Author: garvigujrat

હત્યાના કારણ અને અન્ય સંડોવણીની તપાસ કરાશેભાવનગરમાં પત્ની, બે સંતાનોના હત્યારા પતિને ૭ દિવસના રિમાન્ડએક સાથે ત્રણ-ત્રણ હત્યા કરનાર વન વિભાગના એસીએફ શૈલેષને ફાંસીની સજા કરવામાં આવે તેવી માગ રબારી માલધારી સમાજ દ્વારા કરવામાં આવીભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની, પુત્ર અને પુત્રીની ર્નિદયતાપૂર્વક હત્યા કરી હતી. હત્યા બાદ ફરાર થઈ ગયેલા શૈલેષ ખાંભલાને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાંથી ઝડપી પાડ્યો હતો અને ભરતનગર પોલીસને સોંપ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને ભાવનગર…

Read More

સ્કૂલોના ખાતાકીય ઓડિટને લઈને ૨૯ નવેમ્બર સુધી મુદત લંબાવવામાં આવીશહેરની ૧૪૦થી વધુ સ્કૂલો ઓડિટ નહીં કરાવે તો ગ્રાન્ટ અટકાવાશેઅમદાવાદ શહેરની બિન સરકારી મા. અને ઉ.મા. શાળાઓનું ૨૦૨૨-૨૩ સુધીનું ખાતાકીય ઓડીટ કરવાનું આયોજન કરાયશહેરની સ્કૂલ ખાતાકીય ઓડિટમાં ઉદાસીનતા દાખવી રહી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેરની ૧૯૫ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનું ૨૦૨૨-૨૩ સુધીનું ઓડીટ બાકી હોવાથી શહેર ડ્ઢઈર્ં દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જાેકે, કેમ્પમાં પણ માત્ર ૨૦થી ૨૨ જેટલી સ્કૂલોએ જ ઓડીટ કરાવવાની તસ્દી લીધી હતી. જ્યારે ૧૪૦ કરતા વધુ સ્કૂલોએ ઓડીટ કરાવ્યું ન હતું. આમ, અનેક સ્કૂલનું ઓડીટ બાકી રહેતા ૨૯ નવેમ્બર સુધી તારીખ લંબાવવામાં આવી છે.…

Read More

રેતી ચોરનારા ભૂમાફિયા તત્વોની દાદાગીરી વકરીમહિલા અધિકારીને ઘેરી લઇ રેતી ભરેલું ડમ્પર છોડાવી જનાર ૬ શખ્સો ઝડપાયાકલોલ તાલુકા પોલીસે ૬ આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી ૩૫.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરીગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરનારા ભૂમાફિયા તત્વોની દાદાગીરી વકરી રહી હોય તેવો ચોંકાવનારો બનાવ ૧૦ નવેમ્બરના રોજ ગાંધીનગર-કલોલ હાઇવે પર બન્યો હતો. ખાણ ખનીજ વિભાગના મહિલા અધિકારીને ઘેરી લઇ ધમકી આપી ગેરકાયદે રીતે રેતી ભરેલું ડમ્પર છોડાવી ગયા હોવાની ઘટના અંગે કલોલ તાલુકા પોલીસે ૬ આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી ૩૫.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર…

Read More

એસસીઓમાં વિદેશ મંત્રીએ મજબૂત રજૂઆત કરીત્રાસવાદ સામે ઝીરો ટોલેરન્સની આવશ્યકતા: વિદેશ મંત્રી જયશંકર. SCOની સ્થાપના આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના ત્રણ દૂષણોનો સામનો કરવા માટે કરવામાં આવી છે : જયશંકરઆતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે વિશ્વના દેશોને ઝીરો ટોલેરન્સની હાંકલ કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ત્રાસવાસને ક્યારેય ન્યાયી ઠેરવી શકાય નહીં, તેના તરફથી નજર પણ ફેરવી શકાય નહીં અથવા ઢાંકપિછોડો કરી શકાય નહીં. મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે ભારતે દર્શાવ્યું છે કે આપણને આતંકવાદ સામે આપણા લોકોનો બચાવ કરવાનો અધિકાર છે અને અમે તેનો ઉપયોગ…

