Author: garvigujrat

જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMS પેપર લીક બાબતે જામનગર ખાતે આમ આદમી પાર્ટીની છાત્ર વિંગ ASAP ના વિદ્યાર્થી નેતાઓએ અને આગેવાનોએ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં ઉગ્ર રજૂઆત કરી હતી અને જો આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પાઠવી હતી. AAP છાત્ર વિંગ ASAP આગેવાને જણાવ્યું હતું કે, તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીકની ઘટનાને લઈને દેશ અને ગુજરાતના લાખો યુવાનોએ આંદોલન કર્યું હતું. આ આંદોલનના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું અને ભાજપ સરકારે ભવિષ્યમાં સિસ્ટમ સુધારવા તથા કડક કાયદા બનાવવાની જાહેરાત કરી હતી. હજુ તો આ વાત લોકોના…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપના સાંસદ કંગના રનૌતે આપણા દેશના GenZ ને ગટર કહ્યા છે, આ તો હદ થઈ ગઈ. તમારા લોકોએ પેપર પડ્યું, તમારે સત્તા ભોગવવી છે, તમારે યુવાનો પર લાઠીચાર્જ કરાવવો છે અને બીજી બાજુ નીટના પેપર લીક થવાથી લોકોની જિંદગીઓ બરબાદ થઈ ગઈ, અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી અને પોતાની જિંદગી ખોઈ દીધી. આ બધું તમારા કારણે થયું છે અને જ્યારે GenZ યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે અને શિક્ષણ મંત્રીના રાજીનામા માટે રસ્તા પર ઉતરે છે, ત્યારે તમને એ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ‘ભારતીય પત્રકાર સંરક્ષા સમિતિ’ દ્વારા આયોજિત રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે પત્રકારોની સરખામણી દેશના સૈનિકો સાથે કરતા જણાવ્યું કે, જે રીતે આર્મીના જવાનો કોઈ પણ સ્વાર્થ વગર દેશની સરહદો અને સુરક્ષા માટે લડે છે, તેવી જ રીતે પત્રકારો પણ સમાજમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, ગુંડા તત્વો, ભ્રષ્ટ રાજનેતાઓ અને અધિકારીઓ સામે પોતાનો પત્રકારત્વનો ધર્મ નિભાવતા નીડરતાથી લડે છે. આ સત્ય ઉજાગર કરવાની પ્રક્રિયામાં વારંવાર પત્રકારો પર ખોટા કેસો કરવામાં આવે છે, તેમને ડરાવવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે અને ઘણીવાર તો પત્રકારોની હત્યા પણ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ ઉપપ્રમુખ રામ ધડુક અને પ્રદેશ સંગઠન મંત્રી તથા ’આપ’ કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ સુરત ખાતે એક મહત્વની પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદને સંબોધતા ’આપ’ નેતા પ્રવીણ રામે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની અત્યંત ભયજનક સ્થિતિ સર્જાઈ છે. પ્રી-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાને કારણે અને સરકારની નિષ્ફળતા તેમજ અણઆવડતને લીધે 50 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. વલસાડની મુલાકાત દરમિયાન તેમણે ગીતાબેન નામના એક ગરીબ મહિલાની આપવીતી વર્ણવી, જેમણે…

Read More

આપણા મગજના તરંગો એઆઈનો ડેટા સોર્સ બનશે રોબોટ્સને માણસો જેવા બનાવવા માટે બ્રેઈન વેવ ડેટાનો ઉપયોગ કરાશે ફિઝિકલ એઆઈને શીખવવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા વીડિયો ડેટાની જરૂરિયાત ઘટાડશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને ટ્રેનિંગ આપવા માટે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ લખાણ, તસવીરો અને વીડિયોનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે, રોબોટ્સ અને રીયલ વર્લ્ડમાં કામ કરી શકે તેવી ફિઝિકલ એઆઈ સિસ્ટમ બનાવવા માટે માણસના બ્રેઈન વેવ્સનો ઉપયોગ કરાશે. જાણકારોના મતે, ભવિષ્યમાં બ્રેઈન વેવ ડેટા રોબોટ્સને માણસના ર્નિણયોને સમજવામાં મદદ કરશે.ફિઝિકલ એઆઈ એટલે એવા એઆઈ મોડલ્સ કે જે માત્ર સવાલોના જવાબ નથી આપતા. પરંતુ, રોબોટ્સ, ઓટોનોમસ મશીન્સ અને અન્ય ઈન્સ્ટ્રુમેન્ટ્સને વાસ્તવિક દુનિયામાં કામ કરવાનું શીખવે…

