેત્રી રાશા થડાની અભય વર્મા સાથે રોમાન્સ કરશેવાયરલ થયેલા ચિત્રોમાં, બંને સ્ટાર્સ મસ્તી કરતા અને ક્યારેક એકબીજા સાથે રોમેન્ટિક પોઝ આપતા જાેવા મળે છેરાશા થડાની અને અભય વર્મા ટૂંક સમયમાં રૂપેરી પડદા પર સાથે જાેવા મળશે. આ યુવા ફિલ્મ સ્ટાર્સે તેમની આગામી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. રાશાએ સેટ પરથી સુંદર ફોટા શેર કર્યા છે.રવીના ટંડનની પુત્રી હવે તેના આગામી પ્રોજેક્ટ માટે તૈયાર છે. અભિનેત્રીએ તેના આગામી પ્રોજેક્ટ, લયકી લયકા” ના સેટ પરથી ઘણી તસવીરો ચાહકો સાથે શેર કરી છે. આ વાયરલ ફોટામાં, બંને યુવા બોલિવૂડ કલાકારો રોમેન્ટિક પોઝ આપતા જાેવા મળે છે. ચાહકો…
૯ના મોત, ૨૭થી વધુ લોકો ઈજાગ્રસ્તશ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટઆ પ્રચંડ બ્લાસ્ટને કારણે પોલીસ સ્ટેશનની ઈમારતને પણ મોટું નુકસાન થયું હતું અને ત્યાં આસપાસ ઊભેલા વાહનો પણ સળગી ગયા હતાદિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ હવે જમ્મુ-કાશ્મીરના દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન ખાતે શુક્રવારે રાતે એવી ઘટના બની જેની કલ્પના પણ નહોતી કરી. અહીં એક એવો પ્રચંડ બ્લાસ્ટ થયો કે જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને ધડાકાનો અવાજ લગભગ અનેક કિ.મી. સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટમાં ૯ લોકોના મોતના અહેવાલ છે. પોલીસ સ્ટેશનની ઈમારતને નુકસાન આ પ્રચંડ બ્લાસ્ટને કારણે પોલીસ સ્ટેશનની ઈમારતને પણ મોટું નુકસાન થયું હતું અને ત્યાં આસપાસ…
તબ્બુ છેલ્લે ગયા વર્ષે મોટા પડદા પર જાેવા મળી હતીફેશન શોમાં રેમ્પ પર તબ્બુની અજીબ ચાલ જાેઈ ફેન્સ નિરાશઅભિનેત્રીએ કોહલ અને ઘેરા લાલ લિપસ્ટિક સિવાય કોઈ ખાસ મેકઅપ કર્યો ન હતો, તેના વાળ પણ સ્લીક બનમાં હતાઅબુ જાની સંદીપ ખોસલાએ એક ભવ્ય ફેશન શોનું આયોજન કર્યું હતું. તબ્બુએ શોસ્ટોપર તરીકે રેમ્પ વોક કર્યું હતું. અભિનેત્રીના દેખાવ કરતાં વધુ, તેણીની બેડોળ ચાલ અને તેના ચહેરા પરની કરચલીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેનો મોડેલિંગ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. વિડીયો જાેયા પછી, લોકોએ ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. કેટલાકે અભિનેત્રીને વૃદ્ધ કહી, જ્યારે અન્ય લોકોએ કહ્યું કે તેણીની ચાલ વિચિત્ર હતી.…
માઇક્રોફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી નેટવર્ક (MFIN)’ (જે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા માન્યતા પ્રાપ્ત NBFC – MFI માટે રાષ્ટ્રીય સ્તરે એક ‘સ્વ-નિયમનકારી સંસ્થા’ છે) દ્વારા અમદાવાદ જિલ્લાના ચાંદખેડા ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા ધિરાણ લેનારાઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી અને આ પ્રસંગે શ્રી કિરણ કુમાર ચાવડા (એલડીએમ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ જિલ્લો), શ્રી અનિલ મોરથાના (નિર્દેશક, આર.ઇ.એસ.ટી.આઇ., અમદાવાદ જિલ્લો), શ્રી એમ. એન. ચાવડા (એ.સી.પી., ઇ.ઓ.ડબલ્યુ., અમદાવાદ પોલીસ), શ્રી ધૂલિયા (પી.આઈ., ઇ.ઓ.ડબલ્યુ., અમદાવાદ પોલીસ), શ્રી ઘનશ્યામ સિંહ મોરી (પી.એસ.આઇ., સાયબર સેલ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ), અને શ્રી દેવેન્દ્ર શાહપુરકર (ઉપાધ્યક્ષ, પશ્ચિમી ક્ષેત્ર, MFIN) એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું…
વડોદરા બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયોગઈ તા.૮મી ઓક્ટોબરે સયાજીગંજ પોલીસ દ્વારા વડોદરા એસટી ડેપો ખાતે વોચ રાખી આઠ કિલો ગાંજા સાથે ઓરિસ્સાના શંકર સરધાને ઝડપી પાડ્યો હતો. ખાનગી નોકરી કરતા ૨૧ વર્ષિય યુવકને ગાંજાની ડિલિવરી માટે તેને સારી એવી રકમની ઓફર કરીને સુબ્રતા નાગ દ્વારા સુરત મોકલવામાં આવ્યો હોવાની પોલીસને વિગતો મળી હતી. જેથી ગાંજાે મંગાવનાર સુરતના કેરિયરની પોલીસ તપાસ કરી રહી હતી. સયાજીગંજ પોલીસવાળા સુરતના મોસાલી ગામે વોચ રાખવામાં આવી હતી અને આખરે પોલીસથી બચવા ભાગી રહેલા મહંમદ અકરમ યાકુબભાઇ મલેકને ઝડપી પાડવામાં આવ્યો છે.
