Author: Garvi Gujarat

વિશેષ પૂજા-અર્ચના સાથે સેંકડોની સંખ્યામાં કાળા દોરા સિદ્ધ કરાયાંડભોડામાં ડભોડિયા હનુમાન દાદાની મહાઆરતીમાં ૩ લાખ ભક્તો ઊમટ્યાંડભોડામાં ધનતેરસથી મંદિર આસપાસ ભવ્ય મેળો ભરાય છે. જે કાળી ચૌદશના દિવસ સુધી ચાલુ રહે છેગાંધીનગર પાસે આવેલા ડભોડા ગામમાં ‘ડભોડિયા હનુમાન’ દાદા તરીકે પ્રચલિત તીર્થધામમાં ધનતેરસની મધરાતથી ધર્માેત્સવ જેવો માહોલ જામ્યો હતો. હનુમાન દાદાની મહાઆરતી અને વિશેષ પૂજા અર્ચના કરવાનો પ્રસંગ ૧૮ ઓક્ટોબરને શનિવારે (ધનતેરસ) રાત્રે ભારે શ્રદ્ધા સાથે ઉજવાયો હતો. શનિવારે બપોર પછી ભક્તોનો ભારે ધસારો થવા લાગ્યો હતો. તેના પગલે સમગ્ર ગામમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. આ અવસરનો લ્હાવો લેવા માટે ૩ લાખથી વધુ ભક્તો ઊમટી પડ્યા હતાં.કાળી ચૌદશના દિવસે…

Read More

સુપ્રીમ કોર્ટમાં આ કેસની વધુ સુનાવણી ૨૬ નવેમ્બરે થશેસુપ્રીમે ગરીબ કેદીઓ માટે જામીનની રકમની ચૂકવણી માટે જીર્ંઁ બદલ્યાએક કેદી માટે કેસદીઠ રૂ.૫૦,૦૦૦ સુધીની રકમ સરકાર જમા કરાવશે અને કેદીની પસંદગીનો ર્નિણય જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ કરશેઅંડર ટ્રાયલ ગરીબ કેદીઓ માટે રાજ્ય સરકાર દ્વારા જામીનના નાણાં કોર્ટમાં જમા કરાવવા બાબતે ર્જીંઁમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વના ફેરફાર કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના માધ્યમથી કોર્ટમાં ગરીબ કેદીઓના જામીનની રકમ કોર્ટમાં જમા કરાવાય છે. જસ્ટિસ એમ એમ સુંદરેશ અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી અને એમિકસ ક્યુરી સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લુથરાના સૂચનોને ગ્રાહ્ય રાખી હુકમ કર્યાે…

Read More

અંડર કન્સ્ટ્રક્શન એરિયામાંથી ચોરો ઘૂસ્યાપેરિસમાં મ્યુઝિયમમાંથી સાત મિનિટમાં કિંમતી દાગીના ચોરાયાપેરિસના પ્રખ્યાત લોર મ્યૂઝિયમમાં નેપોલિયનના અંગત કલેક્શનની અમૂલ્ય જ્વેલરી રાખવામાં આવી હતીપ્રખ્યાત મ્યુઝિયમમાંથી કિંમતી અને દુર્લભ દાગીનાની ચોરીના દૃશ્ય અનેક ફિલ્મોમાં જાેવા મળેલા છે. ફેશન નગરી પેરિસના પ્રખ્યાત લોર મ્યૂઝિયમમાંથી ભરચક ભીડ વચ્ચેથી દુર્લભ દાગીનાની ચોરી થતાં ચકચાર મચી છે. માત્ર ૭ મિનિટમાં દાગીનાની ચોરી કર્યા પછી ભેજાબાજ લૂટારુઓ ટુ-વ્હિલર પર નાસી છૂટ્યા હતા. સમગ્ર ફ્રાન્સમાં તસ્કરોને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.ફ્રાન્સના સાંસ્કૃતિક મંત્રી રેચિડા ડટીએ એક્સ પોસ્ટ પર જણાવ્યુ હતું કે, લોર મ્યૂઝિયમમાં રવિવારે સવારો ચોરી થઈ હતી. આ ઘટનામાં કોઈ ઈજા થઈ ન હતી. ફ્રાન્સના આંતરિક મંત્રી…

