Author: garvigujrat

કોંગ્રેસના સાંસદે ચર્ચા માટે નોટિસ આપી.ગુજરાતના ખેડૂતોને અન્યાયનો મુદ્દો રાજ્યસભામાં ગુંજશે.રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ આપી છે : ૧ ડિસેમ્બરથી સત્ર શરૂસંસદનું શીતકાલીન સત્ર ૧ ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ આપી છે. ૧ ડિસેમ્બરથી શરૂ થતાં સત્રમાં ચર્ચા કરવાની નોટિસ આપી છે. તાજેતરમાં આવેલા કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે પાકનો નાશ થયો હતો. ગુજરાત સરકારનું રાહત પેકેજ માત્ર બે હેક્ટર માટે જાહેર કરાયું, અને તે પણ અનેક શરતો સાથે. ત્યારે ગુજરાતમાં ફસલ વીમા યોજના તાત્કાલિક શરૂ કરવાની માંગ કરાઈ…

Read More

મમતા સરકારનો યુ ટર્નપ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ.વક્ફ સુધારો અધિનિયમ ૨૦૨૫માં કરવામાં આવેલી કેટલીક મહત્ત્વપૂર્ણ જાેગવાઈઓ વિવાદનું કેન્દ્ર બની હતી.કેન્દ્ર સરકારના નવા વક્ફ સુધારા અધિનિયમ ૨૦૨૫નો મહિનાઓ સુધી જાહેરમાં વિરોધ કર્યાં બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આખરે આ કાયદાને સ્વીકાર કરી લીધો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક કાર્યવાહી કરીને ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં રાજ્યની લગભગ ૮૨,૦૦૦ વક્ફ મિલકતોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે. અહેવાલો અનુસાર, મમતા સરકારનો આ યુ-ટર્ન રાજકીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અગાઉ જાહેરમાં જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ…

Read More

ટીમ ઈન્ડિયા પર વરસ્યા કપિલ દેવ.ઘરેલુ ક્રિકેટ રમો, નહીંતર આ રીતે જ હારતા રહેશો.દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં મળેલી હારથી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ખૂબ જ નારાજ છે.દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમને ઘરઆંગણે બે મેચની ટેસ્ટ સીરિઝમાં ૦-૨થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ૧૨ મહિનામાં ભારતની ઘરઆંગણે બીજી ટેસ્ટ સીરિઝ હતી. બંને વાર ભારતીય ટીમના ટેસ્ટ સીરિઝમાં સૂપડા સાફ થઈ ગયા છે. તેને ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ઈતિહાસનો સૌથી નબળો સમય કહેવામાં આવી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં મળેલી હારથી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ખૂબ જ નારાજ છે. કપિલ દેવ વર્તમાન ભારતીય ટેસ્ટ…

Read More

કંપનીએ કહ્યું આદેશમાં ખામી.હલકી ગુણવત્તાનું ઘી વેચવા બદલ પતંજલિને કોર્ટે ફટકાર્યો દંડ.યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ, યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે કોર્ટના આદેશ પર ઘીના તમામ મુખ્ય જવાબદાર એકમો (કંપની, હોલસેલર અને રિટેલર) પર કુલ ૧.૪૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાે કે, પતંજલિએ આ આદેશને ખામીવાળો અને કાયદા વિરુદ્ધ ગણાવીને પોતાનો બચાવ કર્યો છે. આ સમગ્ર મામલો ઉત્તરાખંડના પિથોરાગઢનો છે, જ્યાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (ADM) કોર્ટે રાજ્ય અને કેન્દ્રીય પ્રયોગશાળામાં ઘીના નમૂના નિષ્ફળ ગયા બાદ…

Read More

૧૩ લોકોના મોત નિપજ્યા.ગાઝા બાદ વધુ એક મુસ્લિમ દેશ પર ઈઝરાયલે કર્યો મોટો હુમલોઈઝરાયલે દક્ષિણ સીરિયાના એક ગામ પર હુમલો કર્યો.ગાઝા બાદ હવે ઈઝરાયલે દક્ષિણ સીરિયાના એક ગામને નિશાન બનાવ્યું છે. ગામમાં રાત્રિના સમયે સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે. સીરિયાની ન્યૂઝ એજન્સી જીછદ્ગછએ આ વાતની પુષ્ટિ કરી છે. સીરિયાના વિદેશ મંત્રાલયે ઈઝરાયલના આ ઓપરેશનની નિંદા કરી છે. સીરિયાના વહીવટીતંત્રે તેને યુદ્ધ અપરાધ ગણાવ્યો અને કહ્યું કે, ઈઝરાયલ ફરી એકવાર આ પ્રદેશમાં અશાંતિ અને હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હુમલામાં ઘાયલ થયેલા ઇયાદ તાહિરે કહ્યું કે, અમે રાત્રે સૂતેલા હતા અને સવારે જાગ્યા ત્યારે…

Read More

કેન્દ્ર સરકારે લીધો મોટો ર્નિણય.હવે મેડિકલમાંથી પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે કફ સિરપ.મેડિકલ સ્ટોર્સના સંચાલક ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકશે નહીં : મધ્ય પ્રદેશમાં બનેલા બનાવને ગંભીરતાથી લઈને કેન્દ્રએ ર્નિણય લીધો.મધ્ય પ્રદેશમાં તાજેતરમાં કફ સિરપ પીવાથી બાળકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનાઓ બાદ મધ્ય પ્રદેશ સાથે સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો. હવે આ મામલાને કેન્દ્ર સરકારે અત્યંત ગંભીરતાથી લીધો છે અને આ દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ હેઠળ હવે દેશભરના મેડિકલ સ્ટોર્સના સંચાલક ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકશે નહીં. સરકારની ટોચની નિયામક ઔષધ પરામર્શ સમિતિએ પોતાની ૬૭મી બેઠકમાં કફ સિરપની અનિયંત્રિત…

