- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
- Betify Casino en Ligne | Jouez sur Betify avec 1000 €
Author: garvigujrat
પશ્ચિમ બંગાળમાં ૨ દિવસમાં બીજાે મોટો અગ્નિકાંડ કોલકાતાની હોટલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતાં ૯ બાંગ્લાદેશી નાગરિકોના મોત ભોગ બનનાર તમામ લોકો મેડિકલ સારવાર કરાવવા માટે કોલકાતા આવ્યા હતા અને આ હોટલમાં રોકાયા હતા પાટનગર કોલકાતામાં મંગળવારે મોડી રાત્રે ૨ વાગ્યે એક હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અગ્નિકાંડમાં ૯ બાંગ્લાદેશી નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર તમામ લોકો મેડિકલ સારવાર કરાવવા માટે કોલકાતા આવ્યા હતા અને આ હોટલમાં રોકાયા હતા.ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓ મુજબ, હોટલમાં આ આગ મંગળવારે મોડી રાત્રે આશરે ૨ વાગ્યાની…
ઝોયા અને રીમા કાગતીનું સહલેખન હશે જિંદગી ના મિલેગી દોબારા ટુ બની રહી હોવાનું કન્ફર્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મનું નિર્માણ એક્સલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ૪૫ કરોડ રૂપિયાના બજેટમાં કરવામાં આવ્યું હતું ૨૦૧૧માં આવેલી હૃતિક, અભય દેઓલ તથા ફરહાન અખ્તર અને કેટરિના કૈફની હીટ ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મને પદર વર્ષ થયા તે નિમિત્તે એક ફિલ્મોત્સવમાં વાત કરતાં ઝોયા અખ્તરે ફિલ્મની સિક્વલ આવી રહી હોવાનું જણાવ્યું હતું.ઝોયાએ જણાવ્યું હતું કે તે રીમા કાગતી સાથે મળી આ સિક્વલની સ્ટોરી ડેવલપ કરી રહી છે. જાેકે, ઝોયાએ કાસ્ટિંગ કે પછી શૂટિંગ શિડયૂલ વિશે હાલ કોઈ માહિતી આપી નથી. ઝોયાએ જણાવ્યું હતું કે ફિલ્મના…
ઓવરસીઝમાં પણ કમાણી મર્યાદિત ‘બટવારા ૧૯૪૭’ બોક્સ ઓફિસ ખાસ કમાલ કરી શકી નહીં બોક્સ ઓફિસ કલેક્શનમાં ત્રીજા દિવસે મોટો ઘટાડો, ઓપનિંગ વીકએન્ડમાં ૩૭.૧૧ કરોડની કમાણી સની દેઓલની પિરિયડ ડ્રામા ‘બટવારા ૧૯૪૭’ માટે ઓપનિંગ વીકએન્ડ અપેક્ષા મુજબનું રહ્યું નથી. સ્વતંત્રતા દિવસના અવસર પર બીજા દિવસે કલેક્શનમાં જાેરદાર ઉછાળો મળ્યા બાદ ફિલ્મની કમાણીમાં ત્રીજા દિવસે ફરી મોટો ઘટાડો નોંધાયો છે.ટ્રેડ ટ્રેકર સેકનિકના આંકડા અનુસાર, ફિલ્મે ત્રીજા દિવસે ભારતમાં અંદાજે ૭.૨૫ કરોડ અંદાજિતની કમાણી કરી છે. આ સાથે ત્રણ દિવસની ભારતની કુલ કમાણી આશરે ૩૧.૬૧ કરોડ થઈ છે. રવિવારે ફિલ્મે ૭,૨૩૯ શોમાં આશરે ૨૨ ટકા હાજરી નોંધાઈ હતી.બીજા દિવસે ફિલ્મે ૧૩.૫૦ કરોડની કમાણી…
‘બાર્બી’એ વિશ્વભરમાં ૧.૪ બિલિયન ડૉલરની કમાણી કરી હતી ‘Barbie 2’નું ભવિષ્ય અનિશ્ચિત, વોર્નર બ્રધર્સ અને સર્જકો પાસે બજેટની કમી રાયન ગોસ્લિંગે કેનના પોતાના ઓસ્કર-નોમિનેટેડ પાત્રને ફરી ભજવવા માટે ૨૦ મિલિયન ડૉલરની માગણી કરી ૨૦૨૩ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાર્બી’ની સિક્વલ બનશે કે નહીં તે અંગે હવે સવાલો ઊભા થયા છે. ફિલ્મનાં સંભવિત બીજા ભાગને લઈને વોર્નર બ્રધર્સ અને ફિલ્મની ક્રિએટિવ ટીમ વચ્ચે વળતરની રકમને લઈને વાટાઘાટો અટકી ગઈ હોવાનું સામે આવ્યું છે. સ્થિતિ નહીં સુધરે તો પ્રોજેક્ટને હાલ પુરતો પડતો મુકવામાં આવી શકે છે.આ અંગેના અહેવાલો અનુસાર, ફિલ્મનાં ડિરેક્ટર ગ્રેટા ગર્વિગ, સહ-લેખક નોઆ બોમ્બાક, લીડ એક્ટ્રેસ અને પ્રોડ્યુસર માર્ગાેટ રોબી તથા લીડ…
રાની મુખર્જીની કારકિર્દીમાં વધુ એક પ્રતિષ્ઠિત સિદ્ધિ ઉમેરાઈ રાની મુખર્જીને લા ટ્રોબ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ ડિગ્રી એનાયત રાનીએ સામાજિક મુદ્દાઓ, મહિલા સશક્તિકરણ અને મહત્વના માનવીય પ્રશ્નોને ઉજાગર કરતી અનેક ફિલ્મો પસંદ કરી રાની મુખર્જીની કારકિર્દીમાં વધુ એક પ્રતિષ્ઠિત સિદ્ધિ ઉમેરાઈ છે. લા ટ્રોબ યુનિવર્સિટીએ તેને માનદ ડૉક્ટર ઑફ લેટર્સની પદવીથી સન્માનિત કરી છે. આ સાથે રાની મુખર્જી ઓસ્ટ્રેલિયાની આ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ મેળવનારી શાહરુખ ખાન બાદ બીજી ભારતીય ફિલ્મી હસ્તી બની છે.આ સન્માન રાની મુખર્જીની ભારતીય સિનેમામાં લગભગ ત્રણ દાયકાની સફર તેમજ માનવતાવાદી ક્ષેત્રે તેનાં યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. પોતાની કારકિર્દી દરમિયાન તેણે સામાજિક મુદ્દાઓ, મહિલા…
