Author: Garvi Gujarat

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ સોના-ચાંદીમાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.50 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.134 ઘટ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.21013.62 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.72669.86 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18038.84 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24611 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.93687.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21013.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.72669.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24611 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1169.07 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18038.84 કરોડનાં કામકાજ થયાં હતાં.…

Read More

આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી.ચાણસ્માના કંબોઈ ગામમાં આંગડિયા પેઢીના સંચાલકોની ધમકીથી ખેડૂતનો આપઘાત.રૂ.૬.૫૦ કરોડની હેરાફેરીનો ખોટો આરોપ મૂકી પરિવારને ધમકી આપતાં ખેડૂતે પગલું ભર્યું.પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઇ ગામે આંગડિયા પેઢીના સંચાલકોની ધમકીઓથી કંટાળીને એક ખેડૂતે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતે મૃતકના પુત્રે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.કંબોઈ ગામના સહદેવસિંહ સોલંકી કોલકાતામાં ડી.વાય. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા. પેઢીના સંચાલકો ગોવિંદજી સોલંકી, કનુજી સોલંકી અને શૈલેન્દ્રસિંહ સોલંકીએ તેમના પર પેઢીના હિસાબમાંથી સાડા છ કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ મૂક્યો હતો.આ ત્રણેય જણા વારંવાર સહદેવસિંહના…

Read More

અંતિમ દિવસે નામ કમી કરાવવા ૨.૧૭ લાખ, ઉમેરવા માટે ૩૬,૦૦૦ અરજી.બિહાર SIRની સમયમર્યાદા લંબાવવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર.મતદાતાઓ ૧ સપ્ટેમ્બર પછી પણ યાદીમાં નામ ઉમેરવાની કે તે અંગે વાંધા રજૂ કરવાની કે તેમાં સુધારા કરવા અંગેની રજૂઆત કરી શકશે.બિહારમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી વિશેષ મતદાર યાદી સુધારણા (એસઆઈઆર)માં નામ ઉમેરવા, વાંધા રજૂ કરવા અથવા તો સુધારો કરવા માટેની એક મહિનાની સમયમર્યાદા સોમવારે પૂરી થઈ હતી. સુપ્રીમ કોર્ટે એસઆઈઆર માટે વધુ સમય આપવાનો ઈનકાર કર્યાે હતો. મતદાતાઓ ૧ સપ્ટેમ્બર પછી પણ યાદીમાં નામ ઉમેરવાની કે તે અંગે વાંધા રજૂ કરવાની કે તેમાં સુધારા કરવા અંગેની રજૂઆત કરી શકશે તેવી ચૂંટણી પંચે…

Read More

નકાસ ક્ષેત્રે ટ્રમ્પ ટેરિફની પ્રતિકૂળ અસર: રિફંડ ૨૦ ટકા ઘટ્ય.ઓગસ્ટમાં ય્જી્ની આવક ૬.૫% વધીને રૂ.૧.૮૬ લાખ કરોડ.ચાલુ વર્ષે ઓગસ્ટમાં કુલ સ્થાનિક આવક ૯.૬ ટકાના વધારા સાથે રૂ. ૧.૩૭ લાખ કરોડ રહી હતી. દેશમાં ઓગસ્ટમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલાત ૬.૫ ટકા વધીને રૂ. ૧.૮૬ લાખ કરોડ રહ્યું હતું. તહેવારોના આગમનને પગલે સ્થાનિક વેચાણમાં વૃદ્ધિથી જીએસટી આવકમાં ઊછાળો નોંધાયો હતો. આગામી સમયમાં પણ તહેવારોનો માહોલ ચાલુ રહેતા જીએસટી વસૂલાત પર તેની સાનુકૂળ અસર જાેવા મળશે તેવી અપેક્ષા છે. જુલાઈમાં જીએસટી વસૂલાત રૂ. ૧.૯૬ લાખ કરોડના સ્તરે રહી હતી. જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં (૨૦૨૪) જીએસટી વસૂલાત રૂ. ૧.૭૫ લાખ કરોડની સપાટીએ હોવાનું…