Read More

ભારતીય તીરંદાજી ટીમ એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગઈ હતીઢાકામાં આંતરિક હિંસાને પગલે ભારતીય તીરંદાજાે એરપોર્ટ પર દસ કલાક ફસાયાભારતની તિરંદાજાેની આ ટીમમાં સાત મહિલા ખેલાડીઓ પણ હતી. તમામ મહિલા ખેલાડીઓને એક જ રૂમમાં રાખવામાં આવી હતીબાંગ્લાદેશના ઢાકામાં યોજાયેલી એશિયન તીરંદાજી (આર્ચરી) ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગયેલા ભારતના તીરંદાજાે આ ઇવેન્ટ બાદ વતન પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં ઢાકામાં થયેલી હિંસાને પગલે ભારતીય તીરંદાજાેને લગભગ દસ કલાક સુધી એરપોર્ટ પર જ ફસાયેલા રહેવું પડ્યું હતું. આ ઉપરાંત બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કોઇ પણ સુરક્ષા વિના તેમને સ્થાનિક બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આટલું ઓછું હોય…

Read More

સરકારના રાહત પેકેજ પર નજરજાપાનનો ચલણી યેન યૂરોની સરખામણીમાં ૧૮૦ સુધી ઘટયોરોકાણકારો તાકાઇચિના આર્થિક ઉપાયો અને આર્થિક પોષણ આપવાની યોજના પર નજર રાખી રહયા છેજાપાનની આર્થિક સ્થિતિને લઇને એક મુદ્રા વેપારીઓની ચિંતાને લઇને યેન યૂરોની સરખામણીમાં ન્યૂનતમ સ્તરે પહોંચાડી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૯૯૯માં યુરો મુદ્રાનું અસ્તિત્વ આવ્યા પછી જાપાનના યેન સાથે પ્રથમવાર બન્યું છે. જાપાનના મહિલા વડાપ્રધાન તાકાઇચિ સાનાઇએ આર્થિક પેકેજ ખૂબ ઝડપથી આવતા સપ્તાહમાં બહાર પાડી શકે છે.જાપાનના અર્થતંત્ર અને કરન્સીને મજબૂત બનાવવા માટે પેકેજ મોટું હોવાનું માનવામાં આવે છે.ન્યૂયોર્કમાં જાપાની મુદ્વા યેન નબળી પડતા અને કેટલાક સમય માટે યૂરોની સરખામણીમાં ૧૮૦ યેનના સ્તર પર પહોંચી હતી.…

Read More

સિંગરની માતાએ મેનેજર પર લગાવ્યા આરોપજાણીતા ગાયક હ્યુમન સાગરનું ૩૪ વર્ષની વયે નિધન થયું‘હ્યૂમનની તબિયત ખરાબ હોવા છતાં તેને સ્ટેજ પર પરફોર્મ કરવા માટે મજબૂર કરાયો હતો : સિંગરની માતાછેલ્લા ઘણા સમયથી જીવન-મરણ સામે ઝઝૂમી રહેલા ઓડિયા સિંગર હ્યૂમન સાગરનું નિધન થઈ ગયું છે. સોમવારે સાંજે ૩૪ વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી ઓડિયા ફિલ્મ અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ. જેનો અવાજ લાખો લોકોના દિલને સ્પર્શતો હતો તે હવે હંમેશા માટે ખામોશ થઈ ગયો છે. ડોક્ટરોના મતે હ્યૂમન સાગરનું મૃત્યુ મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમને કારણે થયું છે. તેમની ખરાબ તબિયતના કારણે તેમની છેલ્લા ત્રણ દિવસથી…