Dedicated Freight Corridor Corporation of India Limited (DFCCIL) has commenced the Joint Parcel Product – Rapid Cargo Service (JPP–RCS) on the Western Dedicated Freight Corridor (WDFC), marking an important step towards strengthening rail-based parcel logistics and providing faster, reliable and scheduled transportation solutions for cargo transportation. The service was launched by Dr. Manoj Singh, Member (Operations & Business Development), Railway Board, in the august presence of Shri Praveen Kumar, Managing Director, DFCCIL; Shri Deepak Jha, Adviser (Commercial), Railway Board; Shri Shyam Sundar Gupta, Principal Executive Director (Infrastructure), Railway Board; and Shri Navin Kumar Parsuramka, Principal Executive Director (Coaching), Railway Board.…
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, તાજેતરમાં અંકલેશ્વર ખાતે પણ ખેડૂતોએ પાવર ગ્રીડ લાઇન એટલે કે વીજ લાઇનના પોલને લઈને ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે. ખેડૂતોએ આ મુદ્દે વિશાળ ટ્રેક્ટર રેલી કાઢી હતી અને જ્યારે તેઓ રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા રોકવામાં આવતાં આખો હાઇવે ચક્કાજામ થઈ ગયો હતો. ટ્રાફિક જામ થવાને કારણે કલાકો સુધી આખો હાઇવે બ્લોક રહ્યો હતો. હવે સરકારે આ બાબત ગંભીરતાથી સમજવાની જરૂર છે, કારણ કે સમગ્ર ગુજરાતના ખૂણે-ખૂણેથી ખેડૂતોનો એક જ અવાજ ઊઠી રહ્યો છે કે વીજ લાઇન માટે સરકારે જે કાગળો અને વળતર…
ચેરમેનના રાજીનામા બાદ સંકટની સ્થિતિ સર્જાઈ ટાટા સન્સના ૧૦૮ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર AGM રદ ટ્રસ્ટ પ્રતિનિધિની ગેરહાજરીએ કોરમને અસર કરી હતી એન ચંદ્રશેખરન ફેબ્રુઆરી સુધી ચેરમેન પદે રહેશે ટાટા સન્સની એન્યુઅલ જનરલ મીટિંગ એટલે કે AGM મંગળવારે કોરમ પૂર્ણ ન થવાને કારણે મુલતવી રાખવામાં આવી છે. પહેલાથી જ AGM મુલતવી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે બેઠકમાં જરૂરી સંખ્યામાં સભ્યો હાજર ન હતા, જેના લીધે એજીએમ આગળ વધારવી પડી. મોટી વાત એ છે કે છેલ્લા ૧૦૦ વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે ટાટા સન્સે AGM મુલતવી રાખવાનો ર્નિણય લીધો હોય. આ AGM બપોરે ૨:૩૦ વાગ્યે…
હુમલાખોરે લાઇવ સ્ટ્રીમિંગ કર્યુ હોવાની શંકા ઝામ્બોઆંગાની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યુ ફાયરિંગ સાતમા ધોરણના બે હથિયારધારી વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી લીધી મંગળવારે દક્ષિણ ફિલિપાઇન્સના ઝામ્બોઆંગા શહેરની એક હાઇ સ્કૂલમાં ગોળીબારની ભયાનક ઘટના સામે આવી છે. એટેનિયો ડી ઝામ્બોઆંગા યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હાઇસ્કૂલ વિભાગમાં સાતમાં ધોરણના એક વિદ્યાર્થીએ બે બંદૂકો સાથે અચાનક હુમલો કરી દીધો હતો. આ ગોળીબારમાં એક સાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જ્યારે હુમલાખોરે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે, જેને લઈને સમગ્ર શાળા પરિસરમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક મેયર ખૈમર અદાન ઓલાસોના જણાવ્યા…
અમદાવાદમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સોલામાં ભુવાએ ૧૫ વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ આરોપી ચંદ્રેશ પંચાલે પીડિતા સાથેની અંગત તસવીરો વોટ્સએપ પર વાઈરલ કરતાં સમગ્ર કરતૂત સામે આવ્યું અમદાવાદના સોલા વિસ્તારમાં અંધશ્રદ્ધાને કારણે એક યુવતી ભોગ બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારે પોતાની બીમાર દીકરીને મેલી વિદ્યામાંથી મુક્ત કરવાના આશાયે ઘરે બોલાવેલા ભુવાએ વિધિના બહાને યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ચંદ્રેશ પંચાલે પીડિતા સાથેની અંગત તસવીરો વોટ્સએપ પર વાઈરલ કરતાં આ સમગ્ર કરતૂત સામે આવ્યું છે, જેના આધારે સોલા પોલીસે ચંદ્રેશ પંચાલની ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.સોલા પોલીસ સ્ટેશનના જણાવ્યાનુસાર, પરિવારે પોતાની બીમાર દીકરીને સાજી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


