Author: Garvi Gujarat

આજે વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં આદિજાતિ વિકાસ મંત્રી માંગણીઓ લઈને આવ્યા હતા તો એ ચર્ચામાં મેં ભાગ લીધો હતો. મેં આ દરમિયાન સરકારનું ધ્યાન દોર્યું કે ગુજરાતમાં 1 કરોડ 25 લાખ આદિવાસી લોકો વસી રહ્યા છે અને એમણે પોતાનો પરસેવો પાડીને ગુજરાતના વિકાસમાં યોગદાન આપ્યું છે પરંતુ જ્યારે બજેટની વાત આવી ત્યારે ફક્ત 5425 કરોડની આદિજાતિ વિકાસ ફંડની જોગવાઈ કરવામાં આવી છે, જે ખૂબ જ ઓછી છે. કેન્દ્રીય આયોજન પંચ એવું કહે છે કે 15 ટકા આદિજાતિ વસ્તી સામે 17.57 ટકા ફંડની જોગવાઈ હોવી જોઈએ એની જગ્યાએ ફક્ત…

Read More

ધુરંધર-૨ને પડશે ફટકો! મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે FA9LA સિંગર ફ્લિપરાચીનો શૉ ભારતમાં કેન્સલ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાની વિલન તરીકેની એન્ટ્રી સમયે બેકગ્રાઉન્ડમાં વાગતા FA9LA ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. બહેરીની રેપર ફ્લિપરાચી, જેણે ૨૦૨૫ની ફિલ્મ ‘ધુરંધર’ના ગીત હ્લટ્ઠ૯ઙ્મટ્ઠ દ્વારા ભારતમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે, તેણે તેના આગામી તમામ ભારતીય પર્ફાેર્મન્સ રદ કર્યા છે. ફ્લિપરાચી આગામી ૧૪-૧૫ માર્ચના રોજ બેંગલુરુમાં UN40 મ્યુઝિક એન્ડ બિયોન્ડ’ ફેસ્ટિવલમાં અને ૧૩ માર્ચે મુંબઈમાં એક ખાસ કાર્યક્રમમાં પરફોર્મ કરવાનો હતો. જાેકે, હાલમાં મિડલ ઈસ્ટ અને ખાસ કરીને બહેરીનમાં પ્રવર્તી રહેલી અસ્થિર પરિસ્થિતિને કારણે તેને મુસાફરી કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેના લીધે ભારતીય ચાહકોએ…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશભરમાં મંડરાઇ રહેલા એલપીજી ગેસ સંકટને લઈને પ્રધાનમંત્રી પર આકરા પ્રહાર કર્યા છે. તેના માટે પ્રધાનમંત્રીની ભૂલોને જવાબદાર ગણાવતા તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં એલપીજી ગેસની ભારે અછત છે. તેના કારણે એક કરોડથી વધુ લોકોના બેરોજગાર થવાનો ડર છે. મોદીજીએ ટ્રમ્પ આગળ દેશને અમેરિકાની કોલોની બનાવી દીધી છે. આખરે મોદીજીની આવી શું મજબૂરી છે? ટ્રમ્પના દબાણમાં મોદીજીને યુદ્ધ શરૂ થવાના એક દિવસ પહેલાં ઇઝરાયેલ જવાની શું જરૂર હતી? પ્રધાનમંત્રીએ જૂના મિત્ર ઇરાનને નારાજ કરીને સમગ્ર દેશને એલપીજી ગેસના ભારે સંકટમાં નાખી દીધો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારતની વિદેશ નીતિ હંમેશા નિરપેક્ષ રહી…

Read More

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ પોલીસ, જેલ અને કાયદા વિભાગની માંગણીઓને લઈને ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે મને મારા વિચારો રજૂ કરવાની તક મળી. ગુજરાતના સવા છ કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી ગૃહ વિભાગની છે અને આના માટે તેઓ શપથ પણ લે છે. આજે ગૃહ વિભાગમાં બે પ્રકારના અધિકારીઓ બની ગયા છે. એક અધિકારીઓ એવા છે જે પોતાના જીવના જોખમે પણ ગુજરાતના લોકોને સલામત રાખવાનું કામ કરે છે અને આવા અધિકારીઓને અમે સલામ કરીએ છીએ. પરંતુ બીજા પ્રકારના અધિકારીઓ નીતિ નિયમ અને કાયદા…