Read More

આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર ચાર લોકોમાંથી બેના મોત થયાદુબઈથી હોંગકોંગ આવતું વિમાન રન-વેથી લપસી દરિયામાં ગરકાવઆ દુર્ઘટના બાદ હોંગકોંગ એરપોર્ટના વ્યસ્ત એવા ઉત્તરી રનવેને તાત્કાલિક બંધ કરી દીધો છે, જેના કારણે કેટલીક ફ્લાઇટ્સના સંચાલન પર અસર પડી શકે છેદુબઈથી ઉડાન ભરનાર એક બોઈંગ ૭૪૭ કાર્ગાે વિમાન સોમવારે વહેલી સવારે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી લપસીને સમુદ્રમાં ખાબક્યું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર ચાર લોકોમાંથી બેના મોત થયા છે, જ્યારે અન્ય બેને બચાવી લેવાયા છે. દુર્ઘટના એટલી ગંભીર હતી કે વિમાનનો અડધો ભાગ તૂટીને સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો.પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટના સ્થાનિક સમય…

Read More

ચૂંટણી પહેલા જ બિહારમાં NDA ને ઝટકોભોજપુરી ‘ડાન્સિંગ ક્વીન’નું ધારાસભ્ય બનવાનું સપનું રોળાયુંછપરા જિલ્લાબ મઢૌરા વિધાનસભા ક્ષેત્રથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર સીમા સિંહના ઉમેદવારી પત્રકને રદ્દ કરી દેવામાં આવ્યપટણા: બિહારમાં ચૂંટણી પહેલા જ એનડીને એક બેઠકનું નુકસાન થયું છે. છપરા જિલ્લાબ મઢૌરા વિધાનસભા ક્ષેત્રથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર સીમા સિંહના ઉમેદવારી પત્રકને રદ્દ કરી દેવામાં આવ્યું છે. વિગતો અનુસાર, ઉમેદવારી પત્રની ચકાસણી દરમિયાન દસ્તાવેજાેમાં ખામીઓ સામે આવી હતી, જેના કારણે ચૂંટણી અધિકારીએ તેનું ઉમેદવારી પત્રક રદ્દ કરી દીધું હતું. એનડીએના સાથી ચિરાગ પાસવાનની પાર્ટી લોજપાએ મઢોરા બેઠક પરથી સીમા સિંહને ઉમેદવાર જાહેર કર્યા હતા. પરંતુ રાજકારણમાં પાપાપગલી પાડનાર સીમા સિંહની…

Read More

મનોજ બાજપેયીએ કરી સ્પષ્ટતામનોજ બાજપેયી બિહારની ચુંટણીના ઝમ્પલાવશે તેવી અફવાઘણા પ્રખ્યાત સેલિબ્રિટીઓએ તાજેતરમાં તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું રક્ષણ કરવા માટે કાનૂની કાર્યવાહી કરી છમનોજ બાજપેયી બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી અને બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકારોમાંના એક છે. આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, એક રાજકીય પક્ષનો પ્રચાર કરતો અભિનેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. હવે, મનોજ બાજપેયી પોતે આ વીડિયો પાછળનું સત્ય જાહેર કર્યું છે.આગામી બિહાર ચૂંટણી પહેલા ઓનલાઈન ફરતા પોતાના એક નકલી વીડિયોની મનોજ બાજપેયીએ સખત નિંદા કરી છે. આ વીડિયોમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે કે તે એક રાજકીય પક્ષને ટેકો આપે છે.…

