- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
- શર્વરી વાઘ અને સની કૌશલના બ્રેકઅપની ચર્ચા તેજ, કરિયર સફળતાએ સંબંધોમાં વધારી અંતર?
- એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકની બાયોપિક બનાવવાની તૈયારીમાં રામ ગોપાલ વર્મા, ‘કંપની’ યુનિવર્સ સાથે જોડાણની ચર્ચા
- સલમાન ખાન અને ફરહાન અખ્તર વચ્ચે મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મ માટે ચર્ચા, બે ભાગમાં બની શકે છે ફિલ્મ
- “હું નસીબદાર છું, પરંતુ મારા પણ ખરાબ દિવસો આવે છે”: આલિયા ભટ્ટે સફળતા, પ્રિવિલેજ અને પુત્રી રાહા વિશે કરી ખુલ્લી વાત
Author: Garvi Gujarat
હર્ષ લિંબાચિયા સાથે શેર કર્યા ખુશખબર કોમેડિયન ભારતી સિંહ ફરીવાર માતા બનશે ભારતી સિંહ હાલમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં છે, જ્યાંથી તેણે આ ખુશખબર તેના ચાહકો સાથે શેર કર્યા છે. કોમેડિયન અને ટીવી હોસ્ટ ભારતી સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તે વારંવાર પોતાના વિશે અપડેટ્સ ઓનલાઈન શેર કરે છે. આ દરમિયાન ભારતી સિંહે તેના ચાહકો સાથે કેટલીક સારી ખબરો શેર કરી છે. ભારતી સિંહ ફરીથી બાળકની અપેક્ષા રાખી રહી છે, એક પોસ્ટ તેણે શેર કરી છે. આ સમાચાર સાંભળીને તેના ચાહકો ખૂબ ખુશ થયા છે.ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ…
‘એનિમલ’માં રણબીરના પરિવર્તને ચાહકોને સ્તબ્ધ કરી દીધા હતા.‘એનિમલ’ માટે રણબીરે કોઈ શોર્ટ કટ ન અપનાવ્યો.તાજેતરમાં, રણબીર કપૂરના ટ્રેનર, શિવોહમ ભટ્ટ સાથેનો એક ઇન્ટરવ્યુ વાયરલ થયો હતો.‘એનિમલ’માં રણબીર કપૂરે પોતાના અભિનય અને પરિવર્તનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેના ટ્રેનરે તેની વજન વધારવાની યાત્રાની સંપૂર્ણ વાર્તા જાહેર કરી છે. રણબીર કપૂરે હંમેશા પોતાના શક્તિશાળી અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. ‘એનિમલ’માં તેના નોંધપાત્ર પરિવર્તને ચાહકો સહિત દરેકને સ્તબ્ધ કરી દીધા. હવે, અભિનેતાના ટ્રેનર, શિવોહમ ભટ્ટે આ રહસ્ય ખોલ્યું છે.રણબીર કપૂરની દરેક ફિલ્મ અને દરેક પાત્ર હંમેશા રસપ્રદ રહ્યું છે. તેણે હંમેશા પોતાના બધા પાત્રોથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. પરંતુ ‘એનિમલ’માં તેનો અભિનય સંપૂર્ણપણે…
ફરહાન સાથે ૧૨ લાખ રૂપિયાની ઠગાઈ થઈ.અભિનેતા ફરહાન અખ્તર સાથે ડ્રાઈવરે કરી છેતરપિંડી.મુંબઈ પોલીસે આ મામલે આરોપી ડ્રાઈવર અને પેટ્રોલ પંપના કર્મચારી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.બોલિવૂડના અભિનેતા ફરહાન અખ્તર સાથે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. રિપોર્ટ મુજબ, ફરહાન સાથે ૧૨ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે અને આ ઠગાઇ પણ તેના ખાસ ડ્રાઇવરે કરી હોવાનું સામે આવ્યું છે. મુંબઈ પોલીસે આ મામલે આરોપી ડ્રાઈવર અને પેટ્રોલ પંપના કર્મચારી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અભિનેતા ફરહાન અખ્તરની માતા હની ઈરાનીના ડ્રાઈવર નરેશ સિંહ અને બાંદ્રા ઝીલ પાસે આવેલા એક પેટ્રોલ પંપના કર્મચારીએ ફરહાનના પેટ્રોલ…