Read More

ભારત પર મોટી અસર: ૩૫૦થી વધુ વિમાનો ગ્રાઉન્ડેડ.વિમાનોના સોફ્ટવેરમાં ખામી સર્જાતા ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસરઆ અપગ્રેડમાં ૨-૩ દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે. વિશ્વના સૌથી વધુ વેચાતા વિમાન, એરબસ A૩૨૦ ફેમિલીના હજારો વિમાનોને આ સપ્તાહના અંતે મોટા પાયે ગ્રાઉન્ડેડ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડવાની છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા તકનીકી જાેખમને પગલે આ ર્નિણય લેવામાં આવ્યો છે, જેના નિવારણ માટે વ્યાપક સોફ્ટવેર અને કેટલાક જૂના વિમાનોમાં હાર્ડવેર અપગ્રેડ ફરજિયાત કરવામાં આવ્યું છે.ભારતમાં ઈન્ડિગો અને એર…

Read More

દુર્ઘટનાના પીડિતોને વળતર મુદ્દે હાઇકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી.વડોદરાની હરણી બોટ દુર્ઘટના કેસમાં ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટની નોટિસ.આ હુકમ સંદર્ભે કોટિયા પ્રોજેક્ટ દ્વારા હાઇકોર્ટને જણાવાયું હતું કે, હરણી તળાવમાં બોટિંગ પ્રવૃતિ ચલાવવા ત્રણ પાર્ટી એગ્રિમેન્ટ કરાયો હતો.વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશનમાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે, આ મામલે વળતર માટે સબ કોન્ટ્રેક્ટરને જવાબદાર કઇ રીતે ગણવા તે જણાવો. આ મામલે વડોદરા મ્યુનિ.કોર્પાે.(VMC)એ કહ્યું છે કે, તેમની કોઈ મંજૂરી સબ કોન્ટ્રાક્ટ માટે લેવાઈ નથી. આખરે હાઇકોર્ટે કોટિયાને આ મુદ્દે વધુ રજૂઆતની તક આપીને ઇન્સ્યોરન્સ કંપનીને જવાબ રજૂ કરવા નોટિસ આપી છે. આ કેસની વધુ સુનવણી ૧૬મી જાન્યુઆરીએ યોજાશે. આ…

Read More

ઈમરાનની બહેને જેલ સુપરિન્ટેન્ડન્ટ વિરુદ્ધ કેસ કર્યો.પૂર્વ પીએમ ઇમરાનખાનના પુત્ર કાસિમે પોતાના પિતા જીવતા હોવાના પુરાવા માગ્યા.પાકિસ્તાનની સરકાર પર પિતાની અસલી સ્થિતિ છુપાવવાનો આક્ષેપ : પોલીસે ઈમરાનના સમર્થક ખૈબર-પખ્તુન્ખવાના મુખ્યમંત્રીને માર માર્યોપાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનના પુત્ર કાસિમખાને પોતાના પિતા જીવતા છે તે અંગેના પૂરાવા જેલ સત્તાવાળાઓ પાસે માંગ્યા છે. કાસિમખાને કહ્યું હતું કે કોઇને પણ ખબર નથી કે ઇમરાનખાન જીવતા છે કે નહીં.કાસિમે એક્સ ઉપર મૂકેલી એક પોસ્ટમાં લખ્યું છે કે ૮૪૫ દિવસ પહેલાં તેના પિતાની ધરપકડ કરવામાં આવી હતી, અને છેલ્લાં ૬ સપ્તાહથી તો તેમને જેલના એક ‘ડેથ સેલ’માં રાખવામાં આવ્યા છે. કોઇને પણ મારા પિતાને મળવા દેવાતા નથી…

Read More

વ્હાઈટ હાઉસ નજીક હુમલામાં ઘાયલ થયેલી મહિલા ગાર્ડનું સારવાર દરમિયાન મોત, અન્યની હાલત ગંભીર.ત્રીજા વિશ્વના દેશોમાંથી માઈગ્રેશન કાયમી બંધ કરાવવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન.અમેરિકામાં વિદેશી નાગરિકોની વસતી ૫.૩૦ કરોડ છે અને તેમાંથી મોટાભાગના લોકો સરકારી ખર્ચ પર નભે છે. તેઓ નિષ્ફળ દેશોમાંથી અથવા જેલમાંથી આવેલા છે.વ્હાઈટ હાઉસ નજીક અફઘાની શરણાર્થીએ કરેલા આતંકવાદી હુમલા બાદ ડઘાઈ ગયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજા વિશ્વના દેશોમાંથી આવતા લોકોનું માઈગ્રેશન કાયમી ધોરણે સંપૂર્ણ બંધ કરાવી દેવાની ચીમકી આપી છે. ‘સિક્યુરિટી રિસ્ક’ ધરાવતા દેશમાંથી અમેરિકા આવેલા વિદેશી નાગરિકોને ડીપોર્ટ કરવાની ચીમકી પણ ટ્રમ્પે આપી છે. અમેરિકાએ જાેખમી દેશની યાદીમાં મૂકેલા સ્થળેથી આવતા વિદેશી નાગરિકોએ ગ્રીન કાર્ડ…

Read More