Read More

પહેલા ભાગ પછી પ્રીકવલ રજૂ કરાશેપ્રભાસની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશેઆ ફિલ્મ એક સૈનિકની વીરતા પર આધારિત હશે અને તેમાં અનેક સેનાનીઓની ગાથા દર્શાવવામાં આવશમૈથી મૂવી મેકર્સે પોતાની આગામી ફિલ્મ ‘ફૌજી’ને બે ભાગમાં રીલિઝ કરવાની ઘોષણા કરી છે. જેનું દિગ્દર્શન હનુ રાઘવપુડીનું છે અને મુખ્ય રોલમાં પ્રભાસ જાેવા મળવાનો છે. આ ફિલ્મના બે ભાગની ઘોષણા કરવાની સાથેસાથે જણાવામાં આવ્યું છે કે, ફિલ્મનો બીજાે ભાગ પ્રીકવલ હશે. આ ફિલ્મમાં પ્રભાસ એક સૈનિકના રોલમાં જાેવા મળશે. એક રીતે ‘ફૌજી’માં ‘કાંતારા’ની નકલ કરવામાં આવી છે. ‘કાંતારા’માં પણ પહેલા ભાગ પછી સીકવલ રજૂ થઈ હતી જેમાં પહેલા ભાગના આગળના સમયની કથા કહેવાઈ…

Read More

માન્યા આનંદ તમિલ ટીવી એક્ટ્રેસ છેધનુષના મેનેજર પર કાસ્ટિંગ કાઉચના પ્રયાસનો આરોપટીવી એક્ટ્રેસ માન્યા આનંદે કહ્યું- ‘સાઉથસ્ટાર સાથે ફિલ્મની ઓફર આપી વાંધાજનક માગણી કરી’ધનુષની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. તેવામાં સાઉથ સુપરસ્ટારના મેનેજર પર ગંભીર આરોપ લાગ્યા છે. તમિલ એક્ટ્રેસ માન્યા આનંદે દાવો કર્યાે છે કે, શ્રેયસ નામનો એક વ્યક્તિ, જે પોતાને સાઉથ સુપરસ્ટાર ધનુષનો મેનેજર હોવાનો દાવો કરે છે, તેણે તેની સાથે કાસ્ટિંગ કાઉચ કરવાનો પ્રયાસ કર્યાે હતો. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં માન્યાએ કહ્યું હતું કે, શ્રેયસ તેની સાથે લાંબા સમયથી એડજસ્ટમેન્ટ અંગે વાટાઘાટો કરી રહ્યો હતો અને કામ આપવાના નામે અયોગ્ય માંગણીઓ પણ કરી રહ્યો…

Read More

સીબીઆઈ ઓફિસરના સ્વાંગમાં ટ્રાન્ઝેક્શન્સ કર્યાં બેંગ્લુરુની મહિલાને ડિજિટલ અરેસ્ટ કરીને ૩૨ કરોડની છેતરપિંડીમહિલાને છ માસ સુધી વીડિયો કોલથી ડરાવી, ધમકાવીને સંપત્તિની બધી વિગતો મેળવી લીધીબેંગ્લુરુમાં ૫૭ વર્ષની એક સોફ્ટવેર એન્જિનિયર મહિલાને ૬ માસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને સાઈબર ગુનેગારોના એક ગુ્રપે ૩૨ કરોડ રૂપિયા તફડાવી લીધા હતા. સાઈબર ગુનેગારોએ પોતાની ઓળખ સીબીઆઈ અધિકારીઓના રૂપમાં આપી હતી. બેંગ્લુરુની ૫૭ વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત વર્ષે મહિલા સાથે ૩૨ કરોડનો સાઈબર ફ્રોડ થયો હતો. સોફ્ટવેર એન્જિનિયર મહિલાને સીબીઆઈ અધિકારીઓના રૂપમાં પોતાની ઓળખ આપીને સાઈબર ગુનેગારોએ વિવિધ ધમકી આપી હતી. મહિલાને છ-છ મહિના સુધી વીડિયો કોલના માધ્યમથી ડિજિટલ અરેસ્ટ રાખી હતી.મહિલાને સતત…

Read More