Author: garvigujrat

ધનશ્રી સાથે છૂટાછેડા પછી યુઝવેન્દ્ર ચહલ છોકરીની શોધમાં.યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમના બીજા લગ્નની ચર્ચા કરવામાં આવી હતી.ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેના વ્યાવસાયિક જીવન કરતાં તેના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહ્યા છે. તેમણે ૨૦૨૦ માં ડાન્સર અને કન્ટેન્ટ સર્જક ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, અને તેઓએ ૨૦૨૨ માં અલગ થવાનો ર્નિણય લીધો. આ દંપતી હવે છૂટાછેડા લઈ ચૂક્યું છે. ૨૦૨૫ માં તેમના છૂટાછેડા થઈ ગયા. ધનશ્રીથી છૂટાછેડા પછી, યુઝવેન્દ્ર ચહલ બીજા લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. તેમણે સંભવિત બીજા લગ્નનો સંકેત આપ્યો છે.યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા…

Read More

ઓળી ઝોળી પીપળ પાન, કીયારાએ રાખ્યું સરૈયા નામ.બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમની પુત્રી સાથેનો તેમનો પહેલો ફોટો શેર કર્યો.બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમની પુત્રી સાથેનો તેમનો પહેલો ફોટો શેર કર્યાે છે. આ ફોટામાં, તેઓએ તેનો ચહેરો જાહેર કર્યાે નથી, પરંતુ તેનું નામ જાહેર કર્યું છે. આ દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં ખુલાસો થયો કે તેમણે તેમની નાની દેવદૂતનું નામ સરૈયા મલ્હોત્રા રાખ્યું છે. નામનો અર્થ તેના ઉચ્ચારણ જેટલો જ સુંદર છે. સરૈયાનો અર્થ સંસ્કૃતિઓમાં બદલાય છે, પરંતુ તેનો સૌથી સામાન્ય રીતે માનવામાં આવતો અર્થ હિબ્રુ ભાષામાંથી આવે છે. હિબ્રુમાં,…

Read More

તમારા ડ્રેસ કે લિપસ્ટિકને દોષ ન આપશો : ઐશ્વર્યા. વીડિયો જાેઈને સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના ઘણા વખાણ થયા હતા. તેના આ પોસ્ટ પર કમેન્ટનું પૂર આવ્યું હતું.ઐશ્વર્યા વિશ્વ સુંદરી હોવાની સાથે પોતાનો અવાજ ઉઠાવવા માટે પણ જાણીતી છે, ખાસ કરીને જ્યારે છોકરીઓ અને સ્ત્રીઓને લગતો કોઈ મુદ્દો હોય. હવે ઐશ્વર્યાએ જાહેર રસ્તાઓ પર સ્ત્રીઓની સતામણી અંગે તેણે અવાજ ઉઠાવવાની વાત કરી છે. તાજેતરમાં લોરિઅલ પેરિસ સ્ટેન્ડ અફ ટ્રેનિંગ પ્રોગ્રામના ભાગરૂપે યોજાયેલા એક પ્રોગ્રામમાં ઐશ્વર્યાએ કહ્યું કે સતામણી પાછળના કારણો અને જવાબદારીનો ભાર મહિલાઓ પર ન આવવવો જાેઈએ, કે તેના ડ્રેસ કે લિપસ્ટિક કે ર્નિણયો પર ન આવવો જાેઈએ.લગભગ એક દાયકાથી…

Read More

સુનિલ શેટ્ટી આગામી ફિલ્મ “હેરા ફેરી ૩”માં જાેવા મળશે. મને સાઉથની ફિલ્મોમાં વિલન બનવું નહી ગમે: સુનીલ શેટ્ટી.હું રજની સર સાથે ફિલ્મ ફક્ત એટલા માટે કરી રહ્યો હતો કારણ કે હું તેમની સાથે કામ કરવાની તક મેળવવા માંગતો હતો : સુનીલ.સુનીલ શેટ્ટીએ દક્ષિણ ભારતીય ફિલ્મોની ઓફર નકારી કાઢવાનું કારણ અંતે જાહેર કર્યું છે અને કહ્યું હતું કે તેઓ હિન્દી હીરોને વિરોધી તરીકે કાસ્ટ કરે છે. જે મને ગમતું નથી. હું હીરોને હીરો જ જાેવા માગું.સુનિલ શેટ્ટીએ તાજેતરમાં સમજાવ્યું કે, મેંગલોરિયન હોવા છતાં, તે મોટાભાગે બોલીવુડમાં કેમ કામ કરે છે અને તે દક્ષિણ ભારતીય સિનેમાની ફિલ્મો કેમ નકારે છે. તેણે સમજાવ્યું…

Read More

આર્થિક સંકટમાં છોટાઉદેપુરના ખેડૂતો.કપાસની ખેતી નષ્ટ થઈ સરકારી સહાય હજીયે શૂન્યતંત્ર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી એક પણ રૂપિયો સહાય પેટે મળ્યો નથી.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જે કપાસની ખેતી પર તેમનો જીવનનિર્વાહ ચાલે છે, તે જ કમોસમી વરસાદના કારણે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. ખેડૂતોના જણાવ્યાનુસાર, તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી એક પણ રૂપિયો સહાય પેટે મળ્યો નથી.કપાસની ખેતી આ વિસ્તારના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને કપાસનું વાવેતર કર્યું હતું અને જ્યારે પાકને…