ઘણી વખતથી ચાલી રહેલી અફવાઓ વચ્ચે.રશ્મિકા મંદાના અને અભિનેતા વિજયે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી!.થોડા દિવસો પહેલા વિજય દેવરકોંડાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાની માર્શલ આર્ટ્સ અને ફિટનેસ બતાવતો જાેવા મળ્યો હતો.બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડા સાથે સગાઈ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિકાએ એક ગુપ્ત સમારંભમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે ગુપ્ત રીતે સગાઈ કરી હતી. જાેકે, આ કપલે હજુ સુધી તેમના ફેન્સને આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના સંબંધોના સમાચારો વહેતા થઈ રહ્યા છે. રશ્મિકાએ પણ ઘણી વખત ખુલ્લેઆમ વિજય દેવરકોંડા પ્રત્યેનો…
અરબ સાગરમાં શક્તિ વાવાઝોડાની અસર.દ્વારકાના દરિયામાં ૨૫ ફૂટના મોજાં ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ.દરિયાકાંઠા પર પ્રતિબંધ અને ત્રણ નંબરનું સિગ્નલ.અરબ સાગરમાં સર્જાયેલા સંભવિત શક્તિ વાવાઝોડાના જાેખમને ધ્યાનમાં રાખીને ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ, આ વાવાઝોડું ૬ ઓક્ટોબરે પોતાની દિશા બદલીને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી સંભાવના છે. શક્તિ વાવાઝોડું રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પર સીધું ટકરાય તેવી આશંકા છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. હાલની સ્થિતિ જાેતા શક્તિ વાવાઝોડું દ્વારકાથી પશ્ચિમ દિશામાં આશરે ૬૦૦ કિલોમીટર દૂર અરબ…
કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે.ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી.પંજાબમાંથી એક રાજ્યસભા બેઠક માટેની પેટાચૂંટણી ૨૪ ઓક્ટો. યોજાશે : એએપીએ ઉમેદવારની જાહેરાત કરી.આમ આદમી પાર્ટીએ પંજાબમાંથી રાજ્યસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ વખતે અરવિંદ કેજરીવાલને નહીં, પરંતુ ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી છે. પંજાબમાંથી એક રાજ્યસભા બેઠક માટેની પેટાચૂંટણી ૨૪ ઓક્ટોબરે યોજાશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિએ સર્વાનુમતે રાજિન્દર ગુપ્તાના નામાંકનને મંજૂરી આપી હતી. ગુપ્તા પંજાબ આયોજન બોર્ડના ઉપાધ્યક્ષ હતા, પરંતુ તેમણે એક દિવસ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજિન્દર ગુપ્તાને ૨૦૨૨માં પંજાબ પ્લાનિંગ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતાં.…
NCRB રિપોર્ટમાં ખુલાસો.સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલમાં કેદ.પશ્ચિમ બંગાળમાં મહિલા કેદીની સંખ્યા પણ વધુ છ.દેશભરની જેલોમાં અસંખ્ય કેદીઓ બંધ છે, પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (દ્ગઝ્રઇમ્) ના એક અહેવાલમાં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. દ્ગઝ્રઇમ્ એ ભારતીય જેલ આંકડા ૨૦૨૩નો રિપોર્ટ રજૂ કર્યો છે. જે અનુસાર, પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધુ વિદેશી કેદીઓ કેદ છે. ભારતમાં કુલ ૬,૯૫૬ વિદેશી કેદીઓ છે, જેમાંથી ૨,૫૦૮ વિદેશી કેદીઓ (આશરે ૩૬ ટકા) પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે. પશ્ચિમ બંગાળની જેલમાં ૨૫૭૭૪ કેદીઓ બંધ છે. જેમાંથી ૯ ટકા…