Read More

બિહાર-આસામમાં નોંધાયેલી FIR પાછી ખેંચવાનો ર્નિણય કોકરોચ જનતા પાર્ટીની આંદોલનની ચીમકી બાદ ફરી ઝૂકી સરકાર કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મોડી રાત્રે ૧ વાગ્યે એક પોસ્ટ શેર કરીને આ સમગ્ર બાબતની જાણકારી આપી હતી વિદ્યાર્થીઓ અને યુવા આંદોલનકારીઓના સતત વિરોધ પ્રદર્શન બાદ આખરે સરકારી સ્તરે મોટો ઉકેલ આવતો દેખાઈ રહ્યો છે. મોડી રાત્રે સરકારી પ્રતિનિધિઓ અને આંદોલનનું નેતૃત્વ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દિલ્હી પોલીસના મધ્યસ્થી અધિકારીઓ સાથે ચાલેલી લાંબી ચર્ચા બાદ બિહાર અને અસમ સરકારે આ અંગે…

Read More

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદ અને સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી અનેક શહેરો અને ગામો પાણીમાં ગરકાવ થયા છે, હજારો પરિવારો બેઘર બન્યા છે, ખેતીને ભારે નુકસાન થયું છે, જ્યારે દુકાનો અને ફેક્ટરીઓમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેમજ જાહેર સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. મીડિયા અહેવાલો મુજબ આ કુદરતી આફતમાં રાજ્યમાં 56થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો હજુ પણ લાપતા છે. આવી અત્યંત દુઃખદ અને ગંભીર પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત અને યોગ્ય વળતર પહોંચાડવું રાજ્ય સરકારની પ્રથમ…

Read More

આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના છોટાઉદેપુર જિલ્લાના માનુકલા ગામના પ્રવાસ મુદ્દે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રી તરીકે તમે અમારા ટ્રાઇબલ (આદિવાસી) વિસ્તારમાં આવ્યા તે આવકારદાયક છે, પરંતુ કન્ટેનર શાળાના ઉદ્ઘાટન માટે જતાં રસ્તા એટલા બિસ્માર હતા કે તમારી પોતાની કાર પણ જઈ શકી નહોતી. તમારે છેલ્લા ૬ કિલોમીટર સુધી મામલતદારની ગાડીમાં બેસીને જવું પડ્યું, જે ખુબ જ શરમજનક બાબત છે. છેલ્લાં ૩૦-૩૫ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ’ના દાવા કરે છે, તો શું આદિવાસી વિસ્તારમાં બિસ્માર…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ) સુરત. ભારતમાં હવે નવા ઓનલાઈન આંદોલનની જાણે કે શરૂઆત થઈ રહી હોય એમ CJP આંદોલન પછી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો વિરોધ જેનું સીધું નિશાન છે પરિવહન મંત્રી નિતિન ગડકરી. “કોકરોચ જનતા પાર્ટી” ના નેતૃત્વમાં મોટા પાયે થયેલા વિરોધ પ્રદર્શનો બાદ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી “E20 જનતા પાર્ટી” (EJP) નામનું એક નવું ઓનલાઈન આંદોલન આકાર લેવાનું શરૂ થયું. એમાં ઇથેનોલ મિશ્રિત ઈંધણ અને દેશની ખરાબ રસ્તાની સ્થિતિને લઈને કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરીને હટાવવાની અને રાષ્ટ્રીય ઈંધણ નીતિમાં પારદર્શિતાની માંગણી કરી છે. એકસ(x) પરની એક પોસ્ટમાં , સંગઠને જણાવ્યુ…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ) સુરત. દેશ ભરમાં સતત થઈ રહેલા ગટર અને સેપ્ટિકટેન્કની સફાઈ દરમ્યાન થતાં સફાઈ કર્મચારીઓના મોત અંગે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ ના મુખ્ય સચિવોને શો- કોઝ નોટિસો પાઠવી છે. અને પૂછ્યું છે કે, આદેશોનું પાલન ન કરવા બદલ તેમની સામે સુઓમોટો અદાલતી અવમાનના (કન્ટેમ્પ ઓફ કોર્ટ) ની કાર્યવાહી શા માટે ન કરવામાં આવે? સુપ્રીમ કોર્ટે ડો.બલરામસિંહ ધ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતાં આ નિર્દેશ આપ્યો હતો. ઓકટોબર ૨૦૨૩માં…

Read More