Read More

વિદેશી છોકરાઓએ ફરિયાદ કરી તો બ્લોક કરાઈડેટિંગ એપ પર પ્રેમ શોધવા અભિનેત્રી દીપશિખાએ પ્રોફાઈલ બનાવી૪૮ વર્ષીય અભિનેત્રી દીપશિખા નાગપાલના બે વાર લગ્ન થયા છે, પરંતુ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં૪૮ વર્ષીય અભિનેત્રી દીપશિખા નાગપાલ જીવનસાથી શોધી રહી છે. તેના બે વાર લગ્ન થયા છે, પરંતુ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. દીપશિખાનું કહેવું છે કે, તેણે હાર નથી માની. તે હજુ પણ પ્રેમની શોધમાં છે. તેની પુત્રી પણ તેને આમાં મદદ કરી રહી છે. દીપશિખાએ ડેટિંગ એપ પર તેના માટે એક પ્રોફાઇલ પણ બનાવી છે. જાેકે દીપશિખાના કહેવા પ્રમાણે હાલમાં તેને ડેટિંગ એપ પર બ્લોક કરવામાં આવી…

Read More

મેં સીટ ખાલી કરી તેથી મારો આભાર માનો…!નવા બનેલા મંત્રીને ગેનીબેને હસતા હસતા સંભળાવી દીધુંસરકારમાં મંત્રી બનતાં વતન ભાભર પહોંચતાં સ્વરૂપજી ઠાકોરનું ફુલહારથી ગેનીબેન ઠાકોરે કર્યું અભિવાદનબનાસકાંઠામાં ૬ મહિના પહેલા જ નવા બનેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ મળી જતા ઠાકોર સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે ભાભરમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું હતું. જાેકે, આ સમયે ગેનીબેને એવી વાત કરી હતી કે, માહોલ હળવો બન્યો હતો, અને લોકો હસી પડ્યા હતા. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા તેમના પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે ભાભરમાં આજે સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કરાયું હતુ. આ…

Read More

૫૪ વર્ષ બાદ મંદિરના ખજાનાનો રૂમ ખોલાયોમથુરાના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના ખજાનાનો રૂમ ખોલાયોરુમને ખોલવામાં આવ્યો હતો અને કેટલાક લોકો સાથે અંદર ગયા હતાં : આ રુમમા પાણીના ખાબોચિયા ભરેલા જાેવા મળ્યા હતાંમથુરાના વિશ્વ પ્રસિધ્ધ બાંકેબિહારીના મંદિરમાં ૫૪ વર્ષ બાદ ખજાનાનો રુમ આજે ધનતેરસના દિવસે ખોલવામાં આવ્યો છે.મંદિર પરિસરમા ભારે પોલિસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.શ્રધ્ધાળુઓ અને સ્થાનિક લોકોમાં ઉસ્સુકતા અને ઉત્સાહનો માહોલ છે, કેમ કે આ રૂમ અડધી સદી સુધી બંધ હતો.તેને મંદિરનો ખજાનો માનવામાં આવે છે. મંદિરમા ઉપસ્થિત સેવારત આભાસ ગોસ્વામી એ જણાવ્યું કે મંદિરના ગર્ભગૃહની બરાબર સ્થિત આ રુમ…

Read More

પાક.ને સમર્થન આપવું બે દેશોને ભારે પડ્યુંતૂર્કિયે અને અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડોઆ બંને દેશોએ આ સંઘર્ષમાં પાકિસ્તાનને ટેકો આપ્યો, જેના કારણે ભારતમાં રોષ અને બહિષ્કારની લાગણી વધીભારત-પાકિસ્તાન તણાવના પરિણામે મે ૨૦૨૫માં થયેલા ઓપરેશન સિંદૂર બાદ તૂર્કિયે અને અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. આ ઘટાડો એટલા માટે થયો કે આ બંને દેશોએ આ સંઘર્ષમાં પાકિસ્તાનને ટેકો આપ્યો, જેના કારણે ભારતમાં રોષ અને બહિષ્કારની લાગણી વધી, જેની સીધી અસર પ્રવાસન ક્ષેત્રે જાેવા મળી. ખાસ કરીને, મે થી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન, અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓના આગમનમાં ૫૬% અને તૂર્કિયેમાં ૩૩.૩%નો ઘટાડો નોંધાયો હતો. અગાઉ એટલે કે ૨૦૨૪માં, અઝરબૈજાનમાં ૨.૪૪…

Read More