ઓફર જાેઈને પિત્ઝા લવર્સ તૂટી પડ્યા.અમદાવાદમાં મફત પિત્ઝા માટે થઈ પડાપડી!.અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એક પિત્ઝા આઉટલેટને મફત પિત્ઝાની જાહેરાત આપવી ભારે પડી.અમદાવાદીઓમા પિત્ઝાનો શોખ કેવો છે તે આ વીડિયો પરથી તમને ખ્યાલ આવી જશે. અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં એક આઉટલેટના ઓપનિંગ સમયે મફત પિત્ઝાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રવિવારે મફત પિત્ઝા ખાવા માટે લોકોની લાઈનો પડી હતી. ભીડ એટલી હદે વધી છે કે, પોલીસ આવી પહોંચી હતી. અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં એક પિત્ઝા આઉટલેટ દ્વારા રવિવારે મફત પિત્ઝાની જાહેરાત કરવામાં આવી હતી. મફત પિત્ઝા અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. જેને કારણે રવિવારે મોટી સંખ્યામાં પિત્ઝા…
મુસ્લિમો અને યહૂદીઓ પર પણ અસર.અમેરિકામાં દાઢી રાખવા પર પ્રતિબંધ, શીખ સૈનિકોમાં ચિંતા.યુએસ સૈન્યમાં ધાર્મિક મુક્તિઓનું ભવિષ્ય અનિશ્ચિત.યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (પેન્ટાગોન) ની નવી ગ્રુમિંગ નીતિએ શીખ, મુસ્લિમ અને યહૂદી જેવા ધાર્મિક લઘુમતી સમુદાયોમાં વ્યાપક ચિંતા પેદા કરી છે. સંરક્ષણ સચિવ પીટ હેગસેથ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના મેમોમાં લશ્કરી દાઢી મુક્તિને વર્ચ્યુઅલ રીતે દૂર કરવામાં આવી છે, જે ધાર્મિક આધાર પર દાઢી રાખનારા સૈનિકોની સેવાને જાેખમમાં મૂકે છે. આ નીતિ ૨૦૧૦ પહેલાના ધોરણો પર પાછા ફરવાનો આદેશ આપે છે, જેમાં દાઢીની છુટને “સામાન્ય રીતે મંજૂરી નથી”. ૩૦ સપ્ટેમ્બરના રોજ મરીન કોર્પ્સ બેઝ ક્વોન્ટિકોમાં ૮૦૦થી વધુ સિનિયર લશ્કરી અધિકારીઓને સંબોધતા, હેગસેથે…
૫૮ની ઉંમરે પિતા બન્યો અરબાઝ ખાન.અરબાઝ ખાનની પત્ની શૂરા ખાને બેબી ગર્લને આપ્યો જન્મ.નન્હી પરીના આગમનથી પરિવારમાં ખુશીની લહેર છવાઈ.બોલિવૂડની પોપ્યુલર ફેમિલીમાંથી એક ખાન પરિવારમાં ખુશીની લહેર ફરી વળી છે. સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન અને તેની પત્ની શુરા ખાન માતા-પિતા બન્યા છે. શુરા ખાને દીકરીને જન્મ આપ્યો છે. ખાન પરિવારમાં લક્ષ્મીના આગમનથી બધા ખૂબ જ ખુશ છે. દરેક જણ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે. અરબાઝ ખાનની પત્ની શૂરા ખાનને શનિવારે સવારે ખારની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શૂરા ગર્ભવતી છે અને અરબાઝ ફરીથી પિતા બનશે તેવા સમાચાર આવ્યા ત્યારથી પરિવાર બાળકના આગમનની આતુરતાથી રાહ જાેઈ રહ્યો હતો.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