Read More

ભારતે રાહત-સામગ્રી મોકલી, તમિલનાડુમાં એલર્ટ.ઓપરેશન સાગરબંધુ: વાવાઝોડાએ શ્રીલંકામાં ભારે તબાહી મચાવી.ભારતે શ્રીલંકાને મદદ કરવા માટે હંમેશા તત્પર : મોદી.ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ‘દિતવાહ‘ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ભારે પવન અને વરસાદના કારણે શ્રીલંકામાં ૫૬ લોકોનાં મોત થયા છે અને ૨૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ ભયાનક વિનાશ વચ્ચે ભારતે શ્રીલંકાને તાત્કાલિક મદદ માટે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ‘ઓપરેશન સાગર બંધુ’ શરૂ કર્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તે વધુ શક્તિશાળી બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઊંડી સંવેદના…

Read More

સરકારી ભરતીની સૌથી મોટી જાહેરાતગુજરાત સરકારના ૬૭ વિભાગમાં થશે મેગા ભરતી.૬૭ વિભાગોની ૩૭૮ જગ્યાઓ માટે ભરતી થશે.સરકારી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. GPSC (જીપીએસસી) દ્વારા ભરતી માટે મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાત સરકારના વિવિધ ૬૭ વિભાગો માટે જીપીએસસીએ મેગા ભરતી જાહેર કરી છે. જેના માટે આવતીકાલથી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકશે. જીપીએસસી ૬૭ વિભાગોની ૩૭૮ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આગામી ૧૩ ડિસેમ્બર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. GPSC દ્વારા ભરતીનું આખું કેલેન્ડર જાહેર કરાયું છે. જીપીએસસી દ્વારા ટ્વિટરના માધ્યમથી જણાવાયું કે, કુલ ૬૭ જાહેરાતો માટે આવતીકાલ તારીખ ૨૯-૧૧-૨૦૨૫ બપોરે ૦૧:૦૦ વાગ્યાથી https://gpsc-ojas.gujarat.gov.in…

Read More

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા.અમિત ચાવડાની આગેવાનીમાં બાઈક રેલી, સરકાર પર કર્યા તીખા પ્રહાર.અમિત ચાવડાએ ભાજપ સરકાર, નાયબ મુખ્યમંત્રી અને કાનૂન વ્યવસ્થાના મુદ્દે સરકાર પર તીખા રાજકીય હુમલા કર્યા હતા.ગુજરાત કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ આજે ગાંધીનગર ખાતે ધમાકેદાર રીતે પહોંચી હતી. યાત્રાનું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યું હતું, જ્યારે વિપક્ષ નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, સ્થાનિક આગેવાન નિશીત વ્યાસ, હિમાંશુ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા. યાત્રાની શરૂઆત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતે બાઈક ચલાવી કરી હતી. ડી.જે.ના થનગનતા સાઉન્ડ સાથે બાઈક રેલી આગળ વધી હતી. કાર્યકરોમાં ખાસ્સો ઉત્સાહ જાેવા મળ્યો હતો અને સમગ્ર માર્ગમાં રેલીનું…

Read More

૫૬ના મોત, ૨૦થી વધુ ગુમ.દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં વિનાશ વેર્યો.હવામાન ખાતાને આશંકા છે કે આગામી ૧૨ કલાકમાં આ વાવાઝોડું હજુ પણ શક્તિશાળી થઈ શકે છે.દિતવાહ વાવાઝોડાએ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની અસર ભારત પર થાય તે પહેલા શ્રીલંકામાં ભારે પવન સાથે વરસાદના કારણે ૫૬ લોકોના મોત થયા છે. જ્યારે ૨૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. હવામાન ખાતાને આશંકા છે કે આગામી ૧૨ કલાકમાં આ વાવાઝોડું હજુ પણ શક્તિશાળી થઈ શકે છે. વાવાઝોડાના કારણે શ્રીલંકામાં સ્ટોક માર્કેટ પણ વહેલું બંધ કરી દેવાની નોબત આવી છે. ખરાબ વાતાવરણના…

Read More

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત.અંડર-૧૯ એશિયા કપ માટે આયુષ મ્હાત્રેની કેપ્ટન તરીકે નિમણૂકઆ ટુર્નામેન્ટ ૧૨ ડિસેમ્બરથી દુબઈમાં રમાશે : યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે,એશિયા કપ માટે ફરી એકવાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સમયપત્રક પહેલાથી જ જાહેર થઈ ગયું હતું, અને ટીમ ઈન્ડિયાની જાહેરાતની રાહ જાેવાઈ રહી હતી. હવે ટીમની જાહેરાત થઈ ગઈ છે. નોંધપાત્ર વાત એ છે કે, વૈભવ સૂર્યવંશીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જાેકે આ અંડર-૧૯ એશિયા કપ હશે, પરંતુ ભારત અને પાકિસ્તાનની યુવા ટીમો ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. અંડર-૧૯ એશિયા કપ માટે ભારતીય ટીમની…

Read More