- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
- મનોજ સોરઠીયાનો ભાજપ પર પ્રહાર: પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય બગાડ્યું, ચૈતર વસાવાને ન્યાયની માંગ
- અમદાવાદ ગ્રામ્યમાં અતિભારે વરસાદ: 430 લોકોનું સ્થળાંતર, 40નું રેસ્ક્યુ, રેડ એલર્ટ યથાવત
- પેપર લીક સામે PM મોદીનું કડક વલણ: ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો કાયદો આવશે
- AMC પર AAPનો પ્રહાર: એક વરસાદમાં અમદાવાદના રસ્તા બન્યા ‘સ્વિમિંગ પૂલ’
- સાસુના અંતિમ સંસ્કાર દરમિયાન જમાઈને મગર ખેંચી ગયો, ઘાઘરા નદી કિનારે કરૂણ ઘટના
- યુવાનોનો વિશ્વાસ જીત્યા વિના લોકશાહી મજબૂત નહીં બને: છગનલાલ મેવાડા
Author: garvigujrat
દેશવાસીઓને દશેરાની પાઠવી શુભેચ્છા PM મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધી – લાલ બહાદુર શાસ્ત્રીને આપી શ્રદ્ધાંજલિ.આ અવસરે કેન્દ્રીય મંત્રીઓ, વિપક્ષી નેતાઓ અને અન્ય અધિકારીઓ રાજઘાટ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આજે ૨ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૬મી જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની ૧૨૧મી જન્મજયંતિના અવસરે દેશભરમાં અહિંસા, સત્ય અને દેશભક્તિના સંદેશાઓ ગુંજી રહ્યા છે. ઉપરાંત આજના દિવસે લોકો વિજયાદશમી અથવા દશેરાની ઠેરઠેર ઊજવણી કરી રહ્યા છે, જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીઓ, વિપક્ષી નેતાઓ અને અન્ય મહાનુભાવો સાથે દિલ્હીના રાજઘાટ અને વિજય ઘાટ ખાતે બંને મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે સાંજે…
વડોદરામાં એલઆઇસીના નિવૃત્ત.અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરીને ભેજાબાજાેએ તેર લાખ પડાવ્યા.સીબીઆઇ અને ઇડીના નામે આપી હતી ધમકી : જામીન માટે દસ લાખ ભરવા પડશે તેમ જણાવ્યુ હતુ. વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં રહેતા એલઆઇસીના નિવૃત્ત ૭૩ વર્ષીય અધિકારીને ડિજિટલ એરેસ્ટના નામે દમદાટી આપી ઠગોએ તેર લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાનું બનાવો બનતા તેમણે પોલીસને જાણ કરી છે.નિવૃત્ત અધિકારીએ પોલીસને કહ્યું છે કે, ગત તારીખ ૨૩મી એ બપોરે મને વિશાલ શર્મા નામના ટેલીફોન ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે ફોન આવ્યો હતો અને નવ નંબરનું બટન દબાવવા કહ્યું હતું. જે બટન દબાવતા મને સામેથી કહેવાય હતું કે તમારી સામે એફઆઇઆર થઈ છે અને દિલ્હીથી ખરીદેલા આ સીમ…
પૂર્વ મુખ્યમંત્રીનો આક્ષેપ.લોકોને બળજબરીથી રાષ્ટ્રગીત માટે ઊભા કરવામાં આવે છે: મહેબૂબા.જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રાષ્ટ્રગીત દરમિયાન ઊભા નહીં થવાના મામલામાં પોલીસે ૧૫ યુવકોની અટકાયત કરી છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રાષ્ટ્રગીત દરમિયાન ઊભા નહીં થવાના મામલામાં પોલીસે ૧૫ યુવકોની અટકાયત કરી છે. આ ઘટનાને પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મેહબૂબા મુફ્તીએ વખોડી કાઢી છે. આ સાથે મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, કાશ્મીરમાં લોકોને બળજબરીથી, અહીં સુધી કે બંદૂકની અણીએ રાષ્ટ્રગીત માટે ઊભા કરવામાં આવી રહ્યા છે.પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના વડા મુફ્તીએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપે પરિસ્થિતિ જ એવી પેદા કરી છે કે લોકોને રાષ્ટ્રગીત માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. જ્યારે હું સ્ટુડન્ટ…
