- NEET મુદ્દે ઈસુદાન ગઢવીની અપીલ, ગુજરાતના યુવાનોને કાળી પટ્ટી સાથે વિરોધ દર્શાવવા આહ્વાન
- મધ્યપ્રદેશ વિધાનસભામાં UCC બિલ પસાર, લિવ-ઇન નોંધણી અને બહુપત્નીત્વ અંગે નવી જોગવાઈઓ
- દિલજીત દોસાંઝ સહિત કલાકારો વિદ્યાર્થીઓના સમર્થનમાં, પોલીસ કાર્યવાહી સામે ઉઠ્યો વિરોધનો સૂર
- NEET પેપર લીક મુદ્દે સંસદમાં ચર્ચા, મોદી સરકારનો દાવો: ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ પરીક્ષા સિસ્ટમ બનાવાશે
- વાહન માલિકી તબદીલી અને NOC માટે આધાર લિંક ફરજિયાત, પરિવહન પોર્ટલ પર નવી વ્યવસ્થા લાગુ
- વૈજ્ઞાનિક અભ્યાસનો ખુલાસો: મોબાઇલ ફોનથી બ્રેઇન કેન્સર થવાના કોઈ પુરાવા મળ્યા નથી
- સરકારનો સંસદમાં જવાબ: E20 પેટ્રોલથી એન્જિન નુકસાનના પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં મળે
- મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો, ઈરાન-અમેરિકા અથડામણથી ક્રૂડ ઓઈલ 88 ડોલરને પાર
Author: garvigujrat
અરવલ્લીનો ૩૧% હિસ્સો જાેખમમા.ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે, કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી.રાજસ્થાનમાં રણ પ્રદેશમાં વધારો થશે, જયપુર, દિલ્હી, ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં પાણીની અછત સર્જાશે.કેન્દ્ર સરકારનો દાવો છે કે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા એટલે કે ૧૦૦ મીટરની લિમિટને કારણે માત્ર ૦.૧૯ ટકા હિસ્સો જ ખનન માટે લાયક છે. જાેકે કેન્દ્રના આ દાવાને ફગાવતી એક સ્ટડી સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અરવલ્લીનો ત્રીજાે હિસ્સો એટલે કે લગભગ ૩૩ ટકા ભાગ અત્યંત જાેખમભરી સ્થિતિમાં છે. સેટેલાઇટના ડેટાના ઉપયોગથી તૈયાર કરાયેલા આ સ્વતંત્ર સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે અરવલ્લીનો ૩૧.૮ ટકા હિસ્સો એવો છે કે જે ૧૦૦ મીટરની કેન્દ્રની વ્યાખ્યા…
ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું.દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત.લખનૌ, વારાણસી અને પ્રયાગરાજ સહિત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ધુમ્મસના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોનું જાેખમ સર્જાયું છે.નવા વર્ષના પહેલા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી ના મોજાએ સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઉપરના ભાગોમાં તાજી હિમવર્ષા એ પ્રવાસીઓને આકર્ષ્યા છે. સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે, જેના કારણે દૃશ્યતામાં ઘટાડો થાય છે. લઘુત્તમ તાપમાન ૮-૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે, મહત્તમ તાપમાન ૧૬-૧૮ ડિગ્રી…
૪૦ દિવસના પેરોલ મંજૂર.બળાત્કાર-હત્યા કેસમાં સજા કાપી રહેલા રામ રહીમને ફરીથી જેલમાંથી મુક્તપેરોલ દરમિયાન તે હરિયાણાના સિરસામાં આવેલા ડેરા સચ્ચા સૌદા આશ્રમમાં રહેશે.બળાત્કાર અને હત્યાના ગંભીર ગુનાઓમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ફરી એકવાર જેલમાંથી પેરોલ આપવામાં આવી છે. આ ર્નિણય બાદ રાજકીય અને સામાજિક સ્તરે ફરી ચર્ચા શરૂ થઈ છે. બે સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં દોષિત ઠેરવાયેલા ગુરમીત રામ રહીમને હરિયાણા સરકાર દ્વારા ફરીથી ૪૦ દિવસનો પેરોલ મંજૂર કરવામાં આવ્યો છે. રોહતકની સુનારિયા જેલમાં સજા ભોગવી રહેલા રામ રહીમને બુધવાર સાંજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પેરોલ દરમિયાન તે…