Read More

ગાંધીનગર ખાતે ચાલી રહેલી વિધાનસભાની પ્રશ્નોતરી દરમિયાન વિસાવદર મતવિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાના મતવિસ્તાર સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. ખાસ કરીને વિસાવદર વિસ્તારમાં કાશિયા નેસથી સાસણ સુધી જતા માર્ગના પ્રશ્નને લઈને તેમણે સરકારનું ધ્યાન દોર્યું હતું. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે કાશિયા નેસથી સાસણ સુધીનો માર્ગ ગીરના જંગલમાંથી પસાર થાય છે અને છેલ્લા લગભગ 20 વર્ષથી આ માર્ગનો પ્રશ્ન યથાવત રહ્યો છે. આ માર્ગ તાલાળા, મેંદરડા, વિસાવદર, ધારી તેમજ કાશિયા વિસ્તારના હજારો ખેડૂતો અને સ્થાનિક લોકોને સીધી અસર કરતો મહત્વનો માર્ગ છે. ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીનો ઉલ્લેખ કરતાં…

Read More

ગાંધીનગર વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન વિસાવદર મતવિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના મતવિસ્તાર સંબંધિત મહત્વના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ત્રણ જિલ્લાઓ જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના હજારો ખેડૂતો સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ સંસ્થા છે. આ બેંકમાંથી દર વર્ષે હજારો ખેડૂતો કરોડો રૂપિયાનું પાક ધિરાણ મેળવે છે. આવી સંસ્થાનો વહીવટ પારદર્શક અને પ્રામાણિક રીતે થવો અત્યંત જરૂરી છે. ધારાસભ્યએ જણાવ્યું કે તેમના ધ્યાનમાં આવ્યું છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મુદત ઘણાં સમય પહેલાં પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં બેંકના ચેરમેન અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હજુ પણ પદ પર રહીને બેંકનો…

Read More

ગાંધીનગર ખાતે ચાલી રહેલી વિધાનસભાની પ્રશ્નોતરી મામલે વાત કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ ગૃહની અંદર પોતાના ઠપકા પડેલા મુદ્દાઓ છુપાવવા માટે કેશુભાઈ પટેલની ઓથ લેવી પડી છે. જે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ અમારા પૂજ્ય બાપા કહી શકાય, વડીલ કહી શકાય, તેવા કેશુભાઈ પટેલને અપમાનિત કરીને અને સત્તામાંથી હટાવવાનું પાપ ભાજપના નેતાઓએ કર્યું હતું. જે કેશુભાઈ પટેલ રાજનીતિમાંથી બહાર નીકળી ગયા પછી અને આ દુનિયામાંથી વિદાય લીધા પછી એક પણ વખત તેમના નામે ભાજપે કોઈ યોજના શરૂ કરી નથી. કેશુભાઈનું કોઈ પુતળું પણ મૂક્યું નથી, તેમના નામનો ઉલ્લેખ પણ ભાગ્યે જ થાય છે અને ભાજપના…

Read More

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરીને આજે ગુજરાતની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાર્ટી તમામ સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. આ બાબતે આમ આદમી પાર્ટીની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગત 10મી માર્ચથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની સીટો માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં દાવેદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ…

Read More

ટીટાગઢની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે આ તમામ ટ્રેનોનું નિર્માણ કોલકાતા સ્થિત ટીટાગઢની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં મેટ્રો રેલ કનેક્ટિવિટીને વધુ વેગ આપવા માટે સરકારે કુલ ૩૪ અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડરમાં અમદાવાદ મેટ્રો ફેઝ-૨ માટે ૧૦ અને સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે ૨૪ ટ્રેનસેટ્સનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનોનું નિર્માણ કોલકાતા સ્થિત ટીટાગઢની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મેટ્રો ફેઝ-૨ હેઠળ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ૬૮.૨ કિ.મી.નું નેટવર્ક કાર્યરત છે, જેમાં હાલ ૩૨ ટ્રેનસેટ્સ દ્વારા સેવા આપવામાં આવે છે. હવે…

Read More

જીવદયા પ્રેમીઓએ ન્યાય માટે રેલી યોજી ખેરાલુમાં અબોલ જીવો પર એસિડ ફેકાયું, દાઝેલા પશુઓની હાલત હજુ પણ નાજુક જીવદયા પ્રેમીઓએ આ અમાનવીય કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં લેવા માંગ કરી છે ખેરાલુમાં માનવતાને શરમાવતી એક ક્રૂર ઘટના સામે આવી છે. શહેરમાં અજાણ્યા શખ્સોએ એક ગાય અને એક આખલા પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને કારણે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.માહિતી મુજબ ૭ માર્ચ ૨૦૨૬ના રોજ કોઈ અજાણ્યા અને ક્રૂર શખ્સો દ્વારા એક ગાય અને એક આખલા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. એસિડના કારણે બંને અબોલ જીવો ગંભીર રીતે દાઝી…

Read More