- 2027ની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ફ્રન્ટલ સંગઠનોને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો
- ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે તિરુમલા મંદિરે પહોંચ્યા હાર્દિક પંડ્યા, વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા
- નશા મુક્ત યુવા-વિકસિત ભારત અભિયાનનો પ્રારંભ: વડાપ્રધાન મોદીએ 1 કરોડથી વધુ યુવાઓને સંકલ્પ લેવડાવ્યો
- શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા: વડનગરના સાંસ્કૃતિક વૈભવને વૈશ્વિક ઓળખ અપાવવાની અનોખી તક
- લોકશાહીમાં સરકારનો વિરોધ ગુનો નથી: અભિવ્યક્તિની સ્વતંત્રતા અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ
- નીરજ ચોપડાનો મહારેકોર્ડ, કોમનવેલ્થમાં જેવલિનના 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
- IRCTCની FTR સેવા શરૂ: લગ્ન, પ્રવાસ કે યાત્રા માટે હવે આખો કોચ અથવા ટ્રેન ભાડે બુક કરો
- પાકિસ્તાનમાં ‘કોકરોચ પાર્ટી’થી સરકાર ચિંતિત, Gen Zના અભિયાનથી રાજકારણમાં ખળભળાટ
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકામાં મહાનગરપાલિકાના અધિકારીઓના અણધડ વહીવટને કારણે સુરત શહેર રોગચાળાની ભીતિ સેવી રહેલ છે. તા.૦૬/૦૭/૨૦૨૬ અને ૦૭/૦૭/૨૦૨૬ ના રોજ પડેલ ભારે વરસાદને કારણે સુરત શહેરનો કોઈ વિસ્તાર પાણી ભરાવાથી બાકી રહેલ નથી અને બે દિવસના સતત વરસાદના કારણે પાણી ભરાઈ રહેવાથી કાદવ કીચડ જામી ગયેલ તેમજ સમયસર સફાઈ કામગીરી નહીં થતાં શહેર માટે વિકટ સમસ્યા ઊભી થયેલ છે. અને સુરત મહાનગરપાલિકાએ પ્રથમવાર બહારથી કર્મચારીઓને બોલાવવાની ફરજ પડેલ છે. સુરત મહાનગરપાલિકામાં ૭૦૦૦ જેટલા સફાઈ કામદાર, બેલદારોની જગ્યા ખાલી છે. એ જગ્યાઓ સમયસર ભરવામાં આવી હોત તો સુરત મહાનગરપાલિકાએ બહારથી કર્મચારીઓને બોલાવવાની નોબત ના આવત. …
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેરમાં હાલના કલેક્ટર કે સને ૨૦૦૦ ના વર્ષથી ફરજ બજાવી ગયેલા કલેક્ટરોએ શહેરહિતમાં કયારેય પણ શહેરની દિશા કે દશા અંગે વિચારેલ નથી. સુરત શહેરમાં દર વર્ષે પાણીની રેલ આવે છે. પરંતુ આ દિશામાં કોઈ અધિકારી કે શહેરના કોઈ મોટા રાજકારણીએ આ અંગે ક્યારેય પણ વિચાર્યું નથી. સુરત શહેરની વાત કરીએતો સુરત શહેરમાંથી ખાડીઓ પસાર થાય છે અને આ ખાડીઓમા દર વર્ષે પૂર આવે છે. આ પૂર પાછળનું મુખ્ય કારણ ખાડીઓના બંને બાજુના ગેરકાયદેસરના બાંધકામોથી થયેલા દબાણો જેના કારણે ખાડીઓના પ્રવાહ પર માઠી અસર થાય છે આને પ્રવાહ અવરોધાતા એ પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાય છે. એના…
આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે ભાજપ સરકારની નવી કપાસ યોજના પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જ્યારે જનતાના હિત કરતા નેતાઓનું પોતાનું હિત વહાલું હોય, ત્યારે પ્રજાના પૈસા કઈ રીતે સગેવગે કરવા તેના માટે આવી ગેરવ્યાજબી યોજનાઓ અમલમાં લાવવામાં આવે છે. બહારથી એવું લાગે કે આ યોજના જનતાના હિત માટે છે, પણ પડદા પાછળ નેતાઓ અને તેમના મળતિયાઓનું હિત સચવાતું હોય છે. તાજેતરમાં સરકાર દ્વારા ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ એટલે કે ‘કપાસ ક્રાંતિ મિશન’ અંતર્ગત ₹૧૩૪ કરોડ ફાળવવાની જે જાહેરાત કરવામાં આવી છે, તે વાસ્તવમાં ખેડૂતોની ક્રાંતિ માટે નથી, પણ ભાજપના નેતાઓની ક્રાંતિ માટે છે.…
महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी के पूर्व सदस्य, अखिल भारतीय साहित्य परिषद के राष्ट्रीय उपाध्यक्ष और मुंबई के वरिष्ठ साहित्यकार डाॅ. दिनेश प्रताप सिंह को लखनऊ में कृष्ण प्रताप सिंह स्मृति राष्ट्रीय सम्मान प्रदान किया गया है। लखनऊ के गोमतीनगर स्थित सी.एम.एस. सभागार में आयोजित भव्य समारोह में उत्तर प्रदेश विधान परिषद के सभापति कुँवर मानवेंद्र सिंह द्वारा उन्हें सम्मानित किया गया। दिनेश प्रताप सिंह को यह सम्मान भारतीय संस्कृति और लोक परम्परा के क्षेत्र में साहित्य सृजन के माध्यम से उनके विशिष्ट योगदान के लिए दिया गया है। इस अवसर पर दिनेश प्रताप सिंह के साथ ही समाजसेवा, चिकित्सा,…
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત અંદાજે ૧.૨૫ કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત રૂ. ૪૦૫ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સાયન્સ સિટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ ૧૦૧ ઑક્સિજન પાર્ક તથા ૧૫૫ એસી ઈલેક્ટ્રિક BRTS-AMTS બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અમદાવાદ શહેરમાં પર્યાવરણના સંરક્ષણ અને પૃથ્વીના સંવર્ધન માટે…