સુપ્રીમ કોર્ટનો આદેશ.માદુરોની ધરપકડ બાદ વાઇસ પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્રિગ્ઝ વેનેઝુએલાની કમાન સંભાળશે.અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપપ્રમુખને વચગાળાના પ્રમુખ બનાવવાનો આદેશ આપ્યો છે.વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અને પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ દેશમાં ગંભીર રાજકીય સંકટ ઉભું થયું છે. અમેરિકાના સેના પ્રમુખ માદુરો અને તેમના પત્નીને કારાકાસથી ન્યૂયોર્ક લઈ ગઈ છે, જેના પછી સૌથી મોટો સવાલ એ ઉભો થયો હતો કે વેનેઝુએલાની સત્તા હવે કોણ સંભાળશે? આ સંકટનો ઉકેલ વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે શોધી કાઢ્યો છે.વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે દેશમાં સર્જાયેલી અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપપ્રમુખને વચગાળાના પ્રમુખ બનાવવાનો આદેશ આપ્યો છે. આ ર્નિણય અનુસાર, દેશમાં પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી, ઉપપ્રમુખ…
પ્રેસ સ્વતંત્રતાને દફનાવવામાં આવી.પાકિસ્તાનમાં કલમની હત્યા: ૭ પત્રકારોને આજીવન કેદ.પાકિસ્તાનમાં કલમની હત્યા: ૭ પત્રકારોને આજીવન કેદ.પાકિસ્તાનમાં પ્રેસ સ્વતંત્રતાને દફનાવવામાં આવી છે. આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ ડિજિટલ આતંકવાદના આરોપસર આદિલ રાજા અને મોઈદ પીરઝાદા સહિત સાત પત્રકારોને આજીવન કેદની સજા ફટકારી છે. જનરલ અસીમ મુનીરના કહેવાથી આ દેશનિકાલ કરાયેલા પત્રકારો પર ૯ મેના રોજ થયેલી હિંસા ભડકાવવાનો આરોપ છે. પાકિસ્તાની ન્યાયિક પ્રણાલીને બ્લેકલિસ્ટ કરવાની હાકલ કરી છે, તેને કાંગારૂ કોર્ટનો ર્નિણય ગણાવ્યો છે. ૩ જાન્યુઆરીની સવારે, પાકિસ્તાનની ન્યાયિક પ્રણાલીએ એક ડેથ વોરંટ જારી કર્યું જેણે વૈશ્વિક પત્રકારત્વનો આત્માં કંપાવી નાખ્યો છે. આ વોરંટ કોઈ ભયાનક ગુનેગાર કે સરહદ પારના આતંકવાદી…
રેલવે સ્ટેશન પર એક મોટી આગની ઘટના બની.ત્રિશૂર રેલવે સ્ટેશન પર મોટી આગ, ૨૦૦થી વધુ વાહનો બળીને ખાખ.અધિકારીઓએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ, ઇંધણ લીકેજ અથવા અન્ય કોઈ તકનીકી ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે.કેરળના ત્રિશૂર રેલ્વે સ્ટેશન પર રવિવારે વહેલી સવારે થયેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો. આ આગમાં સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરાયેલા ૨૦૦થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા. રવિવારે સવારે કેરળના ત્રિશૂર રેલ્વે સ્ટેશન પર એક મોટી આગની ઘટના બની હતી. પ્લેટફોર્મ નંબર ૨ પાસે આવેલા ટુ-વ્હીલર પાર્કિંગ વિસ્તારમાં સવારે અંદાજે ૬:૪૫ વાગ્યે અચાનક આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે…