નજીકના જ વ્યક્તિએ હત્યા કરી હોવાની શંકાગાંધીનગરના રાયપુરમાં ગુમ થયેલી બાળકીની લાશ મળીપાડોશીએ દુષ્કર્મ આચરી ગળું દબાવી કરપીણ હત્યા કરી હોવાની આશંકા પર પોલીસ તપાસ કરી રહી છગાંધીનગરમાં બે દિવસથી ૧૦ વર્ષની ગુમ બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી આવી છે. પાડોશીએ દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકા પર પોલીસ તપાસ કરી રહી છે. શંકાસ્પદ શખસના બાળકના પણ બે અલગ અલગ સ્ટેટમેન્ટ પોલીસને મળ્યા છે, જેથી પોલીસે તપાસ તેજ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલા ગાંધીનગરના રાયપુર ગાના રામાપીરવાળા વાસ વિસ્તારમાંથી ૧૦ વર્ષની બાળકી ગુમ થઈ હતી. બાળકી બુધવારે ગુમ થઈ હતી. બાળકીના ગુમ થવા બાબતે ડભોડા…
બે મોટા શહેરો વચ્ચે દોડશે નવી લોકલ ટ્રેનઆજથી રાજકોટ-પોરબંદરની મુસાફરી માત્ર ૪૫ રૂપિયામાંમનસુખ માંડવિયાએ નવી લોકલ ટ્રેનને લીલી ઝંડી આપીસૌરાષ્ટ્રના બે મોટા શહેરોના નાગરિકોને રેલવેએ આજે મોટી ભેટ આપી છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો શરૂ કરાઈ છે. રાજકોટ-પોરબંદર લોકલ સ્પેશિયલ ટ્રેન યાત્રાનો આજથી શુભારંભ કરાયો છે. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, સાંસદ રામભાઈ મોકરિયા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાયો હતો. રાજકોટથી પોરબંદર વચ્ચે બે ટ્રેનોને લીલીઝંડી આપવામાં…
આ ઘટનામાં જાનહાનિ નહીંચેન્નઈ નજીક ટ્રેનિંગ સમયે વાયુસેનાનું વિમાન ક્રેશઅકસ્માતની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવીભારતીય વાયુસેનાનું એક પીસી-૭ પિલાટસ બેઝિક ટ્રેનર વિમાન શુક્રવારે નિયમિત તાલીમ ઉડાન દરમિયાન ચેન્નઈના તામ્બરમ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદભાગ્યે, પાયલટનો બચાવ થયો છે, તેથી કોઈ જાનહાનિના સમાચાર નથી. વાયુસેનાએ જણાવ્યું કે આ ઉડાન સામાન્ય તાલીમ મિશનનો એક ભાગ હતી. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (તપાસ કમિટી)ની રચના કરવામાં આવી છે, જે ઘટનાની વિગતવાર તપાસ કરશે. ઘટનાસ્થળે રાહત અને સુરક્ષા ટીમોને તાત્કાલિક મોકલવામાં આવી હતી. સ્થાનિક તંત્રએ પણ વાયુસેનાને મદદ કરી. આ અકસ્માત બાદ વાયુસેનાએ કહ્યું કે, ઉડાનોની સુરક્ષા તેમની સૌથી મોટી…
હેલ્થ ઈન્સ્યોરન્સ સસ્તા થશેસરકારે હોસ્પિટલો અને વીમા કંપનીઓને આપી સૂચનાસરકાર ઇચ્છે છે કે હોસ્પિટલો અને વીમા કંપનીઓ સસ્તી અને સુલભ આરોગ્ય સંભાળ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરેહાલમાં, દેશમાં ફક્ત થોડા લોકો પાસે જ આરોગ્ય વીમા કવરેજ છે. સરકાર વધુ લોકોને તેના કવરેજ હેઠળ લાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર ઇચ્છે છે કે હોસ્પિટલો અને વીમા કંપનીઓ સસ્તી અને સુલભ આરોગ્ય સંભાળ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરે. આ કારણે સરકારે હોસ્પિટલો અને વીમા કંપનીઓને આરોગ્ય વીમાને સસ્તું બનાવવા જણાવ્યું છે. દેશમાં આરોગ્ય વીમા કવરેજ ઓછું રહે છે. સરકાર વધુ લોકોને આરોગ્ય વીમા કવરેજ હેઠળ લાવવા…
લોકોએ અમારા વિઝનને જાેઈ અમને બહુમતી આપી : પીએમબિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની દમદાર જીતજનતાએ વિકાસના એજન્ડાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું : હું દરેક NDA કાર્યકર્તાનો આભાર માનું છું જેમણે અથાક મહેનત કરી છે : વડાપ્રધાનબિહારમાં ભાજપની પ્રચંત જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે કહ્યું, “આ સામાજિક ન્યાય અને જન કલ્યાણની ભાવનાની જીત છે. બિહારના મારા પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર, જેમણે ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં NDA ને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આર્શીવાદ આપ્યા છે. આ પ્રચંડ જનાદેશ અમને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