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં “સંગઠન સંકલ્પ અભિયાન” અંતર્ગત આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ સંગઠન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, ગુજરાત સહપ્રભારી ગૌરવ શર્મા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી પુષ્પેન્દ્ર ભારદ્વાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર સહિત જિલ્લાના અને વિધાનસભાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી આગેવાનો જીવાભાઈ આંબલીયા (પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, પૂર્વ તાલુકા પ્રમુખ કોંગ્રેસ અને આહીર સમાજના આગેવાન), પરબતભાઈ હડિયલ (પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કોંગ્રેસ તથા સતવારા સમાજના આગેવાન) અને ભરતભાઈ નકુમ (મોવાણ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર તથા સતવારા સમાજના યુવા આગેવાન)એ કોંગ્રેસનો ત્યાગ કરીને વિધિવત્ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ…
અમારો અને ભારતનો DNA એક છે : અફઘાન મંત્રી અફઘાનિસ્તાનના કૃષિ મંત્રી અતાઉલ્લાહ ઓમારીએ ભારતની મુલાકાત લીધી તેમણે કૃષિ ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ અને સિંચાઈ ક્ષેત્રે ભારતીય રોકાણની અપીલ કરી : ૮૦% અફઘાન સમાજ કૃષિ પર ર્નિભર પાકિસ્તાન સાથે સતત બગડતા સંબંધોની વચ્ચે અફઘાનિસ્તાને ભારત સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત કરવાના સંકેત આપ્યા છે. ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના કૃષિ, સિંચાઈ અને પશુપાલન મંત્રી મૌલવી અતાઉલ્લાહ ઓમારીએ બંને દેશોના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ખુલીને પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારત અને અફઘાનિસ્તાનનો ડીએનએ એક છે. ભારત આવીને એવું લાગ્યું જાણે, હું મારા જ દેશ અને મારા જ લોકો વચ્ચે છું. નવી દિલ્હીમાં…
સચિન તેંડુલકર અને વિરાટ-રોહિતને પાછળ છોડ્યા બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ તેમણે પહેલી ઇનિંગમાં ૫૮ રન બનાવ્યા, જેનાથી તેઓ લોર્ડ્સ મેદાન પર ત્રણેય ફોર્મેટમાં ફિફ્ટી લગાવનારી પહેલી ભારતીય ક્રિકેટર બની લોર્ડ્સ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ આ મેદાન પર ઇતિહાસની પહેલી ટેસ્ટ મેચ છે, જેના પર ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ઇતિહાસ રચી દીધો છે. તેમણે પહેલી ઇનિંગમાં ૫૮ રન બનાવ્યા, જેનાથી તેઓ લોર્ડ્સ મેદાન પર ત્રણેય ફોર્મેટમાં ફિફ્ટી લગાવનારી પહેલી ભારતીય ક્રિકેટર બની ગઈ છે. પુરૂષ કે મહિલા ક્રિકેટમાં અત્યાર સુધી કોઈ ભારતીય લોર્ડ્સ મેદાન પર રમતા ત્રણેય ફોર્મેટમાં અર્ધશતક લગાવી શક્યું…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. કેન્દ્ર સરકારના જ નીતિ આયોગ નો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં દરરોજ ૨૫ સ્કૂલો બંધ થઈ રહી છે. જ્યારે ૧૦ વર્ષમાં ૯૪૦૦૦ સરકારી સ્કૂલોને લાગી ગયા છે તાળા. જ્યારે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૪૦૦૦૦ શાળાઓ બંધ થઈ અને એને કારણે ૨૨૬ કરોડ વિદ્યાર્થીઓએ એડમિશન ગુમાવ્યા. નીતિ આયોગ દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા અંગે તાજેતરમાં જાહેર કરવામાં આવેલો એક અહેવાલ ભારે ચોંકાવનારો છે. સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પોરલ એનાલિસિસ એન્ડ પોલીસી રોડ મેપ ફોર ક્વોલિટી એન હાંસમેન્ટ શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા ૧૦ વર્ષમાં…
રશિયન ઓઈલ ખરીદવું પડશે ભારે? ભારત પર તોળાઈ રહ્યું છે ૫૦૦% ટેરિફનું સૌથી મોટું જાેખમ! અમેરિકા રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરનારા દેશો પર જાેરદાર લગામ કસવાની તૈયારી કરી રહ્યું છે ફેબ્રુઆરીના અંતમાં મિડલ ઈસ્ટમાં યુદ્ધ છેડાયું અને ત્યારથી લઈને અત્યાર સુધી વાતાવરણ તંગ રહ્યું છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવ વચ્ચે ભારતની મુશ્કેલીઓ ફરીથી એકવાર વધી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો પડી ભાગ્યા બાદ હવે ફરી એકવાર યુદ્ધના નગારા વાગ્યા છે. ક્રૂડ ઓઈલ ઉછાળા મારી રહ્યું છે. આ બધા વચ્ચે રશિયાથી ઓઈલની ખરીદી પર અમેરિકાના નવા સેન્શન્સ બિલની ચર્ચાએ ભારત જેવા દેશોની ચિંતા વધારી છે. રશિયાથી ઓઈલ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



