Author: garvigujrat

સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.63 અને ચાંદીનો વાયદો રૂ.606 ઘટ્યોઃ ક્રૂડ તેલ રૂ.90 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.30518.77 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88279.95 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.24736.27 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 27659 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.118800.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.30518.77 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88279.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27659 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1772.81 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.24736.27…

Read More

તારીખની પણ થઈ ગઈ જાહેરાત.ભારત અને ચીનની વચ્ચે ૫ વર્ષ બાદ શરૂ થશે ડાયરેક્ટ ફ્લાઇટ.આ ર્નિણય ગલવાન ખીણના સંઘર્ષ બાદ પાંચ વર્ષ સુધી બંને દેશો વચ્ચે રહેલા તણાવપૂર્ણ સંબંધો બાદ લેવાયો.લાંબા સમયના તણાવ બાદ ભારત અને ચીન ફરીથી એકબીજાના દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે સહમત થયા છે. આ ર્નિણય ગલવાન ખીણના સંઘર્ષ બાદ પાંચ વર્ષ સુધી બંને દેશો વચ્ચે રહેલા તણાવપૂર્ણ સંબંધો બાદ લેવાયો છે. ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે આની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે, ભારતની પ્રખ્યાત એરલાઇન પણ જાહેર કર્યું છે કે તે ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫થી ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરશે. ખરેખર, વિદેશ…

Read More

રિતિક રોશને સબા આઝાદ સાથે ચોથી એનિવર્સરી ઉજવી.બંનેએ પોતાના સોશિયલ મીડિયા પર એકબીજાના ક્યારેય જાહેર નહીં થયેલાં ફોટો શેર કર્યા.૨૦૨૧માં જ્યારે રિતિક રોશન એક મિસ્ટ્રી ગર્લ સાથે જાહેરમાં દેખાઈ ગયો તો તેના વિશે વિવિધ પ્રકારના અહેવાલો આવતા રહ્યા હતા. તેઓ બંને હાથમાં હાથ નાખીને એક રેસ્ટોરાંની બહાર આવતા દેખાયા હતા. તેઓ બંને પાપરાઝીના કૅમેરામાં કેદ થઈ ગયા હતા. બાદમાં જાહેર થયું હતું કે રિતિક સાથે બહાર નીકળેલી મિસ્ટ્રી ગર્લ એક્ટ્રેસ અને મ્યુઝિશીયન સબા આઝાદ હતી.કરણ જાેહરની ૫૦મી બર્થડે પાર્ટીમાં તેઓ બંને પહેલી વખત ખુલીને સાથે આવ્યા હતા. ત્યારથી બંને હંમેશા એકબીજાની સાથે રહ્યા છે. ત્યારથી તેઓ સમયાંતરે સોશિયલ મીડિયા પર…

Read More

સુનિતા આહુજા ૧૫ વર્ષથી અલગ રહેવાની કબૂલાત કરી.ગોવિંદાની પત્નીની કબૂલાત, છૂટાછેડાની અફવાથી તે દુ:ખી.નારાજગી ૧૦૦ ટકા છે, કારણ કે હું પણ બધું સાંભળું છું. પણ હું બહુ મજબુત છું કારણ કે મારી પાસે મારા બાળકો છે : સુનિતા.છેલ્લા ઘણા સમયથી ગોવિંદા કોઈ ફિલ્મમાં જાેવા મળ્યો નથી. છતાં તે પત્ની સુનિતા આહુજા સાથે છુટાછેડાના અહેવાલોથી છેલ્લાં ઘણા સમયથી ચર્ચામાં છે. જાેકે, તેમણે ગણેશ ઉત્સવ વખતે સાથે ઉજવણી કરીને ડિવોર્સની અફવાઓને નકારવાની કોશિષ કરી હતી. આ વખતે સુનિતાએ એવું પણ કહ્યું હતું કે જે લોકો આવી અફવાઓ ફેલાવવાની કોશિશ કરે છે, તેમને અમને આ રીતે સાથે તહેવાર ઉજવતા જાેઈને શરમ આવવી જાેઈએ.…

Read More

‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ માટે.રોહિત રોયે ૨૫ દિવસમાં ૧૬ કિલો વજન ઘટાડીને ચમત્કાર સર્જી દીધો હતો. “મેં સાંભળ્યું છે કે હોલીવુડના કલાકારો પણ આવી જ ડાયેટ ફોલો કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે” : રોહિત.ઘણીવાર એવું જાેવા મળ્યું છે કે કલાકારો તેમના પાત્રોની ભીતરમાં પ્રવેશવા માટે કોઈપણ હદ સુધી જાય છે. રોહિત રોયે એક સમયે આવું જ કર્યું હતું. ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ ફિલ્મમાં પોતાની ભૂમિકા માટે અભિનેતાએ ૨૫ દિવસમાં ૧૬ કિલો વજન ઘટાડ્યું. રોહિત ૨ ઓક્ટોબરે પોતાનો ૫૬મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. રોહિત રોયે આવું કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જાેકે, હવે અભિનેતાએ કહ્યું છે…