Read More

ગુનેગારો કાયદાના ચુંગાલમાંથી બહાર નીકળવામાં સફળ થાય છે.‘વાજબી શંકાથી પર’ સિદ્ધાંતના દુરૂપયોગને લીધે ગુનેગારો નિર્દોષ છૂટી રહ્યા છે: સુપ્રીમ.પટણા હાઇકોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૪માં આવી જ રીતે શંકાનો લાભ આપીને જઘન્ય ગુનાના આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યો હતા.‘વાજબી શંકાથી પર’ના સિદ્ધાંતના “ખોટા ઉપયોગ” ને કારણે, વાસ્તવિક ગુનેગારો કાયદાના ચુંગાલમાંથી બહાર નીકળવામાં સફળ થાય છે અને નિર્દાેષ છૂટવાના આવા દરેક ઉદાહરણ સમાજની સુરક્ષાની ભાવના સામે “બળવા” જેવા છે અને તે ફોજદારી ન્યાય પ્રણાલી પર કલંકરૂપ છે તેવું તારણ સુપ્રીમ કોર્ટે કાઢ્યું છે. એક સગીરા પર રેપના બે આરોપીને દોષી જાહેર કરતાં એક ટ્રાયલ કોર્ટનો ચુકાદો જાળવી રાખતાં સુપ્રીમે ટકોર કરી હતી કે ઘણીવાર…

Read More

૩૨ લાખથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો.વર્કપ્લેસ તરીકે એશિયાના દેશોમાં ભારત સૌથી શ્રેષ્ઠ.૨૦૨૫ બેસ્ટ વર્કપ્લેસ ઈન એશિયામાં સામેલ ૧૦૦માંથી ૪૮ કંપનીઓ ભારતમાં કાર્યરત.કામ કરવા માટેના એશિયાના શ્રેષ્ઠ દેશોમાં ભારતે સર્વાેચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. એશિયાની ટોચની ૧૦૦ પૈકીની ૪૮ કંપનીઓ ભારતમાં કામગીરી ધરાવે છે. નોકરીના સ્થળના માહોલ અને વર્ક કલ્ચર અંગેનો સરવે કરતી ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’ નામની વૈશ્વિક સર્વેક્ષણ કંપનીએ જારી કરેલા એક અહેવાલ અનુસાર, ભારતમાં કામ કરતી આ ૪૮ કંપનીઓ મોટી કંપનીઓની કેટેગરીમાં આવે છે. આ ઉપરાંત મધ્યમ કદમાં આવતી ૧૨ કંપનીઓ પણ ભારતમાં કામગીરી ધરાવે છે. કામ કરવાના સ્થળોએ બહેતર માહોલ અને સાનુકૂળ વર્કકલ્ચર તથા કર્મચારીઓને યોગ્ય…

Read More

બંને વચ્ચે અફેરની લાંબા સમયથી ચર્ચા હતી.તારા સુતરિયા અને વીરે તેમના સંબંધો ઓફિશિયલ કર્યા.વીર પહાડિયા જાહ્નવીના બોયફ્રેન્ડ શિખરનો મોટાભાઈ છે. જાહ્નવીનો પરિવાર શિખરને સ્વીકારી ચૂક્યો છે. તારા સુતરિયા અને વીર પહાડિયાએ તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. બંને વચ્ચે રિલેશનશિપની વાતો લાંબા સમયથી ચર્ચાતી હતી. બંને અનેકવાર સાથે દેખાઈ ચૂક્યાં હતાં. હવે બંનેએ એકબીજા સાથેની રોમાન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ગણેશોત્સવ નિમિત્તે પોતાના ગેટ અપની કેટલીક તસવીરો તારાએ શેર કરી હતી. તેની સાથે તેણે પોતાની અને વીરની તસવીર પણ શેર કરી હતી. બાદમાં વીરે પણ તારા સાથેની તસવીર શેર કરી હતી. તારા સુતરિયા અગાઉ કરીના, કરિશ્મા અને…