US-ઇરાક વચ્ચે ગત વર્ષે સમજૂતી થઈ હતી.અમેરિકાએ ઈરાકમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચવાનું શરૂ કર્યું.વોશિંગ્ટન એક ‘જવાબદાર પરિવર્તન’ સુનિશ્ચિત કરવા માટે બગદાદ અને ગઠબંધનના સહયોગીઓ સાથે ઘનિષ્ઠ સમન્વય જાળવી રાખશ.ઇરાકના સદ્દામ હુસૈનના શાસનને ઉથલાવવામાં અમેરિકાની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ દરમિયાન હવે ગત વર્ષે ઇરાકની સરકાર સાથે થયેલા એક કરાર અંતર્ગત અમેરિકાએ ઇરાકમાં પોતાનું સૈન્ય મિશનને ઓછું કરવાની કવાયત શરૂ કરી દીધી છે, તેમ અધિકારીઓએ જણાવ્યું છે. ઇસ્લામિક સ્ટેટ જૂથ સામે લડવા માટે અમેરિકાના નેતૃત્વમાં એક સૈન્ય ગઠબંધન કરવામાં આવ્યું હતું. આમાં વર્ષ ૨૦૨૪માં થયેલા એક કરાર અનુસાર અમેરિકાએ ઈરાકમાંથી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પોતાના સૈન્યને હટાવવાની બાબત સામેલ હતી. આ સાથે જ…
દ. ચિલીથી ન્યુઝીલેન્ડ સુધી રિંગ ઓફ ફાયરમાં આવેલા.ફિલિપાઇન્સમાં પ્રચંડ ધરતીકંપ ૬૯ના મોત, અનેકને ઇજા : સુનામી વોર્નિંગ.ઉ.પૂ. ફિલિપાઇન્સના સેબુટાપુમાં મોડી રાત્રે ધરતીકંપ : અંધારપટ છવાઈ ગયો : લોકો બેબાકળા બની ઘરની બહાર દોડી ગયા.ફિલિપાઇન્સના બોગોથી ઉત્તર પૂર્વે ૧૭ કિ.મી. દૂર થયેલા પ્રબળ ધરતીકંપે તારાજી મચાવી દીધી હતી. ગઇકાલે રાત્રે થયેલો આ પ્રબળ ધરતીકંપ રીકટર સ્કેલ ઉપર ૬.૯ની તિવ્રતાનો નોંધાયો હતો.છેલ્લી માહિતી પ્રમાણે આ ધરતીકંપમાં સમગ્ર દેશમાં મળી કુલ ૬૯ના મૃત્યુ થયા છે. ઇજાગ્રસ્તોની સંખ્યા તો ઘણી વધુ છે.આ વિષે માહિતી આપતા ડીઝાસ્ટર પીટીગેશન ઓફિસર રેક્સ ચીગોટે જણાવ્યું હતું કે એકવા સેબુ જિલ્લામાં જ ૧૪ નાગરિકોના મૃત્યુ નોંધાયા હતા. આ સાથે…
પંકજ ત્રિપાઠી ટૂંક સમયમાં મિર્ઝાપુર ૪ માં જાેવા મળશ.પંકજ ત્રિપાઠીએ મુંબઈમાં ૧૦.૮૫ કરોડના બે આલીશાન ફ્લેટ ખરીદ્યા.પંકજે અંધેરી વેસ્ટમાં એક ફ્લેટ ખરીદ્યો છે. આ એક વૈભવી એપાર્ટમેન્ટ છે અને તેની કિંમત ૯.૯૮ કરોડ છે.બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠી તેમના શાનદાર અભિનય માટે જાણીતા છે. તેમણે ગેંગ્સ ઓફ વાસેપુર, સ્ત્રી અને લુડો જેવી ઘણી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યું છે. લોકો તેમના અભિનયથી મોહિત છે. જ્યારે પણ પંકજ ત્રિપાઠી કોઈ ફિલ્મની જાહેરાત કરે છે, ત્યારે તેમના ચાહકો ખુશ થાય છે. પંકજ તેમના અંગત જીવન વિશે ઓછી વાત કરવાનું પસંદ કરે છે. તેમની પત્ની મૃદુલા ત્રિપાઠી અને પુત્રી આશી ત્રિપાઠી તેમની સાથે ભાગ્યે જ…
નિર્માતાઓની આ વાતનો ખુલાસો કર્યો.‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે પહેલી પસંદગી આલિયા નહી, રાની મુખર્જી હતી.મને બાળપણથી જ સંગીત અને મ્યુઝિક વીડિયો નિર્માણમાં રસ હોવાથી હું ફિલ્મ નિર્માણ તરફ આકર્ષાયો : આદિત્ય.આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ૨૦૨૨ માં મોટા પડદે આવી. સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મની બધાએ પ્રશંસા કરી. આલિયાએ તેના શક્તિશાળી અભિનયથી બધાનું દિલ જીતી લીધું. જ્યારે આલિયાને સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં મુખ્ય ભૂમિકા તરીકે જાહેરાત કરવામાં આવી, ત્યારે એવા અહેવાલો આવ્યા હતા કે તે ફિલ્મ માટે પહેલી પસંદગી નથી.તે સમયે, એવા અહેવાલો હતા કે નિર્માતાઓ આલિયા ભટ્ટ પહેલા અભિનેત્રી રાની મુખર્જીને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા. જાે કે,…