સાબરમતી–જૈસલમેર એક્સપ્રેસ પોકરણ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન શકે છે.ઉત્તર પશ્ચિમ રેલવેના જાેધપુર મંડળમાં રાયકા બાગ પેલેસ-જૈસલમેર સેકશનમાં જેઠા ચાંદન-થઈરાત હમીરા સ્ટેશનો વચ્ચે બ્રિજ નં.૧૭૦ અને જૈસલમેર-થઈરાત હમીરા સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. ૧૭૯ પર એન્જિનિયરિંગ કાર્ય હેતુ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન શકે છે. •ટ્રેન સંખ્યા ૨૦૪૯૨ સાબરમતી–જૈસલમેર એક્સપ્રેસ ૦૬ અને ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ પોકરણ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેથી આ ટ્રેન પોકરણ અને જૈસલમેર વચ્ચે…
ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૧૩૦૦ સરકારી કર્મી દંડાયા.આ ઉલ્લંઘનોમાં મુખ્યત્વે હેલમેટ વિના વાહન ચલાવવું, નંબર પ્લેટની ગેરહાજરી અથવા ચેડાંનો સમાવેશ થતો હતો.આ ઉલ્લંઘનોમાં મુખ્યત્વે હેલમેટ વિના વાહન ચલાવવું, નંબર પ્લેટની ગેરહાજરી અથવા ચેડાંનો સમાવેશ થતો હતો.ઘણી વખત એવી ફરિયાદો ઉઠતી હોય છે કે ટ્રાફિક પોલીસ સરકારી કર્મચારીઓ કે પોલીસકર્મીઓને નિયમ ઉલ્લઘંન પર દંડ કરી કરતી નથી ત્યારે હવે કાયદો બધા માટે સમાનનો હેતુ સાર્થક કરવા અમદાવાદ ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારીઓ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં ૧૩૦૦થી વધુ સરકારી કર્મચારીઓને ૬.૧૬ લાખ દંડનો ફટકારવામાં આવ્યો છે. ૨ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી રાત્રે ૮ વાગ્યા સુધી અમદાવાદમાં મુખ્ય સરકારી…
૬ વર્ષમાં ૫૩૦૦૦ કરોડની છેતરપિંડી.ગુજરાત, દિલ્હી અને વેસ્ટ બંગાળમાં સૌથી વધુ સાઇબર ફ્રોડની ફરિયાદ.ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ અરેસ્ટ સ્કેમ, ઓનલાઇન ફ્રોડ, બેન્કિંગ ફ્રોડ અને સાઇબર ફિશિંગ દ્વારા ઘણાં લોકોને ટાર્ગેટ કરાયા.ભારતમાં છેલ્લા ૬ વર્ષમાં ૫૩૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને એની અંદર આ આંકડા આપવામાં આવ્યાં છે. યુનિયન હોમ મિનિસ્ટ્રીની અંદર આવતું આ ડિપાર્ટમેન્ટ સાઇબર ક્રાઇમ સામે લડવા માટે કામ કરે છે. ભારતના લોકોને સાઇબર ક્રાઇમથી રક્ષણ આપવા માટે દરેક પ્રકારની પોલિસી અને કાયદાઓની દેખભાળ આ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે સાઇબર…
હોમગાર્ડ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડીંગ ઓફીસર બદલી કરવા માટે રૂ.૨૦૦૦ની લાંચ લેતા ઝડપાયા.ફરીયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા સારૂ અરજી કરેલ.મહેસાણામાં હોમગાર્ડ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડીંગ ઓફીસર બદલી કરવા માટે રૂ.૨૦૦૦ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે, પોલીસે ઝડપાયેલાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી. આ કામે હકિકત એવી છે કે, ફરીયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા સારૂ અરજી કરેલ. જે અરજી આધારે ફરીયાદીની હોમગાર્ડ યુનિટ વિસનગરથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી થયેલ. જે બદલીની ફાઈલના કાગળો આરોપીએ ફરિયાદીને આપવા સારૂ રૂ.૨૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