Read More

અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીનો સૌથી ફિટ કલાકાર ગણાય છે.મેં છેલ્લા ૨૦ વર્ષથી સાંજે ૬.૩૦ પછી કશું જ ખાધું નથી.તાજેતરમાં જ અક્ષય કુમારની ‘જાેલી એલએલબી ૩’ રિલીઝ થઈ છે, જેમાં તેની સાથે અર્શદ વારસી પણ લીડ રોલમા છ.અક્ષય કુમાર એક એવો હિરો છે, જેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ભલે ગમે તે પરિવર્તન આવ્યા હોય પરંતુ તેની તંદુરસ્તી માટેની શિસ્ત અને નિયમપાલનમાં ક્યારેય કોઈ ફરક પડતો નથી. હવે તો બધા જ જાણે છે કે તે સાંજે ૬.૩૦ વાગ્યા પછી કશું જ નહીં ખાવાનો કડક નિયમ પાડે છે. આ ઉપરાંત તે કોઈ પણ પાર્ટીમાં પણ કશું ખાતો નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે કબુલ્યું છે…

Read More

કેદારનાથ મંદિર પણ છ મહિના માટે રહેશે બંધ.બદ્રીનાથ ધામના કપાટ ૨૫ નવેમ્બરથી થશે બંધ.બદ્રીનાથ ધામના કપાટ ૨૫ નવેમ્બરના રોજ સાંજે ૨.૫૬ વાગ્યે બંધ થશે. નવેમ્બરમાં શરૂ થઈ રહેલી શિયાળાની સીઝનમાં બદ્રીનાથના કપાટ બંધ થશે. જેના માટે ૨૧ નવેમ્બરથી પંચ પુજાઓ શરૂ થશે. આ સિવાય કેદારનાથના કપાટ ૧૮ નવેમ્બરના રોજ બંધ થશે. વિજયાદશમીના પર્વ પર ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં પંચાંગની ગણના અનુસાર તારીખ જાહેર કરી છે. વિજયાદશમીના શુભ પ્રસંગે, મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પંચાંગ ગણતરીઓના આધારે ભગવાન તુંગનાથના શિયાળામાં દરવાજા બંધ કરવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. દેવરા માટે પ્રસ્થાન ૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ થશે. આ પછી, ૬ નવેમ્બર ૨૦૨૫ ના…

Read More

મને બદનામ કરવાના પ્રયાસો : સાનૂ.પૂર્વ પત્ની પર ભડક્યાં સિંગર કુમાર સાનૂ, મોકલી લીગલ નોટિસ.પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે કુમાર સાનુ અને તેમની બહેનોએ તેમને ત્રાસ આપ્યો હતો.છેલ્લા કેટલાક દિવસોમાં કુમાર સાનુની પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્યએ વિવિધ પોડકાસ્ટમાં સિંગર વિશે અનેક દાવા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કુમાર સાનુ અને તેમની બહેનોએ તેમને ત્રાસ આપ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કુમાર સાનુની બહેને તેમને ગર્ભપાત કરાવવા માટે કંઈક ખવડાવ્યું હતું. કુમાર સાનુ હવે આ આરોપોથી ગુસ્સે થયા છે અને તેમણે તેમની પૂર્વ પત્ની વિરુદ્ધ કાનૂની નોટિસ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુમાર સાનુએ તેમની…

Read More

UNમાં ભારતની પાક.ને ફિટકાર.માનવાધિકારોને લઈને સૌથી ખરાબ રેકોર્ડ વાળો દેશ ગણાવ્યો.ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાનને અરીસો બતાવ્યા.ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. ભારતીય રાજદૂત મોહમ્મદ હુસૈને બેઠકમાં કહ્યું કે, ‘આ વિડંબના છે કે પાકિસ્તાન જેવો દેશ માનવાધિકારો પર બીજાઓને જ્ઞાન આપવાની હિંમત કરે છે, જ્યારે તેના પોતાના જ દેશમાં લઘુમતીઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે. પાકિસ્તાને જુઠાણું ફેલાવવાને બદલે પોતાના ઘરની પરિસ્થિતિ સુધારવી જાેઈએ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોને અટકાવવા જાેઈએ.’ ભારતે જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (ેંદ્ગૐઇઝ્ર) ના ૬૦મા સત્રમાં માનવાધિકારના મુદ્દાઓ પર પાકિસ્તાનના પાખંડનો પર્દાફાશ કર્યો. ભારતે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચારને ઉજાગર…

Read More

રાહુલ ગાંધીના કોલંબિયાથી સરકાર પર પ્રહાર.ભારતની લોકશાહી પર થઈ રહ્યા છે હુમલા, દેશમાં ધર્મની તિરાડો.લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કોલંબિયામાંથી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કોલંબિયામાંથી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. લોકશાહીમાં વિવિધ વિચારોને સમાવિષ્ટ કરવા જાેઈએ. રાહુલ ગાંધીએ ભારત અને ચીન વચ્ચેના સંબંધો પર પણ સ્પષ્ટતા આપી હતી. નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારત માટે સૌથી મોટો ખતરો “લોકશાહી પર હુમલો” છે. કોલંબિયાની ઈૈંછ…

Read More