Read More

ફિલ્મના પ્રમોશનમાં મદદરૂપ બનતાં અજયે ટ્રેલર શેર કર્યુ.‘વશ ૨’થી અજય દેવગન પ્રભાવિત જાનકી બોડીવાલાના વખાણ કર્યાં.કૃષ્ણદેવ યાજ્ઞિકે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મને કૃણાલ સોની અને કલ્પેશ સોનીએ પ્રોડ્યુસ કરી છે. ગુજરાતી ફિલ્મ ‘વશ લેવલ ૨’ દેશભરમાં ઉત્સુકતા ઊભી કરી રહી છે. ગુજરાત બહારના ઓડિયન્સને પણ પસંદ આવી રહેલી આ ફિલ્મથી અજય દેવગન પણ પ્રભાવિત થયા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર આ ગુજરાતી સીક્વલને ‘ગૂડ સિનેમા’ ગણાવી છે. તેમણે જાનકી બોડીવાલાના વખાણ કરવાની સાથે સમગ્ર ટીમને અભિનંદન આપ્યા છે. અજય દેવગને ફિલ્મના પ્રમોશનમાં ભાગ લીધો હતો અને તેનું ટ્રેલર શેર કર્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં અજય દેવગને જણાવ્યુ હતું કે, સારું સિનેમા ઘણા…

Read More

રામગોપાલ વર્માની હોરર ફિલ્મમાં થ્રિલર સાથે કોમેડીનું કોમ્બિનેશન.‘પોલીસ સ્ટેશન મૈં ભૂત’માં મનોજ બાજપેયી સાથે જેનેલિયા જાેડાઈ.રામગોપાલ વર્મા અને મનોજ બાજપેયીએ અગાઉ ૧૯૯૮માં રિલીઝ થયેલી ‘સત્યા’ અને ત્યારબાદ ‘કૌન’ (૧૯૯૯)માં સાથે કામ કર્યું હતું.ફીયર અને ફનની જમાવટના કારણે બોલિવૂડમાં હોરર કોમેડીની જાેનર લોકપ્રિય થઈ રહી છે. જાણીતા ડાયરેક્ટર રામગોપાલ વર્માએ પણ હવે આ જાેનરમાં ઝંપલાવ્યું છે. તેમણે આગામી હોરર કોમેડી ફિલ્મ ‘પોલીસ સ્ટેશન મૈં ભૂત’ જાહેર કરી છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી અને જેનેલિયા ડીસોઝાના લીડ રોલ છે, જેઓ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં કામ કરવાની ઉત્સુકતા અંગે વાત કરતાં જેનિલિયાએ કહ્યુ હતું કે, પહેલી વખત એવી દુનિયામાં…

Read More

अहमदाबाद, मेलोडी मेकर्स म्यूज़िकली योर्स, एक ऐसा समूह जिसने अपने नए प्रयोगों और उच्च-गुणवत्ता वाले संगीत कार्यक्रमों से लगातार संगीत प्रेमियों को मंत्रमुग्ध किया है, ने हाल ही में गणपति उत्सव के दौरान एक विशेष प्रस्तुति से दर्शकों का मन मोह लिया। समूह के प्रतिभाशाली गायकों ने विभिन्न गीतों की पेशकश करते हुए एक रंगीन कार्यक्रम प्रस्तुत किया, जिसने संगीत प्रेमियों और गणपति बप्पा के भक्तों सहित सभी दर्शकों को पूरी तरह से मंत्रमुग्ध कर दिया। यह कार्यक्रम सुंदर और यादगार संगीत अनुभव बनाने के लिए समूह की प्रतिबद्धता का प्रमाण था। मेलोडी मेकर्स समूह ने सभी के सहयोग के…

Read More