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.‘ડોનાલ્ડ ટ્રમ્પ જ મારા અસલી પપ્પા’ :રાખી સાવંત.રાખી તેના ભૂતપૂર્વ પતિ આદિલ ખાન દુર્રાની સાથે દુ:ખદ છૂટાછેડા અને અનેક કાનૂની વિવાદોમાં ફસાયેલી હતી.એક્ટ્રેસ રાખી સાવંત છેલ્લા ઘણા મહિનાઓથી મીડિયામાં જાેવા મળી નથી. તે ઘણા મહિનાઓથી ભારતમાં નથી અને તેનો મોટાભાગનો સમય દુબઈમાં વિતાવી રહી હતી. તે સોશિયલ મીડિયા પર સક્રિય હતી, ઘણા જીમ વિડીયો અને ક્યારેક જૂના વીડિયો પણ શેર કરતી હતી, પરંતુ હવે, મહિનાઓ પછી, તે મુંબઈ પાછી આવી છે. હંમેશા વિવાદોમાં રહેતી રાખી સાવંતે ફરી એકવાર તેના નિવેદનથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. તેના વિચિત્ર નિવેદનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો…
સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદામાં રૂ.12,408 અને ચાંદીના વાયદામાં રૂ.20,272નો જંગી ઉછાળો ક્રૂડ તેલનો વાયદો રૂ.50 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12,30,710 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.99,40,492 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.9,99,328 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 27396 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 1થી 30 સપ્ટેમ્બર મહિના દરિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.11171274.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.1230710.74 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.9940492.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27396 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.103643.79 કરોડનું થયું હતું. સમીક્ષા હેઠળના…
સિંગર ઝુબીન ગર્ગના કેસમાં કાર્યવાહી.મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝરની ધરપકડ કરાઈ.૧૯ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં લોકપ્રિય સિંગર ઝુબીન ગર્ગનું નિધન થયું હતું, તેઓ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે યાટ પર ગયા હતા.સિંગર ઝુબીન ગર્ગ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝુબીન ગર્ગના મૃત્યુ મામલે તેના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલ ના ચીફ ઓર્ગેનાઈઝર શ્યામકાનુ મહંતની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ બંનેને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે. પોલીસે આ મામલે જણાવ્યું કે, ઝુબીન ગર્ગના મેનેજર અને ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝરની પૂછપરછ કરવામાં આવી રહી છે.સિંગાપોરથી નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા જ મહંતની ધરપકડ કરવામાં આવી હતી,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



